10-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાની ઉન્નતિ માટે રોજ પોતામેલ કાઢો , આખા દિવસ માં ચલન કેવી રહી , તપાસ કરો -
યજ્ઞ પ્રત્યે ઓનેસ્ટ ( ઈમાનદાર ) રહ્યાં ?”
પ્રશ્ન :-
કયા બાળકો પ્રત્યે બાપ નો બહુજ રિગાર્ડ (આદર) છે? તે રિગાર્ડ ની નિશાની શું છે?
ઉત્તર :-
જે બાળકો બાપ ની સાથે સાચાં, યજ્ઞ પ્રત્યે ઈમાનદાર છે, કાંઈ પણ છુપાવતા નથી, તે
બાળકો પ્રત્યે બાપ નો બહુ જ રિગાર્ડ છે. રિગાર્ડ હોવાનાં કારણે પુચકાર આપી ઉઠાવતા
રહે છે. સર્વિસ પર પણ મોકલી દે છે. બાળકો ને સાચ્ચું સંભળાવી ને શ્રીમત લેવાની
અક્કલ હોવી જોઈએ.
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા…
ઓમ શાંતિ!
હવે આ ગીત તો
થયું રોંગ (ખોટું) કારણકે તમે શમા તો નથી. પરમાત્મા ને હકીકત માં શમા નથી કહેવાતાં.
આ તો ભક્તોએ અનેક નામ રાખી દીધાં છે. ન જાણવાનાં કારણે કહે પણ છે - નેતિ-નેતિ, અમે
નથી જાણતા, નાસ્તિક છે. તો પણ જે નામ આવ્યું તે કહી દે છે. બ્રહ્મ, શમા, ઠીક્કર,
ભિત્તર માં પણ પરમાત્મા કહી દે છે કારણકે ભક્તિમાર્ગ માં કોઈ પણ બાપ ને યથાર્થ રીતે
જાણી નથી શકતાં. બાપે જ આવીને પોતાનો પરિચય આપવાનો છે. શાસ્ત્ર વગેરે કોઈ માં પણ
બાપ નો પરિચય નથી એટલે તેમને નાસ્તિક કહેવાય છે. હવે બાળકો ને બાપે પરિચય આપ્યો છે,
પરંતુ સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવા, આમાં બહુ જ બુદ્ધિ નું કામ છે. આ સમયે
છે પથ્થરબુદ્ધિ. આત્મા માં બુદ્ધિ છે. ઓર્ગન્સ દ્વારા ખબર પડે છે - આત્મા ની બુદ્ધિ
પારસ છે કે પથ્થર છે? બધો આધાર આત્મા પર છે. મનુષ્ય તો કહી દે છે આત્મા જ પરમાત્મા
છે. એ તો નિર્લેપ છે એટલે જે ઈચ્છો કરતા રહો. મનુષ્ય થઈને બાપ ને જ નથી જાણતાં. બાપ
કહે છે માયા રાવણે બધાની પથ્થરબુદ્ધિ બનાવી દીધી છે. દિવસે-દિવસે તમોપ્રધાન વધારે
બનતા જાય છે. માયા નું ખૂબ જોર છે, સુધરતા જ નથી. બાળકો ને સમજાવાય છે રાત્રે આખા
દિવસ નો પોતામેલ કાઢો-શું કર્યું? અમે ભોજન દેવતાઓ ની જેમ ખાધું? ચલન કાયદેસર ચાલ્યાં
કે અનાડી ની જેમ? રોજ પોતાનો પોતામેલ નહીં સંભાળશો તો તમારી ઉન્નતિ ક્યારેય નહીં થશે.
અનેક ને માયા થપ્પડ મારતી રહે છે. લખે છે કે આજે અમારો બુદ્ધિયોગ ફલાણા નાં નામ-રુપ
માં ગયો, આજે આ પાપ કર્મ થયાં. આવું સાચ્ચું લખવા વાળા કોટો માં કોઈ જ છે. બાપ કહે
છે હું જે છું, જેવો છું મને બિલકુલ નથી જાણતાં. સ્વયં ને આત્મા સમજી અને બાપ ને
યાદ કરે ત્યારે કાંઈક બુદ્ધિ માં બેશે. બાપ કહે છે ભલે સારા-સારા બાળકો છે, ખૂબ સારું
જ્ઞાન સંભળાવે છે, યોગ કાંઈ નથી. પરિચય પૂરો નથી, સમજી નથી શકતા એટલે કોઈ ને સમજાવી
નથી શકતાં. આખી દુનિયા નાં મનુષ્ય માત્ર રચયિતા અને રચના ને બિલકુલ જાણતા નથી તો
કાંઈ પણ નથી જાણતાં. આ પણ ડ્રામા માં નોંધ છે. ફરી પણ થશે. ૫ હજાર વર્ષ પછી ફરી આ
સમય આવશે અને મારે આવીને સમજાવવું પડશે. રાજાઈ લેવી ઓછી વાત નથી! બહુ જ મહેનત છે.
માયા ખૂબ (સારો) હુમલો કરે છે, મોટું યુદ્ધ ચાલે છે. બોક્સિંગ થાય છે ને? બહુ જ
હોશિયાર જે હોય છે, તેમની જ બોક્સિંગ થાય છે. છતાં પણ એક-બીજા ને બેભાન કરી દે છે
ને? કહે છે બાબા માયા નાં ખૂબ તોફાન આવે છે, આ થાય છે. તે પણ ખૂબ થોડાં સાચ્ચું લખે
છે. ઘણાં છે જે છુપાવી લે છે. સમજ નથી કે મારે બાબા ને કેવી રીતે સાચ્ચું સંભળાવવા
નું છે? શું શ્રીમત લેવાની છે? વર્ણન નથી કરી શકતાં. બાપ જાણે છે માયા બહુ જ પ્રબળ
છે. સાચ્ચું બતાવવા માં બહુ જ શરમ આવે છે, તેમનાં થી કર્મ એવાં થઈ જાય છે જે બતાવવા
માં શરમ આવે છે. બાપ તો ખૂબ રિગાર્ડ આપીને ઉઠાવે છે. આ ખૂબ સારા છે, આમને ઓલરાઉન્ડ
સર્વિસ પર મોકલી દઈશ. બસ દેહ-અહંકાર આવ્યો, માયા ની થપ્પડ ખાધી, આ પડ્યાં. બાબા તો
ઉઠાવવા માટે મહિમા પણ કરે છે. પુચકાર આપીને ઉઠાવશે. તમે તો ખૂબ સારા છો. સ્થૂળ સેવા
માં પણ સારા છો. પરંતુ યથાર્થ રીતે બતાવે છે કે મંઝિલ બહુ જ ઊંચી છે. દેહ અને દેહ
નાં સંબંધ ને છોડી સ્વયં ને અશરીરી આત્મા સમજવું-આ પુરુષાર્થ કરવો બુદ્ધિ નું કામ
છે. બધા પુરુષાર્થી છે. કેટલી મોટી (વિશાળ) રાજાઈ સ્થાપન થઈ રહી છે. બાપ નાં બધા
બાળકો પણ છે, સ્ટુડન્ટ પણ છે તો ફલોઅર્સ (અનુયાયી) પણ છે. આ આખી દુનિયાનાં બાપ છે.
બધા એ એક ને બોલાવે છે. એ આવીને બાળકો ને સમજાવતા રહે છે. તો પણ એટલો રિગાર્ડ થોડી
રહે છે? મોટા-મોટા વ્યક્તિ આવે છે, કેટલાં રિગાર્ડ થી તેમની સંભાળ કરે છે! કેટલો
ભપકો હોય છે! આ સમયે તો છે બધા પતિત. પરંતુ પોતાને સમજે થોડી છે? માયાએ બિલકુલ જ
તુચ્છ બુદ્ધિ બનાવી દીધાં છે. કહી દે છે સતયુગ ની આયુ આટલી લાંબી છે તો બાપ કહે છે
૧૦૦ ટકા બેસમજ થયા ને? મનુષ્ય થઈને બીજું શું કામ કરતા રહે છે? ૫ હજાર વર્ષ ની વાત
ને લાખો વર્ષ કહી દે છે! આ પણ બાપ આવીને સમજાવે છે. ૫ હજાર વર્ષ પહેલાં આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ દૈવીગુણ વાળા મનુષ્ય હતાં એટલે તેમને દેવતા, આસુરી
ગુણ વાળા ને અસુર કહેવાય છે. અસુર અને દેવતા માં રાત-દિવસ નો ફરક છે. કેટલી મારામારી,
ઝઘડા ચાલી રહ્યાં છે. ખૂબ તૈયારીઓ થતી રહે છે. આ યજ્ઞ માં આખી દુનિયા સ્વાહા થવાની
છે. આમનાં માટે આ બધી તૈયારીઓ જોઈએ ને? બોમ્બ્સ નીકળ્યાં તો નીકળ્યાં પછી બંધ થોડી
થઈ શકે? થોડા સમય ની અંદર બધા ની પાસે ખૂબ થઈ જશે કારણકે વિનાશ તો ફટાફટ થવો જોઈએ
ને? પછી હોસ્પિટલ વગેરે થોડી રહેશે? કોઈને ખબર પણ નહીં પડે. માસી નું ઘર થોડી છે?
વિનાશ-સાક્ષાત્કાર કોઈ પાઈ-પૈસા ની વાત નથી. આખી દુનિયાની આગ જોઈ શકશો! સાક્ષાત્કાર
થાય છે - ફક્ત આગ જ આગ લાગેલી છે. આખી દુનિયા ખતમ થવાની છે. કેટલી મોટી દુનિયા છે.
આકાશ તો નહીં બળશે. આની અંદર જે કાંઈ છે, બધું વિનાશ થવાનું છે. સતયુગ અને કળિયુગ
માં રાત-દિવસ નો ફરક છે. કેટલાં અસંખ્ય મનુષ્ય છે, જાનવર છે, કેટલી સામગ્રી છે. આ
પણ બાળકો ની બુદ્ધિ માં મુશ્કેલ બેસે છે. વિચાર કરો-૫ હજાર વર્ષ ની વાત છે. દેવી-
દેવતાઓ નું રાજ્ય હતું ને? કેટલાં થોડાં મનુષ્ય હતાં. હવે કેટલાં મનુષ્ય છે. હમણાં
છે કળિયુગ, આનો જરુર વિનાશ થવાનો છે.
હવે બાપ આત્માઓ ને કહે
છે મામેકમ્ યાદ કરો. આ પણ સમજ થી યાદ કરવાનું છે. એમ જ શિવ-શિવ તો ઘણાં કહેતાં રહે
છે. નાનાં બાળકો પણ કહી દે છે પરંતુ બુદ્ધિ માં સમજ કાંઈ નથી. અનુભવ થી નથી કહેતાં
કે એ બિંદુ છે. આપણે પણ આટલું નાનું બિંદુ છીએ. આમ સમજ થી યાદ કરવાનું છે. પહેલાં
તો હું આત્મા છું-આ પાક્કું કરો પછી બાપ નો પરિચય બુદ્ધિ માં સારી રીતે ધારણ કરો.
અંતર્મુખી બાળકો જ સારી રીતે સમજી શકે છે કે આપણે આત્મા બિંદુ છીએ. આપણા આત્મા ને
હમણાં નોલેજ મળી રહી છે કે આપણા માં ૮૪ જન્મો નો પાર્ટ કેવો ભરેલો છે, પછી કેવી રીતે
આત્મા સતોપ્રધાન બને છે. આ બધું બહુ જ અંતર્મુખી થઈ સમજવાની વાતો છે. આમાં જ સમય
લાગે છે. બાળકો જાણે છે આપણો આ અંતિમ જન્મ છે. હવે આપણે જઈએ છીએ ઘરે. આ બુદ્ધિ માં
પાક્કું હોવું જોઈએ કે આપણે આત્મા છીએ. શરીર નું ભાન ઓછું હોય ત્યારે વાતચીત કરવામાં
સુધાર થાય. નહીં તો ચલન બિલકુલ જ ખરાબ થઈ જાય છે કારણકે શરીર થી અલગ થતા નથી.
દેહ-અભિમાન માં આવીને કાંઈ ને કાંઈ કહી દે છે. યજ્ઞ સાથે (માં) તો ખૂબ ઓનેસ્ટ (ઈમાનદાર)
જોઈએ. હજી તો ખૂબ અલબેલા છે. ખાવા, પીવાનું, વાતાવરણ કાંઈ સુધાર્યુ નથી. હજી તો ખૂબ
સમય જોઈએ. સર્વિસેબલ બાળકો ને જ બાબા યાદ કરે છે, પદ પણ એ જ મેળવી શકશે. એમ જ પોતાને
ફક્ત ખુશ કરવા, તે તો ચણા ચાવવા જેવું છે. આમાં બહુ જ અંતર્મુખતા જોઈએ. સમજાવવા ની
પણ યુક્તિ જોઈએ. પ્રદર્શન માં કોઈ સમજે થોડી છે? ફક્ત કહી દે છે કે તમારી વાતો ઠીક
છે. અહીં પણ નંબરવાર છે. નિશ્ચય છે આપણે બાળક બન્યાં છીએ, બાપ પાસે થી સ્વર્ગ નો
વારસો મળે છે. જો આપણે બાપ ની પૂરી સર્વિસ કરતા રહીશું તો આપણો તો આ જ ધંધો છે. આખો
દિવસ વિચાર સાગર મંથન ચાલતું રહેશે. આ બાબા પણ વિચાર સાગર મંથન કરતા હશે ને? નહીં
તો આ પદ કેવી રીતે મેળવશે? બાળકો ને બંને સાથે સમજાવતા રહે છે. બે એન્જિન મળ્યાં છે
કારણ કે ચઢાણ ઊંચું છે ને? પહાડ પર જાય છે તો ગાડી ને બે એન્જિન લગાવે છે.
ક્યારેક-ક્યારેક ચાલતાં-ચાલતાં ગાડી ઉભી રહી જાય છે તો ખસીને નીચે ચાલ્યાં આવે છે.
મારાં બાળકો નું પણ એવું છે. ચઢતાં-ચઢતાં મહેનત કરતા-કરતા પછી ચઢાણ ચઢી નથી શકતાં.
માયા નું ગ્રહણ અથવા તોફાન લાગે છે તો એકદમ નીચે પડીને પુર્જા-પુર્જા થઈ (તૂટી-ફૂટી)
જાય છે. થોડી સર્વિસ કરી તો અહંકાર આવી જાય છે, નીચે પડી જાય છે. સમજતા નથી કે બાપ
છે, સાથે ધર્મરાજ પણ છે. જો કાંઈ એવું કરે છે તો મારા ઉપર બહુ જ ભારે દંડ પડે છે.
આનાં કરતાં તો બહાર રહે તે સારું છે. બાપ નાં બનીને પછી વારસો લેવો, માસી નું ઘર નથી.
બાપ નાં બનીને અને પછી એવું કાંઈક કરે છે તો નામ બદનામ કરી દે છે. ખૂબ માર લાગી જાય
છે. વારિસ બનવું કોઈ માસી નું ઘર થોડી છે? પ્રજા માં કોઈ એટલાં સાહૂકાર બને છે, વાત
ન પૂછો. અજ્ઞાનકાળ માં કોઈ સારા હોય છે, કોઈ કેવાં! ન-લાયક બાળકો ને તો કહી દેશે
અમારી સામે થી હટી જાઓ. અહીં એક-બે બાળકો ની તો વાત નથી. અહીં માયા ખૂબ જબરજસ્ત છે.
આમાં બાળકોએ બહુ જ અંતર્મુખ થવાનું છે. ત્યારે તમે કોઈને સમજાવી શકશો. તમારા પર
બલિહાર જશે અને પછી ખૂબ પસ્તાશે-આપણે બાપ માટે આટલી ગાળો આપતા આવ્યાં. સર્વવ્યાપી
કહેવું અથવા પોતાને ઈશ્વર કહેવું, તેમનાં માટે સજા ઓછી થોડી છે? એમ જ થોડી ચાલ્યાં
જશે? તેમનાં માટે તો વધારે જ મુસીબત છે. જ્યારે સમય આવશે તો બાપ આ બધા પાસે થી
હિસાબ લેશે. કયામત નાં સમયે બધા નો હિસાબ-કિતાબ ચૂક્તુ થાય છે ને? આમાં જ ખૂબ
વિશાળબુદ્ધિ જોઈએ.
મનુષ્ય તો જુઓ
કોને-કોને પીસ પ્રાઈઝ આપતા રહે છે. હવે હકીકત માં પીસ (શાંતિ) કરવાવાળા તો એક જ છે
ને? બાળકોએ લખવું જોઈએ-દુનિયા માં પ્યોરિટી (પવિત્રતા)-પીસ (શાંતિ)-પ્રોસપર્ટી (સમૃદ્ધિ)
ભગવાન ની શ્રીમત પર સ્થાપન થઈ રહી છે. શ્રીમત તો પ્રખ્યાત છે. શ્રીમત ભગવત્ ગીતા
શાસ્ત્ર ને કેટલો રિગાર્ડ આપે છે? કોઈએ કોઈ નાં શાસ્ત્ર કે મંદિર ને કાંઈ કર્યુ તો
કેટલાં લડી પડે છે. હમણાં તમે જાણો છો આ આખી દુનિયા જ બળીને ભસ્મ થઈ જશે. આ
મંદિર-મસ્જિદ વગેરે ને બાળતા રહેશે. આ બધું થયા પહેલાં પવિત્ર બનવાનું છે. આ ફિકર
લાગેલી રહે. ઘરબાર પણ સંભાળવાનું છે. અહીં આવે તો અનેકાનેક છે. અહીં બકરીઓ ની જેમ
તો નથી રાખવાના ને કારણકે આ તો અમૂલ્ય જીવન છે, આને તો ખૂબ સંભાળીને રાખવાનું છે.
બાળકો વગેરે ને લઈ આવવા - આ બંધ કરી દેવું પડશે. આટલાં બાળકોને ક્યાં બેસીને સંભાળશે?
બાળકો ને રજાઓ મળી તો સમજે છે બીજે ક્યાં જઈએ, ચલો, મધુબન માં બાબા ની પાસે જઈએ. આ
તો જાણે ધર્મશાળા થઈ જાય. પછી યુનિવર્સિટી કેવી રીતે થઈ? બાબા તપાસ કરી રહ્યાં છે
પછી ક્યારેક ઓર્ડર (આદેશ) કરી દેશે-બાળકો કોઈ પણ ન લાવે. આ બંધન પણ ઓછું થઈ જશે.
માતાઓ પર તરસ પડે (રહેમ આવે) છે. આ પણ બાળકો જાણે છે, શિવબાબા તો છે ગુપ્ત. આમનો પણ
કોઈને રિગાર્ડ થોડી છે? સમજે છે અમારું તો શિવબાબા સાથે કનેક્શન (સંબંધ) છે. એટલું
પણ સમજતા નથી-શિવબાબા જ તો આમનાં દ્વારા સમજાવે છે ને? માયા નાક થી પકડી ઉલ્ટા કામ
કરાવતી રહે છે, છોડતી જ નથી. રાજધાની માં તો બધા જોઈએ ને? આ બધો અંત માં
સાક્ષાત્કાર થશે. સજાઓ નાં પણ સાક્ષાત્કાર થશે. બાળકો ને પહેલાં પણ આ બધા
સાક્ષાત્કાર થયા છે. છતાં પણ કોઈ-કોઈ પાપ કરવાનું છોડતા નથી. ઘણાં બાળકો એ જેમ ગાંઠ
બાંધી લીધી છે કે અમારે તો બનવાનું જ થર્ડ ક્લાસ છે, એટલે પાપ કરવાનું છોડતા જ નથી.
વધારે સારી રીતે પોતાની સજાઓ તૈયાર કરી રહ્યાં છે. સમજાવવું તો પડે છે ને? આ ગાઠ નહીં
બાંધો કે અમારે તો થર્ડ ક્લાસ જ બનવાનું છે. હવે ગાંઠ બાંધો કે અમારે આવાં
લક્ષ્મી-નારાયણ બનવું છે. કોઈ તો સારી ગાંઠ બાંધે છે, ચાર્ટ લખે છે-આજ નાં દિવસ અમે
કાંઈ કર્યુ તો નથી? આવાં ચાર્ટ પણ ઘણાં રાખતા હતાં, તે આજે નથી. માયા બહુ જ પછાડે
છે. અડધોકલ્પ હું સુખ આપું છું તો અડધોકલ્પ પછી માયા દુઃખ આપે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી
બનીને શરીર નાં ભાન થી પરે રહેવાનો અભ્યાસ કરવાનો છે, ખાવા-પીવાનું, ચાલ-ચલન
સુધારવાના છે ફક્ત પોતાને ખુશ કરીને અલબેલા નથી થવાનું.
2. ચઢાણ બહુ જ ઊંચું
છે, એટલે બહુ જ-બહુ જ ખબરદાર બનીને ચાલવાનું છે. કોઈ પણ કર્મ સંભાળીને કરવાનું છે.
અહંકાર માં નથી આવવાનું. ઉલ્ટા કર્મ કરીને સજાઓ નથી તૈયાર કરવાની. ગાંઠ બાંધવાની છે
કે અમારે આ લક્ષ્મી-નારાયણ જેવાં બનવાનું જ છે.
વરદાન :-
રુહાનિયત ની
શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા વાતાવરણ ને રુહાની બનાવવા વાળા સહજ પુરુષાર્થી ભવ
રુહાનિયત ની સ્થિતિ
દ્વારા પોતાનાં સેવાકેન્દ્ર નું એવું રુહાની વાતાવરણ બનાવો જેનાં થી સ્વયં ની અને
આવવા વાળા આત્માઓ ની સહજ ઉન્નતિ થઈ શકે કારણ કે જે પણ બહાર નાં વાતાવરણ થી થાકેલા
આવે છે એમને એક્સ્ટ્રા સહયોગ ની આવશ્યક્તા હોય છે એટલે એમને રુહાની વાયુમંડળ નો
સહયોગ આપો. સહજ પુરુષાર્થી બનો અને બનાવો. દરેક આવવા વાળા આત્મા અનુભવ કરે કે આ
સ્થાન સહજ જ ઉન્નતિ પ્રાપ્ત કરવાનું છે.
સ્લોગન :-
વરદાની બની
શુભ ભાવના અને શુભ કામના નાં વરદાન આપતા રહો.
અવ્યક્ત ઇશારા - “
કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
બાપ કમ્બાઇન્ડ છે એટલે
ઉમંગ-ઉત્સાહ થી આગળ ચાલો. કમજોરી, દિલશિકસ્તપણું બાપ નાં હવાલે કરી દો, પોતાની પાસે
ન રાખો. પોતાની પાસે ફક્ત ઉમંગ-ઉત્સાહ રાખો. સદા ઉમંગ-ઉત્સાહ માં નાચતા રહો, ગાતા
રહો અને બ્રહ્મા-ભોજન કરતા રહો.