22-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારો આ મોસ્ટ વેલ્યુબલ ( સૌથી મુલ્યવાન ) સમય છે , આમાં તમે બાપ નાં પૂરે - પૂરાં મદદગાર બનો , મદદગાર બાળકો જ ઊંચ પદ મેળવે છે”

પ્રશ્ન :-
સર્વિસેબલ (સેવાધારી) બાળકો કઈ બહાનાબાજી નથી કરી શકતાં ?

ઉત્તર :-
સર્વિસેબલ બાળકો એ બહાનુ નહીં કરશે કે બાબા અહીં ગરમી છે, અહીં ઠંડી છે એટલે અમે સર્વિસ નથી કરી શકતાં. થોડી ગરમી થઈ કે ઠંડી પડી તો નાજુક નથી બનવાનું. એવું નહીં, અમે તો સહન જ નથી કરી શકતાં. આ દુઃખધામ માં દુઃખ-સુખ, ગરમી-ઠંડી, નિંદા-સ્તુતિ બધું સહન કરવાનું છે. બહાનાબાજી નથી કરવાની.

ગીત :-
ધીરજ ધર મનુવા…

ઓમ શાંતિ!
બાળકો જ જાણે છે કે સુખ અને દુઃખ કોને કહેવાય છે. આ જીવન માં સુખ ક્યારે મળે છે અને દુઃખ ક્યારે મળે છે તે ફક્ત તમે બ્રાહ્મણ જ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. આ છે જ દુઃખ ની દુનિયા. આમાં થોડા સમય માટે દુઃખ-સુખ, સ્તુતિ-નિંદા બધું જ સહન કરવું પડે છે. આ બધા થી પાર થવાનું છે. કોઈને થોડી ગરમી લાગે છે તો કહે છે અમે ઠંડી માં રહીએ. હવે બાળકોએ તો ગરમી માં અથવા ઠંડી માં સર્વિસ કરવાની છે ને? આ સમયે થોડું-ઘણું દુઃખ પણ હોય તો નવી વાત નથી. આ છે જ દુઃખધામ. હવે આપ બાળકોએ સુખધામ માં જવા માટે પૂરો પુરુષાર્થ કરવાનો છે. આ તો તમારો મોસ્ટ વેલ્યુબલ સમય છે. આમાં બહાના ચાલી ન શકે. બાબા સર્વિસેબલ બાળકો માટે કહે છે, જે સર્વિસ જાણતા જ નથી, તે તો કોઈ કામ નાં નથી. અહીં બાપ આવ્યાં છે ભારત ને તો શું વિશ્વ ને સુખધામ બનાવવાં. તો બ્રાહ્મણ બાળકોએ જ બાપ નાં મદદગાર બનવાનું છે. બાપ આવેલા છે તો એમની મત પર ચાલવું જોઈએ. ભારત જે સ્વર્ગ હતું તે હમણાં નર્ક છે, તેને ફરી સ્વર્ગ બનાવવાનું છે. આ પણ હવે ખબર પડી છે. સતયુગ માં આ પવિત્ર રાજાઓ નું રાજ્ય હતું, બહુ જ સુખી હતાં પછી અપવિત્ર રાજાઓ પણ બને છે, ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરવાથી, તો એમને પણ તાકાત મળે છે. હમણાં તો છે જ પ્રજા નું રાજ્ય. પરંતુ આ કોઈ ભારત ની સેવા નથી કરી શકતાં. ભારત ની અથવા દુનિયા ની સેવા તો એક બેહદ નાં બાપ જ કરે છે. હવે બાપ બાળકો ને કહે છે-મીઠાં બાળકો, હવે મારી સાથે મદદગાર બનો. કેટલાં પ્રેમ થી સમજાવે છે, દેહી-અભિમાની બાળકો સમજે છે. દેહ-અભિમાની શું મદદ કરી શકશે કારણકે માયા ની જંજીરો (જાળ) માં ફસાયેલા છે. હવે બાપે ડાયરેક્શન આપ્યું છે કે બધા ને માયા ની જંજીરો થી, ગુરુઓની જંજીરો થી છોડાવો. તમારો ધંધો જ આ છે. બાપ કહે છે મારા જે સારા મદદગાર બનશે, પદ પણ તે મેળવશે. બાપ સ્વયં સન્મુખ કહે છે - હું જે છું, જેવો છું, સાધારણ હોવાનાં કારણે મને પૂરો નથી જાણતાં. બાપ આપણને વિશ્વ નાં માલિક બનાવે છે - આ નથી જાણતાં. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં, આ પણ કોઈને ખબર નથી. હવે તમે સમજો છો કે કેવી રીતે એમણે રાજ્ય મેળવ્યું પછી કેવી રીતે ગુમાવ્યું? મનુષ્યો ની તો બિલકુલ જ તુચ્છબુદ્ધિ છે. હમણાં બાપ આવ્યાં છે બધાની બુદ્ધિ નું તાળું ખોલવા, પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનાવવાં. બાબા કહે છે હવે મદદગાર બનો. લોકો ખુદાઈ ખિદ્દમતગાર કહે છે પરંતુ મદદગાર તો બનતાં જ નથી. ખુદા આવીને જેમને પાવન બનાવે છે તેમને જ કહે છે કે હવે બીજાઓ ને આપ સમાન બનાવો. શ્રીમત પર ચાલો. બાપ આવ્યાં જ છે પાવન સ્વર્ગવાસી બનાવવાં.

આપ બ્રાહ્મણ બાળકો જાણો છો આ છે મૃત્યુલોક. બેઠાં-બેઠાં અચાનક મૃત્યુ થતું રહે છે તો કેમ નહીં આપણે પહેલાં થી જ મહેનત કરી બાપ પાસે થી પૂરો વારસો લઈ પોતાનું ભવિષ્ય જીવન બનાવી લઈએ. મનુષ્યો ની જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે તો સમજે છે હવે ભક્તિ માં લાગી જઈએ. જ્યાં સુધી વાનપ્રસ્થ અવસ્થા નથી ત્યાં સુધી ખૂબ ધન વગેરે કમાય છે. હમણાં તમારા બધાની તો છે જ વાનપ્રસ્થ અવસ્થા. તો કેમ નહીં બાપ નાં મદદગાર બની જવું જોઈએ? દિલ થી પૂછવું જોઈએ અમે બાપ નાં મદદગાર બનીએ છીએ? સર્વિસેબલ બાળકો તો પ્રસિદ્ધ છે. સારી મહેનત કરે છે. યોગ માં રહેવાથી સર્વિસ કરી શકશે. યાદ ની તાકાત થી આખી દુનિયા ને પવિત્ર બનાવવાની છે. આખાં વિશ્વ ને તમે પાવન બનાવવા નાં નિમિત્ત બનેલા છો. તમારા માટે પછી પવિત્ર દુનિયા પણ જરુર જોઈએ, એટલે પતિત દુનિયા નો વિનાશ થવાનો છે. હવે બધાને આ જ બતાવતા રહો કે દેહ-અભિમાન છોડો. એક બાપ ને જ યાદ કરો. એ જ પતિત-પાવન છે. બધા યાદ પણ એમને કરે છે. સાધુ-સંત વગેરે બધા આંગળી થી એવો ઈશારો કરે છે કે પરમાત્મા એક છે, એ જ બધાને સુખ આપવા વાળા છે. ઈશ્વર અથવા પરમાત્મા કહી દે છે પરંતુ એમને જાણતા કોઈ પણ નથી. કોઈ ગણેશ ને, કોઈ હનુમાન ને, કોઈ પોતાનાં ગુરુ ને યાદ કરતા રહે છે. હવે તમે જાણો છો તે બધા છે ભક્તિ માર્ગ નાં. ભક્તિ માર્ગ પણ અડધોકલ્પ ચાલવાનો છે. મોટા-મોટા ઋષિ-મુની બધા નેતી-નેતી કરતા આવ્યાં છે. રચયિતા અને રચના ને અમે નથી જાણતાં. બાપ કહે છે તેઓ ત્રિકાળદર્શી તો નથી. બીજરુપ, જ્ઞાન નાં સાગર તો એક જ છે. એ આવે પણ છે ભારત માં. શિવ જયંતિ પણ મનાવે છે અને ગીતા જયંતિ પણ મનાવે છે. તો કૃષ્ણ ને યાદ કરે છે. શિવ ને તો જાણતા નથી. શિવબાબા કહે છે પતિત-પાવન જ્ઞાન નો સાગર તો હું છું. કૃષ્ણ માટે તો કહી ન શકાય. ગીતા નાં ભગવાન કોણ? આ ખૂબ સરસ ચિત્ર છે. બાપ આ ચિત્ર વગેરે બધા બનાવડાવે છે, બાળકો નાં જ કલ્યાણ માટે. શિવબાબા ની મહિમા તો કમ્પલીટ (બધી) લખવાની છે. બધો આધાર આનાં પર છે. ઉપર થી જે પણ આવે છે તે પવિત્ર જ છે. પવિત્ર બન્યાં વગર કોઈ જઈ ન શકે. મુખ્ય વાત છે પવિત્ર બનવાની. એ છે જ પવિત્રધામ, જ્યાં બધા આત્માઓ રહે છે. અહીં તમે પાર્ટ ભજવતા-ભજવતા પતિત બન્યાં છો. જે સૌથી વધારે પાવન એ જ પછી પતિત બન્યાં છે. દેવી-દેવતા ધર્મ નું નામ-નિશાન જ ગુમ થઈ ગયું છે. દેવતા ધર્મ બદલી હિંદુ ધર્મ નામ રાખી દીધું છે. તમે જ સ્વર્ગ નું રાજ્ય લો છો અને પછી ગુમાવો છો. હાર અને જીત ની રમત છે. માયા થી હારે હાર છે, માયા થી જીતે જીત છે. મનુષ્ય તો રાવણ નું આટલું મોટું ચિત્ર કેટલો ખર્ચો કરીને બનાવે છે પછી એક જ દિવસ માં ખલાસ કરી દે છે. દુશ્મન છે ને? પરંતુ આ તો ઢીંગલીઓની રમત થઈ ગઈ. શિવબાબા નું પણ ચિત્ર બનાવી પૂજા કરી પછી તોડી નાખે છે. દેવીઓ નાં ચિત્ર પણ એવાં બનાવી પછી જઈને ડુબાડે છે. કાંઈ પણ સમજતા નથી. હમણાં આપ બાળકો બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણો છો કે આ દુનિયા નું ચક્ર કેવી રીતે ફરે છે? સતયુગ-ત્રેતા ની કોઈને પણ ખબર નથી. દેવતા નાં ચિત્ર પણ ગ્લાનિ નાં બનાવી દીધાં છે.

બાપ સમજાવે છે-મીઠાં બાળકો, વિશ્વ નાં માલિક બનવા માટે બાપે તમને જે પરેજી બતાવી છે તે પરેજી કરો, યાદ માં રહીને ભોજન બનાવો, યોગ માં રહીને ખાઓ. બાપ સ્વયં કહે છે મને યાદ કરો તો તમે વિશ્વ નાં માલિક ફરી થી બની જશો. બાપ પણ ફરી થી આવેલા છે. હવે વિશ્વ નાં માલિક પૂરાં બનવાનું છે. ફોલો ફાધર-મધર (બાબા-મમ્મા નું અનુકરણ કરો). ફક્ત પિતા તો હોઈ ન શકે. સંન્યાસી લોકો કહે છે અમે બધા ફાધર છીએ. આત્મા સો પરમાત્મા છે, તે તો ખોટું થઈ જાય છે. અહીં મધર-ફાધર બંને પુરુષાર્થ કરે છે. ફોલો મધર-ફાધર, આ શબ્દ પણ અહીં નાં છે. હમણાં તમે જાણો છો જે વિશ્વ નાં માલિક હતાં, પવિત્ર હતાં, હવે તે અપવિત્ર છે. ફરી થી પવિત્ર બની રહ્યાં છે. અમે પણ તેમની શ્રીમત પર ચાલી આ પદ પ્રાપ્ત કરીએ છીએ. એ આમનાં દ્વારા ડાયરેક્શન આપે છે એનાં પર ચાલવાનું છે, ફોલો નથી કરતા તો ફક્ત બાબા-બાબા કહી મુખ મીઠું કરે છે. ફોલો કરવા વાળા ને જ સપૂત બાળકો કહેવાશે ને? જાણો છો મમ્મા-બાબા ને ફોલો કરવાથી આપણે રાજાઈ માં જઈશું. આ સમજની વાત છે. બાપ ફક્ત કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. બસ બીજા કોઈને પણ આ સમજાવો-તમે કેવી રીતે ૮૪ જન્મ લેતાં-લેતાં અપવિત્ર બન્યાં છો. હવે ફરી પવિત્ર બનવાનું છે. જેટલાં યાદ કરશો તો પવિત્ર બનતાં જશો. બહુજ યાદ કરવા વાળા જ નવી દુનિયામાં પહેલાં-પહેલાં આવશે. પછી બીજાઓને પણ આપ સમાન બનાવવાનાં છે. પ્રદર્શન માં બાબા-મમ્મા સમજાવવા માટે જઈ ન શકે. બહાર થી કોઈ મોટા વ્યક્તિ આવે છે તો કેટલાં અનેક મનુષ્ય જાય છે, તેમને જોવા માટે કે આ કોણ આવ્યાં છે? આ તો કેટલું ગુપ્ત છે! બાપ કહે છે હું આ બ્રહ્મા તન દ્વારા બોલું છું, હું જ આ બાળક નો રેસપોન્સિબલ (જવાબદાર) છું. તમે હંમેશા સમજો શિવબાબા બોલે છે, એ ભણાવે છે. તમારે શિવબાબા ને જ જોવાનાં છે, આમને નથી જોવાનાં. સ્વયં ને આત્મા સમજો અને પરમાત્મા બાપ ને યાદ કરો. આપણે આત્મા છીએ. આત્મા માં બધો પાર્ટ ભરેલો છે. આ નોલેજ બુદ્ધિ માં ચક્ર લગાવવું જોઈએ. ફક્ત દુનિયાવી વાતો જ બુદ્ધિ માં હશે તો કાંઈ નથી જાણતાં. બિલકુલ જ ખરાબ છે. પરંતુ એવાં-એવાં નું પણ કલ્યાણ તો કરવાનું જ છે. સ્વર્ગ માં તો જશે પરંતુ ઊંચ પદ નથી. સજાઓ ખાઈને જશે. ઊંચ પદ કેવી રીતે મેળવશો, તે તો બાપે સમજાવ્યું છે. એક તો સ્વદર્શન ચક્રધારી બનો અને બનાવો. યોગી પણ પાક્કા બનો અને બનાવો. બાપ કહે છે મને યાદ કરો. તમે પછી કહો છો બાબા, અમે ભૂલી જઈએ છીએ. શરમ નથી આવતી? ઘણાં છે જે સાચ્ચું બતાવતા નથી, ભૂલે તો ખૂબ છે. બાપે સમજાવ્યું છે કોઈ પણ આવે તો એમને બાપ નો પરિચય આપો. હવે ૮૪ નું ચક્ર પૂરું થાય છે, પાછા જવાનું છે. રામ ગયો રાવણ ગયો… આનો પણ અર્થ કેટલો સહજ છે. જરુર સંગમયુગ હશે જ્યારે રામ નો અને રાવણ નો પરિવાર છે. આ પણ જાણો છો બધા વિનાશ થઈ જશે, બાકી થોડા રહેશે. કેવી રીતે તમને રાજ્ય મળે છે, તે પણ થોડું આગળ ચાલી બધી ખબર પડતી જશે. પહેલાં થી જ તો બધું નહીં બતાવશે ને? પછી તે તો ખેલ હોઈ ન શકે. તમારે સાક્ષી થઈને જોવાનું છે. સાક્ષાત્કાર થતા જશે. આ ૮૪ નાં ચક્ર ને દુનિયામાં કોઈ પણ નથી જાણતાં.

હવે આપ બાળકો ની બુદ્ધિ માં છે આપણે પાછા જઈએ છીએ. રાવણ રાજ્ય થી હવે છુટ્ટી મળે છે. પછી પોતાની રાજધાની માં આવીશું. બાકી થોડા દિવસ છે. આ ચક્ર ફરતું રહે છે ને? અનેક વખત આ ચક્કર લગાવ્યું છે, હવે બાપ કહે છે જે કર્મબંધન માં ફસાયેલા છો એને ભૂલો. ગૃહસ્થ વ્યવહાર માં રહેવા છતાં ભૂલતા જાઓ. હવે નાટક પૂરું થાય છે, પોતાનાં ઘરે જવાનું છે, આ મહાભારત લડાઈ પછી જ સ્વર્ગ નાં ગેટ્સ (દ્વાર) ખુલે છે એટલે બાબાએ કહ્યું છે આ નામ ખૂબ સારું છે, ગેટ વે ટુ હેવન. કોઈ કહે છે લડાઈઓ ચાલતી આવી છે. બોલો, મૂસળો ની લડાઈ ક્યારે લાગી છે? આ મૂસળો ની અંતિમ લડાઈ છે. ૫૦૦૦ વર્ષ પહેલાં પણ જ્યારે લડાઈ લાગી હતી તો આ યજ્ઞ પણ રચાયો હતો. આ જૂની દુનિયા નો હવે વિનાશ થવાનો છે. નવી રાજધાની ની સ્થાપના થઈ રહી છે.

તમે આ રુહાની ભણતર ભણો છો રાજાઈ લેવા માટે. તમારો ધંધો છે રુહાની. શારીરિક વિદ્યા તો કામ આવવાની નથી, શાસ્ત્ર પણ કામ નહીં આવે તો કેમ નહીં આ ધંધા માં લાગી જવું જોઈએ? બાપ તો વિશ્વ નાં માલિક બનાવે છે. વિચાર કરવો જોઈએ-કયા ભણતર માં લાગીએ? તે તો થોડી ડીગ્રીઓ માટે ભણે છે. તમે તો ભણો છો રાજાઈ માટે. કેટલો રાત-દિવસ નો ફરક છે? તે ભણતર ભણવાથી ભૂગરા (ચણા) પણ મળશે કે નહીં, ખબર થોડી છે? કોઈનું શરીર છૂટી જાય તો ભૂગરા પણ ગયાં. આ કમાણી તો સાથે ચાલવાની છે. મૃત્યુ તો માથા પર છે. પહેલાં આપણે પોતાની પૂરી કમાણી કરી લઈએ. આ કમાણી કરતાં-કરતાં દુનિયા વિનાશ થઈ જવાની છે. તમારું ભણતર પૂરું થશે ત્યારે જ વિનાશ થશે. તમે જાણો છો જે પણ મનુષ્ય-માત્ર છે, તેમની મુઠ્ઠી માં છે ભૂગરા. એને જ વાંદરા ની જેમ પકડી ને બેઠાં છે. હવે તમે રત્ન લઈ રહ્યાં છો. આ ભૂગરા માંથી મમત્વ છોડો. જ્યારે સારી રીતે સમજે છે ત્યારે ભૂગરા ની મુઠ્ઠી ને છોડે છે. આ તો બધું ખાખ થઈ જવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની ભણતર ભણવાનું અને ભણાવવાનું છે. અવિનાશી જ્ઞાન-રત્નો થી પોતાની મુઠ્ઠી ભરવાની છે. ચણા ની પાછળ સમય નથી ગુમાવવાનો.

2. હવે નાટક પૂરું થાય છે, એટલે સ્વયં ને કર્મબંધનો થી મુક્ત કરવાનાં છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું અને બનાવવાનાં છે. મધર-ફાધર ને ફોલો કરી રાજાઈ પદ નાં અધિકારી બનવાનું છે.

વરદાન :-
સંકલ્પ ને પણ ચેક કરી વ્યર્થ નાં ખાતા ને સમાપ્ત કરવા વાળા શ્રેષ્ઠ સેવાધારી ભવ

શ્રેષ્ઠ સેવાધારી તે છે જેમનાં દરેક સંકલ્પ પાવરફુલ હોય. એક પણ સંકલ્પ ક્યાંય પણ વ્યર્થ ન જાય. કારણકે સેવાધારી અર્થાત્ વિશ્વ ની સ્ટેજ પર એક્ટ કરવા વાળા. આખું વિશ્વ તમને કોપી કરે છે, જો તમે એક સંકલ્પ વ્યર્થ કર્યો તો ફક્ત પોતાનાં પ્રત્યે નથી કર્યો પરંતુ અનેક નાં નિમિત્ત બની ગયા એટલે હવે વ્યર્થ નાં ખાતા ને સમાપ્ત કરી શ્રેષ્ઠ સેવાધારી બનો.

સ્લોગન :-
સેવા નાં વાયુમંડળ ની સાથે બેહદની વૈરાગ વૃત્તિ નું વાયુમંડળ બનાવો.

અવ્યક્ત ઇશારા - “ કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

સંગમયુગ છે કમ્બાઇન્ડ રહેવાનો યુગ. બાપ થી એકલા થઈ નથી શકતાં. સદા નાં સાથી છો. સદા બાપ ની સાથે રહેવું અર્થાત્ સદા સંતુષ્ટ રહેવું. બાપ અને તમે સદા કમ્બાઇન્ડ છો તો કમ્બાઇન્ડ ની શક્તિ બહુ જ મોટી છે, એક કાર્ય નાં બદલે હજાર કાર્ય કરી શકો છો કારણકે હજાર ભુજાઓ વાળા બાપ તમારી સાથે છે.