04-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
હમણાં બાપ દ્વારા દિવ્ય દૃષ્ટિ મળી છે , એ દિવ્ય દૃષ્ટિ થી જ તમે આત્મા અને પરમાત્મા
ને જોઈ શકો છો”
પ્રશ્ન :-
ડ્રામા નાં કયાં રહસ્ય ને સમજવા વાળા કઈ સલાહ કોઈને પણ નહીં આપશે?
ઉત્તર :-
જે સમજે છે કે ડ્રામા માં જે કાંઈ પાસ્ટ (પહેલાં) થઈ ગયું તે ફરી થી એક્યુરેટ રિપીટ
થશે, તે ક્યારેય કોઈને ભક્તિ છોડવાની સલાહ નહીં આપશે. જ્યારે એમની બુદ્ધિ માં જ્ઞાન
સારી રીતે બેસી જશે, સમજશે અમે આત્મા છીએ, અમારે બેહદ નાં બાપ પાસે થી વારસો લેવાનો
છે. જ્યારે બેહદ નાં બાપ નો પરિચય થઈ જશે તો હદ ની વાતો સ્વતઃ ખતમ થઈ જશે.
ઓમ શાંતિ!
પોતાનાં આત્મા
નાં સ્વધર્મ માં બેઠાં છો? રુહાની બાપ રુહાની બાળકો ને પૂછે છે કારણકે આ તો બાળકો
જાણે છે એક જ બેહદ નાં બાપ છે, જેમને રુહ કહેવાય છે. ફક્ત એમને સુપ્રીમ કહેવાય છે.
સુપ્રીમ રુહ અથવા પરમ આત્મા કહેવાય છે. પરમાત્મા છે જરુર, એવું નહીં કહેશે કે
પરમાત્મા છે જ નહીં. પરમ આત્મા એટલે પરમાત્મા. આ પણ સમજાવાયું છે, મુંઝાવું ન જોઈએ
કારણકે ૫૦૦૦ વર્ષ પહેલાં પણ આ જ્ઞાન તમે સાંભળ્યું હતું. આત્મા જ સાંભળે છે ને?
આત્મા બહુજ નાનો સૂક્ષ્મ છે. એટલો છે જે આ આંખો થી જોઈ નથી શકાતો. એવાં કોઈ મનુષ્ય
નહીં હશે જેમણે આત્મા ને આ આંખો થી જોયો હશે. દેખાય છે પરંતુ દિવ્ય દૃષ્ટિ થી. તે
પણ ડ્રામા પ્લાન અનુસાર. સારું, સમજો કોઈને આત્મા નો સાક્ષાત્કાર થાય છે, જેમ બીજી
ચીજ દેખાય છે. ભક્તિમાર્ગ માં પણ થોડા સાક્ષાત્કાર થાય છે તો આ આંખો થી જ. તે દિવ્ય
દૃષ્ટિ મળે છે જેનાથી ચૈતન્ય માં જુએ છે. આત્મા ને જ્ઞાન-ચક્ષુ મળે છે જેનાથી જોઈ
શકે છે, પરંતુ ધ્યાન માં. ભક્તિમાર્ગ માં બહુ જ ભક્તિ કરે છે ત્યારે સાક્ષાત્કાર
થાય છે. જેમ મીરા ને સાક્ષાત્કાર થયો, નૃત્ય કરતી હતી. વૈકુંઠ તો નહોતું. ૫૦૦-૬૦૦
વર્ષ થયા હશે. એ સમયે વૈકુંઠ હતું થોડી? જે ભૂતકાળ માં થઈ ગયું છે તે દિવ્ય દૃષ્ટિ
થી જોઈ શકાય છે. જ્યારે બહુ જ ભક્તિ કરતાં-કરતાં એકદમ ભક્તિમયી થઈ જાય છે ત્યારે
સાક્ષાત્કાર થાય છે પરંતુ એનાથી મુક્તિ નથી મળતી. મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો ભક્તિ
થી બિલ્કુલ ન્યારો છે. ભારત માં કેટલાં અનેક મંદિર છે. શિવ નું લિંગ રાખે છે. મોટું
લિંગ પણ રાખે છે, નાનું પણ રાખે છે. હવે એ તો બાળકો જાણે છે જેવો આત્મા છે એવાં
પરમપિતા પરમાત્મા છે. આકાર બધાનો એક જ છે. જેવાં બાપ તેવાં બાળકો. આત્માઓ બધા
ભાઈ-ભાઈ છે. આત્માઓ આ શરીર માં આવે છે પાર્ટ ભજવવા, આ સમજવાની વાતો છે. આ કોઈ
ભક્તિમાર્ગ ની દંતકથાઓ નથી. જ્ઞાનમાર્ગ ની વાતો ફક્ત એક બાપ જ સમજાવે છે.
પહેલાં-પહેલાં સમજાવવા વાળા બેહદ નાં બાપ નિરાકાર જ છે, એમનાં માટે પૂરી રીતે કોઈ
પણ સમજી નથી શકતાં. કહે છે એ તો સર્વવ્યાપી છે. આ કાંઈ સાચ્ચું નથી. બાપ ને પોકારે
છે, ખૂબ પ્રેમ થી બોલાવે છે. કહે છે બાબા, તમે જ્યારે આવશો તો તમારા પર અમે વારી
જઈશું. મારા તો તમે, બીજું ન કોઈ. તો જરુર એમને યાદ કરવા પડે. એ સ્વયં પણ કહે છે હે
બાળકો. આત્માઓ સાથે જ વાત કરે છે. આને રુહાની નોલેજ કહેવાય છે. ગવાય પણ છે આત્મા અને
પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… આ પણ હિસાબ બતાવ્યો છે. બહુકાળ (લાંબાકાળ) થી તમે
આત્માઓ અલગ રહો છો, જે પછી આ સમયે બાપ ની પાસે આવ્યાં છો. ફરી થી પોતાનો રાજયોગ
શીખવાં. આ શિક્ષક સેવક છે. શિક્ષક હંમેશા આજ્ઞાકારી સેવક હોય છે. બાપ પણ કહે છે હું
તો બધા બાળકો નો સેવક છું. તમે કેટલાં અધિકાર થી બોલાવો છો હે પતિત-પાવન, આવીને અમને
પાવન બનાવો. બધા છે ભક્તિઓ. કહે છે-હે ભગવાન આવો, અમને ફરી થી પાવન બનાવો. પાવન
દુનિયા સ્વર્ગ ને, પતિત દુનિયા નર્ક ને કહેવાય છે. આ બધી સમજવાની વાતો છે. આ કોલેજ
અથવા ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય) છે. આનો મુખ્ય-ઉદ્દેશ
છે મનુષ્ય થી દેવતા બનવાનો. બાળકો નિશ્ચય કરે છે અમારે આ બનવું છે. જેમને નિશ્ચય જ
નહીં હશે તે સ્કૂલ માં શું બેસશે? મુખ્ય-લક્ષ તો બુદ્ધિ માં છે. અમે બેરિસ્ટર કે
ડૉક્ટર બનીશું તો ભણશે ને? નિશ્ચય નહીં હશે તો આવશે જ નહીં. તમને નિશ્ચય છે અમે
મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બનીએ છીએ. આ સાચ્ચી-સાચ્ચી સત્ય નર થી નારાયણ બનવાની
કથા છે. હકીકત માં આ છે ભણતર પરંતુ આને કથા કેમ કહે છે? કારણકે ૫ હજાર વર્ષ પહેલાં
પણ સાંભળી હતી. પાસ્ટ (ભૂતકાળ) થઈ ગઈ છે. પાસ્ટ ને કથા કહેવાય છે. આ છે નર થી
નારાયણ બનવાની શિક્ષા. બાળકો દિલ થી સમજે છે નવી દુનિયામાં દેવતાઓ, જૂની દુનિયામાં
મનુષ્ય રહે છે. દેવતાઓ માં જે ગુણ છે તે મનુષ્યો માં નથી, એટલે એમને દેવતા કહેવાય
છે. મનુષ્ય દેવતાઓ ની આગળ નમન કરે છે. તમે સર્વગુણ સંપન્ન… છો પછી પોતાને કહે છે અમે
પાપી-નીંચ છીએ. મનુષ્ય જ કહે છે, દેવતાઓ ને તો નહીં કહેવાશે. દેવતાઓ હતાં સતયુગ
માં, કળિયુગ માં હોય ન શકે. પરંતુ આજકાલ તો બધાને શ્રી શ્રી કહી દે છે. શ્રી એટલે
શ્રેષ્ઠ. સર્વશ્રેષ્ઠ તો ભગવાન જ બનાવી શકે છે. શ્રેષ્ઠ દેવતા સતયુગ માં હતાં, આ
સમયે કોઈ મનુષ્ય શ્રેષ્ઠ નથી. આપ બાળકો હમણાં બેહદ નો સંન્યાસ કરો છો. તમે જાણો છો
આ જૂની દુનિયા ખતમ થવાની છે, એટલે આ બધાથી વૈરાગ છે. તે તો છે હઠયોગી સંન્યાસી.
ઘરબાર છોડીને નીકળ્યાં, પછી આવીને મહેલો માં બેઠાં છે. નહીં તો ઝુંપડી પર કોઈ ખર્ચો
થોડી લાગે છે, કાંઈ પણ નહીં. એકાંત માટે ઝુંપડી માં બેસવાનું હોય છે, નહીં કે મહેલો
માં. બાબા ની પણ ઝુંપડી બનેલી છે. ઝુંપડી માં બધું સુખ છે. હમણાં આપ બાળકોએ
પુરુષાર્થ કરી મનુષ્ય થી દેવતા બનવાનું છે. તમે જાણો છો ડ્રામા માં જે કાંઈ પાસ્ટ
થઈ ગયું તે ફરી થી એક્યુરેટ રિપીટ થશે, એટલે કોઈને પણ એવી સલાહ નથી આપવાની કે ભક્તિ
છોડો. જ્યારે જ્ઞાન બુદ્ધિ માં આવી જશે તો સમજશે કે અમે આત્મા છીએ, અમારે હવે તો
બેહદ નાં બાપ પાસે થી વારસો લેવાનો છે. બેહદ નાં બાપ નો જ્યારે પરિચય થાય છે તો પછી
હદ ની વાતો ખતમ થઈ જાય છે. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ફક્ત બુદ્ધિ નો
યોગ બાપ સાથે લગાવવાનો છે. શરીર નિર્વાહ માટે કર્મ પણ કરવાના છે, જેમ ભક્તિ માં પણ
કોઈ-કોઈ ખૂબ નૌધા ભક્તિ કરે છે. નિયમ થી રોજ જઈને દર્શન કરે છે. દેહધારીઓ ની પાસે
જવું, તે બધી છે શારીરિક યાત્રા. ભક્તિમાર્ગ માં કેટલાં ધક્કા ખાવા પડે છે. અહીં
કાંઈ પણ ધક્કા નથી ખાવાનાં. આવે છે તો સમજાવવા માટે બેસાડાય છે. બાકી યાદ માટે કોઈ
એક જગ્યાએ બેસી નથી જવાનું. ભક્તિમાર્ગ માં કોઈ કૃષ્ણ નાં ભક્ત હોય છે તો એવું નથી
કે ચાલતાં-ફરતાં કૃષ્ણ ને યાદ નથી કરી શકતાં એટલે જે ભણેલા-ગણેલા મનુષ્ય હોય છે, કહે
છે કૃષ્ણ નું ચિત્ર ઘર માં રાખ્યું છે પછી તમે મંદિરો માં કેમ જાઓ છો? કૃષ્ણ નાં
ચિત્રો ની પૂજા તમે ક્યાંય પણ કરો. સારું, ચિત્ર ન રાખો, યાદ કરતા રહો. એકવાર ચીજ
જોઈ તો પછી તે યાદ રહે છે. તમને પણ એ જ કહે છે, શિવબાબા ને તમે ઘર બેઠાં યાદ નથી કરી
શકતાં? આ તો છે નવી વાત. શિવબાબા ને કોઈ પણ જાણતા નથી. નામ, રુપ, દેશ, કાળ ને જાણતા
જ નથી, કહી દે છે સર્વવ્યાપી. આત્મા ને પરમાત્મા તો નથી કહેવાતાં. આત્મા ને બાપ ની
યાદ આવે છે. પરંતુ બાપ ને જાણતા નથી તો સમજાવવું પડે ૭ દિવસ. પછી નાની-નાની વાતો પણ
સમજાવાય છે. બાપ જ્ઞાન નાં સાગર છે ને? કેટલાં સમય થી સાંભળતા આવ્યાં છો કારણ કે
નોલેજ છે ને? સમજો છો અમને મનુષ્ય થી દેવતા બનવાની નોલેજ મળે છે. બાપ કહે છે તમને
નવી-નવી ગુહ્ય વાતો સંભળાવું છું. મોરલી તમને નથી મળતી તો તમે કેટલાં ચિલ્લાવો છો.
બાપ કહે છે તમે બાપ ને તો યાદ કરો. મોરલી વાંચો છો તો પણ ભૂલી જાઓ છો. પહેલાં-પહેલાં
તો આ યાદ કરવાનું છે - હું આત્મા છું, આટલું નાનું બિન્દુ છું. આત્મા ને પણ જાણવાનો
છે. કહે છે આમનો આત્મા નીકળ્યો બીજા માં પ્રવેશ કર્યો. આપણે આત્મા જ જન્મ લેતાં-લેતાં
હવે પતિત, અપવિત્ર બન્યાં છીએ. પહેલાં તમે પવિત્ર ગૃહસ્થ ધર્મ નાં હતાં.
લક્ષ્મી-નારાયણ બંને પવિત્ર હતાં. પછી બંનેવ અપવિત્ર બન્યાં, પછી બંને પવિત્ર હોય
છે તો શું અપવિત્ર થી પવિત્ર બન્યાં? કે પવિત્ર જન્મ લીધો? બાપ સમજાવે છે, કેવાં તમે
પવિત્ર હતાં. પછી વામમાર્ગ માં જવાથી અપવિત્ર બન્યાં છો. પુજારી ને અપવિત્ર, પૂજ્ય
ને પવિત્ર કહેવાશે. આખી દુનિયા નો ઈતિહાસ-ભૂગોળ તમારી બુદ્ધિ માં છે. કોણ-કોણ રાજ્ય
કરતા હતાં? કેવી રીતે એમને રાજ્ય મળ્યું? એ તમે જાણો છો, બીજું કોઈ નથી જે જાણતું
હોય. તમારી પાસે પણ પહેલાં આ નોલેજ, રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની નહોતી,
એટલે નાસ્તિક હતાં. નહોતાં જાણતાં. નાસ્તિક બનવાથી કેટલાં દુઃખી બની જાય છે. હમણાં
તમે અહીં આવ્યાં છો આ દેવતા બનવાં. ત્યાં કેટલાં સુખ હશે. દૈવી ગુણ પણ અહીંયા ધારણ
કરવાના છે. પ્રજાપિતા બ્રહ્માની સંતાન ભાઈ-બહેન થયાં ને? ક્રિમિનલ (અપવિત્ર) દૃષ્ટિ
જવી ન જોઈએ, એમાં છે મહેનત. આંખો બહુ ક્રિમિનલ છે. બધા અંગો માં ક્રિમિનલ છે આંખો.
અડધોકલ્પ ક્રિમિનલ, અડધોકલ્પ સિવિલ (પવિત્ર) રહે છે. સતયુગ માં ક્રિમિનલ નથી રહેતી.
આંખો ક્રિમિનલ છે તો અસુર કહેવાય છે. બાપ સ્વયં કહે છે કે હું પતિત દુનિયામાં આવું
છું. જે પતિત બન્યાં છે, એમણે જ પાવન બનવાનું છે. મનુષ્ય તો કહે છે આ પોતાને ભગવાન
કહેવડાવે છે. ઝાડ માં જુઓ એકદમ તમોપ્રધાન દુનિયા નાં અંત માં ઉભા છે, એ જ પછી તપસ્યા
કરી રહ્યાં છે. સતયુગ થી લક્ષ્મી નારાયણ ની ડિનાયસ્ટી (કુળ) ચાલે છે. સંવત પણ આ
લક્ષ્મી-નારાયણ થી ગણાશે એટલે બાબા કહે છે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય દેખાડો છો તો
લખો અહીં થી ૧૨૫૦ વર્ષ પછી ત્રેતા. શાસ્ત્રો માં પછી લાખો વર્ષ લખી દીધાં છે.
રાત-દિવસ નો ફરક થઈ ગયો ને? બ્રહ્મા ની રાત અડધોકલ્પ, બ્રહ્મા નો દિવસ અડધોકલ્પ - આ
વાતો બાપ જ સમજાવે છે. તો પણ કહે છે - મીઠાં બાળકો, પોતાને આત્મા સમજો, બાપ ને યાદ
કરો. એમને યાદ કરતાં-કરતાં તમે પાવન બની જશો, પછી અંત મતિ સો ગતિ થઈ જશે. બાબા એવું
નથી કહેતાં અહીં બેસી જાઓ. સેવાધારી બાળકોને તો બેસાડશે નહીં. સેવાકેન્દ્ર,
મ્યુઝિયમ વગેરે ખોલતા રહે છે. કેટલાં ને નિમંત્રણ આપે છે, આવીને ગોડલી બર્થ રાઈટ (જન્મસિદ્ધ
અધિકાર) વિશ્વ ની બાદશાહી લો. તમે બાપ નાં બાળકો છો. બાપ છે સ્વર્ગ નાં રચયિતા તો
તમને પણ સ્વર્ગ નો વારસો હોવો જોઈએ. બાપ કહે છે હું એક જ વાર સ્વર્ગ ની સ્થાપના કરવા
આવું છું. એક જ દુનિયા છે જેનું ચક્ર ફરતું રહે છે. મનુષ્ય ની તો અનેક મતો, અનેક
વાતો છે. મત-મતાંતર કેટલાં છે, આને કહેવાય છે અદ્વેત મત. ઝાડ કેટલું મોટું છે. કેટલી
ડાળીઓ નીકળે છે. કેટલાં ધર્મ ફેલાઈ રહ્યાં છે, પહેલાં તો એક મત, એક રાજ્ય હતું. આખાં
વિશ્વ પર આમનું રાજ્ય હતું. આ પણ હમણાં તમને ખબર પડી છે. આપણે જ આખાં વિશ્વ નાં
માલિક હતાં. પછી ૮૪ જન્મ ભોગવી કંગાળ બન્યાં છીએ. હમણાં તમે કાળ પર જીત મેળવો છો,
ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. અહીં તો જુઓ બેઠાં-બેઠાં અકાળે મૃત્યુ થતું
રહે છે. ચારેય તરફ મોત જ મોત છે. ત્યાં આવું નથી થતું, પૂરી ઉંમર જીવન ચાલે છે.
ભારત માં પ્યોરીટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસ્પર્ટી (સુખ) હતાં. ૧૫૦ વર્ષ
એવરેજ (સરેરાશ) આયુષ્ય હતું, હમણાં કેટલું આયુષ્ય રહે છે.
ઈશ્વરે તમને યોગ
શીખવાડ્યો તો તમને યોગેશ્વર કહેવાય છે. ત્યાં થોડી કહેવાશે? આ સમયે તમે યોગેશ્વર
છો, તમને ઈશ્વર રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. પછી રાજ-રાજેશ્વર બનવાનું છે. હમણાં તમે
જ્ઞાનેશ્વર છો પછી રાજેશ્વર અર્થાત્ રાજાઓ નાં રાજા બનશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આંખો ને
સિવિલ (પવિત્ર) બનાવવાની મહેનત કરવાની છે. બુદ્ધિ માં સદા રહે કે અમે પ્રજાપિતા
બ્રહ્મા નાં બાળકો ભાઈ-બહેન છીએ, ક્રિમિનલ (અપવિત્ર) દૃષ્ટિ રાખી ન શકીએ.
2. શરીર નિર્વાહ અર્થ
કર્મ કરતા બુદ્ધિ નો યોગ એક બાપ સાથે લગાવવાનો છે, હદ ની બધી વાતો છોડી બેહદ નાં
બાપ ને યાદ કરવાના છે. બેહદ નાં સંન્યાસી બનવાનું છે.
વરદાન :-
બાબા શબ્દ ની
સ્મૃતિ થી કારણ ને નિવારણ માં પરિવર્તન કરવા વાળા સદા અચલ - અડોલ ભવ
કોઈપણ પરિસ્થિતિ જે
ભલે હલચલ વાળી હોય પરંતુ બાબા કહ્યું અને અચલ બન્યાં. જ્યારે પરિસ્થિતિઓ નાં ચિંતન
માં ચાલ્યાં જાઓ છો તો મુશ્કેલી નો અનુભવ થાય છે. જો કારણ નાં બદલે નિવારણ માં
ચાલ્યાં જાઓ તો કારણ જ નિવારણ બની જાય કારણકે માસ્ટર સર્વ શક્તિમાન્ બ્રાહ્મણો ની
આગળ પરિસ્થિતિઓ કીડી સમાન પણ નથી. ફક્ત શું કર્યું, કેમ થયું? આ વિચારવાની બદલે જે
થયું એમાં કલ્યાણ ભરેલું છે સેવા સમાયેલી છે…ભલે રુપ પરિસ્થિતિ (સંજોગો) નાં હોય
પરંતુ સમાયેલી સેવા છે - આ રુપ થી જોશો તો સદા અચલ-અડોલ રહેશો.
સ્લોગન :-
એક બાપ નાં
પ્રભાવ માં રહેવા વાળા કોઈપણ આત્મા નાં પ્રભાવ માં આવી ન શકે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો .
કર્માતીત સ્થિતિ
પ્રાપ્ત કરવા માટે સદા સાક્ષી બની કાર્ય કરો. સાક્ષી અર્થાત્ સદા ન્યારી અને પ્યારી
સ્થિતિ માં રહીને કર્મ કરવા વાળો અલૌકિક આત્મા છું, અલૌકિક અનુભૂતિ કરવા વાળો,
અલૌકિક જીવન, શ્રેષ્ઠ જીવન વાળો આત્મા છું. કર્મ કરતા આ જ અભ્યાસ વધારતા રહો તો
કર્માતીત સ્થિતિ પ્રાપ્ત કરી લેશો.