16-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સદા ખુશી માં રહો કે આપણને કોઈ દેહધારી નથી ભણાવતાં , અશરીરી બાપ શરીર માં પ્રવેશ કરી ખાસ આપણને ભણાવવા આવ્યાં છે”

પ્રશ્ન :-
આપ બાળકો ને જ્ઞાન નું ત્રીજું નેત્ર કેમ મળ્યું છે?

ઉત્તર :-
આપણને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે પોતાનાં શાંતિધામ અને સુખધામ ને જોવા માટે. આ આંખો થી જે જૂની દુનિયા, મિત્ર-સંબંધી વગેરે દેખાય છે તેમાંથી બુદ્ધિ કાઢી નાખવાની છે. બાપ આવ્યાં છે કચરા માંથી કાઢી ફૂલ (દેવતા) બનાવવાં, તો એવાં બાપ નો પછી રીગાર્ડ પણ રાખવાનો છે.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ, બાળકો પ્રત્યે. શિવ ભગવાન ને સાચાં બાબા તો જરુર કહેવાશે કારણકે રચયિતા છે ને? હમણાં આપ બાળકો જ છો જેમને ભગવાન ભણાવે છે - ભગવાન-ભગવતી બનાવવા માટે. આ તો દરેક સારી રીતે જાણે છે, એવાં કોઈ સ્ટુડન્ટ હોતાં નથી જે પોતાનાં શિક્ષક ને, ભણતર ને અને તેનાં પરિણામ ને ન જાણતા હોય. જેમને ભગવાન ભણાવે છે તેમને કેટલી ખુશી થવી જોઈએ! આ ખુશી સ્થાઈ કેમ નથી રહેતી? તમે જાણો છો આપણને કોઈ દેહધારી મનુષ્ય નથી ભણાવતાં. અશરીરી બાપ શરીર માં પ્રવેશ કરી ખાસ આપ બાળકો ને ભણાવવા આવ્યાં છે, આ કોઈને પણ ખબર નથી કે ભગવાન આવીને ભણાવે છે. તમે જાણો છો આપણે ભગવાન નાં બાળકો છીએ, એ આપણને ભણાવે છે, એ જ જ્ઞાન નાં સાગર છે. શિવબાબા ની સન્મુખ તમે બેઠાં છો. આત્માઓ અને પરમાત્મા હમણાં જ મળે છે, આ ભૂલો નહીં. પરંતુ માયા એવી છે જે ભુલાવી દે છે. નહીં તો તે નશો રહેવો જોઈએ ને - ભગવાન આપણને ભણાવે છે! એમને યાદ કરતા રહેવું જોઈએ. પરંતુ અહીં તો એવાં-એવાં છે જે બિલકુલ જ ભૂલી જાય છે. કાંઈ પણ નથી જાણતાં. ભગવાન સ્વયં કહે છે કે ઘણાં બાળકો આ ભૂલી જાય છે, નહીં તો તે ખુશી રહેવી જોઈએ ને? આપણે ભગવાન નાં બાળકો છીએ, એ આપણને ભણાવી રહ્યાં છે. માયા એવી પ્રબળ છે જે બિલકુલ જ ભુલાવી દે છે. આ આંખો થી આ જે જૂની દુનિયા, મિત્ર-સંબંધી વગેરે જુઓ છો એમાં બુદ્ધિ ચાલી જાય છે. હમણાં આપ બાળકો ને બાપ ત્રીજું નેત્ર આપે છે. તમે શાંતિધામ-સુખધામ ને યાદ કરો. આ છે દુઃખધામ, છી-છી દુનિયા. તમે જાણો છો ભારત સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. બાપ આવી ને પછી ફૂલ બનાવે છે. ત્યાં તમને ૨૧ જન્મો માટે સુખ મળે છે. એનાં માટે જ તમે ભણી રહ્યાં છો. પરંતુ પૂરું ન ભણવાનાં કારણે અહીં નાં ધન-સંપત્તિ વગેરે માં જ બુદ્ધિ લટકી જાય છે. એમાંથી બુદ્ધિ નીકળતી નથી. બાપ કહે છે શાંતિધામ, સુખધામ તરફ બુદ્ધિ રાખો. પરંતુ બુદ્ધિ ગંદી દુનિયા તરફ એકદમ જાણે ચીટકેલી છે. નીકળતી નથી. ભલે અહીં બેઠાં છે તો પણ જૂની દુનિયાથી બુદ્ધિ તૂટતી નથી. હમણાં બાબા આવેલા છે - ગુલ-ગુલ પવિત્ર બનાવવા માટે. તમે મુખ્ય પવિત્રતા માટે જ કહો છો - બાબા અમને પવિત્ર બનાવી પવિત્ર દુનિયામાં લઈ જાય છે તો એવાં બાપ નો કેટલો રિગાર્ડ રાખવો જોઈએ? એવાં બાબા પર તો કુરબાન જાય. જે પરમધામ થી આવીને આપણને બાળકો ને ભણાવી રહ્યાં છે. બાળકો પર કેટલી મહેનત કરે છે. એકદમ કચરા માંથી કાઢે છે. હવે તમે ફૂલ બની રહ્યાં છો. જાણો છો કલ્પ-કલ્પ આપણે એવાં ફૂલ (દેવતા) બનીએ છીએ. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર. હમણાં આપણને બાપ ભણાવી રહ્યાં છે. આપણે અહીં મનુષ્ય થી દેવતા બનવા આવ્યાં છીએ. આ હમણાં તમને ખબર પડી છે, પહેલાં આ ખબર નહોતી કે આપણે સ્વર્ગ વાસી હતાંં. હમણાં બાપે બતાવ્યું છે તમે રાજ્ય કરતા હતાંં પછી રાવણે રાજ્ય લીધું છે. તમે જ ખૂબ સુખ જોયાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં સીડી નીચે ઉતરો છો. આ છે જ છી-છી દુનિયા. કેટલાં મનુષ્ય દુઃખી છે. કેટલાં તો ભૂખે મરતા રહે છે, કાંઈ પણ સુખ નથી. ભલે કેટલાં પણ ધનવાન છે, તો પણ આ અલ્પકાળ નું સુખ કાગ વિષ્ટા સમાન છે. આને કહેવાય છે વિષય વૈતરણી નદી. સ્વર્ગ માં તો આપણે ખૂબ સુખી હોઈશું. હમણાં તમે શ્યામ થી સુંદર બની રહ્યાં છો.

હવે તમે સમજો છો આપણે જ દેવતા હતાં પછી પુનર્જન્મ લેતાં-લેતાં વૈશ્યાલય માં આવીને પડ્યાં છીએ. હવે ફરી તમને શિવાલય માં લઈ જાય છે. શિવબાબા સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છે. તમને ભણતર ભણાવી રહ્યાં છે તો સારી રીતે ભણવું જોઈએ ને? ભણીને, ચક્ર બુદ્ધિ માં રાખીને દૈવીગુણ ધારણ કરવા જોઈએ. આપ બાળકો છો રુપ-વસંત, તમારા મુખ થી સદા જ્ઞાન-રત્ન જ નીકળે, કચરો નહીં. બાપ પણ કહે છે હું રુપ-વસંત છું... હું પરમ આત્મા જ્ઞાન નો સાગર છું, ભણતર સોર્સ ઓફ ઇન્કમ હોય છે. ભણીને જ્યારે બેરિસ્ટર, ડોક્ટર વગેરે બને છે, લાખો કમાય છે. એક-એક ડોક્ટર મહિના માં લાખ રુપિયા કમાય છે. ખાવાની પણ ફુરસદ નથી રહેતી. તમે પણ હમણાં ભણી રહ્યાં છો. તમે શું બનો છો? વિશ્વ નાં માલિક. તો આ ભણતર નો નશો હોવો જોઈએ ને? આપ બાળકો માં વાતચીત કરવાની કેટલી રોયલ્ટી હોવી જોઈએ. તમે રોયલ બનો છો ને? રાજાઓ ની ચલન જુઓ કેવી હોય છે? બાબા તો અનુભવી છે ને? રાજાઓ ને નજરાણું આપે છે, ક્યારેય એમ હાથ માં લેશે નહીં. જો લેવું હશે તો ઈશારો કરશે - સેક્રેટરી ને જઈને આપો. ખૂબ રોયલ હોય છે. બુદ્ધિ માં આ વિચાર રહે છે, આમની પાસે થી લઈએ છીએ તો એમને પાછું પણ આપવાનું છે, નહીં તો લેશે નહીં. કોઈ રાજાઓ પ્રજા પાસે થી બિલકુલ લેતા નથી. કોઈ તો ખૂબ લૂંટે છે. રાજાઓ માં પણ ફરક હોય છે. હવે તમે સતયુગી ડબલ સિરતાજ રાજા બનો છો. ડબલ તાજ માટે પવિત્રતા જરુર જોઈએ. આ વિકારી દુનિયા ને છોડવાની છે. આપ બાળકોએ વિકારો ને છોડ્યાં છે, વિકારી કોઈ આવીને બેસી ન શકે. જો બતાવ્યાં વગર આવીને બેસી જાય છે તો પોતાનું જ નુકસાન કરે છે. કોઈ ચાલાકી કરે છે, કોઈને ખબર થોડી પડશે? બાપ ભલે જુએ, ન જુએ, સ્વયં જ પાપ આત્મા બની જાય છે. તમે પણ પાપ આત્મા હતાં. હવે પુરુષાર્થ થી પુણ્ય આત્મા બનવાનું છે. આપ બાળકો ને કેટલી નોલેજ મળી છે! આ નોલેજ થી તમે શ્રીકૃષ્ણપુરી નાં માલિક બનો છો. બાપ કેટલાં શૃંગારે છે. ઊંચા માં ઊંચા ભગવાન ભણાવે છે તો કેટલી ખુશી થી ભણવું જોઈએ? આવું ભણતર તો કોઈ સૌભાગ્યશાળી ભણે છે અને પછી સર્ટિફિકેટ પણ લેવાનું છે. બાબા કહેશે તમે ભણો ક્યાં છો? બુદ્ધિ ભટકતી રહે છે. તો શું બનશો? લૌકિક બાપ પણ કહે છે આ હાલત માં તો તમે નપાસ થઈ જશો. કોઈ તો ભણીને લાખ કમાય છે. કોઈ જુઓ તો ધક્કા ખાતા રહેશે. તમારે ફોલો કરવાના છે, મધર-ફાધર ને. બીજા જે બ્રધર્સ સારી રીતે ભણે ભણાવે છે, આ જ ધંધો કરે છે. પ્રદર્શન માં અનેક ને ભણાવે છે ને? આગળ ચાલીને જેટલું દુઃખ વધતું જશે એટલો મનુષ્યો ને વૈરાગ આવશે પછી ભણવા લાગી જશે. દુઃખ માં ભગવાન ને ખૂબ યાદ કરશે. દુઃખ માં મરતા સમયે હે રામ, હાય ભગવાન કરતા રહે છે ને? તમારે તો કાંઈ પણ કરવાનું નથી. તમે તો ખુશી થી તૈયારી કરો છો. ક્યાંક આ જૂનું શરીર છૂટે તો અમે પોતાનાં ઘરે જઈએ. પછી ત્યાં શરીર પણ સુંદર મળશે. પુરુષાર્થ કરી ભણાવવા વાળા કરતાં પણ ઊંચા જવું જોઈએ. એવાં પણ છે ભણાવવા વાળા કરતાં ભણવા વાળા ની અવસ્થા ખૂબ સારી રહે છે. બાપ તો દરેક ને જાણે છે ને? આપ બાળકો પણ જાણી શકો છો સ્વયં ની અંદર જોવું જોઈએ - અમારા માં કઈ કમી છે? માયા નાં વિઘ્નો થી પાર જવાનું છે, તેમાં ફસાવાનું નથી.

જે કહે છે માયા તો ખૂબ જબરજસ્ત છે, અમે કેવી રીતે ચાલી શકીશું, જો એવું વિચાર્યુ તો માયા એકદમ કાચ્ચા ખાઈ લેશે. ગજ કો ગ્રાહ ને ખાયા (હાથી ને મગરે હપ કર્યો). આ હમણાં ની વાત છે ને? સારા-સારા બાળકો ને પણ માયારુપી ગ્રાહ એકદમ હપ કરી લે છે. પોતાને છોડાવી નથી શકતાં. પોતે પણ સમજે છે-અમે માયા નાં થપ્પડ થી છૂટવા ઈચ્છે છીએ. પરંતુ માયા છૂટવા નથી દેતી. કહે છે બાબા માયા ને કહો - આમ પકડે નહીં. અરે, આ તો યુદ્ધ નું મેદાન છે ને? મેદાન માં એવું થોડી કહેવાશે આમને કહો અમને આંગળી ન લગાવે. મેચ માં કહેશે શું અમને બોલ નહીં મારતાં? ઝટ કહી દેશે યુદ્ધ નાં મેદાન માં આવ્યાં છો તો લડો, તો માયા ખૂબ પછાડશે. તમે બહુ જ ઊંચું પદ મેળવી શકો છો. ભગવાન ભણાવે છે, ઓછી વાત છે શું? હમણાં તમારી ચઢતી કળા થાય છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર. દરેક બાળકે શોખ રાખવાનો છે કે અમે ભવિષ્ય જીવન હીરા જેવું બનાવીએ. વિઘ્નો ને ખતમ કરતા જવાના છે. કાંઈ પણ કરીને બાપ પાસે થી વારસો જરુર લેવાનો છે. નહીં તો આપણે કલ્પ-કલ્પાન્તર નાપાસ થઈ જઈશું. સમજો, કોઈ સાહૂકાર નો બાળક છે, બાપ તેમને ભણવામાં અડચણ નાખે છે તો કહેશે અમે આ લાખ પણ શું કરીશું, અમારે તો બેહદ નાં બાપ પાસે થી વિશ્વ ની બાદશાહી લેવી છે. આ લાખ-કરોડ તો બધા ભસ્મીભૂત થઈ જવાના છે. કિનકી દબી રહેગી ધૂલ મેં, કિનકી જલાયે આગ, આખી સૃષ્ટિ રુપી ભમ્ભોર ને આગ લાગવાની છે. આ આખી રાવણ ની લંકા છે. તમે બધી સીતાઓ છો. રામ આવેલા છે. આખી ધરતી એક ટાપુ છે, આ સમયે છે જ રાવણ રાજ્ય. બાપ આવીને રાવણ રાજ્ય ને ખલાસ કરાવી તમને રામ રાજ્ય નાં માલિક બનાવે છે. તમને તો અંદર અથાહ ખુશી થવી જોઈએ - ગવાયેલું છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો બાળકો ને પૂછો. તમે પ્રદર્શન માં પોતાનું સુખ બતાવો છો ને? આપણે ભારતને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ. શ્રીમત પર ભારત ની સેવા કરી રહ્યાં છીએ. જેટલાં-જેટલાં શ્રીમત પર ચાલશો એટલાં તમે શ્રેષ્ઠ બનશો. તમને મત આપવા વાળા અનેક નીકળશે એટલે તે પણ પરખવાનું છે, સંભાળવાનું છે. ક્યાંક-ક્યાંક માયા પણ ગુપ્ત વેશ માં પ્રવેશ થઈ જાય છે. તમે વિશ્વ નાં માલિક બનો છો, અંદર બહુ જ ખુશી રહેવી જોઈએ. તમે કહો છો બાબા, અમે તમારી પાસે થી સ્વર્ગ નો વારસો લેવા આવ્યાં છીએ. સત્યનારાયણ ની કથા સાંભળીને અમે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનીશું. તમે બધા હાથ ઉઠાવો છો બાબા અમે તમારી પાસે થી પૂરો વારસો લઈને જ છોડીશું, નહીં તો અમે કલ્પ-કલ્પ ગુમાવી દઈશું. કોઈ પણ વિઘ્નો ને અમે ઉડાવી દઈશું, આટલી બહાદુરી જોઈએ. તમે આટલી બહાદુરી કરી છે ને? જેમની પાસે થી વારસો મળે છે એમને થોડી છોડશો? કોઈ તો સારી રીતે રહી ગયા, કોઈ પછી ભાગન્તી થઈ ગયાં. સારા-સારા ને માયા ખાઈ ગઈ. અજગરે ખાઈને બધું હપ કરી લીધું.

હવે બાપ કહે છે હે આત્માઓ, ખૂબ પ્રેમ થી સમજાવે છે. હું પતિત દુનિયા ને આવીને પાવન દુનિયા બનાવું છું. હવે પતિત દુનિયા નું મોત સામે છે. હવે હું તમને રાજાઓ નાં રાજા બનાવું છું. પતિત રાજાઓ નાં પણ રાજા. સિંગલ તાજ વાળા રાજા ડબલ તાજ વાળા રાજાઓ ને માથું કેમ નમાવે છે? અડધાકલ્પ પછી જ્યારે તેમની તે પવિત્રતા ઉડી જાય છે, તો રાવણ રાજ્ય માં બધા વિકારી અને પુજારી બની જાય છે. તો હમણાં બાપ બાળકો ને સમજાવે છે - કોઈ ભૂલ ન કરો. ભૂલી ન જાઓ. સારી રીતે ભણો. રોજ ક્લાસ એટેન્ડ નથી કરી શકતાં તો પણ બાબા બધા પ્રબંધ કરી શકે છે. ૭ દિવસ નો કોર્સ લો, જેથી મોરલી ને સહજ સમજી શકો. ક્યાંય પણ જાઓ ફક્ત બે શબ્દ યાદ કરો. આ છે મહામંત્ર. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. કોઈ પણ વિકર્મ કે પાપકર્મ દેહ-અભિમાન માં આવવાથી જ થાય છે. વિકર્મો થી બચવા માટે બુદ્ધિ ની પ્રીત એક બાપ સાથે જ લગાવવાની છે. કોઈ દેહધારી સાથે નહીં. એક સાથે બુદ્ધિ નો યોગ લગાવવાનો છે. અંત સુધી યાદ કરવાના છે તો પછી કોઈ વિકર્મ નહીં થશે. આ તો સડેલો દેહ છે. આનું અભિમાન છોડી દો. નાટક પૂરું થાય છે, હવે આપણા ૮૪ જન્મ પૂરાં થયાં. આ જૂનો આત્મા જૂનું શરીર છે. હવે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે પછી શરીર પણ સતોપ્રધાન મળી જશે. આત્મા ને સતોપ્રધાન બનાવવાનો છે - આ જ લગન લાગેલી રહે. બાપ ફક્ત કહે છે મામેકમ્ યાદ કરો. બસ, આ જ ફિકર રાખો. તમે પણ કહો છો ને-બાબા અમે પાસ થઈને દેખાડીશું. ક્લાસ માં જાણે છે બધાને સ્કોલરશિપ તો નહીં મળશે. તો પણ પુરુષાર્થ તો ખૂબ કરે છે ને? તમે પણ સમજો છો આપણે નર થી નારાયણ બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. ઓછો કેમ કરીએ? કોઈ પણ વાતની પરવા નથી. વારીયર્સ (યોદ્ધા) ક્યારેય પરવા નથી કરતાં. કોઈ કહે છે બાબા, ખૂબ તોફાન, સ્વપ્ન વગેરે આવે છે. આ તો બધું થશે. તમે એક બાપ ને યાદ કરતા રહો. આ દુશ્મન પર જીત મેળવવાની છે. કોઈ સમયે એવાં-એવાં સ્વપ્ન આવશે ન મન, ન ચિત્ત, એવાં-એવાં ઘુટકા આવશે. આ બધી માયા છે. આપણે માયા ને જીતીએ છીએ. અડધાકલ્પ માટે દુશ્મન પાસે થી રાજ્ય લઈએ છીએ, આપણને કોઈ પરવા નથી. બહાદુર ક્યારેય ચું-ચાં નથી કરતાં. લડાઈ માં ખુશી થી જાય છે. તમે તો અહીં બહુ જ આરામ થી બાપ પાસે થી વારસો લો છો. આ છી-છી શરીર છોડવાનું છે. હવે જઈએ છીએ સ્વીટ સાઈલેન્સ હોમ. બાપ કહે છે હું આવ્યો છું તમને લઈ જવાં. મને યાદ કરો તો પાવન બનશો. ઈમ્પ્યોર (અપવિત્ર) આત્મા જઈ ન શકે. આ છે નવી વાતો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિકર્મો થી બચવા માટે બુદ્ધિ ની પ્રીત એક બાપ સાથે લગાવવાની છે, આ સડેલા દેહ નું અભિમાન છોડી દેવાનું છે.

2. આપણે વારિયર્સ છીએ, આ સ્મૃતિ થી માયા રુપી દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવાની છે, તેની પરવા નથી કરવાની. માયા ગુપ્ત રુપ માં ખૂબ પ્રવેશ કરે છે એટલે તેને પારખવાની અને સંભાળવાનું છે.

વરદાન :-
મન્સા - વાચા અને કર્મણા ની પવિત્રતા માં સંપૂર્ણ માર્કસ લેવા વાળા નંબર વન આજ્ઞાકારી ભવ

મન્સા પવિત્રતા અર્થાત્ સંકલ્પ માં પણ અપવિત્રતા નાં સંસ્કાર ઈમર્જ ન થાય. સદા આત્મિક સ્વરુપ અર્થાત્ ભાઈ-ભાઈ ની શ્રેષ્ઠ સ્મૃતિ રહે. વાચા માં સદા સત્યતા અને મધુરતા હોય, કર્મણા માં સદા નમ્રતા, સંતુષ્ટતા અને હર્ષિતમુખતા હોય. આ જ આધાર પર નંબર મળે છે અને આવાં સંપૂર્ણ પવિત્ર આજ્ઞાકારી બાળકો નાં બાપ પણ ગુણગાન કરે છે. એ જ પોતાનાં દરેક કર્મ થી બાપ નાં કર્તવ્ય ને સિદ્ધ કરવા વાળા સમીપ રત્ન છે.

સ્લોગન :-
સંબંધ-સંપર્ક અને સ્થિતિ માં લાઈટ બનો, દિનચર્યા માં નહીં.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવા નો અભ્યાસ કરો , અંતર્મુખી બનો

અંતર્મુખી આત્માઓ કેવી પણ પરિસ્થિતિ હોય, ભલે સારી હોય, કે હલાવવા વાળી હોય પરંતુ દરેક સમયે, દરેક પરિસ્થિતિ ની અંદર પોતાને એડજસ્ટ કરી લે છે. એકલા હોય કે સંગઠન માં હોય, બંને માં એડજસ્ટ થવું - આ છે બ્રાહ્મણ જીવન.