05-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ તમને ભણાવી રહ્યાં છે સુંદર દેવી - દેવતા બનાવવા , સુંદરતા નો આધાર છે પવિત્રતા”

પ્રશ્ન :-
રુહાની શમા પર જે પરવાના ફિદા થવાવાળા છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
ફિદા થવા વાળા પરવાના :- ૧. શમા જે છે જેવા છે એમને યથાર્થ રુપ થી જાણી અને યાદ કરે છે, ૨. ફિદા થવું એટલે બાપ સમાન બનવું, ૩. ફિદા થવું એટલે બાપ થી પણ ઊંચ રાજાઈ નાં અધિકારી બની જવું.

ગીત :-
મહેફિલ મેં જલ ઉઠી શમા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત ની લાઈન સાંભળી. આ કોણ સમજાવે છે? રુહાની બાપ. એ શમા પણ છે. નામ અનેકાનેક રાખ્યાં છે. બાપ ની સ્તુતિ પણ ખૂબ કરે છે. આ પણ પરમપિતા પરમાત્મા ની સ્તુતિ છે ને? બાપ શમા બનીને આવ્યાં છે પરવાનાઓ માટે. પરવાના જ્યારે શમા ને જુએ છે તો તેનાં પર ફિદા થઈ શરીર છોડી દે છે. અનેક પરવાના હોય છે જે શમા પર પ્રાણ આપે છે. તેમાં પણ ખાસ જ્યારે દિવાળી હોય છે, બત્તીઓ ખૂબ પ્રગટે છે તો નાનાં-નાનાં જીવ અનેક મોડી રાત્રે મરી જાય છે. હવે આપ બાળકો જાણો છો આપણા બાબા છે સુપ્રીમ રુહ. એમને હુસૈન પણ કહેવાય છે, ખૂબ સુંદર છે કારણકે એ એવર પ્યોર (સદા પવિત્ર) છે. આત્મા પ્યોર બની જાય છે તો તેને શરીર પણ પ્યોર, નેચરલ સુંદર મળે છે. શાંતિધામ માં આત્માઓ પવિત્ર રહે છે પછી જ્યારે અહીં આવે છે પાર્ટ ભજવવા તો સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવે છે. પછી સુંદર થી શ્યામ અર્થાત્ કાળા ઈમ્પ્યોર (અપવિત્ર) બની જાય છે. આત્મા જ્યારે પવિત્ર છે તો ગોલ્ડન એજેડ (સતોપ્રધાન) કહેવાય છે. તેને પછી શરીર પણ ગોલ્ડન એજેડ મળે છે. દુનિયા પણ જૂની અને નવી થાય છે. એ જ હસીન પરમપિતા પરમાત્મા, જેમને ભક્તિ માર્ગ માં બોલવતા રહે છે - હે શિવબાબા, એ નિરાકાર પરમપિતા પરમાત્મા આવેલા છે. આત્માઓ ને ઈમ્પ્યોર (અપવિત્ર) થી પ્યોર (પવિત્ર) હસીન બનાવવાં. એવું નથી, આજકાલ જે ખૂબ સુંદર છે, તેમનો આત્મા પવિત્ર છે. ના. ભલે શરીર સુંદર છે છતાં પણ આત્મા તો પતિત છે ને? વિલાયત (વિદેશ) માં કેટલાં સુંદર બને છે. જાણો છો આ લક્ષ્મી-નારાયણ છે સતયુગી સુંદર અને અહીં છે હેલ નાં સુંદર. મનુષ્ય આ વાતો ને નથી જાણતાં. બાળકો ને જ સમજાવાય છે આ છે નર્ક ની સુંદરતા. આપણે હમણાં સ્વર્ગ માટે નેચરલ સુંદર બની રહ્યાં છીએ. ૨૧ જન્મો માટે આવાં સુંદર બનીશું. અહીં ની સુંદરતા તો એક જન્મ માટે છે. અહીં બાબા આવેલા છે, આખી દુનિયા નાં મનુષ્ય માત્ર તો શું દુનિયા ને પણ સુંદર બનાવે છે. સતયુગ નવી દુનિયા માં હતાં જ સુંદર દેવી-દેવતાઓ. તે બનવા માટે હમણાં તમે ભણો છો. બાપ ને શમા પણ કહે છે પરંતુ છે પરમ આત્મા. જેમ તમને આત્મા કહે છે તેમ એમને પરમ આત્મા કહે છે. આપ બાળકો બાપ ની મહિમા ગાઓ છો, બાપ પછી બાળકો ની મહિમા કરે છે, તમને આવાં બનાવું છું, જે મારા થી પણ તમારું પદ ઊંચ છે. હું જે છું, જેવો છું, જેમ હું પાર્ટ ભજવું છું આ બીજું કોઈ નથી જાણતું. હમણાં આપ બાળકો જાણો છો કેવી રીતે આપણે આત્માઓ પાર્ટ ભજવવા માટે પરમધામ થી આવીએ છીએ. આપણે શુદ્ર કુળ માં હતાં પછી હમણાં બ્રાહ્મણ કુળ માં આવ્યાં છીએ. આ પણ તમારો વર્ણ છે બીજા કોઈ ધર્મ વાળા માટે આ વર્ણ નથી. તેમનાં વર્ણ નથી હોતાં. તેમનો તો એક જ વર્ણ છે, ક્રિશ્ચન જ ચાલ્યાં આવે છે. હા, તેમનાં માં પણ સતો-રજો-તમો માં આવે છે. બાકી આ વર્ણ તમારા માટે છે. સૃષ્ટિ પણ સતો-રજો-તમો માં આવે છે. આ સૃષ્ટિ ચક્ર બેહદ નાં બાપ સમજાવે છે. જે બાપ જ્ઞાન નાં સાગર, પવિત્રતા નાં સાગર છે, સ્વયં કહે છે હું પુનર્જન્મ નથી લેતો. ભલે શિવ જયંતિ મનાવે છે પરંતુ મનુષ્યો ને આ ખબર નથી કે ક્યારે આવે છે. એમની જીવન કહાણી ને પણ નથી જાણતાં. બાપ કહે છે હું જે છું, જેવો છું, મારા માં શું પાર્ટ છે, સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે - આ આપ બાળકો ને હું કલ્પ-કલ્પ સમજાવું છું. તમે જાણો છો, આપણે સીડી ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન બન્યાં છીએ. ૮૪ જન્મ પણ તમે લો છો. અંત માં જે આવે છે તેમને પણ સતો-રજો-તમો માં આવવાનું જ છે. તમે તમોપ્રધાન બનો છો તો આખી દુનિયા તમોપ્રધાન બની જાય છે. પછી તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન જરુર બનવાનું છે. આ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે. હમણાં છે કળિયુગ તેનાં પછી ફરી સતયુગ આવશે. કળિયુગ ની આયુ પૂરી થઈ. બાપ કહે છે મેં સાધારણ તન માં હૂબહૂ કલ્પ પહેલાં ની જેમ પ્રવેશ કર્યો છે ફરી થી આપ બાળકો ને રાજયોગ શીખવાડવાં. યોગ તો આજકાલ ખૂબ છે. બેરિસ્ટરી યોગ, એન્જિનિયરી યોગ… બેરિસ્ટરી ભણવા માટે બેરિસ્ટર ની સાથે બુદ્ધિ નો યોગ લગાવવાનો હોય છે. એ બેરિસ્ટર બની રહ્યાં છે તો ભણાવવા વાળા ને યાદ કરે છે. તેમને તો પોતાનાં બાપ અલગ છે, ગુરુ પણ હશે તો તેમને પણ યાદ કરશે. તો પણ બેરિસ્ટર ની સાથે બુદ્ધિ નો યોગ રહે છે. આત્મા જ ભણે છે. આત્મા જ શરીર દ્વારા જ્જ બેરિસ્ટર વગેરે બને છે.

હમણાં આપ બાળકો આત્મ-અભિમાની બનવાનાં સંસ્કાર પોતાનાં માં પાડો છો. અડધોકલ્પ દેહ-અભિમાની રહ્યાં. હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો. આત્મા માં જ ભણતર નાં સંસ્કાર છે. મનુષ્ય આત્મા જ જ્જ બને છે, હવે આપણે વિશ્વ નાં માલિક દેવતા બની રહ્યાં છીએ, ભણાવવા વાળા છે શિવબાબા, પરમ આત્મા. એ જ જ્ઞાન નાં સાગર, શાંતિ, સંપત્તિ નાં સાગર છે. આ પણ દેખાડે છે સાગર માંથી રત્નો ની થાળીઓ નીકળે છે. આ છે ભક્તિમાર્ગ ની વાતો. બાપે દૃષ્ટાંત આપવું પડે છે. બાપ સમજાવે છે આ છે અવિનાશી જ્ઞાન-રત્ન. આ જ્ઞાન રત્નો થી તમે ખુબ સાહૂકાર બનો છો અને પછી હીરા-ઝવેરાત પણ તમને ખૂબ મળે છે. આ એક-એક રત્ન લાખો રુપિયા નાં છે જે તમને આટલાં સાહૂકાર બનાવે છે. તમે જાણો છો ભારત જ વાઈસલેસ (નિર્વિકાર) વર્લ્ડ હતું. એમાં પવિત્ર દેવતાઓ રહેતાં હતાં. હવે શ્યામ અપવિત્ર બની ગયા છે. આત્માઓ અને પરમાત્મા નો મેળો થાય છે. આત્મા શરીર માં છે ત્યારે જ સાંભળી શકે છે. પરમાત્મા પણ શરીર માં આવે છે. આત્માઓ અને પરમાત્મા નું ઘર શાંતિધામ છે. ત્યાં ચુરપુર (હલચલ) કાંઈ પણ નથી થતી. અહીં પરમાત્મા બાપ આવીને બાળકો ને મળે છે. શરીર સહિત મળે છે. ત્યાં તો ઘર છે, ત્યાં વિશ્રામ કરે છે. હમણાં આપ બાળકો પુરુષોત્તમ સંગમયુગ પર છો. બાકી દુનિયા કળિયુગ માં છે. બાપ બેસીને સમજાવે છે ભક્તિમાર્ગ માં ખર્ચો ખૂબ કરે છે, ચિત્ર પણ ખૂબ બનાવે છે. મોટાં-મોટાં મંદિર બનાવે છે. નહીં તો શ્રીકૃષ્ણ નું ચિત્ર ઘર માં પણ તો રાખી શકે છે. ખૂબ સસ્તા ચિત્ર હોય છે પછી આટલાં દૂર-દૂર મંદિરો માં કેમ જાય? આ છે ભક્તિમાર્ગ. સતયુગ માં આ મંદિર વગેરે હોતાં નથી. ત્યાં છે જ પૂજ્ય. કળિયુગ માં છે પુજારી. તમે હમણાં સંગમયુગ પર પૂજ્ય દેવતા બની રહ્યાં છો. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો. આ સમયે તમારું આ અંતિમ પુરુષાર્થી શરીર મોસ્ટ વેલ્યુબલ (સૌથી કિંમતી) છે. આમાં તમે ખૂબ કમાણી કરો છો. બેહદ નાં બાપ ની સાથે તમે ખાઓ-પીઓ છો. પોકારો પણ એમને છો. એવું નથી કહેતાં - શ્રીકૃષ્ણ સાથે ખાઉં. બાપ ને યાદ કરે છે - તુમ માત-પિતા… બાળક તો બાપ ની સાથે રમતા રહે છે. શ્રીકૃષ્ણ નાં આપણે બધા બાળક છીએ, એવું નહીં કહેવાશે. બધા આત્માઓ પરમપિતા પરમાત્મા નાં બાળકો છે. આત્મા શરીર દ્વારા કહે છે - તમે આવશો તો અમે તમારી સાથે રમીશું, ખાઈશું બધું કરીશું. તમે કહો જ છો બાપદાદા. તો જેમ ઘર થઈ ગયું. બાપદાદા અને બાળકો. આ બ્રહ્મા છે બેહદ નાં રચયિતા. બાપ આમનાં માં પ્રવેશ કરી આમને એડોપ્ટ કરે છે. આમને કહે છે તમે મારા છો. આ છે મુખ વંશાવલી. જેમ સ્ત્રી ને પણ એડોપ્ટ કરે છે ને? તે પણ મુખ વંશાવલી થઈ. કહેશે તું મારી છે. પછી એમનાં દ્વારા કુખ વંશાવલી બાળકો જન્મે છે. આ રીવાજ ક્યાંથી ચાલ્યો? બાપ કહે છે મેં આમને એડોપ્ટ કર્યા છે ને? આમનાં દ્વારા તમને એડોપ્ટ કરું છું. તમે મારા બાળકો છો. પરંતુ આ છે મેલ (પુરુષ). તમને બધાને સંભાળવા માટે પછી સરસ્વતી ને પણ એડોપ્ટ કરી. તેમને માતા નું ટાઈટલ (શીર્ષક) મળ્યું. સરસ્વતી નદી. આ નદી માતા થઈ ને? બાપ સાગર છે. આ પણ સાગર માંથી નીકળેલી છે. બ્રહ્મપુત્રા નદી અને સાગર નો ખૂબ મોટો મેળો લાગે છે. આવો મેળો બીજે ક્યાંય લાગતો નથી. તે છે નદીઓ નો મેળો. આ છે આત્માઓ અને પરમાત્મા નો મેળો. તે પણ જ્યારે શરીર માં આવે છે ત્યારે મેળો લાગે છે. બાપ કહે છે હું હુસૈન છું. હું આમનાં માં કલ્પ-કલ્પ પ્રવેશ કરું છું. આ ડ્રામા માં નોંધ છે. તમારી બુદ્ધિ માં આખી સૃષ્ટિ નું ચક્ર છે, આની આયુ ૫ હજાર વર્ષ છે. આ બેહદ ની ફિલ્મ થી પછી હદ ની ફિલ્મ બનાવે છે. જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું સો પ્રેઝન્ટ (વર્તમાન) બને છે. પ્રેઝન્ટ પછી ફ્યુચર (ભવિષ્ય) બને છે, જેને પછી પાસ્ટ કહેવાશે. પાસ્ટ થવામાં કેટલો સમય લાગી ગયો. નવી દુનિયા માં આવ્યાં ને કેટલો સમય પસાર થયો? ૫ હજાર વર્ષ. તમે હમણાં દરેક સ્વદર્શન ચક્રધારી છો. તમે સમજાવો છો આપણે પહેલાં બ્રાહ્મણ હતાં પછી દેવતા બન્યાં. આપ બાળકો ને હમણાં બાપ દ્વારા શાંતિધામ-સુખધામ નો વારસો મળે છે. બાપ આવીને ત્રણ ધર્મ સાથે સ્થાપન કરે છે. બાકી બધાનો વિનાશ કરાવી દે છે. પાછા લઈ જવાવાળા તમને સદ્દગુરુ બાપ મળ્યાં છે. બોલાવે પણ છે અમને સદ્દગતિ માં લઈ જાઓ. શરીર ને ખલાસ કરાવો. એવી યુક્તિ બતાવો જે અમે શરીર છોડી શાંતિધામ ચાલ્યાં જઈએ. ગુરુ ની પાસે પણ મનુષ્ય એટલે જાય છે. પરંતુ તે ગુરુ શરીર થી છોડાવીને સાથે લઈ નથી જઈ શકતાં. પતિત-પાવન છે જ એક બાપ. તો એ જ્યારે આવે છે તો પાવન જરુર બનવું પડે. બાપ ને જ કહેવાય છે કાળો નાં કાળ, મહાકાળ. બધાને શરીર થી છોડાવીને સાથે લઈ જાય છે. આ છે સુપ્રીમ ગાઈડ (સર્વોચ્ચ માર્ગદર્શક). બધા આત્માઓ ને પાછા લઈ જાય છે. આ છી-છી શરીર છે, તેનાં બંધન થી છૂટવા ઈચ્છે છે. ક્યાં શરીર છૂટે તો બંધન છૂટે. હવે તમને આ બધા આસુરી બંધનો થી છોડાવીને સુખ નાં દૈવી સંબંધ માં લઈ જાય છે. તમે જાણો છો આપણે સુખધામ માં આવીશું વાયા શાંતિધામ. પછી દુઃખધામ માં કેવી રીતે આવો છો તે પણ તમે જાણો છો. બાબા આવે જ છે શ્યામ થી સુંદર બનાવવાં. બાપ કહે છે હું તમારો ઓબીડિયન્ટ (વફાદાર) સાચ્ચો ફાધર (પિતા) પણ છું. ફાધર હંમેશા ઓબીડિયન્ટ હોય છે. સેવા ખૂબ કરે છે. ખર્ચો કરીને ભણાવીને પછી બધી ધન-સંપત્તિ બાળકો ને આપીને પોતે જઈ સાધુઓ નો સંગ કરે છે. પોતાનાં કરતાં પણ બાળકો ને ઊંચ બનાવે છે. આ બાપ પણ કહે છે હું તમને ડબલ માલિક બનાવું છું. તમે વિશ્વ નાં પણ માલિક છો તો બ્રહ્માંડ નાં પણ માલિક બનો છો. તમારી પૂજા પણ ડબલ થાય છે. આત્માઓ ની પણ પૂજા થાય છે. દેવતા વર્ણ માં પણ પૂજા થાય છે. મારી તો સિંગલ ફક્ત શિવલિંગ નાં રુપ ની પૂજા થાય છે. હું રાજા તો બનતો નથી. તમારી કેટલી સેવા કરું છું. આવાં બાપ ને પછી તમે ભૂલો કેમ છો? હે આત્મા, સ્વયં ને આત્મા સમજી મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમે કોની પાસે આવ્યાં છો? પહેલાં બાપ પછી દાદા. હમણાં ફાધર પછી ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર આદિ દેવ, એડમ કારણકે અનેક સંપ્રદાય બને છે ને? શિવબાબા ને કાંઈ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેવાશે શું? દરેક વાત માં તમને ખૂબ ઊંચા બનાવે છે. આવાં બાબા મળે છે પછી એમને તમે ભૂલો કેમ છો? ભૂલશો તો પાવન કેવી રીતે બનશો? બાપ પાવન બનવા ની યુક્તિ બતાવે છે. આ યાદ થી જ ખાદ નીકળશે. બાપ કહે છે - મીઠાં-મીઠાં લાડલા બાળકો, દેહ-અભિમાન છોડી આત્મ-અભિમાની બનવાનું છે, પવિત્ર પણ બનવાનું છે. કામ મહાશત્રુ છે. આ એક જન્મ મારા માટે પવિત્ર બનો. લૌકિક બાપ પણ કહે છે ને - કોઈ ગંદુ કામ ન કરો. મારી દાઢી ની લાજ રાખો. પારલૌકિક બાપ પણ કહે છે હું પાવન બનાવવા આવ્યો છું, હવે કાળું મોઢું ન કરો. નહીં તો ઈજ્જત ગુમાવશો. બધા બ્રાહ્મણો ની અને બાપ ની પણ ઈજ્જત ગુમાવી દેશો. લખે છે બાબા અમે પડી ગયાં. કાળું મોઢું કરી દીધું. બાબા કહે છે હું તમને હસીન (સુંદર) બનાવવા આવ્યો છું, તમે પછી કાળું મોઢું કરો છો. તમારે તો સદા હસીન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અંતિમ પુરુષાર્થી શરીર ખૂબ વેલ્યુબલ (કિંમતી) છે, આમાં ખૂબ કમાણી કરવાની છે. બેહદ નાં બાપ ની સાથે ખાતા-પીતા… સર્વ સંબંધો ની અનુભૂતિ કરવાની છે.

2. કોઈ પણ એવાં કર્મ નથી કરવાનાં જેનાં થી બ્રાહ્મણ પરિવાર ની તથા બાપ ની ઈજ્જત જાય. આત્મ-અભિમાની બની પૂરાં પવિત્ર બનવાનું છે. યાદ થી જૂની ખાદ કાઢવાની છે.

વરદાન :-
સાંભળવા ની સાથે - સાથે સ્વરુપ બની મન નાં મનોરંજન દ્વારા સદા શક્તિશાળી આત્મા ભવ

રોજ મન માં સ્વયં નાં પ્રત્યે તથા બીજાઓ નાં પ્રત્યે ઉમંગ-ઉત્સાહ નાં સંકલ્પ લાવો. સ્વયં પણ એ જ સંકલ્પ નું સ્વરુપ બનો અને બીજાઓ ની સેવા માં પણ લગાવો. તો પોતાનું જીવન પણ સદા ને માટે ઉત્સાહ વાળું બની જશે અને બીજાઓ ને પણ ઉત્સાહ અપાવવા વાળા બની શકશો. જેવી રીતે મનોરંજન પ્રોગ્રામ હોય છે એવી રીતે રોજ મન નાં મનોરંજન નો પ્રોગ્રામ બનાવો, જે સાંભળો છો તેનું સ્વરુપ બનો તો શક્તિશાળી બની જશો.

સ્લોગન :-
બીજાઓ ને બદલવા ની પહેલાં સ્વયં ને બદલી લો, આ જ સમજદારી છે.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

સૌથી તીવ્રગતિ ની સેવા નું સાધન છે - શુભ અને શ્રેષ્ઠ સંકલ્પો ની શક્તિ. જેવી રીતે બ્રહ્મા બાપ શ્રેષ્ઠ સંકલ્પ ની વિધિ દ્વારા સેવા ની વૃદ્ધિ માં સદા સહયોગી છે. વિધિ તીવ્ર તો વૃદ્ધિ પણ તીવ્ર છે. એવી રીતે આપ બાળકો પણ શ્રેષ્ઠ શુભ સંકલ્પો માં સંપન્ન બનો.