04-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાબા આવ્યાં છે તમને કિંગ ઓફ ફ્લાવર બનાવવાં , એટલે વિકારો ની કોઈ પણ દુર્ગંધ ન હોવી જોઈએ”

પ્રશ્ન :-
વિકારો નો અંશ સમાપ્ત કરવા માટે કયો પુરુષાર્થ કરવાનો છે?

ઉત્તર :-
નિરંતર અંતર્મુખી રહેવાનો પુરુષાર્થ કરો. અંતર્મુખ અર્થાત્ સેકન્ડ માં શરીર થી ડિટેચ (ન્યારા). આ દુનિયાની સુધ-બુધ બિલકુલ ભૂલાઈ જાય. એક સેકન્ડ માં ઉપર જવું અને આવવું. આ અભ્યાસ થી વિકારો નો અંશ સમાપ્ત થઈ જશે. કર્મ કરતા-કરતા વચ્ચે-વચ્ચે અંતર્મુખી થઈ જાઓ, એવું લાગે જાણે બિલકુલ સન્નાટો છે. કોઈ પણ ચુરપુર (હલચલ) નહીં. આ સૃષ્ટિ તો જાણે કે છે જ નહીં.

ઓમ શાંતિ!
અહીં દરેક ને બેસાડાય છે કે અશરીરી બની બાપ ની યાદ માં બેસો અને સાથે-સાથે આ જે સૃષ્ટિ ચક્ર છે તેને પણ યાદ કરો. મનુષ્ય ૮૪ નાં ચક્ર ને સમજતા નથી. સમજશે જ નહીં. જે ૮૪ નું ચક્ર લગાવે છે એ જ સમજવા આવશે. તમારે આ જ યાદ કરવું જોઈએ, આને સ્વદર્શન ચક્ર કહેવાય છે, જેનાંથી આસુરી વિચાર ખતમ થઈ જશે. એવું નથી કે કોઈ અસુર બેઠાં છે જેમનું ગળું કપાઈ જશે. મનુષ્ય સ્વદર્શન ચક્ર નો પણ અર્થ નથી સમજતાં. આ જ્ઞાન આપ બાળકો ને અહીં મળે છે. કમળફૂલ સમાન ગૃહસ્થ વ્યવહાર માં રહી પવિત્ર બનો. ભગવાનુવાચ છે ને? આ એક જન્મ પવિત્ર બનવાથી ભવિષ્ય ૨૧ જન્મ તમે પવિત્ર દુનિયાનાં માલિક બનશો. સતયુગ ને કહેવાય છે શિવાલય. કળિયુગ છે વૈશ્યાલય. આ દુનિયા બદલાય છે. ભારત ની જ વાત છે. બીજાઓ ની વાત માં જવું જ ન જોઈએ. બોલે જનાવરો નું શું થશે? બીજા ધર્મો નું શું થશે? બોલો, પહેલાં પોતાનું તો સમજો, પછી બીજા ની વાત. ભારતવાસી જ પોતાનાં ધર્મ ને ભૂલી દુઃખી થયા છે. ભારત માં જ પોકારે છે તુમ માતા-પિતા… વિલાયત માં માતા-પિતા શબ્દ નથી કહેતાં. તે ફક્ત ગોડ ફાધર કહે છે. બરોબર ભારત માં જ સુખ ઘનેરા (અથાહ) હતાં, ભારત સ્વર્ગ હતું - આ પણ તમે જાણો છો. બાપ આવીને કાંટાઓ ને ફૂલ બનાવે છે. બાપ ને બાગવાન કહે છે. બોલાવે છે - આવીને કાંટાઓ ને ફૂલ બનાવો. બાપ ફૂલો નો બગીચો બનાવે છે. માયા પછી કાંટાઓ નું જંગલ બનાવે છે. મનુષ્ય તો કહી દે છે - ઈશ્વર તારી માયા ખૂબ પ્રબળ છે. નથી ઈશ્વર ને, નથી માયા ને સમજતાં. કોઈએ શબ્દ કહ્યો બસ રીપીટ કરતાં રહે છે. અર્થ કાંઈ નથી. આપ બાળકો સમજો છો આ ડ્રામા નો ખેલ છે - રામરાજ્ય નો અને રાવણ રાજ્ય નો. રામ રાજ્ય માં સુખ, રાવણ રાજ્ય માં દુઃખ છે. અહીં ની જ વાત છે. આ કોઈ પ્રભુ ની માયા નથી. માયા કહેવાય છે ૫ વિકારો ને, જેને રાવણ કહે છે. બાકી મનુષ્ય તો પુનર્જન્મ લઈ ૮૪ નાં ચક્ર માં આવે છે. સતોગુણી થી તમોપ્રધાન બનવાનું છે. આ સમયે બધા વિકાર થી જન્મે છે - એટલે વિકારી કહેવાય છે. નામ પણ છે વિશશ (વિકારી) દુનિયા પછી વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા અર્થાત્ જૂની દુનિયા થી નવી કેવી રીતે બને છે, આ તો સમજવાની સામાન્ય વાત છે. ન્યુ વર્લ્ડ માં પહેલાં હેવન (સ્વર્ગ) હતું. બાળકો જાણે છે સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા પરમપિતા પરમાત્મા છે, એમાં સુખ ઘનેરા હોય છે. જ્ઞાન થી દિવસ, ભક્તિ થી રાત કેવી રીતે થાય છે? આ પણ કોઈ સમજતા નથી. કહેશે બ્રહ્મા તથા બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો નો દિવસ પછી એ જ બ્રાહ્મણો ની રાત. દિવસ અને રાત અહીં થાય છે, આ કોઈ નથી સમજતું. પ્રજાપિતા બ્રહ્મા ની રાત, તો જરુર તેમનાં બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો ની પણ રાત હશે. અડધોકલ્પ દિવસ, અડધોકલ્પ રાત.

હમણાં બાપ આવ્યાં છે નિર્વિકારી દુનિયા બનાવવાં. બાપ કહે છે-બાળકો, કામ મહાશત્રુ છે, તેનાં પર જીત મેળવવાની છે. સંપૂર્ણ નિર્વિકારી પવિત્ર બનવાનું છે. અપવિત્ર બનવાથી તમે પાપ ખૂબ કર્યા છે. આ છે જ પાપ આત્માઓ ની દુનિયા. પાપ જરુર શરીર ની સાથે કરશે, ત્યારે પાપ આત્મા બનશે. દેવતાઓ ની પવિત્ર દુનિયા માં પાપ થતા નથી. અહીં તમે શ્રીમત થી શ્રેષ્ઠ પુણ્ય આત્મા બની રહ્યાં છો. શ્રી શ્રી ૧૦૮ ની માળા છે. ઉપર છે ફૂલ, એને કહેવાશે શિવ. એ છે નિરાકારી ફૂલ. પછી સાકાર માં મેલ-ફિમેલ છે, તેમની માળા બનેલી છે. શિવબાબા દ્વારા આ પૂજન સિમરણ (ગાયન) લાયક બને છે. આપ બાળકો જાણો છો - બાબા આપણને વિજય માળા નાં દાણા બનાવે છે. આપણે વિશ્વ પર વિજય મેળવી રહ્યાં છીએ યાદ નાં બળ થી, યાદ થી જ વિકર્મ વિનાશ થશે. પછી તમે સતોપ્રધાન બની જશો. તે લોકો તો સમજ્યા વગર કહી દે છે પ્રભુ તારી માયા પ્રબળ છે. કોઈની પાસે ધન હશે તો કહેશે આમની પાસે માયા ખૂબ છે. હકીકત માં માયા ૫ વિકારો ને કહેવાય છે, જેને રાવણ પણ કહેવાય છે. તેમણે પછી રાવણ નું ચિત્ર બનાવી દીધું છે ૧૦ માથા વાળું. હવે ચિત્ર છે તો સમજાવાય છે. જેમ અંગદ માટે પણ દેખાડે છે, તેને રાવણે હલાવ્યો પરંતુ હલાવી ન શક્યો. દૃષ્ટાંત બનાવી દીધાં છે. બાકી કોઈ ચીજ નથી. બાપ કહે છે માયા તમને કેટલું પણ હલાવે પરંતુ તમે સ્થિર રહો. રાવણ, હનુમાન, અંગદ વગેરે આ બધાં દૃષ્ટાંત બનાવી દીધાં છે, જેનો અર્થ આપ બાળકો જાણો છો. ભ્રમરી નું પણ દૃષ્ટાંત છે. ભ્રમરી અને બ્રાહ્મણી રાશિ મળે છે. તમે વિષ્ટા નાં કીડા ને જ્ઞાન-યોગ ની ભૂં-ભૂં કરી પતિત થી પાવન બનાવો છો. બાપ ને યાદ કરો તો સતોપ્રધાન બની જશો. કાચબા નું પણ દૃષ્ટાંત છે. ઈન્દ્રિયો ને સમેટી ને અંતર્મુખ થઈ બેસી જાય છે. તમને પણ બાપ કહે છે ભલે કર્મ કરો પછી અંતર્મુખ થઈ જાઓ. જાણે આ સૃષ્ટિ જ નથી. ચુરપુર (હલચલ) બંધ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં બાહ્યમુખી બની જાય છે. ગીત ગાવું, આ કરવું, કેટલાં હંગામા, કેટલાં ખર્ચા થાય છે. કેટલાં મેળા લાગે છે. બાપ કહે છે આ બધું છોડી અંતર્મુખ થઈ જાઓ. જાણે આ સૃષ્ટિ જ નથી. પોતાને જુઓ અમે લાયક બન્યાં છીએ? કોઈ વિકાર તો નથી સતાવતો? અમે બાપ ને યાદ કરીએ છીએ? બાપ જે વિશ્વ નાં માલિક બનાવે છે, આવાં બાપ ને દિવસ-રાત યાદ કરવા જોઈએ. આપણે આત્મા છીએ, આપણા એ બાપ છે. અંદર આ ચાલતું રહે - આપણે હવે નવી દુનિયા નાં ફૂલ બની રહ્યાં છીએ. અક નાં તથા ટગર નાં ફૂલ નથી બનવાનું. આપણે તો એકદમ કિંગ ઓફ ફ્લાવર (ફૂલો નાં રાજા) બિલકુલ સુગંધિત બનવાનું છે. કોઈ દુર્ગંધ ન રહે. ખરાબ વિચારો નીકળી જવાં જોઈએ. માયા નાં તોફાન પાડવા માટે ખૂબ આવશે. કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ નથી કરવાનાં. આમ-આમ પોતાને પાક્કા કરવાના છે. પોતાને સુધારવાના છે. કોઈ પણ દેહધારી ને મારે યાદ નથી કરવાનાં. બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો, શરીર નિર્વાહ અર્થ કર્મ પણ ભલે કરો. એમાંથી પણ સમય કાઢી શકો છો. ભોજન ખાતી વખતે પણ બાપ ની મહિમા કરતા રહો. બાબા ને યાદ કરીને ખાવાથી ભોજન પણ પવિત્ર થઈ જાય છે. જ્યારે બાપ ને નિરંતર યાદ કરશો ત્યારે યાદ થી જ અનેક જન્મો નાં પાપ કપાશે અને તમે સતોપ્રધાન બનશો. જોવાનું છે કેટલું સાચ્ચું સોનું બન્યો છું? આજે કેટલાં કલાક યાદ માં રહ્યો? કાલે ૩ કલાક યાદ માં રહ્યો, આજે ૨ કલાક રહ્યો - આ તો આજે નુકસાન થઈ ગયું. ઉતરવાનું અને ચઢવાનું થતું રહેશે. યાત્રા પર જાય છે તો ક્યાંક ઊંચું, ક્યાંક નીચું હોય છે. તમારી અવસ્થા પણ નીચે-ઉપર થતી રહેશે. પોતાનું ખાતું જોવાનું છે. મુખ્ય છે યાદ ની યાત્રા.

ભગવાનુવાચ છે તો જરુર બાળકો ને જ ભણાવશે. આખી દુનિયા ને કેવી રીતે ભણાવશે. હવે ભગવાન કોને કહેવાય? કૃષ્ણ તો શરીરધારી છે. ભગવાન તો નિરાકાર પરમપિતા પરમાત્મા ને કહેવાય છે. સ્વયં કહે છે હું સાધારણ તન માં પ્રવેશ કરું છું. બ્રહ્મા નું પણ વૃદ્ધ તન ગવાયેલું છે. સફેદ દાઢી, મૂછ તો વૃદ્ધ ની જ હોય છે ને? જોઈએ પણ જરુર અનુભવી રથ. નાનાં રથ માં થોડી પ્રવેશ કરશે? સ્વયં જ કહે છે મને કોઈ જાણતું નથી. એ છે સુપ્રીમ ગોડફાધર અથવા સુપ્રીમ સોલ. તમે પણ ૧૦૦ ટકા પવિત્ર હતાં. હમણાં ૧૦૦ ટકા અપવિત્ર બન્યાં છો. સતયુગ માં ૧૦૦ ટકા પ્યોરિટી હતી તો પીસ એન્ડ પ્રોસપર્ટી (શાંતિ અને સમૃદ્ધિ) પણ હતી. મુખ્ય છે પ્યોરિટી. જુઓ પણ છો પવિત્રતા વાળા ને અપવિત્ર માથું નમાવે છે, તેમની મહિમા ગાય છે. સંન્યાસીઓ ની આગળ એવું ક્યારેય નહીં કહેશે કે આપ સર્વગુણ સમ્પન્ન… અમે પાપી-નીંચ છીએ. દેવતાઓ ની આગળ એવું કહે છે. બાબાએ સમજાવ્યું છે - કુમારી ને બધા માથું નમાવે છે પછી લગ્ન કરે છે તો બધાની આગળ માથું નમાવે છે કારણકે વિકારી બને છે ને? હમણાં બાપ કહે છે તમે નિર્વિકારી બનશો તો અડધોકલ્પ નિર્વિકારી બનીને રહેશો. હવે ૫ વિકારો નું રાજ્ય જ ખતમ થાય છે. આ છે મૃત્યુલોક, તે છે અમરલોક. હમણાં આપ આત્માઓ ને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે છે. બાપ જ આપે છે. તિલક પણ મસ્તક પર આપે છે. હમણાં આત્મા ને જ્ઞાન મળી રહ્યું છે, શેનાં માટે? તમે પોતાને પોતે જ રાજતિલક આપો. જેમ બેરિસ્ટરી ભણે છે તો ભણીને પોતાને પોતે જ બેરિસ્ટરી નું તિલક આપે છે. ભણશે તો તિલક મળશે. આશીર્વાદ થી થોડી મળશે? પછી તો બધાની ઉપર શિક્ષક કૃપા કરે, બધા પાસ થઈ જાય. બાળકોએ પોતાને પોતે જ રાજતિલક આપવાનું છે. બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે અને ચક્ર ને યાદ કરવાથી ચક્રવર્તી મહારાજા બની જશો. બાપ કહે છે તમને રાજાઓ નાં રાજા બનાવું છું. દેવી-દેવતાઓ ડબલ સિરતાજ બને છે. પતિત રાજાઓ પણ તેમની પૂજા કરે છે. તમને પુજારી રાજાઓ કરતાં પણ ઊંચા બનાવે છે. જે ખૂબ દાન-પુણ્ય કરે છે તો રાજાઓ ની પાસે જન્મ લે છે કારણકે કર્મ સારા કર્યા છે. હમણાં અહીં તમને મળ્યું છે અવિનાશી જ્ઞાન ધન, તે ધારણ કરી પછી દાન કરવાનું છે. આ સોર્સ ઓફ ઈન્કમ છે. શિક્ષક પણ વિદ્યા નું દાન કરે છે. તે ભણતર છે અલ્પકાળ માટે. વિલાયત થી ભણીને આવે છે, આવ્યાં પછી હાર્ટ ફેલ થઈ જાય છે તો ભણતર ખતમ. વિનાશી થઈ ગયું ને? મહેનત બધી મફત માં ગઈ. તમારી મહેનત આમ નથી જતી. તમે જેટલું સારું ભણશો એટલું ૨૧ જન્મો તમારું ભણતર કાયમ (સદા) રહેશે. ત્યાં અકાળે મૃત્યુ થતું જ નથી. આ ભણતર સાથે લઈ જશો.

હવે જેમ બાપ કલ્યાણકારી છે તેમ આપ બાળકોએ પણ કલ્યાણકારી બનવાનું છે. બધાને રસ્તો બતાવવાનો છે. બાબા તો સલાહ ખૂબ સારી આપે છે. એક જ વાત સમજાવો કે સર્વશ્રેષ્ઠ શિરોમણી શ્રીમદ્ ભગવત ગીતા ની આટલી મહિમા કેમ છે? ભગવાન ની જ શ્રેષ્ઠ મત છે. હવે ભગવાન કોને કહેવાય? ભગવાન તો એક જ હોય છે. એ છે નિરાકાર, સર્વ આત્માઓ નાં બાપ, એટલે પરસ્પર ભાઈ-ભાઈ કહે છે પછી જ્યારે બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચે છે તો બહેન-ભાઈ થઈ જાય છે. આ સમયે તમે ભાઈ-બહેન છો તો પવિત્ર રહેવું પડે. આ છે યુક્તિ. ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) એકદમ નીકળી જાય. સંભાળ રાખવાની છે, અમારી આંખો ક્યાંય ચંચળ તો નથી બની? બજાર માં ચણા જોઈને મન તો નથી થયું? આવું મન અનેક ને થાય છે, પછી ખાઈ પણ લે છે. બ્રાહ્મણી છે, કોઈ ભાઈ ની સાથે જાય છે તે કહે છે ચણા ખાઈશ, એક વખત ખાવાથી પાપ થોડું લાગી જશે? જે કાચ્ચા હોય છે તે ઝટ ખાઈ લે છે. આનાં પર શાસ્ત્રો માં પણ અર્જુન નું દૃષ્ટાંત છે. આ વાર્તાઓ બનાવી છે. બાકી છે બધી આ સમય ની વાતો.

તમે બધા સીતાઓ છો. તમને બાપ કહે છે એક બાપ ને યાદ કરો તો પાપ કપાઈ જશે. બાકી બીજી કોઈ વાતો નથી. હવે તમે સમજો છો રાવણ કોઈ એવો મનુષ્ય નથી. આ તો વિકારો ની પ્રવેશતા થઈ જાય છે તો રાવણ સંપ્રદાય કહેવાય છે. જેમ કોઈ-કોઈ એવું કામ કરે છે તો કહે છે - તમે તો અસુર છો. ચલન આસુરી છે. વિકારી બાળક ને કહેશે તમે કુળ કલંકિત બનો છો. આ પછી બેહદ નાં બાપ કહે છે તમને હું કાળા થી ગોરા બનાવું છે પછી કાળુ મોઢું કરો છો. પ્રતિજ્ઞા કરી પછી વિકારી બની જાઓ છો. કાળા થી પણ કાળા બની જાય છે એટલે પથ્થરબુદ્ધિ કહેવાય છે. ફરી હવે તમે પારસબુદ્ધિ બનો છો. તમારી ચઢતી કળા થાય છે. બાપ ને ઓળખ્યાં અને વિશ્વ નાં માલિક બન્યાં. સંશય ની વાત હોઈ ન શકે. બાપ છે હેવનલી ગોડફાધર. તો જરુર હેવન સૌગાત માં લાવશે ને, બાળકો માટે. શિવજયંતિ પણ મનાવે છે - શું કરતા હશે? વ્રત વગેરે રાખતા હશે. હકીકત માં વ્રત રાખવું જોઈએ વિકારો નું. વિકાર માં નથી જવાનું. આનાથી જ તમે આદિ-મધ્ય-અંત દુઃખ મેળવ્યું છે. હવે આ એક જન્મ પવિત્ર બનો. જૂની દુનિયા નો વિનાશ સામે છે. તમે જોજો ભારત માં ૯ લાખ જઈને રહેશે, પછી શાંતિ થઈ જશે. બીજા ધર્મ જ નહીં રહેશે જે તાળી વાગે. એક ધર્મ ની સ્થાપના બાકી અનેક ધર્મ વિનાશ થઈ જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી જ્ઞાન-ધન સ્વયં માં ધારણ કરી પછી દાન કરવાનું છે. ભણતર થી પોતાને પોતે જ રાજતિલક આપવાનું છે. જેમ બાપ કલ્યાણકારી છે તેમ કલ્યાણકારી બનવાનું છે.

2. ખાવા-પીવા ની પૂરે-પૂરી પરેજી રાખવાની છે. ક્યારેય પણ આંખો દગો ન આપે - આ સંભાળ કરવાની છે. પોતાને સુધારવાનું છે. કર્મેન્દ્રિયો થી કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
મન્સા શક્તિ નાં અનુભવ દ્વારા વિશાળ કાર્ય માં સદા સહયોગી ભવ

પ્રકૃતિ ને, તમોગુણી આત્માઓ ને, વાયબ્રેશન ને પરિવર્તન કરવા તથા ખૂનેનાહેક વાયુમંડળ, વાયબ્રેશન માં સ્વયં ને સેફ રાખવા, અન્ય આત્માઓ ને સહયોગ આપવો, નવી સૃષ્ટિ માં નવી રચના નાં યોગબળ થી પ્રારંભ કરવો - આ બધા વિશાળ કાર્યો માટે મન્સા શક્તિ ની આવશ્યક્તા છે. મન્સા શક્તિ દ્વારા જ સ્વયં નો અંત સુહાનો (સુખદ) થશે. મન્સા શક્તિ અર્થાત્ શ્રેષ્ઠ સંકલ્પ શક્તિ, એક ની સાથે લાઈન ક્લિયર - હવે આનાં અનુભવી બનો ત્યારે બેહદ નાં કાર્ય માં સહયોગી બની બેહદ વિશ્વ નાં રાજ્ય અધિકારી બનશો.

સ્લોગન :-
નિર્ભયતા અને નમ્રતા જ યોગી તથા જ્ઞાની આત્મા નું સ્વરુપ છે.

અવ્યક્ત ઇશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો

પરમાત્મ પ્રેમ આનંદમયી ઝૂલો છે, આ સુખદાઈ ઝૂલા માં ઝૂલતા સદા પરમાત્મ-પ્રેમ માં લવલીન રહો તો ક્યારેય કોઈ પરિસ્થિતિ તથા માયા ની હલચલ આવી ન શકે. પરમાત્મ-પ્રેમ અખૂટ છે, અટલ છે, એટલો છે જે સર્વ ને પ્રાપ્ત થઈ શકે છે પરંતુ પરમાત્મ-પ્રેમ પ્રાપ્ત કરવાની વિધિ છે - ન્યારા બનવું. જેટલાં ન્યારા બનશો એટલા પરમાત્મ-પ્રેમ નાં અધિકાર પ્રાપ્ત થશે.