17-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાને જુઓ હું ફૂલ બન્યો છું , દેહ - અહંકાર માં આવીને કાંટો તો નથી બનતો ?
પ્રશ્ન :-
કયા નિશ્ચય નાં આધાર પર બાપ સાથે અતૂટ પ્રેમ રહી શકે છે?
ઉત્તર :-
પહેલાં પોતાને આત્મા નિશ્ચય કરો તો બાપ સાથે પ્રેમ રહેશે. આ પણ અતૂટ નિશ્ચય જોઈએ કે
નિરાકાર બાપ આ ભાગીરથ પર વિરાજમાન છે. એ આપણને આમનાં દ્વારા ભણાવી રહ્યાં છે. જ્યારે
આ નિશ્ચય તૂટે છે તો પ્રેમ ઓછો થઈ જાય છે.
ઓમ શાંતિ!
કાંટા થી ફૂલ
બનાવવા વાળા ભગવાનુવાચ અથવા બાગવાન ભગવાનુવાચ. બાળકો જાણે છે કે આપણે અહીં કાંટા થી
ફૂલ બનવા માટે આવ્યાં છીએ. દરેક સમજે છે પહેલાં અમે કાંટા હતાં. હવે ફૂલ બની રહ્યાં
છીએ. બાપ ની મહિમા તો ખૂબ કરે છે, પતિત-પાવન આવો. એ ખેવૈયા છે, બાગવાન છે, પાપ
કટેશ્વર છે. ખૂબ નામ કહે છે પરંતુ ચિત્ર બધી જગ્યાએ એક જ છે. એમની મહિમા પણ ગાય છે
જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર… હમણાં તમે જાણો છો આપણે એ એક બાપ ની પાસે બેઠાં છીએ.
કાંટા રુપી મનુષ્ય થી હમણાં આપણે ફૂલ રુપી દેવતા બનવા આવ્યાં છીએ. આ મુખ્ય-ઉદ્દેશ
છે. હવે દરેકે પોતાનાં દિલ માં જોવાનું છે, અમારા માં દૈવી ગુણ છે? હું સર્વગુણ
સંપન્ન છું? પહેલાં તો દેવતાઓ ની મહિમા ગાતા હતાં, પોતાને કાંટા સમજતા હતાં. હમ
નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી… કારણકે ૫ વિકાર છે. દેહ-અભિમાન પણ ખૂબ મોટું અભિમાન
છે. પોતાને આત્મા સમજે તો બાપ ની સાથે પણ ખૂબ પ્રેમ રહે. હમણાં તમે જાણો છો નિરાકાર
બાપ આ રથ પર વિરાજમાન છે. આ નિશ્ચય કરતા-કરતા પણ પછી નિશ્ચય તૂટી જાય છે. તમે કહો
પણ છો અમે આવ્યાં છીએ શિવબાબા ની પાસે. જે આ ભાગીરથ પ્રજાપિતા બ્રહ્મા નાં તન માં
છે, આપણા સર્વ આત્માઓ નાં બાપ એક શિવબાબા છે, એ આ રથ માં વિરાજમાન છે. આ બિલકુલ
પાક્કો નિશ્ચય જોઈએ, આમાં જ માયા સંશય માં લાવે છે. કન્યા પતિ ની સાથે લગ્ન કરે છે,
સમજે છે એમની પાસે થી ખૂબ સુખ મળવાનું છે પરંતુ સુખ શું મળે છે, ફટ થી જઈને અપવિત્ર
બને છે. કુમારી છે તો મા-બાપ વગેરે બધા માથુ નમાવે છે કારણકે પવિત્ર છે. અપવિત્ર બની
અને બધાની આગળ માથું નમાવાનું શરુ કરી દે છે. આજે બધા તેને માથું નમાવે છે કાલે પોતે
માથું નમાવવા લાગે છે.
હમણાં આપ બાળકો સંગમ
પર પુરુષોત્તમ બની રહ્યાં છો. કાલે ક્યાં હશો? આજે આ ઘર-ઘાટ શું છે? કેટલી ગંદકી
લાગેલી છે! આને કહેવાય જ છે વૈશ્યાલય. બધા વિષ (વિકાર) થી પેદા થાય છે. તમે જ
શિવાલય માં હતાં, આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ખૂબ સુખી હતાં. દુઃખ નું નામનિશાન નહોતું.
હવે ફરી એવાં બનવા માટે આવ્યાં છો. મનુષ્યો ને શિવાલય ની ખબર જ નથી. સ્વર્ગ ને
કહેવાય છે શિવાલય. શિવબાબાએ સ્વર્ગ ની સ્થાપના કરી. બાબા તો બધા કહે છે પરંતુ પૂછો
ફાધર ક્યાં છે? તો કહી દે છે સર્વવ્યાપી છે. કુતરા-બિલાડી, કચ્છ-મચ્છ માં કહી દે છે
તો કેટલો ફરક થયો! બાપ કહે છે તમે પુરુષોત્તમ હતાં, પછી ૮૪ જન્મ ભોગવીને તમે શું
બન્યાં છો? નર્કવાસી બન્યાં છો એટલે બધા ગાય છે-હે પતિત-પાવન, આવો. હમણાં બાપ પાવન
બનાવવા આવ્યાં છે. કહે છે-આ અંતિમ જન્મ વિષ પીવાનું છોડો. તો પણ સમજતા નથી. સર્વ
આત્માઓ નાં બાપ હવે કહે છે પવિત્ર બનો. બધા કહે પણ છે બાબા, પહેલાં આત્મા ને એ બાબા
યાદ આવે છે, પછી આ બાબા. નિરાકાર માં એ બાબા, સાકાર માં પછી આ બાબા. સુપ્રીમ આત્મા
આ પતિત આત્માઓ ને બેસીને સમજાવે છે. તમે પણ પહેલાં પવિત્ર હતાં. બાપ ની સાથે રહેતા
હતાં પછી તમે અહીં આવ્યાં છો પાર્ટ ભજવવાં. આ ચક્ર ને સારી રીતે સમજી લો. હવે આપણે
સતયુગ માં નવી દુનિયા માં જવાનાં છીએ. તમારી આશા પણ છે ને કે અમે સ્વર્ગ માં જઈએ.
તમે કહેતાં પણ હતાં કે કૃષ્ણ જેવું બાળક મળે. હવે હું આવ્યો છું તમને એવાં બનાવવાં.
ત્યાં બાળક હોય જ છે કૃષ્ણ જેવાં. સતોપ્રધાન ફૂલ છે ને? હવે તમે કૃષ્ણપુરી માં ચાલો
છો. તમે તો સ્વર્ગ નાં માલિક બનો છો. સ્વયં ને પૂછવાનું છે-હું ફૂલ બન્યો છું?
ક્યાંય દેહ-અહંકાર માં આવી ને કાંટો તો નથી બનતો? મનુષ્ય પોતાને આત્મા સમજવા ને બદલે
દેહ સમજી લે છે. આત્મા ને ભૂલવાથી બાપને પણ ભૂલી ગયા છે. બાપ ને બાપ દ્વારા જ
જાણવાથી બાપ નો વારસો મળે છે. બેહદ નાં બાપ પાસે થી વારસો તો બધાને મળે છે. એક પણ
નથી રહેતા જેમને વારસો ન મળે. બાપ જ આવીને બધાને પાવન બનાવે છે, નિર્વાણધામ માં લઈ
જાય છે. તે તો કહી દે છે-જ્યોતિ જ્યોત સમાયા, બ્રહ્મ માં લીન થઈ ગયાં. જ્ઞાન કાંઈ
પણ નથી. તમે જાણો છો આપણે કોની પાસે આવ્યાં છીએ? આ કોઈ મનુષ્ય નો સત્સંગ નથી.
આત્માઓ, પરમાત્મા થી અલગ થઈ, હવે એમનો સંગ મળ્યો છે. સાચ્ચો-સાચ્ચો આ સત્ નો સંગ ૫
હજાર વર્ષ માં એક જ વાર થાય છે. સતયુગ-ત્રેતા માં તો સત્સંગ હોતો નથી. બાકી
ભક્તિમાર્ગ માં તો અનેકાનેક સત્સંગ છે. હવે હકીકત માં સત્ તો છે જ એક બાપ. હમણાં તમે
એમનાં સંગ માં બેઠાં છો. આ પણ સ્મૃતિ રહે કે અમે ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી)
છીએ, ભગવાન અમને ભણાવે છે, તો પણ અહો સૌભાગ્ય.
આપણા બાબા અહીં છે, એ
બાપ, શિક્ષક પછી ગુરુ પણ બને છે. ત્રણેય પાર્ટ હમણાં ભજવી રહ્યાં છે. બાળકો ને
પોતાનાં બનાવે છે. બાપ કહે છે યાદ થી જ વિકર્મ વિનાશ થશે. બાપ ને યાદ કરવાથી જ પાપ
કપાય છે પછી તમને લાઈટ (પ્રકાશ) નો તાજ મળી જાય છે. આ પણ એક નિશાની છે. બાકી એવું
નથી કે લાઈટ દેખાય છે. આ પવિત્રતા ની નિશાની છે. આ નોલેજ બીજા કોઈને મળી ન શકે. આપવા
વાળા એક જ બાપ છે. એમના માં ફુલ નોલેજ છે. બાપ કહે છે હું મનુષ્ય સૃષ્ટિ નો બીજરુપ
છું. આ ઉલ્ટું ઝાડ છે. આ કલ્પવૃક્ષ છે ને? પહેલાં દૈવી ફૂલો નું ઝાડ હતું. હવે
કાંટાઓ નું જંગલ બની ગયું છે કારણકે ૫ વિકાર આવી ગયા છે. પહેલું મુખ્ય છે
દેહ-અભિમાન. ત્યાં દેહ-અભિમાન નથી રહેતું. એટલું સમજે છે અમે આત્મા છીએ, બાકી
પરમાત્મા બાપ ને નથી જાણતાં. અમે આત્મા છીએ, બસ. બીજી કોઈ નોલેજ નથી. (સાપ નું
દૃષ્ટાંત) હમણાં તમને સમજાવાય છે કે જન્મ-જન્માંતર ની જૂની સડેલી આ ખાલ છે જે હવે
તમારે છોડવાની છે. હમણાં આત્મા અને શરીર બંને પતિત છે. આત્મા પવિત્ર થઈ જશે તો પછી
આ શરીર છૂટી જશે. આત્માઓ બધા ભાગશે. આ જ્ઞાન તમને હમણાં જ છે કે આ નાટક પૂરું થાય
છે. હવે આપણે બાપ ની પાસે જવાનું છે, એટલે ઘર ને યાદ કરવાનું છે. આ દેહ ને છોડી
દેવાનો છે, શરીર ખતમ થયું તો દુનિયા ખતમ થઈ પછી નવા ઘર માં જશો તો નવા સંબંધ થઈ જશે.
તે પછી પણ પુનર્જન્મ અહીં જ લે છે. તમારે તો પુનર્જન્મ લેવાનો છે ફૂલો ની દુનિયામાં.
દેવતાઓ ને પવિત્ર કહેવાય છે. તમે જાણો છો આપણે જ ફૂલ હતાં પછી કાંટા બન્યા છીએ ફરી
ફૂલો ની દુનિયામાં જવાનું છે. આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થશે. આ છે રમતગમત.
મીરા ધ્યાન માં રમતી હતી, તેને જ્ઞાન નહોતું. મીરા કાંઈ વૈકુંઠ માં ગઈ નથી. અહીં જ
ક્યાંય હશે. આ બ્રાહ્મણ કુળ ની હશે તો અહીં જ જ્ઞાન લેતી હશે. એવું નથી, ડાન્સ (નૃત્ય)
કર્યો તો બસ વૈકુંઠ માં ચાલી ગઈ. એવાં તો ઘણાં ડાન્સ કરતા હતાં. ધ્યાન માં જઈને
જોઈને આવતા હતાં પછી જઈને વિકારી બન્યાં. ગવાય છે ને - ચઢે તો ચાખે વૈકુંઠ રસ… બાપ
ભીતી આપે છે - તમે વૈકુંઠ નાં માલિક બની શકો છો જો જ્ઞાન-યોગ શીખશો તો. બાપ ને
છોડ્યાં તો ગયા ગટર માં (વિકારો માં). આશ્ચર્યવત્ બાબા નાં બનન્તી, સુનન્તી,
સુનાવન્તી પછી ભાગન્તી થઈ જાય છે. અહો માયા કેટલી ભારે ચોટ (માર) લાગી જાય છે. હમણાં
બાપ ની શ્રીમત પર તમે દેવતા બનો છો. આત્મા અને શરીર બંને જ શ્રેષ્ઠ જોઈએ ને? દેવતાઓ
નો જન્મ વિકારો થી નથી થતો. તે છે જ નિર્વિકારી દુનિયા. ત્યાં ૫ વિકાર હોતાં નથી.
શિવબાબાએ સ્વર્ગ બનાવ્યું હતું. હમણાં તો નર્ક છે. હમણાં તમે ફરી સ્વર્ગવાસી બનવા
માટે આવ્યાં છો, જે સારી રીતે ભણે છે તે જ સ્વર્ગ માં જશે. તમે ફરી થી ભણો છો,
કલ્પ-કલ્પ ભણતાં રહેશો. આ ચક્ર ફરતું રહેશે. આ પૂર્વ-નિર્ધારિત ડ્રામા છે, આનાં થી
કોઈ છૂટી ન શકે. જે કંઈ જુઓ છો, મચ્છર ઉડ્યો, કલ્પ પછી પણ ઉડશે. આ સમજવામાં ખૂબ સારી
બુદ્ધિ જોઈએ. આ શુટીંગ થતું રહે છે. આ કર્મક્ષેત્ર છે. અહીં પરમધામ થી આવ્યાં છો
પાર્ટ ભજવવાં.
હવે આ ભણતર માં કોઈ
તો ખૂબ હોંશિયાર થઈ જાય છે, કોઈ હમણાં ભણી રહ્યાં છે. કોઈ ભણતાં-ભણતાં જૂનાં કરતાં
પણ આગળ થઈ જાય છે. જ્ઞાન-સાગર તો બધાને ભણાવતાં રહે છે. બાપ નાં બન્યાં અને વિશ્વ
નો વારસો તમારો છે. હા, તમારો આત્મા જે પતિત છે એને પાવન જરુર બનાવવાનો છે, એનાં
માટે સહજ માં સહજ રીત છે બેહદ નાં બાપ ને યાદ કરતા રહો તો તમે આ બની જશો. આપ બાળકો
ને આ જૂની દુનિયા થી વૈરાગ આવવો જોઈએ. બાકી મુક્તિધામ, જીવન મુક્તિધામ છે બીજા કોઈને
પણ આપણે યાદ નથી કરતા એક સિવાય. સવારે-સવારે ઉઠીને અભ્યાસ કરવાનો છે કે આપણે અશરીરી
આવ્યાં, અશરીરી જવાનું છે. પછી કોઈ પણ દેહધારી ને આપણે યાદ કેમ કરીએ? સવારે અમૃતવેલે
ઉઠીને પોતાની સાથે એવી-એવી વાતો કરવાની છે. સવાર ને અમૃતવેલા કહેવાય છે. જ્ઞાનઅમૃત
છે જ્ઞાનસાગર ની પાસે. તો જ્ઞાનસાગર કહે છે સવાર નો સમય ખૂબ સારો છે. સવારે ઉઠી ને
ખૂબ પ્રેમ થી બાપ ને યાદ કરો-બાબા, તમે ૫ હજાર વર્ષ પછી ફરી મળ્યાં છો. હવે બાપ કહે
છે મને યાદ કરો તો પાપ કપાઈ જશે. શ્રીમત પર ચાલવાનું છે. સતોપ્રધાન જરુર બનવાનું
છે. બાપ ને યાદ કરવાની આદત પડી જશે તો ખુશી માં બેઠાં રહેશો. શરીર નું ભાન તૂટતું
જશે. પછી દેહ નું ભાન નહીં રહેશે. ખુશી ખૂબ રહેશે. તમે ખુશી માં હતાં જ્યારે પવિત્ર
હતાં. તમારી બુદ્ધિ માં આ બધું જ્ઞાન રહેવું જોઈએ. પહેલાં-પહેલાં જે આવે છે જરુર તે
૮૪ જન્મ લેતાં હશે. પછી ચંદ્રવંશી થોડા ઓછા, ઈસ્લામી એનાંથી ઓછા. નંબરવાર ઝાડ ની
વૃદ્ધિ થાય છે ને? મુખ્ય છે ડીટી (દૈવી) ધર્મ પછી એનાંથી ૩ ધર્મ નીકળે છે. પછી
ડાળીઓ નીકળે છે. હમણાં તમે ડ્રામા ને જાણો છો. આ ડ્રામા જુ ની જેમ ખૂબ ધીરે-ધીરે
ફરતો રહે છે. સેકન્ડ બાય સેકન્ડ ટિક-ટિક ચાલતી રહે છે એટલે ગવાય છે સેકન્ડ માં
જીવનમુક્તિ. આત્મા પોતાનાં બાપ ને યાદ કરે છે. બાબા અમે તમારા બાળક છીએ. અમે તો
સ્વર્ગ માં હોવા જોઈએ. પછી નર્ક માં કેમ પડ્યાં છીએ? બાપ તો સ્વર્ગ ની સ્થાપના કરવા
વાળા છે પછી નર્ક માં કેમ પડ્યાં છે. બાપ સમજાવે છે તમે સ્વર્ગ માં હતાં, ૮૪ જન્મ
લેતાં-લેતાં તમે બધું ભૂલી ગયા છો. હવે ફરી મારી મત પર ચાલો. બાપ ની યાદ થી જ
વિકર્મ વિનાશ થશે કારણકે આત્મા માં જ ખાદ પડે છે. શરીર આત્મા નું ઘરેણું છે. આત્મા
પવિત્ર તો શરીર પણ પવિત્ર મળે છે. તમે જાણો છો આપણે સ્વર્ગ માં હતાં, હવે ફરી બાપ
આવ્યાં છે તો બાપ પાસે થી પૂરો વારસો લેવો જોઈએ ને? ૫ વિકારો ને છોડવાનાં છે.
દેહ-અભિમાન છોડવાનું છે. કામ-કાજ કરતા બાપ ને યાદ કરતા રહો. આત્મા પોતાનાં માશૂક ને
અડધા કલ્પ થી યાદ કરતો આવ્યો છે. હવે એ માશૂક આવેલા છે. કહે છે તમે કામ ચિતા પર
બેસીને કાળા બની ગયા છો. હવે હું સુંદર બનાવવા આવ્યો છું. એનાં માટે આ યોગ અગ્નિ
છે. જ્ઞાન ને ચિતા નહીં કહેવાશે. યોગ ની ચિતા છે. યાદ ની ચિતા પર બેસવા થી વિકર્મ
વિનાશ થશે. જ્ઞાન ને તો નોલેજ કહેવાય છે. બાપ તમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું
જ્ઞાન સંભળાવે છે. ઊંચા માં ઊંચા બાપ છે પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પછી
સૂર્યવંશી-ચંદ્રવંશી પછી બીજા ધર્મો નાં બાયપ્લાટ છે. ઝાડ કેટલું મોટું થઈ જાય છે.
હમણાં આ ઝાડ નું ફાઉન્ડેશન નથી એટલે બેનિયન ટ્રી (વડ) નું દૃષ્ટાંત અપાય છે.
દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. ધર્મભ્રષ્ટ, કર્મભ્રષ્ટ બની ગયા છે. હમણાં આપ
બાળકો શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ કર્મ કરો છો. પોતાની દૃષ્ટિ ને સિવિલ (પવિત્ર)
બનાવો છો. તમારે હવે ભ્રષ્ટ કર્મ નથી કરવાનાં. કોઈ કુદૃષ્ટિ ન જાય. પોતાને જુઓ - અમે
લક્ષ્મી ને વરવા ને લાયક બન્યાં છીએ? અમે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરીએ છીએ?
રોજ પોતામેલ જુઓ. આખાં દિવસ માં દેહ-અભિમાન માં આવીને વિકર્મ તો નથી કર્યાં? નહીં
તો સો ગુણા થઈ જશે. માયા ચાર્ટ પણ રાખવા નથી દેતી. ૨-૪ દિવસ લખીને પછી છોડી દે છે.
બાપ ને ઓના (ફિકર) રહે છે ને? રહેમ આવે છે-બાળકો, મને યાદ કરે તો તેમનાં પાપ કપાઈ
જાય. આમાં મહેનત છે. પોતાને નુકસાન નથી કરવાનું. જ્ઞાન તો ખૂબ સહજ છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સવારે
અમૃતવેલા ઉઠીને બાપ સાથે મીઠી-મીઠી વાતો કરવાની છે. અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો
છે. ધ્યાન રહે-બાપ ની યાદ સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે.
2. પોતાની દૃષ્ટિ ખૂબ
શુદ્ધ પવિત્ર બનાવવાની છે. દૈવી ફૂલો નો બગીચો તૈયાર થઈ રહ્યો છે એટલે ફૂલ બનાવવાનો
પૂરો પુરુષાર્થ કરવાનો છે. કાંટા નથી બનવાનું.
વરદાન :-
પોતાની
પાવરફુલ સ્થિતિ દ્વારા મન્સા સેવા નું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાવાળા સ્વ અભ્યાસી ભવ
વિશ્વ ને લાઈટ અને
માઈટ નું વરદાન આપવા માટે અમૃતવેલા યાદ નાં સ્વ-અભ્યાસ દ્વારા પાવરફુલ વાયુમંડળ
બનાવો ત્યારે મન્સા સેવા નું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. લાસ્ટ સમય માં મન્સા દ્વારા જ
નજર થી નિહાલ કરવાની, પોતાની વૃત્તિ દ્વારા એમની વૃત્તિઓ ને બદલવાની સેવા કરવાની
છે. પોતાની શ્રેષ્ઠ સ્મૃતિ થી બધા ને સમર્થ બનાવવાનાં છે. જ્યારે આવી લાઈટ-માઈટ
આપવાનો અભ્યાસ હશે ત્યારે નિર્વિઘ્ન વાયુમંડળ બનશે અને આ કિલ્લો મજબૂત થશે.
સ્લોગન :-
સમજદાર તે છે
જે મન્સા-વાચા-કર્મણા ત્રણેય સેવાઓ સાથે-સાથે કરે છે.
અવ્યક્ત ઈશારા -
રુહાની રોયલ્ટી અને પ્યુરીટી ની પર્સનાલિટી ધારણ કરો
જે ચેલેન્જ કરો છો -
સેકન્ડ માં મુક્તિ-જીવનમુક્તિ નો વારસો પ્રાપ્ત કરો, એને પ્રેક્ટિકલ માં લાવવા માટે
સ્વ-પરિવર્તન ની ગતિ સેકન્ડ સુધી પહોંચી છે? સ્વ-પરિવર્તન દ્વારા બીજાઓ ને પરિવર્તન
કરવાં. અનુભવ કરાવો કે બ્રહ્મકુમાર અર્થાત્ વૃત્તિ, દૃષ્ટિ, કૃતિ અને વાણી પરિવર્તન.
સાથે-સાથે પવિત્રતા ની પર્સનાલિટી, રુહાની રોયલ્ટી નો અનુભવ કરાવો. આવતા જ, મળતા જ
આ પર્સનાલિટી તરફ આકર્ષિત થાય.