05-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ પતિત દુનિયા એક જૂનું ગામ છે , આ તમારા રહેવા લાયક નથી , તમારે હવે નવી પાવન દુનિયામાં જવાનું છે”

પ્રશ્ન :-
બાપ પોતાનાં બાળકો ને ઉન્નતિ ની કઈ એક યુક્તિ બતાવે છે?

ઉત્તર :-
બાળકો, તમે આજ્ઞાકારી બની બાપદાદા ની મત પર ચાલતાં રહો. બાપદાદા બંને સાથે (સંયુક્ત) છે, એટલે જો આમનાં કહેવાથી કાંઈ નુકસાન પણ થયું તો પણ જવાબદાર બાપ છે, બધું ઠીક કરી દેશે. તમે પોતાની મત ન ચલાવો, શિવબાબા ની મત સમજી ચાલતાં રહો તો બહુ જ ઉન્નતિ થશે.

ઓમ શાંતિ!
પહેલી-પહેલી મુખ્ય વાત રુહાની બાળકો ને રુહાની બાપ સમજાવે છે કે પોતાને આત્મા નિશ્ચય કરી બેસો અને બાપ ને યાદ કરો તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે. તે લોકો આશીર્વાદ આપે છે ને? આ બાપ પણ કહે છે - બાળકો, તમારા બધા દુઃખ દૂર થઈ જશે. ફક્ત પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ તો અતિ સહજ છે. આ છે ભારત નો પ્રાચીન સહજ રાજયોગ. પ્રાચીન નો પણ સમય તો જોઈએ ને? લોંગ-લોંગ (લાંબો સમય) પણ કેટલો? બાપ સમજાવે છે પૂરાં ૫ હજાર વર્ષ પહેલાં આ રાજયોગ શીખવાડ્યો હતો. આ બાપ વગર કોઈ સમજાવી ન શકે અને બાળકો વગર કોઈ સમજી ન શકે. ગાયન પણ છે આત્માઓ, બાળકો અને પરમાત્મા બાપ અલગ રહ્યાં બહુકાળ… બાપ જ કહે છે તમે સીડી ઉતરતાં-ઉતરતાં પતિત બની ગયા છો. હવે સ્મૃતિ આવી. બધા ચિલ્લાવે છે - હે પતિત-પાવન… કળિયુગ માં પતિત જ હોય છે. સતયુગ માં હોય છે પાવન. તે છે જ પાવન દુનિયા. આ જૂની પતિત દુનિયા રહેવા લાયક નથી. પરંતુ માયા નો પણ પ્રભાવ કાંઈ ઓછો નથી. અહીં જુઓ તો ૧૦૦-૧૨૫ માળ નાં મોટાં-મોટાં મકાન બનાવતા રહે છે. આને માયા નો પામ્પ (ભપકો) કહેવાય છે. માયા નો ભપકો એવો છે જે કહો સ્વર્ગ ચાલો, તો કહી દે છે અમારા માટે સ્વર્ગ તો અહીં જ છે, આને માયા નો જલવો (ભપકો) કહેવાય છે. પરંતુ આપ બાળકો જાણો છો આ તો જૂનું ગામ છે, આને કહેવાય છે નર્ક, જૂની દુનિયા તે પણ રૌરવ નર્ક. સતયુગ ને કહેવાય જ છે સ્વર્ગ. આ શબ્દ તો છે ને? આને વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા) તો બધા કહેશે. વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) તો આ સ્વર્ગ હતું. સ્વર્ગ ને કહેવાય જ છે વાઈસલેસ વર્લ્ડ, નર્ક ને વિશશ વર્લ્ડ કહેવાય છે. આટલી પણ સહજ વાતો કેમ નથી કોઈની બુદ્ધિ માં આવતી? મનુષ્ય કેટલાં દુઃખી છે. કેટલાં લડાઈ-ઝઘડા વગેરે થતા રહે છે. દિવસે-દિવસે બોમ્બ્સ વગેરે પણ એવાં બનાવતા રહે છે, જે પડે અને મનુષ્ય ખતમ થઈ જાય. પરંતુ તુચ્છ બુદ્ધિ મનુષ્ય સમજતા નથી કે હવે શું થવાનું છે. આ વાતો કોઈ સમજાવી ન શકે બાપ સિવાય, શું થવાનું છે? જૂની દુનિયા નો વિનાશ થવાનો છે અને નવી દુનિયા ની સ્થાપના પણ ગુપ્ત થઈ રહી છે.

આપ બાળકો ને કહેવાય જ છે - ગુપ્ત વારીયર્સ (યોદ્ધા). કોઈ સમજે છે શું કે તમે લડાઈ કરી રહ્યાં છો? તમારી લડાઈ છે જ ૫ વિકારો સાથે. બધાને કહો છો પવિત્ર બનો. એક બાપ નાં બાળકો છો ને? પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો તો બધા ભાઈ-બહેન થયા ને? સમજાવવાની ઘણી યુક્તિઓ જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા નાં તો અનેક બાળકો છે, એક તો નથી. નામ જ છે પ્રજાપિતા. લૌકિક બાપ ને ક્યારેય પ્રજાપિતા નહીં કહેવાશે. પ્રજાપિતા બ્રહ્મા છે તો તેમનાં બધા બાળકો પરસ્પર ભાઈ-બહેન, બ્રહ્માકુમાર-કુમારીઓ થયા ને? પરંતુ સમજતા નથી. જાણે પથ્થર બુદ્ધિ છે, સમજવાની કોશિશ પણ નથી કરતાં. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો ભાઈ-બહેન થઈ ગયાં. વિકાર માં તો જઈ ન શકે. તમારા બોર્ડ પર પણ પ્રજાપિતા શબ્દ ખૂબ જરુરી છે. આ શબ્દ તો જરુર લખવો જોઈએ. ફક્ત બ્રહ્મા લખવાથી એટલું જોરદાર નથી થતું. તો બોર્ડ માં પણ કરેક્ટ (સાચાં) શબ્દ લખી સુધારવું પડે. આ છે બહુ જરુરી શબ્દ. બ્રહ્મા નામ તો સ્ત્રી નું પણ છે. નામ જ ખુટી ગયા છે તો પુરુષ નું નામ સ્ત્રી પર રાખી દીધું છે. આટલાં નામ લાવે ક્યાંથી? છે તો બધું ડ્રામા પ્લાન અનુસાર. બાપ નાં વફાદાર, આજ્ઞાકારી બનવું કોઈ માસી નું ઘર નથી. બાપ અને દાદા બંને સાથે છે ને? સમજી નથી શકતા આ કોણ છે? ત્યારે શિવબાબા કહે છે મારી આજ્ઞા ને પણ સમજી નથી શકતાં. ઉલ્ટું કહે કે સુલ્ટું, તમે સમજો શિવબાબા કહે છે તો જવાબદાર એ થઈ જશે. આમનાં કહેવાથી કાંઈ નુકસાન થયું તો પણ જવાબદાર એ હોવાથી, એ બધું ઠીક કરી દેશે. શિવબાબા નું જ સમજતા રહો તો તમારી ઉન્નતિ ખૂબ થશે. પરંતુ મુશ્કેલ સમજે છે. કોઈ પછી પોતાની મત પર ચાલતાં રહે છે. બાપ કેટલાં દૂર થી આવે છે આપ બાળકો ને ડાયરેક્શન આપવાં, સમજાવવાં. બીજા કોઈની પાસે તો આ આધ્યાત્મિક નોલેજ નથી. આખો દિવસ આ ચિંતન ચાલવું જોઈએ - શું લખીએ જે મનુષ્ય સમજે! એવાં-એવાં સીધા શબ્દ લખવા જોઈએ જે મનુષ્યો ની દૃષ્ટિ પડે. તમે એવું સમજાવો કે કોઈ પ્રશ્ન પૂછવા ની જરુર જ ન પડે. બોલો, બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો તો બધા દુઃખ દૂર થઈ જશે. જે સારી રીતે યાદ માં રહેશે એ જ ઊંચ પદ મેળવશે. આ તો સેકન્ડ ની વાત છે. મનુષ્ય શું-શું પૂછતાં રહે છે - તમે કાંઈ પણ ન બતાવો. કહો, વધારે પૂછો નહીં. પહેલાં એક વાત નિશ્ચય કરો, પ્રશ્નો નાં વધારે જંગલ માં પડી જશો તો પછી નીકળવાનો રસ્તો મળશે નહીં. જેમ ફાગી (ધુમ્મસ) માં મનુષ્ય મુંઝાય છે તો પછી નીકળી નથી શકતાં, આ પણ એવું છે મનુષ્ય ક્યાં થી ક્યાં માયા તરફ નીકળી જાય છે એટલે પહેલાં બધાને એક જ વાત બતાવો - તમે તો આત્મા છો અવિનાશી. બાપ પણ અવિનાશી છે, પતિત-પાવન છે. તમે છો પતિત. હવે કાં તો ઘરે જવાનું છે અથવા તો નવી દુનિયામાં. જૂની દુનિયામાં અંત સુધી આવતા રહે છે. જે પૂરું ભણશે નહીં તે તો જરુર પાછળ આવશે. કેટલો હિસાબ છે અને પછી ભણતર થી પણ સમજાય છે પહેલાં કોણ જશે? સ્કૂલ માં પણ નિશાની દેખાડે છે ને? દોડીને હાથ લગાવીને આવો. પહેલાં નંબર વાળા ને ઈનામ મળે છે. આ છે બેહદ ની વાત. બેહદ નું ઈનામ મળે છે. બાપ કહે છે યાદ ની યાત્રા પર રહો. દૈવીગુણ ધારણ કરવાના છે. સર્વગુણ સંપન્ન અહીં બનવાનું છે એટલે બાબા કહે છે ચાર્ટ રાખો. યાદ ની યાત્રા નો પણ ચાર્ટ રાખો તો ખબર પડશે કે અમે ફાયદા માં છીએ કે નુકસાન માં. પરંતુ બાળકો રાખતા નથી. બાબા કહે છે પરંતુ બાળકો કરતા નથી. ખૂબ થોડા કરે છે એટલે માળા પણ કેટલાં થોડા ની જ છે. ૮ ઊંચી સ્કોલરશિપ લેશે પછી ૧૦૮ પ્લસ માં રહે છે ને? પ્લસ માં કોણ જશે? બાદશાહ અને રાણી. ખૂબ જરાક ફરક રહે છે.

તો બાપ કહે છે પહેલાં પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો - આ જ છે યાદ ની યાત્રા. બસ, આ જ બાપ નો સંદેશ આપવાનો છે. ટીક-ટીક કરવાની જરુર નથી, મનમનાભવ. દેહ નાં બધા સંબંધ છોડી, જૂની દુનિયા માં બધાનો બુદ્ધિ થી ત્યાગ કરવાનો છે કારણકે હવે પાછા જવાનું છે, અશરીરી બનવાનું છે. અહીં બાબા યાદ અપાવે છે પછી આખાં દિવસ માં બિલકુલ યાદ પણ નથી કરતા, શ્રીમત પર નથી ચાલતાં. બુદ્ધિ માં બેસતું નથી. બાપ કહે છે નવી દુનિયામાં જવું છે તો તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાબાએ આપણને રાજ્ય-ભાગ્ય આપ્યું, આપણે ફરી થી એવી રીતે ગુમાવ્યું, ૮૪ જન્મ લીધાં. લાખો વર્ષ ની વાત નથી, ઘણાં બાળકો અલ્ફ ને ન જાણવાના કારણે પછી બહુજ પ્રશ્ન પૂછતા રહે છે. બાપ કહે છે પહેલાં મામેકમ્ યાદ કરો તો પાપ કપાઈ જાય અને દૈવીગુણ ધારણ કરો તો દેવતા બની જશો બીજું કાંઈ પૂછવાની જરુર નથી. અલ્ફ ન સમજી બે ની ટીક-ટીક કરવાથી સ્વયં પણ મુંઝાય જાય છે પછી હેરાન થઈ જાય છે. બાપ કહે છે પહેલાં અલ્ફ ને જાણવાથી બધું જાણી જશો. મારા દ્વારા મને જાણવાથી તમે બધું જાણી જશો. બાકી જાણવાનું કાંઈ રહેશે નહીં. એટલે ૭ દિવસ રાખવામાં આવે છે. ૭ દિવસ માં ઘણું સમજી શકે છે. પરંતુ નંબરવાર સમજવા વાળા હોય છે. કોઈ તો કાંઈ પણ સમજતા નથી. તે શું રાજા રાણી બનશે? એક ની ઉપર રાજાઈ કરશે શું? દરેકે પોતાની પ્રજા બનાવવાની છે. સમય ખૂબ વ્યર્થ કરે છે. બાપ તો કહે છે બિચારા છે. ભલે કેટલાં પણ મોટાં-મોટાં પદવાળા છે, પરંતુ બાપ જાણે છે એ તો બધું માટી માં ભળી જવાનું છે. બાકી થોડો સમય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વાળા નો તો વિનાશ થવાનો છે. આપણી આત્માઓ ની પ્રીત બુદ્ધિ કેટલી છે, તે તો સમજી શકો છો. કોઈ કહે છે એક-બે કલાક યાદ રહે છે! શું લૌકિક બાપ સાથે તમે એક-બે કલાક પ્રીત રાખો છો? આખો દિવસ બાબા-બાબા કરતા રહો છો. અહીં ભલે બાબા-બાબા કહો છો પરંતુ હડ્ડી (જીગરી) પ્રીત થોડી છે? વારંવાર કહે છે શિવબાબા ને યાદ કરતા રહો. સાચાં -સાચાં યાદ કરવાના છે. ચાલાકી ચાલી ન શકે. ઘણાં છે જે કહે છે અમે તો શિવબાબા ને ખૂબ યાદ કરીએ છીએ પછી તે તો ઉડવા લાગી જાય. બાબા, બસ, અમે તો જઈએ છીએ સર્વિસ પર અનેક નું કલ્યાણ કરવાં. જેટલો અનેક ને સંદેશ આપશો એટલાં યાદ માં રહેશો. ઘણી બાળકીઓ કહે છે બંધન છે. અરે, બંધન તો આખી દુનિયા ને છે, બંધન ને યુક્તિ થી કાપવાનાં છે. યુક્તિઓ ખૂબ છે, સમજો કાલે મરી જાઓ છો તો પછી બાળકો કોણ સંભાળશે? જરુર કોઈ ન કોઈ સંભાળવા વાળા નીકળી આવશે. અજ્ઞાનકાળ માં તો બીજા લગ્ન કરી લે છે. આ સમયે તો લગ્ન પણ મુસીબત છે. કોઈને થોડા પૈસા આપીને કહો બાળકો ને સંભાળો. તમારો આ મરજીવા જન્મ છે ને? જીવતે જીવ મરી ગયાં પછી પાછળ કોણ સંભાળશે? તો જરુર નર્સ રાખવી પડે. પૈસા થી શું નથી થઈ શકતું. બંધનમુક્ત જરુર બનવાનું છે. સર્વિસ નાં શોખ વાળા જાતે જ ભાગશે. દુનિયાથી મરી ગયા ને? અહીંયા તો બાપ કહે છે મિત્ર-સંબંધીઓ વગેરે નો પણ ઉધ્ધાર કરો. બધાને સંદેશ આપવાનો છે - મનમનાભવ નો, તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાય. આ બાપ જ કહે છે બીજા તો ઉપર થી આવે છે. એમની પ્રજા પણ એમની પાછળ આવતી રહેશે. જેમ ક્રાઈસ્ટ બધાને નીચે લઈ આવે છે. નીચે પાર્ટ ભજવતાં-ભજવતાં જ્યારે અશાંત થાય છે તો કહે છે અમને શાંતિ જોઈએ. બેઠાં તો હતાં શાંતિ માં. પછી પ્રિસેપ્ટર (ગુરુ) ની પાછળ આવવું પડે છે. પછી કહે છે હે પતિત-પાવન, આવો. કેવો ખેલ બનેલો છે! તે અંત માં આવીને લક્ષ લેશે. બાળકોએ સાક્ષાત્કાર કરેલો છે. મનનનાભવ નું લક્ષ આવીને લેશે. હમણાં તમે બેગર ટૂ પ્રિન્સ (કંગાળ થી ભરપૂર) બનો છો. આ સમય નાં જે સાહૂકાર છે તે બેગર બનશે. વન્ડર (અદ્દભુત) છે! આ ખેલ ને જરા પણ કોઈ નથી જાણતાં. આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. કોઈ તો ગરીબ પણ બનશે ને? આ ખૂબ દૂરાંદેશ બુદ્ધિ થી સમજવાની વાતો છે. અંત માં બધો સાક્ષાત્કાર થશે આપણે કેવી રીતે ટ્રાન્સફર થઈએ છીએ. તમે ભણો છો નવી દુનિયા માટે. હમણાં છો સંગમ પર. ભણીને પાસ કરશો તો દૈવીકુળ માં જશો. હમણાં બ્રાહ્મણ કુળ માં છો. આ વાતો કોઈ સમજી ન શકે. ભગવાન ભણાવે છે, જરા પણ કોઈની બુદ્ધિ માં નથી બેસતું. નિરાકાર ભગવાન જરુર આવશે ને? આ ડ્રામા ખૂબ વન્ડરફુલ બનેલો છે, આને તમે જાણો છો અને પાર્ટ ભજવી રહ્યાં છો. ત્રિમૂર્તિ નાં ચિત્ર પર પણ સમજાવવું પડે - બ્રહ્મા દ્વારા સ્થાપના. વિનાશ તો ઓટોમેટિકલી થવાનો જ છે. ફક્ત નામ રાખી દીધું છે. આ પણ ડ્રામા બનેલો છે. મુખ્ય વાત છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો જંક (કાટ) ઉતરી જાય. સ્કૂલ માં જેટલું સારી રીતે ભણશે, સારી આવક થશે. તમને ૨૧ જન્મ માટે હેલ્થ-વેલ્થ મળે છે, ઓછી વાત છે શું? અહીં ભલે વેલ્થ છે પરંતુ સમય નથી જે પુત્ર-પૌત્રા ખાઈ શકે. બાપે બધું આ સેવા માં લગાવી દીધું, તો કેટલું જમા થઈ ગયું. બધાનું થોડી જમા થાય છે? એટલાં લખપતિ છે, પૈસા કામ આવશે નહીં. બાપ લેશે જ નહીં જે પછી આપવું પડે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બંધન કાપવાની યુક્તિ રચવાની છે. જીગરી બાપ સાથે પ્રીત રાખવાની છે. બાપ નો બધાને સંદેશ આપી, બધાનું કલ્યાણ કરવાનું છે.

2. દૂરાંદેશી બુદ્ધિ થી આ બેહદ નાં ખેલ ને સમજવાનો છે. બેગર ટૂ પ્રિન્સ બનવાના ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે. યાદ નો સાચ્ચો-સાચ્ચો ચાર્ટ રાખવાનો છે.

વરદાન :-
સંકલ્પ રુપી બીજ ને કલ્યાણ ની શુભ ભાવના થી ભરપૂર રાખવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

જેવી રીતે આખાં વૃક્ષ નો સાર બીજ માં હોય છે એવી રીતે સંકલ્પ રુપી બીજ દરેક આત્મા પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે શુભ ભાવનાવાળું હોય. સર્વ ને બાપ સમાન બનાવવાની ભાવના, નિર્બળ ને બળવાન બનાવવાની, દુઃખી-અશાંત આત્મા ને સદા-સુખી શાંત બનાવવાની ભાવના નો રસ કે સાર દરેક સંકલ્પ માં ભરેલો હોય, કોઈ પણ સંકલ્પ રુપી બીજ સાર થી ખાલી અર્થાત્ વ્યર્થ ન હોય, કલ્યાણ ની ભાવના થી સમર્થ હોય ત્યારે કહેવાશે બાપ સમાન વિશ્વ કલ્યાણકારી આત્મા.

સ્લોગન :-
માયા નાં ઝમેલા થી ગભરાવા ને બદલે પરમાત્મ-મેળા ની મોજ મનાવતા રહો.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનાવવાની ધુન લગાવો

કર્માતીત બનવા માટે અશરીરી બનવાનો અભ્યાસ વધારો. શરીર નાં બંધન, કર્મ નાં બંધન, વ્યક્તિઓ નાં બંધન, વૈભવો નાં બંધન, સ્વભાવ-સંસ્કારો નું બંધન… કોઈ પણ બંધન પોતાની તરફ આકર્ષિત ન કરે. આ બંધન જ આત્મા ને ટાઈટ કરી દે છે, એનાં માટે સદા નિર્લિપ્ત અર્થાત્ ન્યારા અને અતિ પ્યારા બનવાનો અભ્યાસ કરો.