10-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્ઞાન નાં પોઇન્ટસ ને સ્મૃતિ માં રાખો તો ખુશી રહેશે , તમે હમણાં સ્વર્ગ નાં ગેટ પર ઉભાં છો , બાબા મુક્તિ - જીવનમુક્તિ નો માર્ગ દેખાડી રહ્યાં છે”

પ્રશ્ન :-
પોતાનાં રજીસ્ટર ને ઠીક રાખવા માટે કયું અટેન્શન (ધ્યાન) જરુર રાખવાનું છે?

ઉત્તર :-
અટેન્શન રહે કે મન્સા-વાચા-કર્મણા કોઈને પણ દુઃખ તો નથી આપ્યું? પોતાનો સ્વભાવ ખૂબ ફર્સ્ટ ક્લાસ, મીઠો હોય. માયા નાક-કાન પકડીને એવું કોઈ કર્તવ્ય ન કરાવી દે જેનાથી કોઈને દુઃખ મળે. જો દુઃખ આપશો તો ખૂબ પશ્ચાતાપ કરવો પડશે. રજીસ્ટર ખરાબ થઇ જશે.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ…

ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો ને સમજાવે છે. રસ્તો ખૂબ સહજ સમજાવાય છે છતાં પણ બાળકો ઠોકરો ખાતા રહે છે. અહીંયા બેઠા છે તો સમજે છે અમને બાપ ભણાવે છે, શાંતિધામ જવાનો રસ્તો બતાવે છે. ખુબ સહજ છે. બાપ કહે છે દિવસ-રાત જેટલું થઈ શકે યાદ માં રહો. તે ભક્તિ માર્ગ ની યાત્રા પગપાળા ની હોય છે. ખુબ ધક્કા ખાવા પડે છે. અહીંયા તમે બેઠા હોવા છતાં પણ યાદ ની યાત્રા પર છો. આ પણ બાપે સમજાવ્યું છે - દૈવી ગુણ ધારણ કરવાનાં છે. શૈતાની અવગુણો ને ખતમ કરતાં જાઓ. કોઈ પણ શૈતાની કામ નહીં કરો, એનાથી વિકર્મ બની જાય છે. બાપ આવ્યા જ છે આપ બાળકોને સદા સુખી બનાવવાં. કોઈ બાદશાહ નાં બાળક હોય તો તે બાપ ને અને રાજાઈ ને જોઈ ખુશ થશે ને? ભલે રાજાઈ છે પરંતુ પછી પણ શરીર નાં રોગ વગેરે તો હોય જ છે. અહીંયા આપ બાળકોને નિશ્ચય છે કે શિવબાબા આવેલાં છે, એ આપણને ભણાવી રહ્યાં છે. પછી આપણે સ્વર્ગ માં જઈને રાજાઈ કરશું. ત્યાં કોઈ પણ પ્રકાર નું દુઃખ નહીં હશે. તમારી બુદ્ધિ માં રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. આ જ્ઞાન બીજા કોઈ મનુષ્ય માત્ર ની બુદ્ધિ માં નથી. આપ બાળકો પણ હમણાં સમજો છો કે પહેલાં અમારા માં જ્ઞાન નહોતું. બાપ ને અમે નહોતા જાણતાં. મનુષ્ય ભક્તિને ખૂબ ઉત્તમ સમજે છે, અનેક પ્રકાર ની ભક્તિ કરે છે. તેમાં બધી છે સ્થૂળ વાતો. સૂક્ષ્મ વાત કોઈ પણ છે નહીં. હવે અમરનાથ ની યાત્રા પર સ્થૂળ માં જશે ને? ત્યાં પણ છે એ લિંગ. કોની પાસે જાય છે, મનુષ્ય કાંઈ પણ નથી જાણતાં. હવે આપ બાળકો ક્યાંય પણ ધક્કા ખાવા નહીં જશો. તમે જાણો છો આપણે ભણીએ છીએ જ નવી દુનિયાનાં માટે. જ્યાં આ વેદ-શાસ્ત્ર વગેરે હોતા જ નથી. સતયુગ માં ભક્તિ હોતી નથી. ત્યાં છે જ સુખ. જ્યાં ભક્તિ છે ત્યાં દુઃખ છે. આ ગોળા નું ચિત્ર ખુબ સારું છે. સ્વર્ગ નો દ્વાર એમાં બહુ ક્લિયર છે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ. હમણાં આપણે સ્વર્ગ નાં દ્વાર પર બેઠા છીએ. ખુબ ખુશી થવી જોઈએ. જ્ઞાન નાં પોઇન્ટ ને યાદ કરતાં આપ બાળકો ખુબ ખુશી માં રહી શકો છો. જાણો છો હમણાં આપણે સ્વર્ગ નાં દ્વાર માં જઈ રહ્યાં છીએ. ત્યાં ખૂબ થોડાં મનુષ્ય હોય છે. અહીંયા કેટલા અનેક મનુષ્ય છે. કેટલાં ધક્કા ખાતા રહે છે. દાન-પુણ્ય કરવું, સાધુઓની પાછળ ભટકવાનું કેટલું છે, તો પણ પોકારતા રહે છે - હે પ્રભુ નયનહીન ને રાહ દેખાડો... રાહ હંમેશા મુક્તિ-જીવનમુક્તિ ની ઈચ્છે છે. આ જૂની દુઃખ ની દુનિયા છે, તે પણ તમે જાણો છો. મનુષ્યો ને ખબર જ નથી. કળયુગ ની આયુ હજારો વર્ષ કહી દે છે તો બિચારા અંધકાર માં છે ને? તમારા માં પણ નંબરવાર છે જે જાણે છે બરાબર આપણા બાબા આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. જેમ બેરિસ્ટરી યોગ, એન્જિનિયર યોગ હોય છે ને? ભણવા વાળા ને શિક્ષક ની જ યાદ રહે છે. બેરિસ્ટરી નાં જ્ઞાન થી મનુષ્ય બૅરિસ્ટર બની જશે. આ છે રાજયોગ. આપણી બુદ્ધિ નો યોગ છે પરમપિતા પરમાત્મા ની સાથે. આમાં તો ખુશી નો એકદમ પારો ચઢી જવો જોઈએ. ખૂબ મીઠા બનવાનું છે. સ્વભાવ બહુજ ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. કોઈને પણ દુઃખ ન મળે. ઈચ્છે પણ છે કોઈને દુઃખ ન આપીએ. પરંતુ છતાં પણ માયા નાક-કાન થી પકડી ભૂલ કરાવી દે છે. પછી અંદર પસ્તાય છે - અમે નકામું તેમને દુઃખ આપ્યું. પરંતુ રજીસ્ટર માં તો ખરાબી આવી ગઈ ને? એવી કોશિશ કરવી જોઈએ - કોઈને પણ મન્સા, વાચા, કર્મણા દુઃખ ન આપીએ. બાપ આવે જ છે - આપણને એવાં દેવતા બનાવવાં. આ ક્યારેય કોઈને દુઃખ આપે છે શું! લૌકિક શિક્ષક ભણાવે છે, દુ:ખ તો નથી આપતાં ને? હાં, બાળકો નથી ભણતાં તો કોઈ સજા વગેરે આપે છે. આજકાલ મારવાનો પણ કાયદો નીકાળી દીધો છે. તમે રુહાની શિક્ષક છો, તમારું કામ છે ભણાવવાનું અને સાથે-સાથે મેનર્સ શીખવાડવાનું. પછી ભણશે-ગણશે તો ઊંચું પદ પામશે. નહીં ભણશે તો ફેલ પોતે થશે. આ બાપ પણ રોજ આવીને ભણાવે છે, મેનર્સ શીખવાડે છે. શીખવાડવા માટે પ્રદર્શની વગેરે નો પ્રબંધ કરે છે. બધાં પ્રદર્શની અને પ્રોજેક્ટર માંગે છે. પ્રોજેક્ટર્સ પણ હજારો લેશે. દરેક વાત બાપ ખુબ જ સહજ કરી બતાવે છે. અમરનાથ ની પણ સર્વિસ સહજ છે. ચિત્રો પર તમે સમજાવી શકો છો. જ્ઞાન અને ભક્તિ શું છે? જ્ઞાન આ તરફ, ભક્તિ તે તરફ. આનાથી સ્વર્ગ, એનાથી નર્ક - બિલકુલ ક્લિયર છે. આપ બાળકો હમણાં જે ભણો છો આ ખુબ સહજ છે, સારું ભણાવી પણ લો છો, પરંતુ યાદ ની યાત્રા ક્યાં? આ છે બધી બુદ્ધિની વાત. આપણે બાપ ને યાદ કરવાનાં છે, એમાં જ માયા પછાડે છે. એકદમ યોગ તોડી દે છે. બાપ કહે છે તમે બધાં યોગ માં ખુબ કમજોર છો. સારા-સારા મહારથી પણ ખુબ કમજોર છે. સમજે છે આમના માં આ જ્ઞાન ખૂબ સારું છે એટલે મહારથી છે. બાબા કહે છે ઘોડેસવાર પ્યાદા છે. મહારથી તે જે યાદ માં રહે છે. ઉઠતાં-બેસતાં યાદ માં રહે તો વિકર્મ વિનાશ થશે, પાવન થશે. નહીં તો સજા પણ ખાવી પડશે અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે એટલે પોતાનો ચાર્ટ રાખો તો તમને ખબર પડશે, બાબા પોતે બતાવે છે હું પણ પુરુષાર્થ કરું છું. ઘડી-ઘડી બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે. બાબા નાં ઉપર તો ખુબ જવાબદારી રહે છે ને. તમે આગળ જઈ શકો છો. પછી સાથે પોતાની ચલન પણ સુધારવાની છે. પવિત્ર બન્યાં અને પછી વિકાર માં પડ્યા તો કરેલી કમાણી ચટ થઈ જશે. કોઈ પર ક્રોધ કર્યો લૂનપાણી થયા તો અસુર બની જાય છે. અનેક પ્રકાર ની માયા આવે છે. સંપૂર્ણ તો કોઈ બન્યું નથી. બાબા પુરુષાર્થ કરાવતાં રહે છે. કુમારીઓ માટે તો ખુબ સહજ છે, એમાં પોતાની મજબૂતી જોઈએ. અંદરની સચ્ચાઈ જોઈએ. જો અંદર કોઈની સાથે દિલ લાગેલું હશે તો પછી ચાલી નહીં શકે. કુમારીઓ, માતાઓએ તો ભારત ને સ્વર્ગ બનાવવાની સર્વિસમાં લાગી જવું જોઈએ. આમાં છે મહેનત. મહેનત વગર કંઈ પણ મળતું નથી. તમને ૨૧ જન્મ નાં માટે રાજાઈ મળે છે તો કેટલી મહેનત કરવી જોઈએ? તે ભણતર પણ બાબા એટલે ભણવા દે છે - કહે છે ત્યાં સુધી આમાં પાક્કા થઈ જાય. એવું ન થાય પછી બંને જહાન થી ચાલ્યા જાય. કોઈ નાં નામ- રુપ માં લટકી મરો તો ખતમ થઈ જાય છે.

તકદીરવાન બાળકો જ શરીરનું ભાન ભૂલી પોતાને અશરીરી સમજી બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરી શકે છે. બાપ રોજ-રોજ સમજાવે છે - બાળકો, તમે શરીર નું ભાન છોડી દો. આપણે અશરીરી આત્મા હવે ઘરે જઈએ છીએ, આ શરીર અહીંયા છોડી દેવાનું છે, તે પણ ત્યારે છોડશો જ્યારે નિરંતર બાપ ની યાદ માં રહી કર્માતીત થઈ જાઓ. આમાં બુદ્ધિ ની વાત છે પરંતુ કોઈની તકદીર માં નથી તો તદબીર શું કરે? બુદ્ધિ માં રહેવું જોઈએ કે અમે અશરીરી આવ્યા હતાં, પછી સુખ નાં કર્મ સંબંધ માં બંધાયા પછી રાવણ રાજ્ય માં વિકારી બંધન માં ફસાયાં. હવે ફરી બાપ કહે છે અશરીરી થઈને જવાનું છે. પોતાને આત્મા સમજી મને યાદ કરો. આત્મા જ પતિત બની છે. આત્મા કહે છે હે પતિત-પાવન, આવો. હમણાં તમને પતિત થી પાવન થવાની યુક્તિ પણ બતાવતાં રહે છે. આત્મા છે જ અવિનાશી. તમે આત્મા અહીંયા શરીર માં આવ્યા છો પાર્ટ ભજવવાં. આ પણ હવે બાપે સમજાવ્યું છે, જેમને કલ્પ પહેલાં સમજાવ્યું છે તે જ આવતાં રહેશે. હવે બાપ કહે છે કળયુગી સંબંધ ભૂલી જાઓ. હવે તો પાછાં જવાનું છે, આ દુનિયા જ ખતમ થવાની છે. આમાં કોઈ સાર નથી ત્યારે તો ધક્કા ખાતા રહે છે. ભક્તિ કરે છે ભગવાન થી મળવાં. સમજે છે ભક્તિ બહુ સારી છે. ખુબ ભક્તિ કરશે તો ભગવાન મળશે અને સદ્દગતિ માં લઈ જશે. હમણાં તમારી ભક્તિ પૂરી થાય છે. તમારા મુખ થી ‘હે રામ’, ‘હે ભગવાન’ આ ભક્તિ નાં શબ્દ પણ ન નીકળે. આ બંધ થઈ જવું જોઈએ. બાપ ફક્ત કહે છે મને યાદ કરો. આ દુનિયા જ તમોપ્રધાન છે. સતોપ્રધાન સતયુગ માં રહે છે. સતયુગ છે ચઢતી કળા પછી ઉતરતી કળા થાય છે. ત્રેતા ને પણ હકીકત માં સ્વર્ગ ન કહેવાય. સ્વર્ગ ફક્ત સતયુગ ને જ કહેવાય છે. આપ બાળકોની બુદ્ધિ માં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. આદિ અર્થાત્ શરુ, મધ્ય અડધુ પછી અંત. મધ્ય માં રાવણ રાજ્ય શરુ થાય છે. બાપ ભારત માં જ આવે છે. ભારત જ પતિત અને પાવન બને છે. ૮૪ જન્મ પણ ભારતવાસી લે છે. બાકી તો નંબરવાર ધર્મ વાળા આવે છે. ઝાડ વૃદ્ધિ ને પામે છે પછી તે સમયે જ આવશે. આ વાતો બીજા કોઈની બુદ્ધિમાં નહીં હશે. તમારામાં પણ બધાં ધારણ નથી કરી શકતાં. આ ૮૪ નું ચક્ર બુદ્ધિ માં રહે તો પણ ખુશી માં રહે. હવે બાબા આવેલાં છે, આપણને લઈ જવા માટે. સાચાં-સાચાં માશૂક આવેલાં છે, જેમને આપણે ભક્તિ માર્ગ માં બહુજ યાદ કરતાં હતાં એ આવ્યાં છે આપણને આત્માઓને પાછાં લઇ જવા. મનુષ્ય માત્ર આ નથી જાણતાં કે શાંતિ પણ કોને કહેવાય છે. આત્મા તો છે જ શાંત સ્વરુપ. આ ઓર્ગન્સ (અવયવો) મળે છે ત્યારે કર્મ કરવું પડે છે. બાપ જે શાંતિ નાં સાગર છે, તે બધાને લઈ જાય છે. ત્યારે બધાને શાંતિ મળશે. સતયુગ માં તમને શાંતિ પણ છે, સુખ પણ છે. બાકી બધાં આત્માઓ ચાલ્યાં જશે શાંતિધામ. બાપ ને જ શાંતિ નાં સાગર કહેવાય છે. આ પણ ઘણાં બાળકો ભૂલી જાય છે કારણકે દેહ-અભિમાન માં રહે છે, દેહી-અભિમાની થતાં નથી. બાપ શાંતિ તો બધાને આપે છે ને? ચિત્ર માં સંગમ પર જઈને દેખાડો. આ સમયે બધાં અશાંત છે. સતયુગ માં તો આટલાં ધર્મ હશે જ નહીં. બધાં શાંતિ માં ચાલ્યા જશે. ત્યાં મન ભરીને શાંતિ મળે છે. તમને રાજાઈ માં શાંતિ પણ છે, સુખ પણ છે. સતયુગ માં પવિત્રતા, સુખ, શાંતિ બધું છે તમને. મુક્તિધામ કહેવાય છે સ્વીટ હોમ ને. ત્યાં પતિત દુઃખી હશે નહીં. દુઃખ-સુખ ની કોઈ વાત નથી. તો શાંતિ નો અર્થ નથી સમજતાં. રાણી નાં હાર નું દૃષ્ટાંત આપે છે ને? હવે બાપ કહે છે શાંતિ-સુખ બધું લો. આયુશ્વાન ભવ… ત્યાં કાયદા અનુસાર બાળક પણ હશે. બાળક મળે તેને માટે કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો. શરીર છોડવાનો સમય થાય છે તો સાક્ષાત્કાર થઈ જાય છે અને શરીર ખુશી થી છોડી દે છે. જેમ બાબા ને ખુશી રહે છે ને - શરીર છોડી ને હું આ બનીશ, હમણાં ભણી રહ્યો છું. તમે પણ જાણો છો આપણે સતયુગ માં જઈશું. સંગમ પર જ તમારી બુદ્ધિ માં આ રહે છે. તો કેટલી ખુશી માં રહેવું જોઈએ. જેટલું ઊંચું ભણતર એટલી ખુશી. આપણને ભગવાન ભણાવે છે. લક્ષ-હેતુ સામે છે તો કેટલી ખુશી હોવી જોઈએ. પરંતુ ચાલતાં-ચાલતાં નીચે પડે છે.

તમારી સર્વિસ વૃદ્ધિ ને ત્યારે પામશે જ્યારે કુમારીઓ મેદાન માં આવશે. બાપ કહે છે પરસ્પર એક તો લૂનપાણી નહીં બનો. જ્યારે જાણો છો આપણે એવી દુનિયામાં જઈએ છે જ્યાં સિંહ-બકરી ભેગાં પાણી પીવે છે, ત્યાં તો દરેક વસ્તુ જોવાથી જ દિલ ખુશ થઈ જાય છે. નામ જ છે સ્વર્ગ. તો કુમારીઓ લૌકિક મા-બાપ ને કહે - હવે અમે ત્યાં જવાની તૈયારી કરી રહ્યાં છીએ, પવિત્ર તો જરુર બનવાનું છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. હવે હું યોગીન બનું છું એટલે પતિત ન બની શકીએ. વાત કરવાની હિંમત જોઈએ. એવી કુમારીઓ જ્યારે નીકળશે પછી જોજો કેટલી જલ્દી સર્વિસ થાય છે! પરંતુ જોઈએ નષ્ટોમોહા એક વખત મરી ગયા તો પછી યાદ કેમ આવવી જોઈએ? પરંતુ અનેકો ને ઘર ની, બાળકો વગેરે ની યાદ આવતી રહે છે. પછી બાપ નાં સાથે યોગ કેવી રીતે લાગશે? આમાં તો એ જ બુદ્ધિમાં રહે કે અમે બાબા નાં છીએ. આ જૂની દુનિયા ખતમ થયેલી જ છે. બાપ કહે છે મને યાદ કરો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ઊંચી તકદીર બનાવવા માટે જેટલું થઈ શકે - અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. શરીર નું ભાન બિલકુલ ભૂલી જાઓ, કોઈ નાં પણ નામ-રુપ યાદ ન આવે - આ મહેનત કરવાની છે.

2. પોતાની ચલન નો ચાર્ટ રાખવાનો છે-ક્યારેય પણ આસુરી ચલન નથી ચાલવાની. દિલ ની સચ્ચાઈ થી નષ્ટોમોહા બની ભારત ને સ્વર્ગ બનાવવાની સર્વિસ માં લાગી જવાનું છે.

વરદાન :-
માયા નાં રોયલ રુપ નાં બંધનો થી મુક્ત , વિશ્વજીત , જગતજીત ભવ

મારો પુરુષાર્થ, મારું ઇન્વેન્શન, મારી સેવા, મારું ટચિંગ, મારા ગુણ સારા છે, મારી નિર્ણય શક્તિ બહુ જ સારી છે, આ મારાપણા નું રોયલ માયા નું રુપ છે માયા એવો જાદુ મંત્ર કરી દે છે જે તારા ને પણ મારું બનાવી દે છે એટલે હવે એવા અનેક બંધનો થી મુક્ત બની એક બાપ નાં સંબંધ માં આવી જાઓ તો માયાજીત બની જશો માયાજીત જ પ્રકૃતિજીત, વિશ્વજીત અથવા જગતજીત બને છે તે જ એક સેકન્ડ નાં અશરીર ભવ નાં ડાયરેક્શન ને સહજ અને સ્વતઃ કાર્ય માં લગાવી શકે છે.

સ્લોગન :-
વિશ્વ પરિવર્તક તે જ છે જે કોઈ નાં નેગેટિવ ને પોઝિટિવ માં બદલી દે.

અવ્યક્ત ઇશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

તમારું સ્વ-સ્વરુપ પવિત્ર છે, સ્વધર્મ અર્થાત્ આત્મા ની પહેલી ધારણા પવિત્રતા છે. સ્વદેશ પવિત્ર દેશ છે. સ્વરાજ્ય પવિત્ર રાજ્ય છે. સ્વ નું યાદગાર પરમ પવિત્ર પૂજ્ય છે. કર્મેન્દ્રિયો નો અનાદિ સ્વભાવ સુકર્મ છે, બસ, આ જ સદા સ્મૃતિ માં રાખો તો મહેનત અને હઠ (જિદ્દ) થી છૂટી જશો. પવિત્રતા વરદાન રુપ માં ધારણ કરી લેશે.