11-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સંગમયુગ પર તમે બ્રાહ્મણ સંપ્રદાય બન્યાં છો , તમારે હવે મૃત્યુલોક નાં મનુષ્ય થી અમરલોક નાં દેવતા બનવાનું છે”

પ્રશ્ન :-
આપ બાળકો કયા નોલેજ ને સમજવાનાં કારણે બેહદ નો સંન્યાસ કરો છો?

ઉત્તર :-
તમને ડ્રામા ની યથાર્થ નોલેજ છે, તમે જાણો છો ડ્રામા અનુસાર હવે આ આખાં મૃત્યુલોક ને ભસ્મીભૂત થવાનું છે. હમણાં આ દુનિયા વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બની ગઈ છે, આપણે વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનવાનું છે. આમાં જે કાંઈ થાય છે તે ફરી હૂબહૂ કલ્પ પછી રિપીટ થશે એટલે તમે આ આખી દુનિયા થી બેહદ નો સંન્યાસ કર્યો છે.

ગીત :-
આનેવાલે કલ કી તુમ…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત ની લાઈન સાંભળી. આવવાનો છે અમરલોક. આ છે મૃત્યુલોક. અમરલોક અને મૃત્યુલોક નો આ છે પુરુષોત્તમ સંગમયુગ. હમણાં બાપ ભણાવે છે સંગમ પર, આત્માઓ ને ભણાવે છે એટલે બાળકો ને કહે છે આત્મ-અભિમાની બનીને બેસો. આ નિશ્ચય કરવાનો છે - આપણને બેહદ નાં બાપ ભણાવે છે. આપણો મુખ્ય ઉદ્દેશ આ છે - લક્ષ્મી-નારાયણ અથવા મૃત્યુલોક નાં મનુષ્ય થી અમરલોક નાં દેવતા બનવાનો. આવું ભણતર તો ક્યારેય કાન થી નથી સાંભળ્યું, નથી કોઈને કહેતાં જોયા જે કહે બાળકો તમે આત્મ-અભિમાની બનીને બેસો. આ નિશ્ચય કરો કે બેહદ નાં બાપ આપણને ભણાવે છે. કયા બાપ? બેહદ નાં બાપ નિરાકાર શિવ. હમણાં તમે સમજો છો આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. હમણાં તમે બ્રાહ્મણ સંપ્રદાય બન્યાં છો પછી તમારે દેવતા બનવાનું છે. પહેલાં શૂદ્ર સંપ્રદાય નાં હતાં. બાપ આવીને પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનાવે છે. પહેલાં સતોપ્રધાન પારસબુદ્ધિ હતાં, હવે ફરી બનો છો. એવું ન કહેવું જોઈએ કે સતયુગ નાં માલિક હતાં. સતયુગ માં વિશ્વ નાં માલિક હતાં. પછી ૮૪ જન્મ લઈ સીડી ઉતરતા-ઉતરતા સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવ્યાં છો. પહેલાં સતોપ્રધાન હતાં તો પારસબુદ્ધિ હતાં પછી આત્મા માં ખાદ પડે છે. મનુષ્ય સમજતા નથી. બાપ કહે છે - તમે કાંઈ નહોતાં જાણતાં. અંધશ્રદ્ધા હતી. પરિચય સિવાય કોઈની પૂજા કરવી કે યાદ કરવા તેને અંધશ્રદ્ધા કહેવાય છે. અને પોતાનાં શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠ કર્મ ને પણ ભૂલી જવાથી તે કર્મભ્રષ્ટ, ધર્મભ્રષ્ટ બની જાય છે. ભારતવાસી આ સમયે દૈવીધર્મ થી પણ ભ્રષ્ટ છે. બાપ સમજાવે છે હકીકત માં તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. એ જ દેવતાઓ જ્યારે અપવિત્ર બને છે ત્યારે દેવી-દેવતા કહી ન શકાય એટલે નામ બદલી હિંદુ ધર્મ રાખી દીધું છે. આ પણ થાય છે ડ્રામા પ્લાન અનુસાર. બધા એક બાપ ને જ પોકારે છે - હે પતિત-પાવન, આવો. એ એક જ ગોડફાધર છે જે જન્મ-મરણ રહિત છે. એવું નથી કે નામ-રુપ થી ન્યારી કોઈ ચીજ છે. આત્મા નું કે પરમાત્મા નું રુપ ખૂબ સૂક્ષ્મ છે, જેને સ્ટાર અથવા બિંદુ કહેવાય છે. શિવ ની પૂજા કરે છે, શરીર તો નથી. હવે આત્મા બિંદુ ની પૂજા થઈ ન શકે એટલે તેને મોટું બનાવે છે પૂજા માટે. સમજે છે શિવ ની પૂજા કરીએ છીએ. પરંતુ એમનું રુપ શું છે, તે નથી જાણતાં. આ બધી વાતો બાપ આ સમયે જ આવીને સમજાવે છે. બાપ કહે છે તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ૮૪ લાખ યોનિઓ નાં તો એક ગપ્પા લગાવી દીધાં છે. હવે બાપ આપ બાળકોને સમજાવે છે. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો પછી દેવતા બનવાનું છે. કળિયુગી મનુષ્ય છે શૂદ્ર. આપ બ્રાહ્મણો નો મુખ્ય ઉદ્દેશ છે મનુષ્ય થી દેવતા બનવાનો. આ મૃત્યુલોક પતિત દુનિયા છે. નવી દુનિયા તે હતી, જ્યાં આ દેવી-દેવતાઓ રાજ્ય કરતા હતાં. એક જ એમનું રાજ્ય હતું. તેઓ આખાં વિશ્વ નાં માલિક હતાં. હમણાં તો તમોપ્રધાન દુનિયા છે. અનેક ધર્મ છે. આ દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. દેવી-દેવતાઓ નું રાજ્ય ક્યારે હતું, કેટલો સમય ચાલ્યું, આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કોઈ નથી જાણતું. બાપ જ આવીને તમને સમજાવે છે. આ છે ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી, જેનો મુખ્ય ઉદ્દેશ છે અમરલોક નાં દેવતા બનાવવાં. આને અમરકથા પણ કહેવાય છે. તમે આ નોલેજ થી દેવતા બની કાળ પર જીત મેળવો છો. ત્યાં ક્યારેય કાળ ખાઈ નથી શકતો. મરવાનું ત્યાં નામ નથી. હમણાં તમે કાળ પર જીત મેળવી રહ્યાં છો, ડ્રામા પ્લાન અનુસાર. ભારતવાસી પણ ૫ વર્ષ કે ૧૦ વર્ષ નો પ્લાન બનાવે છે ને? સમજે છે અમે રામરાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. બેહદ નાં બાપ નો પણ પ્લાન છે રામરાજ્ય બનાવવાનો. તે તો બધા છે મનુષ્ય. મનુષ્ય તો રામરાજ્ય સ્થાપન કરી ન શકે. રામરાજ્ય કહેવાય જ છે સતયુગ ને. આ વાતો ને કોઈ જાણતું નથી. મનુષ્ય કેટલી ભક્તિ કરે છે, શારીરિક યાત્રાઓ કરે છે. દિવસ અર્થાત્ સતયુગ-ત્રેતા માં આ દેવતાઓ નું રાજ્ય હતું. પછી રાત્રે ભક્તિ માર્ગ શરુ થાય છે. સતયુગ માં ભક્તિ નથી હોતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ આ બાપ સમજાવે છે. વૈરાગ બે પ્રકાર નાં છે - એક છે હઠયોગી નિવૃત્તિ માર્ગ વાળા નો, તે ઘરબાર છોડી જંગલ માં જાય છે. હવે તમારે તો બેહદ નો સંન્યાસ કરવાનો છે, આખાં મૃત્યુલોક નો. બાપ કહે છે આ આખી દુનિયા ભસ્મીભૂત થવાની છે. ડ્રામા ને ખૂબ સારી રીતે સમજવાનો છે. જૂ ની જેમ ટિક-ટિક થતી રહે છે. જે કાંઈ થાય છે ફરી કલ્પ ૫ હજાર વર્ષ પછી હૂબહૂ રિપીટ થશે. આને ખૂબ સારી રીતે સમજી બેહદ નો સંન્યાસ કરવાનો છે. સમજો, કોઈ વિલાયત જાય છે કહેશે ત્યાં અમે આ નોલેજ ભણી શકીએ છીએ? બાપ કહે છે હા ક્યાંય પણ બેસી તમે ભણી શકો છો. આમાં પહેલા ૭ દિવસ નો કોર્સ કરવો પડે છે. ખૂબ સહજ છે, આત્માએ ફક્ત આ સમજવાનું હોય છે. આપણે સતોપ્રધાન વિશ્વ નાં માલિક હતાં ત્યારે સતોપ્રધાન હતાં. હવે તમોપ્રધાન બની ગયા છીએ. ૮૪ જન્મો માં બિલકુલ વર્થ નોટ અ પેની બની ગયા છીએ. હવે ફરી આપણે પાઉન્ડ કેવી રીતે બનીએ? હમણાં કળિયુગ છે પછી જરુર સતયુગ આવવાનો છે, બાપ કેટલું સરળ સમજાવે છે, ૭ દિવસ નો કોર્સ સમજવાનો છે. કેવી રીતે આપણે સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છીએ. કામ ચિતા પર બેસી તમોપ્રધાન બન્યાં છીએ. હવે ફરી જ્ઞાન ચિતા પર બેસી સતોપ્રધાન બનવાનું છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે, ચક્ર ફરતું રહે છે ને? હમણાં છે સંગમયુગ પછી સતયુગ થશે. હમણાં આપણે કળિયુગી વિશશ (વિકારી) બન્યાં છીએ, પછી સતયુગી વાઈસલેસ (નિર્વિકારી) કેવી રીતે બનીએ? તેનાં માટે બાપ રસ્તો બતાવે છે. પોકારે પણ છે અમારા માં કોઈ ગુણ નથી. હવે અમને એવાં ગુણવાન બનાવો. જે કલ્પ પહેલાં બન્યાં હતાં તેમણે જ ફરી બનવાનું છે. બાપ સમજાવે છે - પહેલાં-પહેલાં તો પોતાને આત્મા સમજો. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે. હમણાં જ તમને દેહી-અભિમાની બનવાની શિક્ષા મળે છે. એવું નથી તમે સદૈવ દેહી-અભિમાની રહેશો. ના, સતયુગ માં તો નામ શરીર નાં હોય છે. લક્ષ્મી-નારાયણ નાં નામ પર જ આખો કારોબાર ચાલે છે. હમણાં આ છે સંગમયુગ જ્યારે બાપ સમજાવે છે. તમે અશરીરી આવ્યાં હતાં ફરી અશરીરી બની પાછા જવાનું છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ છે રુહાની યાત્રા. આત્મા પોતાનાં રુહાની બાપ ને યાદ કરે છે. બાપ ને યાદ કરવાથી જ પાપ ભસ્મ થઈ જશે, આને યોગ અગ્નિ કહેવાય છે. યાદ તો તમે ક્યાંય પણ કરી શકો છો. ૭ દિવસ માં સમજાવવાનું હોય છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, કેવી રીતે આપણે સીડી ઉતરીએ છીએ? હવે ફરી આ એક જ જન્મ માં ચઢતી કળા થાય છે. વિલાયત માં બાળકો રહે છે, ત્યાં પણ મોરલી જાય છે. આ સ્કૂલ છે ને? હકીકત માં આ છે ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વવિદ્યાલય). ગીતા નો જ રાજયોગ છે. પરંતુ શ્રીકૃષ્ણ ને ભગવાન નથી કહેવાતાં. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ દેવતા કહેવાય છે. હમણાં તમે પુરુષાર્થ કરી ફરી થી દેવતા બનો છો. પ્રજાપિતા બ્રહ્મા પણ જરુર અહીં હશે ને? પ્રજાપિતા તો મનુષ્ય છે ને? પ્રજા જરુર અહીં જ રચાય છે. હમ સો નો અર્થ બાપે ખૂબ સહજ રીતે સમજાવ્યો છે. ભક્તિમાર્ગ માં તો કહી દે છે હમ આત્મા સો પરમાત્મા, એટલે પરમાત્મા ને સર્વવ્યાપી કહી દે છે. બાપ કહે છે બધામાં વ્યાપક છે આત્મા. હું કેવી રીતે વ્યાપક હોઈશ? તમે મને બોલાવો જ છો - હે પતિત-પાવન આવો, અમને પાવન બનાવો. નિરાકાર આત્માઓ બધા આવીને પોત-પોતાનો રથ લે છે. દરેક અકાળમૂર્ત આત્મા નો તખ્ત છે આ. તખ્ત કહો અથવા રથ કહો. બાપ ને તો રથ નથી. એ નિરાકાર જ ગવાય છે. નથી સૂક્ષ્મ શરીર, નથી સ્થૂળ શરીર. નિરાકાર સ્વયં રથ માં જ્યારે બેસે ત્યારે બોલી શકે. રથ વગર પતિતો ને પાવન કેવી રીતે બનાવશે? બાપ કહે છે હું નિરાકાર આવીને આમનો રથ લોન લઉં છું. ટેમ્પરરી (થોડા સમય‌ માટે) લોન લીધી છે, આને ભાગ્યશાળી રથ કહેવાય છે. બાપ જ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બતાવી આપ બાળકો ને ત્રિકાળદર્શી બનાવે છે. બીજા કોઈ મનુષ્ય આ નોલેજ ને જાણી ન શકે. આ સમયે બધા નાસ્તિક છે. બાપ આવીને આસ્તિક બનાવે છે. રચયિતા-રચના નાં રહસ્ય બાપે તમને બતાવ્યાં છે. હવે તમારા સિવાય બીજા કોઈ સમજાવી ન શકે. તમે જ આ જ્ઞાન થી ફરી આ આટલું ઊંચ પદ મેળવો છો. આ જ્ઞાન ફક્ત હમણાં જ આપ બ્રાહ્મણો ને મળે છે. બાપ સંગમ પર જ આવીને આ જ્ઞાન આપે છે. સદ્દગતિ આપવા વાળા એક બાપ જ છે. મનુષ્ય, મનુષ્યો ને સદ્દગતિ આપી ન શકે. તે બધા ગુરુ છે ભક્તિમાર્ગ નાં. સદ્દગુરુ એક જ છે, એમને કહેવાય છે વાહ સદ્દગુરુ વાહ! આને પાઠશાળા પણ કહેવાય છે. મુખ્ય ઉદ્દેશ નર થી નારાયણ બનવાનો છે. તે બધી છે ભક્તિમાર્ગ ની કથાઓ. ગીતા થી પણ કોઈ પ્રાપ્તિ નથી થતી. બાપ કહે છે હું આપ બાળકો ને સન્મુખ આવીને ભણાવું છું, જેનાથી તમે આ પદ મેળવો છો. આમાં મુખ્ય છે પવિત્ર બનવાની વાત. બાપ ની યાદ માં રહેવાનું છે. આમાં જ માયા વિધ્ન નાખે છે. તમે બાપ ને યાદ કરો છો પોતાનો વારસો મેળવવા માટે. આ નોલેજ બધા બાળકો ની પાસે જાય છે. ક્યારેય પણ મોરલી મિસ ન થાય. મોરલી મિસ થઈ એટલે એબસેન્ટ (ગેરહાજરી) પડી જાય છે. મોરલી થી ક્યાંય પણ બેસી રિફ્રેશ થતા રહેશો. શ્રીમત પર ચાલવું પડે. બહાર જાઓ છો તો બાપ સમજાવે છે - પવિત્ર જરુર બનવાનું છે, વૈષ્ણવ બનીને રહેવાનું છે. વૈષ્ણવ પણ બે પ્રકાર નાં હોય છે, વૈષ્ણવ, વલ્લભાચાર્ય પણ હોય છે પરંતુ વિકાર માં જાય છે. પવિત્ર તો નથી. તમે પવિત્ર બની વિષ્ણુવંશી બનો છો. ત્યાં તમે વૈષ્ણવ રહેશો, વિકાર માં નહીં જશો. તે છે અમરલોક, આ છે મૃત્યુલોક, અહીં વિકાર માં જાય છે. હવે તમે વિષ્ણુપુરી માં જાઓ છો, ત્યાં વિકાર હોતા નથી. તે છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). યોગબળ થી તમે વિશ્વ ની બાદશાહી લો છો. તે બંને પરસ્પર લડે છે, માખણ વચ્ચે તમને મળે છે. તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. બધાને આ જ સંદેશ આપવાનો છે. નાનાં બાળકો નો પણ હક છે. શિવબાબા નાં બાળકો છે ને? તો બધાનો હક છે. બધાને કહેવાનું છે પોતાને આત્મા સમજો. મા-બાપ માં જ્ઞાન હશે તો બાળકો ને પણ શીખવાડશે - શિવબાબા ને યાદ કરો. શિવબાબા સિવાય બીજું ન કોઈ. એક ની યાદ થી જ તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આમાં ભણતર ખૂબ સારું જોઈએ. વિલાયત માં રહેતાં પણ તમે ભણી શકો છો. આમાં પુસ્તક વગેરે કાંઈ પણ ન જોઈએ. ક્યાંય પણ બેસી તમે ભણી શકો છો. બુદ્ધિ થી યાદ કરી શકો છો. આ ભણતર આટલું સહજ છે. યોગ અથવા યાદ થી બળ મળે છે. તમે હવે વિશ્વ નાં માલિક બની રહ્યાં છો. બાપ રાજયોગ શીખવાડી પાવન બનાવે છે. તે છે હઠયોગ, આ છે રાજયોગ. આમાં પરેજી (ધારણા) ખૂબ સારી રીતે જોઈએ. આ લક્ષ્મી-નારાયણ જેવાં સર્વગુણ સંપન્ન બનવાનું છે ને? ખાવા-પીવા ની પણ પરેજી જોઈએ, અને બીજી વાત બાપ ને યાદ કરવાના છે તો જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે. આને કહેવાય છે સહજ રાજયોગ, રાજાઈ પ્રાપ્ત કરવા માટે. જો રાજાઈ ન લીધી તો ગરીબ બની જશો. શ્રીમત પર પૂરું ચાલવાથી શ્રેષ્ઠ બનશો. ભ્રષ્ટ થી શ્રેષ્ઠ બનવાનું છે. તેનાં માટે બાપ ને યાદ કરવાના છે. કલ્પ પહેલાં પણ તમે જ આ જ્ઞાન લીધું હતું, જે ફરી હમણાં લો છો. સતયુગ માં બીજું કોઈ રાજ્ય નહોતું. તેને કહેવાય છે સુખધામ. હમણાં આ છે દુઃખધામ અને જ્યાંથી આપણે આત્માઓ આવ્યાં છીએ તે છે શાંતિધામ. શિવબાબા ને વન્ડર લાગે છે - દુનિયા માં મનુષ્ય શું-શું કરે છે! બાળકો ઓછા જન્મે તેનાં માટે પણ કેટલાં માથા મારતા રહે છે. સમજતા નથી આ તો બાપ નું જ કામ છે. બાપ ઝટ એક ધર્મ ની સ્થાપના કરી બાકી બધા અનેક ધર્મો નો વિનાશ કરાવી દે છે, એક ધક થી. તે લોકો કેટલી દવાઓ વગેરે કાઢે છે ઉત્પત્તિ ઓછી કરવા માટે. બાપ ની પાસે તો એક જ દવા છે. એક ધર્મ ની સ્થાપના થવાની છે. એ સમય આવશે બધા કહેશે આ તો પવિત્ર બની રહ્યાં છે. પછી દવાઓ વગેરેની પણ શું જરુર છે? તમને બાબાએ એવી દવા આપી છે મનમનાભવ ની, જેનાથી તમે ૨૧ જન્મો માટે પવિત્ર બની જાઓ છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પવિત્ર બનીને પાક્કા વૈષ્ણવ બનવાનું છે. ખાવા-પીવાની પણ પૂરી પરેજી કરવાની છે. શ્રેષ્ઠ બનવા માટે શ્રીમત પર જરુર ચાલવાનું છે.

2. મોરલી થી સ્વયં ને રીફ્રેશ કરવાના છે, ક્યાંય પણ રહેતાં સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. મોરલી એક દિવસ પણ મિસ (ગેરહાજરી) નથી કરવાની.

વરદાન :-
સ્વ - કલ્યાણ નાં પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વિશ્વ - કલ્યાણ ની સેવા માં સદા સફળતામૂર્ત ભવ

જેવી રીતે આજકાલ શારીરિક રોગ હાર્ટફેલ નો વધારે છે તેવી રીતે આધ્યાત્મિક ઉન્નતિ માં દિલશિકસ્ત નો રોગ વધારે છે. એવાં દિલશિકસ્ત આત્માઓ માં પ્રેક્ટિકલ પરિવર્તન જોવાથી જ હિંમત કે શક્તિ આવી શકે છે. સાંભળ્યું ખૂબ છે હવે જોવા ઈચ્છે છે. પ્રમાણ દ્વારા પરિવર્તન ઈચ્છે છે. તો વિશ્વ-કલ્યાણ માટે સ્વ-કલ્યાણ પહેલાં સેમ્પલ રુપ માં દેખાડો. વિશ્વ-કલ્યાણ ની સેવા માં સફળતા મૂર્ત બનવાનું સાધન જ છે પ્રત્યક્ષ પ્રમાણ. આનાથી જ બાપ ની પ્રત્યક્ષતા થશે જે બોલો છો તે તમારા સ્વરુપ થી પ્રેક્ટિકલ દેખાય ત્યારે માનશે.

સ્લોગન :-
બીજા નાં વિચારો ને પોતાનાં વિચારો સાથે મેળવવા આ જ છે રિગાર્ડ આપવો.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો

કર્માતીત બનવા માટે ચેક કરો ક્યાં સુધી કર્મો નાં બંધન થી ન્યારા બન્યાં છો? લૌકિક અને અલૌકિક કર્મ અને સંબંધ બંને માં સ્વાર્થ ભાવ થી મુક્ત ક્યાં સુધી બન્યાં છો? જ્યારે કર્મો નાં હિસાબ-કિતાબ કે કોઈપણ વ્યર્થ સ્વભાવ-સંસ્કાર નાં વશ થવાથી મુક્ત બનશો ત્યારે કર્માતીત સ્થિતિ ને પ્રાપ્ત કરી શકશો. કોઈપણ સેવા, સંગઠન, પ્રકૃતિ ની પરિસ્થિતિ સ્વસ્થિતિ કે શ્રેષ્ઠ સ્થિતિ ને ડગમગ ન કરે. આ બંધન થી પણ મુક્ત રહેવું જ કર્માતીત સ્થિતિ ની સમીપતા છે.