12-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સત્
બાપ દ્વારા સંગમ પર તમને સત્ય નું વરદાન મળે છે એટલે તમે ક્યારેય પણ જુઠ્ઠું ન બોલી
શકો”
પ્રશ્ન :-
નિર્વિકારી બનવા માટે
આપ બાળકોએ કઈ મહેનત જરુર કરવાની છે?
ઉત્તર :-
આત્મ-અભિમાની બનવાની મહેનત જરુર કરવાની છે. ભ્રકુટી ની વચ્ચે આત્મા ને જ જોવાનો
અભ્યાસ કરો. આત્મા બનીને આત્મા સાથે વાત કરો, આત્મા થઈને સાંભળો. દેહ પર દૃષ્ટિ ન
જાય - આ જ મુખ્ય મહેનત છે, આ જ મહેનત માં વિઘ્ન પડે છે. જેટલું થઈ શકે આ અભ્યાસ કરો
- કે “હું આત્મા છું, હું આત્મા છું.”
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
મીઠાં બાળકો
ને બાપે સ્મૃતિ અપાવી છે કે સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે! હમણાં આપ બાળકો જાણો
છો આપણે બાપ પાસે થી જે કાંઈ જાણ્યું છે, બાપે જે રસ્તો બતાવ્યો છે, તે દુનિયામાં
કોઈ નથી જાણતાં. સ્વયં જ પૂજ્ય, સ્વયં જ પુજારી નો અર્થ પણ તમને સમજાવ્યો છે, જે
પૂજ્ય વિશ્વ નાં માલિક બને છે, તે જ પછી પુજારી બને છે. પરમાત્મા માટે એવું નહીં
કહેવાશે. હવે તમને સ્મૃતિ માં આવ્યું છે કે આ તો બિલકુલ સાચ્ચી વાત છે. સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નાં સમાચાર બાપ જ સંભળાવે છે, બીજા કોઈને પણ જ્ઞાન નાં સાગર નથી
કહેવાતાં. આ મહિમા શ્રીકૃષ્ણ ની નથી. હમણાં તમે સમજો છો, એમનો આત્મા જ્ઞાન લઈ રહ્યો
છે. આ વન્ડરફુલ વાત છે. બાપ વગર કોઈ સમજાવી ન શકે. એમ તો ઘણાં સાધુ-સંત ભિન્ન-ભિન્ન
પ્રકાર નાં હઠયોગ વગેરે શીખવાડતા રહે છે. તે બધો છે ભક્તિમાર્ગ. સતયુગ માં તમે કોઈની
પણ પૂજા નથી કરતાં. ત્યાં તમે પુજારી નથી બનતાં. એમને કહેવાય જ છે - પૂજ્ય
દેવી-દેવતા હતાં, હમણાં નથી. તે જ પૂજ્ય પછી હમણાં પુજારી બન્યાં છે. બાપ કહે છે આ
પણ પૂજા કરતા હતાં ને? આખી દુનિયા આ સમયે પુજારી છે. નવી દુનિયા માં એક જ પૂજ્ય
દેવી-દેવતા ધર્મ રહે છે. બાળકો ને સ્મૃતિ માં આવ્યું બરોબર ડ્રામા નાં પ્લાન અનુસાર
આ બિલકુલ સાચ્ચું છે. ગીતા અધ્યાય બરોબર છે. ફક્ત ગીતા માં નામ બદલી દીધું છે. જેને
સમજાવવા માટે જ તમે મહેનત કરો છો. ૨૫૦૦ વર્ષ થી ગીતા શ્રીકૃષ્ણ ની સમજતા આવ્યાં છે.
હવે એક જન્મ માં સમજી જાય કે ગીતા નિરાકાર ભગવાને સંભળાવી, એમાં સમય તો લાગે છે ને?
ભક્તિ નું પણ સમજાવ્યું છે, ઝાડ કેટલું લાંબું-પહોળું છે. તમે લખી શકો છો બાપ અમને
રાજયોગ શીખવાડી રહ્યાં છે. જે બાળકો ને નિશ્ચય થઈ જાય છે તો તે નિશ્ચય થી સમજાવે પણ
છે. નિશ્ચય નથી તો સ્વયં જ મુંઝાતા રહે છે - કેવી રીતે સમજાવીએ, કોઈ હંગામો તો નહીં
થશે? નિડર તો હજી થયા નથી ને? નિડર ત્યારે બનશો જ્યારે પૂરાં દેહી-અભિમાની બની જાઓ,
ડરવાનું તો ભક્તિમાર્ગ માં હોય છે. તમે બધા છો મહાવીર. દુનિયા માં તો કોઈ નથી જાણતા
કે માયા પર જીત કેવી રીતે મેળવાય છે. આપ બાળકો ને હવે સ્મૃતિ માં આવ્યું છે. પહેલાં
પણ બાપે કહ્યું હતું મનમનાભવ. પતિત-પાવન બાપ જ આવીને આ સમજાવે છે, ભલે ગીતા માં
શબ્દ છે પરંતુ આવું કોઈ સમજાવતા નથી. બાપ કહે છે બાળકો, દેહી-અભિમાની ભવ. ગીતા માં
શબ્દ તો છે ને - લોટ માં મીઠું સમાન. દરેક વાત નો બાપ નિશ્ચય બેસાડે છે.
નિશ્ચયબુદ્ધિ વિજયન્તી.
તમે હમણાં બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં પણ જરુર
રહેવાનું છે. બધાએ અહીં આવીને બેસવાની જરુર નથી. સર્વિસ (સેવા) કરવાની છે,
સેવાકેન્દ્ર ખોલવાના છે. તમે છો સૈલવેશન આર્મી. ઈશ્વરીય મિશન છો ને? પહેલાં શૂદ્ર
માયાવી મિશન નાં હતાં, હમણાં તમે ઈશ્વરીય મિશન નાં બન્યાં છો. તમારું મહત્વ ખૂબ છે.
આ લક્ષ્મી-નારાયણ ની શું મહિમા છે! જેમ રાજાઓ હોય છે, તેમ રાજ્ય કરે છે. બાકી આમને
કહેવાશે સર્વગુણ સંપન્ન, વિશ્વ નાં માલિક કારણકે એ સમયે બીજું કોઈ રાજ્ય નથી હોતું.
હવે બાળકો સમજી ગયા છે - વિશ્વ નાં માલિક કેવી રીતે બન્યાં? હમણાં આપણે જ દેવતા
બનીએ છીએ તો પછી એમને માથું કેવી રીતે ઝુકાવી શકીએ? તમે નોલેજફુલ બની ગયા છો, જેમને
નોલેજ નથી તે માથું નમાવતા રહે છે. તમે બધાનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને હવે જાણી ગયા
છો. ચિત્ર ખોટા કયા છે, સાચાં કયા છે, તે પણ તમે સમજાવી શકો છો. રાવણરાજ્ય નું પણ
તમે સમજાવો છો. આ રાવણરાજ્ય છે, આને આગ લાગી રહી છે. ભંભોર ને આગ લાગવાની છે, ભંભોર
વિશ્વ ને કહેવાય છે. શબ્દ જે ગવાય છે એનાં પર સમજાવાય છે. ભક્તિમાર્ગ માં તો અનેક
ચિત્ર બનાવ્યાં છે. હકીકત માં અસલ હોય છે શિવબાબા ની પૂજા, પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર
ની. ત્રિમૂર્તિ જે બનાવે છે તે સાચ્ચું છે. પછી આ લક્ષ્મી-નારાયણ બસ. ત્રિમૂર્તિ
માં બ્રહ્મા-સરસ્વતી પણ આવી જાય છે. ભક્તિમાર્ગ માં કેટલાં ચિત્ર બનાવે છે. હનુમાન
ની પણ પૂજા કરે છે. તમે મહાવીર બની રહ્યાં છો ને? મંદિર માં પણ કોઈની હાથી પર સવારી,
કોઈની ઘોડા પર સવારી દેખાડી છે. હવે એવી સવારી થોડી છે? બાપ કહે છે મહારથી. મહારથી
એટલે હાથી પર સવાર. તો તેમણે પછી હાથી ની સવારી બનાવી દીધી છે. આ પણ સમજાવ્યું છે
કે કેવી રીતે ગજ ને ગ્રાહ ખાય છે. બાપ સમજાવે છે જે મહારથી છે, ક્યારેક-ક્યારેક એમને
પણ માયા ગ્રાહ હપ કરી લે છે. તમને હમણાં જ્ઞાન ની સમજ આવી છે. સારા-સારા મહારથીઓ ને
માયા ખાઈ જાય છે. આ છે જ્ઞાન ની વાતો, આનું વર્ણન કોઈ કરી ન શકે. બાપ કહે છે
નિર્વિકારી બનવાનું છે, દૈવીગુણ ધારણ કરવાનાં છે. કલ્પ-કલ્પ બાપ કહે છે - કામ
મહાશત્રુ છે. આમાં છે મહેનત. આનાં પર તમે વિજય મેળવો છો. પ્રજાપિતા નાં બન્યાં તો
ભાઈ-બહેન થઈ ગયાં. હકીકત માં અસલ તમે છો આત્માઓ. આત્મા, આત્મા સાથે વાત કરે છે.
આત્મા જ આ કાનો દ્વારા સાંભળે છે, આ યાદ રાખવું પડે. આપણે આત્મા ને સંભળાવીએ છીએ,
દેહ ને નહીં. અસલ માં આપણે આત્માઓ ભાઈ-ભાઈ છીએ પછી પરસ્પર ભાઈ-બહેન પણ છીએ.
સંભળાવવાનું તો ભાઈ ને હોય છે. દૃષ્ટિ આત્મા તરફ જવી જોઈએ. આપણે ભાઈ ને સંભળાવીએ
છીએ. ભાઈ સાંભળો છો? હા, હું આત્મા સાંભળું છું. બિકાનેર માં એક બાળક છે જે સદૈવ
આત્મા-આત્મા કહી લખે છે. મારો આત્મા આ શરીર દ્વારા લખી રહ્યો છે. મુજ આત્મા નો આ
વિચાર છે. મારો આત્મા આ કરે છે. તો આ આત્મ-અભિમાની બનવું મહેનત ની વાત છે ને? મારો
આત્મા નમસ્તે કરે છે. જેમ બાબા કહે છે - રુહાની બાળકો. તો ભ્રકુટી તરફ જોવું પડે.
આત્મા જ સાંભળવા વાળો છે, આત્મા ને હું સંભળાવું છું. તમારી નજર આત્મા પર પડવી જોઈએ.
આત્મા ભ્રકુટી ની વચ્ચે છે. શરીર પર નજર પડવાથી વિઘ્ન આવે છે. આત્મા સાથે વાત કરવાની
છે. આત્મા ને જ જોવાનો છે. દેહ-અભિમાન ને છોડો. આત્મા જાણે છે - બાપ પણ અહીં ભ્રકુટી
ની વચ્ચે બેઠાં છે. એમને આપણે નમસ્તે કરીએ છીએ. બુદ્ધિ માં આ જ્ઞાન છે આપણે આત્મા
છીએ, આત્મા જ સાંભળે છે. આ જ્ઞાન પહેલાં નહોતું. આ દેહ મળ્યો છે પાર્ટ ભજવવા માટે
એટલે દેહ પર જ નામ રખાય છે. આ સમયે તમારે દેહી-અભિમાની બની પાછું જવાનું છે. આ નામ
રાખ્યું છે પાર્ટ ભજવવાં. નામ વગર તો કારોબાર ચાલી ન શકે. ત્યાં પણ કારોબાર તો ચાલશે
ને? પરંતુ તમે સતોપ્રધાન બની જાઓ છો એટલે ત્યાં કોઈ વિકર્મ નહીં બનશે. એવું કોઈ કામ
જ તમે નહીં કરશો જે વિકર્મ બને. માયા નું રાજ્ય જ નથી. હવે બાપ કહે છે - આપ આત્માઓએ
પાછું જવાનું છે. આ તો જૂનું શરીર છે પછી જશો સતયુગ-ત્રેતા માં. ત્યાં જ્ઞાન ની
જરુર જ નથી. અહીં તમને જ્ઞાન કેમ આપે છે? કારણકે દુર્ગતિ થયેલી છે. કર્મ તો ત્યાં
પણ કરવાના છે પરંતુ તે અકર્મ થઈ જાય છે. હવે બાપ કહે છે હથ કાર ડે… આત્મા યાદ બાપને
કરે છે. સતયુગ માં તમે પાવન છો તો બધો કારોબાર પાવન હોય છે. તમોપ્રધાન રાવણરાજ્ય
માં તમારો કારોબાર ખોટો થઈ જાય છે, એટલે મનુષ્ય તીર્થ-યાત્રા વગેરે પર જાય છે.
સતયુગ માં કોઈ પાપ કરતા નથી જે તીર્થો વગેરે પર જવું પડે. ત્યાં તમે જે પણ કામ કરો
છો તે સત્ય જ કરો છો. સત્ય નું વરદાન મળી ગયું છે. વિકાર ની વાત જ નથી. કારોબાર માં
પણ જુઠ્ઠા ની જરુર નથી રહેતી. અહીં તો લોભ હોવાનાં કારણે મનુષ્ય ચોરી-ઠગી કરે છે,
ત્યાં આ વાતો હોતી નથી. ડ્રામા અનુસાર તમે એવાં ફૂલ બની જાઓ છો. તે છે જ નિર્વિકારી
દુનિયા, આ છે વિકારી દુનિયા. બધો ખેલ બુદ્ધિ માં છે. આ સમયે જ પવિત્ર બનવા માટે
મહેનત કરવી પડે. યોગબળ થી તમે વિશ્વ નાં માલિક બનો છો, યોગબળ છે મુખ્ય. બાપ કહે છે
ભક્તિમાર્ગ નાં યજ્ઞ-તપ વગેરે થી કોઈ પણ મને પ્રાપ્ત નથી કરતા. સતો-રજો-તમો માં
જવાનું જ છે. જ્ઞાન ખૂબ સહજ અને રમણીક છે, મહેનત પણ છે. આ યોગ ની જ મહિમા છે જેનાથી
તમારે સતોપ્રધાન બનવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાનો રસ્તો બાપ જ બતાવે
છે. બીજું કોઈ આ જ્ઞાન આપી ન શકે. ભલે કોઈ ચંદ્ર સુધી ચાલ્યાં જાય છે, કોઈ પાણી થી
ચાલ્યાં જાય છે. પરતું તે કોઈ રાજયોગ નથી. નર થી નારાયણ તો નથી બની શકતાં. અહીંયા
તમે સમજો છો આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં જે ફરી હમણાં બની રહ્યાં છીએ.
સ્મૃતિ આવી છે. બાપે કલ્પ પહેલાં પણ આ સમજાવ્યું હતું. બાપ કહે છે નિશ્ચયબુદ્ધિ
વિજયન્તી. નિશ્ચય નથી તો તે સાંભળવા આવશે જ નહીં. નિશ્ચયબુદ્ધિ થી પછી સંશયબુદ્ધિ
પણ બની જાય છે. બહુ જ સારા-સારા મહારથી પણ સંશય માં આવી જાય છે. માયા નાં થોડા
તોફાન આવવાથી દેહ-અભિમાન આવી જાય છે.
આ બાપદાદા બંને કમ્બાઈન્ડ (ભેગા) છે ને? શિવબાબા જ્ઞાન આપે છે પછી ચાલ્યાં જાય છે
કે શું થાય છે, કોણ બતાવે? બાબા ને પૂછીએ શું આપ સદૈવ છો કે ચાલ્યાં જાઓ છો? બાપ ને
તો આ નથી પૂછી શકતાં ને? બાપ કહે છે હું તમને રસ્તો બતાવું છું પતિત થી પાવન બનવાનો.
આવવું, જવું, મારે તો બહુજ કામ કરવા પડે છે. બાળકો ની પાસે પણ જાઉં છું, એમની પાસે
કાર્ય કરાવું છું. આમાં સંશય ની કોઈ વાત ન લાવો. આપણું કામ છે - બાપ ને યાદ કરવાં.
સંશય માં આવવાથી પડી જાય છે. માયા થપ્પડ જોર થી મારી દે છે. બાપે કહ્યું છે અનેક
જન્મો નાં અંત નાં પણ અંત માં હું આમનામાં આવું છું. બાળકો ને નિશ્ચય છે બરોબર બાપ
જ આપણને આ જ્ઞાન આપી રહ્યાં છે, બીજું કોઈ આપી ન શકે. તો પણ આ નિશ્ચય થી કેટલાં પડી
જાય છે, આ બાપ જાણે છે. તમારે પાવન બનવું છે તો બાપ કહે છે મામેકમ્ યાદ કરો, બીજી
કોઈ વાતો માં ન પડો. તમે આ આવી વાતો કરો છો તો સમજ માં આવે છે - પાક્કો નિશ્ચય નથી.
પહેલાં એક વાત ને સમજો જેનાથી તમારા પાપ નાશ થાય છે, બાકી ફાલતુ વાતો કરવાની જરુર
નથી. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થશે પછી બીજી વાતો માં કેમ જાઓ છો? જુઓ, કોઈ
પ્રશ્ન-ઉત્તર માં મૂંઝાય છે તો એમને કહો કે તમે આ વાતો ને છોડી એક બાપ ની યાદ માં
રહેવાનો પુરુષાર્થ કરો. સંશય માં આવ્યાં તો ભણતર જ છોડી દેશે પછી કલ્યાણ જ નહીં થશે.
નસ (નાડી) જોઈને સમજાવવાનું છે. સંશય માં છે તો એક પોઈન્ટ પર રોકી દેવાનાં છે. બહુજ
યુક્તિ થી સમજાવવું પડે છે. બાળકો ને પહેલાં આ નિશ્ચય હોય - બાબા આવેલા છે, અમને
પાવન બનાવી રહ્યાં છે. આ તો ખુશી રહે છે. નહીં ભણશે તો નાપાસ થઈ જશે, એમને ખુશી પણ
કેમ આવશે. સ્કૂલ માં અભ્યાસ તો એક જ હોય છે. પછી કોઈ ભણીને લાખો ની કમાણી કરે છે,
કોઈ ૫-૧૦ રુપિયા કમાય છે. તમારો મુખ્ય ઉદ્દેશ જ છે નર થી નારાયણ બનવાનો. રાજાઈ
સ્થાપન થાય છે. તમે મનુષ્ય થી દેવતા બનશો. દેવતાઓ ની તો મોટી રાજધાની છે, એમાં ઊંચ
પદ મેળવવું તે પછી ભણતર અને એક્ટિવિટી (પ્રવૃત્તિ) પર છે. તમારી એક્ટિવિટી બહુ સારી
હોવી જોઈએ. બાબા પોતાનાં માટે પણ કહે છે - હજી કર્માતીત અવસ્થા નથી બની. મારે પણ
સંપૂર્ણ બનવાનું છે, હમણાં બન્યાં નથી. જ્ઞાન તો બહુ સહજ છે. બાપ ને યાદ કરવા પણ
સહજ છે પરંતુ જ્યારે કરે તો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાત
માં સંશય બુદ્ધિ બની ભણતર નથી છોડવાનું. પહેલાં તો પાવન બનવા માટે એક બાપ ને યાદ
કરવાના છે, બીજી વાતો માં નથી જવાનું.
2. શરીર પર નજર જવાથી
વિઘ્ન આવે છે, એટલે ભ્રકુટી માં જોવાનું છે. આત્મા સમજી, આત્મા સાથે વાત કરવાની છે.
આત્મ-અભિમાની બનવાનું છે. નિડર બનીને સેવા કરવાની છે.
વરદાન :-
સદા બાપ નાં
અવિનાશી અને નિ : સ્વાર્થ પ્રેમ માં લવલીન રહેવા વાળા માયાપ્રૂફ ભવ
જે બાળકો સદા બાપ નાં
પ્રેમ માં લવલીન રહે છે એમને માયા આકર્ષિત નથી કરી શકતી. જેવી રીતે વોટરપ્રૂફ કપડા
હોય છે તો પાણી નું એક ટીપું પણ નથી ટકતું. એવી રીતે જે લગન માં લવલીન રહે છે તે
માયાપ્રૂફ બની જાય છે. માયા નો કોઈ પણ વાર, વાર નથી કરી શકતો કારણકે બાપ નો પ્રેમ
અવિનાશી અને નિ:સ્વાર્થ છે, આનાં જે અનુભવી બની ગયા તે અલ્પકાળ નાં પ્રેમ માં ફસાઈ
નથી શકતાં. એક બાપ બીજો હું, એની વચ્ચે ત્રીજું કોઈ આવી જ નથી શકતું.
સ્લોગન :-
ન્યારા-પ્યારા
બનીને કર્મ કરવા વાળા જ સેકન્ડ માં ફુલસ્ટોપ લગાવી શકે છે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
કર્માતીત અર્થાત્
કર્મ નાં વશ થવા વાળા નહીં પરંતુ માલિક બની, અથોરીટી બની કર્મેન્દ્રિયો નાં સંબંધ
માં આવે, વિનાશી કામના થી ન્યારા થઈ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવે. આત્મા માલિક
ને કર્મ પોતાને અધિન ન કરે પરંતુ અધિકારી બની કર્મ કરાવતા રહે. કરાવવા વાળા બની
કર્મ કરાવવા - આને કહેવાશે કર્મ નાં સંબંધ માં આવવું. કર્માતીત આત્મા સંબંધ માં આવે
છે, બંધન માં નહીં.