14-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમને હમણાં જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે , એટલે હવે તમારી આંખ કોઈ માં પણ ડુબવી ન જોઈએ”

પ્રશ્ન :-
જેમને જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ હશે, એમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે પોતાનું બધું જ બાપ ને અર્પણ કરી દેશે, મારું કાંઈ પણ નથી. બાબા, મારો આ દેહ પણ નથી, આ તો જૂનો દેહ છે, આને પણ છોડવાનો છે. એમનો મોહ બધા માંથી તૂટતો જશે, નષ્ટોમોહા હશે. તેમની બુદ્ધિ માં રહે છે કે અહીં નું કાંઈ પણ કામ નથી આવવાનું, કારણકે આ બધું હદ નું છે.

ઓમ શાંતિ!
બાપ બાળકો ને બ્રહ્માંડ અને સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવી રહ્યાં છે. જે બીજા કોઈ પણ સંભળાવી ન શકે. એક ગીતા જ છે, જેમાં રાજયોગ નું વર્ણન છે, ભગવાન આવીને નર થી નારાયણ બનાવે છે. આ ગીતા સિવાય બીજા કોઈ શાસ્ત્ર માં નથી. આ પણ બાપે બતાવ્યું છે, કહે છે મેં તમને રાજ્યોગ શીખવાડ્યો હતો. આ સમજાવ્યું હતું કે આ જ્ઞાન કોઈ પરંપરા નથી ચાલતું. બાપ આવીને એક ધર્મ ની સ્થાપના કરે છે. બાકી બીજા બધા ધર્મ વિનાશ થઈ જાય છે. કોઈ પણ શાસ્ત્ર વગેરે પરંપરા નથી ચાલતાં. બીજા જે પણ ધર્મ સ્થાપન કરવા આવે છે એ સમયે કોઈ વિનાશ નથી થતો, જે બધું ખલાસ થઈ જાય. ભક્તિ માર્ગ નાં શાસ્ત્ર વાંચતા જ આવ્યાં છે, આમનું (બ્રાહ્મણ ધર્મ નું) ભલે શાસ્ત્ર છે ગીતા, પરંતુ તે પણ ભક્તિ માર્ગ માં જ બનાવે છે કારણકે સતયુગ માં તો કોઈ શાસ્ત્ર રહેતાં જ નથી બીજા ધર્મો નાં સમયે વિનાશ તો થતો જ નથી. જૂની દુનિયા ખતમ થતી નથી જે પછી નવી થાય. એ જ ચાલતી આવે છે. હમણાં આપ બાળકો સમજો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે. આપણને બાપ ભણાવી રહ્યાં છે. ગાયન પણ એક ગીતા નું જ છે. ગીતા જયંતિ પણ મનાવે છે. વેદ જયંતિ તો નથી. ભગવાન એક છે, તો એકની જ જયંતિ મનાવવી જોઈએ. બાકી છે રચના, એનાંથી કાંઈ મળી નથી શકતું. વારસો બાપ પાસે થી જ મળે છે. ચાચા, કાકા વગેરે પાસે થી કોઈ વારસો નથી મળતો. હવે આ છે તમારા બેહદ નાં બાપ, બેહદ નું જ્ઞાન આપવા વાળા. આ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતાં. કહે છે આ બધું ભક્તિમાર્ગ નું છે. આ બધાનો સાર તમને સમજાવું છું. શાસ્ત્ર કોઈ ભણતર નથી. ભણતર થી તો પદ પ્રાપ્ત થાય છે, આ ભણતર બાપ ભણાવી રહ્યાં છે બાળકો ને. ભગવાનુવાચ બાળકો પ્રત્યે-ફરી ૫ હજાર વર્ષ પછી પણ આવું જ થશે. બાળકો જાણે છે આપણે બાપ પાસે થી રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છીએ. આ કોઈ બીજું તો સમજાવી ન શકે બાપ સિવાય. આ મુખ કમળ થી સંભળાવે છે. આ ભગવાન નું લોન લીધેલું મુખ છે ને? જેને ગૌમુખ પણ કહે છે. મોટી માતા છે ને? આમનાં મુખ દ્વારા જ્ઞાન નાં વર્શન્સ (મહાવાક્યો) નીકળે છે, નહીં કે જળ વગેરે. ભક્તિ માર્ગ માં પછી ગૌમુખ દ્વારા જળ દેખાડી દીધું છે. હમણાં આપ બાળકો સમજો છો ભક્તિ માર્ગ માં શું-શું કરે છે? કેટલાં દૂર ગૌમુખ વગેરે પર જાય છે પાણી પીવા. હમણાં તમે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. આ તો જાણો છો - બાપ કલ્પ-કલ્પ આવીને મનુષ્ય થી દેવતા બનાવવા માટે ભણાવે છે. જુઓ છો કેવી રીતે ભણાવી રહ્યાં છે. તમે બધાને આ બતાવો છો - ભગવાન અમને ભણાવી રહ્યાં છે. કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય. તમે જાણો છો સતયુગ માં થોડા મનુષ્ય હોય છે. કળિયુગ માં કેટલાં અસંખ્ય મનુષ્ય છે. બાપ આવીને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છે. આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. મનુષ્ય થી દેવતા બનવા વાળા બાળકો માં દૈવીગુણ દેખાશે. એમનાં માં ક્રોધ નો અંશ પણ નહીં હશે. જો ક્યારેય ક્રોધ આવી ગયો તો ઝટ બાપ ને લખશે, બાબા આજે અમારા થી આ ભૂલ થઈ ગઈ. અમે ક્રોધ કરી લીધો, વિકર્મ કરી લીધું. બાપ સાથે તમારું કેટલું કનેક્શન (સંબંધ) છે! બાબા, ક્ષમા કરજો. બાબા કહેશે ક્ષમા વગેરે હોતી નથી. બાકી આગળ થી આવી ભૂલ નહીં કરતાં. શિક્ષક કોઈ ક્ષમા નથી કરતાં. રજીસ્ટર દેખાડે છે - તમારા મેનર્સ (શિષ્ટાચાર) સારા નથી. બેહદ નાં બાપ પણ કહે છે - તમે પોતાનાં મેનર્સ જોઈ રહ્યાં છો. રોજ પોતાનો પોતામેલ જુઓ, કોઈને દુઃખ તો નથી આપ્યું, કોઈને હેરાન તો નથી કર્યાં? દૈવીગુણ ધારણ કરવામાં સમય તો લાગે છે ને? દેહ-અભિમાન બહુ જ મુશ્કેલી થી તૂટે છે. જ્યારે પોતાને દેહી સમજે ત્યારે બાપ માં પણ પ્રેમ જાય. નહીં તો દેહ નાં કર્મ બંધન માં જ બુદ્ધિ લટકી રહે છે. બાપ કહે છે તમારે શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાના છે, એમાંથી સમય કાઢી શકો છો. ભક્તિ માટે પણ સમય કાઢે છે ને? મીરા શ્રીકૃષ્ણ ની જ યાદ માં રહેતી હતી ને? પુનર્જન્મ તો અહીં જ લેતી ગઈ.

હમણાં આપ બાળકો ને આ જૂની દુનિયા થી વૈરાગ આવે છે. જાણો છો આ જૂની દુનિયા માં ફરી પુનર્જન્મ લેવાનો જ નથી. દુનિયા જ ખતમ થઈ જાય છે. આ બધી વાતો તમારી બુદ્ધિ માં છે. જેમ બાબા માં જ્ઞાન છે તેમ બાળકો માં પણ છે. આ સૃષ્ટિ નું ચક્ર બીજા કોઈની બુદ્ધિ માં નથી. તમારા માં પણ નંબરવાર છે, જેમની બુદ્ધિ માં આ રહે છે ઊંચા માં ઊંચા પતિત-પાવન બાપ છે, એ અમને ભણાવે છે. આ પણ તમે જ જાણો છો. તમારી બુદ્ધિ માં આખું ૮૪ નું ચક્ર છે. સ્મૃતિ રહે છે-હમણાં આ નર્ક માં આ અંતિમ જન્મ છે, આને કહેવાય છે રૌરવ નર્ક. ખૂબ ગંદકી છે, એટલે સંન્યાસી લોકો ઘરબાર છોડીને જાય છે. તે થઈ જાય છે શારીરિક વાત. તમે સંન્યાસ કરો છો બુદ્ધિ થી કારણકે તમે જાણો છો આપણે હવે પાછા જવાનું છે. બધાને ભૂલવા પડે છે. આ જૂની છી-છી દુનિયા ખતમ થયેલી છે. મકાન જૂનું થાય છે, નવું બનીને તૈયાર થાય છે તો દિલ માં આવે છે ને - આ મકાન તૂટી જ જશે. હમણાં આપ બાળકો ભણી રહ્યાં છો ને? જાણો છો નવી દુનિયા ની સ્થાપના થઈ રહી છે. હજી થોડી વાર છે. અનેક બાળકો આવીને ભણશે. નવું મકાન હમણાં બની રહ્યું છે, જૂનું તૂટતું જઈ રહ્યું છે. બાકી થોડા દિવસ છે. તમારી બુદ્ધિ માં આ બેહદ ની વાતો છે. હવે આપણું આ જૂની દુનિયા સાથે દિલ નથી લાગતું. આ કાંઈ પણ અંતે કામ માં નથી આવવા નું, આપણે અહીં થી જવા ઈચ્છીએ છીએ. બાપ પણ કહે છે જૂની દુનિયા સાથે દિલ નથી લગાવવાનું. મુજ બાપ ને અને ઘર ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. નહીં તો ખૂબ સજાઓ ખાશો. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. આત્મા ને ફૂરણા (ફિકર) લાગેલી છે અમે ૮૪ જન્મ ભોગવ્યાં છે. હવે બાપ ને યાદ કરવાના છે, ત્યારે વિકર્મ વિનાશ થશે. બાપ ની મત પર ચાલવાનું છે ત્યારે જ શ્રેષ્ઠ જીવન બનશે. બાપ છે ઊંચા માં ઊંચા. આ પણ તમે જ જાણો છો. બાપ સારી રીતે સ્મૃતિ અપાવે છે, એ બેહદ નાં બાપ જ જ્ઞાન નાં સાગર છે, એ જ આવીને ભણાવે છે. બાપ કહે છે આ ભણતર પણ ભણો, શરીર નિર્વાહ અર્થ પણ બધું જ કરો. પરંતુ ટ્રસ્ટી બનીને રહો.

જે બાળકો ને જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ હશે તે પોતાનું બધું જ બાપ ને અર્પણ કરી દેશે. અમારું કંઈ પણ નથી. બાબા અમારો આ દેહ પણ નથી. આ તો જૂનો દેહ છે, આને પણ છોડવાનો છે, બધા માંથી મોહ તૂટતો જાય છે. નષ્ટોમોહા બની જવાનું છે. આ છે બેહદ નો વૈરાગ. તે હદ નો વૈરાગ હોય છે. બુદ્ધિ માં છે અમે સ્વર્ગ માં જઈને પોતાનો મહેલ બનાવીશું. અહીં નું કાંઈ પણ કામ નહીં આવશે કારણકે આ બધું હદ નું છે. તમે હવે હદ થી નીકળી બેહદ માં જાઓ છો. તમારી બુદ્ધિ માં આ બેહદ નું જ્ઞાન જ રહેવું જોઈએ. હવે બીજા કોઈ માં પણ આંખ નથી ડૂબતી. હવે તો પોતાનાં ઘરે જવાનું છે. કલ્પ-કલ્પ બાપ આવીને આપણને ભણાવીને પછી સાથે લઈ જાય છે. તમારા માટે આ કોઈ નવું ભણતર નથી. તમે જાણો છો કલ્પ-કલ્પ આપણે ભણીએ છીએ. તમારા માં પણ નંબરવાર છે. આખી દુનિયામાં કેટલાં અસંખ્ય મનુષ્ય છે, પરંતુ તમે થોડી જ જાણો છો, ધીમે-ધીમે આ બ્રાહ્મણો નાં ઝાડ ની વૃદ્ધિ થતી રહે છે. ડ્રામા પ્લાન અનુસાર સ્થાપના થવાની જ છે. બાળકો જાણે છે આપણી રુહાની ગવર્મેન્ટ છે. આપણે દિવ્ય દૃષ્ટિ થી નવી દુનિયા ને જોઈએ છીએ. ત્યાં જ જવાનું છે. ભગવાન પણ એક છે, એ જ ભણાવવા વાળા છે, રાજયોગ બાપે જ શીખવાડ્યો હતો. તે સમયે લડાઈ પણ બરોબર લાગી હતી અનેક ધર્મો નો વિનાશ, એક ધર્મ ની સ્થાપના થઈ હતી. તમે પણ એ જ છો, કલ્પ-કલ્પ તમે જ ભણતા આવ્યાં છો, વારસો લેતા આવ્યાં છો. પુરુષાર્થ દરેકે પોતાનો કરવાનો છે. આ છે બેહદ નું ભણતર. આ શિક્ષા કોઈ મનુષ્ય માત્ર આપી ન શકે.

બાપે શ્યામ અને સુંદર નું પણ રહસ્ય સમજાવ્યું છે. તમે પણ સમજો છો હમણાં આપણે સુંદર બની રહ્યાં છીએ. પહેલાં શ્યામ હતાં. શ્રીકૃષ્ણ કોઈ એકલા થોડી હતાં? આખી રાજધાની હતી ને? હમણાં તમે સમજો છો આપણે નર્કવાસી થી સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. હવે તમને આ નર્ક થી નફરત આવે છે. તમે હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર આવી ગયા છો. આટલાં બધા આવે છે, એમાંથી નીકળશે પછી પણ એ જ જે કલ્પ પહેલાં નીકળ્યાં હશે. સંગમયુગ ને પણ સારી રીતે યાદ કરવાનો છે. આપણે પુરુષોત્તમ અર્થાત્ મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. મનુષ્ય તો આ પણ નથી સમજતા કે નર્ક શું છે અને સ્વર્ગ શું છે? કહે છે બધું અહીં જ છે, જે સુખી છે તે સ્વર્ગ માં છે, જે દુઃખી છે તે નર્ક માં છે. અનેક મત છે ને? એક ઘર માં પણ અનેક મતો થઈ જાય છે. બાળકો વગેરે માં મોહ ની રગ છે, તે તૂટતી નથી. મોહવશ કાંઈ સમજે થોડી છે કે અમે કેવી રીતે રહીએ છીએ? પૂછે છે બાળકો નાં લગ્ન કરાવીએ? પરંતુ બાળકો ને આ પણ લો (નિયમ) સમજાવાય છે કે તમે સ્વર્ગવાસી થવા માટે એક તરફ નોલેજ લઈ રહ્યાં છો, બીજી તરફ પૂછો છો તેમને નર્ક માં નાખીએ? પૂછો છો તો બાબા કહેશે જઈને કરો. બાબા ને પૂછે છે તો બાબા સમજાવે છે એમનો મોહ છે. હવે ના કરશે તો પણ અવજ્ઞા કરી દેશે. બાળકી નાં તો કરાવવાના જ છે, નહીં તો સંગદોષ માં ખરાબ થઈ જાય છે. બાળક નાં ન કરાવી શકાય. પરંતુ હિંમત જોઈએ ને? બાબાએ આમની પાસે એક્ટ (કર્મ) કરાવી ને? આમને જોઇને પછી બીજા કરવા લાગી ગયાં. ઘર માં પણ ખૂબ ઝઘડા થઈ જાય છે. આ છે જ ઝઘડાઓની દુનિયા, કાંટાઓનું જંગલ છે ને? એક-બીજાને કાપતા રહે છે. સ્વર્ગ ને કહેવાય છે ગાર્ડન. આ છે જંગલ. બાપ આવીને કાંટા થી ફૂલ બનાવે છે. કોઈ વિરલા નીકળે છે, પ્રદર્શન માં ભલે હા-હા કરે છે પરંતુ સમજતા કાંઈ પણ નથી. એક કાન થી સાંભળે છે અને બીજા કાન થી કાઢી નાખે છે. રાજધાની સ્થાપન કરવામાં સમય તો લાગે છે ને? મનુષ્ય પોતાને કાંટા સમજે થોડી છે? આ સમયે ચહેરો મનુષ્ય નો ભલે છે પરંતુ સીરત (ચલન) વાંદરા કરતાં પણ ખરાબ છે. પરંતુ પોતાને એવાં સમજતા નથી તો બાપ કહે છે પોતાની રચના ને સમજાવવાનું છે. જો નથી સમજતા તો પછી ભગાવી દેવા જોઈએ. પરંતુ તે તાકાત જોઈએ ને? મોહ નો કીડો એવો લાગેલો રહે છે જે નીકળી જ ન શકે. અહીં તો નષ્ટોમોહા બનવાનું છે. મારા તો એક બીજું ન કોઈ. હવે બાપ આવ્યાં છે, લઈ જવાં માટે. પાવન બનવાનું છે. નહીં તો ખૂબ સજા ખાશો, પદ પણ ભ્રષ્ટ થઈ જશે. હવે પોતાને સતોપ્રધાન બનાવવાની જ ફુરણા (ફિકર) લાગેલી છે. શિવ નાં મંદિર માં જઈને તમે સમજાવી શકો છો-ભગવાને ભારત ને સ્વર્ગ નું માલિક બનાવ્યું હતું, હવે એ ફરી થી બનાવી રહ્યાં છે, કહે છે ફક્ત મામેકમ્ યાદ કરો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયા થી બેહદ નાં વૈરાગી બની પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાનું છે. આપણું કાંઈ પણ નથી, આ દેહ પણ આપણો નથી. આનાંથી મોહ તોડી નષ્ટોમોહા બનવાનું છે.

2. ક્યારેય પણ એવી કોઈ ભૂલ નથી કરવાની જે રજીસ્ટર પર ડાઘ લાગી જાય. સર્વ દૈવીગુણ ધારણ કરવાના છે, અંદર ક્રોધ નો જરા પણ અંશ ન હોય.

વરદાન :-
કહેવું , વિચારવું અને કરવું - આ ત્રણેય ને સમાન બનાવવા વાળા જ્ઞાની તુ આત્મા ભવ

હવે વાનપ્રસ્થ અવસ્થા માં જવાનો સમય નજીક આવી રહ્યો છે એટલે કમજોરીઓ ને મારાપણા ને તથા વ્યર્થ નાં ખેલ ને સમાપ્ત કરી કહેવાનું, વિચારવાનું અને કરવાનું સમાન બનાવો ત્યારે કહેવાશે જ્ઞાન સ્વરુપ. જે એવાં જ્ઞાન સ્વરુપ જ્ઞાની તુ આત્માઓ છે એમનાં દરેક કર્મ, સંસ્કાર, ગુણ અને કર્તવ્ય સમર્થ બાપ સમાન હશે. તે ક્યારેય વ્યર્થ નાં વિચિત્ર ખેલ નથી રમતાં. સદા પરમાત્મ-મિલન નાં ખેલ માં વ્યસ્ત રહેશે. એક બાપ સાથે મિલન મનાવશે અને બીજાઓને બાપ સમાન બનાવશે.

સ્લોગન :-
સેવાઓ નો ઉમંગ નાની-નાની બીમારીઓ ને મર્જ કરી દે છે.

અવ્યક્ત ઇશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો , અંતર્મુખી બનો

અંતર્મુખી અર્થાત્ મુખ અને મન નું મૌન રાખવા વાળા. મુખ નું મૌન તો દુનિયામાં પણ રાખે છે પરંતુ અહીં વ્યર્થ સંકલ્પ થી મન નું મૌન હોવું જોઈએ. જેમ ટ્રાફિક કંટ્રોલ કરો છો તો વ્યર્થ નાં ટ્રાફિક ને કંટ્રોલ કરો છો તેમ વચ્ચે-વચ્ચે એક દિવસ મન નાં વ્યર્થ નો ટ્રાફિક કંટ્રોલ કરો.