06-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ શરીર રુપી રમકડું આત્મા રુપી ચૈતન્ય ચાવી થી ચાલે છે , તમે પોતાને આત્મા નિશ્ચય કરો તો નિર્ભય બની જશો”

પ્રશ્ન :-
આત્મા શરીર ની સાથે રમત રમતાં નીચે આવ્યો છે એટલે એને શું નામ આપશો?

ઉત્તર :-
કટપુતળી. જેમ ડ્રામા માં કટપુતળીઓ ની રમત રમાડે છે તેમ આપ આત્માઓ કટપુતળી ની જેમ ૫ હજાર વર્ષ માં રમત રમતાં નીચે પહોંચી ગયા છો. બાપ આવ્યાં છે આપ કટપુતળીઓ ને ઉપર ચઢવાનો રસ્તો બતાવવાં. હવે તમે શ્રીમત ની ચાવી લગાવો તો ઉપર ચાલ્યાં જશો.

ગીત :-
મહેફિલ મે જલ ઉઠી શમા…

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને શ્રીમત આપે છે - ક્યારેક કોઈની ચલન સારી નથી હોતી તો મા-બાપ કહે છે - તમને શલ ઈશ્વર મત આપે. બિચારાઓ ને એ ખબર જ નથી કે ઈશ્વર સાચ્ચે જ મત આપે છે. હમણાં આપ બાળકો ને ઈશ્વરીય મત મળી રહી છે અર્થાત્ રુહાની બાપ બાળકો ને શ્રેષ્ઠ મત આપી રહ્યાં છે શ્રેષ્ઠ બનવા માટે. હમણાં તમે સમજો છો આપણે શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બની રહ્યાં છીએ. બાપ આપણને કેટલી ઊંચી મત આપી રહ્યાં છે. આપણે એમની મત પર ચાલીને મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. તો સિદ્ધ થાય છે મનુષ્ય ને દેવતા બનાવવા વાળા એ જ બાપ છે. સિક્ખ લોકો પણ ગાય છે મનુષ્ય સે દેવતા કિયે… તો જરુર મનુષ્ય થી દેવતા બનવાની મત આપે છે. એમની મહિમા પણ ગાય છે - એકોઅંકાર…કર્તા પુરુષ, નિર્ભય… તમે બધા નિર્ભય થઈ જાઓ છો. પોતાને આત્મા સમજો છો ને? આત્મા ને કોઈ ભય નથી રહેતો. બાપ કહે છે નિર્ભય બનો. ભય પછી શેનો? તમને કોઈ ભય નથી. તમે પોતાનાં ઘરે બેઠાં પણ બાપ ની શ્રીમત લેતા રહો છો. હવે શ્રીમત કોની? કોણ આપે છે? આ વાતો ગીતા માં તો છે જ નહીં. હમણાં આપ બાળકો સમજો છો. બાપ કહે છે તમે પતિત બની ગયા છો, હવે પાવન બનવા માટે મામેકમ્ યાદ કરો. આ પુરુષોત્તમ બનવાનો મેળો સંગમયુગ પર જ થાય છે. ઘણાં આવીને શ્રીમત લે છે. આને કહેવાય છે ઈશ્વર ની સાથે બાળકો નો મેળો. ઈશ્વર પણ નિરાકાર છે. બાળકો (આત્માઓ) પણ નિરાકાર છે. આપણે આત્મા છીએ, આ પાક્કી-પાક્કી આદત પાડવાની છે. જેમ રમકડા ને ચાવી અપાય છે તો ડાન્સ કરવા લાગી જાય છે. તો આત્મા પણ આ શરીર રુપી રમકડા ની ચાવી છે. આત્મા આમાં ન હોય તો કાંઈ પણ કરી ન શકે. તમે છો ચૈતન્ય રમકડા. રમકડા ને ચાવી ન અપાય તો કામ નું નહીં રહેશે. ઉભું રહી જશે. આત્મા પણ ચૈતન્ય ચાવી છે અને આ અવિનાશી, અમર ચાવી છે. બાપ સમજાવે છે હું જોઉં જ છું આત્મા ને. આત્મા સાંભળે છે - આ પાક્કી આદત પાડવાની છે. આ ચાવી વગર શરીર ચાલી ન શકે. આમને પણ ચાવી અવિનાશી મળેલી છે. ૫ હજાર વર્ષ એમની ચાવી ચાલે છે. ચૈતન્ય ચાવી હોવાનાં કારણે ચક્ર ફરતું જ રહે છે. આ છે ચૈતન્ય રમકડાં. બાપ પણ ચૈતન્ય આત્મા છે. જ્યારે ચાવી પૂરી થઈ જાય છે તો પછી બાપ નવેસર થી યુક્તિ બતાવે છે કે મને યાદ કરો તો પછી ચાવી લાગી જશે અર્થાત્ આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશે. જેમ મોટર માં પેટ્રોલ ખતમ થાય તો ફરી ભરાય છે ને? હમણાં તમારો આત્મા સમજે છે - અમારા માં પેટ્રોલ કેવી રીતે ભરાશે? બેટરી ખાલી થાય છે પછી એમાં પાવર ભરાય છે ને? બેટરી ખાલી થાય છે તો લાઈટ ખતમ થઈ જાય છે. હવે તમારી આત્મા રુપી બેટરી ભરાય છે. જેટલું યાદ કરશો એટલો પાવર (શક્તિ) ભરાતો જશે. આટલાં ૮૪ જન્મો નું ચક્ર લગાવી બેટરી ખાલી થઈ જાય છે. સતો, રજો, તમો માં આવ્યો છે. હવે ફરી બાપ આવ્યાં છે ચાવી આપવા અથવા બેટરી ને ભરવાં. પાવર નથી તો મનુષ્ય કેવાં બની જાય છે. તો હવે યાદ થી જ બેટરી ને ભરવાની છે, આને હ્યુમન (મનુષ્ય) બેટરી કહેવાય. બાપ કહે છે મારી સાથે યોગ લગાવો. આ જ્ઞાન એક જ બાપ આપે છે. સદ્દગતિ દાતા એ એક જ બાપ છે. હમણાં તમારી બેટરી પૂરી ભરાય છે જે પછી પૂરાં ૮૪ જન્મ પાર્ટ ભજવો છો. જેમ ડ્રામા માં કટપુતળીઓ નાચે છે ને? આપ આત્માઓ પણ એવાં કટપુતળીઓ જેવાં છો. ઉપર થી ઉતરતા ૫ હજાર વર્ષ માં એકદમ નીચે આવી જાઓ છો પછી બાપ આવીને ઉપર ચઢાવે છે. તે તો એક રમકડું છે. બાપ અર્થ સમજાવે છે ચઢતી કળા અને ઉતરતી કળા નો, ૫ હજાર વર્ષ ની વાત છે. તમે સમજો છો શ્રીમત થી આપણને ચાવી મળી રહી છે. આપણે પૂરાં સતોપ્રધાન બની જઈશું પછી આખો પાર્ટ રીપીટ કરીશું. કેટલી સહજ વાત છે - સમજવાની અને સમજાવવાની. તો પણ બાપ કહે છે સમજશે એ જ જેમણે કલ્પ પહેલાં સમજ્યું હશે. તમે કેટલું પણ માથું મારો વધારે સમજશે જ નહીં. બાપ સમજ તો બધાને એક જેવી જ આપે છે. ક્યાંય પણ બેઠાં બાપ ને યાદ કરવાના છે. ભલે સામે બ્રાહ્મણી ન હોય તો પણ તમે યાદ માં બેસી શકો છો. ખબર છે બાપ ની યાદ થી જ આપણા વિકર્મ વિનાશ થશે. તો એ યાદ માં બેસી જવાનું છે. કોઈને પણ બેસાડવાની જરુર નથી. ખાતાં-પીતાં, સ્નાન વગેરે કરતા બાપ ને યાદ કરો. થોડો સમય બીજા કોઈ સામે બેસી જાય છે. એવું નથી કે તે મદદ કરે છે તમને, ના. દરેકે પોતાને જ મદદ કરવાની છે. ઈશ્વરે તો મત આપી છે કે આવું-આવું કરો તો તમારી દૈવી બુદ્ધિ બની જશે. આ ટેમ્પટેશન (પ્રલોભન) અપાય છે. શ્રીમત તો બધાને આપતા રહે છે. એટલું જરુર છે કોઈની બુદ્ધિ ઠંડી છે, કોઈની તેજ (તીક્ષ્ણ) છે. પાવન ની સાથે યોગ નથી લાગતો તો બેટરી ચાર્જ નથી થતી. બાપ ની શ્રીમત નથી માનતાં. યોગ લાગતો જ નથી. તમે હમણાં અનુભવ કરો છો કે આપણી બેટરી ભરાતી જાય છે. તમોપ્રધાન થી સતોપ્રધાન તો જરુર બનવાનું છે. આ સમયે તમને પરમાત્મા ની શ્રીમત મળી રહી છે. આ દુનિયા બિલકુલ નથી સમજતી. બાપ કહે છે મારી આ મત થી તમે દેવતા બની જાઓ છો, એનાથી ઊંચી ચીજ કોઈ હોતી નથી. ત્યાં આ જ્ઞાન નથી રહેતું. આ પણ ડ્રામા બનેલો છે. તમને પુરુષોત્તમ બનાવવા માટે બાપ સંગમ પર જ આવે છે, જેની પછી યાદગાર ભક્તિમાર્ગ માં મનાવે છે, દશેરા પણ મનાવે છે ને? જ્યારે બાપ આવે છે તો દશેરા થાય છે. ૫ હજાર વર્ષ પછી દરેક વાત રિપીટ (પુનરાવર્તન) થાય છે.

આપ બાળકો ને જ આ ઈશ્વરીય મત અર્થાત્ શ્રીમત મળે છે, જેનાથી તમે શ્રેષ્ઠ બનો છો. તમારો આત્મા સતોપ્રધાન હતો, તે ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન ભ્રષ્ટ બની જાય છે. પછી બાપ બેસી જ્ઞાન અને યોગ શીખવાડી ને સતોપ્રધાન શ્રેષ્ઠ બનાવે છે. બતાવે છે તમે સીડી નીચે કેવી રીતે ઉતરો છો. ડ્રામા ચાલતો રહે છે. આ ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને કોઈ પણ જાણતું નથી. બાપે સમજાવ્યું છે હવે તમને સ્મૃતિ આવી છે ને? દરેક નાં જન્મ ની કહાણી તો સંભળાવી ન શકે. લખાતી નથી જે વાંચીને સંભળાવાય. આ બાપ સમજાવે છે. હમણાં તમે જ બ્રાહ્મણ બન્યાં છો પછી દેવતા બનવાનું છે. બાપે સમજાવ્યું છે - બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ત્રણેય ધર્મ હું સ્થાપન કરું છું. હમણાં તમારી બુદ્ધિ માં છે - આપણે બાપ દ્વારા બ્રાહ્મણ વંશી બનીએ છીએ પછી સૂર્યવંશી, ચંદ્રવંશી બનીશું. જે નાપાસ થાય છે તે ચંદ્રવંશી બની જાય છે. શેમાં નાપાસ? યોગ માં. જ્ઞાન તો બહુજ સહજ સમજાવ્યું છે. કેવી રીતે તમે ૮૪ નું ચક્ર લગાવો છો. મનુષ્ય તો ૮૪ લાખ કહી દે છે તો કેટલાં દૂર ચાલ્યાં ગયા છે. હમણાં તમને મળે છે ઈશ્વરીય મત. ઈશ્વર તો આવે જ છે એક વાર. તો એમની મત પણ એક વાર જ મળશે. એક દેવી-દેવતા ધર્મ હતો. જરુર એમને ઈશ્વરીય મત મળી હતી, એની પહેલાં તો થયો સંગમયુગ. બાપ આવીને દુનિયા ને બદલાવે છે. તમે હવે બદલાઈ રહ્યાં છો. આ સમયે તમને બાપ બદલાવે છે. તમે કહેશો કલ્પ-કલ્પ આપણે બદલાતા આવ્યાં છીએ, બદલાતા જ રહીશું. આ ચૈતન્ય બેટરી છે ને? તે છે જડ. બાળકો ને ખબર પડી છે ૫૦૦૦ વર્ષ પછી બાપ આવ્યાં છે. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત પણ આપે છે. ઊંચા માં ઊંચા ભગવાન ની ઊંચી મત મળે છે - જેનાથી તમે ઊંચ પદ મેળવો છો. તમારી પાસે જ્યારે કોઈ આવે છે તો બોલો તમે ઈશ્વર ની સંતાન છો ને? ઈશ્વર શિવબાબા છે, શિવજયંતી પણ મનાવે છે. એ છે પણ સદ્દગતિ દાતા. એમને પોતાનું શરીર તો નથી. તો કોનાં દ્વારા મત આપે છે? તમે પણ આત્મા છો, આ શરીર દ્વારા વાતચીત કરો છો ને? શરીર વગર આત્મા કાંઈ કરી ન શકે. નિરાકાર બાપ પણ આવે કેવી રીતે? ગાયન પણ છે રથ પર આવે છે. પછી કોઈએ શું, કોઈએ શું બેસીને બનાવ્યું છે. ત્રિમૂર્તિ પણ સૂક્ષ્મવતન માં દેખાડ્યાં છે. બાપ સમજાવે છે - આ બધી છે સાક્ષાત્કાર ની વાતો. બાકી રચના તો બધી અહીં છે ને? તો રચયિતા બાપ ને પણ અહીંયા આવવું પડે. પતિત દુનિયા માં જ આવીને પાવન બનાવવાના છે. અહીંયા બાળકો ને ડાયરેક્ટ પાવન બનાવી રહ્યાં છે. સમજે પણ છે તો પણ જ્ઞાન બુદ્ધિ માં બેસતું નથી. કોઈ ને સમજાવી નથી શકતાં. શ્રીમત ને ઉઠાવતા નથી તો શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બની નથી શકતાં. જે સમજતા જ નથી તે શું પદ મેળવશે. જેટલી સર્વિસ કરશે - એટલું ઊંચ પદ મેળવશે. બાપે કહ્યું છે - હાડકા-હાડકા સર્વિસ (સેવા) માં આપવાના છે. ઓલ્ડરાઉન્ડ સર્વિસ કરવાની છે. બાપ ની સર્વિસ માં અમે હાડકા આપવા પણ તૈયાર છીએ. ઘણી બાળકીઓ તડપતી રહે છે - સર્વિસ માટે. બાબા અમને છોડાવો તો અમે સર્વિસ માં લાગી જઈએ, જેનાથી અનેક નું કલ્યાણ થાય. આખી દુનિયા તો શારીરિક સેવા કરે છે, એનાથી તો સીડી નીચે જ ઉતરતા આવો છો. હવે આ રુહાની સેવા થી ચઢતી કળા થાય છે. દરેક સમજી શકે છે - આ ફલાણા અમારા કરતાં વધારે સર્વિસ કરે છે. સર્વિસેબલ (સેવાધારી) સારી બાળકીઓ છે, તો સેવાકેન્દ્ર પણ સંભાળી શકે છે. ક્લાસ માં નંબરવાર બેસે છે. અહીં તો નંબરવાર નથી બેસાડતાં, ફંક થઈ જશે. સમજી તો શકે છે ને? સર્વિસ નથી કરતા તો જરુર પદ પણ ઓછું થઈ જશે. પદ નંબરવાર ઘણાં છે ને? પરંતુ તે છે સુખધામ, આ છે દુઃખધામ. ત્યાં બીમારી વગેરે કોઈ હોતી નથી. બુદ્ધિ થી કામ લેવું પડે છે. સમજવું જોઈએ અમે તો બહુ જ ઓછું પદ મેળવીશું કારણકે સર્વિસ તો કરતા નથી. સર્વિસ થી જ પદ મળી શકે છે. પોતાની તપાસ કરવી જોઈએ. દરેક પોતાની અવસ્થા ને જાણે છે. મમ્મા-બાબા પણ સર્વિસ કરતા આવ્યાં છે. સારા-સારા બાળકો પણ છે. ભલે નોકરી માં પણ છે, એમને કહેવાય છે અડધા પગાર પર પણ રજા લઈને જઈને સર્વિસ કરો, વાંધો નથી. જે બાબા નાં દિલ પર તે તાઉસી-તખ્ત પર બેસે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. એમ જ વિજય માળા માં આવી જાય છે. અર્પણ પણ થાય છે, સેવા પણ કરે છે. કોઈ તો ભલે અર્પણ થાય છે, સેવા નથી કરતાં તો પદ ઓછું થઈ જશે ને? આ રાજધાની સ્થાપન થાય છે શ્રીમત થી. આવું ક્યારેય સાંભળ્યું? અથવા ભણતર થી રાજાઈ સ્થાપન થાય છે આ ક્યારેય સાંભળ્યું, ક્યારેય જોયું? હા, દાન-પુણ્ય કરવાથી રાજા નાં ઘરે જન્મ લઈ શકે છે. બાકી ભણતર થી રાજાઈ પદ મેળવીએ, એવું તો ક્યારેય સાંભળ્યું નહીં હશે. કોઈને ખબર પણ નથી. બાપ સમજાવે છે તમે જ પૂરાં ૮૪ જન્મ લીધાં છે. તમારે હવે ઉપર જવાનું છે. છે બહુજ સરળ. તમે કલ્પ-કલ્પ સમજો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ યાદ-પ્યાર પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર આપે છે, બહુજ યાદ-પ્યાર એમને આપશે જે સેવા માં છે. તો પોતાની તપાસ કરવાની છે કે હું દિલ પર ચઢેલો છું? માળા નો દાણો બની શકું છું? અભણ જરુર ભણેલાઓ ની આગળ નમશે. બાપ તો સમજાવે છે બાળકો પુરુષાર્થ કરે, પરંતુ ડ્રામા માં પાર્ટ નથી તો પછી કેટલું પણ માથું મારો, ચઢતાં જ નથી. કોઈ ન કોઈ ગ્રહચારી લાગી જાય છે. દેહ-અભિમાન થી જ પછી બીજા વિકાર આવે છે. મુખ્ય સખત (કઠોર) બીમારી દેહ-અભિમાન ની છે. સતયુગ માં દેહ-અભિમાન નું નામ જ નહીં હશે. ત્યાં તો છે જ તમારી પ્રારબ્ધ. આ અહીં જ બાપ સમજાવે છે. બીજું કોઈ આવી શ્રીમત આપતા નથી કે પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. આ મુખ્ય વાત છે. લખવું જોઈએ - નિરાકાર ભગવાન કહે છે મુજ એક ને યાદ કરો. પોતાને આત્મા સમજો. પોતાનાં દેહ ને પણ યાદ ન કરો. જેમ ભક્તિ માં પણ એક શિવ ની જ પૂજા કરો છો. હવે જ્ઞાન પણ ફક્ત હું જ આપું છું. બાકી બધી છે ભક્તિ, અવ્યભિચારી જ્ઞાન એક જ શિવબાબા દ્વારા તમને મળે છે. આ જ્ઞાનસાગર થી રત્ન નીકળે છે. તે સાગર ની વાત નથી. આ જ્ઞાન નાં સાગર આપ બાળકો ને જ્ઞાન-રત્ન આપે છે, જેનાથી તમે દેવતા બનો છો. શાસ્ત્રો માં તો શું-શું લખી દીધું છે. સાગર માંથી દેવતા નીકળ્યાં પછી રત્ન આપ્યાં. આ જ્ઞાનસાગર આપ બાળકો ને રત્ન આપે છે. તમે જ્ઞાન-રત્ન ચણો છો. પહેલાં પથ્થર ચણતાં હતાં, તો પથ્થર બુદ્ધિ બની ગયાં. હવે રત્ન ચણવાથી તમે પારસ બુદ્ધિ બની જાઓ છો. પારસનાથ બનો છો ને? આ પારસનાથ (લક્ષ્મી-નારાયણ) વિશ્વ નાં માલિક હતાં. ભક્તિમાર્ગ માં તો અનેક નામ, અનેક ચિત્ર બનાવી રાખ્યાં છે. હકીકત માં લક્ષ્મી-નારાયણ કે પારસનાથ એક જ છે. નેપાળ માં પશુપતિનાથ નો મેળો લાગે છે, તે પણ પારસનાથ જ છે. અચ્છા!

મીઠાં-મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપે જે જ્ઞાન-રત્ન આપ્યાં છે, એ જ ચણવાના છે. પથ્થર નહીં. દેહ-અભિમાન ની સખત બીમારી થી સ્વયં ને બચાવવાના છે.

2. પોતાની બેટરી ફુલ ચાર્જ કરવા માટે પાવર હાઉસ (સર્વશક્તિમાન્) બાપ સાથે યોગ લગાવવાનો છે. આત્મ-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. નિર્ભય રહેવાનું છે.

વરદાન :-
દાતાપણા ની ભાવના દ્વારા ઈચ્છા માત્રમ્ અવિદ્યા ની સ્થિતિ નો અનુભવ કરવા વાળા તૃપ્ત આત્મા ભવ

સદા એક લક્ષણ હોય કે અમારે દાતા નાં બાળકો બની સર્વ આત્માઓ ને આપવાનું છે દાતાપણા ની ભાવના રાખવાથી સંપન્ન આત્મા થઈ જશો અને જે સંપન્ન હશે તે સદા તૃપ્ત હશે. હું આપવા વાળા દાતા નું બાળક છું - આપવું જ લેવું છે આ જ ભાવના સદા નિર્વિઘ્ન, ઈચ્છા માત્રમ્ અવિદ્યા ની સ્થિતિ નો અનુભવ કરાવે છે. સદા એક લક્ષણ ની તરફ જ નજર રહે, તે લક્ષ છે બિંદુ, બીજી કોઈ પણ વાતો નાં વિસ્તાર ને જોવા છતાં ન જુઓ, સાંભળવા છતાં પણ ન સાંભળો.

સ્લોગન :-
બુદ્ધિ અથવા સ્થિતિ જો કમજોર છે તો એનું કારણ છે વ્યર્થ સંકલ્પ.

અવ્યક્ત ઇશારા - હવે સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો

કર્માતીત બનવા માટે કર્મો નાં હિસાબ-કિતાબ થી મુક્ત બનો. સેવા માં પણ સેવા નાં બંધન માં બંધાવવા વાળા સેવાધારી નથી. બંધનમુક્ત બની સેવા કરો અર્થાત્ હદ ની રોયલ ઈચ્છાઓ થી મુક્ત બનો. જેવી રીતે દેહ નું બંધન, દેહ નાં સંબંધ નું બંધન, એવી રીતે સેવા માં સ્વાર્થ - આ પણ બંધન કર્માતીત બનવામાં વિઘ્ન નાખે છે. કર્માતીત બનવું અર્થાત્ આ રોયલ હિસાબ-કિતાબ થી મુક્ત.