16-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
પ્રેમ એક બાપ સાથે છે કારણકે તમને બેહદ નો વારસો મળે છે , તમે પ્રેમ થી કહો છો -
મારા બાબા”
પ્રશ્ન :-
કોઈ પણ દેહધારી મનુષ્ય નાં બોલ ની તુલના બાપ સાથે નથી કરી શકાતી - કેમ?
ઉત્તર :-
કારણકે બાપ નો એક-એક બોલ મહાવાક્ય છે. જે મહાવાક્યો ને સાંભળવા વાળા મહાન અર્થાત્
પુરુષોત્તમ બની જાય છે. બાપ નાં મહાવાક્ય ગુલ-ગુલ અર્થાત્ ફૂલ બનાવી દે છે. મનુષ્ય
નાં બોલ મહાવાક્ય નથી, તેનાથી તો વધારે જ નીચે પડતા (ઉતરતા) આવ્યાં છે.
ગીત :-
બદલ જાએ દુનિયા…
ઓમ શાંતિ!
ગીત ની પહેલી
લાઈન માં કાંઈક અર્થ છે, બાકી આખું ગીત કોઈ કામ નું નથી. જેમ ગીતા માં ભગવાનુવાચ
મનમનાભવ, મધ્યાજી ભવ શબ્દ ઠીક છે. આને કહેવાય છે લોટ માં મીઠું. હવે ભગવાન કોને
કહેવાય છે, આ તો બાળકો સારી રીતે જાણી ગયા છે, ભગવાન શિવબાબા ને કહેવાય છે. શિવબાબા
આવીને શિવાલય રચે છે. આવે ક્યાં છે? વૈશ્યાલય માં. સ્વયં આવીને કહે છે - હે
મીઠાં-મીઠાં લાડલા, સિકિલધા રુહાની બાળકો, સાંભળે તો આત્મા છે ને? જાણો છો આપણે
આત્મા અવિનાશી છીએ. આ દેહ વિનાશી છે. આપણે આત્મા હવે પોતાનાં પરમપિતા પરમાત્મા પાસે
થી મહાવાક્ય સાંભળી રહ્યાં છીએ. મહાવાક્ય એક પરમપિતા પરમાત્મા નાં જ છે જે મહાન
પુરુષ પુરુષોત્તમ બનાવે છે. બાકી જે પણ મહાત્માઓ ગુરુ વગેરે છે, તેમનાં કોઈ
મહાવાક્ય નથી. શિવોહમ્ જે કહે છે તે પણ સાચ્ચું વાક્ય નથી. હમણાં તમે બાપ પાસે થી
મહાવાક્ય સાંભળીને ગુલ-ગુલ બનો છો. કાંટા અને ફૂલ માં કેટલો ફરક છે? હમણાં આપ બાળકો
જાણો છો આપણને કોઈ મનુષ્ય નથી સંભળાવતાં. આમનાં પર શિવબાબા વિરાજમાન છે, એ પણ આત્મા
જ છે, પરંતુ એમને કહેવાય છે પરમ આત્મા. હવે પતિત આત્માઓ કહે છે-હે પરમ આત્મા, આવો,
આવીને અમને પાવન બનાવો. એ છે જ પરમપિતા, પરમ બનાવવા વાળા. તમે પુરુષોત્તમ અર્થાત્
બધા પુરુષો માં ઉત્તમ પુરુષ બનો છો. એ છે દેવતાઓ. પરમપિતા શબ્દ ખૂબ મીઠો છે.
સર્વવ્યાપી કહી દે છે તો મીઠાપણું આવતું નથી. તમારા માં પણ ખૂબ થોડા છે જે પ્રેમ થી
અંદર યાદ કરે છે, તે સ્ત્રી-પુરુષ તો એક-બીજા ને સ્થૂળ માં યાદ કરે છે. આ છે
આત્માઓએ પરમાત્મા ને યાદ કરવાં, ખૂબ પ્રેમ થી. ભક્તિ માર્ગ માં આટલાં પ્રેમ થી પૂજા
નથી કરી શકતાં. એ પ્રેમ નથી રહેતો. જાણતા જ નથી તો પ્રેમ કેવી રીતે હોય? હમણાં આપ
બાળકો ને ખૂબ પ્રેમ છે. આત્મા કહે છે - ‘મારા બાબા’. આત્માઓ ભાઈ-ભાઈ છે ને? દરેક
ભાઈ કહે છે બાબાએ અમને પોતાનો પરિચય આપ્યો છે. પરંતુ તે પ્રેમ નથી કહેવાતો. જેમની
પાસે થી કાંઈ મળે છે તેમનાં માં પ્રેમ રહે છે. બાપ માં બાળકો નો પ્રેમ રહે છે કારણકે
બાપ પાસે થી વારસો મળે છે. જેટલો વધારે વારસો, એટલો બાળકો નો વધારે પ્રેમ રહેશે. જો
બાપ ની પાસે કાંઈ પણ પ્રોપર્ટી નથી, દાદા ની પાસે છે તો પછી બાપ માં એટલો પ્રેમ નહીં
રહેશે. પછી દાદા સાથે પ્રેમ થઈ જશે. સમજશે આમની પાસે થી પૈસા મળશે. હમણાં તો છે
બેહદ નાં બાપ. આપ બાળકો જાણો છો આપણને બાપ ભણાવે છે. આ તો ખૂબ જ ખુશી ની વાત છે.
ભગવાન આપણા બાપ છે. જે રચયિતા બાપ ને કોઈ પણ નથી જાણતાં. ન જાણવા નાં કારણે પછી
પોતાને બાપ કહી દે છે. જેમ બાળક ને પૂછો તમારા બાપ કોણ? અંતે કહી દે છે અમે. હમણાં
આપ બાળકો જાણો છો એ બધા બાપ નાં બાપ છે જરુર, આપણને જે હમણાં બેહદ નાં બાપ મળ્યાં
છે, એમનાં કોઈ બાપ નથી. આ છે ઊંચા માં ઊંચા બાપ. તો બાળકોને અંદર ખુશી રહેવી જોઈએ.
તે યાત્રાઓ પર જાય છે તો ત્યાં એટલી ખુશી નહીં રહેશે કારણકે પ્રાપ્તિ કાંઈ નથી.
ફક્ત દર્શન કરવા જાય છે. મફત માં કેટલાં ધક્કા ખાય છે. એક તો આ ટિપ્પડ (કપાળ) ઘસ્યું
અને બીજું પછી પૈસા ની ટીપ્પડ ઘસાય. પૈસા ખૂબ ખર્ચ કરે, પ્રાપ્તિ કાંઈ નથી. ભક્તિ
માર્ગ માં જો આવક હોત તો ભારતવાસી ખૂબ સાહૂકાર થઈ જાત. આ મંદિર વગેરે બનાવવા માં
કરોડો રુપિયા ખર્ચ કરે છે. તમારું સોમનાથ નું મંદિર એક નહોતું. બધા રાજાઓ ની પાસે
મંદિર હતાં. તમને કેટલાં પૈસા આપ્યાં હતાં - ૫ હજાર વર્ષ પહેલાં તમને વિશ્વ નાં
માલિક બનાવ્યાં હતાં. એક બાપ જ આવું કહે છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં તમને રાજયોગ
શીખવાડી ને એવાં બનાવ્યાં હતાં. હમણાં તમે શું બની ગયાં છો? બુદ્ધિ માં આવવું જોઈએ
ને? આપણે કેટલાં ઊંચા હતાં, પુનર્જન્મ લેતાં-લેતાં એકદમ પટ પર આવીને પડ્યાં છીએ.
કોડી જેવાં બની ગયાં છીએ. ફરી હવે આપણે બાબા ની પાસે જઈએ છીએ. જે બાબા આપણને વિશ્વ
નાં માલિક બનાવે છે. આ એક જ યાત્રા છે જ્યારે આત્માઓ ને બાપ મળે છે, તો અંદર તે
પ્રેમ રહેવો જોઈએ. આપ બાળકો જ્યારે અહીં આવો છો તો બુદ્ધિ માં રહેવું જોઈએ કે અમે એ
બાપ ની પાસે જઈએ છીએ, જેમની પાસે થી અમને ફરી થી વિશ્વ ની બાદશાહી મળે છે. એ બાપ
આપણને શિક્ષા આપે છે - બાળકો, દૈવી ગુણ ધારણ કરો. સર્વ શક્તિવાન્ પતિત-પાવન મુજ બાપ
ને યાદ કરો. હું કલ્પ-કલ્પ આવીને કહું છું કે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે.
દિલ માં આ આવવું જોઈએ અમે બેહદ નાં બાપ ની પાસે આવ્યાં છીએ. બાપ કહે છે હું ગુપ્ત
છું. આત્મા કહે છે હું ગુપ્ત છું. તમે સમજો છો અમે જઈએ છે શિવબાબા ની પાસે, બ્રહ્મા
દાદા ની પાસે. જે કમ્બાઈન્ડ (સાથે) છે એમને અમે મળવા જઈએ છીએ, જેમનાં દ્વારા અમે
વિશ્વ નાં માલિક બનીએ છીએ. અંદર કેટલી બેહદ ખુશી હોવી જોઈએ. જ્યારે મધુબન માં આવવા
માટે પોતાનાં ઘરે થી નીકળો છો તો અંદર ગદ્દગદ્દ થવું જોઈએ. બાપ અમને ભણાવવા માટે
આવ્યાં છે, અમને દૈવી ગુણ ધારણ કરવાની યુક્તિ બતાવે છે. ઘરે થી નીકળતી વખતે જ અંદર
આ ખુશી રહેવી જોઈએ. જેમ કન્યા પતિ ની સાથે મળે છે તો ઘરેણા વગેરે પહેરે છે તો ચહેરો
જ ખીલી જાય છે. તે ચહેરો ખીલે છે દુઃખ મેળવવા માટે. તમારો ચહેરો ખીલે છે સદા સુખ
મેળવવા માટે. તો એવાં બાપ ની પાસે આવતી વખતે કેટલી ખુશી થવી જોઈએ? હમણાં આપણને બેહદ
નાં બાપ મળ્યાં છે. સતયુગ માં જઈશું પછી ડિગ્રી (પદવી) ઓછી થઈ જશે. હમણાં તો તમે
બ્રાહ્મણ ઈશ્વરીય સંતાન છો. ભગવાન ભણાવે છે. એ આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે, ભણાવે
છે પછી પાવન બનાવીને સાથે પણ લઈ જશે. આપણે આત્મા હવે આ છી-છી રાવણ રાજ્ય થી છૂટીએ
છીએ. અંદર અથાહ ખુશી હોવી જોઈએ - જ્યારે કે બાપ વિશ્વ નાં માલિક બનાવે છે તો ભણતર
કેટલું સારી રીતે ભણવું જોઈએ. વિદ્યાર્થી સારી રીતે ભણે છે તો સારા માર્ક્સ (ટકા)
થી પાસ થાય છે. બાળકો કહે છે - બાબા, અમે તો શ્રી નારાયણ બનીશું. આ છે જ સત્યનારાયણ
ની કથા અર્થાત્ નર થી નારાયણ બનવાની કથા. તે જુઠ્ઠી કથાઓ જન્મ-જન્માંતર સાંભળતા
આવ્યાં છો. હમણાં બાપ પાસે થી એક જ વાર તમે સાચ્ચી-સાચ્ચી કથા સાંભળો છો. તે પછી
ભક્તિમાર્ગ માં ચાલ્યું આવે છે. જેમ શિવબાબાએ જન્મ લીધો એમની પછી વર્ષે-વર્ષે જયંતિ
મનાવતા આવ્યાં છે. એ ક્યારે આવ્યાં? શું કર્યુ? કાંઈ પણ નથી જાણતાં. અચ્છા, કૃષ્ણ
જયંતિ મનાવે છે, એ પણ ક્યારે આવ્યાં? કેવી રીતે આવ્યાં? કાંઈ પણ ખબર નથી. કહે છે
કંસપુરી માં આવે છે, હવે એ પતિત દુનિયામાં કેવી રીતે જન્મ લેશે? બાળકો ને કેટલી ખુશી
થવી જોઈએ - અમે બેહદ બાપ ની પાસે જઈએ છીએ. અનુભવ પણ સંભળાવે છે ને? અમને ફલાણા
દ્વારા તીર લાગ્યું, બાબા આવ્યાં છે…! બસ, તે દિવસ થી લઈને અમે બાપ ને જ યાદ કરીએ
છીએ.
આ છે તમારી ઊંચા માં
ઊંચા બાપ ની પાસે આવવાની યાત્રા. બાબા તો ચૈતન્ય છે, બાળકો ની પાસે જાય પણ છે. તે
છે જડ યાત્રાઓ. અહીં તો બાપ ચૈતન્ય છે. જેમ આપણે આત્મા બોલીએ છીએ, તેમ એ
પરમાત્મા-બાપ પણ બોલે છે શરીર દ્વારા. આ ભણતર છે ભવિષ્ય ૨૧ જન્મ શરીર નિર્વાહ માટે.
તે છે ફક્ત આ જન્મ માટે. હવે કયું ભણતર ભણવું જોઈએ તથા કયો ધંધો કરવો જોઈએ? બાપ કહે
છે બંને કરો. સંન્યાસીઓ ની જેમ ઘરબાર છોડીને જંગલ માં નથી જવાનું. આ તો પ્રવૃત્તિ
માર્ગ છે ને? બંને માટે ભણતર છે. બધા તો ભણશે પણ નહીં. કોઈ સારું ભણશે, કોઈ ઓછું.
કોઈને એકદમ ઝટ તીર લાગી જશે. કોઈ તો તવાઈ ની જેમ બોલતાં રહેશે. કોઈ કહે છે - હા, અમે
સમજવાની કોશિશ કરીશું. કોઈ કહેશે આ તો એકાંત માં સમજવાની વાતો છે. બસ, પછી ગુમ થઈ
જશે. કોઈને જ્ઞાન નું તીર લાગ્યું તો ઝટ આવી ને સમજશે. કોઈ પછી કહેશે - અમને ફુરસદ
નથી. તો સમજો તીર લાગ્યું નથી. જુઓ, બાબા ને તીર લાગ્યું તો ફટ થી છોડી દીધું ને?
સમજ્યા બાદશાહી મળે છે, તેની આગળ આ શું છે? મારે તો બાપ પાસે થી રાજાઈ લેવાની છે.
હવે બાપ કહે છે તે ધંધો વગેરે પણ કરો ફક્ત એક સપ્તાહ આ સારી રીતે સમજો. ગૃહસ્થ
વ્યવહાર પણ સંભાળવાનો છે. રચના ની પાલના પણ કરવાની છે. તેઓ તો રચીને પછી ભાગી જાય
છે. બાપ કહે છે તમે રચના કરી છે તો પછી સારી રીતે સંભાળો. સમજો સ્ત્રી અથવા બાળકો
તમારું કહેવાનું માને છે તો સપૂત છે. નથી સમજતા તો કપૂત છે. સપૂત અને કપૂત ની ખબર
પડી જાય છે ને? બાપ કહે છે તમે શ્રીમત પર ચાલશો તો શ્રેષ્ઠ બનશો. નહીં તો વારસો મળી
ન શકે. પવિત્ર બની, સપૂત બાળક બની નામ રોશન કરો. તીર લાગી ગયું તો પછી કહેશે - બસ,
હવે તો અમે સાચ્ચી કમાણી કરીશું. બાપ આવ્યાં છે શિવાલય માં લઈ જવાં. તો શિવાલય માં
જવા માટે પછી લાયક બનવાનું છે. મહેનત છે. બોલો, હવે શિવબાબા ને યાદ કરો, મોત સામે
છે. કલ્યાણ તો તેમનું પણ કરવાનું છે ને? બોલો, હમણાં યાદ કરો તો વિકર્મ વિનાશ થશે.
આપ બાળકીઓ ની ફરજ છે પિયર ઘર અને સસુર ઘર નો ઉદ્ધાર કરવો જ્યારે તમને બોલાવ્યાં છે
તો તમારી ફરજ છે તેમનું કલ્યાણ કરવાની. રહેમદિલ બનવું જોઈએ. પતિત તમોપ્રધાન મનુષ્યો
ને સતોપ્રધાન બનવાનો રસ્તો બતાવવાનો છે. તમે જાણો છો દરેક ચીજ નવી થી જૂની જરુર થાય
છે. નર્ક માં બધા પતિત આત્માઓ છે, ત્યારે તો ગંગા માં સ્નાન કરી પાવન થવા જાય છે.
પહેલાં તો સમજે કે અમે પતિત છીએ એટલે પાવન બનવાનું છે. બાપ આત્માઓ ને કહે છે મને
યાદ કરો તો તમારા પાપ નષ્ટ થઈ જશે. સાધુ-સંત વગેરે જે પણ છે - બધાને આ મારો પૈગામ (સંદેશ)
આપો કે બાપ કહે છે મને યાદ કરો. આ યોગ અગ્નિ થી અથવા યાદ ની યાત્રા થી તમારી ખાદ
નીકળતી જશે. તમે પવિત્ર બની મારી પાસે આવી જશો. હું તમને બધા ને સાથે લઈ જઈશ. જેમ
વીંછી હોય છે, ચાલતો જાય છે, જ્યાં નરમ ચીજ જુએ છે તો ડંખ મારી દે છે. પથ્થર ને ડંખ
મારી ને શું કરશે? તમે પણ બાપ નો પરિચય આપો. આ પણ બાપે સમજાવ્યું છે - મારા ભગત ક્યાં
રહે છે? શિવ નાં મંદિર માં, કૃષ્ણ નાં મંદિર માં, લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં.
ભગત મારી ભક્તિ કરતા રહે છે. છે તો બાળકો ને! મારી પાસે થી રાજ્ય લીધું હતું, હમણાં
પૂજ્ય થી પૂજારી બની ગયા છે. દેવતાઓ નાં ભગત છે ને? નંબરવન છે શિવ ની અવ્યભિચારી
ભક્તિ. પછી ઉતરતા-ઉતરતા હવે તો ભૂત પૂજા કરવા લાગી ગયા છે. શિવ નાં પૂજારીઓ ને
સમજાવવા માં સહજ થશે. આ સર્વ આત્માઓ નાં બાપ શિવબાબા છે. સ્વર્ગ નો વારસો આપે છે.
હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. હું તમને સંદેશ આપું છું. હવે બાપ
કહે છે પતિત-પાવન, જ્ઞાન નો સાગર હું છું. જ્ઞાન પણ સંભળાવી રહ્યો છું. પાવન બનવા
માટે યોગ પણ શીખવાડી રહ્યો છું. બ્રહ્મા તન દ્વારા મેસેજ આપી રહ્યો છું મને યાદ કરો.
પોતાનાં ૮૪ જન્મો ને યાદ કરો. તમને ભગત મળશે મંદિરો માં અને પછી કુંભ નાં મેળા માં.
ત્યાં તમે સમજાવી શકો છો. પતિત-પાવન ગંગા છે કે પરમાત્મા?
તો બાળકો ને આ ખુશી
રહેવી જોઈએ કે અમે કોની પાસે જઈએ છીએ! છે કેટલાં સાધારણ! શું મોટાઈ દેખાડે! શિવબાબા
શું કરે જે મોટા વ્યક્તિ દેખાય આવે? સંન્યાસી કપડા તો પહેરી ન શકે. બાપ કહે છે હું
તો સાધારણ તન લઉં છું. તમે જ સલાહ આપો કે હું શું કરું? આ રથ ને શું શૃંગારુ? તેઓ
હુસેન નો ઘોડો કાઢે છે, તેને શણગારે છે. અહીં શિવબાબા નો રથ પછી બળદ બનાવી દીધો છે.
બળદ નાં મસ્તક માં ગોળ-ગોળ શિવ નું ચિત્ર દેખાડે છે. હવે શિવબાબા બળદ માં ક્યાંથી
આવશે? ભલા મંદિર માં બળદ કેમ રાખ્યો છે? શંકર ની સવારી કહે છે. સૂક્ષ્મ વતન માં
શંકર ની સવારી હોય છે શું? આ બધો છે ભક્તિમાર્ગ જે ડ્રામા માં નોંધ છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં સાથે
પ્રતિજ્ઞા કરવાની છે કે હવે અમે સાચ્ચી કમાણી કરીશું. સ્વયં ને શિવાલય માં ચાલવા ને
લાયક બનાવીશું. સપૂત બાળક બનીને શ્રીમત પર ચાલીને બાપ નું નામ રોશન કરીશું.
2. રહેમદિલ બની
તમોપ્રધાન મનુષ્યો ને સતોપ્રધાન બનાવવાનાં છે. સર્વ નું કલ્યાણ કરવાનું છે. મોત ની
પહેલાં બધા ને બાપ ની યાદ અપાવવાની છે.
વરદાન :-
દરેક મનુષ્ય
આત્મા ને પોતાનાં ત્રણેય કાળો નાં દર્શન કરાવવા વાળા દિવ્ય દર્પણ ભવ
આપ બાળકો હવે એવાં
દિવ્ય દર્પણ બનો જે દર્પણ દ્વારા દરેક મનુષ્ય આત્મા પોતાનાં ત્રણેય કાળો નાં દર્શન
કરી શકે. એમને સ્પષ્ટ દેખાય કે શું હતો અને હમણાં શું છું, ભવિષ્ય માં શું બનવાનું
છે. જ્યારે જાણશો અર્થાત્ અનુભવ કરશો અથવા જોશો કે અનેક જન્મો ની તરસ અથવા અનેક
જન્મો ની આશાઓ-મુક્તિ માં જવાની તથા સ્વર્ગ માં જવાની, હવે પૂર્ણ થવાની છે તો સહજ જ
બાપ પાસે થી વારસો લેવા માટે આકર્ષિત થતા આવશે.
સ્લોગન :-
એક બળ, એક
ભરોસો - આ પાઠ ને સદા પાક્કો રાખો તો ભંવર ની વચ્ચે થી સહજ નીકળી જશો.
અવ્યક્ત ઇશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલીટી ધારણ કરો .
વારિસ ક્વોલિટી
પ્રત્યક્ષ ત્યારે થશે જ્યારે તમે પોતાની પ્યોરિટી ની રોયલ્ટી માં રહેશો. ક્યાંય પણ
હદ નાં આકર્ષણ માં આંખ ન ડૂબે. વારિસ અર્થાત્ અધિકારી. તો જે અહીં સદા અધિકારી
સ્ટેજ પર રહે છે, ક્યારેય પણ માયા નાં અધિન નથી થતા, અધિકારીપણા નાં શુભ નશા માં રહે
છે, એવાં અધિકારી સ્ટેજ વાળા જ ત્યાં પણ અધિકારી બને છે.