21-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પુરુષાર્થ કરી દૈવીગુણ સારી રીતે ધારણ કરવાના છે , કોઈ ને પણ દુઃખ નથી આપવાનું , તમારી કોઈ પણ આસુરી એક્ટિવિટી ( પ્રવૃત્તિ ) ન જોઈએ”

પ્રશ્ન :-
કયા આસુરી ગુણ તમારા શૃંગાર ને બગાડી દે છે?

ઉત્તર :-
પરસ્પર લડવું-ઝઘડવું, રીસાવું, સેવાકેન્દ્ર પર ધમચક્ર મચાવવું, દુઃખ આપવું - આ આસુરી ગુણ છે, જે તમારા શૃંગાર ને બગાડી દે છે. જે બાળકો બાપ નાં બનીને પણ આ આસુરી ગુણો નો ત્યાગ નથી કરતા, ઉલ્ટા કર્મ કરે છે, તેમને ખુબ નુકસાન થઈ જાય છે. હિસાબ જ હિસાબ છે. બાપ ની સાથે ધર્મરાજ પણ છે.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા…

ઓમ શાંતિ!
રુહાની બાળકો આ તો જાણી ચૂક્યાં છે કે ઊંચા માં ઊંચા ભગવાન છે. મનુષ્ય ગાય છે અને તમે જુઓ છો દિવ્ય દૃષ્ટિ થી. તમે બુદ્ધિ થી પણ જાણો છો કે આપણને એ ભણાવી રહ્યાં છે. આત્મા જ ભણે છે શરીર દ્વારા. બધું આત્મા જ કરે છે શરીર દ્વારા. શરીર વિનાશી છે, જેને આત્મા ધારણ કરી પાર્ટ ભજવે છે. આત્મા માં જ આખા પાર્ટ ની નોંધ છે. ૮૪ જન્મો ની પણ આત્મા માં જ નોંધ છે. પહેલાં-પહેલાં તો પોતાને આત્મા સમજવાનો છે. બાપ છે સર્વ શક્તિમાન્. એમની પાસે થી આપ બાળકો ને શક્તિ મળે છે. યોગ થી શક્તિ વધારે મળે છે, જેનાથી તમે પાવન બનો છો. બાપ તમને શક્તિ આપે છે વિશ્વ પર રાજ્ય કરવાની. એટલી મહાન શક્તિ આપે છે, તે સાયન્સ (વિજ્ઞાન) ઘમંડી વગેરે આટલું બધું બનાવે છે વિનાશ માટે. તેમની બુદ્ધિ છે વિનાશ માટે, તમારી બુદ્ધિ છે અવિનાશી પદ મેળવવા માટે. તમને ખૂબ શક્તિ મળે છે જેનાથી તમે વિશ્વ પર રાજ્ય મેળવો છો. ત્યાં પ્રજા નું પ્રજા પર રાજ્ય નથી હોતું. ત્યાં છે જ રાજા-રાણી નું રાજ્ય. ઊંચા માં ઊંચા છે ભગવાન. યાદ પણ એમને કરે છે. લક્ષ્મી-નારાયણ નું ફક્ત મંદિર બનાવીને પૂજે છે. છતાં પણ ઊંચા માં ઊંચા ભગવાન ગવાય છે. હમણાં તમે સમજો છો આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં. ઊંચે થી ઊંચી વિશ્વ ની બાદશાહી મળે છે બેહદ નાં બાપ પાસે થી. તમને કેટલું ઊંચું પદ મળે છે! તો બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ? જેમની પાસે થી કાંઈ મળે છે તેમને યાદ કરાય છે ને? કન્યા નો પતિ સાથે કેટલો પ્રેમ રહે છે, પતિ ની પાછળ કેટલો પ્રાણ આપે છે. પતિ મરે છે તો યા-હુસેન મચાવી દે છે. આ તો પતિઓ નાં પતિ છે, તમને કેટલાં શૃંગારી રહ્યાં છે - આ ઊંચા માં ઊંચું પદ પ્રાપ્ત કરાવવા માટે. તો આપ બાળકો માં કેટલો નશો હોવો જોઈએ? દેવીગુણ પણ તમારે અહીં ધારણ કરવાના છે. અનેક માં હજી સુધી આસુરી અવગુણ છે, લડવું-ઝઘડવું, રીસાવું, સેવાકેન્દ્ર પર ધમચક્ર મચાવવું… બાબા જાણે છે ખૂબ રિપોર્ટ્સ (સમાચાર) આવે છે. કામ મહાશત્રુ છે તો ક્રોધ પણ કોઈ ઓછો શત્રુ નથી. ફલાણા ની ઉપર પ્રેમ, મારા ઉપર કેમ નથી? ફલાણી વાત આને પૂછી, મને કેમ નહીં પૂછી? એવું-એવું બોલવા વાળા સંશય બુદ્ધિ ખૂબ છે. રાજધાની સ્થાપન થાય છે ને? આવાં-આવાં શું પદ મેળવશે? પદ માં તો ફરક ખૂબ રહે છે. મેહતર (સફાઈ કામદાર) પણ જુઓ સારા-સારા મહેલો માં રહે છે, કોઈ ક્યાં રહે છે. દરેકે પોતાનો પુરુષાર્થ કરી દૈવીગુણ સારા ધારણ કરવાના છે. દેહ-અભિમાન માં આવવાથી આસુરી એક્ટિવિટી (પ્રવૃત્તિ) થાય છે. જ્યારે દેહી-અભિમાની બની સારી રીતે ધારણા કરતા રહો ત્યારે ઊંચ પદ મેળવો. પુરુષાર્થ એવો કરવાનો છે, દૈવીગુણ ધારણ કરવાનો, કોઈને દુઃખ નથી આપવાનું. આપ બાળકો દુઃખહર્તા, સુખકર્તા બાપ નાં બાળકો છો. કોઈને પણ દુઃખ ન આપવું જોઈએ. જે સેવાકેન્દ્ર સંભાળે છે તેમનાં પર ખૂબ રેસ્પોન્સિબિલિટી (જવાબદારી) છે. જેમ બાપ કહે છે - બાળકો, જો કોઈ ભૂલ કરે છે તો સોગુણા દંડ પડી જાય છે. દેહ-અભિમાન હોવાથી ખૂબ નુકસાન થાય છે કારણકે તમે બ્રાહ્મણ સુધારવા માટે નિમિત્ત બનેલા છો. જો પોતે જ ન સુધર્યા તો બીજાઓ ને શું સુધારશે? ખૂબ નુકસાન થઈ જાય છે. પાંડવ ગવર્મેન્ટ છે ને? ઊંચા માં ઊંચા બાપ છે એમની સાથે ધર્મરાજ પણ છે. ધર્મરાજ દ્વારા ખૂબ વધારે સજા થાય છે. એવાં કાંઈ કર્મ કરે છે તો ખૂબ નુકસાન થઈ જાય છે. હિસાબ જ હિસાબ છે, બાબા ની પાસે પૂરો હિસાબ રહે છે. ભક્તિમાર્ગ માં પણ હિસાબ જ હિસાબ છે. કહે પણ છે ભગવાન તમારો હિસાબ લેશે, અહીં બાપ પોતે કહે છે ધર્મરાજ બધા હિસાબ લેશે. પછી તે સમયે શું કરી શકશો? સાક્ષાત્કાર થશે - અમે આ-આ કર્યું. ત્યાં તો થોડો માર પડે છે, અહીં તો ખૂબ માર ખાવો પડશે. આપ બાળકોએ સતયુગ માં ગર્ભજેલ માં નથી આવવાનું. ત્યાં તો ગર્ભ મહેલ છે. કોઈ પાપ વગેરે કરતા નથી. તો એવું રાજ્ય-ભાગ્ય મેળવવા માટે બાળકોએ ખૂબ ખબરદાર રહેવાનું છે. ઘણાં બાળકો બ્રાહ્મણી (ટીચર) કરતાં પણ હોશિયાર થઈ જાય છે. તકદીર બ્રાહ્મણી થી પણ ઊંચી થઈ જાય છે. આ પણ બાપે સમજાવ્યું છે - સારી સર્વિસ (સેવા) નહીં કરશે તો જન્મ-જન્માન્તર દાસ-દાસીઓ બનશે.

બાપ સન્મુખ આવતા જ બાળકો ને પૂછે છે - બાળકો, દેહી-અભિમાની બનીને બેઠાં છો? બાપ નાં બાળકો પ્રત્યે મહાવાક્ય છે - બાળકો, આત્મ-અભિમાની બનવાનો ખૂબ પુરુષાર્થ કરવાનો છે. હરતાં-ફરતાં પણ વિચાર સાગર મંથન કરતા રહેવાનું છે. ઘણાં બાળકો છે જે સમજે છે અમે જલ્દી-જલ્દી આ નર્ક ની છી-છી દુનિયા થી જઈએ સુખધામ. બાપ કહે છે સારા-સારા મહારથી યોગ માં બહુ જ ફેલ (નાપાસ) છે. તેમને પણ પુરુષાર્થ કરાવાય છે. યોગ નહીં હોય તો એકદમ નીચે પડશે. નોલેજ તો ખૂબ સહજ છે. હિસ્ટ્રી-જોગ્રોફી આખી બુદ્ધિ માં આવી જાય છે. ખૂબ સારી-સારી બાળકીઓ છે જે પ્રદર્શન સમજાવવા માં ખૂબ તીખી (હોંશિયાર) છે. પરંતુ યોગ નથી, દૈવીગુણ પણ નથી. ક્યારેક-ક્યારેક વિચાર આવે છે, હજી કઈ-કઈ અવસ્થા છે બાળકો ની. દુનિયા માં કેટલાં દુઃખ છે. જલ્દી-જલ્દી આ ખતમ થઈ જાય. પ્રતિક્ષા માં બેઠાં છે, જલ્દી જઈએ સુખધામ. તડપતા રહે છે. જેમ બાપ ને મળવા માટે તડપે છે, કારણકે બાબા આપણને સ્વર્ગ નો રસ્તો બતાવે છે. એવાં બાપ ને જોવા માટે તડપે છે. સમજે છે આવાં બાપ ની સન્મુખ જઈને રોજ મોરલી સાંભળીએ. હવે તો સમજો છો અહીં કોઈ ઝંઝટ ની વાત નથી રહેતી. બહાર રહેવાથી તો બધા સાથે તોડ નિભાવવો પડે છે. નહીં તો ખીટપીટ થઈ જાય એટલે બધાને ધીરજ આપે છે. આમાં ખૂબ ગુપ્ત મહેનત છે. યાદ ની મહેનત કોઈ થી પહોંચતી નથી. ગુપ્ત યાદ માં રહે તો બાપ નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર પણ ચાલે. દેહ-અભિમાન નાં કારણે બાપ નાં ડાયરેક્શન પર ચાલતાં જ નથી. કહું છું ચાર્ટ બનાવો તો ખૂબ ઉન્નતિ થશે. આ કોણે કહ્યું? શિવબાબાએ. શિક્ષક કામ આપે છે તો કરીને આવે છે ને? અહીં સારા-સારા બાળકો ને પણ માયા કરવા નથી દેતી. સારા-સારા બાળકો નો ચાર્ટ બાબા ની પાસે આવે તો બાબા બતાવે જુઓ કેવી રીતે યાદ માં રહો છો. સમજે છે અમે આત્માઓ આશિક, એક માશૂક નાં છીએ. તે શરીરધારી આશિક-માશૂક તો અનેક પ્રકાર નાં હોય છે. તમે ખૂબ જૂનાં આશિક છો. હમણાં તમારે દેહી-અભિમાની બનવાનું છે. કાંઈ ન કાંઈ સહન કરવું જ પડશે. મિયા-મિઠ્ઠુ નથી બનવાનું. બાબા એવું થોડી કહે છે હડ્ડી (હાડકા) આપી દો. બાબા તો કહે છે તંદુરસ્તી સારી રાખો તો સર્વિસ પણ સારી રીતે કરી શકશો. બીમાર હશો તો પડ્યાં રહેશો. કોઈ-કોઈ હોસ્પિટલ માં પણ સમજાવવા ની સર્વિસ કરે છે તો ડોક્ટર લોકો કહે છે આ તો ફરિશ્તા છે. ચિત્ર સાથે લઈ જાય છે. જે આવી-આવી સર્વિસ કરે છે તેમને રહેમદિલ કહેવાશે. સર્વિસ કરે છે તો કોઈ-કોઈ નીકળી આવે છે. જેટલાં-જેટલાં યાદ નાં બળ માં રહેશો એટલાં મનુષ્ય ને તમે ખેંચશો, આમાં જ તાકાત છે. પ્યોરીટી ફર્સ્ટ (પવિત્રતા પ્રથમ). કહેવાય પણ છે પહેલાં પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ), પછી પ્રોસપર્ટી (સમૃદ્ધિ). યાદ નાં બળ થી જ તમે પવિત્ર બનો છો. પછી છે જ્ઞાન બળ. યાદ માં કમજોર ન બનો. યાદ માં જ વિઘ્ન પડશે. યાદ માં રહેવા થી તમે પવિત્ર પણ બનશો અને દૈવીગુણ પણ આવશે. બાપ ની મહિમા તો જાણો છો ને? બાપ કેટલું સુખ આપે છે! ૨૧ જન્મો માટે તમને સુખ ને લાયક બનાવે છે. ક્યારેય પણ કોઈને દુઃખ ન આપવું જોઈએ.

ઘણાં બાળકો ડિસસર્વિસ (કુસેવા) કરી પોતે પોતાને જાણે શ્રાપિત કરે છે, બીજાઓ ને ખૂબ હેરાન કરે છે. કપૂત બાળક બને છે તો પોતે પોતાને જાતે જ શ્રાપિત કરી દે છે. ડિસસર્વિસ કરવાથી એકદમ પટ પર પડી જાય છે. ઘણાં બાળકો છે જે વિકાર માં પડી જાય છે અથવા ક્રોધ માં આવીને ભણતર છોડી દે છે. અનેક પ્રકાર નાં બાળકો અહીં બેઠાં છે. અહીં થી રિફ્રેશ થઈને જાય છે તો ભૂલ નો પશ્ચાતાપ કરે છે. છતાં પણ પશ્ચાતાપ થી કાંઈ માફી નથી મળી શકતી. બાપ કહે છે ક્ષમા પોતાનાં પર પોતે જ કરો. યાદ માં રહો. બાપ કોઈને ક્ષમા નથી કરતાં. આ તો ભણતર છે. બાપ ભણાવે છે, બાળકોએ પોતાનાં ઉપર કૃપા કરી ભણવાનું છે. મેનર્સ (શિષ્ટાચાર) સારા રાખવાના છે. બાબા બ્રાહ્મણી ને કહે છે, રજીસ્ટર લઈ આવો. એક-એક નાં સમાચાર સાંભળીને સમજણ અપાય છે. તો સમજે છે બ્રાહ્મણીએ રિપોર્ટ (સમાચાર) આપ્યાં છે વધારે જ ડિસસર્વિસ કરવા લાગી જાય છે. ખૂબ મહેનત લાગે છે. માયા મોટી દુશ્મન છે. વાંદરા થી મંદિર બનવા નથી દેતી. ઊંચ પદ મેળવવા ને બદલે બિલકુલ વધારે જ નીચે પડી જાય છે. પછી ક્યારેય ઉઠી ન શકે, મરી પડે છે. બાપ બાળકો ને ઘડી-ઘડી સમજાવે છે, આ ખૂબ ઊંચી મંઝિલ છે, વિશ્વ નાં માલિક બનવાનું છે. મોટા વ્યક્તિ નાં બાળકો ખૂબ રોયલ્ટી થી ચાલે છે. ક્યાંક બાપ ની ઈજ્જત ન જાય. કહેશે તમારા બાપ કેટલાં સારા છે, તમે કેટલાં કપૂત છો. તમે તમારા બાપ ની ઈજ્જત ગુમાવી રહ્યાં છો! અહીં તો દરેક પોતાની ઈજ્જત ગુમાવે છે. ખૂબ સજાઓ ખાવી પડે છે. બાબા વોર્નિંગ (ચેતવણી) આપે છે, ખૂબ ખબરદાર થઈને ચાલો. જેલ બર્ડસ ન બનો. જેલ બર્ડસ પણ અહીં હોય છે, સતયુગ માં તો કોઈપણ જેલ હોતી નથી. છતાં પણ ભણીને ઊંચ પદ મેળવવું જોઈએ. ગફલત ન કરો. કોઈને પણ દુઃખ ન આપો. યાદ ની યાત્રા પર રહો. યાદ જ કામ માં આવશે. પ્રદર્શન માં પણ મુખ્ય વાત આ જ બતાવો. બાપ ની યાદ થી જ પાવન બનશો. પાવન બનવા તો બધા ઈચ્છે છે. આ છે જ પતિત દુનિયા. સર્વ ની સદ્દગતિ કરવા તો એક જ બાપ આવે છે. ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે કોઈ ની સદ્દગતિ નથી કરી શકતાં. પછી બ્રહ્મા નું પણ નામ લે છે. બ્રહ્મા ને પણ સદ્દગતિ દાતા નથી કહી શકાતાં. જે દૈવી-દેવતા ધર્મ નાં નિમિત્ત છે. ભલે દેવી-દેવતા ધર્મ ની સ્થાપના તો શિવબાબા કરે છે છતાં પણ નામ તો છે ને - બ્રહ્મા-વિષ્ણુ-શંકર… ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. બાપ કહે છે આ પણ ગુરુ નથી. ગુરુ તો એક જ છે, એમનાં દ્વારા તમે રુહાની ગુરુ બનો છો. બાકી તે છે ધર્મ સ્થાપક. ધર્મ સ્થાપક ને સદ્દગતિ દાતા કેવી રીતે કહી શકો? આ ખૂબ ડીપ (ગુહ્ય) વાતો છે સમજવાની. અન્ય ધર્મ સ્થાપક તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે, જેમની પાછળ બધા આવી જાય છે, તે કોઈ બધાને પાછા નથી લઈ જઈ શકતાં. તેમને તો પુનર્જન્મ માં આવવાનું જ છે, બધા માટે આ સમજણ છે. એક પણ ગુરુ સદ્દગતિ માટે નથી. બાપ સમજાવે છે ગુરુ પતિત-પાવન એક જ છે, એ જ સર્વ નાં સદ્દગતિ દાતા, લિબરેટર (મુક્તિદાતા) છે, બતાવવું જોઈએ અમારા ગુરુ એક જ છે, જે સદ્દગતિ આપે છે, શાંતિધામ, સુખધામ લઈ જાય છે. સતયુગ ની શરુઆત માં ખૂબ થોડા હોય છે. ત્યાં કોનું રાજ્ય હતું, ચિત્ર તો દેખાડશો ને? ભારતવાસી જ માનશે, દેવતાઓ નાં પુજારી ઝટ માનશે કે બરોબર આ તો સ્વર્ગ નાં માલિક છે. સ્વર્ગ માં એમનું રાજ્ય હતું. બાકી બધા આત્માઓ ક્યાં હતાં? જરુર કહેશે નિરાકારી દુનિયા માં હતાં. આ પણ તમે હમણાં સમજો છો. પહેલાં કાંઈ પણ ખબર નહોતી. હમણાં તમારી બુદ્ધિ માં ચક્ર ફરતું રહે છે. બરોબર ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં આમનું રાજ્ય હતું, જ્યારે જ્ઞાન ની પ્રારબ્ધ પૂરી થાય છે તો પછી ભક્તિમાર્ગ શરું થાય છે પછી જોઈએ જૂની દુનિયા થી વૈરાગ. બસ, હવે આપણે નવી દુનિયા માં જઈશું. જૂની દુનિયા થી દિલ ઉઠી જાય છે. ત્યાં પતિ, બાળકો વગેરે બધા એવાં મળશે. બેહદ નાં બાપ તો આપણને વિશ્વ નાં માલિક બનાવે છે.

જે વિશ્વ નાં માલિક બનવા વાળા બાળકો છે, તેમનાં વિચાર ખૂબ ઊંચા અને ચલન ખૂબ રોયલ હશે. ભોજન પણ ખૂબ ઓછું, વધારે લાલચ ન હોવી જોઈએ. યાદ માં રહેવા વાળા નું ભોજન પણ ખૂબ સૂક્ષ્મ હશે. ઘણાંઓ ની ખાવામાં પણ બુદ્ધિ ચાલી જાય છે. આપ બાળકો ને તો ખુશી છે વિશ્વ નાં માલિક બનવા ની. કહેવાય છે ખુશી જેવો ખોરાક નહીં. એવી ખુશી માં સદૈવ રહો તો ખાન-પાન પણ ખૂબ થોડું થઈ જાય. ખૂબ ખાવા થી ભારે થઈ જાય છે પછી ઝુટકા વગેરે ખાય છે. પછી કહે છે બાબા નિંદર આવે છે. ભોજન સદૈવ એકરસ હોવું જોઈએ, એવું નહીં કે સારું ભોજન છે તો ખુબ ખાવું જોઈએ! અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે દુઃખહર્તા સુખકર્તા બાપ નાં બાળકો છીએ, આપણે કોઈને દુઃખ નથી આપવાનું. ડિસસર્વિસ કરી પોતે પોતાને શ્રાપિત નથી કરવાનાં.

2. પોતાનાં વિચાર ખૂબ ઊંચા અને રોયલ રાખવાના છે. રહેમદિલ બની સર્વિસ (સેવા) પર તત્પર રહેવાનું છે. ખાવા-પીવાની હબચ (લાલચ) ને છોડી દેવાની છે.

વરદાન :-
ઓનેસ્ટ બની સ્વયં ને બાપ ની આગળ સ્પષ્ટ કરવા વાળા ચઢતી કળા નાં અનુભવી ભવ

સ્વયં ને જે છે, જેવા છે-એવાં જ બાપ ની આગળ પ્રત્યક્ષ કરવા - આ જ સૌથી મોટા માં મોટી ચઢતી કળા નું સાધન છે. બુદ્ધિ પર જે અનેક પ્રકાર નાં બોજ છે એને સમાપ્ત કરવાની આ જ સહજ યુક્તિ છે. ઓનેસ્ટ બની સ્વયં ને બાપ ની આગળ સ્પષ્ટ કરવા અર્થાત્ પુરુષાર્થ નો માર્ગ સ્પષ્ટ બનાવવો. ક્યારેય પણ ચતુરાઈ થી મનમત અને પરમત નાં પ્લાન બનાવીને બાપ તથા નિમિત્ત બનેલા આત્માઓ ની આગળ કોઈ વાત રાખો છો-તો આ ઓનેસ્ટી નથી. ઓનેસ્ટી અર્થાત્ જેવી રીતે બાપ જે છે, જેવા છે બાળકો ની આગળ પ્રત્યક્ષ છે, તેવી રીતે બાળકો બાપ ની આગળ પ્રત્યક્ષ થાય.

સ્લોગન :-
સાચાં તપસ્વી તે છે જે સદા સર્વસ્વ ત્યાગી ની પોઝીશન માં રહે છે.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

વર્તમાન, ભવિષ્ય નું દર્પણ છે. વર્તમાન ની સ્ટેજ અર્થાત્ દર્પણ દ્વારા પોતાનું ભવિષ્ય સ્પષ્ટ જોઈ શકો છો. ભવિષ્ય રાજ્ય-અધિકારી બનવા માટે ચેક કરો કે વર્તમાન મારા માં રુલિંગ પાવર ક્યાં સુધી છે? પહેલાં સૂક્ષ્મ શક્તિઓ, જે વિશેષ કાર્યકર્તા છે - સંકલ્પ શક્તિ ની ઉપર, બુદ્ધિ ની ઉપર પૂરો અધિકાર હોય ત્યારે પોતાનું ભવિષ્ય ઉજ્જળ બનાવી શકશો.