05-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારા
મુખ થી ક્યારે પણ હે ઈશ્વર , હે બાબા શબ્દ નીકળવો નહીં જોઈએ , આ તો ભક્તિ માર્ગ ની
પ્રેક્ટિસ છે ”
પ્રશ્ન :-
આપ બાળકો સફેદ
ડ્રેસ પસંદ કેમ કરો છો? આ કઈ વાત નું પ્રતીક છે?
ઉત્તર :-
હમણાં તમે આ જૂની દુનિયાથી જીવતે જીવ મરી ચૂક્યાં છો એટલે તમને સફેદ ડ્રેસ પસંદ છે.
આ સફેદ ડ્રેસ મૃત્યુ ને સિદ્ધ કરે છે. જ્યારે કોઈ મરે છે તો તેનાં પર પણ સફેદ કપડાં
નાખે છે, આપ બાળકો પણ હમણાં મરજીવા બન્યાં છો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી બાળકો ને સમજાવે છે, રુહાની અક્ષર ન કહી ફક્ત બાપ કહે તો પણ ઠીક છે. બાપ બેસી
બાળકો ને સમજાવે છે. બધાં પોતાને ભાઈ-ભાઈ તો કહે જ છે. તો બાપ બેસી સમજાવે છે બાળકો
ને. બધાને તો નહીં સમજાવતાં હશે. બધાં પોતાને ભાઈ-ભાઈ કહે જ છે. ગીતામાં લખેલું છે
- ભગવાનુવાચ. હવે ભગવાનુવાચ કોનાં પ્રતિ? ભગવાન નાં છે બધાં બાળકો. એ બાપ છે તો
ભગવાન નાં બાળકો બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છે. ભગવાને જ સમજાવ્યું હશે, રાજયોગ
શીખવાડ્યો હશે. હમણાં તમારી બુદ્ધિનું તાળુ ખુલેલું છે. દુનિયામાં બીજા કોઈનાં પણ
આવાં વિચાર નથી ચાલી શકતાં. જેને-જેને સંદેશ મળતો જશે તે સ્કૂલ માં આવતાં જશે, ભણતાં
જશે. સમજશે પ્રદર્શની તો જોઈ, હવે જઈને કંઈક વધારે સાંભળીએ. પહેલી-પહેલી મુખ્ય વાત
છે જ્ઞાન નાં સાગર, પતિત-પાવન ગીતા જ્ઞાન દાતા શિવ ભગવાનુવાચ પહેલાં-પહેલાં તેમને આ
ખબર પડે કે તેમને શીખવાડવા વાળા અથવા સમજાવવા વાળા કોણ છે! એ સુપ્રીમ સોલ (પરમ આત્મા)
જ્ઞાન નાં સાગર નિરાકાર છે. એ તો છે જ સત્ય. (ટ્રુથ) એ સત્ય જ બતાવશે. પછી તેમાં
બીજા કોઈ પ્રશ્નો ઉઠી નથી શકતાં. પહેલાં-પહેલાં તો આનાં પર સમજાવવાનું છે, અમને
પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા રાજયોગ શીખવાડે છે. આ રાજાઈ પદ છે. જેમને નિશ્ચય
થઈ જશે કે જે સર્વનાં બાપ છે, એ પારલૌકિક બાપ બેસીને સમજાવે છે, એ જ સૌથી મોટી
ઓથોરિટી (સત્તા) છે તો પછી બીજા કોઈ પ્રશ્ન ઉઠી જ નથી શકતાં. એ છે પતિત-પાવન તો
જ્યારે એ અહીંયા આવે છે તો જરુર પોતાનાં સમય પર આવતાં હશે. તમે જુઓ પણ છો - આ એ જ
મહાભારત લડાઈ છે. વિનાશ પછી ફરી વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા થવાની છે. આ છે વિશશ (વિકારી)
દુનિયા. આ મનુષ્ય નથી જાણતાં કે ભારત જ વાઇસલેસ હતું. કાંઈ પણ બુદ્ધિ ચાલતી નથી.
ગોદરેજ નું તાળું લાગેલું છે. તેની ચાવી એક બાપની પાસે જ છે એટલે એમને જ જ્ઞાન દાતા,
દિવ્ય ચક્ષુ વિધાતા કહેવાય છે. જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે. આ કોઈને ખબર નથી કે
તમને ભણાવવા વાળા કોણ છે. દાદા સમજી લે છે ત્યારે ટીકા કરે છે. કાંઈ ને કાંઈ બોલે
છે - એટલે પહેલી-પહેલી વાત જ આ સમજાવો. આમાં લખેલું પણ છે - શિવ ભગવાનુવાચ. એ તો છે
જ સત્ય.
બાપ સમજે છે હું પતિત-પાવન શિવ છું. હું પરમધામ થી આવ્યો છું, આ સાલિગ્રામો ને
ભણાવવાં. બાપ છે જ નોલેજફુલ. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નુ રહસ્ય સમજાવે છે. આ શિક્ષા
હમણાં જ તમને જ બેહદનાં બાપ થી મળી રહી છે. એ જ સૃષ્ટિનાં રચયિતા છે. પતિત સૃષ્ટિ
ને પાવન બનાવવા વાળા છે. બોલાવે પણ છે હે પતિત-પાવન આવો તો પહેલાં-પહેલાં એમનો જ
પરિચય આપવાનો છે. એ પરમપિતા પરમાત્માની સાથે તમારો શું સંબંધ છે? એ છે જ સત્ય. નર
થી નારાયણ બનવાનું સત્ય નોલેજ આપે છે. બાળકો જાણે છે બાપ સત્ય છે, બાપ જ સચખંડ બનાવે
છે. તમે નર થી નારાયણ બનવાં અહીંયા આવો છો. બેરિસ્ટર પાસે જશે તો સમજશે અમે
બેરિસ્ટર બનવાં આવ્યાં છીએ. હમણાં તમને નિશ્ચય છે કે અમને ભગવાન ભણાવે છે. ઘણાં
નિશ્ચય કરે પણ છે પછી સંશયબુદ્ધિ થઈ જાય છે તો તેમને બધાં મનુષ્ય કહે છે તમે તો
કહેતાં હતાં, ભગવાન ભણાવે છે પછી ભગવાનને છોડીને કેમ આવ્યાં છો? સંશય આવવાથી જ
ભાગન્તી થઈ જાય છે. કોઈ ને કોઈ વિકર્મ કરે છે. ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, એનાં પર
જીત પામવાથી જ તમે જગતજીત બનશો. જે પાવન બનશે એ જ પાવન દુનિયામાં જશે. અહિયાં છે જ
રાજયોગ ની વાત. તમે જઈ ને ત્યાં રાજાઈ કરશો. બાકી જે પણ આત્માઓ છે તે પોતાનો
હિસાબ-કિતાબ ચૂકતું કરી પાછાં પોતાનાં ઘરે ચાલ્યાં જશે. આ કયામત નો સમય છે. હવે આ
બુદ્ધિ કહે છે સતયુગ ની સ્થાપના જરુર થવાની છે. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે.
બાકી બધાં મુક્તિધામ માં ચાલ્યાં જશે. તેમને પછી પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે. તમે
પણ પોતાનો પુરુષાર્થ કરતાં રહો છો. પાવન બની અને પાવન દુનિયાનાં માલિક બનવાનાં માટે.
માલિક તો બધાં પોતાને સમજશે ને. પ્રજા પણ માલિક છે. હમણાં પ્રજા પણ કહે છે ને -
અમારું ભારત. મોટામાં મોટા મનુષ્ય સન્યાસી વગેરે પણ કહે અમારું ભારત. તમે સમજો છો આ
સમયે ભારતમાં બધાં નર્કવાસી છે. હમણાં આપણે સ્વર્ગવાસી બનવા માટે આ રાજયોગ શીખી
રહ્યાં છીએ. બધાં તો સ્વર્ગવાસી નહીં બનશે. આ હમણાં જ્ઞાન આવ્યું છે. તે લોકો જે
સંભળાવે છે, શાસ્ત્ર સંભળાવે છે. તે છે શાસ્ત્રો ની ઓથોરિટી. બાપ કહે છે આ
ભક્તિમાર્ગ નાં વેદ શાસ્ત્ર વગેરે બધાં વાંચવાથી સીડી નીચે ઉતરતાં જાય છે. આ બધું
છે ભક્તિમાર્ગ. બાપ કહે છે જ્યારે ભક્તિ માર્ગ પૂરો થશે ત્યારે જ હું આવીશ. મારે જ
આવીને બધાં ભક્તો ને ભક્તિનું ફળ આપવાનું છે. મેજોરીટી (મોટી સંખ્યા) તો ભક્તોની
છે. બધાં પોકારતાં રહે છે ને - હેં ગોડ ફાધર. ભક્તોનાં મુખથી ઓ ગોડ ફાધર, હેં ભગવાન
જરુર નીકળશે. હવે ભક્તિ અને જ્ઞાન માં તો ફરક છે. તમારા મુખ થી ક્યારેય હે ઈશ્વર,
હે ભગવાન આ અક્ષર નહીં નીકળશે. મનુષ્યો ને તો આ અડધાકલ્પ ની પ્રેક્ટિસ પડેલી છે. તમે
જાણો છો એ તો આપણા બાપ છે, તમારે હે બાબા થોડી કરવાનું છે. બાપ થી તો તમારે વારસો
લેવાનો છે. પહેલાં તો આ નિશ્ચય છે અમે બાપ થી વારસો લઈએ છીએ. બાપ બાળકોને વારસો
લેવાનાં અધિકારી બનાવે છે. આ તો સાચાં બાપ છે ને. બાપ જાણે છે - આ મારા બાળકો છે,
જેને હું જ્ઞાન અમૃત પીવડાવી, જ્ઞાન ચિતા પર બેસાડી ઘોર નિંદ્રા થી જગાડી સ્વર્ગમાં
લઈ જાઉં છું. બાપે સમજાવ્યું છે - આત્માઓ ત્યાં શાંતિધામ અને સુખધામ માં રહે છે.
સુખધામ ને કહેવાય છે વાઇસલેસ વર્લ્ડ. સંપૂર્ણ નિર્વિકારી દેવતાઓ છે ને. અને તે છે
સ્વીટ હોમ. તમે જાણી ગયાં છો કે આપણું હોમ (ઘર) તે છે, આપણે એક્ટર્સ તે શાંતિધામ થી
આવીએ છીએ - અહીંયા પાર્ટ ભજવવાં. આપણે આત્માઓ અહીંયા નાં રહેવાસી નથી. તે એક્ટર્સ
અહીંયા નાં રહેવાસી હોય છે. ફક્ત ઘરે થી આવીને ડ્રેસ બદલીને પાર્ટ ભજવે છે. તમે તો
સમજો છો આપણું ઘર શાંતિધામ છે, ત્યાં આપણે ફરી પાછાં જઈએ છીએ. જ્યારે બધાં એક્ટર્સ
સ્ટેજ પર આવી જાય છે ત્યારે પછી બાપ આવીને બધાને લઈ જશે, એટલે એમને લિબરેટર (મુક્તિદાતા),
ગાઈડ (માર્ગદર્શક) પણ કહેવાય છે. દુઃખહર્તા સુખકર્તા છે તો આટલાં બધાં મનુષ્ય ક્યાં
જશે. વિચાર કરો - પતિત-પાવન ને બોલાવે છે. શેના માટે? પોતાનાં મૃત્યુ માટે, દુઃખની
દુનિયામાં રહેવા નથી ઇચ્છતાં. એટલે કહે છે ઘરે ચાલો. આ બધાં મુક્તિને જ માનવા વાળા
છે. ભારતનો પ્રાચીન રાજયોગ પણ કેટલો પ્રખ્યાત છે. વિલાયતમાં પણ જાય છે પ્રાચીન
રાજયોગ શીખવાડવાં. હકીકત માં હઠયોગી તો રાજયોગ જાણતાં જ નથી. તેમનો યોગ જ ખોટો છે
એટલે તેમને જઈ ને સાચો રાજયોગ શીખવાડવાનો છે. મનુષ્ય સંન્યાસીઓની કફની જોઈ તેમને
કેટલું માન આપે છે. બૌદ્ધ ધર્મમાં પણ સંન્યાસીઓ ને, કફની પહેરેલી જોઈ તેમને માને
છે. સંન્યાસી તો પછી આવે છે. બૌદ્ધ ધર્મ માં પણ શરુમાં કોઈ સંન્યાસી હોતાં નથી.
જ્યારે પાપ વધે છે, બૌદ્ધ ધર્મ માં ત્યારે સંન્યાસ ધર્મ સ્થાપન થાય છે. શરુમાં તો
તે આત્માઓ ઉપર થી આવે છે. એમની સંખ્યા આવે છે. શરુમાં સંન્યાસ શીખવાડીને શું કરશે,
સંન્યાસ થાય છે પાછળ થી. આ પણ અહીંયા થી કોપી (નકલ) કરે છે. ક્રિશ્ચિયન માં પણ અનેક
છે જે સંન્યાસીઓનું માન રાખે છે. કફની નો જે પહેરવેશ છે, તે હઠયોગીઓનો છે. તમારે તો
ઘરબાર છોડવાનું નથી. ન કોઈ સફેદ કપડાં નું બંધન છે પરંતુ સફેદ સારું છે. તમે ભઠ્ઠીમાં
રહ્યાં છો તો ડ્રેસ પણ આ થઈ ગયો છે. આજકાલ સફેદ ખુબ પસંદ કરે છે. મનુષ્ય મરે છે તો
પણ સફેદ ચાદર નાખે છે. તમે પણ હમણાં મરજીવા બન્યાં છો તો સફેદ ડ્રેસ સારો છે.
તો પહેલાં કોઈને પણ બાપ નો પરિચય આપવાનો છે. બે બાપ છે, આ વાતો સમજવામાં સમય લે છે.
પ્રદર્શનીમાં એટલું સમજાવી નહીં શકો. સતયુગ માં હોય છે એક બાપ. આ સમયે તમને 3 બાપ
છે કારણ કે ભગવાન આવે છે પ્રજાપિતા બ્રહ્માનાં તન માં, તે પણ તો બાપ છે બધાનાં.
લૌકિક બાપ પણ છે. અચ્છા હવે ત્રણેય બાપમાં ઊંચો વારસો કોનો? નિરાકાર બાપ વારસો કેવી
રીતે આપે. એ પછી આપે છે બ્રહ્મા દ્વારા. આ ચિત્ર પર તમે ખુબ જ સારી રીતે સમજાવી શકો
છો. શિવબાબા નિરાકાર છે અને આ છે પ્રજાપિતા બ્રહ્મા આદિદેવ, ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ
ફાધર. બાપ કહે છે મુજ શિવને તમે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર નહીં કહેશો. હું બધાં નો
બાપ છું. આ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે થઈ ગયાં બધાં બહેન ભાઈ. ભલે સ્ત્રી પુરુષ છો
પરંતુ બુદ્ધિ થી જાણે છો અમે ભાઈ-બહેન છીએ. બાપ થી વારસો લઈએ છીએ. ભાઈ-બહેન આપસમાં
ક્રિમિનલ એસાલ્ટ (કુકર્મ) કરી ન શકે. જો બંનેની આપસમાં વિકારી દૃષ્ટિ ખેંચાય છે તો
પછી નીચે પડી જાય છે. બાપ ને ભૂલી જાય છે. બાપ કહે છે તમે મારા બાળક બની પછી મુખ
કાળું કરો છો. બેહદનાં બાપ બાળકોને બેસીને સમજાવે છે. તમને આ નશો ચઢેલો છે. જાણો છો
ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. લૌકિક સંબંધીઓને પણ મોઢું બતાવવાનું છે, સંબંધ
નિભાવવાનો છે. લૌકિક બાપને તો તમે બાપ કહેશો ને. તેમને તો તમે ભાઈ ન કહી શકો.
ઓર્ડિનરી વે માં (સાધારણ રીતે) બાપને બાપ જ કહેશે. બુદ્ધિ માં છે આ અમારા લૌકિક બાપ
છે. જ્ઞાન તો છે ને. આ જ્ઞાન બહુ વિચિત્ર છે. આજકાલ તો નામ પણ લઈ લે છે પરંતુ કોઈ
વિઝીટર (મુલાકાતી) વગેરે બહારનાં માણસ ની સામે ભાઈ કહી દો તો તે સમજશે આમનું માથું
ખરાબ થયું છે. આમાં ખુબ યુક્તિ જોઈએ. તમારું ગુપ્ત જ્ઞાન છે, ગુપ્ત સંબંધ છે. આમાં
ખુબ યુક્તિ થી ચાલવાનું છે. પરંતુ એકબીજાને રિગાર્ડ આપવો સારું છે. લૌકિક સાથે પણ
સંબંધ નિભાવવાનો છે. બુદ્ધિ ચાલી જવી જોઈએ ઉપર. આપણે બાબા થી વારસો લઇ રહ્યાં છીએ.
બાકી કાકા ને કાકા, બાપ ને બાપ કહેવું પડશે. જે બી.કે. બન્યાં નથી તે તો ભાઈ-બહેન
સમજશે નહીં. જે બ્રહ્માકુમાર કુમારીઓ બન્યાં છે એ જ આ વાતોને સમજશે. બહાર વાળા તો
પહેલાં સાંભળીને ચમકશે. આમાં સમજવાની ખુબ સારી બુદ્ધિ જોઈએ. બાપ આપ બાળકો ને વિશાળ
બુદ્ધિ બનાવે છે. તમે પહેલાં હદ ની બુદ્ધિ માં હતાં. હવે બુદ્ધિ ચાલી જાય છે બેહદમાં.
આપણા એ બેહદનાં બાપ છે. આ બધાં આપણા ભાઈ-બહેન છે. બાકી સંબંધમાં તો વહુ ને વહુ, સાસુ
ને સાસુ જ કહેશું, બહેન થોડી કહેશું. આવે તો બંને જ છે. ઘરમાં રહેતાં પણ ખુબ યુક્તિ
થી ચાલવું પડશે. લોક સંગ્રહ ને પણ જોવું પડે છે. નહીં તો તે લોકો કહેશે આ પતિ ને
ભાઈ, સાસુ ને બહેન કહે છે, આ શું શીખે છે. આ જ્ઞાન ની વાતો તો તમે જ જાણો બીજા ન
જાણે કોઈ. કહે છે ને - તમારી ગતિ મતિ તમે જ જાણો. હવે તમે એમનાં બાળક બન્યાં છો તો
તમારી ગતિ મતિ તમે જ જાણો. ખુબ જ સંભાળી ને ચાલવું પડે છે. ક્યાંય કોઈ મુંઝાય નહીં.
તો પ્રદર્શની માં પણ આપ બાળકોએ પહેલાં-પહેલાં આ જ સમજાવવાનું છે કે આપણને ભણાવવા
વાળા ભગવાન છે. હવે બતાવો એ કોણ છે? નિરાકાર શિવ કે શ્રીકૃષ્ણ. શિવજયંતી પછી આવે છે
કૃષ્ણ જયંતી કારણ કે બાપ રાજયોગ શીખવાડે છે. બાળકોની બુદ્ધિ માં આવ્યું ને. જ્યાં
સુધી શિવ પરમાત્મા ન આવે, શિવ જયંતી મનાવી ન શકાય. જ્યાં સુધી શિવ આવીને કૃષ્ણપુરી
સ્થાપન ન કરે તો કૃષ્ણ જયંતી પણ કેવી રીતે મનાવાય. કૃષ્ણ નો જન્મ તો મનાવે છે પરંતુ
સમજે થોડી છે. કૃષ્ણ પ્રિન્સ (રાજકુમાર) હતાં તો જરુર સતયુગ માં પ્રિન્સ હશે ને.
દેવી દેવતાઓની રાજધાની હશે. ફક્ત એક કૃષ્ણ ને તો બાદશાહી નહીં મળી હશે. જરુર
કૃષ્ણપુરી હશે ને. કહે પણ છે કૃષ્ણપુરી અને આ છે કંસપુરી. કંસપુરી ખતમ થઇ પછી
કૃષ્ણપુરી સ્થાપન થઇ ને. થાય છે ભારત માં જ. નવી દુનિયામાં થોડી આ કંસ વગેરે હોઈ શકે
છે. કંસપુરી કહેવાય છે કે કળયુગ ને. અહીંયા તો જુઓ કેટલાં મનુષ્ય છે. સતયુગ માં થોડાં
હોય છે. દેવતાઓએ કોઈ લડાઈ નથી કરી. કૃષ્ણપુરી કહો અથવા વિષ્ણુપુરી કહો, દૈવી
સંપ્રદાય કહો, આસુરી સંપ્રદાય અહીંયા છે. બાકી ન દેવતાઓ અને અસુરો ની લડાઈ થઈ, ન
કૌરવો પાંડવો ની થઈ છે. તમે રાવણ પર જીત પામો છો. બાપ કહે છે આ ૫ વિકારો પર જીત
પહેરો તો તમે જગતજીત બની જશો, આમાં કોઈ લડવાનું નથી. લડવાનું નામ લે તો હિંસા થઈ
જાય. રાવણ પર જીત પામવાની છે, પરંતુ નોનવાયોલેંસ (અહિંસા) થી. ફક્ત બાપ ને યાદ
કરવાથી આપણા વિકર્મ વિનાશ થાય છે. લડાઈ વગેરેની કોઈ વાત નથી. બાપ કહે છે તમે
તમોપ્રધાન બની ગયાં છો હવે ફરી તમારે સતોપ્રધાન બનવાનું છે. ભારત નો પ્રાચીન રાજયોગ
પ્રખ્યાત છે. બાપ કહે છે - મારી સાથે બુદ્ધિનો યોગ લગાવો તો તમારા પાપ ભસ્મ થશે.
બાપ પતિત-પાવન છે તો એમનાથી બુદ્ધિયોગ લગાવવાનો છે ત્યારે તમે પતિત થી પાવન બની જશો.
હવે પ્રેક્ટિકલ માં તમે એમની સાથે યોગ લગાવી રહ્યાં છો, આમાં લડાઈની કોઈ વાત નથી.
જે સારી રીતે ભણશે અને બાપની સાથે યોગ લગાવશે એ જ બાપથી વારસો પામશે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભાઈ-ભાઈ ની
દૃષ્ટિ નો અભ્યાસ કરતાં લૌકિક બંધનો થી સંબંધ નિભાવવાનો છે. બહુ જ યુક્તિ થી ચાલવાનું
છે. વિકારી દૃષ્ટિ બિલ્કુલ જવી ન જોઈએ. કયામત નાં સમયે સંપૂર્ણ પાવન બનવાનું છે.
2. બાપ થી પૂરો વારસો લેવા માટે સારી રીતે ભણતર ભણવાનું છે અને પતિત-પાવન બાપ થી
યોગ લગાવીને પાવન બનવાનું છે.
વરદાન :-
કમજોરીઓ ને
ફુલસ્ટોપ કરીને પોતાનાં સંપન્ન સ્વરુપને પ્રખ્યાત કરવા વાળા સાક્ષાત્કારમૂર્ત ભવ
વિશ્વ તમારા કલ્પ
પહેલાં વાળા સંપન્ન સ્વરુપ, પૂજ્ય સ્વરુપનું સિમરણ કરી રહી છે એટલે હવે પોતાનાં
સંપન્ન સ્વરુપ ને પ્રેક્ટિકલ માં પ્રખ્યાત કરો. વિતેલી કમજોરીઓ ને ફુલસ્ટોપ લગાવો,
દૃઢ સંકલ્પ દ્વારા જૂનાં સંસ્કાર-સ્વભાવને સમાપ્ત કરો, બીજાઓની કમજોરી ની નકલ નહીં
કરો, અવગુણ ધારણ કરવા વાળી બુદ્ધિનો નાશ કરો, દિવ્ય ગુણ ધારણ કરવા વાળી સતોપ્રધાન
બુદ્ધિ ધારણ કરો ત્યારે સાક્ષાત્કાર મૂર્ત બનશો.
સ્લોગન :-
પોતાનાં અનાદિ
અને આદિ ગુણો ને સ્મૃતિ માં રાખી તેમને સ્વરુપ માં લાવો.