15-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આપ રુહો સાથે રુહરિહાન કરે છે , તમે આવ્યાં છો બાપ ની પાસે ૨૧ જન્મો માટે પોતાની
લાઈફ ( જીવન ) ઇનશ્યોર ( સલામત ) કરવા , તમારી લાઈફ એવી ઇનશ્યોર થાય છે જે તમે અમર
બની જાઓ છો”
પ્રશ્ન :-
મનુષ્ય પણ પોતાની લાઈફ ઇનશ્યોર કરાવે છે અને આપ બાળકો પણ, બંન્ને માં અંતર શું છે?
ઉત્તર :-
મનુષ્ય પોતાની લાઈફ ઇનશ્યોર કરાવે છે કે મરી જઈએ તો પરિવાર વાળાઓ ને પૈસા મળે. આપ
બાળકો ઇનશ્યોર કરો છો કે ૨૧ જન્મ આપણે મરીએ જ નહીં. અમર બની જઈએ. સતયુગ માં કોઈ
ઇનશ્યોરન્સ કંપનીઓ હોતી નથી. હમણાં તમે પોતાની લાઇફ ઇનશ્યોર કરી દો છો પછી ક્યારેય
મરશો નહીં, આ ખુશી રહેવી જોઈએ.
ગીત :-
યહ કોન આજ આયા
સવેરે…
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો સાથે રુહરિહાન કરે છે, આપ બાળકો જાણો છો બાપ આપણને હમણાં ૨૧ જન્મ તો
શું ૪૦-૫૦ જન્મો માટે ઇનશ્યોર કરી રહ્યાં છે. તે લોકો ઇનશ્યોર કરે છે કે મરી જાય તો
તેમનાં પરિવાર ને પૈસા મળે. તમે ઇનશ્યોર કરો છો ૨૧ જન્મો માટે મરીએ જ નહીં. અમર
બનાવે છે ને? તમે અમર હતાં, મૂળવતન પણ અમરલોક છે. ત્યાં મરવા-જીવવા ની વાત નથી રહેતી.
તે છે આત્માઓ નું નિવાસ સ્થાન. હવે આ રુહરિહાન બાપ પોતાનાં બાળકો સાથે કરે છે બીજા
કોઈ સાથે નથી કરતાં. જે રુહ પોતાને જાણે છે એની સાથે જ વાત કરે છે. બાકી બીજા કોઈ
બાપ ની ભાષા ને સમજશે નહીં. પ્રદર્શન માં આટલાં આવે છે, તમારી ભાષા ને સમજે છે શું?
કોઈ મુશ્કેલ થોડું સમજે છે. તમને પણ સમજાવતાં-સમજાવતાં કેટલાં વર્ષ થઈ ગયાં છે તો
પણ કેટલાં થોડા સમજે છે. છે પણ સેકન્ડ માં સમજવાની વાત. આપણે આત્માઓ જે પાવન હતાં
તે પતિત બન્યાં છીએ ફરી આપણે પાવન બનવાનું છે. એનાં માટે સ્વીટ ફાધર (મીઠાં પિતા)
ને યાદ કરવાનાં છે. એમનાં કરતાં સ્વીટ (મીઠી) બીજી કોઈ વસ્તુ હોતી નથી. આ યાદ કરવામાં
જ માયા નાં વિઘ્નો પડે છે. આ પણ જાણો છો બાબા આપણને અમર બનાવવા આવ્યાં છે.
પુરુષાર્થ કરી અમર બની, અમરપુરી નાં માલિક બનવાનું છે. અમર તો બધા બનશે. સતયુગ ને
કહેવાય જ છે અમરલોક. આ છે મૃત્યુલોક. આ અમરકથા છે, એવું નથી કે ફક્ત શંકરે પાર્વતી
ને અમરકથા સંભળાવી. એ તો બધી છે ભક્તિમાર્ગ ની વાતો. આપ બાળકો ફક્ત મુજ એક થી સાંભળો.
મામેકમ્ યાદ કરો. જ્ઞાન હું જ આપી શકું છું. ડ્રામા પ્લાન અનુસાર આખી દુનિયા
તમોપ્રધાન બની છે. અમરપુરી માં રાજ્ય કરવું - એને જ અમર પદ કહેવાય છે. ત્યાં
ઇનશ્યોરન્સ કંપનીઓ વગેરે હોતી નથી. હમણાં તમારી લાઇફ ઇનશ્યોર કરી રહ્યાં છે. તમે
ક્યારેય મરશો નહીં. આ બુદ્ધિ માં ખુશી રહેવી જોઈએ. આપણે અમરપુરી નાં માલિક બનીએ છીએ,
તો અમરપુરી ને યાદ કરવી પડે. વાયા મૂળવતન જ જવાનું હોય છે. આ પણ મનમનાભવ થઈ જાય.
મૂળવતન છે મનમનાભવ, અમરપુરી છે મધ્યાજી ભવ. દરેક વાત માં બે શબ્દ જ આવે છે. તમને
કેટલાં પ્રકાર થી અર્થ સમજાવે છે. તો બુદ્ધિ માં બેસે. સૌથી વધારે મહેનત છે જ આમાં.
પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે. આપણે આત્માએ આ જન્મ લીધો છે. ૮૪ જન્મમાં
ભિન્ન-ભિન્ન નામ, રુપ, દેશ, કાળ ફરતાં આવ્યાં છીએ. સતયુગ માં આટલાં જન્મ, ત્રેતા
માં આટલાં… આ પણ ઘણાં બાળકો ભૂલી જાય છે. મુખ્ય વાત છે પોતાને આત્મા સમજી સ્વીટ બાપ
ને યાદ કરવાં. ઉઠતાં-બેસતાં આ બુદ્ધિ માં રહેવા થી ખુશી રહેશે. ફરી થી બાબા આવ્યાં
છે, જેને આપણે અડધોકલ્પ યાદ કરતા હતાં કે આવો આવીને પાવન બનાવો. પાવન રહે છે મૂળવતન
માં અને અમરપુરી સતયુગ માં. ભક્તિ માં મનુષ્ય પુરુષાર્થ કરે છે મુક્તિ માં કે
કૃષ્ણપુરી માં જવાં માટે. મુક્તિ કહો અથવા નિર્વાણધામ કહો, વાનપ્રસ્થ શબ્દ સાચ્ચો
છે. વાનપ્રસ્થી તો શહેર માં જ રહે છે. સંન્યાસી લોકો તો ઘરબાર છોડી જંગલ માં જાય
છે. આજકાલ નાં વાનપ્રસ્થીઓ માં કોઈ દમ નથી. સંન્યાસી તો બ્રહ્મ ને ભગવાન કહી દે છે.
બ્રહ્મ લોક નથી કહેતાં. હવે આપ બાળકો જાણો છો પુનર્જન્મ તો કોઈનો પણ બંધ નથી થતો.
પોત-પોતાનો પાર્ટ બધા ભજવે છે. આવાગમન થી ક્યારેય છૂટવાનું નથી. આ સમયે કરોડો
મનુષ્ય છે હજી પણ આવતા રહેશે, પુનર્જન્મ લેતા રહેશે. પછી ફર્સ્ટ ફ્લોર (પહેલો માળ)
ખાલી થશે. મૂળવતન છે ફર્સ્ટ ફ્લોર, સૂક્ષ્મવતન છે સેકન્ડ ફ્લોર. આ છે થર્ડ ફ્લોર
અથવા આને ગ્રાઉન્ડ ફ્લોર કહો. બીજો કોઈ ફ્લોર નથી. તેઓ સમજે છે સિતારાઓ માં પણ
દુનિયા છે. એવું નથી. ફર્સ્ટ ફ્લોર માં આત્માઓ રહે છે. બાકી મનુષ્યો માટે તો આ
દુનિયા છે.
તમે બેહદ નાં વૈરાગી
બાળકો છો, તમારે આ જૂની દુનિયામાં રહેતાં પણ આ આંખો થી બધું જ જોતાં નથી જોવાનું. આ
છે મુખ્ય પુરુષાર્થ; કારણકે આ બધું ખતમ થઈ જશે. એવું નથી કે સંસાર બન્યો જ નથી.
બનેલો છે પરંતુ એનાંથી વૈરાગ થઈ જાય અર્થાત્ આખી જૂની દુનિયાથી વૈરાગ. ભક્તિ, જ્ઞાન
અને વૈરાગ. ભક્તિ પછી છે જ્ઞાન, પછી ભક્તિ નો વૈરાગ થઈ જાય. બુદ્ધિ થી સમજો છો કે આ
જૂની દુનિયા છે. આ આપણો અંતિમ જન્મ છે, હવે બધાએ પાછું જવાનું છે. નાનાં બાળકો ને
પણ શિવબાબા ની યાદ અપાવવાની છે. ઉલ્ટુ-સુલ્ટું ખાવા-પાવાની વગેરે ની કોઈ આદત ન પાડવી
જોઈએ. નાનપણ થી જેવી આદત પાડો તેવી આદત પડી જાય છે. આજકાલ સંગ નો દોષ ખૂબ ખરાબ છે.
સંગ તારે કુસંગ બોરે… આ વિષય સાગર વૈશ્યાલય છે. સત્ તો એક જ પરમપિતા પરમાત્મા છે.
ગોડ ઈઝ વન કહેવાય છે. એ આવીને સત્ય વાત સમજાવે છે. બાપ કહે છે હે રુહાની બાળકો, હું
તમારો બાપ તમારી સાથે રુહરિહાન કરી રહ્યો છું. મને તમે બોલાવો છો ને? એ જ જ્ઞાન નાં
સાગર, પતિત-પાવન છે. નવી સૃષ્ટિ નાં રચયિતા છે. જૂની સૃષ્ટિ નો વિનાશ કરાવે છે. આ
ત્રિમૂર્તિ તો પ્રસિદ્ધ છે. ઊંચા માં ઊંચા છે શિવ. અચ્છા, પછી સૂક્ષ્મવતન માં છે
બ્રહ્મા-વિષ્ણુ-શંકર. એમનાં સાક્ષાત્કાર પણ થાય છે કારણકે પવિત્ર છે ને? એમને
ચૈતન્ય માં આ આંખો થી જોઈ નથી શકાતાં. અતિ નૌધા ભક્તિ થી જોઈ શકે છે. સમજો, કોઈ
હનુમાન નાં ભક્ત હશે તો એમનો સાક્ષાત્કાર થશે. શિવ નાં ભક્ત ને તો જુઠ્ઠું બતાવાયું
છે કે પરમાત્મા અખંડ જ્યોતિ સ્વરુપ છે. બાપ કહે છે હું તો આટલું નાનકડું બિંદુ છું,
તે કહે છે અખંડ જ્યોતિ સ્વરુપ અર્જુન ને દેખાડ્યું. તેણે કહ્યું બસ, હું સહન નથી કરી
શકતો. તેને દીદાર (સાક્ષાત્કાર) થયો તો આ ગીતા માં લખેલું છે. મનુષ્ય સમજે છે અખંડ
જ્યોતિ નો સાક્ષાત્કાર થયો. હવે બાપ કહે છે આ બધી ભક્તિમાર્ગ ની વાતો દિલ ખુશ કરવાની
છે. હું તો કહેતો જ નથી કે હું અખંડ જ્યોતિ-સ્વરુપ છું. જેમ બિંદુ જેવો તમારો આત્મા
છે એમ હું છું. જેમ તમે ડ્રામા નાં બંધન માં છો એમ હું પણ ડ્રામા નાં બંધન માં
બંધાયેલો છું. બધા આત્માઓ ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. પુનર્જન્મ તો બધાએ લેવાનો
જ છે. નંબરવાર બધાએ આવવાનું જ છે. પહેલાં નંબરવાળા પછી નીચે જાય છે. કેટલી વાતો બાપ
સમજાવે છે. આ સમજાવ્યું છે કે સૃષ્ટિ રુપી ચક્ર ફરતું રહે છે. જેમ દિવસ પછી રાત આવે
છે તેમ કળિયુગ પછી સતયુગ, પછી ત્રેતા… પછી સંગમયુગ આવે છે. સંગમયુગ પર જ બાપ ચેન્જ
(પરિવર્તન) કરે છે. જે સતોપ્રધાન હતાં હવે એ જ તમોપ્રધાન બન્યાં છે. એ જ ફરી
સતોપ્રધાન બનશે. બોલાવે પણ છે હે પતિત-પાવન, આવો. તો હવે બાપ કહે છે મનમનાભવ. હું
આત્મા છું, મારે બાપ ને યાદ કરવાનાં છે. આ યથાર્થ રીતે કોઈ મુશ્કેલ સમજે છે. આપણા
આત્માઓ નાં બાપ કેટલાં મીઠાં છે! આત્મા જ મીઠો છે ને? શરીર તો ખતમ થઈ જાય છે પછી
તેમનાં આત્મા ને બોલાવે છે. પ્રેમ તો આત્મા સાથે જ હોય છે ને? સંસ્કાર આત્મા માં રહે
છે. આત્મા જ વાંચે, સાંભળે છે, દેહ તો ખતમ થઈ જાય છે. હું આત્મા અમર છું. પછી તમે
મારા માટે રડો છો કેમ? આ તો દેહ-અભિમાન છે ને? તમારો દેહ માં પ્રેમ છે, હોવો જોઈએ
આત્મા માં પ્રેમ. અવિનાશી ચીજ માં પ્રેમ હોવો જોઈએ. વિનાશી ચીજ માં પ્રેમ હોવાથી જ
લડતાં-ઝઘડતાં રહે છે. સતયુગ માં છે દેહી-અભિમાની એટલે ખુશી થી એક શરીર છોડી બીજું
લે છે. રડવા-પીટવાનું કાંઈ પણ હોતું નથી.
આપ બાળકોએ પોતાની
આત્મ-અભિમાની અવસ્થા બનાવવા માટે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે - હું આત્મા છું, પોતાનાં
ભાઈ (આત્મા) ને બાપ નો સંદેશ સંભળાવું છું, અમારા ભાઈ આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો)
દ્વારા સાંભળે છે, એવી અવસ્થા જમાવો. બાપ ને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થતા રહેશે.
સ્વયં ને પણ આત્મા સમજો, તેમને પણ આત્મા સમજો, ત્યારે પાક્કી આદત થઈ જાય, આ છે
ગુપ્ત મહેનત. અંતર્મુખ થઈ તે અવસ્થા ને પાક્કી કરવાની છે. જેટલો સમય કાઢી શકો એટલો
આમાં લગાવો. ૮ કલાક તો ધંધો વગેરે ભલે કરો. નિંદર પણ કરો. બાકી આમાં લગાવો. ૮ કલાક
સુધી પહોંચવાનું છે, ત્યારે તમને ખૂબ ખુશી રહેશે. પતિત-પાવન બાપ કહે છે મને યાદ કરો
તો તમારા વિકર્મ વિનાશ થાય. જ્ઞાન તમને હમણાં જ સંગમ પર મળે છે. મહિમા બધી આ
સંગમયુગ ની છે, જ્યારે બાપ તમને જ્ઞાન સમજાવે છે. આમાં સ્થૂળ કોઈ વાત નથી. આ જે તમે
લખો છો તે બધું ખતમ થઈ જશે. નોંધ પણ એટલે કરે છે તો પોઈન્ટ નોંધ કરવાથી યાદ રહેશે.
કોઈની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે તો બુદ્ધિ માં યાદ રહે છે. નંબરવાર તો છે ને? મુખ્ય
વાત, બાપ ને યાદ કરવાના છે અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરવાનું છે. કોઈ વિકર્મ નથી
કરવાનાં. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. પવિત્ર જરુર બનવાનું છે. ઘણાં ખરાબ
વિચાર વાળા બાળકો સમજે છે-અમને આ ફલાણી બહુ જ ગમે છે, એમની સાથે હું ગાંધર્વ વિવાહ
કરી લઉં? પરંતુ આ ગાંધર્વ વિવાહ તો ત્યારે કરાવે છે જ્યારે મિત્ર-સંબંધી વગેરે ખૂબ
હેરાન કરે છે, તો તેમને બચાવવા માટે. એવું થોડી બધા કહેશે અમે ગાંધર્વ વિવાહ કરીશું!
તેઓ ક્યારેય રહી નહીં શકશે. પહેલાં દિવસે જ જઈને ગટર માં પડશે. નામ-રુપ માં દિલ લાગી
જાય છે. આ તો બહુ જ ખરાબ વાત છે. ગાંધર્વ વિવાહ કરવા કોઈ માસી નું ઘર નથી. એક-બીજા
સાથે દિલ લાગ્યું તો કહી દે છે ગાંધર્વ વિવાહ કરીએ, આમાં સંબંધીઓએ ખૂબ ખબરદાર રહેવું
જોઈએ. સમજવું જોઈએ આ બાળકો કામ નાં નથી. જેની સાથે દિલ લાગ્યું છે તેમનાં થી હટાવી
દેવા જોઈએ. નહીં તો વાતો કરતા રહેશે. આ સભા માં ખૂબ ખબરદારી રાખવાની છે. આગળ ચાલીને
ખૂબ કાયદેસર સભા લાગશે. આવાં-આવાં વિચાર વાળા ને આવવા નહીં દેશે.
જે બાળકો રુહાની
સર્વિસ (સેવા) પર તત્પર રહે છે, જે યોગ માં રહીને સર્વિસ કરે છે, એ જ સતયુગી રાજધાની
સ્થાપન કરવામાં મદદગાર બને છે. સર્વિસેબલ (સેવાધારી) બાળકો ને બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન)
છે - આરામ હરામ છે. જે ખૂબ સર્વિસ કરે છે તે જરુર રાજા-રાણી બનશે. જે-જે મહેનત કરે
છે, આપ સમાન બનાવે છે, એમનાં માં તાકાત પણ રહે છે. સ્થાપના તો ડ્રામા અનુસાર થવાની
જ છે. સારી રીતે બધા પોઈન્ટ્સ ધારણ કરી પછી સર્વિસ માં લાગી જવું જોઈએ. આરામ પણ
હરામ છે. સર્વિસ જ સર્વિસ, ત્યારે ઊંચ પદ મેળવશે. વાદળ આવ્યાં અને રીફ્રેશ થઈને ગયા
સર્વિસ પર. સર્વિસ તો તમારી ખૂબ નીકળશે. જાત-જાત નાં ચિત્ર નીકળશે, જે મનુષ્ય ઝટ
સમજી જાય. આ ચિત્ર વગેરે પણ ઈમ્પ્રુવ (સુધારતા) થતાં જશે. આમાં પણ જે આપણા બ્રાહ્મણ
કુળ નાં હશે તે સારી રીતે સમજશે. સમજાવવા વાળા પણ સારા છે તો કાંઈક સમજશે. જે સારી
રીતે ધારણા કરે છે, બાપ ને યાદ કરે છે - તેમનાં ચહેરા થી જ ખબર પડી જાય છે. બાબા અમે
તો તમારી પાસે થી પૂરો વારસો લઈશું તો તેમની અંદર ખુશી નાં ઢોલ વાગતાં રહેશે,
સર્વિસ નો ખૂબ શોખ હશે. રિફ્રેશ થયા અને આ ભાગ્યાં. સર્વિસ માટે દરેક સેવાકેન્દ્ર
થી ખૂબ તૈયાર થવા જોઈએ. તમારી સર્વિસ તો ખૂબ ફેલાતી જશે. તમારી સાથે મળતા જશે. અંતે
એક દિવસ સંન્યાસી પણ આવશે. હમણાં તો તેમની રાજાઈ છે. તેમનાં પગ માં પડે છે, પૂજે
છે. બાપ કહે છે આ ભૂત પૂજા છે. મારે તો પગ નથી, એટલે પૂજવા પણ નહીં દેશે. મેં તો આ
તન લોન લીધેલું છે એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે.
આ સમયે આપ બાળકો ખૂબ
સૌભાગ્યશાળી છો કારણકે તમે અહીં ઈશ્વરીય સંતાન છો. ગાયન પણ છે આત્માઓ પરમાત્મા અલગ
રહ્યાં બહુકાળ… તો જે બહુકાળ થી અલગ રહ્યાં છે એ જ આવે છે, તેમને જ આવીને ભણાવું
છું. શ્રીકૃષ્ણ નો આ અંતિમ જન્મ છે એટલે નામ પણ આ એક નું શ્યામ-સુંદર પડ્યું છે.
શિવ ની તો કોઈને ખબર જ નથી કે શું ચીજ છે? આ વાત બાપ જ આવીને સમજાવે છે. હું છું
પરમ આત્મા, પરમધામ માં રહેવાવાળો છું. તમે પણ ત્યાંના રહેવાવાળા છો. હું સુપ્રીમ
પતિત-પાવન છું. તમે હમણાં ઈશ્વરીય બુદ્ધિવાળા બન્યાં છો. ઈશ્વર ની બુદ્ધિ માં જે
જ્ઞાન છે એ તમને સંભળાવી રહ્યાં છે. સતયુગ માં ભક્તિ ની વાત નથી હોતી. આ જ્ઞાન તમને
હમણાં મળી રહ્યું છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી
બનીને પોતાની અવસ્થા ને જમાવવાની છે, અભ્યાસ કરવાનો છે - હું આત્મા છું, પોતાનાં
ભાઈ (આત્મા) ને બાપ નો સંદેશ આપું છું… આમ આત્મ-અભિમાની બનવાની ગુપ્ત મહેનત કરવાની
છે.
2. રુહાની સર્વિસ નો
શોખ રાખવાનો છે. આપ સમાન બનાવવાની મહેનત કરવાની છે. સંગ નો દોષ ખૂબ ખરાબ છે, તેનાંથી
પોતાને સંભાળવાના છે. ઉલ્ટું ખાવા-પીવા ની આદત નથી પાડવાની.
વરદાન :-
વિશ્વ કલ્યાણ
નાં કાર્ય માં સદા બીઝી રહેવાવાળા વિશ્વ નાં આધારમૂર્ત ભવ
વિશ્વ કલ્યાણકારી
બાળકો સ્વપ્ન માં પણ ફ્રી નથી રહી શકતાં. જે દિવસ-રાત સેવા માં બીઝી રહે છે એમને
સ્વપ્ન માં પણ ઘણી નવી-નવી વાતો, સેવા નાં પ્લાન અથવા રીત દેખાય છે. તે સેવા માં
બીઝી હોવાનાં કારણે પોતાનાં પુરુષાર્થ નાં વ્યર્થ થી અને બીજાઓ નાં પણ વ્યર્થ થી
બચેલા રહે છે. એમની સામે બેહદ વિશ્વ નાં આત્માઓ સદા ઈમર્જ રહે છે. એમને જરા પણ
અલબેલાપણું આવી નથી શકતું. એવાં સેવાધારી બાળકો ને આધારમૂર્ત બનવાનું વરદાન પ્રાપ્ત
થઈ જાય છે.
સ્લોગન :-
સંગમયુગ ની
એક-એક સેકન્ડ વર્ષો નાં સમાન છે એટલે અલબેલાપણા માં સમય નહીં ગુમાવો.
અવ્યક્ત ઈશારા -
“કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
જેમની સાથે સ્વયં
સર્વશક્તિવાન્ બાપ કમ્બાઈન્ડ છે, સર્વ શક્તિઓ સ્વતઃ એમની સાથે હશે. જ્યાં
સર્વશક્તિઓ છે ત્યાં સફળતા ન હોય, આ અસંભવ છે. કોઈ સારો સાથી લૌકિક માં પણ મળી જાય
છે તો એને છોડી નથી શકતાં. આ તો અવિનાશી સાથી છે. ક્યારેય દગો આપવા વાળો સાથી નથી.
સદા જ સાથ નિભાવવા વાળા સાથી છે, તો સદા સાથે-સાથે રહો.