13-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારી આ ઈશ્વરીય મિશન છે , તમે બધાને ઈશ્વર નાં બનાવીને તેમને બેહદ નો વારસો અપાવો છો”

પ્રશ્ન :-
કર્મેન્દ્રિયો ની ચંચળતા સમાપ્ત ક્યારે થશે?

ઉત્તર :-
જ્યારે તમારી સ્થિતિ સિલ્વર એજ (ત્રેતાયુગ) સુધી પહોંચશે અર્થાત્ જ્યારે આત્મા ત્રેતા ની સતો સ્થિતિ સુધી પહોંચી જશે તો કર્મન્દ્રિયો ની ચંચળતા બંધ થઈ જશે. હમણાં તમારી રીટર્ન જર્ની (પાછા જવાની યાત્રા) છે એટલે કર્મેન્દ્રિયો ને વશ માં રાખવાની છે. કોઈ પણ છુપાવીને એવાં કર્મ નથી કરવાના જેથી આત્મા પતિત બની જાય. અવિનાશી સર્જન તમને જે પરેજી બતાવી રહ્યાં છે, તેનાં પર ચાલતાં રહો.

ગીત :-
મુખડા દેખ લે પ્રાણી…

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે. ન ફક્ત આપ બાળકો ને, જે પણ રુહાની બાળકો પ્રજાપિતા બ્રહ્મા મુખ-વંશાવલી છે, તે જાણે છે. આપણને બ્રાહ્મણો ને જ બાપ સમજાવે છે. પહેલાં તમે શૂદ્ર હતાં પછી આવીને બ્રાહ્મણ બન્યાં છો. બાપે વર્ણો નો પણ હિસાબ સમજાવ્યો છે. દુનિયા માં વર્ણો ને પણ સમજતા નથી. ફક્ત ગાયન છે. હમણાં તમે બ્રાહ્મણ વર્ણ નાં છો પછી દેવતા વર્ણ નાં બનશો. વિચાર કરો આ વાત રાઈટ છે? જ્જ યોર સેલ્ફ (પોતે નિર્ણય કરો). અમારી વાત સાંભળો અને તુલના કરો. શાસ્ત્ર જે જન્મ-જન્માંતર સાંભળ્યાં છે અને જે જ્ઞાન સાગર બાપ સમજાવે છે તેની તુલના કરો - રાઈટ (સાચ્ચું) શું છે? બ્રાહ્મણ ધર્મ અથવા કુળ બિલકુલ ભૂલેલા છે. તમારી પાસે વિરાટ રુપ નું ચિત્ર યથાર્થ બનેલું છે, આનાં પર સમજાવાય છે. બાકી આટલી ભુજાઓ વાળા ચિત્ર જે બનાવ્યાં છે અને દેવીઓ નાં હથિયાર વગેરે બેસીને આપ્યાં છે, તે બધું છે રોંગ (ખોટું). આ ભક્તિમાર્ગ નાં ચિત્ર છે. આ આંખો થી બધું જુએ છે પરંતુ સમજતા નથી. કોઈ નાં ઓક્યુપેશન ની ખબર નથી. હમણાં આપ બાળકો ને પોતાનાં આત્મા ની ખબર પડી છે. અને ૮૪ જન્મો ની પણ ખબર પડી છે. જેમ બાપ આપ બાળકો ને સમજાવે છે, તમારે પછી બીજાઓ ને સમજાવવાનું છે. શિવબાબા તો બધાની પાસે નહીં જશે. જરુર બાપ નાં મદદગાર જોઈએ ને એટલે તમારી છે ઈશ્વરીય મિશન. તમે બધાને ઈશ્વર નાં બનાવો છો. સમજાવો છો એ આપણા આત્માઓ નાં બેહદ નાં બાપ છે. એમની પાસે થી બેહદ નો વારસો મળશે. જેમ લૌકિક બાપ ને યાદ કરાય છે, તેનાથી પણ વધારે પારલૌકિક બાપ ને યાદ કરવા પડે. લૌકિક બાપ તો અલ્પકાળ માટે સુખ આપે છે. બેહદ નાં બાપ બેહદ નાં સુખ આપે છે. આ હમણાં આત્માઓ ને જ્ઞાન મળે છે. હમણાં તમે જાણો છો ૩ બાપ છે. લૌકિક, પારલૌકિક અને અલૌકિક. બેહદ નાં બાપ અલૌકિક બાપ દ્વારા તમને સમજાવી રહ્યાં છે. આ બાપ ને કોઈ પણ જાણતા નથી. બ્રહ્મા ની બાયોગ્રાફી (જીવન કહાણી) ની કોઈને ખબર નથી. તેમનું ઓક્યુપેશન (કર્તવ્ય) પણ જાણવું જોઈએ ને? શિવ ની, શ્રીકૃષ્ણ ની મહિમા ગાય છે બાકી બ્રહ્મા ની મહિમા ક્યાં? નિરાકાર બાપ ને જરુર મુખ તો જોઈએ ને, જેનાથી અમૃત આપે. ભક્તિમાર્ગ માં બાપ ને ક્યારેય યથાર્થ રીતે યાદ નથી કરી શકતાં. હમણાં તમે જાણો છો, સમજો છો શિવબાબા નો રથ આ છે. રથ નો પણ શૃંગાર કરે છે ને? જેવી રીતે મોહમ્મદ નાં ઘોડા ને પણ શણગારે છે. આપ બાળકો કેટલી સારી રીતે મનુષ્યો ને સમજાવો છો. તમે બધાની મહિમા કરો છો. બોલો છો તમે આ દેવતા હતાં પછી ૮૪ જન્મ ભોગવી તમોપ્રધાન બન્યાં છો. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે તો તેનાં માટે યોગ જોઈએ. પરંતુ બહુ મુશ્કિલ કોઈ સમજે છે. સમજી જાય તો ખુશી નો પારો ચઢે. સમજાવવા વાળાનો તો વધારે જ પારો ચઢી જાય. બેહદ નાં બાપ નો પરિચય આપવો કોઈ ઓછી વાત છે શું? સમજી નથી શકતાં. કહે છે આ કેવી રીતે થઈ શકે? બેહદ નાં બાપ ની જીવન કહાણી સંભળાવે છે.

હવે બાપ કહે છે-બાળકો, પાવન બનો. તમે પોકારતા હતાં ને કે હે પતિત-પાવન, આવો. ગીતા માં પણ મનમનાભવ શબ્દ છે પરંતુ તેની સમજણ કોઈની પાસે નથી. બાપ આત્મા નું જ્ઞાન પણ કેટલું ક્લિયર (સ્પષ્ટ) કરીને સમજાવે છે. કોઈ શાસ્ત્ર માં આ વાતો નથી. ભલે કહે છે આત્મા બિંદુ છે, ભ્રકુટી ની વચ્ચે સ્ટાર છે. પરંતુ યથાર્થ રીતે કોઈની બુદ્ધિ માં નથી. એ પણ જાણવું પડે. કળિયુગ માં છે જ અનરાઈટીયસ (અસત્યતા). સતયુગ માં છે બધા રાઈટીયસ (સત્યતા). ભક્તિમાર્ગ માં મનુષ્ય સમજે છે - આ બધા ઈશ્વર ને મળવાના રસ્તા છે એટલે તમે પહેલાં ફોર્મ ભરાવો છો - અહીં કેમ આવ્યાં છો? આનાથી પણ તમારે બેહદ નાં બાપ નો પરિચય આપવાનો છે. પૂછો છો આત્મા નાં બાપ કોણ? સર્વવ્યાપી કહેવાથી તો કોઈ અર્થ જ નથી નીકળતો. બધાનાં બાપ કોણ? આ છે મુખ્ય વાત. પોત-પોતાનાં ઘર માં પણ તમે સમજાવી શકો છો. એક-બે મુખ્ય ચિત્ર સીડી, ત્રિમૂર્તિ, ઝાડ આ ખૂબ જરુરી છે. ઝાડ થી બધા ધર્મ વાળા સમજી શકે છે કે અમારો ધર્મ ક્યારે શરું થયો! અમે આ હિસાબ થી સ્વર્ગ માં જઈ શકીએ છીએ? જે આવે જ પાછળ છે તે તો સ્વર્ગ માં જઈ ન શકે. બાકી શાંતિધામ માં જઈ શકશે. ઝાડ થી પણ ઘણું ક્લિયર થાય છે. જે-જે ધર્મ પાછળ થી આવ્યાં છે તેનાં આત્માઓ જરુર ઉપર જઈ વિરાજમાન થશે. તમારી બુદ્ધિ માં આખું ફાઉન્ડેશન (પાયો) લગાવાય છે. બાપ કહે છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું સૈપલિંગ તો લાગ્યું પછી ઝાડ નાં પાન પણ તમારે બનાવવાનાં છે, પાન વગર તો ઝાડ હોતું નથી એટલે બાબા પુરુષાર્થ કરાવતા રહે છે - આપસમાન બનાવવા માટે. બીજા ધર્મ વાળાઓ એ પાન નથી બનાવવા પડતાંં. એ તો ઉપર થી આવે છે, ફાઉન્ડેશન લગાવે છે. પછી પાન પાછળ ઉપર થી આવતા-જાય છે. તમે પછી ઝાડ ની વૃદ્ધિ માટે આ પ્રદર્શન વગેરે કરો છો. એનાથી પાન આવે છે, પછી તોફાન આવવા થી ખરી પડે છે, મુરઝાઈ જાય છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે. આમાં લડાઈ વગેરે ની કોઈ વાત નથી. ફક્ત બાપ ને યાદ કરવાના અને કરાવવાના છે. તમે બધાને કહો છો બીજી જે પણ રચના છે તેને છોડો. રચના પાસે થી ક્યારેય વારસો મળી ન શકે. રચયિતા બાપ ને જ યાદ કરવાના છે. બીજા કોઈની યાદ ન આવે. બાપ નાં બનીને, જ્ઞાન માં આવીને પછી જો કોઈ એવું કામ કરે છે તો તેનો બોજો માથા પર બહુજ ચઢે છે. બાપ પાવન બનાવવા આવે છે અને પછી એવું કાંઈ કામ કરે છે તો વધારે જ પતિત બની જાય છે એટલે બાબા કહે છે એવું કોઈ કામ ન કરો જે નુકસાન થઈ જાય. બાપ ની ગ્લાનિ થાય છે ને? એવાં કર્મ નહીં કરો જેથી વિકર્મ વધારે થઈ જાય. પરેજી પણ રાખવાની છે. દવા માં પણ પરેજી રખાય છે. ડોક્ટર કહે આ ખટાશ વગેરે નથી ખાવાનું તો માનવું જોઈએ. કર્મેન્દ્રિયો ને વશ કરવી પડે છે. જો છુપાઈને ખાતા રહેશે તો પછી દવાની અસર નહીં થશે. આને કહેવાય છે આસક્તિ. બાપ પણ શિક્ષા આપે છે - આ ન કરો. સર્જન છે ને? લખે છે બાબા મન માં સંકલ્પ બહુજ આવે છે. ખબરદાર રહેવાનું છે. ગંદા સ્વપ્ન, મન્સા માં સંકલ્પ વગેરે ખૂબ આવશે, એનાથી ડરવાનું નથી, સતયુગ-ત્રેતા માં આ વાતો હોતી નથી. તમે જેટલાં આગળ નજીક થતાં જશો, સિલ્વર એજ (સતો સ્થિતિ) સુધી પહોંચશો ત્યારે કર્મેન્દ્રિયો ની ચંચળતા બંધ થઈ જશે. કર્મેન્દ્રિયો વશ થઈ જશે. સતયુગ-ત્રેતા માં વશ હતી ને? જ્યારે તે ત્રેતા ની અવસ્થા સુધી આવો ત્યારે વશ થશે. પછી સતયુગ ની અવસ્થા માં આવશો તો સતોપ્રધાન બની જશો પછી બધી કર્મેન્દ્રિયો પૂરી વશ થઈ જશે. કર્મેન્દ્રિયો વશ હતી ને? નવી વાત થોડી છે? આજે કર્મેન્દ્રિયો નાં વશ છે, કાલે ફરી પુરુષાર્થ કરી કર્મેન્દ્રિયો ને વશ કરી લે છે. એ તો ૮૪ જન્મો માં ઉતરતા આવ્યાં છો. હવે રીટર્ન જર્ની (પાછા જવાની યાત્રા) છે, બધાએ સતોપ્રધાન અવસ્થા માં જવાનું છે. પોતાનો ચાર્ટ જોવાનો છે - અમે કેટલાં પાપ, કેટલાં પુણ્ય કર્યા છે? બાપ ને યાદ કરતાં-કરતાં આયરન એજ (કળિયુગ) થી સિલ્વર એજ (ત્રેતાયુગ) સુધી પહોંચી જશો તો કર્મેન્દ્રિયો વશ થઈ જશે. પછી તમને મહેસૂસ થશે - હવે કોઈ તોફાન નથી આવતાં. તે પણ અવસ્થા આવશે. પછી ગોલ્ડન એજ (સતયુગ) માં ચાલ્યાં જશો. મહેનત કરી પાવન બનવાથી ખુશી નો પારો પણ ચઢશે. જે પણ આવે છે તેમને સમજાવવાનું છે - કેવી રીતે તમે ૮૪ જન્મ લીધાં છે? જેમણે ૮૪ જન્મ લીધાં છે, તે જ સમજશે. કહેશે હવે બાપ ને યાદ કરી માલિક બનવું છે. ૮૪ જન્મ નથી સમજતા તો કદાચ રાજાઈ નાં માલિક નહીં બન્યાં હશે. અમે તો હિંમત અપાવીએ છીએ, સારી વાત સંભળાવીએ છીએ. તમે નીચે પડી જાઓ છો. જેમણે ૮૪ જન્મ લીધાં હશે તેમને ઝટ સ્મૃતિ આવશે. બાપ કહે છે તમે શાંતિધામ માં પવિત્ર તો હતાં ને? હવે ફરી તમને શાંતિધામ, સુખધામ માં જવાનો રસ્તો બતાવું છું. બીજા કોઈ પણ રસ્તો બતાવી ન શકે. શાંતિધામ માં પણ પાવન આત્માઓ જ જઈ શકશે. જેટલી ખાદ નીકળતી જશે એટલું ઊંચ પદ મળશે, જે જેટલો પુરુષાર્થ કરે. દરેક નાં પુરુષાર્થ ને તો તમે જોઈ રહ્યાં છો, બાબા પણ ખૂબ સારી મદદ કરે છે. આ તો જેમ જૂનું બાળક છે. દરેક ની નસ ને તો સમજો છો ને? સમજદાર જે હશે તે ઝટ સમજી જશે. બેહદ નાં બાપ છે, એમની પાસે થી જરુર સ્વર્ગ નો વારસો મળવો જોઈએ. મળ્યો હતો, હવે નથી, ફરી મળી રહ્યો છે. મુખ્ય ઉદ્દેશ સામે છે. બાપે જ્યારે સ્વર્ગ ની સ્થાપના કરી હતી, તમે સ્વર્ગ નાં માલિક હતાં. પછી ૮૪ જન્મ લઈ નીચે ઉતરતા આવ્યાં છો. હમણાં છે આ તમારો અંતિમ જન્મ. હિસ્ટ્રી રિપીટ તો જરુર કરશે ને? તમે આખો ૮૪ નો હિસાબ બતાવો છો. જેટલું સમજશે એટલાં પાન બનતા જશે. તમે પણ અનેક ને આપ સમાન બનાવો છો ને? તમે કહેશો અમે આવ્યાં છીએ - આખાં વિશ્વ ને માયા ની સાંકળો થી છોડાવવાં. બાપ કહે છે હું બધાને રાવણ થી છોડાવવા આવું છું. આપ બાળકો પણ સમજો છો બાપ જ્ઞાન નાં સાગર છે. તમે પણ જ્ઞાન પ્રાપ્ત કરી માસ્ટર જ્ઞાનસાગર બનો છો ને? જ્ઞાન અલગ છે, ભક્તિ અલગ છે. તમે જાણો છો ભારત નો પ્રાચીન રાજયોગ બાપ જ શીખવાડે છે. કોઈ મનુષ્ય શીખવાડી ન શકે. પરંતુ આ વાત બધાને કેવી રીતે બતાવીએ? અહીં તો અસુરો નાં વિઘ્ન પણ ખૂબ પડે છે. પહેલાં તો સમજતા હતાં કદાચ કોઈ કચરો નાખે છે. હવે સમજો છો આ વિઘ્ન કેવી રીતે નાખે છે. નથિંગ ન્યુ (કાંઈ જ નવું નથી). કલ્પ પહેલાં પણ આ થયું હતું. તમારી બુદ્ધિ માં આ આખુ ચક્ર ફરતું રહે છે. બાબા આપણને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવી રહ્યાં છે, બાબા આપણને લાઈટ-હાઉસ નું પણ ટાઈટલ આપે છે. એક આંખ માં મુક્તિધામ, બીજી આંખ માં જીવન-મુક્તિધામ. તમારે શાંતિધામ માં જઈને પછી સુખધામ માં આવવાનું છે. આ છે જ દુઃખધામ. બાપ કહે છે આ આંખો થી જે કાંઈ તમે જુઓ છો, તેને ભૂલો. પોતાનાં શાંતિધામ ને યાદ કરો. આત્માએ પોતાનાં બાપ ને યાદ કરવાના છે, આને જ અવ્યભિચારી યોગ કહેવાય છે. જ્ઞાન પણ એક થી જ સાંભળવાનું છે. તે છે અવ્યભિચારી જ્ઞાન. યાદ પણ એક ને જ કરો. મારા તો એક, બીજું ન કોઈ. જ્યાં સુધી પોતાને આત્મા નિશ્ચય નહીં કરશો ત્યાં સુધી એક ની યાદ આવશે નહીં. આત્મા કહે છે હું તો એક બાબા નો જ બનીશ. મારે જવાનું છે બાબા ની પાસે. આ શરીર તો જૂનું જડજડીભૂત છે, આમાં પણ મમત્વ નથી રાખવાનું. આ જ્ઞાન ની વાત છે. એવું નથી કે શરીર ની સંભાળ નથી કરવાની. અંદર સમજવાનું છે - આ જૂની ખાલ (વસ્ત્ર) છે, આને તો હવે છોડવાની છે. તમારો છે બેહદ નો સંન્યાસ. તેઓ તો જંગલ માં ચાલ્યાં જાય છે. તમારે ઘર માં રહેતાં યાદ માં રહેવાનું છે. યાદ માં રહેતાં-રહેતાં તમે પણ શરીર છોડી શકો છો. ક્યાંય પણ છો તમે બાપ ને યાદ કરો. યાદ માં રહેશો, સ્વદર્શન ચક્રધારી બનશો તો ક્યાંય પણ રહેતાં તમે ઊંચ પદ મેળવી લેશો. જેટલી ઈન્ડિવિઝ્યુઅલ (વ્યક્તિગત) મહેનત કરશો એટલું પદ મેળવશો. ઘર માં રહેતાં પણ યાદ ની યાત્રા માં રહેવાનું છે. હવે ફાઈનલ રિઝલ્ટ (અંતિમ પરિણામ) માં થોડો સમય બાકી છે. પછી નવી દુનિયા પણ તૈયાર જોઈએ ને? હમણાં કર્માતીત અવસ્થા થઈ જાય તો સૂક્ષ્મવતન માં રહેવું પડે. સૂક્ષ્મવતન માં રહીને પણ પછી જન્મ લેવો પડે છે. આગળ જઈને તમને બધા સાક્ષાત્કાર થશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1 એક બાપ થી જ સાંભળવાનું છે. એક ની જ અવ્યભિચારી યાદ માં રહેવાનું છે. આ શરીર ની સંભાળ રાખવાની છે, પરંતુ મમત્વ નથી રાખવાનું.

2. બાપે જે પરેજી બતાવી છે તેનું પૂરું પાલન કરવાનું છે. કોઈ પણ એવું કર્મ નથી કરવાનું જેથી બાપ ની ગ્લાનિ થાય, પાપ નું ખાતું બને. પોતાને નુકસાન માં નથી નાખવાનાં.

વરદાન :-
ત્રણ સેવાઓ નાં બેલેન્સ દ્વારા સર્વગુણો ની અનુભૂતિ કરવા વાળા ગુણમૂર્ત ભવ

જે બાળકો સંકલ્પ, બોલ અને દરેક કર્મ દ્વારા સેવા પર તત્પર રહે છે તે સફળતામૂર્ત બને છે. ત્રણેય માં માર્ક્સ સમાન છે, આખાં દિવસ માં ત્રણેય સેવાઓ નું બેલેન્સ છે તો પાસ વિથ ઓનર અથવા ગુણમૂર્ત બની જાય છે. એમનાં દ્વારા સર્વ દિવ્ય ગુણો નો શૃંગાર સ્પષ્ટ દેખાય છે. એક-બીજા ને બાપ નાં ગુણો નો કે સ્વયં ની ધારણાઓ નાં ગુણો નો સહયોગ આપવો જ ગુણમૂર્ત બનવું છે કારણકે ગુણદાન સૌથી મોટું દાન છે.

સ્લોગન :-
નિશ્ચયરુપી ફાઉન્ડેશન પાક્કું છે તો શ્રેષ્ઠ જીવન નો અનુભવ સ્વતઃ થાય છે.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો

આગળ નાં કર્મો નાં હિસાબ-કિતાબ નાં ફળ સ્વરુપ તન નો રોગ હોય, મન નાં સંસ્કાર બીજા આત્માઓ નાં સંસ્કારો સાથે ટકરાવ પણ થાય છે પરંતુ કર્માતીત, કર્મભોગ નાં વશ ન થઈને માલિક બનીને હિસાબ ચૂક્તું કરાવે. કર્મયોગી બની કર્મભોગ ચૂક્તું કરવાં - આ જ છે કર્માતીત સ્થિતિ ની નિશાની. પ્રેક્ટિસ કરો હમણાં-હમણાં કર્મયોગી, હમણાં-હમણાં કર્માતીત સ્ટેજ.