19-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બેહદ બાપ ની સાથે વફાદાર રહો તો પૂરી માઈટ ( શક્તિ ) મળશે , માયા પર જીત થતી જશે”

પ્રશ્ન :-
બાપ ની પાસે મુખ્ય ઓથોરિટી (સત્તા) કઈ છે? તેની નિશાની શું છે?

ઉત્તર :-
બાપ ની પાસે મુખ્ય છે જ્ઞાન ની ઓથોરિટી. જ્ઞાન સાગર છે એટલે આપ બાળકો ને ભણતર ભણાવે છે. આપ સમાન નોલેજફુલ બનાવે છે. તમારી પાસે ભણતર નો મુખ્ય-ઉદ્દેશ છે. ભણતર થી જ તમે ઊંચ પદ મેળવો છો.

ગીત :-
બદલ જાએ દુનિયા…

ઓમ શાંતિ!
ભક્ત ભગવાન ની મહિમા કરે છે. હવે તમે તો ભક્ત નથી. તમે તો એ ભગવાન નાં બાળકો બની ગયા છો. તે પણ વફાદાર બાળકો જોઈએ. દરેક વાત માં વફાદાર રહેવાનું છે. સ્ત્રી ની પતિ સિવાય અથવા પતિ ની સ્ત્રી સિવાય બીજા તરફ દૃષ્ટિ જાય તો તેને પણ બેવફા કહેવાશે. હવે અહીં પણ છે બેહદ નાં બાપ. એમની સાથે બેવફાદાર અને વફાદાર બંને રહે છે. વફાદાર બનીને પછી બેવફાદાર બની જાય છે. બાપ તો છે હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા). ઓલમાઈટી (સર્વશક્તિવાન્) છે ને? તો એમનાં બાળકો પણ એવાં હોવા જોઈએ. બાપ માં તાકાત છે, બાળકો ને રાવણ પર જીત મેળવવાની યુક્તિ બતાવે છે એટલે એમને કહેવાય પણ છે સર્વશક્તિવાન્. તમે પણ શક્તિ સેના છો ને? તમે પોતાને પણ ઓલમાઈટી કહેશો. બાપ માં જે માઈટ છે તે આપણને આપે છે, બતાવે છે કે તમે માયા રાવણ પર જીત કેવી રીતે મેળવી શકો છો, તો તમારે પણ શક્તિવાન બનવાનું છે. બાપ છે જ્ઞાન ની ઓથોરિટી. નોલેજફુલ છે ને? જેમ તે લોકો ઓથોરિટી છે શાસ્ત્રો ની, ભક્તિમાર્ગ ની, એમ હવે તમે ઓલમાઈટી ઓથોરિટી નોલેજફુલ બનો છો. તમને પણ નોલેજ મળે છે. આ પાઠશાળા છે. આમાં જે નોલેજ તમે ભણો છો, તેનાં થી ઊંચું પદ મેળવી શકો છો. આ એક જ પાઠશાળા છે. તમારે તો અહીં ભણવાનું છે બીજી કોઈ પ્રાર્થના વગેરે નથી કરવાની. તમને ભણતર થી વારસો મળે છે, મુખ્ય-ઉદ્દેશ છે. આપ બાળકો જાણો છો બાપ નોલેજફુલ છે, એમનું ભણતર બિલકુલ ડિફરન્ટ (અલગ) છે. જ્ઞાન નાં સાગર બાપ છે તો એ જ જાણે. એ જ આપણને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપે છે. બીજું કોઈ આપી ન શકે. બાપ સન્મુખ આવીને જ્ઞાન આપીને પછી ચાલ્યાં જાય છે. આ ભણતર ની પ્રારબ્ધ શું મળે છે? એ પણ તમે જાણો છો. બાકી જે પણ સત્સંગ વગેરે છે તથા ગુરુ ગોસાઈ છે તે બધા છે ભક્તિમાર્ગ નાં. હમણાં તમને જ્ઞાન મળી રહ્યું છે. આ પણ જાણે છે કે એમાં પણ કોઈ અહીં નાં હશે તો નીકળી આવશે. આપ બાળકોએ સર્વિસ ની ભિન્ન-ભિન્ન યુક્તિઓ કાઢવાની છે. પોતાનો અનુભવ સંભળાવીને અનેક નું ભાગ્ય બનાવવાનું છે. આપ સર્વિસેબલ બાળકો ની અવસ્થા ખૂબ નિર્ભય, અડોલ અને યોગયુક્ત જોઈએ. યોગ માં રહીને સર્વિસ કરો તો સફળતા મળી શકે છે.

બાળકો, તમારે પોતાને પૂરા સંભાળવાનાં છે. ક્યારેય આવેશ વગેરે ન આવે, યોગયુક્ત પાક્કા જોઈએ. બાપે સમજાવ્યું છે હકીકત માં તમે બધા વાનપ્રસ્થી છો, વાણી થી પરે અવસ્થા વાળા. વાનપ્રસ્થી અર્થાત્ વાણી થી પરે ઘર ને અને બાપ ને યાદ કરવાવાળા. એનાં સિવાય બીજી કોઈ તમન્ના નથી. અમને સારા કપડાં જોઈએ, આ બધી છે છી-છી તમન્નાઓ. દેહ-અભિમાન વાળા સર્વિસ કરી ન શકે. દેહી-અભિમાની બનવું પડે. ભગવાન નાં બાળકો ને તો માઈટ જોઈએ. એ છે યોગ ની. બાબા તો બધા બાળકો ને જાણી શકે છે ને? બાબા ઝટ બતાવી દેશે, આ-આ ખામીઓ કાઢો. બાબાએ સમજાવ્યું છે શિવ નાં મંદિર માં જાઓ, ત્યાં ઘણાં તમને મળશે. ઘણાં છે જે કાશી માં જઈને વાસ કરે છે. સમજે છે કાશીનાથ અમારું કલ્યાણ કરશે. ત્યાં તમને ખૂબ ગ્રાહક મળશે, પરંતુ આમાં ખૂબ શુરુડ બુદ્ધિ (હોશિયાર બુદ્ધિ) જોઈએ. ગંગા સ્નાન કરવાવાળા ને પણ જઈને સમજાવી શકો છો. મંદિરો માં પણ જઈને સમજાવો. ગુપ્ત વેશ માં જઈ શકો છો. હનુમાન નું દૃષ્ટાંત. છો તો હકીકત માં તમે ને? જૂત્તા (ચપ્પલ) માં બેસવાની વાત નથી. આમાં ખૂબ સમજુ ચતુર જોઈએ. બાબાએ સમજાવ્યું છે હમણાં કોઈ પણ કર્માતીત નથી બન્યાં. કોઈ ને કોઈ ખામીઓ જરુર છે.

આપ બાળકો ને નશો જોઈએ કે આ એક જ હટ્ટી છે, જ્યાં બધાને આવવાનું છે. એક દિવસ આ સંન્યાસી વગેરે બધા આવશે. એક જ હટ્ટી છે તો જશે ક્યાં? જે ખૂબ ભટકેલાં હશે, તેમને જ રસ્તો મળશે. અને સમજશે આ એક જ હટ્ટી છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ છે ને? એવો જ્યારે નશો ચઢે ત્યારે વાત છે. બાપ ને આ જ ફિકર છે ને-હું આવ્યો છું પતિતો ને પાવન બનાવવા શાંતિધામ-સુખધામ નો વારસો આપવાં. તમારો પણ આ જ ધંધો છે. બધા નું કલ્યાણ કરવાનું છે. આ છે જૂની દુનિયા. આની આયુ કેટલી છે? થોડાં સમય માં સમજી જશે, આ જૂની દુનિયા ખતમ થવાની છે. બધા આત્માઓ ને આ બુદ્ધિ માં આવશે, નવી દુનિયા ની સ્થાપના થાય ત્યારે તો જૂની દુનિયા નો વિનાશ થાય. આગળ ચાલી પછી કહેશે બરોબર ભગવાન અહીં છે. રચયિતા બાપ ને જ ભૂલી ગયા છે. ત્રિમૂર્તિ માં શિવ નું ચિત્ર ઉડાવી દીધું છે, તો કોઈ કામ નું નથી રહ્યું. રચયિતા તો એ છે ને? શિવ નું ચિત્ર આવવાથી ક્લિયર (સ્પષ્ટ) થઈ જાય છે - બ્રહ્મા દ્વારા સ્થાપના. પ્રજાપિતા બ્રહ્મા હશે તો જરુર બી.કે. પણ હોવા જોઈએ. બ્રાહ્મણ કુળ સૌથી ઊંચો હોય છે. બ્રહ્મા ની સંતાન છે. બ્રાહ્મણો ને રચે કેવી રીતે છે? આ પણ કોઈ નથી જાણતું. બાપ જ આવીને તમને શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. આ ખૂબ ગૂંચવાયેલી વાતો છે. બાપ જ્યારે સન્મુખ આવીને સમજાવે ત્યારે સમજે. જે દેવતાઓ હતાં તે શુદ્ર બન્યાં છે. હવે તેમને કેવી રીતે શોધીએ તેનાં માટે યુક્તિઓ કાઢવાની છે. જે સમજી જાય આ બી.કે. નું તો ભારે કાર્ય છે. કેટલાં પર્ચા વગેરે વહેંચે છે. બાબાએ એરોપ્લેન (વિમાન) થી પર્ચા નાખવા માટે પણ સમજાવ્યું છે. ઓછા માં ઓછો સમાચાર-પત્ર જેટલો એક કાગળ હોય, એમાં મુખ્ય પોઈન્ટ (વાત) સીડી વગેરે પણ આવી શકે છે. મુખ્ય છે અંગ્રેજી અને હિન્દી ભાષા. તો બાળકોએ આખો દિવસ વિચાર કરવા જોઈએ-સર્વિસ (સેવા) ને કેવી રીતે વધારીએ? આ પણ જાણે છે ડ્રામા અનુસાર પુરુષાર્થ થતો રહે છે. સમજાય છે આ સર્વિસ સારી કરે છે, તેમનું પદ પણ ઊંચું હશે. દરેક એક્ટર નો પોતાનો પાર્ટ છે, આ પણ લાઈન (લીટી) જરુર લખવાની છે. બાપ પણ આ ડ્રામા માં નિરાકારી દુનિયા થી આવીને સાકારી શરીર નો આધાર લઈ પાર્ટ ભજવે છે. હમણાં તમારી બુદ્ધિ માં છે, કોણ-કોણ કેટલો પાર્ટ ભજવે છે? તો આ લાઈન પણ મુખ્ય છે. સિદ્ધ કરી બતાવવાનું છે, આ સૃષ્ટિ ચક્ર ને જાણવાથી મનુષ્ય સ્વદર્શન ચક્રધારી બની ચક્રવર્તી રાજા વિશ્વ નાં માલિક બની શકે છે. તમારી પાસે તો બધી નોલેજ છે ને? બાપ ની પાસે નોલેજ છે જ ગીતા ની. જેનાં થી મનુષ્ય નર થી નારાયણ બને છે. પૂરી નોલેજ બુદ્ધિ માં આવી ગઈ તો પછી પૂરી બાદશાહી જોઈએ. તો બાળકોએ એવાં-એવાં વિચાર કરી બાપ ની સર્વિસ માં લાગી જવું જોઈએ.

જયપુર માં પણ આ રુહાની મ્યુઝિયમ સ્થાઈ રહેશે. લખેલું છે-આને સમજવાથી મનુષ્ય વિશ્વ નાં માલિક બની શકે છે. જે જોશે એક-બીજા ને સંભળાવતાં રહેશે. બાળકોએ સદા સર્વિસ પર રહેવાનું છે. મમ્મા પણ સર્વિસ પર છે, તેમને નિશ્ચિત કરેલા હતાં. આ કોઈ શાસ્ત્રો માં નથી કે સરસ્વતી કોણ છે? પ્રજાપિતા બ્રહ્મા ની ફક્ત એક પુત્રી હશે શું? અનેક પુત્રીઓ અનેક નામ વાળી હશે ને? તે તો પણ એડોપ્ટ (દત્તક) હતી. જેમ તમે છો. એક હેડ (મુખ્ય) ચાલ્યું જાય છે તો પછી બીજું સ્થાપન કરાય છે. પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) પણ બીજા સ્થાપન કરી લે છે. સક્ષમ સમજાય છે, ત્યારે તેમને પસંદ કરે છે પછી સમય પૂરો થઈ જાય છે, તો પછી બીજા ને ચૂંટવા પડે છે. બાપ બાળકોને પહેલો મેનર્સ (પહેલી શિસ્ત) આ જ શીખવાડે છે કે તમે કોઈનો રિગાર્ડ (આદર) કેવી રીતે રાખો! અભણ જે હોય છે તેમને રિગાર્ડ રાખતાં પણ નથી આવડતું. જે વધારે હોંશિયાર છે તો તેમનો બધાએ રિગાર્ડ રાખવાનો જ છે. મોટાઓ નો રિગાર્ડ રાખવા થી તે પણ શીખી જશે. અભણ તો બુદ્ધુ હોય છે. બાપે પણ અભણો ને આવીને ઉઠાવ્યાં છે. આજકાલ ફીમેલ (સ્ત્રી) ને આગળ રાખે છે. આપ બાળકો જાણો છો આપણા આત્માઓ ની સગાઈ પરમાત્મા સાથે થઈ છે. તમે ખૂબ ખુશ થાઓ છો-અમે તો વિષ્ણુપુરી નાં માલિક જઈને બનીશું. કન્યા નો જોયા વગર પણ બુદ્ધિયોગ લાગી જાય છે ને? આ પણ આત્મા જાણે છે-આ આત્મા અને પરમાત્મા ની સગાઈ વન્ડરફુલ છે. એક બાપ ને જ યાદ કરવા પડે. તે તો કહેશે ગુરુ ને યાદ કરો, ફલાણા મંત્ર યાદ કરો. આ તો બાપ જ બધું છે. આમનાં દ્વારા આવીને સગાઈ કરાવે છે. કહે છે હું તમારો બાપ પણ છું, મારી પાસે થી વારસો મળે છે. કન્યા ની સગાઈ થાય છે તો પછી ભૂલતી નથી. તમે પછી ભૂલી કેમ જાઓ છો? કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવા માં સમય લાગે છે. કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરીને પાછું તો કોઈ જઈ ન શકે. જ્યારે સાજન પહેલાં ચાલે પછી બારાત (જાન) જાય. શંકર ની વાત નથી, શિવ ની બારાત (જાન) છે. એક છે સાજન બાકી બધી છે સજનીઓ. તો આ છે શિવબાબા ની બારાત. નામ રાખી દીધું છે બાળક નું. દૃષ્ટાંત આપીને સમજાવાય છે. બાપ આવીને ગુલ-ગુલ બનાવી ને બધાને લઈ જાય છે. બાળકો જે કામ ચિતા પર બેસી પતિત બની ગયા છે તેમને જ્ઞાન ચિતા પર બેસાડી ગુલ-ગુલ બનાવીને બધાને લઈ જાય છે. આ તો જૂની દુનિયા છે ને? કલ્પ-કલ્પ બાપ આવે છે. આપણને છી-છી ને આવીને ગુલ-ગુલ બનાવીને લઈ જાય છે. રાવણ છી-છી બનાવે છે અને શિવબાબા ગુલ-ગુલ બનાવે છે. તો બાબા બહુ જ યુક્તિઓ સમજાવતા રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ખાવા પીવાની છી-છી ઈચ્છાઓ ને છોડી દેહી-અભિમાની બની સર્વિસ કરવાની છે. યાદ થી માઈટ (શક્તિ) લઈ નિર્ભય અને અડોલ અવસ્થા બનાવવાની છે.

2. જે ભણવામાં હોંશિયાર છે, તેમનો રિગાર્ડ રાખવાનો છે. જે ભટકી રહ્યાં છે, તેમને રસ્તો બતાવવા ની યુક્તિ રચવાની છે. સર્વ નું કલ્યાણ કરવાનું છે.

વરદાન :-
પોતાનું મહત્વ તથા કર્તવ્ય ને જાણવા વાળા સદા જાગતી જ્યોત ભવ

આપ બાળકો જગ ની જ્યોતિ છો, તમારા પરિવર્તન થી વિશ્વ નું પરિવર્તન થવાનું છે-એટલે વીતેલા ને વીતેલું કરી પોતાનું મહત્વ તથા કર્તવ્ય ને જાણીને સદા જાગતિ જ્યોત બનો. તમે સેકન્ડ માં સ્વ-પરિવર્તન થી વિશ્વ-પરિવર્તન કરી શકો છો. ફક્ત પ્રેક્ટિસ કરો હમણાં-હમણાં કર્મયોગી, હમણાં-હમણાં કર્માતીત સ્ટેજ. જેવી રીતે તમારી રચના કાચબો સેકન્ડ માં બધા અંગ સમેટી લે છે. એવી રીતે આપ માસ્ટર રચયિતા સમેટવા ની શક્તિ નાં આધાર થી સેકન્ડ માં સર્વ સંકલ્પો ને સમાવીને એક સંકલ્પ માં સ્થિત થઈ જાઓ.

સ્લોગન :-
લવલીન સ્થિતિ નો અનુભવ કરવા માટે સ્મૃતિ-વિસ્મૃતિ નું યુદ્ધ સમાપ્ત કરો.

માતેશ્વરીજી નાં મધુર મહાવાક્ય:-

“અડધો કલ્પ જ્ઞાન બ્રહ્મા નો દિવસ અને અડધો કલ્પ ભક્તિ બ્રહ્મા ની રાત”

અડધો કલ્પ છે બ્રહ્મા નો દિવસ, અડધો કલ્પ પછી બ્રહ્મા ની રાત, હવે રાત પૂરી થઈ સવાર આવવાની છે. હવે પરમાત્મા આવીને અંધકાર નો અંત કરી પ્રકાશ નો આદિ કરે છે, જ્ઞાન થી છે રોશની ભક્તિ થી છે અંધકાર. ગીતા માં પણ કહે છે ઈસ પાપ કી દુનિયા સે દૂર કહીં લે ચલ, ચિત્ત-ચૈન જહાં પાવે… આ છે બેચેન દુનિયા, જ્યાં ચૈન નથી. મુક્તિ માં નથી ચૈન, નથી બેચેન. સતયુગ ત્રેતા માં છે ચૈન ની દુનિયા, જે સુખધામ ને બધા યાદ કરે છે. તો હવે તમે ચૈન ની દુનિયા માં ચાલી રહ્યાં છો, ત્યાં કોઈ અપવિત્ર આત્મા જઈ ન શકે, તે અંત માં ધર્મરાજ નાં ડંડા ખાઈ કર્મબંધન થી મુક્ત થઈ શુદ્ધ સંસ્કાર લઈને જાય છે કારણકે ત્યાં નથી અશુદ્ધ સંસ્કાર હોતા, નથી પાપ થતાં. જ્યારે આત્મા પોતાનાં અસલી બાપ ને ભૂલી જાય છે તો આ ભૂલ-ભૂલૈયા નો અનાદિ ખેલ હાર-જીત નો બનેલો છે એટલે આપણે આ સર્વશક્તિવાન્ પરમાત્મા દ્વારા શક્તિ લઈ વિકારો ની ઉપર વિજય પહેરી ૨૧ જન્મો માટે રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છીએ. અચ્છા - ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઈશારા - “કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

મુજ રુહ નો કરાવનહાર એ સુપ્રીમ રુહ છે. કરાવનહાર નાં આધાર પર હું નિમિત્ત કરવા વાળો છું. હું કરનહાર એ કરાવનહાર છે. એ ચલાવી રહ્યાં છે, હું ચાલી રહ્યો છું. દરેક ડાયરેક્શન પર મુજ રુહ માટે સંકલ્પ, બોલ અને કર્મ માં સદા હજૂર હાજર છે એટલે હજૂર ની આગળ સદા હાજર છું. સદા આ જ કમ્બાઈન્ડ રુપ માં રહો.