13-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની શ્રીમત નો રિગાર્ડ ( આદર ) રાખવો એટલે મોરલી ક્યારેય પણ મિસ ( ગેરહાજરી ) ન કરવી , દરેક આજ્ઞા નું પાલન કરવું”

પ્રશ્ન :-
જો આપ બાળકો ને કોઈ પૂછે રાજી-ખુશી છો? તો તમારે કયો જવાબ ફલક થી આપવો જોઈએ?

ઉત્તર :-
બોલો - પરવા હતી પાર બ્રહ્મ માં રહેવા વાળા ની, એ મળી ગયા, બાકી શું જોઈએ? પાના થા સો પા લિયા… આપ ઈશ્વરીય બાળકો ને કોઈ વાત ની પરવા નથી. તમને બાપે પોતાનાં બનાવ્યાં, તમારા પર તાજ રાખ્યો પછી પરવા કઈ વાત ની?

ઓમ શાંતિ!
બાપ સમજાવે છે બાળકો ની બુદ્ધિ માં જરુર હશે કે બાબા - બાપ પણ છે, શિક્ષક પણ છે, સુપ્રીમ ગુરુ પણ છે, એ જ યાદ માં જરુર હશો. આ યાદ ક્યારેય કોઈ શિખવાડી પણ ન શકે. બાપ જ કલ્પ-કલ્પ આવીને શિખવાડે છે. એ જ જ્ઞાન સાગર પતિત-પાવન પણ છે. એ બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. આ હમણાં સમજાય છે, જ્યારે જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. બાળકો ભલે સમજતા તો હશે પરંતુ બાપ ને જ ભૂલી જાય છે તો શિક્ષક, ગુરુ પછી કેવી રીતે યાદ આવશે? માયા બહુ જ પ્રબળ છે જે ત્રણ રુપ માં મહિમા હોવા છતાં પણ ત્રણેવ ને ભૂલાવી દે છે, એટલી સર્વશક્તિમાન્ છે. બાળકો પણ લખે છે બાબા અમે ભૂલી જઈએ છીએ. માયા એવી પ્રબળ છે. ડ્રામા અનુસાર છે ખૂબ સહજ. બાળકો સમજે છે આવું ક્યારેય કોઈ હોય નથી શકતું. એ જ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે - સાચ્ચે-સાચ્ચે, આમાં ગપ્પા વગેરે ની કોઈ વાત નથી. અંદર સમજવું જોઈએ ને? પરંતુ માયા ભૂલાવી દે છે. કહે છે અમે હાર ખાઈ લઈએ છીએ, તો કદમ-કદમ માં પદમ કેવી રીતે થશે? દેવતાઓ ને જ પદમ ની નિશાની આપે છે. બધાને તો આપી ન શકાય. ઈશ્વર નું આ ભણતર છે, મનુષ્ય નું નથી. મનુષ્ય નું આ ભણતર ક્યારેય ન હોય શકે. ભલે દેવતાઓ ની મહિમા કરાય છે પરંતુ છતાં પણ ઊંચા માં ઊંચા એક બાપ છે. બાકી તેઓની મહિમા શું છે, આજે ગધાઈ કાલે રાજાઈ. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો આવાં (લક્ષ્મી-નારાયણ) બનવાનો. જાણો છો આ પુરુષાર્થ માં અનેક ફેલ (નાપાસ) થાય છે. ભણે તો પણ એટલાં છે જેટલાં કલ્પ પહેલાં પાસ થયા હતાં. હકીકત માં જ્ઞાન છે પણ ખૂબ સહજ પરંતુ માયા ભૂલાવી દે છે. બાપ કહે છે પોતાનો ચાર્ટ લખો પરંતુ લખી નથી શકતાં. ક્યાં સુધી બેસીને લખે? જો લખે પણ છે તો જાંચ (તપાસ) કરે છે - બે કલાક યાદ માં રહ્યાં? પછી તે પણ એમને ખબર પડે છે, જે બાપ ની શ્રીમત ને અમલ માં લાવે છે. બાપ તો સમજશે આ બિચારાઓ ને લજ્જા (શરમ) આવતી હશે. નહીં તો શ્રીમત અમલ માં લાવવી જોઈએ. પરંતુ બે ટકા મુશ્કેલ ચાર્ટ લખે છે. બાળકો ને શ્રીમત નો એટલો આદર નથી. મોરલી મળવા છતાં પણ વાંચતા નથી. દિલ માં લાગતું જરુર હશે - બાબા કહે તો સાચ્ચું છે, અમે મોરલી જ નથી વાંચતા તો બાકી બીજાઓ ને સમજાવીશું શું?

(યાદ ની યાત્રા) ઓમ્ શાંતિ. રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે, આ તો બાળકો સમજે છે બરોબર આપણે આત્મા છીએ, આપણને પરમપિતા પરમાત્મા ભણાવી રહ્યાં છે. બીજું શું કહે છે? મને યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનો. આમાં બાપ પણ આવી ગયા, ભણતર અને ભણાવવા વાળા પણ આવી ગયાં. સદ્દગતિ દાતા પણ આવી ગયાં. થોડા શબ્દ માં પૂરું જ્ઞાન આવી જાય છે. અહીં તમે આવો જ છો આને રિવાઇઝ (પુનરાવર્તન) કરવા માટે. બાપ પણ આ જ સમજાવે છે કારણકે તમે પોતે કહો છો અમે ભૂલી જઈએ છીએ એટલે અહીંયા આવીએ છીએ રિવાઇઝ કરવાં. ભલે કોઈ અહીં રહે છે તો પણ રિવાઇઝ નથી થતું. તકદીર માં નથી. તદબીર (પુરુષાર્થ) તો બાપ કરાવે જ છે. તદબીર કરાવવા વાળા એક બાપ જ છે. આમાં કોઈ ની પાસે ખાતરી પણ નથી થઈ શકતી. નથી સ્પેશ્યલ ભણતર. એ ભણતર માં સ્પેશ્યલ ભણવા માટે શિક્ષક ને બોલાવે છે. એ તો તકદીર બનાવવા માટે સૌને ભણાવે છે. એક-એક ને અલગ ક્યાં સુધી ભણાવશે? કેટલાં બધા બાળકો છે. એ ભણતર માં કોઈ મોટા વ્યક્તિ નાં બાળકો હોય છે તો એમને સ્પેશિયલ ભણાવે છે. શિક્ષક જાણે છે કે આ ડલ (ઠોઠ) છે એટલે એને સ્કોલરશિપ લાયક બનાવે છે. આ બાપ એવું નથી કરતાં. આ તો એકરસ બધા ને ભણાવે છે. તે થયું શિક્ષક નો એક્સ્ટ્રા પુરુષાર્થ કરાવવો. આ તો એક્સ્ટ્રા પુરુષાર્થ કોઈને અલગ થી કરાવતા નથી. એક્સ્ટ્રા પુરુષાર્થ એટલે જ માસ્ટર કાંઈક કૃપા કરે છે. આમ તો ભલે પૈસા લે છે, ખાસ સમય આપી ભણાવે છે જેનાથી તે વધારે ભણીને હોંશિયાર બને છે. અહીં તો વધારે કાંઈ ભણવાની વાત જ નથી. આમની તો વાત જ નવી છે. એક જ મહામંત્ર આપે છે - “મનમનાભવ”. યાદ થી શું થાય છે, આ તો સમજો છો બાપ જ પતિત-પાવન છે. જાણો છો એમને યાદ કરવાથી જ પાવન બનશો.

હવે આપ બાળકો ને જ્ઞાન છે, જેટલાં યાદ કરશો એટલાં પાવન બનશો. ઓછા યાદ કરશો તો ઓછા પાવન બનશો. આ આપ બાળકો નાં પુરુષાર્થ પર છે. બેહદ નાં બાપ ને યાદ કરવાથી આપણે આ (લક્ષ્મી-નારાયણ) બનવાનું છે. એમની મહિમા તો દરેક જાણે છે. કહે પણ છે આપ પુણ્ય આત્મા છો, અમે પાપ આત્મા છીએ. અનેક મંદિર બનેલા છે. ત્યાં બધા શું કરવા જાય છે? દર્શન થી ફાયદો તો કાંઈ પણ નથી. એક-બીજા ને જોઈ ચાલ્યાં જાય છે. બસ, દર્શન કરવા જાય છે. ફલાણા યાત્રા પર જાય છે, અમે પણ જઈએ. આનાથી શું થશે? કાંઈ પણ નહીં. આપ બાળકોએ પણ યાત્રાઓ કરી છે. જેમ બીજા તહેવાર મનાવે છે, તેમ યાત્રા પણ એક તહેવાર સમજે છે. હમણાં તમે યાદ ની યાત્રા ને પણ એક તહેવાર સમજો છો. તમે યાદ ની યાત્રા માં રહો છો. શબ્દ જ એક છે મનમનાભવ. આ તમારી યાત્રા અનાદિ છે. તેઓ પણ કહે છે - તે યાત્રા અમે અનાદિ કરતા આવ્યાં છીએ. પરંતુ તમે હમણાં જ્ઞાન સહિત કહો છો આપણે કલ્પ-કલ્પ આ યાત્રા કરીએ છીએ. બાપ જ આવીને આ યાત્રા શીખવાડે છે. તેઓ ચારેય ધામ જન્મ-જન્મ યાત્રા કરે છે. આ તો બેહદ નાં બાપ કહે છે - મને યાદ કરો તો તમે પાવન બની જશો. આવું તો બીજા કોઈ ક્યારેય નથી કહેતાં કે યાત્રા થી તમે પાવન બનશો. મનુષ્ય યાત્રા પર જાય છે તો તેઓ એ સમયે પાવન રહે છે, આજકાલ તો ત્યાં પણ ગંદકી થઈ ગઈ છે, પાવન નથી રહેતાં. આ રુહાની યાત્રા ની તો કોઈને ખબર જ નથી. તમને હમણાં બાપે બતાવ્યું છે - આ યાદ ની યાત્રા છે સાચ્ચી. તે યાત્રા નું ચક્ર લગાવવા જાય છે તો પણ એવાં ને એવાં બની જાય છે. ચક્ર લગાવતા રહે છે. જેમ વાસ્કોડિગામાએ સૃષ્ટિ નું ચક્ર લગાવ્યું. આ પણ ચક્ર લગાવે છે ને? ગીત પણ છે ને - ચારેય તરફ લગાવ્યાં ફેરા… તો પણ હરદમ (દરેક ઘડી) દૂર રહ્યાં. ભક્તિમાર્ગ માં તો કોઈ મેળવી નથી શકતાં. ભગવાન કોઈને મળ્યાં નથી. ભગવાન થી દૂર જ રહ્યાં. ફેરા લગાવીને પછી પણ ઘરે આવીને ૫ વિકારો માં ફસાય છે. તે બધી યાત્રાઓ છે જુઠ્ઠી. હમણાં આપ બાળકો જાણો છો આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે બાપ આવ્યાં છે. એક દિવસ બધા જાણી જશે બાપ આવ્યાં છે. ભગવાન અંતે મળશે, પરંતુ કેવી રીતે? આ તો કોઈ પણ જાણતું નથી. આ તો મીઠાં-મીઠાં બાળકો જાણે છે કે આપણે શ્રીમત પર આ ભારત ને ફરી થી સ્વર્ગ બનાવી રહ્યાં છીએ. ભારત નું જ તમે નામ લેશો. એ સમયે બીજો કોઈ ધર્મ હોતો નથી. આખું વિશ્વ પવિત્ર બની જાય છે. હમણાં તો અનેક ધર્મ છે. બાપ આવીને તમને આખાં ઝાડ ની નોલેજ સંભળાવે છે. તમને સ્મૃતિ અપાવે છે. તમે જ દેવતા હતાં, પછી ક્ષત્રિય, ક્ષત્રિય થી વૈશ્ય, વૈશ્ય થી શૂદ્ર બન્યાં. હમણાં તમે જ બ્રાહ્મણ બન્યાં છો. આ ‘હમ સો’ નો અર્થ બાપ કેટલો સહજ સમજાવે છે! ઓમ્ અર્થાત્ હું આત્મા પછી આપણે આત્મા આવી રીતે ચક્ર લગાવીએ છીએ. તે તો કહી દે છે આપણે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આપણે આત્મા. એક પણ નથી જેમને હમ સો નો અર્થ યથાર્થ ખબર હોય. તો બાપ કહે છે આ જે મંત્ર છે આ દરેક સમયે યાદ રાખવો જોઈએ. ચક્ર બુદ્ધિ માં નહીં હશે તો ચક્રવર્તી રાજા કેવી રીતે બનશો? હમણાં આપણે આત્મા બ્રાહ્મણ છીએ, પછી આપણે દેવતા બનીશું. આ તમે કોઈ ને પણ જઈને પૂછો, કોઈ નહીં બતાવશે. તે તો ૮૪ નો અર્થ પણ નથી સમજતાં. ભારત નું ઉત્થાન અને પતન ગવાયેલું છે. આ ઠીક છે. સતોપ્રધાન, સતો, રજો, તમો, સૂર્યવંશી, ચંદ્રવંશી, વૈશ્યવંશી… હવે આપ બાળકો ને બધી ખબર પડી ગઈ છે. બીજરુપ બાપ ને જ જ્ઞાન નાં સાગર કહેવાય છે. એ આ ચક્ર માં નથી આવતાં. એવું નથી, આપણે જીવ આત્મા સો પરમાત્મા બની જઈએ છીએ. ના, બાપ આપસમાન નોલેજફુલ બનાવે છે. આપસમાન ગોડ (ભગવાન) નથી બનાવતાં. આ વાતો ને ખૂબ સારી રીતે સમજવાની છે, ત્યારે બુદ્ધિ માં ચક્ર ચાલી શકે છે, જેનું નામ સ્વદર્શન ચક્ર રાખ્યું છે. તમે બુદ્ધિ થી સમજી શકો છો - આપણે કેવી રીતે આ ૮૪ નાં ચક્ર માં આવીએ છીએ. આમાં બધું આવી જાય છે. સમય પણ આવે છે, વર્ણ પણ આવી જાય છે, વંશાવલી પણ આવી જાય છે.

હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં આ બધું જ્ઞાન હોવું જોઈએ. નોલેજ થી જ ઊંચ પદ મળે છે. નોલેજ હશે તો બીજાઓ ને પણ આપશો. અહીં તમારી પાસે કોઈ પેપર (ફોર્મ) વગેરે નથી ભરાવાતાં. તે સ્કૂલો માં જ્યારે પરીક્ષા હોય છે તો પેપર્સ વિદેશ થી આવે છે. જે વિદેશ માં ભણતા હશે એમનું તો ત્યાં જ રીઝલ્ટ નીકળતું હશે. એમનાં માં પણ કોઈ મોટા એજ્યુકેશન ઓથોરિટી (શિક્ષણ અધિકારી) હશે જે જાંચ (તપાસ) કરતા હશે પેપર્સ ની. તમારા પેપર્સ ની તપાસ કોણ કરશે? તમે સ્વયં જ કરશો. પોતાને જે ઈચ્છો તે બનાવો. પુરુષાર્થ થી જે ઈચ્છો તે પદ બાપ પાસે થી લઈ લો. પ્રદર્શન વગેરે માં બાળકો પૂછે છે ને - શું બનશો? દેવતા બનશો, બેરિસ્ટર બનશો... શું બનશો? જેટલું બાપ ને યાદ કરશો, સેવા કરશો એટલું ફળ મળશે. જે સારી રીતે બાપ ને યાદ કરે છે તે સમજે છે અમારે સેવા પણ કરવાની છે. પ્રજા બનાવવાની છે ને? આ રાજધાની સ્થાપન થઈ રહી છે. તો આમાં બધું જોઈએ. ત્યાં વજીર હોતાં નથી. વજીર ની આવશ્યક્તા તેમને હોય જેમને અક્કલ ઓછી હોય છે. તમને ત્યાં સલાહ ની જરુર નથી રહેતી. બાબા ની પાસે સલાહ લેવા આવે છે - સ્થૂળ વાતો ની સલાહ લે છે, પૈસા નું શું કરીએ? ધંધો કેવી રીતે કરીએ? બાબા કહે છે આ દુનિયાવી વાતો બાપ ની પાસે લઈને ન આવો. હા, ક્યાંક દિલશિકસ્ત (ઉદાસ) બની ન જાય તો કાંઈ ન કાંઈ આથત (આશ્વાસન) આપીને બતાવી દે છે. આ કાંઈ મારો ધંધો નથી. મારો તો ઈશ્વરીય ધંધો છે તમને રસ્તો બતાવવાનો. તમે વિશ્વ નાં માલિક કેવી રીતે બનો? તમને મળી છે શ્રીમત. બાકી બધી છે આસુરી મત. સતયુગ માં કહેવાશે શ્રીમત. કળિયુગ માં આસુરી મત. તે છે જ સુખધામ. ત્યાં એમ પણ નહીં કહેવાશે કે રાજી-ખુશી છો? તબિયત ઠીક છે? આ શબ્દ ત્યાં હોતાં નથી. આ અહીંયા પુછાય છે. કોઈ તકલીફ તો નથી ને? રાજી-ખુશી છો? આમાં પણ અનેક વાતો આવી જાય છે. ત્યાં દુઃખ છે જ નહીં, જે પુછાય. આ છે જ દુઃખ ની દુનિયા. હકીકત માં તમને કોઈ પૂછી ન શકે. ભલે માયા પાડવા વાળી છે તો પણ બાપ મળ્યાં છે ને? તમે કહેશો - શું તમે ખુશ-ખેરાફત પૂછો છો? અમે ઈશ્વર નાં બાળકો છીએ, અમને શું ખુશ-ખેરાફત પૂછો છો? પરવા હતી પાર બ્રહ્મ માં રહેવા વાળા બાપ ની, તે મળી ગયા, પછી કોની પરવા? આ હંમેશા યાદ રાખવું જોઈએ - અમે કોનાં બાળકો છીએ! આ પણ બુદ્ધિ માં જ્ઞાન છે - કે જ્યારે આપણે પાવન બની જઈશું તો પછી લડાઈ શરુ થઈ જશે. તો જ્યારે પણ તમને કોઈ પૂછે કે તમે ખુશ રાજી છો? તો કહો અમે તો સદૈવ ખુશ-રાજી છીએ. બીમાર પણ છો તો પણ બાપ ની યાદ માં છો. તમે સ્વર્ગ થી પણ વધારે અહીંયા ખુશ-રાજી છો. જ્યારે સ્વર્ગ ની બાદશાહી આપવા વાળા બાપ મળ્યાં છે, જે આપણને આટલાં લાયક બનાવે છે તો આપણે શું પરવા રાખવાની? ઈશ્વર નાં બાળકો ને શું પરવા? ત્યાં દેવતાઓ ને પણ પરવા નથી. દેવતાઓ ની ઉપર તો છે ઈશ્વર. તો ઈશ્વર નાં બાળકો ને શું પરવા હોય શકે છે? બાબા આપણને ભણાવે છે. બાબા આપણા શિક્ષક, સદ્દગુરુ છે. બાબા આપણી ઉપર તાજ રાખી રહ્યાં છે, આપણે તાજધારી બની રહ્યાં છીએ. તમે જાણો છો આપણને વિશ્વ નો તાજ કેવી રીતે મળે છે? બાપ તાજ નથી રાખતાં. આ પણ તમે જાણો છો સતયુગ માં બાપ પોતાનો તાજ પોતાનાં બાળકો પર રાખે છે, જેને અંગ્રેજી માં કહે છે ક્રાઉન પ્રિન્સ. અહીં જ્યાં સુધી બાપ નો તાજ બાળકો ને મળે ત્યાં સુધી બાળકો ને ઉત્કંઠા રહેશે - ક્યારે બાપ મરે તો તાજ અમારા માથા પર આવે. આશા હશે પ્રિન્સ થી મહારાજા બનું. ત્યાં તો એવી વાત નથી હોતી. પોતાનાં સમય પર કાયદા અનુસાર બાપ બાળકો ને તાજ આપીને પછી કિનારો કરી લે છે. ત્યાં વાનપ્રસ્થ ની ચર્ચા થતી નથી. બાળકો ને મહેલ વગેરે બનાવીને આપે છે, આશાઓ બધી પૂરી થઈ જાય છે. તમે સમજી શકો છો સતયુગ માં સુખ જ સુખ છે. પ્રેક્ટિકલ માં બધું સુખ ત્યારે મેળવશો જ્યારે ત્યાં જશો. તે તો તમે જ જાણો, સ્વર્ગ માં શું હશે? એક શરીર છોડી પછી ક્યાં જશો? હમણાં તમને પ્રેક્ટિકલ માં બાપ ભણાવી રહ્યાં છે. તમે જાણો છો આપણે સાચ્ચે-સાચ્ચે સ્વર્ગ માં જઈશું. તે તો કહી દે છે અમે સ્વર્ગ માં જઈએ છીએ, ખબર પણ નથી સ્વર્ગ કોને કહેવાય છે. જન્મ-જન્માંતર આ અજ્ઞાન ની વાતો સાંભળતા આવ્યાં, હવે બાપ તમને સત્ય વાતો સંભળાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા રાજી-ખુશી રહેવા માટે બાપ ની યાદ માં રહેવાનું છે. ભણતર થી પોતાનાં ઉપર રાજાઈ નો તાજ રાખવાનો છે.

2. શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે. સદા શ્રીમત નો રિગાર્ડ રાખવાનો છે.

વરદાન :-
શ્રેષ્ઠ તકદીર ની સ્મૃતિ દ્વારા પોતાનાં સમર્થ સ્વરુપ માં રહેવા વાળા સૂર્યવંશી પદ નાં અધિકારી ભવ

જે પોતાની શ્રેષ્ઠ તકદીર ને સદા સ્મૃતિ માં રાખે છે તે સમર્થ સ્વરુપ માં રહે છે. એમને સદા પોતાનું અનાદિ અસલી સ્વરુપ સ્મૃતિ માં રહે છે. ક્યારેય નકલી ચહેરો ધારણ નથી કરતાં. ઘણી વાર માયા નકલી ગુણ અને કર્તવ્ય નું સ્વરુપ બનાવી દે છે. કોઈને ક્રોધી, કોઈને લોભી, કોઈને દુઃખી, કોઈને અશાંત બનાવી દે છે - પરંતુ અસલી સ્વરુપ આ બધી વાતો થી પરે છે. જે બાળકો પોતાનાં અસલી સ્વરુપ માં સ્થિત રહે છે તે સૂર્યવંશી પદ નાં અધિકારી બની જાય છે.

સ્લોગન :-
સર્વ પર રહેમ કરવાવાળા બનો તો અહમ અને વહેમ સમાપ્ત થઈ જશે.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

જ્યારે તમારી રચના કમળ પુષ્પ પાણી માં રહેતાં પાણી નાં બંધન થી મુક્ત છે. તો જ્યારે રચના માં આ વિશેષતા છે તો શું માસ્ટર રચયિતા માં ન હોય શકે? જ્યારે ક્યારેક બંધન માં ફસાઈ જાઓ તો પોતાની સામે કમળ પુષ્પ નું ઉદાહરણ રાખો કે જ્યારે કમળ પુષ્પ ન્યારું-પ્યારું બની શકે છે તો શું માસ્ટર સર્વશક્તિવાન્ નથી બની શકતાં? તો સદા બની જશો.