22-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારા ભણતર નું ફાઉન્ડેશન ( પાયો ) છે પ્યોરિટી , ( પવિત્રતા ), પ્યોરિટી છે ત્યારે યોગ નું બળ ભરાઈ શકે , યોગ નું બળ છે તો વાણી માં શક્તિ હશે”

પ્રશ્ન :-
આપ બાળકોએ હમણાં કયો પ્રયત્ન પૂરે-પૂરો કરવાનો છે?

ઉત્તર :-
માથા પર જે વિકર્મો નો બોજો છે તેને ઉતારવાનો પૂરે-પૂરો પ્રયત્ન કરવાનો છે. બાપ નાં બનીને કોઈ વિકર્મ કર્યા તો ખૂબ જોર થી નીચે પડશો. બી.કે. ની જો નિંદા કરાવી, કોઈ તકલીફ આપી તો બહુ જ પાપ થઈ જશે. પછી જ્ઞાન સાંભળવા-સંભળાવવા થી કોઈ ફાયદો નથી.

ઓમ શાંતિ!
રુહાની બાપ બાળકો ને સમજાવી રહ્યાં છે કે તમે પતિત થી પાવન બની પાવન દુનિયાનાં માલિક કેવી રીતે બની શકો છો! પાવન દુનિયા ને સ્વર્ગ અથવા વિષ્ણુપુરી, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય કહેવાય છે. વિષ્ણુ અર્થાત્ લક્ષ્મી-નારાયણ નું કમ્બાઈન્ડ (સંયુક્ત) ચિત્ર એવું બનાવ્યું છે, એટલે સમજાવાય છે. બાકી વિષ્ણુ ની જ્યારે પૂજા કરે છે તો સમજી નથી શકતા કે આ કોણ છે? મહાલક્ષ્મી ની પૂજા કરે છે પરંતુ સમજતા નથી કે આ કોણ છે? બાબા હમણાં આપ બાળકો ને ભિન્ન-ભિન્ન રીતે સમજાવે છે. સારી રીતે ધારણ કરો. કોઈ-કોઈ ની બુદ્ધિ માં રહે છે કે પરમાત્મા તો બધું જ જાણે છે. અમે જે કાંઈ સારું કે ખોટું કરીએ છીએ એ બધું જાણે છે. હવે આને અંધશ્રદ્ધા નો ભાવ કહેવાય છે. ભગવાન આ વાતો ને જાણતા જ નથી. આપ બાળકો જાણો છો ભગવાન તો છે પતિતો ને પાવન બનાવવા વાળા. પાવન બનાવીને સ્વર્ગ નાં માલિક બનાવે છે પછી જે સારી રીતે ભણશે તે ઊંચું પદ મેળવશે. બાકી એવું નથી સમજવાનું કે બાપ બધા નાં દિલો ને જાણે છે. આ પછી બેસમજી કહેવાશે. મનુષ્ય જે કર્મ કરે છે તેનું પછી સારું અથવા ખરાબ ડ્રામા અનુસાર તેમને મળે જ છે. આમાં બાપ નું કોઈ કનેક્શન (સંબંધ) જ નથી. આ વિચાર ક્યારેય નથી કરવાનો કે બાબા તો બધું જાણે જ છે. ઘણાં છે જે વિકાર માં જાય છે, પાપ કરતા રહે છે અને પછી અહીં અથવા સેવાકેન્દ્ર પર આવી જાય છે. સમજે છે બાબા તો જાણે છે. પરંતુ બાબા કહે હું આ ધંધો જ નથી કરતો. જાની-જાનનહાર શબ્દ પણ ખોટો છે. તમે બાપ ને બોલાવો છો કે આવીને પતિત થી પાવન બનાવો, સ્વર્ગ નાં માલિક બનાવો કારણકે જન્મ-જન્માંતર નાં પાપ માથા પર ખૂબ છે. આ જન્મ નાં પણ છે. આ જન્મ નાં પાપ બતાવે પણ છે. અનેકે એવાં પાપ કર્યા છે જે પાવન બનવું ખૂબ મુશ્કેલ લાગે છે. મુખ્ય વાત છે જ પાવન બનવાની. ભણતર તો ખૂબ સહજ છે, પરંતુ વિકર્મો નો બોજો કેવી રીતે ઉતરે તેનો પ્રયત્ન કરવો જોઈએ. એવાં ઘણાં છે અથાહ પાપ કરે છે, ખૂબ ડિસ-સર્વિસ (કુસેવા) કરે છે. બી.કે. આશ્રમ ને તકલીફ આપવાની કોશિશ કરે છે. એનું ખૂબ પાપ ચઢે છે. તે પાપ વગેરે કોઈ જ્ઞાન આપવા થી ખતમ ન થઈ શકે. પાપ કપાશે તો પણ યોગ થી. પહેલાં તો યોગ નો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ, ત્યારે કોઈને તીર પણ લાગી શકશે. પહેલાં પવિત્ર બને, યોગ હોય ત્યારે વાણી માં પણ બળ ભરાશે. નહીં તો ભલે કોઈને કેટલું પણ સમજાવશો, કોઈની બુદ્ધિ માં બેસશે નહીં, તીર લાગશે નહીં. જન્મ-જન્માન્તર નાં પાપ છે ને? હમણાં જે પાપ કરે છે, તે તો જન્મ-જન્માન્તર થી પણ અધિક થઈ જાય છે એટલે ગવાય છે સદ્દગુરુ નાં નિંદક... આ સત્ બાબા, સત્ શિક્ષક, સદ્દગુરુ છે. બાપ કહે છે બી.કે. ની નિંદા કરાવવા વાળા નાં પણ પાપ બહુજ ભારે છે. પહેલાં પોતે તો પાવન બને. કોઈને સમજાવવા નો ખૂબ શોખ રાખે છે. યોગ પાઈ નો પણ નથી, આનાંથી ફાયદો શું? બાબા કહે છે મુખ્ય વાત છે જ યાદ થી પાવન બનવાની. પોકારે પણ પાવન બનવા માટે છે. ભક્તિ માર્ગ માં એક આદત પડી ગઈ છે, ધક્કા ખાવાની, ફાલતું અવાજ કરવાની. પ્રાર્થના કરે છે પરંતુ ભગવાન ને કાન ક્યાં છે, કાન વગર, મુખ વગર, સાંભળશે, બોલશે કેવી રીતે? એ તો અવ્યક્ત છે. આ બધી છે અંધશ્રદ્ધા.

તમે બાપ ને જેટલાં યાદ કરશો એટલાં પાપ નાશ થશે. એવું નથી કે બાપ જાણે છે - આ ખૂબ યાદ કરે છે, આ ઓછું યાદ કરે છે, આ તો પોતાનો ચાર્ટ પોતે જ જોવાનો છે. બાપે કહ્યું છે યાદ થી જ તમારા વિકર્મ વિનાશ થશે. બાબા પણ તમને જ પૂછે છે કે કેટલાં યાદ કરો છો? ચલન થી પણ ખબર પડે છે. યાદ સિવાય પાપ કપાઈ નથી શકતાં. એવું નથી, કોઈને જ્ઞાન સંભળાવો છો તો તમારા કે એમનાં પાપ કપાઈ જશે. ના, જ્યારે પોતે યાદ કરે ત્યારે પાપ કપાય. મૂળ વાત છે પાવન બનવાની. બાપ કહે છે મારા બન્યાં છો તો કોઈ પાપ ન કરો. નહીં તો ખૂબ જોર થી નીચે પડશો. ઉમ્મીદ પણ નથી રાખવાની કે અમે સારું પદ મેળવી શકીશું. પ્રદર્શન માં અનેક ને સમજાવે છે તો બસ ખુશ થઈ જાય છે, અમે ખૂબ સર્વિસ કરી. પરંતુ બાપ કહે છે પહેલાં તમે તો પાવન બનો. બાપ ને યાદ કરો. યાદ માં ખૂબ ફેલ (નાપાસ) થાય છે. જ્ઞાન તો ખૂબ સહજ છે, ફક્ત ૮૪ નાં ચક્ર ને જાણવાનું છે, તે ભણતર માં કેટલાં હિસાબ-કિતાબ ભણે છે, મહેનત કરે છે. કમાશે શું? ભણતાં-ભણતાં મરી જાય તો ભણતર ખતમ. આપ બાળકો તો જેટલાં યાદ માં રહેશો એટલી ધારણા થશે. પવિત્ર નહીં બનો, પાપ નહીં ખતમ કરો તો ખૂબ સજા ખાવી પડશે. એવું નહીં, અમારી યાદ તો બાબા ને પહોંચે જ છે. બાબા શું કરશે? તમે યાદ કરશો તો તમે પાવન બનશો, બાબા એમાં શું કરશે, શું શાબાશી આપશે? ઘણાં બાળકો છે જે કહે છે અમે તો સદૈવ બાપ ને યાદ કરતા જ રહીએ છીએ, એમનાં વગર અમારું છે જ કોણ? આ પણ ગપોડા મારતા રહે છે. યાદ માં તો ખૂબ મહેનત છે. અમે યાદ કરીએ છે કે નહીં, આ પણ સમજી નથી શકતાં. અજાણતા કહી દે છે અમે તો યાદ કરીએ જ છીએ. મહેનત વગર કોઈ વિશ્વ નાં માલિક થોડી બની શકે? ઊંચું પદ મેળવી ન શકે. યાદ નું બળ જ્યારે ભરે ત્યારે સર્વિસ કરી શકે. પછી જોવાય કેટલી સર્વિસ કરીને પ્રજા બનાવી? હિસાબ જોઈએ ને? અમે કેટલા ને આપ સમાન બનાવીએ છીએ? પ્રજા બનાવવી પડે ને, ત્યારે રાજાઈ પદ મેળવી શકો. તે તો હમણાં કાંઈ નથી. યોગ માં રહે, બળ ભરે ત્યારે કોઈને પૂરું તીર લાગે. શાસ્ત્રો માં પણ છે ને - અંત માં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય વગેરે ને જ્ઞાન આપ્યું. જ્યારે તમારું પતિતપણું નીકળી સતોપ્રધાન સુધી આત્મા આવી જાય છે ત્યારે બળ ભરાય છે તો ઝટ તીર લાગી જાય છે. આ ક્યારેય વિચાર ન કરો કે બાબા તો બધું જ જાણે છે. બાબા ને જાણવાની શું જરુર છે, જે કરશે તે મેળવશે. બાબા સાક્ષી થઈને જોતા રહે છે. બાબા ને લખે છે અમે ફલાણી જગ્યાએ જઈને સર્વિસ કરી, બાબા પૂછશે પહેલાં તમે યાદ ની યાત્રા પર તત્પર છો? પહેલી વાત જ આ છે - બીજા સંગ તોડી એક બાપ નો સંગ જોડો. દેહી-અભિમાની બનવું પડે. ઘર માં રહેતાં પણ સમજવાનું છે આ તો જૂની દુનિયા જૂનો દેહ છે. આ બધું ખલાસ થવાનું છે. આપણું કામ છે બાપ અને વારસા થી.બાબા એવું નથી કહેતા કે ગૃહસ્થ વ્યવહાર માં ન રહો, કોઈની સાથે વાત ન કરો. બાબા ને પૂછે છે લગ્ન પર જઈએ? બાબા કહેશે ભલે જાઓ. ત્યાં પણ જઈને સર્વિસ કરો. બુદ્ધિ નો યોગ શિવબાબા સાથે હોય. જન્મ-જન્માન્તર નાં વિકર્મ યાદ નાં બળ થી જ ભસ્મ થશે. અહીં પણ જો વિકર્મ કરે છે તો ખૂબ સજાઓ ભોગવવી પડશે. પાવન બનતાં-બનતાં વિકાર માં પડ્યાં તો મર્યા. એકદમ પૂર્જા-પૂર્જા (ચટ) થઈ જાય. શ્રીમત પર ન ચાલી ખૂબ નુકસાન કરે છે. કદમ-કદમ પર શ્રીમત જોઈએ. એવાં-એવાં પાપ કરે છે જે યોગ લાગી ન શકે. યાદ કરી ન શકે. કોઈને જઈને કહેશે - ભગવાન આવ્યાં છે, એમની પાસે થી વારસો લો, તો તે માનશે નહીં. તીર લાગશે નહીં. બાબાએ કહ્યું છે ભક્તો ને જ્ઞાન સંભળાવો, વ્યર્થ કોઈને ન આપો, નહીં તો ખૂબ નિંદા કરાવશે.

ઘણાં બાળકો બાબા ને પૂછે છે - બાબા, અમને દાન કરવાની આદત છે, હવે તો જ્ઞાન માં આવી ગયા છીએ, હવે શું કરીએ? બાબા સલાહ આપે છે - બાળકો, ગરીબો ને દાન આપવા વાળા તો ઘણાં છે. ગરીબ કોઈ ભૂખે નથી મરતા, ફકીરો ની પાસે ખૂબ પૈસા પડ્યાં હોય છે એટલે આ બધી વાતો થી તમારી બુદ્ધિ હટી જવી જોઈએ. દાન વગેરે માં પણ ખૂબ ખબરદારી જોઈએ. ઘણાં એવાં-એવાં કામ કરે છે, વાત ન પૂછો અને પછી પોતે સમજતા નથી કે અમારા માથા પર બોજો ખૂબ ભારે થતો (વધતો) જાય છે. જ્ઞાન માર્ગ કોઈ હસી-મજાક નો માર્ગ નથી. બાપ ની સાથે તો પછી ધર્મરાજ પણ છે. ધર્મરાજ નાં મોટાં-મોટાં દંડા ખાવા પડે છે. કહે છે ને જ્યારે અંત માં ધર્મરાજ લેખા લેશે ત્યારે ખબર પડશે. જન્મ-જન્માન્તર ની સજાઓ ખાવામાં કોઈ સમય નથી લાગતો. બાબાએ કાશી કલવટ નું પણ દૃષ્ટાંત સમજાવ્યું છે. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ. મનુષ્યો ની પણ બલિ ચઢાવે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. આ બધી વાતો ને સમજવાની છે, એવું નહીં કે આ ડ્રામા બનાવ્યો જ કેમ? ચક્ર માં લાવ્યાં જ કેમ? ચક્ર માં તો આવતા જ રહેશો. આ તો અનાદિ ડ્રામા છે ને? ચક્ર માં ન આવો તો પછી દુનિયા જ ન રહે. મોક્ષ તો હોતો નથી. મુખ્ય નો પણ મોક્ષ નથી થઈ શકતો. ૫ હજાર વર્ષ પછી આમ જ ચક્ર લગાવશે. આ તો ડ્રામા છે ને? ફક્ત કોઈને સમજાવવા, વાણી ચલાવવા થી પદ નહીં મળી જશે, પહેલાં તો પતિત થી પાવન બનવાનું છે. એવું નહીં બાબા તો બધું જાણે છે. બાબા જાણીને પણ શું કરશે? પહેલાં તો તમારો આત્મા જાણે છે શ્રીમત પર અમે શું કરીએ છીએ, ક્યાં સુધી બાબા ને યાદ કરીએ છીએ? બાકી બાબા આ બેસીને જાણે, એનાંથી ફાયદો જ શું? તમે જે કાંઈ કરો છો તે તમે મેળવશો. બાબા તમારી એક્ટ (ચલન) અને સર્વિસ થી જાણે છે - આ બાળક સારી સર્વિસ કરે છે. ફલાણાએ બાબા નાં બનીને ખૂબ વિકર્મ કર્યા છે તો તેમની મોરલી માં બળ ભરાઈ ન શકે. આ જ્ઞાન-તલવાર છે. તેમાં યાદ બળ નું જૌહર જોઈએ. યોગબળ થી તમે વિશ્વ પર વિજય પ્રાપ્ત કરો છો, બાકી જ્ઞાન થી નવી દુનિયા માં ઊંચું પદ મેળવશો. પહેલાં તો પવિત્ર બનવાનું છે, પવિત્ર બન્યાં વગર ઊંચું પદ મળી ન શકે. અહીંયા આવે છે નર થી નારાયણ બનવા માટે. પતિત થોડી નર થી નારાયણ બનશે? પાવન બનવાની પૂરી યુક્તિ જોઈએ. અનન્ય બાળકો જે સેવાકેન્દ્ર સંભાળે છે એમને પણ ખૂબ મહેનત કરવી પડે, એટલી મહેનત નથી કરતા એટલે તે બળ નથી ભરાતું, તીર નથી લાગતું, યાદ ની યાત્રા ક્યાં? ફક્ત પ્રદર્શન માં અનેક ને સમજાવે છે, પહેલાં યાદ થી પવિત્ર બનવાનું છે પછી છે જ્ઞાન. પાવન થશે તો જ્ઞાન ની ધારણા થશે. પતિત ને ધારણા થશે નહીં. મુખ્ય સબ્જેક્ટ છે યાદ ની. એ ભણતર માં પણ સબ્જેક્ટ હોય છે ને? તમારી પાસે પણ ભલે બી.કે. બને છે પરંતુ બ્રહ્માકુમાર-કુમારી, ભાઈ-બહેન બનવું માસી નું ઘર નથી. ફક્ત કહેવા માત્ર નથી બનવાનું. દેવતા બનવા માટે પહેલાં પવિત્ર જરુર બનવાનું છે. પછી છે ભણતર. ફક્ત ભણતર હશે પવિત્ર નહીં હોય તો ઊંચું પદ નહીં મેળવી શકે. આત્મા પવિત્ર જોઈએ. પવિત્ર હોય ત્યારે પવિત્ર દુનિયામાં ઊંચું પદ મેળવી શકે. પવિત્રતા પર જ બાબા જોર આપે છે. પવિત્રતા વગર કોઈને જ્ઞાન આપી ન શકે. બાકી બાબા જોતા કાંઈ પણ નથી. સ્વયં બેઠાં છે ને, બધી વાતો સમજાવે છે. ભક્તિ માર્ગ માં ભાવના નું ભાડું મળી જાય છે. તે પણ ડ્રામા માં નોંધ છે, શરીર વગર બાપ વાત કેવી રીતે કરશે? સાંભળશે કેવી રીતે? આત્મા ને શરીર છે ત્યારે સાંભળે, બોલે છે. બાબા કહે છે મને ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) જ નથી તો સાંભળું, જાણું કેવી રીતે? સમજે છે બાબા તો જાણે છે અમે વિકાર માં જઈએ છીએ. જો નથી જાણતા તો ભગવાન જ નહીં માનશે. એવાં પણ ઘણાં હોય છે. બાપ કહે છે હું આવ્યો છું તમને પાવન બનાવવાનો રસ્તો બતાવવાં. સાક્ષી થઈને જોઉં છું. બાળકો ની ચલન થી ખબર પડી જાય છે - આ કપૂત છે કે સપૂત છે? સર્વિસ નું પણ સબૂત જોઈએ ને? આ પણ જાણે છે જે કરે છે તે મેળવે છે. શ્રીમત પર ચાલશે તો શ્રેષ્ઠ બનશે. નહીં ચાલશે તો પોતે જ ગંદા બનીને પડશે. કોઈ પણ વાત છે તો ક્લિયર (સ્પષ્ટ) પૂછો. અંધશ્રદ્ધા ની વાત નથી. બાબા ફક્ત કહે છે યાદ નું બળ નહીં હોય તો પાવન કેવી રીતે બનશો? આ જન્મ માં પણ પાપ એવાં-એવાં કરે છે વાત ન પૂછો. આ છે જ પાપ આત્માઓ ની દુનિયા, સતયુગ છે પુણ્ય આત્માઓ ની દુનિયા. આ છે સંગમ. કોઈ તો ડલહેડ (બુદ્ધુ) છે તો ધારણા કરી નથી શકતાં. બાબા ને યાદ નથી કરી શકતાં. પછી ટૂ-લેટ (બહુ મોડું) થઈ જશે, ભંભોર ને આગ લાગી જશે પછી યોગ માં પણ રહી નહીં શકે. તે સમયે તો હાહાકાર મચી જાય છે. બહુ જ દુઃખ નાં પહાડ પડવાનાં છે. આ જ ફૂરણા રહેવી જોઈએ કે આપણે આપણું રાજ્ય-ભાગ્ય તો બાપ પાસે થી લઈ લઈએ. દેહ-અભિમાન છોડી સર્વિસ માં લાગી જવું જોઈએ. કલ્યાણકારી બનવાનું છે. ધન વ્યર્થ નથી ગુમાવવાનું. જે લાયક જ નથી એવાં પતિત ને ક્યારેય દાન ન આપવું જોઈએ, નહીં તો દાન આપવા વાળા પર પણ આવી જાય છે. એવું નથી કે ઢંઢોરો પીટવાનો છે કે ભગવાન આવ્યાં છે. આવાં ભગવાન કહેવડાવવા વાળા ભારત માં ઘણા છે. કોઈ માનશે નહીં. આ તમે જાણો છો તમને પ્રકાશ મળ્યો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર ની સાથે-સાથે પવિત્ર જરુર બનવાનું છે. એવાં લાયક તથા સપૂત બાળક બની સર્વિસ નું સબૂત આપવાનું છે. શ્રીમત પર સ્વયં ને શ્રેષ્ઠ બનાવવાના છે.

2. સ્થૂળ ધન પણ વ્યર્થ નથી ગુમાવવાનું. પતિતો ને દાન નથી કરવાનું. જ્ઞાન-ધન પણ પાત્ર ને જોઈને આપવાનું છે.

વરદાન :-
જૂનાં સંસ્કારો નાં અગ્નિ સંસ્કાર કરવા વાળા સાચાં મરજીવા ભવ

જેવી રીતે મર્યા પછી શરીર નાં સંસ્કાર કરે છે તો નામ-રુપ સમાપ્ત થઈ જાય છે એવી રીતે આપ બાળકો જ્યારે મરજીવા બનો છો તો શરીર ભલે તે જ છે પરંતુ જૂનાં સંસ્કારો, સ્મૃતિઓ અથવા સ્વભાવ નાં સંસ્કાર કરી દો છો. સંસ્કાર કરેલા મનુષ્ય ફરી થી સામે આવે તો એને ભૂત કહેવાય છે. એવી રીતે અહીં પણ જો કોઈ સંસ્કાર કરેલા સંસ્કાર જાગૃત થઈ જાય છે તો આ પણ માયા નું ભૂત છે. આ ભૂતો ને ભગાવો, એનું વર્ણન પણ ન કરો.

સ્લોગન :-
કર્મભોગ નું વર્ણન કરવાને બદલે કર્મયોગ ની સ્થિતિ નું વર્ણન કરતા રહો.

અવ્યક્ત ઇશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

જેવી રીતે રાજા સ્વયં કોઈ કાર્ય નથી કરતા, કરાવે છે. કરવા વાળા રાજ્ય કારોબારી અલગ હોય છે. જો રાજ્ય કારોબારી ઠીક ન હોત તો રાજ્ય ડગમગ થઈ જાય છે. એવી રીતે આત્મા પણ કરાવનહાર છે, કરનહાર એ વિશેષ ત્રિમૂર્તિ શક્તિઓ (મન, બુદ્ધિ, સંસ્કાર) છે. પહેલાં એની ઉપર રુલિંગ પાવર હોય તો આ સાકાર કર્મેન્દ્રિયો સ્વત: જ સાચાં રસ્તા પર ચાલશે.