08-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
દેહી - અભિમાની બનો તો બધી બીમારીઓ ખતમ થઈ જશે અને તમે ડબલ સિરતાજ વિશ્વ નાં માલિક
બની જશો”
પ્રશ્ન :-
બાપ ની સન્મુખ કયા
બાળકોએ બેસવું જોઈએ?
ઉત્તર :-
જેમને જ્ઞાન-ડાન્સ કરતા આવડે છે. જ્ઞાન-ડાન્સ કરવા વાળા બાળકો જ્યારે બાપ ની સન્મુખ
હોય છે તો બાબા ની મોરલી પણ એવી ચાલે છે. જો કોઈ સામે બેસીને આમ-તેમ જુએ છે તો બાબા
સમજે છે આ બાળક કાંઈ પણ સમજતો નથી. બાબા બ્રાહ્મણીઓ ને પણ કહેશે તમે આ કોને લાવ્યાં
છો, જે બાબા ની સામે પણ બગાસા ખાય છે. બાળકો ને તો એવાં બાપ મળ્યાં છે, જે ખુશી માં
ડાન્સ કરવો જોઈએ.
ગીત :-
દૂર દેશ કા
રહને વાલા...
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાળકો સમજે છે કે રુહાની બાબા જેમને અમે યાદ કરતા
આવ્યાં છે, દુ:ખહર્તા, સુખકર્તા તથા તુમ માત-પિતા… ફરી થી આવીને અમને સુખ ઘનેરા આપો,
અમે દુ:ખી છીએ, આ આખી દુનિયા દુ:ખી છે કારણકે આ છે કળિયુગી જૂની દુનિયા. જૂની દુનિયા
અથવા જૂનાં ઘર માં એટલું સુખ ન હોય શકે, જેટલું નવી દુનિયા, નવાં ઘર માં હોય છે. આપ
બાળકો સમજો છો આપણે વિશ્વ નાં માલિક આદિ સનાતન દેવી-દેવતા હતાં, આપણે જ ૮૪ જન્મ લીધાં
છે. બાપ કહે છે બાળકો, તમે પોતાનાં જન્મો ને નથી જાણતા કે કેટલાં જન્મ પાર્ટ ભજવ્યો
છે? મનુષ્ય સમજે છે ૮૪ લાખ પુનર્જન્મ છે. એક-એક પુનર્જન્મ કેટલાં વર્ષ નો હોય છે.
૮૪ લાખ નાં હિસાબ થી તો સૃષ્ટિ ચક્ર ખૂબ મોટું થઈ જાય. આપ બાળકો જાણો છો આપણા
આત્માઓ નાં બાપ આપણને ભણાવવા આવ્યાં છે. આપણે પણ દૂર દેશ નાં રહેવા વાળા છીએ. આપણે
કોઈ અહીંયા નાં રહેવા વાળા નથી. અહીં આપણે પાર્ટ ભજવવા આવ્યાં છીએ. બાપ ને પણ આપણે
પરમધામ માં યાદ કરીએ છીએ. હમણાં આ પારકા દેશ માં આવ્યાં છીએ. શિવ ને બાબા કહેવાશે.
રાવણ ને બાબા નહીં કહેવાશે. ભગવાન ને બાબા કહેવાશે. બાપ ની મહિમા અલગ છે, ૫ વિકારો
ની કોઈ મહિમા કરશે શું? દેહ-અભિમાન તો ખૂબ મોટી બીમારી છે. આપણે દેહી-અભિમાની બનીશું
તો કોઈ બીમારી નહીં રહેશે અને આપણે વિશ્વ નાં માલિક બની જઈશું. આ વાતો તમારી બુદ્ધિ
માં છે. તમે જાણો છો શિવબાબા આપણને આત્માઓ ને ભણાવે છે. જે પણ બીજા આટલાં સત્સંગ
વગેરે છે, ક્યાંય પણ એવું નહીં સમજશે કે અમને બાબા આવીને રાજયોગ શીખવાડશે. રાજાઈ
માટે ભણાવશે. રાજા બનાવવા વાળા તો રાજા જ જોઈએ ને? સર્જન ભણાવીને આપ સમાન સર્જન
બનાવશે. અચ્છા, ડબલ સિરતાજ (ડબલ તાજધારી) બનાવવા વાળા ક્યાંથી આવશે, જે આપણને ડબલ
સિરતાજ બનાવે એટલે મનુષ્યોએ પછી ડબલ સિરતાજ શ્રીકૃષ્ણ ને રાખી દીધાં છે. પરંતુ
શ્રીકૃષ્ણ કેવી રીતે ભણાવશે? જરુર બાપ સંગમ પર આવ્યાં હશે, આવીને રાજાઈ સ્થાપન કરી
હશે. બાપ કેવી રીતે આવે છે, આ તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિ માં નહીં હશે. દૂરદેશ
થી બાપ આવીને આપણને ભણાવે છે, રાજયોગ શીખવાડે છે. બાપ કહે છે મને કોઈ લાઈટ (પ્રકાશ)
કે રત્નજડિત તાજ નથી. એ ક્યારેય રાજાઈ મેળવતા નથી. ડબલ સિરતાજ બનતા નથી, બીજાઓ ને
બનાવે છે. બાપ કહે છે હું જો રાજા બનત તો પછી રંક (ગરીબ) પણ બનવું પડત. ભારતવાસી
રાવ હતાં, હમણાં રંક છે. તમે પણ ડબલ સિરતાજ બનો છો તો તમને બનાવવા વાળા પણ ડબલ
સિરતાજ હોવા જોઈએ, જે પછી તમારો યોગ પણ લાગે. જે જેવાં હશે એવાં આપ સમાન બનાવશે.
સંન્યાસી કોશિશ કરી સંન્યાસી બનાવશે. તમે ગૃહસ્થી, તે સંન્યાસી તો પછી તમે ફોલોઅર્સ
(અનુયાયી) તો થયા નહીં. કહે છે ફલાણા શિવાનંદ નાં ફોલોઅર્સ છે. પરંતુ તે સંન્યાસી
માથું ફેરવવા વાળા છે, તમે તો ફોલો કરતા નથી! તો તમે પછી ફોલોઅર્સ કેમ કહો છો?
ફોલોઅર્સ તો તે જે ઝટ કપડાં ઉતારી (બદલી) કફની પહેરી લે. તમે તો ગૃહસ્થ માં વિકારો
વગેરે માં રહો છો પછી શિવાનંદ નાં ફોલોઅર્સ કેવી રીતે કહેવાઓ છો? ગુરુ નું તો કામ
છે સદ્દગતિ કરવી. ગુરુ એવું તો નહીં કહેશે ફલાણા ને યાદ કરો. પછી તો પોતે ગુરુ ન થયાં.
મુક્તિધામ માં જવાં માટે પણ યુક્તિ જોઈએ.
આપ બાળકો ને સમજાવાય
છે, તમારું ઘર છે મુક્તિધામ અથવા નિરાકારી દુનિયા. આત્મા ને કહેવાય છે નિરાકારી
આત્મા. શરીર છે ૫ તત્વો નું બનેલું. આત્માઓ ક્યાંથી આવે છે? પરમધામ નિરાકારી દુનિયા
માંથી. ત્યાં અસંખ્ય આત્માઓ રહે છે. એને કહેવાશે સ્વીટ સાઈલેન્સ હોમ. ત્યાં આત્માઓ
દુઃખ-સુખ થી ન્યારા રહે છે. આ સારી રીતે પાક્કું કરવાનું છે. આપણે છીએ સ્વીટ
સાઈલેન્સ હોમ નાં રહેવા વાળા. અહીં આ નાટકશાળા છે જ્યાં આપણે પાર્ટ ભજવવા આવીએ છીએ.
આ નાટકશાળા માં સૂર્ય, ચંદ્ર, તારા વગેરે બત્તીઓ છે. કોઈ ગણતરી કરી ન શકે કે આ
નાટકશાળા કેટલાં માઈલ્સ ની છે. એરોપ્લેન માં ઉપર જાય છે પરંતુ એમાં પેટ્રોલ વગેરે
એટલું નથી નાખી શકતા જે જઈને પછી પાછા પણ આવે. એટલાં દૂર નથી જઈ શકતાં. તેઓ સમજે છે
આટલાં માઇલ્સ સુધી છે, પાછા નહીં આવે તો નીચે પડી જશે. સમુદ્ર કે આકાશ તત્વ નો અંત
મેળવી નથી શકતાં. હમણાં બાપ તમને પોતાનો અંત આપે છે. આત્મા આ આકાશ તત્વ થી પાર
ચાલ્યો જાય છે. કેટલું મોટું રોકેટ છે. આપ આત્માઓ જ્યારે પવિત્ર બની જશો તો પછી
રોકેટ ની જેમ તમે ઉડવા લાગી જશો. કેટલું નાનું રોકેટ છે. સૂર્ય-ચંદ્ર થી પણ પેલે
પાર મૂળવતન માં ચાલ્યાં જશો. સૂર્ય-ચંદ્ર નો અંત મેળવવા ની ખૂબ કોશિશ કરે છે. દૂર
થી તારા વગેરે કેટલાં નાનાં દેખાય છે. છે તો ખૂબ મોટાં. જેમ તમે પતંગ ઉડાડો છો તો
ઉપર કેટલો નાનો-નાનો દેખાય છે. બાપ કહે છે તમારો આત્મા તો સૌથી તીખો (તીવ્ર) છે.
સેકન્ડ માં એક શરીર માંથી નીકળી બીજા ગર્ભ માં જઈ પ્રવેશ કરે છે. કોઈ નાં કર્મો નો
હિસાબ-કિતાબ લંડન માં છે તો સેકન્ડ માં લંડન જઈને જન્મ લેશે. સેકન્ડ માં જીવનમુક્તિ
પણ ગવાયેલી છે ને? બાળક ગર્ભ માંથી નીકળ્યું અને માલિક બન્યું, વારિસ થઈ જ ગયું. આપ
બાળકોએ પણ બાપ ને જાણ્યાં એટલે વિશ્વ નાં માલિક બની ગયાં. બેહદ નાં બાપ જ આવીને તમને
વિશ્વ નાં માલિક બનાવે છે. સ્કૂલ માં બેરિસ્ટરી ભણે તો બેરિસ્ટર બનશે. અહીં તમે ડબલ
સિરતાજ બનવા માટે ભણો છો. જો પાસ થશો તો ડબલ સિરતાજ જરુર બનશો. તો પણ સ્વર્ગ માં તો
જરુર આવશો. તમે જાણો છો બાપ તો સદૈવ ત્યાં જ રહે છે. ઓ ગોડફાધર કહેશે તો પણ દૃષ્ટિ
જરુર ઉપર જશે. ગોડફાધર છે તો જરુર કાંઈક તો એમનો પાર્ટ હશે ને? હમણાં પાર્ટ ભજવી
રહ્યાં છે. એમને બાગવાન પણ કહેવાય છે. કાંટાઓથી આવીને ફૂલ બનાવે છે. તો આપ બાળકો ને
ખુશી થવી જોઈએ. બાબા આવેલા છે આ પારકા દેશ માં. દૂર દેશ નાં રહેવા વાળા આવ્યાં પારકા
દેશ માં. દૂર દેશ નાં રહેવા વાળા તો બાપ જ છે. બીજા આત્માઓ પણ ત્યાં રહે છે. અહીં
પછી પાર્ટ ભજવવા આવે છે પારકા દેશ માં - આ અર્થ કોઈ નથી જાણતું. મનુષ્ય તો
ભક્તિમાર્ગ માં જે સાંભળે છે તે સત્-સત્ કહેતાં રહે છે. આપ બાળકો ને બાપ કેટલું સારી
રીતે સમજાવે છે. આત્મા અપવિત્ર હોવાથી ઉડી નથી શકતો. પવિત્ર બન્યાં વગર પાછા જઈ ન
શકે. પતિત-પાવન એક જ બાપ ને કહેવાય છે. એમને આવવાનું પણ છે સંગમ પર. તમને કેટલી ખુશી
થવી જોઈએ! બાબા આપણને ડબલ સિરતાજ બનાવી રહ્યાં છે, આનાથી ઊંચું પદ કોઈનું હોતું નથી.
બાપ કહે છે હું ડબલ સિરતાજ બનતો નથી. હું આવું જ છું એક વાર. પારકા દેશ, પારકા શરીર
માં. આ દાદા પણ કહે છે હું શિવ થોડી છું? મને તો લખીરાજ કહેતાં હતાં પછી સરન્ડર (સમર્પણ)
થયો તો બાબાએ બ્રહ્મા નામ રાખ્યું. આમનાં માં પ્રવેશ કરી આમને કહ્યું કે તમે પોતાનાં
જન્મો ને નથી જાણતાં. ૮૪ જન્મો નો પણ હિસાબ હોવો જોઈએ ને? તે લોકો તો ૮૪ લાખ કહી દે
છે, જે બિલકુલ જ અસંભવ છે. ૮૪ લાખ જન્મો નાં રહસ્ય સમજાવવામાં જ અનેક વર્ષો લાગી
જાય. યાદ પણ રહી ન શકે. ૮૪ લાખ યોનિઓ માં તો પશુ-પક્ષી વગેરે બધા આવી જાય છે.
મનુષ્યો નો જ જન્મ દુર્લભ ગવાય છે. જનાવર થોડી નોલેજ સમજી શકશે? તમને બાપ આવીને
જ્ઞાન ભણાવે છે. સ્વયં કહે છે હું આવું છું રાવણ રાજ્ય માં. માયાએ તમને કેટલાં
પથ્થર બુદ્ધિ બનાવી દીધાં છે. હવે ફરી બાપ તમને પારસ બુદ્ધિ બનાવે છે. ઉતરતી કળા
માં તમે પથ્થર બુદ્ધિ બની ગયાં. હવે ફરી બાપ ચઢતી કળા માં લઈ જાય છે, નંબરવાર તો
હોય છે ને? દરેકે પોતાનાં પુરુષાર્થ થી સમજવાનું છે. મુખ્ય વાત છે યાદ ની. રાત્રે
જ્યારે સૂતા હોવ છો તો પણ આ વિચાર કરો. બાબા અમે તમારી યાદ માં સુઈ જઈએ છીએ. એટલે
અમે આ શરીર ને છોડી દઈએ છીએ. તમારી પાસે આવી જઈએ છીએ. આમ બાબા ને યાદ કરતાં-કરતાં
સુઈ જાઓ તો પછી જુઓ કેટલી મજા આવે છે. બની શકે છે સાક્ષાત્કાર પણ થઈ જાય. પરંતુ આ
સાક્ષાત્કાર વગેરે માં ખુશ નથી થવાનું. બાબા અમે તો તમને જ યાદ કરીએ છીએ. તમારી પાસે
આવવા ઈચ્છીએ છીએ. બાપ ને તમે યાદ કરતાં-કરતાં ખૂબ આરામ થી ચાલ્યાં જશો. થઈ શકે છે
સૂક્ષ્મવતન માં પણ ચાલ્યાં જાઓ. મૂળવતન માં તો જઈ નહીં શકશો. હજી પાછા જવાનો સમય
ક્યાં આવ્યો છે? હા, સાક્ષાત્કાર થયો બિંદુ નો પછી નાનાં-નાનાં આત્માઓ નું ઝાડ
દેખાશે. જેમ તમને વૈકુંઠ નો સાક્ષાત્કાર થાય છે ને? એવું નથી, સાક્ષાત્કાર થયો તો
તમે વૈકુંઠ માં ચાલ્યાં જશો. ના, એનાં માટે તો પછી મહેનત કરવી પડે. તમને સમજાવાય છે
કે તમે પહેલાં-પહેલાં જશો સ્વીટ હોમ. બધા આત્માઓ પાર્ટ ભજવવા થી મુક્ત થઈ જશે. જ્યાં
સુધી આત્મા પવિત્ર નથી બન્યો ત્યાં સુધી જઈ ન શકે. બાકી સાક્ષાત્કાર થી મળતું કાંઈ
પણ નથી. મીરા ને સાક્ષાત્કાર થયો, વૈકુંઠ માં ચાલી થોડી ગઈ? વૈકુંઠ તો સતયુગ માં જ
હોય છે. હમણાં તમે તૈયારી કરી રહ્યાં છો વૈકુંઠ નાં માલિક બનવા માટે. બાબા ધ્યાન
વગેરે માં એટલું જવા નથી દેતા કારણકે તમારે તો ભણવાનું છે ને? બાપ આવીને ભણાવે છે,
સર્વ ની સદ્દગતિ કરે છે. વિનાશ પણ સામે ઉભો છે. બાકી અસુરો અને દેવતાઓ ની લડાઈ તો
નથી. તે પરસ્પર લડે છે તમારા માટે કારણકે તમારા માટે નવી દુનિયા જોઈએ. બાકી તમારી
લડાઈ છે માયા ની સાથે. તમે ખૂબ પ્રસિદ્ધ યોદ્ધા છો. પરંતુ કોઈ જાણતા નથી કે દેવીઓ
આટલી કેમ ગવાય છે? હવે તમે ભારત ને યોગબળ થી સ્વર્ગ બનાવો છો. તમને હમણાં બાપ મળી
ગયા છે. તમને સમજાવતા રહે છે - જ્ઞાન થી નવી દુનિયા જિંદાબાદ થાય છે. આ
લક્ષ્મી-નારાયણ નવી દુનિયા નાં માલિક હતાં ને? હમણાં જૂની દુનિયા છે. જૂની દુનિયા
નો વિનાશ આગળ પણ મૂસળો (બોંબ) દ્વારા થયો હતો. મહાભારત લડાઈ લાગી હતી. એ સમયે બાપ
રાજયોગ પણ શીખવાડી રહ્યાં હતાં. હમણાં પ્રેક્ટિકલ માં બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે
ને? બાપ જ તમને સાચ્ચું બતાવે છે. સાચાં બાબા આવે છે તો તમે સદૈવ ખુશી માં ડાન્સ કરો
છો. આ છે જ્ઞાન-ડાન્સ. તો જે જ્ઞાન ડાન્સ નાં શોખીન છે, તેમણે જ સામે બેસવું જોઈએ.
જે સમજવા વાળા નહીં હશે, તેમને બગાસા આવશે. સમજાય છે, આ કાંઈ પણ સમજતા નથી. જ્ઞાન
ને થોડું પણ સમજશે નહીં તો આમ-તેમ જોતા રહેશે. બાબા પણ બ્રાહ્મણી ને કહેશે તમે કોને
લાવ્યાં છો? જે શીખે છે અને શીખવાડે છે તેમણે સામે બેસવું જોઈએ. તેમને ખુશી થતી
રહેશે. અમને પણ ડાન્સ કરવો છે. આ છે જ્ઞાન-ડાન્સ. શ્રીકૃષ્ણએ તો નથી જ્ઞાન સંભળાવ્યું,
નથી ડાન્સ કર્યો. મોરલી તો આ જ્ઞાન ની છે ને? તો બાપે સમજાવ્યું છે - રાત્રે સુતી
વખતે બાબા ને યાદ કરતાં, ચક્ર ને બુદ્ધિ માં યાદ કરતાં રહો. બાબા અમે હવે આ શરીર ને
છોડી તમારી પાસે આવીએ છીએ. આમ યાદ કરતાં-કરતાં સુઈ જાઓ પછી જુઓ શું થાય છે! પહેલાં
કબ્રિસ્તાન બનાવતા હતાં પછી કોઈ શાંત માં ચાલ્યાં જતા હતાં, કોઈ રાસ કરવા લાગતા હતાં.
જે બાપ ને જાણતા જ નથી, તો તે યાદ કેવી રીતે કરી શકશે? મનુષ્ય-માત્ર બાપ ને જાણતા જ
નથી તો બાપ ને યાદ કેવી રીતે કરે, ત્યારે બાપ કહે છે હું જે છું, જેવો છું, મને કોઈ
પણ નથી જાણતું.
હવે તમને કેટલી સમજ
આવી છે. તમે છો ગુપ્ત યોદ્ધા. યોદ્ધા નામ સાંભળીને દેવીઓ ને પછી તલવાર, બાણ વગેરે
આપી દીધાં છે. તમે યોદ્ધા છો યોગબળ નાં. યોગબળ થી વિશ્વ નાં માલિક બનો છો. બાહુબળ
થી ભલે કોઈ કેટલી પણ કોશિશ કરે પરંતુ જીત મેળવી ન શકે. ભારત નો યોગ પ્રસિદ્ધ છે. આ
બાપ જ આવીને શીખવાડે છે. આ પણ કોઈને ખબર નથી. ઉઠતાં-બેસતાં બાપ ને જ યાદ કરતા રહો.
કહે છે યોગ નથી લાગતો. યોગ શબ્દ ઉડાવી દો. બાળકો તો બાપ ને યાદ કરે છે ને? શિવબાબા
કહે છે મામેકમ્ યાદ કરો. હું જ સર્વશક્તિમાન્ છું, મને યાદ કરવાથી તમે સતોપ્રધાન બની
જશો. જ્યારે સતોપ્રધાન બની જશો ત્યારે પછી આત્માઓની બારાત (જાન) નીકળશે. જેમ માખીઓ
ની જાન હોય છે ને? આ છે શિવબાબા ની જાન. શિવબાબા ની પાછળ બધા આત્માઓ મચ્છરો સદૃશ્ય
ભાગશે. બાકી શરીર બધા ખતમ થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રાત્રે સુતા
પહેલાં બાબા સાથે મીઠી-મીઠી વાતો કરવાની છે. બાબા અમે આ શરીર ને છોડી તમારી પાસે
આવીએ છીએ, આમ યાદ કરીને સુવાનું છે. યાદ જ મુખ્ય છે, યાદ થી જ પારસબુદ્ધિ બનશો.
2. ૫ વિકારો ની બીમારી
થી બચવા માટે દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. અથાહ ખુશી માં રહેવાનું
છે, જ્ઞાન-ડાન્સ કરવાનો છે. ક્લાસ માં સુસ્તી નથી ફેલાવવાની.
વરદાન :-
સેવા દ્વારા
અનેક આત્માઓ નાં આશીર્વાદ પ્રાપ્ત કરી સદા આગળ વધવા વાળા મહાદાની ભવ
મહાદાની બનવું અર્થાત્
બીજાઓ ની સેવા કરવી, બીજાઓ ની સેવા કરવાથી સ્વયં ની સેવા સ્વતઃ થઈ જાય છે. મહાદાની
બનવું અર્થાત્ સ્વયં ને માલામાલ કરવા, જેટલું આત્માઓ ને સુખ, શક્તિ તથા જ્ઞાન નું
દાન આપશો એટલો આત્માઓ ની પ્રાપ્તિ નો અવાજ તથા શુક્રિયા (આભાર) જે નીકળે તે તમારા
માટે આશીર્વાદ નું રુપ થઈ જશે. આ આશીર્વાદ જ આગળ વધવાનું સાધન છે, જેમને આશીર્વાદ
મળે છે તે સદા ખુશ રહે છે. તો રોજ અમૃતવેલા મહાદાની બનવાનો પ્રોગ્રામ બનાવો. કોઈ
સમય તથા દિવસ એવો ન હોય જેમાં દાન ન થાય.
સ્લોગન :-
હમણાં નું
પ્રત્યક્ષફળ આત્મા ને ઉડતી કળા નું બળ આપે છે.
અવ્યક્ત ઈશારા -
અશરીરી તથા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો .
બાપ ની સમીપ અને સમાન
બનવા માટે દેહ માં રહેતાં વિદેહી બનવાનો અભ્યાસ કરો. જેવી રીતે કર્માતીત બનવાનું
એક્ઝામ્પલ સાકાર માં બ્રહ્મા બાપ ને જોયા, એવી રીતે ફોલો ફાધર કરો. જ્યાં સુધી આ
દેહ છે, કર્મેન્દ્રિયો ની સાથે આ કર્મક્ષેત્ર પર પાર્ટ ભજવી રહ્યાં છો, ત્યાં સુધી
કર્મ કરતા કર્મેન્દ્રિય નો આધાર લો પછી ન્યારા બની જાઓ, આ જ અભ્યાસ વિદેહી બનાવી
દેશે.