18-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાનાં ઉપર રહેમ કરો , બાપ જે મત આપે છે એનાં પર ચાલો તો અપાર ખુશી રહેશે , માયા
નાં શ્રાપ થી બચીને રહેશો”
પ્રશ્ન :-
માયા નો શ્રાપ કેમ લાગે છે? શ્રાપિત આત્મા ની ગતિ શું થશે?
ઉત્તર :-
૧. બાપ અને ભણતર નો (જ્ઞાન-રત્નો) નિરાદર કરવાથી, પોતાની મત પર ચાલવાથી માયા નો
શ્રાપ લાગી જાય છે, ૨. આસુરી ચલન છે, દૈવીગુણ ધારણ નથી કરતાં તો પોતાનાં પર બેરહેમી
કરે છે. બુદ્ધિ ને તાળું લાગી જાય છે. તેઓ બાપ નાં દિલ પર ચઢી નથી શકતાં.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
ને આ તો હવે નિશ્ચય છે કે આપણે આત્મ-અભિમાની બનવાનું છે અને બાપ ને યાદ કરવાનાં છે.
માયા રુપી રાવણ જે છે તે શ્રાપિત, દુઃખી બનાવી દે છે. શ્રાપ શબ્દ જ દુઃખ નો છે,
વારસો શબ્દ સુખ નો છે. જે બાળકો વફાદાર, ફરમાનબરદાર છે, તે સારી રીતે જાણે છે. જો
નાફરમાનબરદાર છે, તે બાળક નથી. ભલે પોતાને કાંઈ પણ સમજે પરંતુ બાપ નાં દિલ પર ચઢી
નથી શકતાં, વારસો પામી નથી શકતા. જો માયા નાં કહેવા પર ચાલે અને બાપ ને યાદ પણ નથી
કરતાં, તો કોઈ ને સમજાવી નથી શકતાં. એટલે પોતાને પોતે જ શ્રાપિત કરે છે. બાળકો જાણે
છે માયા ખૂબ જબરજસ્ત છે. જો બેહદ નાં બાપ નું પણ નથી માનતાં તો માયા નું માને છે.
માયા નાં વશ થઈ જાય છે. કહેવત છે ને - પ્રભુ ની આજ્ઞા માથા પર. તો બાપ કહે છે બાળકો,
પુરુષાર્થ કરી બાપ ને યાદ કરો તો માયા નાં ખોળા થી નીકળી પ્રભુ નાં ખોળા માં આવી જશો.
બાપ તો બુદ્ધિવાનો નાં બુદ્ધિવાન છે. બાપ નું નહી માનો તો બુદ્ધિ ને તાળું લાગી જશે.
તાળું ખોલવા વાળા એક જ બાપ છે. શ્રીમત પર નથી ચાલતાં તો એમનાં શું હાલ થશે? માયા ની
મત પર કાંઈ પણ પદ મેળવી નહીં શકો. ભલે સાંભળે છે પરંતુ ધારણા નથી કરી શકતાં, ન કરાવી
શકે તો તેમનાં શું હાલ થશે! બાપ તો ગરીબ નિવાઝ છે. મનુષ્ય ગરીબો ને દાન કરે છે તો
બાપ પણ આવી ને કેટલું બેહદનું દાન કરે છે. જો શ્રીમત પર નથી ચાલતાં તો એકદમ બુદ્ધિ
ને તાળું લાગી જાય છે. પછી શું પ્રાપ્તિ કરશે? શ્રીમત પર ચાલવા વાળા જ બાપ નાં બાળકો
થયાં. બાપ તો રહેમદિલ છે. સમજે છે બહાર જતાં જ માયા એકદમ ખતમ કરી દેશે. કોઈ આપઘાત
કરે છે તો પણ પોતાનું સત્યાનાશ કરે છે. બાપ તો સમજાવતાં રહે છે-પોતાનાં પર રહેમ કરો,
શ્રીમત પર ચાલો, પોતાની મત પર નહીં ચાલો. શ્રીમત પર ચાલવાથી ખુશી નો પારો ચઢશે.
લક્ષ્મી-નારાયણ નો ચહેરો જુઓ કેટલો ખુશનુમા: છે. તો પુરુષાર્થ કરી એવું ઉંચ પદ
મેળવવું જોઈએ ને? બાપ અવિનાશી જ્ઞાન-રત્ન આપે છે તો એમનો નિરાદર કેમ કરવો જોઈએ?
રત્નો થી ઝોલી ભરવી જોઈએ. સાંભળે તો છે પરંતુ ઝોલી નથી ભરતાં કારણ કે બાપ ને યાદ નથી
કરતાં. આસુરી ચલન ચાલે છે. બાપ વારંવાર સમજાવતા રહે છે - પોતાનાં પર રહેમ કરો, દૈવી
ગુણ ધારણ કરો. તે છે જ આસુરી સંપ્રદાય. તેમને બાપ આવીને પરિસ્તાની બનાવે છે.
પરિસ્તાન સ્વર્ગ ને કહેવાય છે. મનુષ્ય કેટલાં ધક્કા ખાતા રહે છે. સંન્યાસીઓ વગેરે
ની પાસે જાય છે, સમજે છે મન ને શાંતિ મળશે. હકીકત માં આ શબ્દ જ ખોટા છે, તેનો કોઈ
અર્થ નથી. શાંતિ તો આત્મા ને જોઈએ ને? આત્મા સ્વયં શાંત સ્વરુપ છે. એવું પણ નથી
કહેતા કે આત્મા ને કેવી રીતે શાંતિ મળે? કહે છે મન ને શાંતિ કેવી રીતે મળે? હવે મન
શું છે, બુદ્ધિ શું છે, આત્મા શું છે, કાંઈ પણ જાણતાં નથી. જે કંઈ કહે છે અથવા કરે
છે તે બધું છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ વાળા સીડી નીચે ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન
બનતાં જાય છે. ભલે કોઈ ને ખૂબ ધન, સંપત્તિ વગેરે છે છતાં પણ રાવણ રાજ્ય માં છે ને?
આપ બાળકોને ચિત્રો પર
સમજાવવાની પણ ખૂબ સારી પ્રેક્ટિસ કરવાની છે. બાપ બધાં સેવાકેન્દ્રો નાં બાળકોને
સમજાવતાં રહે છે, નંબરવાર તો છે ને? ઘણાં બાળકો રાજાઈ પદ મેળવવા નો પુરુષાર્થ નથી
કરતાં તો પ્રજા માં શું જઈને બનશે! સર્વિસ (સેવા) નથી કરતાં, પોતાનાં પર તરસ નથી
આવતી કે અમે શું બનીશું પછી સમજાય છે ડ્રામા માં આમનો પાર્ટ એટલો છે. પોતાનું
કલ્યાણ કરવા માટે જ્ઞાન ની સાથે-સાથે યોગ પણ હોય. યોગ માં નથી રહેતાં તો કાંઈ પણ
કલ્યાણ નથી થતું. યોગ વગર પાવન બની નથી શકતાં. જ્ઞાન તો ખુબ સહજ છે પરંતુ પોતાનું
કલ્યાણ પણ કરવાનું છે. યોગ માં ન રહેવાથી કાંઈ પણ કલ્યાણ થતું નથી. યોગ વગર પાવન
કેવી રીતે બનશો? જ્ઞાન અલગ ચીજ છે, યોગ અલગ ચીજ છે. યોગ માં બહુજ કાચ્ચા છે. યાદ
કરવાની અક્કલ જ નથી આવતી. તો યાદ વગર વિકર્મ કેવી રીતે વિનાશ થાય? પછી સજા બહુજ ખાવી
પડે છે, ખૂબ પસ્તાવું પડે છે. તે સ્થૂળ કમાણી નથી કરતાં તો કોઈ સજા નથી ખાતાં, આમાં
તો પાપો નો બોજો માથા પર છે, તેની ખૂબ સજા ખાવી પડે. બાળકો બનીને અને બેઅદબ થાય છે
તો ખૂબ સજા મળી જાય છે. બાપ તો કહે છે - પોતાનાં પર રહેમ કરો, યોગ માં રહો. નહીં તો
મફત માં પોતાનો ઘાત કરે છે. જેમ કોઇ ઉપર થી પડે છે, મરતાં નથી તો હોસ્પિટલ માં પડ્યા
રહેશે, બૂમો પાડતાં રહેશે. નાહેક પોતાને ધક્કો આપ્યો, મર્યા નહીં, બાકી શું કામ નાં
રહ્યાં? અહીં પણ એવું છે. ચઢવાનું છે ખૂબ ઊંચે. શ્રીમત પર નથી ચાલતાં તો પડી જાય
છે. આગળ ચાલી દરેક પોતાનાં પદ ને જોઈ લેશે કે અમે શું બનીએ છીએ? જે સર્વિસેબુલ (સેવાધારી),
આજ્ઞાકારી હશે, તે જ ઉંચ પદ મેળવશે. નહીં તો દાસ-દાસી વગેરે જઈને બનશે. પછી સજા પણ
ખૂબ આકરી મળશે. એ સમયે બન્ને જાણે ધર્મરાજ નું રુપ બની જાય છે. પરંતુ બાળકો સમજતાં
નથી, ભૂલો કરતાં રહે છે. સજા તો અહીં ખાવી પડશે ને? જેટલી જે સર્વિસ કરશે, શોભશે.
નહીં તો કોઈ કામ નાં નહીં રહે. બાપ કહે છે બીજાઓનું કલ્યાણ નથી કરી શકતાં તો પોતાનું
કલ્યાણ તો કરો. બાંધેલીઓ પણ પોતાનું કલ્યાણ કરતી રહે છે. બાપ તો પણ બાળકોને કહે છે
ખબરદાર રહો. નામ-રુપ માં ફસાવાથી માયા ખૂબ દગો આપે છે. કહે છે બાબા ફલાણી ને જોવાથી
અમારાં ખરાબ સંકલ્પ ચાલે છે. બાપ સમજાવે છે-કર્મેન્દ્રિયો થી ક્યારેય પણ ખરાબ કામ
નથી કરવાનું. કોઈ પણ ગંદા મનુષ્ય જેમની ચલન ઠીક નથી હોતી તો સેવાકેન્દ્ર પર તેમને
આવવા નથી દેવાનાં. સ્કૂલ માં કોઈ બદચલન ચાલે છે તો ખૂબ માર ખાય છે. શિક્ષક બધાની
આગળ બતાવે છે, આમણે આવી બદચલન કરી છે, એટલે તેમને સ્કૂલ થી નીકાળી દેવાય છે. તમારાં
સેવાકેન્દ્ર પર પણ એવી ગંદી દૃષ્ટિ વાળા આવે છે, તો એમને ભગાવી દેવા જોઈએ. બાપ કહે
છે ક્યારેય કુદૃષ્ટિ ન રહેવી જોઈએ. સર્વિસ નથી કરતાં, બાપ ને યાદ નથી કરતાં તો જરુર
કાંઈ ન કાંઈ ગંદકી છે. જે બધી સર્વિસ કરે છે, તેમનું નામ પણ પ્રખ્યાત થાય છે. થોડો
પણ સંકલ્પ આવ્યો, કુદૃષ્ટિ જાય તો સમજવું જોઈએ માયા નો વાર થાય છે. એકદમ છોડી દેવું
જોઈએ. નહીં તો વૃદ્ધિને પામી નુકસાન કરી દેશે. બાપ ને યાદ કરશે તો બચતા રહેશે. બાબા
બધાં બાળકો ને સાવધાન કરે છે - ખબરદાર રહો, ક્યાંક પોતાનાં કુળનું નામ બદનામ ન કરો.
કોઈ ગાંધર્વ વિવાહ કરી સાથે રહે છે, તો કેટલું નામ પ્રખ્યાત કરે છે, કોઈ પછી ગંદા
બની જાય છે. અહીં તમે આવ્યાં છો પોતાની સદ્દગતિ કરવાં, ન કે અધોગતિ કરવાં. ખરાબ થી
ખરાબ છે કામ, પછી ક્રોધ. આવે છે બાપ થી વારસો લેવા માટે પરંતુ માયા વાર કરી શ્રાપ
આપી દે છે તો એકદમ પડી જાય છે. એટલે પોતાને શ્રાપ આપી દે છે. તો બાપ સમજાવે છે ખૂબ
સંભાળ રાખવાની છે, કોઈ એવું આવે તો તેમને એકદમ રવાના કરી દેવા જોઈએ. દેખાડે પણ છે
ને - અમૃત પીવા આવ્યાં પછી બહાર જઈને અસુર બની ગંદકી કરી. તેઓ પછી આ જ્ઞાન સંભળાવી
ન શકે. તાળું બંધ થઈ જાય છે. બાપ કહે છે પોતાની સર્વિસ પર જ તત્પર રહેવું જોઈએ. બાપ
ની યાદ માં રહેતાં-રહેતાં અંત માં ચાલ્યાં જવાનું છે ઘરે. ગીત પણ છે ને - રાત કે
રાહી થક મત જાના… આત્મા ને ઘરે જવાનું છે. આત્મા જ રાહી છે. આત્મા ને રોજ સમજાવાય
છે હવે તમે શાંતિધામ જવાનાં રાહી છો. તો હવે બાપ ને, ઘર ને અને વારસા ને યાદ કરતાં
રહો. પોતાને જોવાનું છે માયા ક્યાંય દગો તો નથી આપતી? હું પોતાનાં બાપ ને યાદ કરું
છું?
ઊંચે થી ઉંચા બાપ ની
તરફ જ દૃષ્ટિ રહે - આ છે ખૂબ ઊંચો પુરુષાર્થ. બાપ કહે છે - બાળકો, કુદૃષ્ટિ છોડી
દો. દેહ-અભિમાન એટલે કુદૃષ્ટિ, દેહી-અભિમાની એટલે શુદ્ધ દૃષ્ટિ. તો બાળકો ની દૃષ્ટિ
બાપ ની તરફ રહેવી જોઈએ. વારસો ખૂબ ઊંચો છે - વિશ્વની બાદશાહી, ઓછી વાત છે? સ્વપ્ન
માં પણ કોઈને નહીં હશે કે ભણવા થી, યોગ થી વિશ્વ ની બાદશાહી મળી શકે છે. ભણીને ઊંચું
પદ મેળવશો તો બાપ પણ ખુશ થશે, શિક્ષક પણ ખુશ થશે, સદ્દગુરુ પણ ખુશ થશે. યાદ કરતાં
રહેશો તો બાપ પણ લાડ કરતાં રહેશે. બાપ કહે છે-બાળકો, આ ખામીઓ નીકાળી દો. નહીં તો
મફત માં નામ બદનામ કરશો. બાપ તો વિશ્વ નાં માલિક બનાવે, સૌભાગ્ય ખોલે છે. ભારતવાસી
જ ૧૦૦ ટકા સૌભાગ્યશાળી હતાં તો પછી ૧૦૦ ટકા દુર્ભાગ્યશાળી બને છે ફરી તમને
સૌભાગ્યશાળી બનાવવા માટે ભણાવાય છે.
બાબાએ સમજાવ્યું છે
ધર્મ નાં જે મોટા-મોટા છે, તેઓ પણ તમારી પાસે આવશે. યોગ શીખીને જશે. મ્યુઝિયમ માં
જે ટૂરિસ્ટ (યાત્રાળું) આવે છે, એમને પણ તમે સમજાવી શકો છો - હવે સ્વર્ગ નાં દ્વાર
ખુલવાનાં છે. ઝાડ પર સમજાવો, જુઓ તમે ફલાણા સમય પર આવો છો. ભારતવાસીઓ નો પાર્ટ ફલાણા
સમય પર છે. તમે આ નોલેજ સાંભળો છો પછી પોતાનાં દેશ માં જઈને બતાવો કે બાપ ને યાદ કરો
તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. યોગ માટે તો તેઓ ઇચ્છા રાખે છે. હઠયોગી,
સંન્યાસી તો એમને યોગ શીખવાડી ન શકે. તમારું મિશન (કાર્ય) પણ બહાર જશે. સમજાવાની બહુ
જ યુક્તિ જોઈએ. ધર્મ નાં જે મોટા-મોટા છે તેમને આવવાનું તો છે. તમારાથી કોઈ એક પણ
સારી રીતે આ નોલેજ લઈ જાય તો એક થી કેટલાં અનેક સમજી જશે. એક ની બુદ્ધિમાં આવી ગયું
તો પછી સમાચાર-પત્રો વગેરે માં પણ નાખશે. આ પણ ડ્રામા માં નોંધ છે. નહીં તો બાપ ને
યાદ કરવાનું કેવી રીતે શીખે? બાપ નો પરિચય તો બધાને મળવાનો છે. કોઈ ન કોઈ નીકળશે.
મ્યુઝિયમ માં ખુબ જૂની ચીજો જોવાં જાય છે. અહીં પછી તમારું જૂનું જ્ઞાન સાંભળશે.
અનેક આવશે. એમનાથી કોઈ સારી રીતે સમજશે. અહીં થી જ દૃષ્ટિ મળશે અથવા તો મિશન બહાર
જશે. તમે કહેશો બાપ ને યાદ કરો તો પોતાનાં ધર્મ માં ઊંચ પદ મેળવશો. પુનર્જન્મ
લેતાં-લેતાં બધાં નીચે આવી ગયાં છે. નીચે ઉતરવું એટલે તમોપ્રધાન બનવું. પોપ વગેરે
એવું કહી ન શકે કે બાપ ને યાદ કરો. બાપ ને જાણતાં જ નથી. તમારી પાસે ખૂબ સારું
જ્ઞાન છે. ચિત્ર પણ સુંદર બનતા રહે છે. સુંદર ચીજ હશે તો મ્યુઝિયમ ખૂબ જ સુંદર હશે.
અનેક આવશે જોવાં માટે. જેટલાં મોટા ચિત્ર હશે એટલું સારી રીતે સમજાવી શકશો. શોખ
રહેવો જોઈએ અમે આમ સમજાવીએ. સદા તમારી બુદ્ધિ માં રહે કે અમે બ્રાહ્મણ બન્યાં છીએ
તો જેટલી સર્વિસ કરશું એટલું ખૂબ માન થશે. અહીં પણ માન તો ત્યાં પણ માન હશે. તમે
પૂજ્ય બનશો. આ ઈશ્વરીય નોલેજ ધારણ કરવાની છે. બાપ તો કહે છે સર્વિસ પર દોડતા રહો.
બાપ ક્યાંય પણ સર્વિસ પર મોકલે, તેમાં કલ્યાણ છે. આખો દિવસ બુદ્ધિ માં સર્વિસ નાં
વિચારો ચાલવાં જોઈએ. ફોરેનર્સ (વિદેશીઓ) ને પણ બાપ નો પરિચય આપવાનો છે. મોસ્ટ
બિલોવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરો, કોઈ પણ દેહધારી ને ગુરુ નહીં બનાવો. સર્વ નાં
સદ્દગતિ દાતા એ એક બાપ છે. હવે હોલસેલ મોત સામે ઉભું હશે, હોલસેલ અને રિટેલ વ્યાપાર
હોય છે ને? બાપ છે હોલસેલ, વારસો પણ હોલસેલ આપે છે. ૨૧ જન્મનાં માટે વિશ્વની રાજાઈ
લો. મુખ્ય ચિત્ર છે જ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ, સીડી, વિરાટ રુપ નું ચિત્ર અને ગીતા
નાં ભગવાન કોણ…? આ ચિત્ર તો ફર્સ્ટ ક્લાસ છે, આમાં બાપ ની મહિમા પૂરી છે. બાપે જ
કૃષ્ણ ને આવાં બનાવ્યાં છે, આ વારસો ગોડફાધરે આપ્યો. કળિયુગ માં આટલાં અસંખ્ય
મનુષ્ય છે, સતયુગ માં થોડા છે. આ અદલી-બદલી કોણે કરી? જરા પણ કોઈ નથી જાણતાં. તો
ટુરિસ્ટ વધારે કરીને મોટા-મોટા શહેરો માં જાય છે. તેઓ પણ આવીને બાપ નો પરિચય મેળવશે.
પોઇન્ટ્સ (મુદ્દાઓ) તો સર્વિસ ની ખૂબ મળતી રહે છે. વિલાયત માં પણ જવાનું છે. એક તરફ
તમે બાપ નો પરિચય આપતાં રહેશો, બીજી તરફ મારામારી ચાલતી રહેશે. સતયુગ માં થોડા
મનુષ્ય હશે તો જરુર બાકી નો વિનાશ થશે ને? વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રીપીટ થાય
છે. જે થઇ ગયું તે ફરી રિપીટ થશે. પરંતુ કોઇને સમજાવવાની પણ અક્કલ જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા એક બાપ
ની તરફ જ દૃષ્ટિ રાખવાની છે. દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરી માયા નાં દગા થી
બચવાનું છે. ક્યારેય કૃદૃષ્ટિ રાખી પોતાનાં કુળ નું નામ બદનામ નથી કરવાનું.
2. સર્વિસ નાં માટે
ભાગ-દોડ કરતાં રહેવાનું છે. સર્વિસેબલ અને આજ્ઞાકારી બનવાનું છે. પોતાનું અને
બીજાઓનું કલ્યાણ કરવાનું છે. કોઈ પણ બદચલન નથી ચાલવાની.
વરદાન :-
ફુલ સ્ટોપ ની
સ્ટેજ દ્વારા પ્રકૃતિ ની હલચલ ને સ્ટોપ કરવા વાળા માસ્ટર પ્રકૃતિપતિ ભવ
વર્તમાન સમય હલચલ
વધવાનો સમય છે ફાઇનલ પેપર માં એક તરફ પ્રકૃતિ નું અને બીજી તરફ પાંચ વિકારો નું
વિક્રાળ રુપ હશે. તમોગુણી આત્માઓ નો વાર અને જૂના સંસ્કાર… બધું લાસ્ટ સમય પર પોતાનો
ચાન્સ લેશે. એવા સમય પર સમેટવાની શક્તિ દ્વારા હમણાં-હમણાં સાકારી, હમણાં-હમણાં
આકારી અને હમણાં-હમણાં નિરાકારી સ્થિતિ માં સ્થિત થવાનો અભ્યાસ જોઈએ. જોવા છતાં ન
જુઓ, સાંભળવા છતાં ન સાંભળો. જ્યારે એવી ફુલસ્ટોપ ની સ્ટેજ થાય ત્યારે પ્રકૃતિપતિ
બની પ્રકૃતિ ની હલચલ ને સ્ટોપ કરી શકશો.
સ્લોગન :-
નિર્વિઘ્ન
રાજ્ય અધિકારી બનવા માટે નિર્વિઘ્ન સેવાધારી બનો.
અવ્યક્ત ઈશારા - “
કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
સદા આ જ સ્મૃતિ રહે
કે હું રુહ એ સુપ્રીમ રુહ ની સાથે કમ્બાઇન્ડ છું. સુપ્રીમ રુહ મુજ રુહ નાં વગર રહી
નથી શકતાં અને હું પણ સુપ્રીમ રુહ નાં વગર અલગ નથી થઈ શકતો. એવી રીતે દરેક સેકન્ડ
હજુર ને હાજર અનુભવ કરવાથી રુહાની સુગંધ માં અવિનાશી અને એકરસ રહેશો.