17-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પોતાનું કલ્યાણ કરવું છે તો દરેક પ્રકાર ની પરેજી રાખો , ફૂલ બનવા માટે પવિત્ર નાં હાથ નું શુદ્ધ ભોજન ખાઓ”

પ્રશ્ન :-
આપ બાળકો હમણાં અહીં જ કઈ પ્રેક્ટિસ (અભ્યાસ) કરો છો, જે ૨૧ જન્મ સુધી રહેશે?

ઉત્તર :-
સદા તન-મન થી તંદુરસ્ત રહેવાની પ્રેક્ટિસ તમે અહીં થી જ કરો છો. તમારે દધીચિ ઋષિ ની જેમ યજ્ઞ સેવા માં હાડકાઓ પણ આપવાના છે પરંતુ હઠયોગ ની વાત નથી. પોતાનું શરીર કમજોર નથી કરવાનું. તમે યોગ થી ૨૧ જન્મો માટે તંદુરસ્ત બનો છો, એની પ્રેક્ટિસ અહીં થી કરો છો.

ઓમ શાંતિ!
કોલેજ અથવા યુનિવર્સિટી હોય છે તો શિક્ષક પણ વિદ્યાર્થી તરફ જુએ છે. ગુલાબ નું ફૂલ ક્યાં છે? ફ્રન્ટ માં (આગળ) કોણ બેઠેલા છે? આ પણ બગીચો છે પરંતુ નંબરવાર તો છે જ. અહીં જ ગુલાબ નું ફૂલ જોઉં છું પછી બાજુ માં રત્ન જ્યોતિ. ક્યાંય અક પણ જોઉં છું. બાગવાને તો જોવું પડે ને? એ બાગવાન ને જ બોલાવે છે કે આવીને આ કાંટાઓ નાં જંગલ ને ખતમ કરી ફૂલો ની કલમ લગાવો. આપ બાળકો પ્રેક્ટિકલ માં જાણો છો કેવી રીતે કાંટા થી ફૂલો નું સેપલિંગ (કલમ) લાગે છે. તમારા માં પણ ખૂબ થોડા છે જે આ વાતો નું ચિંતન કરે છે. આ પણ આપ બાળકો જાણો છો-એ બાગવાન પણ છે, ખેવૈયા પણ છે, બધાને લઈ જાય છે. ફૂલો ને જોઈ બાપ પણ ખુશ થાય છે. દરેક સમજે છે અમે કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ. નોલેજ જુઓ કેટલી ઊંચી છે? આને સમજવામાં પણ ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ. આ છે જ કળિયુગી નર્કવાસી. તમે સ્વર્ગવાસી બની રહ્યાં છો. સંન્યાસી લોકો તો ઘરબાર છોડીને ભાગી જાય છે. તમારે ભાગવાનું નથી. કોઈ-કોઈ ઘર માં એક કાંટો છે તો એક ફૂલ છે. બાબા ને કોઈ પૂછે છે - બાબા, બાળકો નાં લગ્ન કરાવીએ? બાબા કહેશે ભલે કરાવો. ઘર માં રાખો, સંભાળ કરો. પૂછે છે એનાંથી જ સમજાય છે - હિંમત નથી. તો બાબા પણ કહી દે છે ભલે કરો. કહે છે અમે તો બીમાર રહીએ છીએ પછી વહુ આવશે, એનાં હાથ નું ખાવું પડશે. બાબા કહેશે ભલે ખાઓ. ના કહેશે શું? સરકમસ્ટાંશ (પરિસ્થિતિ) એવાં છે ખાવું જ પડે કારણકે મોહ પણ છે ને? ઘર માં વહુ આવી તો વાત ન પૂછો જાણે દેવી આવી ગઈ. એટલાં ખુશ થાય છે. હવે આ તો સમજવાની વાત છે. આપણે ફૂલ બનવું છે તો પવિત્ર નાં હાથ નું ખાવાનું છે. એનાં માટે પોતાનો પ્રબંધ કરવાનો છે, આમાં પૂછવાનું થોડી હોય છે? બાપ સમજાવે છે તમે દેવતા બનો છો, એમાં આ પરેજી જોઈએ. જેટલી વધારે પરેજી રાખશો એટલું તમારું કલ્યાણ થશે. વધારે પરેજી રાખવા માં થોડી મહેનત પણ થશે. રસ્તા માં ભૂખ લાગે છે, ખાવાનું સાથે લઈ જાઓ. કોઈ તકલીફ થાય છે, લાચારી છે તો સ્ટેશન વાળાઓ પાસે થી ડબલ રોટી (બ્રેડ) લઈને ખાવ. ફક્ત બાપ ને યાદ કરો. આને જ કહેવાય છે યોગબળ. આમાં હઠયોગ ની કોઈ વાત નથી, શરીર ને કમજોર નથી બનાવવાનું. દધીચિ ઋષિ ની જેમ હડ્ડી-હડ્ડી આપવાની છે, આમાં હઠયોગ ની વાત નથી. આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. શરીર ને તો બિલકુલ તંદુરસ્ત રાખવાનું છે. યોગ થી ૨૧ જન્મો માટે તંદુરસ્ત બનવાનું છે. આ પ્રેક્ટિસ અહીં જ કરવાની છે. બાબા સમજાવે છે આમાં પૂછવાની જરુર નથી રહેતી. હા, કોઈ મોટી વાત છે, એમાં મૂંઝાઓ છો તો પૂછી શકો છો. નાની-નાની વાતો બાબા ને પૂછવામાં કેટલો સમય જાય છે. મોટા વ્યક્તિ ખૂબ થોડું બોલે છે. શિવબાબા ને કહેવાય છે - સદ્દગતિ દાતા. રાવણ ને સદ્દગતિ દાતા થોડી કહેવાશે? જો હોત તો તેને બાળે કેમ? બાળકો સમજે છે રાવણ તો પ્રસિદ્ધ છે. ભલે તાકાત રાવણ માં ખૂબ છે, પરંતુ દુશ્મન તો છે ને? અડધોકલ્પ રાવણ નું રાજ્ય ચાલે છે. પરંતુ ક્યારેય મહિમા સાંભળી છે? કાંઈ પણ નથી. તમે જાણો છો રાવણ ૫ વિકારો ને કહેવાય છે. સાધુ-સંત પવિત્ર બને છે તો તેમની મહિમા કરે છે ને? આ સમય નાં મનુષ્ય તો બધા પતિત છે. ભલે કોઈ પણ આવે, સમજો કોઈ મોટા વ્યક્તિ આવે છે, કહે છે બાબા સાથે મુલાકાત કરીએ, બાબા એમને શું પૂછશે? એમને તો આ જ પૂછશે કે રામ રાજ્ય અને રાવણ રાજ્ય ક્યારેય સાંભળ્યું છે? મનુષ્ય અને દેવતા ક્યારેય સાંભળ્યું છે? આ સમયે મનુષ્યો નું રાજ્ય છે કે દેવતાઓ નું? મનુષ્ય કોણ, દેવતા કોણ? દેવતા કયા રાજ્ય માં હતાં? દેવતા તો હોય છે સતયુગ માં. યથા રાજા-રાણી તથા પ્રજા… તમે પૂછી શકો છો કે આ નવી સૃષ્ટિ છે કે જૂની? સતયુગ માં કોનું રાજ્ય હતું? હમણાં કોનું રાજ્ય છે? ચિત્ર તો સામે છે. ભક્તિ શું છે, જ્ઞાન શું છે? આ બાપ જ સમજાવે છે.

જે બાળકો કહે છે બાબા ધારણા નથી થતી તેમને બાબા કહે છે અરે અલ્ફ અને બે તો સહજ છે ને? અલ્ફ બાપ જ કહે છે મુજ બાપ ને યાદ કરો તો વારસો મળી જશે. ભારત માં શિવજયંતિ પણ મનાવે છે પરંતુ ક્યારે ભારત માં આવીને સ્વર્ગ બનાવ્યું? ભારત સ્વર્ગ હતું - આ નથી જાણતા, ભૂલી ગયા છે. તમે કહેશો અમે પણ કાંઈ નહોતાં જાણતા કે અમે સ્વર્ગ નાં માલિક હતાં. હવે બાપ દ્વારા અમે ફરી થી દેવતા બની રહ્યાં છીએ. સમજાવવા વાળો હું જ છું. સેકન્ડ માં જીવનમુક્તિ ગવાયેલું છે. પરંતુ તેનો પણ અર્થ થોડી સમજે છે? સેકન્ડ માં તમે સ્વર્ગ ની પરીઓ બનો છો ને? આને ઈન્દ્ર સભા પણ કહે છે, તે પછી ઈન્દ્ર સમજે છે વરસાદ વરસાવવા વાળા ને. હવે વરસાદ વરસાવવા વાળા ની કોઈ સભા લાગે છે શું? ઈન્દ્રલઠ, ઈન્દ્ર સભા શું-શું સંભળાવે છે!

આજે ફરી થી આ પુરુષાર્થ કરી રહ્યાં છે, ભણતર છે ને? બૅરીસ્ટરી ભણે છે તો સમજે છે કાલે અમે બૅરિસ્ટર બનીશું. તમે આજે ભણો છો, કાલે શરીર છોડી રાજાઈ માં જઈને જન્મ લેશો. તમે ભવિષ્ય માટે પ્રારબ્ધ મેળવો છો. અહીં થી ભણીને જશો પછી આપણો જન્મ સતયુગ માં થશે. મુખ્ય-ઉદ્દેશ જ છે - પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બનવાનો. રાજયોગ છે ને? કોઈ કહે બાબા, અમારી બુદ્ધિ નથી ખુલતી, આ તો તમારી તકદીર એવી છે. ડ્રામા માં પાર્ટ એવો છે. એને બાબા ચેન્જ (બદલી) કેવી રીતે કરી શકે છે. સ્વર્ગ નાં માલિક બનવા માટે તો બધા હકદાર છે. પરંતુ નંબરવાર તો હશે ને? એવું તો નહીં બધા બાદશાહ બની જાય. કોઈ કહે છે ઈશ્વરીય તાકાત છે તો સૌને બાદશાહ બનાવી દે. પછી પ્રજા ક્યાંથી આવશે? આ સમજવાની વાત છે ને? આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં તો ફક્ત નામ માત્ર મહારાજા-મહારાણી છે. ટાઈટલ પણ આપી દે છે. લાખ બે લાખ આપી દેવાથી રાજા-રાણી નો ખિતાબ મળી જાય છે. પછી ચાલ પણ એવી રાખવી પડે.

હમણાં આપ બાળકો જાણો છો આપણે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. ત્યાં તો બધા સુંદર ગોરા હશે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? શાસ્ત્રો માં કલ્પ ની આયુ લાંબી લખી દેવા થી મનુષ્ય ભૂલી ગયા છે. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો - શ્યામ થી સુંદર બનવાનો. હવે દેવતાઓ કાળા હોય છે શું? શ્રીકૃષ્ણ ને શ્યામ, રાધા ને ગોરી દેખાડે છે. હવે સુંદર તો બંને સુંદર હશે ને? પછી કામ ચિતા પર ચઢી બંને કાળા બની જાય છે. ત્યાં છે સોનેરી દુનિયા નાં માલિક, આ છે કાળી દુનિયા. આપ બાળકો ને એક તો અંદર ખુશી રહેવી જોઈએ અને દૈવીગુણ પણ ધારણ કરવા જોઈએ. કોઈ કહે છે બાબા બીડી નથી છૂટતી. બાબા કહેશે સારું ખુબ પીવો. પૂછો છો તો શું કહેશે? પરેજી માં નહીં ચાલવાથી પડશો. પોતાને પોતાની સમજ હોવી જોઈએ ને? આપણે દેવતા બનીએ છીએ તો આપણી ચાલ-ચલન, ખાન-પાન કેવાં હોવા જોઈએ? બધા કહે છે અમે લક્ષ્મી ને, નારાયણ ને વરીશું. સારું, પોતાના માં જુઓ એવાં ગુણ છે? અમે બીડી પીઈએ છીએ, પછી નારાયણ બની શકશો? નારદ ની પણ કથા છે ને? નારદ કોઈ એક તો નથી ને? બધા મનુષ્ય ભક્ત (નારદ) છે.

બાપ કહે છે-દેવતા બનવા વાળા બાળકો અંતર્મુખી બની પોતે પોતાની સાથે વાતો કરો કે જ્યારે અમે દેવતા બનીએ છીએ તો અમારી ચલન કેવી હોવી જોઈએ? અમે દેવતા બનીએ છીએ તો દારુ ન પી શકાય, બીડી ન પી શકાય, વિકાર માં ન જઈ શકાય, પતિત નાં હાથ નું ન ખાઈ શકાય. નહીં તો અવસ્થા પર અસર થઈ જશે. આ વાતો બાપ બેસીને સમજાવે છે. ડ્રામા નાં રહસ્ય ને પણ કોઈ નથી જાણતાં. આ નાટક છે, બધા પાર્ટધારી છે. આપણે આત્માઓ ઉપર થી આવીએ છીએ, પાર્ટ તો આખી દુનિયાનાં એક્ટર્સે ભજવવાનો છે. બધાનો પોત-પોતાનો પાર્ટ છે. કેટલાં પાર્ટધારી છે, કેવી રીતે પાર્ટ ભજવે છે? આ વેરાયટી (વિવિધ) ધર્મો નું ઝાડ છે. એક કેરી નાં ઝાડ ને વેરાઈટી ઝાડ નહીં કહેવાશે. એમાં તો કેરી જ થશે. આ મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ તો છે પરંતુ આનું નામ છે - વેરાયટી ધર્મો નું ઝાડ. બીજ એક જ છે, મનુષ્યો ની વેરાયટી જુઓ કેટલી છે? કોઈ કેવાં, કોઈ કેવાં. આ બાપ સમજાવે છે, મનુષ્ય તો કાંઈ નથી જાણતાં. મનુષ્યો ને બાપ જ પારસબુદ્ધિ બનાવે છે. આપ બાળકો જાણો છો આ જૂની દુનિયામાં બાકી થોડા દિવસ છે. કલ્પ પહેલાં ની જેમ સેપલિંગ (કલમ) લાગતી રહે છે. સારી પ્રજા, સાધારણ પ્રજા ની પણ કલમ લાગે છે. અહીં જ રાજધાની સ્થાપન થઈ રહી છે. બાળકોએ દરેક વાત માં બુદ્ધિ ચલાવવાની હોય છે. એવું નહીં, મોરલી સાંભળી ન સાંભળી. અહીં બેઠાં પણ બુદ્ધિ બહાર ભાગતી રહે છે. એવાં પણ છે-કોઈ તો સન્મુખ મોરલી સાંભળીને ખૂબ ગદ્દગદ્દ થાય છે. મોરલી માટે ભાગે છે. ભગવાન ભણાવે છે, તો એવું ભણતર છોડવું થોડી જોઈએ? ટેપ માં એક્યુરેટ ભરાય છે, સાંભળવું જોઈએ. સાહૂકાર લોકો ખરીદી કરશે તો ગરીબ સાંભળશે. કેટલાઓ નું કલ્યાણ થઈ જશે. ગરીબ બાળકો પણ પોતાનું ભાગ્ય ખૂબ ઊંચું બનાવી શકે છે. બાબા બાળકો માટે મકાન બનાવડાવે છે, ગરીબ બે રુપિયા પણ મનીઓર્ડર કરી દે છે, બાબા આની એક ઈંટ મકાન માં લગાવી દેજો. એક રુપિયો યજ્ઞ માં નાખી દેજો (સ્વીકાર જો). પછી કોઈ તો હુંડી ભરવાવાળા પણ હશે ને? મનુષ્ય હોસ્પિટલ વગેરે બનાવે છે, કેટલો ખર્ચો લાગે છે, સાહૂકાર લોકો સરકાર ને ખૂબ મદદ કરે છે, તેમને શું મળે છે? અલ્પકાળ નું સુખ. અહીં તો તમે જે કરો છો ૨૧ જન્મો માટે. જુઓ છો બાબા એ બધું જ આપ્યું, વિશ્વ નાં માલિક પહેલો નંબર બન્યાં. ૨૧ જન્મો માટે આવો સોદો કોણ નહીં કરે? ભોળાનાથ ત્યારે તો કહેવાય છે ને? હમણાં ની જ વાત છે. કેટલાં ભોળા છે, કહે છે જે કાંઈ કરવાનું છે કરી દો. કેટલી ગરીબ બાળકીઓ છે, સિલાઈ કરીને પેટ પાળે છે. બાબા જાણે છે આ તો ખૂબ ઊંચ પદ મેળવવા વાળી છે. સુદામા નું પણ દૃષ્ટાંત છે ને? ચોખા મુઠ્ઠી નાં બદલે ૨૧ જન્મો માટે મહેલ મળ્યાં. તમે આ વાતો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. બાપ કહે છે હું ભોળાનાથ પણ છું ને? આ દાદા તો ભોળાનાથ નથી. આ પણ કહે છે ભોળાનાથ શિવબાબા છે એટલે એમને સોદાગર, રત્નાગર, જાદુગર કહેવાય છે. તમે વિશ્વ નાં માલિક બનો છો. અહીં ભારત કંગાળ છે, પ્રજા સાહૂકાર છે, ગવર્મેન્ટ (સરકાર) ગરીબ છે. હમણાં તમે સમજો છો ભારત કેટલું ઊંચું હતું! સ્વર્ગ હતું. તેની નિશાનીઓ પણ છે. સોમનાથ નું મંદિર કેટલાં હીરા-ઝવેરાતો થી સજાવેલું હતું. જે ઊંટ ભરી ને હીરા-ઝવેરાત લઈ ગયાં. આપ બાળકો જાણો છો હવે આ દુનિયા બદલાવાની જરુર છે. તેનાં માટે તમે તૈયારી કરી રહ્યાં છો. જે કરશે તે મેળવશે. માયા નું ઓપોજીશન (વિરોધ) ખૂબ થાય છે. તમે છો ઈશ્વર નાં મુરીદ. બાકી બધા છે રાવણ નાં મુરીદ. તમે છો શિવબાબા નાં. શિવબાબા તમને વારસો આપે છે. બાપ સિવાય બીજી કોઈ વાત બુદ્ધિ માં ન આવવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી બની પોતે પોતાની સાથે વાત કરવાની છે-જ્યારે અમે દેવતા બનીએ છીએ તો અમારી ચલન કેવી છે? કોઈ અશુદ્ધ ખાન-પાન તો નથી?

2. પોતાનું ભવિષ્ય ૨૧ જન્મો માટે ઊંચું બનાવવાનું છે તો સુદામા ની જેમ જે કાંઈ છે ભોળાનાથ બાપ નાં હવાલે કરી દો. ભણતર માટે કોઈ પણ બહાનું નહીં આપો.

વરદાન :-
આદિ અને અનાદિ સ્વરુપ ની સ્મૃતિ દ્વારા પોતાનાં નિજી ( મૂળ ) સ્વધર્મ ને અપનાવવા વાળા પવિત્ર અને યોગી ભવ

બ્રાહ્મણો નો નિજી સ્વધર્મ પવિત્રતા છે, અપવિત્રતા પરધર્મ છે. જે પવિત્રતા ને અપનાવવી લોકો મુશ્કેલ સમજે છે તે આપ બાળકો માટે અતિ સહજ છે કારણકે સ્મૃતિ આવી કે અમારું વાસ્તવિક આત્મ સ્વરુપ સદા પવિત્ર છે. અનાદિ સ્વરુપ પવિત્ર આત્મા છે અને આદિ સ્વરુપ પવિત્ર દેવતા છે. હમણાં નો અંતિમ જન્મ પણ પવિત્ર બ્રાહ્મણ જન્મ છે એટલે પવિત્રતા જ બ્રાહ્મણ જીવન ની પર્સનાલિટી છે. જે પવિત્ર છે તે જ યોગી છે.

સ્લોગન :-
સહજયોગી કહીને અલબેલાપણું નહીં લાવો, શક્તિરુપ બનો.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો

કહેવાય છે “અંતર્મુખી સદા સુખી”. એમને કોઈ બહાર નું આકર્ષણ આકર્ષિત નથી કરી શકતું. ક્યારેય મનમત, ક્યારેય પરમત આકર્ષિત નથી કરી શકતી. અંતર્મુખી સદા સુખી રહેવાવાળા, સુખદાતા નાં બાળકો માસ્ટર સુખદાતા હશે, બાહ્યમુખતા થી મુક્ત હશે.