06-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠાં બાળકો - યાદ માં રહેવાની મહેનત કરો તો પાવન બનતા જશો , હમણાં બાપ તમને ભણાવી રહ્યાં છે પછી સાથે લઈ જશે”

પ્રશ્ન :-
કયો પૈગામ (સંદેશ) તમારે બધાને આપવાનો છે?

ઉત્તર :-
હવે ઘરે ચાલવાનું છે એટલે પાવન બનો. પતિત-પાવન બાપ કહે છે મને યાદ કરો તો પાવન બની જશો. આ પૈગામ બધાને આપો. બાપે પોતાનો પરિચય આપ બાળકો ને આપ્યો છે, હવે તમારું કર્તવ્ય છે બાપ નો શો (પ્રત્યક્ષ) કરવાનું. કહેવાય પણ છે સન શોઝ ફાધર.

ગીત :-
મરના તેરી ગલી મેં…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત નો અર્થ સાંભળ્યો કે બાબા અમે તમારી રુદ્ર માળા માં પરોવાઈ જ જઈશું. આ ગીત તો ભક્તિ માર્ગ નાં બનેલા છે, જે પણ દુનિયામાં સામગ્રી છે, જપ-તપ, પૂજા-પાઠ આ બંધુ છે ભક્તિ માર્ગ. ભક્તિ રાવણ રાજ્ય, જ્ઞાન રામરાજ્ય. જ્ઞાન ને કહેવાય છે નોલેજ, ભણતર. ભક્તિ ને ભણતર નથી કહેવાતું. તેમાં કોઈ ઉદ્દેશ નથી કે આપણે શું બનીશું, ભક્તિ ભણતર નથી. રાજયોગ શીખવો આ ભણતર છે, ભણતર એક જગ્યાએ સ્કૂલ માં ભણાય છે. ભક્તિ માં તો દર-દર ધક્કા ખાય છે. ભણતર એટલે ભણતર. તો ભણતર પૂરી રીતે ભણવું જોઈએ. બાળકો જાણે છે આપણે સ્ટુડન્ટ છીએ. ઘણાં છે જે પોતાને સ્ટુડન્ટ નથી સમજતા, કારણકે ભણતા જ નથી. નથી બાપ ને બાપ સમજતા, નથી શિવબાબા ને સદ્દગતિ દાતા સમજતાં. એવાં પણ છે જે બુદ્ધિ માં કાંઈ પણ બેસતું જ નથી, રાજધાની સ્થાપન થાય છે ને? તેમાં બધા પ્રકાર નાં હોય છે. બાપ આવ્યાં જ છે પતિતો ને પાવન બનાવવાં. બાપ ને બોલાવે છે-હે પતિત-પાવન, આવો. હવે બાપ કહે છે પાવન બનો. બાપ ને યાદ કરો. દરેક ને પૈગામ આપવાનો છે બાપ નો. આ સમયે ભારત જ વૈશ્યાલય છે. પહેલાં ભારત જ શિવાલય હતું. હમણાં બંને તાજ નથી. આ પણ આપ બાળકો જ જાણો છો હવે પતિત-પાવન બાપ કહે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો. યાદ માં જ મહેનત છે. ખૂબ થોડા છે જે યાદ માં રહે છે. ભક્ત માળા પણ થોડા ની છે ને? ધન્ના ભગત, નારદ, મીરા વગેરે નું નામ છે. આમાં પણ બધા તો નહીં આવીને ભણશે. કલ્પ પહેલાં જેમણે ભણ્યું છે, એ જ આવે છે. કહે પણ છે બાબા અમે તમારી પાસે થી કલ્પ પહેલાં પણ મળ્યા હતાં, ભણવા અથવા યાદ ની યાત્રા શીખવાં. હમણાં બાપ આવ્યાં જ છે આપ બાળકો ને લઈ જવાં. સમજાવે છે તમારી આત્મા પતિત છે એટલે બોલાવો છો કે આવીને પાવન બનાવો. હવે બાપ કહે છે મને યાદ કરો, પવિત્ર બનો. બાપ ભણાવે છે પછી સાથે પણ લઈ જશે. બાળકો ને અંદર ખૂબ ખુશી થવી જોઈએ. બાપ ભણાવી રહ્યાં છે, કૃષ્ણ ને બાપ નહીં કહેવાશે. કૃષ્ણ ને પતિત-પાવન નહીં કહેવાશે. આ કોઈને પણ ખબર નથી કે બાપ કોને કહેવાય છે અને પછી એ જ્ઞાન કેવી રીતે આપે છે? આ તમે જ જાણો છો. બાપ પોતાનો પરિચય બાળકો ને જ આપે છે. નવાં-નવાં કોઈ ને બાપ ન મળી શકે. બાપ કહેશે સન શોઝ ફાધર. બાળકો જ બાપ નો શો (પ્રત્યક્ષ) કરશે. બાપ ને કોઈની સાથે પણ મળવાનું, વાત કરવાની નથી. ભલે આટલાં સમય બાબા નવાં-નવાં ને મળતા રહે છે, ડ્રામા માં હતું, અનેક આવતા હતાં. મિલેટ્રી વાળા માટે પણ બાબા એ સમજાવ્યું છે, તેમનો ઉદ્ધાર કરવાનો છે, તેમને પણ ધંધો (કર્તવ્ય) તો કરવાનો જ છે. નહીં તો દુશ્મન વાર કરી લેશે. ફક્ત બાપ ને યાદ કરવાના છે. ગીતા માં છે જે યુદ્ધ નાં મેદાન માં શરીર છોડશે, તે સ્વર્ગ માં જશે. પરંતુ એમ તો જઈ ન શકે. સ્વર્ગ સ્થાપન કરવા વાળા પણ જ્યારે આવે ત્યારે જ જશે. સ્વર્ગ શું વસ્તુ છે, આ પણ કોઈ નથી જાણતાં. હમણાં આપ બાળકો ૫ વિકારો રુપી રાવણ સાથે યુદ્ધ કરો છો, બાપ કહે છે અશરીરી ભવ. પોતાને આત્મા નિશ્ચય કરી મને યાદ કરો. બીજા કોઈ એવું કહી ન શકે.

સર્વશક્તિમાન્ એક બાપ સિવાય કોઈને કહી ન શકાય. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને શ્રી કહી ન શકાય. ઓલમાઈટી (સર્વશક્તિમાન્) એક જ બાપ છે. વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી, જ્ઞાન નાં સાગર એક બાપ ને જ કહેવાય છે. આ જે સાધુ-સંત વગેરે છે તે છે શાસ્ત્રો ની ઓથોરિટી (સત્તા). ભક્તિ ની પણ ઓથોરિટી નહીં કહેવાશે. શાસ્ત્રો ની ઓથોરિટી છે, તેમનો બધો આધાર શાસ્ત્રો પર છે. સમજે છે ભક્તિ નું ફળ ભગવાને આપવાનું છે. ભક્તિ ક્યારે શરુ થઈ, ક્યારે પૂરી થવાની છે, આ ખબર નથી. ભક્ત સમજે છે ભક્તિ થી ભગવાન રાજી થશે. ભગવાન ને મળવાની ઈચ્છા રહે છે, પરંતુ એ કોની ભક્તિ થી રાજી થશે? જરુર એમની જ ભક્તિ કરશે ત્યારે તો રાજી થશે ને? તમે શંકર ની ભક્તિ કરો તો બાપ રાજી કેવી રીતે થશે, શું હનુમાન ની ભક્તિ કરશો તો બાપ રાજી થશે? સાક્ષાત્કાર થઈ જાય છે, બાકી મળતું કાંઈ નથી. બાપ કહે છે હું ભલે સાક્ષાત્કાર કરાવું છું, પરંતુ એવું નથી કે મને આવીને મળશે. ના, તમે મને મળો છો. ભગત ભક્તિ કરે છે ભગવાન ને મળવા માટે. કહે છે ખબર નથી કે ભગવાન કયા રુપ થી આવીને મળશે, એટલે તેને કહેવાય છે બ્લાઇન્ડ-ફેથ (અંધવિશ્વાસ). હમણાં તમે બાપ ને મળ્યાં છો. જાણો છો એ નિરાકાર બાપ જ્યારે શરીર ધારણ કરે ત્યારે જ પોતાનો પરિચય આપે કે હું તમારો બાપ છું. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને રાજ્ય-ભાગ્ય આપ્યું હતું પછી તમારે ૮૪ જન્મ લેવા પડ્યાં. આ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે. દ્વાપર પછી જ બીજા ધર્મ આવે છે, પોત-પોતાનો ધર્મ આવીને સ્થાપન કરે છે. એમાં કોઈ મોટાઈ (મહિમા) ની વાત નથી. મોટાઈ કોઈની પણ નથી. બ્રહ્મા ની મોટાઈ ત્યારે છે જ્યારે બાપ આવીને પ્રવેશ કરે છે. નહીં તો આ ધંધો કરતા હતાં, આમને પણ થોડી ખબર હતી કે મારા માં ભગવાન આવશે. બાપે પ્રવેશ કરીને સમજાવ્યું છે કે કેવી રીતે મેં આમનાં માં પ્રવેશ કર્યો. કેવી રીતે આમને દેખાડ્યું-મારું સો તમારું, તમારું સો મારું, જોઈ લો. તમે મારા મદદગાર બનો છો - પોતાનાં તન-મન-ધન થી તો તેનાં વળતર માં તમને આ મળશે. બાપ કહે છે-હું સાધારણ તન માં પ્રવેશ કરું છું, જે પોતાનાં જન્મો ને નથી જાણતાં. પરંતુ હું ક્યારે આવું છું, કેવી રીતે આવું છું? આ કોઈને ખબર નથી. હમણાં તમે જુઓ છો સાધારણ તન માં બાપ આવ્યાં છે. આમનાં દ્વારા અમને જ્ઞાન અને યોગ શીખવાડી રહ્યાં છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. નર્ક નું ફાટક બંધ થઈ સ્વર્ગ નું ફાટક કેવી રીતે ખુલે છે - આ પણ તમે જાણો છો. દ્વાપર માં રાવણ રાજ્ય શરુ થાય છે અર્થાત્ નર્ક નો દ્વાર ખુલે છે. નવી અને જૂની દુનિયા ને અડધા-અડધા માં રખાય છે. તો હમણાં બાપ કહે છે-હું આપ બાળકો ને પતિત થી પાવન બનવાની યુક્તિ બતાવું છું. બાપ ને યાદ કરો તો જન્મ-જન્માન્તર નાં પાપ નાશ થઈ જાય. આ જન્મ નાં પાપ પણ બતાવવાનાં છે. યાદ તો રહે છે ને - કયા પાપ કર્યા છે? શું-શું દાન-પુણ્ય કર્યા છે? આમને પોતાનાં નાનપણ ની ખબર છે ને? શ્રીકૃષ્ણ નું જ નામ છે શ્યામ અને સુંદર, શ્યામ સુંદર. તેનો અર્થ ક્યારેય કોઈ ની બુદ્ધિ માં નહીં આવશે. નામ શ્યામ-સુંદર છે તો ચિત્ર માં કાળા બનાવી દીધાં છે. રઘુનાથ નાં મંદિર માં જોશો-ત્યાં પણ કાળા, હનુમાન નાં મંદિર માં જુઓ, તો બધા ને કાળા બનાવી દે છે. આ છે જ પતિત દુનિયા. હમણાં આપ બાળકો ને ફિકર છે કે આપણે શ્યામ થી સુંદર બનીએ. એનાં માટે તમે બાપ ની યાદ માં રહો છો. બાપ કહે છે આ અંતિમ જન્મ છે. મને યાદ કરો તો પાપ ભસ્મ થશે. જાણો છો બાપ આવ્યાં છે લઈ જવાં. તો જરુર શરીર અહીં છોડશો. શરીર સહિત થોડી લઈ જશે? પતિત આત્માઓ પણ જઈ ન શકે. જરુર બાપ પાવન બનવાની યુક્તિ બતાવશે. તો કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. ભક્તિ માર્ગ માં છે અંધશ્રદ્ધા. શિવકાશી કહે છે પછી કહે છે શિવ ગંગા લાવ્યાં, ભાગીરથ થી ગંગા નીકળી. હવે પાણી માથા માંથી કેવી રીતે નીકળશે? ભાગીરથ કોઈ પહાડ પર બેઠાં છે શું, જેમની જટાઓ માંથી ગંગા આવશે? પાણી જે વરસે છે, સાગર થી ખેંચે છે, જે આખી દુનિયામાં પાણી જાય છે. નદીઓ તો બધી તરફ છે. પહાડો પર બરફ જામી જાય છે, તે પણ પાણી આવતું રહે છે. પહાડો ની અંદર ગુફા માં જે પાણી રહે છે, તે પછી કુવાઓ માં આવતું રહે છે. તે પણ વરસાદ નાં આધાર પર છે. વરસાદ ન પડે તો કુવા પણ સુકાઈ જાય છે.

કહે પણ છે બાબા અમને પાવન બનાવીને સ્વર્ગ માં લઈ જાઓ. આશા જ સ્વર્ગ, કૃષ્ણપુરી ની છે. વિષ્ણુપુરી ની કોઈને ખબર નથી. શ્રીકૃષ્ણ નાં મુરીદ (ગ્રાહક) કહેવાશે-જ્યાં જુઓ કૃષ્ણ જ કૃષ્ણ છે. અરે, જ્યારે પરમાત્મા સર્વવ્યાપી છે તો કેમ નથી કહેતાં જ્યાં જુઓ પરમાત્મા જ પરમાત્મા છે. પરમાત્મા નાં મુરીદ પછી એવું કહે આ બધા એમનાં જ રુપ છે. એ જ આ બધી લીલા કરી રહ્યાં છે. ભગવાને રુપ ધર્યા છે, લીલા કરવા માટે. તો જરુર હમણાં લીલા કરશે ને? પરમાત્મા ની દુનિયા સ્વર્ગ માં જુઓ, ત્યાં ગંદકી ની કોઈ વાત નથી હોતી. અહીં તો ગંદ જ ગંદ છે અને પછી અહીં કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. પરમાત્મા જ સુખ આપે છે. બાળક આવ્યું સુખ થયું, મરી ગયો તો દુઃખ થશે. અરે, ભગવાને તમને ચીજ આપી પછી લીધી તો તેમાં તમારે રડવાની શું જરુર છે? સતયુગ માં આ રડવા વગેરે નું દુઃખ હોતું નથી. મોહજીત રાજા નું દૃષ્ટાંત દેખાડ્યું છે. આ બધા માં છે જુઠ્ઠા દૃષ્ટાંત. એમાં કોઈ સાર નથી. સતયુગ માં ઋષિ-મુની હોતાં નથી. અને અહીં પણ એવી વાત હોઈ નથી શકતી. એવાં કોઈ મોહજીત રાજા હોઈ ન શકે. ભગવાનુવાચ - યાદવ, કૌરવ, પાંડવ ક્યા કરત ભયે? તમારો બાપ સાથે યોગ છે. બાપ કહે છે હું આપ બાળકો દ્વારા ભારત ને સ્વર્ગ બનાવું છું. હવે જે પવિત્ર બને છે તે પવિત્ર દુનિયાનાં માલિક બનશે. કોઈ પણ મળે તેમને આ કહો ભગવાન કહે છે મામેકમ્ યાદ કરો. મારા સાથે પ્રીત લગાવો બીજા કોઈ ને યાદ ન કરો. આ છે અવ્યભિચારી યાદ. અહીં કોઈ જળ વગેરે નથી ચઢાવવાનું. ભક્તિ માર્ગ માં આ ધંધો વગેરે કરતા, યાદ કરતા હતાં ને? ગુરુ લોકો પણ કહે છે, મને યાદ કરો, પોતાનાં પતિ ને યાદ ન કરો. આપ બાળકો ને કેટલી વાતો સમજાવે છે. મૂળ વાત છે કે બધાને પૈગામ આપો - બાબા કહે છે મામેકમ્ યાદ કરો. બાબા એટલે જ ભગવાન. ભગવાન તો નિરાકાર છે. શ્રીકૃષ્ણ ને બધા ભગવાન નહીં કહેશે. કૃષ્ણ તો બાળક છે. શિવબાબા આમનામાં ન હોત તો તમે હોત શું? શિવબાબા એ આમનાં દ્વારા તમને એડોપ્ટ (દત્તક) કર્યા, પોતાનાં બનાવ્યાં છે. આ માતા પણ છે, પિતા પણ છે. માતા તો સાકાર માં જોઈએ ને? એ તો છે જ પિતા. તો આવી-આવી વાતો સારી રીતે ધારણ કરો.

આપ બાળકોએ ક્યારેય પણ કોઈ વાત માં મુંઝાવાનું નથી. ભણતર ને ક્યારેય નહીં છોડતાં. ઘણાં બાળકો સંગદોષ માં આવીને રિસાઈ ને પોતાની પાઠશાળા ખોલી દે છે. જો પરસ્પર લડી-ઝઘડી ને જઈ પોતાની પાઠશાળા ખોલી તો મૂર્ખપણું છે, રિસાય છે તો પાઠશાળા ખોલવા ને લાયક જ નથી. તે દેહ-અભિમાન તમારું ચાલશે જ નહીં કારણ કે બુદ્ધિ માં તો દુશ્મની છે તો તે યાદ આવશે. કાંઈ પણ કોઈ ને સમજાવી નહીં શકો. એવું પણ થાય છે, જેમને જ્ઞાન આપે છે તે આગળ ચાલ્યાં જાય છે, પોતે નીચે પડે છે. સ્વયં પણ સમજે છે મારા કરતાં તેમની અવસ્થા સારી છે. ભણવા વાળા રાજા બની જાય અને ભણાવવા વાળા દાસ-દાસી બની જાય છે, એવાં-એવાં પણ છે. પુરુષાર્થ કરી બાપ નાં ગળા નો હાર બનવાનું છે. બાબા જીવતે જીવ હું તમારો બન્યો છું. બાપ ની યાદ થી જ બેડો પાર થવાનો છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય કોઈ વાત માં મુંઝાવાનું નથી. પરસ્પર રિસાઈ ને ભણતર નથી છોડવાનું. દુશ્મની બનાવવી પણ દેહ-અભિમાન છે. સંગદોષ થી પોતાની બહુજ-બહુજ સંભાળ કરવાની છે. પાવન બનવાનું છે, પોતાની ચલન થી બાપ નો શો (પ્રત્યક્ષ) કરવાનો છે.

2. પ્રીત બુદ્ધિ બની એક બાપ ની અવ્યભિચારી યાદ માં રહેવાનું છે. તન-મન-ધન થી બાપ નાં કાર્ય માં મદદગાર બનવાનું છે.

વરદાન :-
ન્યારા અને પ્યારા બનવાનું રહસ્ય જાણીને રાજી રહેવા વાળા રાઝ યુક્ત ભવ

જે બાળકો પ્રવૃત્તિ માં રહેતા ન્યારા અને પ્યારા બનવાનું રહસ્ય જાણે છે તે સદા સ્વયં પણ સ્વયં થી રાજી રહે છે, પ્રવૃત્તિ ને પણ રાજી રાખે છે. સાથે-સાથે સાચ્ચું દિલ હોવાને કારણે સાહેબ પણ સદૈવ એમનાં પર રાજી રહે છે. એવી રીતે રાજી રહેવા વાળા રાઝયુક્ત બાળકો ને પોતાનાં પ્રત્યે અથવા અન્ય કોઈનાં પ્રત્યે કોઈને કાજી બનાવવાની જરુર નથી રહેતી કારણકે તે પોતાનો ફેંસલો પોતાની જાતે કરી લે છે એટલે એમને કોઈને કાજી, વકીલ અથવા જ્જ બનાવવાની જરુર જ નથી.

સ્લોગન :-
સેવા થી જે દુવાઓ મળે છે - તે દુવાઓ જ તંદુરસ્તી નો આધાર છે.

અવ્યક્ત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

જેવી રીતે સ્થૂળ શરીર માં વિશેષ શ્વાસ ચાલવો આવશ્યક છે. શ્વાસ નથી તો જીવન નથી, એવી રીતે બ્રાહ્મણ જીવન નો શ્વાસ છે પવિત્રતા. ૨૧ જન્મો ની પ્રારબ્ધ નો આધાર પવિત્રતા છે. આત્મા અને પરમાત્મા નાં મિલન નો આધાર પવિત્ર બુદ્ધિ છે. સંગમયુગી પ્રાપ્તિઓ નો આધાર અને ભવિષ્ય માં પૂજ્ય પદ મેળવવા નો આધાર પવિત્રતા છે એટલે પવિત્રતા ની પર્સનાલિટી ને વરદાન રુપ માં ધારણ કરો.