07-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
અવિનાશી જ્ઞાન - રત્ન ધારણ કરી હવે તમારે ફકીર થી અમીર બનવાનું છે , તમે આત્મા છો
રુપ - વસંત”
પ્રશ્ન :-
કઈ શુભ ભાવના રાખી પુરુષાર્થ માં સદા તત્પર રહેવાનું છે?
ઉત્તર :-
સદા આ જ શુભ ભાવના રાખવાની છે કે આપણે આત્મા સતોપ્રધાન હતાં, આપણે જ બાપ પાસે થી
શક્તિ નો વારસો લીધો હતો હવે ફરી થી લઈ રહ્યાં છીએ. આ જ શુભ ભાવના થી પુરુષાર્થ કરી
સતોપ્રધાન બનવાનું છે. એવું નથી વિચારવાનું કે બધા સતોપ્રધાન થોડી બનશે? ના, યાદ ની
યાત્રા પર રહેવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે, સર્વિસ (સેવા) થી તાકાત લેવાની છે.
ગીત :-
ઇસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
આ છે ભણતર.
દરેક વાત સમજવાની છે બીજા જે પણ સત્સંગ વગેરે છે, તે બધા છે ભક્તિ નાં. ભક્તિ
કરતાં-કરતાં બેગર (કંગાળ) બની ગયા છે. તે બેગર્સ ફકીર બીજા છે, તમે બીજા પ્રકાર નાં
બેગર્સ છો. તમે અમીર હતાંં, હમણાં ફકીર બન્યાં છો. આ કોઈને પણ ખબર નથી કે આપણે અમીર
હતાંં, તમે બ્રાહ્મણ જાણો છો - અમે વિશ્વ નાં માલિક અમીર હતાંં. અમીરચંદ થી ફકીરચંદ
બન્યાં છીએ. હવે આ છે ભણતર, જેને સારી રીતે ભણવાનું છે, ધારણ કરવાનું છે અને ધારણ
કરાવવાની કોશિશ કરવાની છે. અવિનાશી જ્ઞાન-રત્ન ધારણ કરવાના છે. આત્મા રુપ વસંત છે
ને? આત્મા જ ધારણ કરે છે, શરીર તો વિનાશી છે. કામ ની જે વસ્તુ નથી હોતી, તેને
બાળવામાં આવે છે. શરીર પણ કામ નું નથી રહેતું તો તેને આગ માં બાળે છે. આત્મા ને તો
નથી બાળતાં. આપણે આત્મા છીએ, જ્યાર થી રાવણ રાજ્ય થયું છે તો મનુષ્ય દેહ-અભિમાન માં
આવી ગયા છે. હું શરીર છું, આ પાક્કું થઈ જાય છે. આત્મા તો અમર છે. અમરનાથ બાપ આવીને
આત્માઓ ને અમર બનાવે છે. ત્યાં તો પોતાનાં સમય પર પોતાની મરજી થી એક શરીર છોડી બીજું
લે છે કારણકે આત્મા માલિક છે. જ્યારે ઈચ્છે શરીર છોડે. ત્યાં શરીર નું આયુષ્ય લાંબુ
હોય છે. સાપ નું દૃષ્ટાંત છે. હમણાં તમે જાણો છો આ તમારા અનેક જન્મો નાં અંત નાં
જન્મ ની જૂની ખાલ (જૂનું શરીર) છે. ૮૪ જન્મ પૂરાં લીધાં છે. કોઈ નાં ૬૦-૭૦ જન્મ પણ
છે, કોઈ નાં ૫૦ છે, ત્રેતા માં જરુર આયુષ્ય થોડું-થોડું ઓછું થઈ જાય છે. સતયુગ માં
ફુલ (પૂરું) આયુષ્ય હોય છે. હમણાં પુરુષાર્થ કરવાનો છે કે આપણે પહેલાં-પહેલાં સતયુગ
માં આવીએ. ત્યાં તાકાત રહે છે તો અકાળે મૃત્યુ નથી થતું. તાકાત ઓછી થાય છે તો પછી
આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. હવે જેમ બાપ સર્વશક્તિમાન્ છે, તમારા આત્મા ને પણ
શક્તિવાન્ બનાવે છે. એક તો પવિત્ર બનવાનું છે અને યાદ માં રહેવાનું છે ત્યારે શક્તિ
મળે છે. બાપ પાસે થી શક્તિ નો વારસો લો છો. પાપા આત્મા તો શક્તિ લઈ ન શકે. પુણ્ય
આત્મા બને છે તો શક્તિ મળે છે. આ વિચાર કરો - આપણો આત્મા સતોપ્રધાન હતો. હંમેશા શુભ
ભાવના રાખવી જોઈએ. એવું નહીં કે બધા થોડી સતોપ્રધાન થશે? કોઈ તો સતો પણ હશે ને? ના,
પોતાને સમજવું જોઈએ અમે પહેલાં-પહેલાં સતોપ્રધાન હતાંં. નિશ્ચય થી જ સતોપ્રધાન બનશો.
એવું નહીં કે અમે કેવી રીતે સતોપ્રધાન બની શકીશું? પછી ખસી જાય છે. યાદ ની યાત્રા
પર નથી રહેતાં. જેટલું થઈ શકે પુરુષાર્થ કરવો જોઈએ. સ્વયં ને આત્મા સમજી સતોપ્રધાન
બનવાનું છે. આ સમયે બધા મનુષ્ય માત્ર તમોપ્રધાન છે. તમારો આત્મા પણ તમોપ્રધાન છે.
આત્મા ને હવે સતોપ્રધાન બનવાનું છે બાપની યાદ થી. સાથે-સાથે સર્વિસ પણ કરશો તો
તાકાત મળશે. સમજો કોઈ સેવાકેન્દ્ર ખોલે છે તો અનેક નાં આશીર્વાદ તેમનાં મસ્તક પર
આવશે. મનુષ્ય ધર્મશાળા બનાવે છે કે કોઈ પણ આવે વિશ્રામ મેળવે. આત્મા ખુશ થશે ને?
રહેવાવાળા ને આરામ મળે છે. તો તેનાં આશીર્વાદ બનાવવા વાળા ને મળે છે. પછી પરિણામ
શું થશે? બીજા જન્મ માં તે સુખી રહેશે. મકાન સારું મળશે. મકાન નું સુખ મળશે. એવું
નથી કે ક્યારેય બીમાર નહીં થશે. ફક્ત મકાન સારું મળશે. હોસ્પિટલ ખોલી હશે તો
તંદુરસ્તી સારી રહેશે. યુનિવર્સિટી ખોલી હશે તો ભણતર સારું રહેશે. સ્વર્ગ માં તો આ
હોસ્પિટલ વગેરે હોતી નથી. અહીં તમે પુરુષાર્થ થી ૨૧ જન્મો માટે પ્રારબ્ધ બનાવો છો.
બાકી ત્યાં હોસ્પિટલ, કોર્ટ, પોલીસ વગેરે કાંઈ નહીં હશે. હવે તમે ચાલો છો સુખધામ
માં. ત્યાં વજીર પણ હોતાં નથી. ઊંચા માં ઊંચા સ્વયં મહારાજા-મહારાણી, એ વજીર ની
સલાહ થોડી લેશે? સલાહ ત્યારે મળે છે જ્યારે બેઅક્કલ બને છે, જ્યારે વિકારો માં પડે
છે. રાવણ રાજ્ય માં બિલકુલ જ બેઅક્કલ તુચ્છબુદ્ધિ બની જાય છે એટલે વિનાશ નો રસ્તો
શોધતાં રહે છે. પોતે સમજે છે અમે વિશ્વ ને ખૂબ ઊંચુ બનાવીએ છીએ પરંતુ તે વધારે જ
નીચે પડતા જાય છે. હવે વિનાશ સામે છે.
આપ બાળકો જાણો છો આપણે
ઘરે જવાનું છે. આપણે ભારત ની સેવા કરી દૈવી રાજ્ય સ્થાપન કરીએ છીએ. પછી આપણે રાજ્ય
કરીશું. ગવાય પણ છે ફોલો ફાધર (બાપનું અનુકરણ કરો). ફાધર શોઝ સન, સન શોઝ ફાધર. બાળકો
જાણે છે - આ સમયે શિવબાબા બ્રહ્મા નાં તન માં આવીને અમને ભણાવે છે. સમજાવવા નું પણ
આવી રીતે છે. અમે બ્રહ્મા ને ભગવાન કે દેવતા વગેરે નથી માનતાં. આ તો પતિત હતાંં,
બાપે પતિત શરીર માં પ્રવેશ કર્યો છે. ઝાડ માં જુઓ ઉપર માં ચોટલી માં ઉભા છે ને?
પતિત છે પછી નીચે પાવન બનવા માટે તપસ્યા કરી પછી દેવતા બને છે. તપસ્યા કરવા વાળા છે
બ્રાહ્મણ. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ બધા રાજયોગ શીખી રહ્યાં છો. કેટલું ક્લિયર (સ્પષ્ટ)
છે. આમાં યોગ ખૂબ સારો જોઈએ. યાદ માં નહીં રહેશે તો મોરલી માં પણ તે તાકાત નહીં
રહેશે. તાકાત મળે છે શિવબાબા ની યાદ માં. યાદ થી જ સતોપ્રધાન બનશે, નહીં તો સજાઓ
ખાઈને પછી ઓછું પદ મેળવી લેશે. મૂળ વાત છે યાદ ની, જેને જ ભારત નો પ્રાચીન યોગ
કહેવાય છે. નોલેજ ની કોઈને ખબર નથી. પહેલાં નાં ઋષિ-મુનિ કહેતા હતાંં - રચયિતા અને
રચના નાં આદિ-મધ્ય-અંત ને અમે નથી જાણતાં. તમે પણ પહેલાંં કાંઈ નહોતાં જાણતાં. આ ૫
વિકારોએ જ તમને બિલકુલ વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બનાવ્યાંં છે. હવે આ જૂની દુનિયા
બળીને બિલકુલ ખતમ થઈ જવાની છે. કાંઈ પણ રહેવાનું નથી. તમે બધા નંબરવાર પુરુષાર્થ
અનુસાર ભારત ને સ્વર્ગ બનાવવાની તન-મન-ધન થી સેવા કરો છો. પ્રદર્શન માં પણ તમને પૂછે
છે તો બોલો અમે બી.કે. પોતાનાં જ તન-મન-ધન થી શ્રીમત પર સેવા કરી રામરાજ્ય સ્થાપન
કરી રહ્યાં છીએ. ગાંધીજી તો એવું નહોતાં કહેતાં કે શ્રીમત પર અમે રામરાજ્ય સ્થાપન
કરીએ છીએ. અહીં તો આમનાં માં શ્રી શ્રી ૧૦૮, બાપ બેઠાં છે. ૧૦૮ ની માળા પણ બનાવે
છે. માળા તો મોટી બને છે. એમાં ૮-૧૦૮ સારી મહેનત કરે છે. નંબરવાર તો ઘણાં છે, જે
સારી મહેનત કરે છે. રુદ્ર યજ્ઞ થાય છે તો સાલિગ્રામો ની પણ પૂજા થાય છે. જરુર કાંઈક
સર્વિસ કરી છે ત્યારે તો પૂજા થાય છે. તમે બ્રાહ્મણ રુહાની સેવાધારી છો. બધાનાં
આત્માઓ ને જગાડવા વાળા છો. હું આત્મા છું, આ ભૂલવાથી દેહ-અભિમાન આવી જાય છે. સમજે
છે હું ફલાણો છું. કોઈને પણ આ ખબર થોડી છે - હું આત્મા છું, ફલાણું નામ તો આ શરીર
નું છે. આપણે આત્મા ક્યાંથી આવીએ છીએ - આ જરા પણ કોઈને વિચાર નથી આવતો. અહીં પાર્ટ
ભજવતા-ભજવતા શરીર નું ભાન પાક્કું થઈ ગયું છે. બાપ સમજાવે છે-બાળકો, હવે ગફલત છોડો.
માયા ખૂબ જબરજસ્ત છે, તમે યુદ્ધ નાં મેદાન માં છો. તમે આત્મ-અભિમાની બનો. આત્માઓ અને
પરમાત્મા નો આ મેળો છે. ગાયન છે આત્મા-પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ. આનો પણ અર્થ તે
નથી જાણતાં. તમે હમણાં જાણો છો-આપણે આત્માઓ બાપ ની સાથે રહેવા વાળા છીએ. તે આત્માઓ
નું ઘર છે ને? બાપ પણ ત્યાં છે, એમનું નામ છે શિવ. શિવ જયંતિ પણ ગવાય છે, બીજું કોઈ
નામ આપવું જ ન જોઈએ. બાપ કહે છે-મારું અસલી નામ છે કલ્યાણકારી શિવ. કલ્યાણકારી
રુદ્ર નહીં કહેવાશે. કલ્યાણકારી શિવ કહેવાય છે. કાશી માં પણ શિવ નું મંદિર છે ને?
ત્યાં જઈને સાધુ લોકો મંત્ર જપે છે. શિવ કાશી વિશ્વનાથ ગંગા. હવે બાપ સમજાવે છે શિવ
જે કાશી નાં મંદિર માં બેસાડ્યાં છે, એમને કહે છે - વિશ્વનાથ. હવે હું તો વિશ્વનાથ
નથી. વિશ્વ નાં નાથ તમે બનો છો. હું બનતો જ નથી. બ્રહ્મ તત્વ નાં નાથ પણ તમે બનો
છો. તમારું તે ઘર છે. આ રાજધાની છે. મારું ઘર તો એક જ બ્રહ્મ તત્વ છે. હું સ્વર્ગ
માં આવતો નથી. નથી હું નાથ બનતો. મને કહે જ છે શિવબાબા. મારો પાર્ટ જ છે પતિતો ને
પાવન બનાવવા નો. સિક્ખ લોકો પણ કહે છે મૂત પલીતી કપડ ધોયે… પરંતુ અર્થ નથી સમજતાં.
મહિમા પણ ગાય છે એકોઅંકાર… અજોની એટલે જન્મ-મરણ રહિત. હું તો ૮૪ જન્મ લેતો નથી. હું
આમનાં માં પ્રવેશ કરું છું. મનુષ્ય ૮૪ જન્મ લે છે. આમનો આત્મા જાણે છે - બાબા મારી
સાથે બેઠેલાં છે તો પણ ઘડી-ઘડી યાદ ભૂલાઈ જાય છે. આ દાદા નો આત્મા કહે છે મારે બહુ
જ મહેનત કરવી પડે છે. એવું નથી કે મારી સાથે બેઠાં છે તો યાદ સારી રહે છે. ના. એકદમ
સાથે છીએ. જાણું છું મારી પાસે છે. આ શરીર નાં જાણે એ માલિક છે. છતાં પણ ભૂલી જાઉં
છું. બાબા ને આ (શરીર) મકાન આપ્યું છે રહેવા માટે. બાકી એક ખૂણા માં હું બેઠો છું.
મોટા વ્યક્તિ થયા ને? વિચાર કરું છું, બાજુ માં માલિક બેઠાં છે. આ રથ એમનો છે. એ આની
સંભાળ કરે છે. મને શિવબાબા ખવડાવે પણ છે. હું એમનો રથ છું. કાંઈક તો ખાતરી કરશે. આ
ખુશી માં ખાઉં છું. બે-ચાર મિનિટ પછી ભૂલી જાઉં છું, ત્યારે સમજુ છું બાળકો ને કેટલી
મહેનત થશે એટલે બાબા સમજાવતા રહે છે-જેટલું બની શકે બાપ ને યાદ કરો. ખૂબ-ખૂબ ફાયદો
છે. અહીં તો થોડી વાત માં હેરાન થઈ જાય છે પછી ભણવાનું છોડી દે છે. બાબા-બાબા કહી
ફારકતી આપી દે છે. બાપ ને પોતાનાં બનાવન્તી, જ્ઞાન સુનાવન્તી, પશન્તી, દિવ્ય દૃષ્ટિ
થી સ્વર્ગ દેખન્તી, રાસ કરન્તી, ઓહો મમ માયા મને ફારકતી દેવન્તી, ભાગન્તી. જે વિશ્વ
નાં માલિક બનાવે એમને ફારકતી આપી દે છે. મોટા-મોટા નામીગ્રામી પણ ફારકતી આપી દે છે.
હવે તમને રસ્તો
બતાવાય છે. એવું નથી કે હાથ થી પકડીને લઈ જશે. આ આંખો થી તો આંધળા નથી. હાં જ્ઞાન
નું ત્રીજું નેત્ર તમને મળે છે. તમે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. આ ૮૪ નું
ચક્ર બુદ્ધિ માં ફરવું જોઈએ. તમારું નામ છે સ્વદર્શન ચક્રધારી. એક બાપ ને જ યાદ
કરવાના છે. બીજા કોઈની યાદ ન રહે. અંત માં આ અવસ્થા રહે. જેમ સ્ત્રી નો પુરુષ સાથે
પ્રેમ રહે છે. તેમનો છે શારીરિક પ્રેમ, અહીં તમારો છે રુહાની પ્રેમ. તમારે
ઉઠતાં-બેસતાં, પતિઓ નાં પતિ, બાપો નાં બાપ ને યાદ કરવાના છે. દુનિયામાં એવાં ઘણાં
ઘર છે જ્યાં સ્ત્રી-પુરુષ તથા પરિવાર પરસ્પર ખૂબ પ્ર્રેમ થી રહે છે. ઘર માં જાણે
સ્વર્ગ લાગે છે. ૫-૬ બાળકો એકસાથે રહે, સવારે જલ્દી ઉઠી પૂજા માં બેસે, કોઈ ઝઘડો
વગેરે ઘર માં નથી. એકરસ રહે છે. ક્યાંક તો પછી એક જ ઘર માં કોઈ રાધાસ્વામી નાં
શિષ્ય હશે તો કોઈ પછી ધર્મ ને જ નથી માનતાં. થોડી વાત પર નારાજ થઈ જાય છે. તો બાપ
કહે છે-આ અંતિમ જન્મ માં પૂરો પુરુષાર્થ કરવાનો છે. પોતાનાં પૈસા પણ સફળ કરી પોતાનું
કલ્યાણ કરો. તો ભારત નું પણ કલ્યાણ થશે. તમે જાણો છો-આપણે પોતાની રાજધાની શ્રીમત પર
ફરીથી સ્થાપન કરીએ છીએ. યાદ ની યાત્રા થી અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણવા થી
આપણે ચક્રવર્તી રાજા બની જઈશું પછી ઉતરવાનું શરું થશે. પછી અંત માં બાબા ની પાસે આવી
જઈશું. શ્રીમત પર ચાલવા થી જ ઊંચ પદ મેળવીશું. બાપ કોઈ ફાંસી પર નથી ચઢાવતાં. એક તો
કહે છે પવિત્ર બનો અને બાપ ને યાદ કરો. સતયુગ માં પતિત કોઈ હોતાં નથી. દેવી-દેવતાઓ
પણ ખૂબ થોડા હોય છે. પછી ધીરે-ધીરે વૃદ્ધિ થાય છે. દેવતાઓ નું છે નાનું ઝાડ. પછી
કેટલી વૃદ્ધિ થઈ જાય છે. આત્માઓ બધા આવતા રહે છે, આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
સેવાધારી બની આત્માઓ ને જગાડવાની સેવા કરવાની છે. તન-મન-ધન થી સેવા કરી શ્રીમત પર
રામરાજ્ય ની સ્થાપના નાં નિમિત્ત બનવાનું છે.
2. સ્વદર્શન ચક્રધારી
બની ૮૪ નું ચક્ર બુદ્ધિ માં ફેરવવાનું છે. એક બાપ ને જ યાદ કરવાના છે. બીજા કોઈની
યાદ ન રહે. ક્યારેય કોઈ વાત થી હેરાન થઈ ભણતર નથી છોડવાનું.
વરદાન :-
સંગઠન માં
રહેતાં લક્ષ અને લક્ષણ ને સમાન બનાવવા વાળા સદા શક્તિશાળી આત્મા ભવ
સંગઠન માં એક-બીજા ને
જોઈને ઉમંગ-ઉત્સાહ પણ આવે છે તો અલબેલાપણું પણ આવે છે. વિચારે છે આ પણ કરે છે, અમે
પણ કર્યુ તો શું થયું એટલે સંગઠન થી શ્રેષ્ઠ બનવાનો સહયોગ લો. દરેક કર્મ કરતા પહેલાં
આ વિશેષ અટેન્શન અથવા લક્ષ હોય કે મારે સ્વયં ને સંપન્ન બનાવી ઉદાહરણ બનવાનું છે.
મારે કરીને બીજાઓ ને કરાવવાનું છે. પછી વારંવાર આ લક્ષ ને ઈમર્જ કરો. લક્ષ અને
લક્ષણ ને મળાવતા ચાલો તો શક્તિશાળી બની જશો.
સ્લોગન :-
લાસ્ટ માં
ફાસ્ટ જવું છે તો સાધારણ અને વ્યર્થ સંકલ્પ માં સમય ન ગુમાવો.
અવ્યક્ત ઈશારા -
સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો .
જે પ્રિય હોય છે, તેને
યાદ કરાતા નથી, તેની યાદ સ્વતઃ આવે છે. ફક્ત પ્રેમ દિલ નો હોય, સાચ્ચો અને
નિઃસ્વાર્થ હોય. જ્યારે કહો છો મારા બાબા, પ્યારા બાબા, તો પ્યારા ને ક્યારેય ભૂલી
નથી શકાતાં અને નિઃસ્વાર્થ પ્રેમ બાપ સિવાય કોઈ આત્મા પાસે થી મળી નથી શકતો એટલે
ક્યારેય મતલબ થી યાદ ન કરો, નિઃસ્વાર્થ પ્રેમ માં લવલીન રહો.
વિશેષણ સૂચના
બાબા ની શ્રીમત અનુસાર, મોરલી ફક્ત બાબા નાં બાળકો માટે છે, નહીં કે એ આત્માઓ માટે
જેમણે રાજયોગ નો કોર્સ પણ નથી કર્યો. એટલે બધા નિમિત્ત ટીચર્સ તથા ભાઈ-બહેનો ને
નમ્ર નિવેદન છે કે સાકાર મોરલી નાં ઓડિયો કે વીડિયો ને યુટયુબ, ફેસબુક,
ઇન્સ્ટાગ્રામ કે કોઈપણ વ્હોટ્સેપ ગ્રુપ પર પોસ્ટ ન કરે.