18-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
બાપ દ્વારા સન્મુખ ભણી રહ્યાં છો , તમારે સતયુગી બાદશાહી નાં લાયક બનવા માટે પાવન
જરુર બનવાનું છે”
પ્રશ્ન :-
બાપ નાં કયાં
ઓક્યૂપેશન (કર્તવ્ય) ને આપ બાળકો જ જાણો છો?
ઉત્તર :-
તમે જાણો છો કે અમારા બાપ, બાપ પણ છે, શિક્ષક અને સદ્દગુરુ પણ છે. બાપ કલ્પ નાં
સંગમયુગ પર આવે છે, જુની દુનિયા ને નવી બનાવવાં, એક આદિ સનાતન ધર્મ ની સ્થાપના કરવાં.
બાપ હમણાં આપણને બાળકો ને મનુષ્ય થી દેવતા બનાવવા માટે ભણાવી રહ્યાં છે. આ કર્તવ્ય
બાળકો નાં સિવાય બીજું કોઈ નથી જાણતું.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો
અર્થ તો બાળકો ને વારંવાર સમજાવ્યો છે. ઓમ્ એટલે હું આત્મા છું અને મારું આ શરીર
છે. શરીર પણ કહી શકે છે કે મારો આ આત્મા છે. જેમ શિવબાબા કહે છે તમે મારા છો. બાળકો
કહે છે બાબા તમે અમારા છો. તેમ આત્મા પણ કહે છે મારું શરીર. શરીર કહેશે - મારો આત્મા.
હવે આત્મા જાણે છે - હું અવિનાશી છું. આત્મા વગર શરીર કંઈ કરી ન શકે. શરીર તો છે,
કહેવાય છે મુજ આત્મા ને તકલીફ નહીં આપો. હું આત્મા પાપ આત્મા છું કે હું આત્મા
પુણ્ય આત્મા છું. તમે જાણો છો હું આત્મા સતયુગ માં પુણ્ય આત્મા હતો. આત્મા પોતે પણ
કહેશે - હું સતયુગ માં સતોપ્રધાન અથવા સાચું સોનું હતો. સોનું છે નહીં, આ એક
દૃષ્ટાંત અપાય છે. આપણો આત્મા પવિત્ર હતો, સતોપ્રધાન હતો. હમણાં તો કહે છે અપવિત્ર
છું. દુનિયા વાળા આ નથી જાણતાં. તમને તો શ્રીમત મળે છે. તમે હમણાં જાણો છો આપણો
આત્મા સતોપ્રધાન હતો, હમણાં તમોપ્રધાન બન્યો છે. દરેક ચીજ આમ થાય છે. બાળ, યુવા,
વૃદ્ધ… દરેક ચીજ નવાં થી જૂની જરુર થાય છે. દુનિયા પણ પહેલા સ્વર્ણિમ યુગ સતોપ્રધાન
હતી પછી તમોપ્રધાન કળિયુગ છે, ત્યારે જ દુઃખી છે. સતોપ્રધાન એટલે સુધરેલી,
તમોપ્રધાન એટલે બગડેલી. ગીત માં પણ કહે છે, બગડેલા ને બનાવવા વાળા… જૂની દુનિયા
બગડેલી છે કારણ કે રાવણ રાજ્ય છે અને બધાં પતિત છે. સતયુગ માં બધાં પાવન હતાં, એને
નવી નિર્વિકારી દુનિયા કહેવાય છે. આ છે જૂની વિકારી દુનિયા. હમણાં કળિયુગ તમોપ્રધાન
છે. આ બધી વાતો કોઈ સ્કૂલ, કોલેજ માં નથી ભણાવાતી. ભગવાન આવીને ભણાવે છે અને રાજયોગ
શીખવાડે છે. ગીતા માં લખેલું છે ભગવાનુવાચ - શ્રીમત્ ભગવત્ ગીતા. શ્રીમત એટલે
શ્રેષ્ઠ મત. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ ઊંચે થી ઊંચા ભગવાન છે. એમનું નામ એક્યુરેટ (સચોટ)
શિવ છે. રુદ્ર જયંતી કે રુદ્ર રાત્રિ ક્યારેય નહીં સાંભળ્યું હશે. શિવરાત્રી કહેવાય
છે. શિવ તો નિરાકાર છે. હવે નિરાકાર ની રાત્રિ કે જયંતી કેવી રીતે મનાવાય. કૃષ્ણ ની
જયંતી તો ઠીક છે. ફલાણા નું બાળક છે, એની તિથી-તારીખ બતાવે છે. શિવ નાં માટે તો કોઈ
જાણતું નથી કે ક્યારે જન્મ્યાં? આ તો જાણવું જોઈએ ને. હવે તમને સમજ મળી છે કે
શ્રીકૃષ્ણે સતયુગ વગેરે માં કેવી રીતે જન્મ લીધો. તમે કહેશો એમને તો ૫ હજાર વર્ષ થયાં.
તેઓ પણ કહે છે ક્રાઈસ્ટ થી 3 હજાર વર્ષ પહેલાં ભારત પેરાડાઈઝ (વૈકુંઠ) હતું. ઈસ્લામી
નાં આગળ ચંદ્રવંશી, એમનાં આગળ સૂર્યવંશી હતાં. શાસ્ત્રો માં સતયુગ ને લાખો વર્ષ આપી
દીધાં છે. ગીતા છે મુખ્ય. ગીતા થી જ દેવી-દેવતા ધર્મ સ્થાપન થયો. તે સતયુગ-ત્રેતા
સુધી ચાલ્યો અર્થાત્ ગીતા શાસ્ત્ર થી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના, પરમપિતા
પરમાત્માએ કરી. પછી તો અડધો કલ્પ ન કોઈ શાસ્ત્ર થયાં, ન કોઈ ધર્મ સ્થાપક થયાં. બાપે
આવીને બ્રાહ્મણો ને દેવતા-ક્ષત્રિય બનાવ્યાં. એટલે બાપ ૩ ધર્મ સ્થાપન કરે છે. આ છે
લીપ ધર્મ. આની આયુ થોડી હોય છે. તો સર્વ શાસ્ત્ર શિરોમણી ગીતા ભગવાને ગાઈ છે. બાપ
પુનર્જન્મ માં નથી આવતાં. જન્મ છે, પરંતુ બાપ કહે છે, હું ગર્ભ માં નથી આવતો. મારી
પાલના નથી થતી. સતયુગ માં પણ જે બાળકો હોય છે તે ગર્ભમહેલ માં રહે છે. રાવણ રાજ્ય
માં ગર્ભજેલ માં આવવું પડે છે. પાપ જેલ માં ભોગવાય છે. ગર્ભ માં અંજામ (પ્રતિજ્ઞા)
કરે છે, અમે પાપ નહીં કરીશું, પરંતુ આ છે જ પાપ આત્માઓની દુનિયા. બહાર નીકળવાથી પછી
પાપ કરવા લાગી જાય છે. ત્યાં નું ત્યાં રહ્યું… અહીંયા પણ બહુજ પ્રતિજ્ઞા કરે છે અમે
પાપ નહીં કરીશું. એક-બે પર કામ-કટારી નહીં ચલાવીશું કારણ કે આ વિકાર આદિ-મધ્ય-અંત
દુઃખ આપે છે. સતયુગ માં વિષ નથી. તો મનુષ્ય આદિ-મધ્ય-અંત ૨૧ જન્મ દુઃખ ભોગવતાં નથી
કારણકે રામરાજ્ય છે. એની સ્થાપના હમણાં બાપ ફરીથી કરી રહ્યાં છે. સંગમ પર જ સ્થાપના
થશે ને? જે પણ ધર્મ સ્થાપન કરવાં આવે છે એમણે કોઈ પણ પાપ નથી કરવાનાં. અડધો સમય છે
પુણ્ય આત્મા, પછી અડધા સમય પછી પાપ આત્મા બને છે. તમે સતયુગ-ત્રેતા માં પુણ્ય આત્મા
રહો છો, પછી પાપ આત્મા બનો છો. સતોપ્રધાન આત્મા જ્યારે ઉપર થી આવે છે તો તે સજાઓ
ખાઈ નથી શકતો. ક્રાઈસ્ટ નો આત્મા ધર્મ સ્થાપન કરવા આવ્યો, એને કોઈ સજા મળી ન શકે.
કહે છે-ક્રાઈસ્ટ ને ક્રોસ પર ચઢાવ્યાં પરંતુ એમનાં આત્માએ કોઈ વિકર્મ વગેરે કર્યા જ
નથી. તે જેમનાં શરીર માં પ્રવેશ કરે છે એમને દુઃખ થાય છે. તે સહન કરે છે. જેમ આમનામાં
બાબા આવે છે, એ તો છે જ સતોપ્રધાન. કોઈ પણ દુઃખ-તકલીફ આમનાં આત્મા ને થાય છે,
શિવબાબા ને નથી થતી. એ તો સદૈવ સુખ-શાંતિ માં રહે છે. હંમેશા સતોપ્રધાન છે. પરંતુ
આવે તો આ જૂનાં શરીર માં છે ને? એમ ક્રાઈસ્ટ નાં આત્માએ જેમાં પ્રવેશ કર્યો એ શરીરને
દુઃખ થઈ શકે છે, ક્રાઈસ્ટ નો આત્મા દુઃખ ન ભોગવી શકે કારણ કે સતો-રજો-તમો માં આવે
છે. નવાં-નવાં આત્માઓ આવે પણ તો છે ને. એમને પહેલાં જરુર સુખ ભોગવવું પડે, દુઃખ
ભોગવી ન શકે. કાયદો નથી કહેતો. આમાં બાબા બેસે છે કોઈ પણ તકલીફ આમને (દાદાને) થાય
છે ન કે શિવબાબા ને. પરંતુ આ વાતો તમે જાણો છો બીજા કોઇને ખબર નથી.
આ બધું રહસ્ય હમણાં
બાપ બેસી સમજાવે છે. આ સહજ રાજયોગ થી જ સ્થાપના થઈ હતી પછી ભક્તિમાર્ગ માં આ જ વાતો
ગવાય છે. આ સંગમ પર જે કંઈ થાય છે, તે ગવાય છે. ભક્તિમાર્ગ શરું થાય છે તો પછી
શિવબાબા ની પૂજા થાય છે. પહેલાં-પહેલાં ભક્તિ કોણ કરે છે, તે જ લક્ષ્મી-નારાયણ
જ્યારે રાજ્ય કરતા હતાં તો પૂજ્ય હતાં પછી વામમાર્ગ માં આવી જાય છે તો ફરી પૂજ્ય થી
પૂજારી બની જાય છે. બાપ સમજાવે છે, આપ બાળકોને પહેલાં-પહેલાં બુદ્ધિ માં આવવું જોઈએ
કે નિરાકાર પરમપિતા પરમાત્મા આમનાં દ્વારા અમને ભણાવે છે. આવી બીજી કોઈ જગ્યા આખાં
વિશ્વ માં હોઈ ન શકે, જ્યાં આવું સમજાવતાં હોય. બાપ જ આવીને ભારત ને ફરીથી સ્વર્ગ
નો વારસો આપે છે. ત્રિમૂર્તિ નાં નીચે લખેલું છે - ડીટી વર્લ્ડ સોવરન્ટી ઈઝ યોર ગોડ
ફાધરલી બર્થ રાઈટ. શિવબાબા આવીને આપ બાળકોને સ્વર્ગની બાદશાહી નો વારસો આપી રહ્યાં
છે, લાયક બનાવી રહ્યાં છે. તમે જાણો છો બાબા આપણ ને લાયક બનાવી રહ્યાં છે, આપણે
પતિત હતાં ને. પાવન બની જઈશું પછી આ શરીર નહીં રહેશે. રાવણ દ્વારા આપણે પતિત બન્યાં
છીએ પછી પરમપિતા પરમાત્મા પાવન બનાવી પાવન દુનિયાનાં માલિક બનાવે છે. એ જ જ્ઞાન નાં
સાગર પતિત-પાવન છે. આ નિરાકાર બાબા આપણને ભણાવી રહ્યાં છે. બધાં તો સાથે ન ભણી શકે.
સન્મુખ તમે થોડાક બેઠાં છો બાકી બધાં બાળકો જાણે છે - હમણાં શિવબાબા બ્રહ્મા નાં તન
માં બેસી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવતાં હશે. એ મોરલી લખાણ દ્વારા
આવશે. બીજા સત્સંગો માં આવું થોડી સમજશે. આજકાલ ટેપ મશીન પણ નીકળી છે એટલે ભરીને
મોકલી દે છે. તે કહેશે ફલાણાં નામ વાળા ગુરુ સંભળાવે છે, બુદ્ધિમાં મનુષ્ય જ રહે
છે. અહીંયા તો તે વાત નથી. તો નિરાકાર બાપ નોલેજફુલ છે. મનુષ્ય ને નોલેજફુલ નથી
કહેવાતું. ગાય છે ગોડફાધર ઇઝ નોલેજફુલ (જ્ઞાન નાં સાગર), પીસફુલ (શાંતિ નાં સાગર),
બ્લિસફુલ (આનંદ નાં સાગર) તો તેમનો વારસો પણ જોઈએ ને. એમનામાં જે ગુણ છે તે બાળકોને
મળવાં જોઈએ, હમણાં મળી રહ્યાં છે. ગુણો ને ધારણ કરી આપણે એવાં લક્ષ્મી-નારાયણ બની
રહ્યાં છીએ. બધાં તો રાજા-રાણી નહીં બનશે. ગવાય છે રાજા-રાણી વજીર… ત્યાં વજીર પણ
નથી હોતાં. મહારાજા-મહારાણી માં પાવર (શક્તિ) હોય છે. જ્યારે વિકારી બને છે ત્યારે
વજીર વગેરે હોય છે. પહેલા મિનિસ્ટર (મંત્રી) વગેરે પણ નહોતાં. ત્યાં તો એક રાજા-રાણી
નું રાજ્ય ચાલતું હતું. એમને વજીર ની શું જરુર, સલાહ લેવાની જરુર નથી, જ્યારે પોતે
માલિક છે. આ છે હિસ્ટ્રી-જોગ્રાફી. પરંતુ પહેલાં-પહેલાં તો ઉઠતાં-બેસતાં આ બુદ્ધિ
માં આવવું જોઈએ કે અમને બાપ ભણાવે છે, યોગ શીખવાડે છે. યાદ ની યાત્રા પર રહેવાનું
છે. હમણાં નાટક પૂરું થાય છે, અમે બિલકુલ પતિત બની ગયાં છીએ કારણ કે વિકાર માં જઈએ
છીએ એટલે પાપ આત્મા કહેવાય છે. સતયુગ માં પાપ આત્મા નથી હોતાં. ત્યાં છે પુણ્ય આત્મા.
તે છે પ્રારબ્ધ, જેનાં માટે તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો. તમારી છે યાદ ની
યાત્રા, જેને ભારતનો યોગ કહેવાય છે. પરંતુ અર્થ તો નથી સમજતાં યોગ અર્થાત્ યાદ.
જેનાથી વિકર્મ વિનાશ થાય છે પછી આ શરીર છોડી ઘરે ચાલ્યાં જશે, એને સ્વીટ હોમ કહેવાય
છે. આત્મા કહે છે, અમે એ શાંતિધામ નાં રહેવાસી છીએ. અમે ત્યાંથી નગ્ન (અશરીરી) આવ્યાં
છીએ, અહીંયા પાર્ટ ભજવવા માટે શરીર લીધું છે. આ પણ સમજાવ્યું છે માયા ૫ વિકારો ને
કહેવાય છે. આ પાંચ ભૂત છે. કામ નું ભૂત, ક્રોધ નું ભૂત, નંબરવન છે દેહ-અભિમાન નું
ભૂત.
બાપ સમજાવે છે-સતયુગ
માં આ વિકાર હોતાં નથી, એને નિર્વિકારી દુનિયા કહેવાય છે. વિકારી દુનિયા ને
નિર્વિકારી બનાવવી, આ તો બાપ નું જ કામ છે. એમને જ સર્વશક્તિમાન્ જ્ઞાન નાં સાગર,
પતિત-પાવન કહેવાય છે. આ સમયે બધાં ભ્રષ્ટાચાર થી જન્મે છે. સતયુગ માં જ નિર્વિકારી
દુનિયા છે. બાપ કહે છે હવે તમારે વિકારી થી નિર્વિકારી બનવાનું છે. કહે છે આનાં વગર
બાળકો કેવી રીતે જન્મશે. બાપ સમજાવે છે હમણાં તમારો આ અંતિમ જન્મ છે. મૃત્યુલોક જ
ખતમ થવાનો છે પછી આનાં પછી વિકારી લોકો હશે નહીં એટલે બાપ થી પવિત્ર બનવાની
પ્રતિજ્ઞા કરવાની છે. કહે છે બાબા અમે તમારાથી વારસો અવશ્ય લઈશું. તે કસમ ઉઠાવે છે
જુઠ્ઠી. ભગવાન જેનાં માટે કસમ ઉઠાવે છે, એમને તો જાણતા નથી. એ ક્યારે કેવી રીતે આવે
છે એમનું નામ, રુપ, દેશ, કાળ શું છે, કંઈ પણ નથી જાણતાં. બાપ આવીને પોતાનો પરિચય આપે
છે. હમણાં તમને પરિચય મળી રહ્યો છે. દુનિયાભર માં કોઈ પણ ગોડ ફાધર ને નથી જાણતું.
બોલાવે પણ છે, પૂજા પણ કરે છે પરંતુ કર્તવ્ય ને નથી જાણતાં. હમણાં તમે જાણો છો-પરમપિતા
પરમાત્મા આપણાં બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. આ બાપે સ્વયં પરિચય આપ્યો છે કે હું તમારો
બાપ છું. મેં આ શરીરમાં પ્રવેશ કર્યો છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે.
કોની? બ્રાહ્મણો ની. પછી તમે બ્રાહ્મણ ભણીને દેવતા બનો છો. હું આવીને તમને શૂદ્ર થી
બ્રાહ્મણ બનાવું છું. બાપ કહે છે હું આવું જ છું - કલ્પ નાં સંગમયુગ પર. કલ્પ ૫
હજાર વર્ષ નું છે. આ સૃષ્ટિ ચક્ર તો ફરતું રહે છે. હું આવું છું, જૂની દુનિયાને નવી
બનાવવાં. જૂના ધર્મો નો વિનાશ કરીને પછી હું આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરું
છું. બાળકોને ભણાવું છું પછી તમે ભણીને ૨૧ જન્મ માટે મનુષ્ય થી દેવતા બની જાઓ છો.
દેવતાઓ તો સૂર્યવંશી, ચંદ્રવંશી, પ્રજા બધું છે. બાકી પુરુષાર્થ અનુસાર ઊંચ પદ પામશે.
હમણાં જે જેટલો પુરુષાર્થ કરશે તે જ કલ્પ-કલ્પ ચાલશે. સમજે છે, કલ્પ-કલ્પ એવો
પુરુષાર્થ કરે છે, એવું જ પદ જઈને મેળવશે. આ આપ બાળકો ની બુદ્ધિ માં છે કે અમને
નિરાકાર ભગવાન ભણાવે છે. એમને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. યાદ કર્યા વગર વિકર્મ
વિનાશ થઇ નથી શકતાં. મનુષ્ય ને આ પણ ખબર નથી કે અમે કેટલાં જન્મ લઈએ છીએ? શાસ્ત્રો
માં કોઈએ ગપ્પા મારી દીધાં છે-૮૪ લાખ જન્મ. હવે તમે જાણો છો ૮૪ જન્મ છે. આ અંત નો
જન્મ છે આપણે સ્વર્ગ માં જવાનું છે. પહેલા મૂળવતન માં જઇને પછી સ્વર્ગ માં આવીશું.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સાથે
જે પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરી છે એનાં પર પાક્કું રહેવાનું છે. કામ, ક્રોધ વગેરે
ભૂતો પર વિજય અવશ્ય પ્રાપ્ત કરવાની છે.
2. ચાલતાં-ફરતાં દરેક
કાર્ય કરતાં ભણાવવા વાળા બાપ ને યાદ રાખવાનાં છે. હવે નાટક પૂરું થઈ રહ્યું છે એટલે
આ અંતિમ જન્મ માં પવિત્ર જરુર બનવાનું છે.
વરદાન :-
સર્વ ખજાનાઓથી
ભરપૂર બની પોતાનાં ચહેરા દ્વારા સેવા કરવા વાળા સાચ્ચા સેવાધારી ભવ
જે બાળકો સર્વ ખજાનાથી
સદા સંપન્ન અથવા ભરપૂર રહે છે એમના નયન અથવા મસ્તક દ્વારા ઈશ્વરીય નશો દેખાઈ આવે
છે. એમનો ચહેરો જ સેવા કરે છે જેમની પાસે વધારે અથવા ઓછું જમા હોય છે તો તે પણ એમના
ચહેરાથી દેખાઈ આવે છે. જેવી રીતે કોઈ ઊંચા કુળ નું હોય છે તો એમના ચહેરા થી તે ઝલક
અને ફલક દેખાઈ આવે છે એવી રીતે તમારી સૂરત દરેક સંકલ્પ, દરેક કર્મ ને સ્પષ્ટ કરે
ત્યારે કહેવાશે સાચ્ચા સેવાધારી.
સ્લોગન :-
સમય અને
સંકલ્પ નાં ખજાના ની બચત કરી જમા નું ખાતું વધારો.
અવ્યક્ત ઇશારા - મહાન
બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
જ્યારે એકબીજા ને મીઠું
ખવડાવો છો એમાં મુખ થોડા સમય માટે મીઠું હોય છે પરંતુ સ્વયં જ મીઠા બની જાઓ, મુખ
માં સદા જ મધુર બોલ રહે. જેવી રીતે મીઠું ખાવું અને ખવડાવવા થી ખુશ થાઓ છો એવી રીતે
મધુર બોલ સ્વયં ને પણ ખુશ કરે, બીજા ને પણ ખુશ કરી દે. એનાથી સદા સર્વ નું મુખ મીઠું
કરતા રહો, સદા મીઠી દૃષ્ટિ, મીઠા બોલ, મીઠા કર્મ હોય.