24-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે આ ભણતર થી પોતાનાં સુખધામ જાઓ છો વાયા શાંતિધામ , આ જ તમારું મુખ્ય - લક્ષ છે , આ ક્યારેય ન ભૂલવું જોઈએ”

પ્રશ્ન :-
આપ બાળકો સાક્ષી બનીને આ સમયે ડ્રામા નું કયું દૃશ્ય જોઈ રહ્યાં છો?

ઉત્તર :-
આ સમયે ડ્રામા માં ટોટલ દુઃખ નું દૃશ્ય છે. જો કોઈને સુખ છે તો પણ અલ્પકાળ કાગ વિષ્ટા સમાન. બાકી દુઃખ જ દુઃખ છે. આપ બાળકો હમણાં પ્રકાશ માં આવ્યાં છો. જાણો છો સેકન્ડ બાય સેકન્ડ બેહદ સૃષ્ટિ નું ચક્ર ફરતું રહે છે, એક દિવસ ન મળે બીજા થી. આખી દુનિયાની એક્ટ (પ્રવૃત્તિ) બદલાતી રહે છે. નવાં દૃશ્ય ચાલતાં રહે છે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ…

ઓમ શાંતિ!
ડબલ ઓમ્ શાંતિ ! એક - બાપ સ્વ-ધર્મ માં સ્થિત છે, બીજું - બાળકો ને પણ કહે છે પોતાનાં સ્વધર્મ માં સ્થિત રહો અને બાપ ને યાદ કરો. બીજું કોઈ આવું કહી ન શકે કે સ્વધર્મ માં સ્થિત રહો. આપ બાળકો ની બુદ્ધિ માં નિશ્ચય છે. નિશ્ચયબુદ્ધિ વિજ્યન્તિ. તે જ વિજય મેળવશે. શેની વિજય મેળવશે? બાપ નાં વારસા ની. સ્વર્ગ માં જવું - આ છે બાપ નાં વારસા ની વિજય મેળવવી. બાકી છે પદ માટે પુરુષાર્થ. સ્વર્ગ માં જવાનું તો જરુર છે. બાળકો જાણે છે આ છી-છી દુનિયા છે. બહુજ અથાહ દુઃખ આવવાનું છે. ડ્રામા નાં ચક્ર ને પણ તમે જાણો છો. અનેક વાર બાબા આવેલા છે પાવન બનાવી સર્વ આત્માઓ ને મચ્છરો સદૃશ્ય લઈ જવા, પછી સ્વયં પણ નિર્વાણધામ માં જઈને નિવાસ કરશે. બાળકો પણ જશે! આપ બાળકો ને તો આ ખુશી રહેવી જોઈએ - આ ભણતર થી આપણે પોતાનાં સુખધામ જઈશું વાયા શાંતિધામ. આ છે તમારું મુખ્ય-લક્ષ. આ ભૂલવું ન જોઈએ. રોજ-રોજ સાંભળો છો, સમજો છો આપણને પતિત થી પાવન બનાવવા માટે બાપ ભણાવે છે. પાવન બનવાનો સહજ ઉપાય બતાવે છે યાદ નો. આ પણ નવી વાત નથી. લખેલું છે ભગવાને રાજયોગ શીખવાડ્યો. ફક્ત ભૂલ એ કરી દીધી છે જે શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે. એવું પણ નથી બાળકો ને જે નોલેજ મળી રહી છે, તે ગીતા સિવાય બીજા કોઈ શાસ્ત્ર માં હશે. બાળકો જાણે છે કોઈ પણ મનુષ્ય ની મહિમા નથી, જેવી બાપ ની છે. બાપ ન આવે તો સૃષ્ટિ નું ચક્ર જ ન ફરે. દુઃખધામ થી સુખધામ કેવી રીતે બને? સૃષ્ટિ નું ચક્ર તો ફરવાનું જ છે. બાપ ને પણ જરુર આવવાનું જ છે. બાપ આવે છે બધાને લઈ જવા પછી ચક્ર ફરે છે. બાપ ન આવે તો કળિયુગ થી સતયુગ કેવી રીતે બને? બાકી આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. રાજયોગ છે જ ગીતા માં. જો સમજે ભગવાન આબુ માં આવ્યાં છે તો એકદમ ભાગે મળવા માટે. સંન્યાસી પણ ઈચ્છે તો છે ને કે ભગવાન ને મળીએ. પતિત-પાવન ને યાદ કરે છે પાછા જવા માટે. હમણાં આપ બાળકો પદમાપદમ ભાગ્યશાળી બની રહ્યાં છો. ત્યાં અથાહ સુખ હોય છે. નવી દુનિયા માં જે દેવી-દેવતા ધર્મ હતો, તે હમણાં નથી. બાપ દૈવી રાજ્ય ની સ્થાપના કરે જ છે બ્રહ્મા દ્વારા. આ તો ક્લિયર (સ્પષ્ટ) છે. તમારું મુખ્ય-લક્ષ જ આ છે. આમાં સંશય ની વાત જ નથી. આગળ ચાલીને સમજી જ જશે, રાજધાની જરુર સ્થાપન થાય છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. જ્યારે તમે સ્વર્ગ માં રહો છો તો તેનું નામ જ ભારત રહે છે પછી જ્યારે તમે નર્ક માં આવો છો ત્યારે હિન્દુસ્તાન નામ પડે છે. અહીં કેટલું દુઃખ જ દુઃખ છે. પછી આ સૃષ્ટિ બદલાય છે પછી સ્વર્ગ માં છે જ સુખધામ. આ નોલેજ આપ બાળકો ને છે. દુનિયામાં મનુષ્ય કાંઈ પણ નથી જાણતાં. બાપ સ્વયં કહે છે હમણાં છે અંધારી રાત. રાત્રે મનુષ્ય ધક્કા ખાતા રહે છે. આપ બાળકો પ્રકાશ માં છો. આ પણ સાક્ષી થઈ બુદ્ધિ માં ધારણ કરવાનું છે. સેકન્ડ બાય સેકન્ડ બેહદ સૃષ્ટિ નું ચક્ર ફરતું રહે છે. એક દિવસ ન મળે બીજા સાથે. આખી દુનિયા ની એક્ટ બદલાતી રહે છે. નવાં સીન (દૃશ્ય) ચાલતાં રહે છે. આ સમયે ટોટલ છે જ દુઃખ નાં સીન. જો સુખ છે તો પણ કાગ વિષ્ટા સમાન. બાકી દુઃખ જ દુઃખ છે. આ જન્મ માં સુખ હશે પછી બીજા જન્મ માં દુઃખ. હવે આપ બાળકો ની બુદ્ધિ માં આ રહે છે - હવે આપણે જઈએ છે પોતાનાં ઘરે. આમાં મહેનત કરવાની છે પાવન બનવાની. શ્રી-શ્રી એ શ્રીમત આપી છે શ્રી લક્ષ્મી-નારાયણ બનવાની. બેરિસ્ટર મત આપશે - બેરિસ્ટર ભવ. હવે બાપ પણ કહે છે શ્રીમત થી આ બનો.

પોતાને પૂછવું જોઈએ - મારા માં કોઈ અવગુણ તો નથી? આ સમયે ગાય પણ છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી, આપેહી તરસ પરોઈ. તરસ અર્થાત્ રહેમ. બાબા કહે - બાળકો હું તો કોઈ પર રહેમ કરતો જ નથી. રહેમ તો દરેકે પોતાનાં પર કરવાનો છે. આ ડ્રામા બનેલો છે. બેરહેમી રાવણ તમને દુઃખ માં લઈ આવે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. આમાં રાવણ નો પણ કોઈ દોષ નથી. બાપ આવીને ફક્ત સલાહ આપે છે. આ જ એમનો રહેમ છે. બાકી આ રાવણ રાજ્ય તો પછી પણ ચાલશે. ડ્રામા અનાદિ છે. નથી રાવણ નો દોષ, નથી મનુષ્યો નો દોષ છે. ચક્ર ને ફરવાનું જ છે. રાવણ થી છોડાવવા માટે બાપ યુક્તિઓ બતાવતા રહે છે. રાવણ મત પર તમે કેટલાં પાપ આત્મા બન્યાં છો. હમણાં જૂની દુનિયા છે. પછી જરુર નવી દુનિયા આવશે. ચક્ર તો ફરશે ને? સતયુગ ને પછી જરુર આવવાનું છે. હમણાં છે સંગમયુગ. મહાભારત લડાઈ પણ આ સમય ની છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશયન્તી. આ થવાનું છે. અને આપણે વિજયન્તી સ્વર્ગ નાં માલિક હોઈશું. બાકી બધા હશે જ નહીં. આ પણ સમજો છો - પવિત્ર બન્યાં વગર દેવતા બનવું મુશ્કેલ છે. હમણાં બાપ પાસે થી શ્રીમત મળે છે શ્રેષ્ઠ દેવતા બનવાની. આવી મત ક્યારેય મળી ન શકે. શ્રીમત આપવાનો એમનો પાર્ટ છે પણ સંગમ પર. બીજા કોઈ માં તો આ જ્ઞાન જ નથી. ભક્તિ એટલે ભક્તિ. એને જ્ઞાન નહીં કહેવાશે. રુહાની જ્ઞાન, જ્ઞાન-સાગર રુહ જ આપે છે. એમની જ મહિમા છે જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર. બાપ પુરુષાર્થ ની યુક્તિઓ પણ બતાવે છે. આ વિચાર રાખવો જોઈએ કે હમણાં ફેલ (નાપાસ) થયા તો કલ્પ-કલ્પાન્તર ફેલ થઈશું, ખૂબ ચોટ (માર) લાગી જશે. શ્રીમત પર ન ચાલવાથી ચોટ લાગી જાય છે. બ્રાહ્મણો નું ઝાડ વધવાનું પણ જરુર છે. એટલું જ વધશે જેટલું દેવતાઓનું ઝાડ છે. તમારે પુરુષાર્થ કરવાનો છે અને કરાવવાનો છે. સેપલિંગ (કલમ) લાગતી રહેશે. ઝાડ મોટું થઈ જશે. તમે જાણો છો હમણાં આપણું કલ્યાણ થઈ રહ્યું છે. પતિત દુનિયા થી પાવન દુનિયામાં જવાનું કલ્યાણ થાય છે. આપ બાળકો ની બુદ્ધિ નું તાળુ હમણાં ખુલ્યું છે. બાપ બુદ્ધિવાનો ની બુદ્ધિ છે ને? હમણાં તમે સમજી રહ્યાં છો પછી આગળ ચાલીને જોજો કોનું-કોનું તાળું ખુલે છે. આ પણ ડ્રામા ચાલે છે. પછી સતયુગ થી રિપીટ (પુનરાવર્તન) થશે. લક્ષ્મી-નારાયણ જ્યારે તખ્ત (ગાદી) પર બેસે છે ત્યારે સવંત શરુ થાય છે. તમે લખો પણ છો વન (એક) થી ૧૨૫૦ વર્ષ સુધી સ્વર્ગ, કેટલું ક્લિયર છે. કથા છે સત્યનારાયણ ની. કથા અમરનાથ ની છે ને? તમે હમણાં સાચ્ચી-સાચ્ચી અમરનાથ ની કથા સાંભળો છો તેનું પછી ગાયન ચાલે છે. તહેવાર વગેરે બધા આ સમય નાં છે. નંબરવન પર્વ છે શિવબાબા ની જયંતિ. કળિયુગ પછી જરુર બાપ ને આવવું પડે દુનિયા ને ચેન્જ (પરિવર્તન) કરવાં. ચિત્રો ને કોઈ સારી રીતે જુએ, કેટલો પૂરો હિસાબ બનેલો છે. તમને આ ખાતરી છે, જેટલો કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો છે એટલો કરશે જરુર. સાક્ષી બની બીજાઓ નો પણ જોશો. પોતાનાં પુરુષાર્થ ને પણ જાણે છે. તમે પણ જાણો છો. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પોતાનાં ભણતર ને નહીં જાણતા હોય? મન ખાશે જરુર કે અમે આ સબ્જેક્ટ (વિષય) માં ખૂબ કાચ્ચા છીએ. પછી નાપાસ થઈ જાય છે. પરીક્ષા નાં સમયે જે કાચ્ચા હશે તેમનું દિલ ધડકતું રહેશે. આપ બાળકો પણ સાક્ષાત્કાર કરશો. પરંતુ નાપાસ તો થઈ જ ગયા, કરી શું શકે છે? સ્કૂલ માં નાપાસ થાય છે તો સંબંધી પણ નારાજ, શિક્ષક પણ નારાજ થાય છે. કહેશે અમારી સ્કૂલ માંથી ઓછા પાસ થયા તો સમજી જશે કે શિક્ષક એટલાં સારા નથી એટલે ઓછા પાસ થયાં. બાબા પણ જાણે છે સેવાકેન્દ્ર પર કોણ-કોણ સારા શિક્ષક છે, કેવી રીતે ભણાવે છે. કોણ-કોણ સારી રીતે ભણાવીને લઈ આવે છે. બધી ખબર પડે છે. બાબા કહે-વાદળો ને લાવવાના છે. નાનાં બાળકો ને લઈ આવશે તો તેમાં મોહ રહેશે. એકલા નીકળીને આવવું જોઈએ તો બુદ્ધિ સારી રીતે લાગી રહે. બાળકો ને તો ત્યાં પણ જોતા રહે છે.

બાબા કહે છે આ જૂની દુનિયા તો કબ્રસ્તાન (શમશાન) બનવાની છે. નવું મકાન બનાવે છે તો બુદ્ધિ માં રહે છે ને - અમારું નવું મકાન બની રહ્યું છે. ધંધો વગેરે તો કરતા રહે છે. પરંતુ બુદ્ધિ નવાં મકાન તરફ રહે છે. ચુપ રહી ને તો નથી બેસી જતાં. તે છે હદ ની વાત, આ છે બેહદ ની વાત. દરેક કાર્ય કરતા સ્મૃતિ રહે કે હવે આપણે ઘરે જઈને પછી પોતાની રાજધાની માં જઈશું તો અપાર ખુશી રહેશે. બાપ કહે છે-બાળકો, પોતાનાં બાળકો વગેરે ની સંભાળ પણ કરવાની છે. પરંતુ બુદ્ધિ ત્યાં લાગી રહે. યાદ ન કરવાથી પછી પવિત્ર પણ નથી બની શકતાં. યાદ થી પવિત્ર, જ્ઞાન થી કમાણી. અહીં તો બધા છે પતિત. બે કિનારા છે. બાબા ને ખેવૈયા કહે છે, પરંતુ અર્થ નથી સમજતાં. તમે જાણો છો બાપ પેલા કિનારે લઈ જાય છે. આત્મા જાણે છે આપણે હવે બાપ ને યાદ કરી ખૂબ નજીક જઈ રહ્યાં છીએ. ખેવૈયા નામ પણ અર્થ સહિત રાખ્યું છે ને? આ બધી મહિમા કરે છે - નૈયા મારી પાર લગાવો. સતયુગ માં એવું કહેશે શું? કળિયુગ માં જ પોકારે છે. આપ બાળકો સમજો છો બેસમજ ને તો અહીં આવવાનું જ નથી. બાપ ની સખત મનાઈ છે. નિશ્ચય નથી તો ક્યારેય ન લઈને આવવું જોઈએ. કાંઈ પણ સમજશે નહીં. પહેલાં તો ૭ દિવસ નો કોર્સ કરાવો. કોઈ ને તો ૨ દિવસ માં પણ તીર લાગી જાય છે. સારું લાગી ગયું તો પછી છોડશે થોડી? કહેશે અમે ૭ દિવસ હજી પણ શીખશું. તમે ઝટ સમજી જશો આ આ જ કુળ નાં છે. તીક્ષ્ણ બુદ્ધિ જે હશે તે કોઈ વાત ની પરવા નહીં કરશે. અચ્છા, એક નોકરી છૂટી જશે બીજી મળશે, બાળકો દિલવાળા જે હોય છે તેમની નોકરી વગેરે છૂટતી જ નથી. પોતે જ વન્ડર (આશ્ચર્ય) ખાય છે. બાળકીઓ કહે છે અમારા પતિ ની બુદ્ધિ ફેરવો. બાબા કહે છે મને નહીં કહો. તમે યોગબળ માં રહી પછી બેસીને જ્ઞાન સમજાવો. બાબા થોડી બુદ્ધિ ને ફેરવશે? પછી તો બધા એવો ધંધો કરતા રહેશે. જે રિવાજ નીકળે છે તેને પકડી લે છે. કોઈ ગુરુ થી કોઈને ફાયદો થયો, સાંભળ્યું, તો બસ તેમની પાછળ પડી જાય છે. નવાં આત્મા આવે છે તો તેમની મહિમા તો નીકળશે ને? પછી ખૂબ ફોલોઅર્સ (અનુયાયી) બની જાય છે એટલે આ બધી વાતો ને જોવાની નથી. તમારે જોવાના છે પોતાને - અમે ક્યાં સુધી ભણીએ છીએ? આ તો બાબા ડીટેલ (વિસ્તાર) માં જેમ ચિટચેટ (વાતચીત) કરે છે. બાકી ફક્ત કહી દેવાનું બાપ ને યાદ કરો આ તો ઘર માં પણ રહીને કરી શકો છો. પરંતુ જ્ઞાન નાં સાગર છે તો જરુર જ્ઞાન પણ આપશે ને? આ છે મુખ્ય વાત - મનમનાભવ. સાથે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય પણ સમજાવે છે. ચિત્ર પણ તો આ સમયે ખૂબ સારા-સારા નીકળ્યાં છે. તેનો પણ અર્થ બાપ સમજાવે છે. વિષ્ણુ ની નાભી માંથી બ્રહ્મા ને દેખાડયાં છે. ત્રિમૂર્તિ પણ છે પછી વિષ્ણુ ની નાભી થી બ્રહ્મા આ પછી શું છે? બાપ સમજાવે છે - આ રાઈટ છે કે રોંગ છે? મનોમય ચિત્ર પણ ખૂબ બનાવે છે ને? કોઈ-કોઈ શાસ્ત્રો માં ચક્ર પણ દેખાડયું છે. પરંતુ કોઈએ કેટલી આયુ લખી દીધી છે, કોઈએ કેટલી. અનેક મત છે ને? શાસ્ત્રો માં તો હદ ની વાતો લખી દીધી છે, બાપ બેહદ ની વાત સમજાવે છે કે આખી દુનિયા માં છે રાવણ રાજ્ય. આ તમારી બુદ્ધિ માં જ્ઞાન છે - આપણે કેવી રીતે પતિત બન્યાં પછી પાવન કેવી રીતે બનીએ છીએ. પાછળ પછી બીજા ધર્મ આવે છે. અનેક વેરાયટી (વિવિધતા) છે. એક ન મળે બીજા સાથે. એક જેવાં ફીચર્સ (ગુણવત્તા) વાળા બે હોઈ ન શકે. આ પૂર્વ-નિર્ધારિત ખેલ છે જે રિપીટ થતો રહે છે. બાપ બાળકો ને સમજાવે છે. સમય ઓછો થતો જાય છે. પોતાની તપાસ કરો - અમે ક્યાં સુધી ખુશી માં રહીએ છીએ? આપણે કોઈ વિકર્મ નથી કરવાનાં. તોફાન તો આવશે. બાપ સમજાવે છે - બાળકો, અંતર્મુખ બનીને પોતાનો ચાર્ટ રાખો તો જે ભૂલો થાય છે તેનો પશ્ચાતાપ કરી શકશો. આ જાણે યોગબળ થી પોતાને માફ કરો છો. બાબા કોઈ ક્ષમા અથવા માફ નથી કરતાં. ડ્રામા માં ક્ષમા શબ્દ જ નથી. તમારે પોતાની મહેનત કરવાની છે. પાપો નો દંડ મનુષ્ય પોતે જ ભોગવે છે. ક્ષમા ની વાત જ નથી. બાપ કહે છે દરેક વાત માં મહેનત કરો. બાપ યુક્તિ બતાવે છે આત્માઓ ને. બાપ ને બોલાવે છે જૂનાં રાવણ નાં દેશ માં આવો, અમને પતિતો ને આવીને પાવન બનાવો. પરંતુ મનુષ્ય સમજતા નથી. તે છે આસુરી સંપ્રદાય. તમે છો બ્રાહ્મણ સંપ્રદાય, દૈવી સંપ્રદાય બની રહ્યાં છો. પુરુષાર્થ પણ બાળકો નંબરવાર કરે છે. પછી કહી દે છે એમની તકદીર માં આટલું જ છે. પોતાનો સમય વેસ્ટ કરે છે. જન્મ-જન્માન્તર, કલ્પ-કલ્પાન્તર ઊંચ પદ મેળવી નહીં શકશે. પોતાનું નુકસાન ન કરવું જોઈએ કારણકે હમણાં જમા થાય છે પછી નુકસાન માં ચાલ્યાં જાઓ છો. રાવણ રાજ્ય માં કેટલું નુકસાન થાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી બની પોતાની તપાસ કરવાની છે, જે પણ ભૂલો થાય છે તેનો દિલ થી પશ્ચાત્તાપ કરી યોગબળ થી માફ કરવાની છે. પોતાની મહેનત કરવાની છે.

2. બાપ ની જે સલાહ મળે છે તેનાં પર પૂરું ચાલીને પોતાનાં ઉપર પોતે જ રહેમ કરવાનો છે. સાક્ષી બની પોતાનાં તથા બીજાનાં પુરુષાર્થ ને જોવાનો છે. ક્યારેય પણ પોતાનું નુકસાન નથી કરવાનું.

વરદાન :-
વિશ્વ કલ્યાણ ની ભાવના દ્વારા દરેક આત્મા ની સેફ્ટી નાં પ્લાન બનાવવા વાળા સાચાં રહેમદિલ ભવ

વર્તમાન સમયે ઘણાં આત્માઓ પોતાની જાતે જ પોતાનાં અકલ્યાણ ને નિમિત્ત બની રહ્યાં છે, એમનાં માટે રહેમદિલ બની કોઈ પ્લાન બનાવો. કોઈ પણ આત્મા નાં પાર્ટ ને જોઈને સ્વયં હલચલ માં ન આવો પરંતુ એની સેફ્ટી નાં સાધન વિચારો, એવું નહીં કે આ તો થતું રહે છે, ઝાડ ને તો ખરવાનું જ છે. ના. આવેલા વિધ્નો ને ખતમ કરો. વિશ્વ-કલ્યાણકારી તથા વિઘ્ન-વિનાશક નું જે ટાઈટલ છે - એ પ્રમાણે સંકલ્પ, વાણી અને કર્મ માં રહેમદિલ બની વાયુમંડળ ને ચેન્જ કરવામાં સહયોગી બનો.

સ્લોગન :-
કર્મયોગી એ જ બની શકે છે જે બુદ્ધિ પર અટેન્શન નો પહેરો (ચોકીદારી) આપે છે.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

લાસ્ટ માં ફાઇનલ પેપર નો પ્રશ્ન હશે - સેકન્ડ માં ફુલ સ્ટોપ, એમાં જ નંબર મળશે. સેકન્ડ થી વધારે થઈ ગઈ તો ફેલ થઈ જશો. “એક બાપ અને હું” ત્રીજી કોઈ વાત ન આવે. એવું નહીં કે આ કરી લઉ, આ જોઈ લઉં… આ થયું, નહીં થયું. આ કેમ થયું? આ શું થયું- એવો કોઈ પણ સંકલ્પ આવે તો ફાઈનલ પેપર માં પાસ નહીં થશો.