20-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાબા
આવ્યાં છે આપ બાળકો ની અવિનાશી કમાણી કરાવવા , હમણાં તમે જ્ઞાન - રત્નો ની જેટલી
કમાણી કરવા ઈચ્છો કરી શકો છો”
પ્રશ્ન :-
આસુરી સંસ્કારો ને બદલી ને દૈવી સંસ્કારો બનાવવા માટે કયો વિશેષ પુરુષાર્થ જોઈએ?
ઉત્તર :-
સંસ્કારો ને બદલવા માટે જેટલું થઈ શકે દેહી-અભિમાની રહેવાનો અભ્યાસ કરો. દેહ-અભિમાન
માં આવવાથી જ આસુરી સંસ્કાર બને છે. બાપ આસુરી સંસ્કારો ને દૈવી સંસ્કાર બનાવવા માટે
આવ્યાં છે, પુરુષાર્થ કરો પહેલાં હું દેહી આત્મા છું, પછી આ શરીર છે.
ગીત :-
તૂને રાત ગવાઈ
સો કે…
ઓમ શાંતિ!
આ ગીત તો બાળકો
એ અનેક વાર સાંભળ્યું છે. રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સાવધાની આપતા રહે છે કે
આ સમય ગુમાવવાનો નથી. આ સમય ખૂબ ભારે (ઊંચી) કમાણી કરવાનો છે. કમાણી કરાવવા માટે જ
બાપ આવેલા છે. કમાણી પણ અથાહ છે, જેને જેટલી કમાણી કરવી હોય એટલી કરી શકે છે. આ છે
અવિનાશી જ્ઞાન-રત્નો થી ઝોલી ભરવાની કમાણી. આ છે ભવિષ્ય માટે. તે છે ભક્તિ, આ છે
જ્ઞાન. મનુષ્ય આ નથી જાણતા કે ભક્તિ ત્યારે શરુ થાય છે જ્યારે રાવણ રાજ્ય શરુ થાય
છે. પછી જ્ઞાન ત્યારે શરુ થાય છે જ્યારે બાપ આવીને રામરાજ્ય સ્થાપન કરે છે. જ્ઞાન
છે જ નવી દુનિયા માટે, ભક્તિ છે જૂની દુનિયા માટે. હવે બાપ કહે છે પહેલાં તો પોતાને
દેહી (આત્મા) સમજવાનું છે. આપ બાળકો ની બુદ્ધિ માં છે - આપણે પહેલાં આત્મા છીએ, પછી
શરીર છીએ. પરંતુ ડ્રામા પ્લાન અનુસાર મનુષ્ય બધા ખોટાં થઈ ગયા છે એટલે ઉલ્ટું સમજી
લીધું છે કે પહેલાં અમે દેહ છીએ પછી દેહી છીએ. બાપ કહે છે આ તો વિનાશી છે. આને તમે
લો છો અને છોડો છો. સંસ્કાર આત્મા માં રહે છે. દેહ-અભિમાન માં આવવાથી સંસ્કાર આસુરી
બની જાય છે. પછી આસુરી સંસ્કારો ને દૈવી બનાવવા માટે બાપે આવવું પડે છે. આ બધી રચના
એ એક રચયિતા બાપ ની જ છે. એમને બધા ફાધર કહે છે. જેમ લૌકિક બાપ ને પણ ફાધર જ કહેવાય
છે. બાબા અને મમ્મા આ બંને શબ્દ ખૂબ મીઠાં છે. રચયિતા તો બાપ ને જ કહેવાશે. એ પહેલાં
મા ને એડોપ્ટ કરે (અપનાવે) છે પછી રચના રચે છે. બેહદ નાં બાપ પણ કહે છે કે હું આવીને
આમનાં માં પ્રવેશ કરું છું, આમનું નામ પ્રસિદ્ધ છે. કહે પણ છે ભાગીરથ. મનુષ્ય નું જ
ચિત્ર દેખાડે છે. કોઈ બળદ વગેરે નથી. ભાગીરથ મનુષ્ય નું તન છે. બાપ જ આવીને બાળકો
ને પોતાનો પરિચય આપે છે. તમે હંમેશા કહો અમે બાપદાદા ની પાસે જઈએ છીએ. ફક્ત બાપ
કહેશો તો એ નિરાકાર થઈ જાય. નિરાકાર બાપ ની પાસે તો ત્યારે જઈ શકે જ્યારે શરીર છોડે,
આમ તો કોઈ પણ જઈ ન શકે. આ નોલેજ બાપ જ આપે છે. આ નોલેજ છે પણ બાપ ની પાસે. અવિનાશી
જ્ઞાન-રત્નો નો ખજાનો છે. બાપ છે જ્ઞાન રત્નો નાં સાગર. પાણી ની વાત નથી. જ્ઞાન
રત્નો નો ભંડારો છે. એમનાં માં નોલેજ છે. નોલેજ પાણી ને નથી કહેવાતું. જેમ મનુષ્ય
ને બેરિસ્ટરી, ડોક્ટરી વગેરે ની નોલેજ હોય છે, આ પણ નોલેજ છે. આ નોલેજ માટે જ
ઋષિ-મુની વગેરે બધા કહેતા હતાં કે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ અમે
નથી જાણતાં. તે તો એક રચયિતા જ જાણે. ઝાડ નું બીજ રુપ પણ એ જ છે. સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ની નોલેજ એમનાં માં છે. એ જ્યારે આવે ત્યારે સંભળાવે. હમણાં તમને
નોલેજ મળી છે તો તમે આ નોલેજ થી દેવતા બનો છો. નોલેજ લઈને પછી પ્રારબ્ધ મેળવો છો.
ત્યાં પછી આ નોલેજ ની જરુર નહીં રહેશે. એવું નથી કે દેવતાઓ માં આ જ્ઞાન નથી તો
અજ્ઞાની છે. ના, તે તો આ નોલેજ થી પદ પ્રાપ્ત કરી લે છે. બાપ ને પોકારે જ છે કે બાબા
આવો, અમે પતિત થી પાવન કેવી રીતે બનીએ? એનાં માટે રસ્તો અથવા નોલેજ બતાવો કારણ કે
જાણતા નથી. હમણાં તમે જાણો છો આપણે આત્માઓ શાંતિધામ થી આવ્યાં છીએ. ત્યાં આત્માઓ
શાંતિ માં રહે છે. અહીં આવે છે પાર્ટ ભજવવાં. આ જૂની દુનિયા છે, તો જરુર નવી દુનિયા
હતી. તે ક્યારે હતી? કોણ રાજ્ય કરતાં હતાં? આ કોઈ નથી જાણતાં. તમે હમણાં બાપ દ્વારા
જાણ્યું છે. બાપ છે જ જ્ઞાન નાં સાગર, સદ્દગતિ દાતા. એમને જ પોકારે છે કે બાબા આવીને
અમારા દુઃખ હરો, સુખ-શાંતિ આપો. આત્મા જાણે છે પરંતુ તમોપ્રધાન થઈ ગયો છે એટલે ફરી
થી બાપ આવીને પરિચય આપી રહ્યાં છે. મનુષ્ય નથી આત્મા ને, નથી પરમાત્મા ને જાણતાં.
આત્મા ને જ્ઞાન જ નથી જે પરમાત્મ-અભિમાની બને. પહેલાં તમે પણ નહોતા જાણતાં. હમણાં
જ્ઞાન મળ્યું છે તો સમજો છો બરોબર સૂરત (ચહેરો) મનુષ્ય ની હતી અને સીરત (આદત) વાંદરા
ની હતી.
હમણાં બાપે નોલેજ આપી
છે તો આપણે પણ નોલેજફુલ બની ગયા છીએ. રચયિતા અને રચના નું જ્ઞાન મળ્યું છે. તમે જાણો
છો આપણ ને ભગવાન ભણાવે છે, તો કેટલો નશો રહેવો જોઈએ. બાબા છે જ્ઞાન નાં સાગર, એમનાં
માં બેહદ નું જ્ઞાન છે. તમે કોઈ ની પાસે પણ જાઓ-સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન
તો શું પરંતુ આપણે આત્મા શું વસ્તુ છીએ, તે પણ નથી જાણતાં. બાપ ને યાદ પણ કરે છે,
દુઃખહર્તા સુખકર્તા, તો પણ ઈશ્વર સર્વવ્યાપી કહી દે છે. બાપ કહે છે ડ્રામા અનુસાર
તેમનો કોઈ પણ દોષ નથી. માયા બિલકુલ જ તુચ્છ બુદ્ધિ બનાવી દે છે. કીડા ને પછી ગંદકી
માં જ સુખ ભાસે છે. બાપ આવે છે ગંદકી માંથી કાઢવાં. મનુષ્ય દલદલ (કાદવ) માં ફસાયેલા
છે. જ્ઞાન ની ખબર જ નથી તો શું કરે? દુબન (વિકારો) માં ફસાયેલા છે પછી તેને કઢવા જ
મુશ્કેલ થઈ જાય છે. કાઢીને અડધા-પોણા સુધી લઈ જાઓ તો પણ હાથ છોડાવીને નીચે પડે છે.
ઘણાં બાળકો તો બીજાઓ ને જ્ઞાન આપતાં-આપતાં સ્વયં જ માયા ની થપ્પડ ખાઈ લે છે કારણકે
બાપ નાં ડાયરેક્શન (માર્ગદર્શન) નાં વિરુદ્ધ કાર્ય કરી લે છે. બીજાઓ ને કાઢવાની
કોશિશ કરે અને પોતે નીચે પડે છે પછી તેમને કાઢવામાં કેટલી મહેનત થાય છે કારણકે માયા
થી હારી જાય છે. તેમને પોતાનું પાપ જ અંદર ખાય છે. માયા ની લડાઈ છે ને? હમણાં તમે
યુદ્ધ નાં મેદાન પર છો. તે છે બાહુબળ થી લડવા વાળી હિંસક સેનાઓ. તમે છો અહિંસક. તમે
રાજ્ય લો છો અહિંસા થી. હિંસા બે પ્રકાર ની હોય છે ને? એક છે કામ કટારી ચલાવવી અને
બીજી હિંસા છે કોઈને મારવું-પીટવું. તમે હવે ડબલ અહિંસક બનો છો. આ જ્ઞાન-બળ ની લડાઈ
કોઈ નથી જાણતાં. અહિંસા કોને કહેવાય આ કોઈ નથી જાણતાં. ભક્તિ માર્ગ ની સામગ્રી કેટલી
અધિક છે. ગાય પણ છે પતિત-પાવન આવો પરંતુ હું કેવી રીતે આવીને પાવન બનાવું છું - આ
કોઈ નથી જાણતું. ગીતા માં જ ભૂલ કરી દીધી છે જે મનુષ્ય ને ભગવાન કહી દીધાં છે.
શાસ્ત્ર મનુષ્યોએ જ બનાવ્યાં છે. મનુષ્ય જ વાંચે છે. દેવતાઓ ને તો શાસ્ત્ર વાંચવા
ની જરુર નથી. ત્યાં કોઈ શાસ્ત્ર નથી હોતાં. જ્ઞાન, ભક્તિ પછી છે વૈરાગ. કોનો વૈરાગ?
ભક્તિ નો, જૂની દુનિયા નો વૈરાગ છે. જૂનાં શરીર નો વૈરાગ છે. બાપ કહે છે આ આંખો થી
જે કાંઈ જુઓ છો તે નહીં રહેશે. આ આખી છી-છી દુનિયા થી વૈરાગ છે. બાકી નવી દુનિયાનો
તમે દિવ્ય દૃષ્ટિ થી સાક્ષાત્કાર કરો છો. તમે ભણો છો જ નવી દુનિયા માટે. આ ભણતર
કાંઈ આ જન્મ માટે નથી. બીજું જે પણ ભણતર છે, તે હોય છે એ જ સમયે એ જ જન્મ માટે. હમણાં
તો છે સંગમ એટલે તમે જે ભણો છો તેની પ્રારબ્ધ તમને નવી દુનિયા માં મળે છે. બેહદ નાં
બાપ પાસે થી કેટલી મોટી પ્રારબ્ધ તમને મળે છે! બેહદ નાં બાપ પાસે થી બેહદ સુખ ની
પ્રાપ્તિ થાય છે. તો બાળકોએ પૂરો પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલવું જોઈએ. બાપ છે
શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ. એમનાં દ્વારા તમે શ્રેષ્ઠ બનો છો. એ તો સદૈવ છે જ શ્રેષ્ઠ. તમને
શ્રેષ્ઠ બનાવે છે. ૮૪ જન્મ લેતાં-લેતાં ફરી તમે ભ્રષ્ટ બની જાઓ છો. બાપ કહે છે હું
તો જન્મ-મરણ માં નથી આવતો. હું હમણાં ભાગ્યશાળી રથ માં જ પ્રવેશ કરું છું, જેમને આપ
બાળકોએ ઓળખ્યાં છે. તમારું હમણાં નાનું ઝાડ છે. ઝાડ ને તોફાન પણ લાગે છે ને? પાન
ખરતાં રહે છે. અસંખ્ય ફૂલ નીકળે છે પછી તોફાન લાગવાથી નીચે પડે છે. કોઈ-કોઈ સારી
રીતે ફળ લાગી જાય છે તો પણ માયા નાં તોફાન થી નીચે પડે છે. માયા નાં તોફાન ખૂબ તેજ
(શક્તિ શાળી) છે. તે તરફ છે બાહુબળ, આ તરફ યોગબળ અથવા યાદ નું બળ. તમે યાદ શબ્દ
પાક્કો કરી લો. તે લોકો યોગ-યોગ શબ્દ કહેતા રહે છે. તમારી છે યાદ. હરતાં-ફરતાં બાપ
ને યાદ કરો છો, આને યોગ નહીં કહેવાશે. યોગ શબ્દ સંન્યાસીઓ નો પ્રસિદ્ધ છે. અનેક
પ્રકાર નાં યોગ શીખવાડે છે. બાપ કેટલું સહજ બતાવે છે - ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં
બાપ ને યાદ કરો. તમે અડધાકલ્પ નાં આશિક છો. મને યાદ કરતા આવ્યાં છો. હમણાં હું આવ્યો
છું. આત્મા ને કોઈ પણ નથી જાણતા એટલે બાપ આવીને રિયલાઇઝ (યાદ) કરાવે છે. આ પણ
સમજવાની ખૂબ મહીન (સુક્ષ્મ) વાતો છે. આત્મા અતિ સૂક્ષ્મ અને અવિનાશી છે. નથી આત્મા
વિનાશ થવાનો, નથી એનો પાર્ટ વિનાશ થઈ શકતો. આ વાતો મોટી બુદ્ધિ વાળા મુશ્કેલ સમજી
શકે છે. શાસ્ત્રો માં પણ આ વાતો નથી.
આપ બાળકોએ બાપ ને યાદ
કરવાની ખૂબ મહેનત કરવી પડે છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. બાકી વિનાશકાળે પ્રીતબુદ્ધિ અને
વિપરીત બુદ્ધિ આ યાદ માટે કહેવાય છે. યાદ સારી છે તો પ્રીતબુદ્ધિ કહેવાય છે. પ્રીત
પણ અવ્યભિચારી જોઈએ. પોતાને પૂછવાનું છે - અમે બાબા ને કેટલાં યાદ કરીએ છીએ? આ પણ
સમજે છે બાબા સાથે પ્રીત રાખતા-રાખતા કર્માતીત અવસ્થા થશે ત્યારે આ શરીર છૂટશે અને
લડાઈ લાગશે. જેટલી બાપ સાથે પ્રીત હશે તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. પરીક્ષા
તો એક જ સમયે થશે ને? જ્યારે પૂરો સમય આવે છે, બધા ની પ્રીત બુદ્ધિ થઈ જાય છે, એ
સમયે પછી વિનાશ થાય છે. ત્યાં સુધી ઝઘડા વગેરે થતા રહે છે. વિલાયત વાળા પણ સમજે છે
હવે મોત સામે છે, કોઈ પ્રેરક છે, જે અમારી પાસે બોમ્બ્સ બનાવડાવે છે. પરંતુ કરી શું
શકે છે? ડ્રામા ની નોંધ છે ને? પોતાનાં જ સાયન્સ (વિજ્ઞાન) બળ થી પોતાનાં કુળ નું
મોત લાવે છે. બાળકો કહે છે પાવન દુનિયામાં લઈ જાઓ, તો શરીરો ને થોડી લઈ જશે? બાપ
કાળો નાં કાળ છે ને? આ વાતો કોઈ નથી જાણતાં. ગવાયેલું છે મિરુઆ મોત મલુકા શિકાર.
તેઓ કહે છે વિનાશ બંધ થઈ જાય, શાંતિ થઈ જાય. અરે, વિનાશ વગર સુખ-શાંતિ કેવી રીતે
સ્થાપન થશે એટલે ચક્ર પર જરુર સમજાવો. હવે સ્વર્ગ નાં દ્વાર ખુલી રહ્યાં છે. બાબાએ
કહ્યું છે આનાં પર પણ એક પુસ્તક છપાવો - ગેટ વે ટૂ શાંતિધામ-સુખધામ. આનો અર્થ પણ નહીં
સમજશે. છે ખૂબ સહજ, પરંતુ કોટો માં કોઈ મુશ્કેલ સમજે છે. તમારે પ્રદર્શન વગેરે માં
ક્યારેય દિલશિકસ્ત ન થવું જોઈએ. પ્રજા તો બને છે ને? મંઝિલ ઊંચી છે, મહેનત લાગે છે.
મહેનત છે યાદ ની. એમાં ખૂબ ફેલ (નાપાસ) થાય છે. યાદ પણ અવ્યભિચારી જોઈએ. માયા
ઘડી-ઘડી ભુલાવી દે છે. મહેનત વગર થોડી જ કોઈ વિશ્વ નાં માલિક બની શકે છે? પૂરો
પુરુષાર્થ કરવો જોઈએ-આપણે સુખધામ નાં માલિક હતાં. અનેક વખત ચક્ર લગાવ્યું છે. હવે
બાપ ને યાદ કરવાના છે. માયા ખૂબ વિઘ્ન નાંખે છે. બાબા ની પાસે સર્વિસ (સેવા) નાં પણ
સમાચાર આવે છે. આજે વિદ્વત મંડળી ને સમજાવ્યું, આજે આ કર્યુ… ડ્રામા અનુસાર માતાઓ
નું નામ પ્રસિદ્ધ થવાનું છે. આપ બાળકોએ આ ધ્યાન રાખવાનું છે, માતાઓ ને આગળ કરવાની
છે. આ છે ચૈતન્ય દિલવાલા (દેલવાડા) મંદિર. તમે ચૈતન્ય માં બની જશો પછી તમે રાજ્ય
કરતા રહેશો. ભક્તિમાર્ગ નાં મંદિર વગેરે રહેશે નહીં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ સાથે
અવ્યભિચારી પ્રીત રાખતાં-રાખતાં કર્માતીત અવસ્થા મેળવાની છે. આ જૂનાં દેહ અને જૂની
દુનિયા થી બેહદ નો વૈરાગ હોય.
2. કોઈ પણ કર્તવ્ય
બાપ નાં ડાયરેક્શન વિરુદ્ધ નથી કરવાનું. યુદ્ધ નાં મેદાન માં ક્યારેય પણ હાર નથી
ખાવાની. ડબલ અહિંસક બનવાનું છે
વરદાન :-
શુભ ભાવના થી
સેવા કરવા વાળા બાપ સમાન અપકારીઓ પર પણ ઉપકારી ભવ
જેવી રીતે બાપ
અપકારીઓ પર ઉપકાર કરે છે, એવી રીતે તમારી સામે કેવાં પણ આત્મા હોય પરંતુ પોતાનાં
રહેમ ની વૃત્તિ થી, શુભ ભાવના થી એને પરિવર્તન કરી દો - આ જ છે સાચ્ચી સેવા. જેવી
રીતે સાયન્સ વાળા રેતી માં પણ ખેતી ઉત્પન્ન કરી લે છે એવી રીતે સાઈલેન્સ ની શક્તિ
થી રહેમદિલ બની અપકારીઓ પર પણ ઉપકાર કરી ધરણી ને પરિવર્તન કરો. સ્વ પરિવર્તન થી,
શુભ ભાવના થી કેવાં પણ આત્મા પરિવર્તન થઈ જશે, કારણકે શુભ ભાવના સફળતા અવશ્ય
પ્રાપ્ત કરાવે છે.
સ્લોગન :-
જ્ઞાન નું
સિમરણ કરવું જ સદા હર્ષિત રહેવાનો આધાર છે.
અવ્યક્ત ઇશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
આપ બ્રાહ્મણ જેવી
રુહાની પર્સનાલિટી આખા કલ્પ માં બીજા કોઈની પણ નથી કારણકે તમારા બધાની પર્સનાલિટી
બનાવવા વાળા ઉંચા માં ઊંચા સ્વયં પરમ આત્મા છે. તમારી સૌથી મોટા માં મોટી પર્સનાલિટી
છે - સ્વપ્ન તથા સંકલ્પ માં પણ સંપૂર્ણ પ્યોરિટી. આ પ્યોરિટી ની સાથે-સાથે ચહેરા અને
ચલન માં રુહાનિયત ની પણ પર્સનાલિટી છે - પોતાની આ પર્સનાલિટી માં સદા સ્થિત રહો તો
સેવા સ્વત: થશે.