28-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
પ્રેમ વિનાશી શરીરો સાથે ન હોવો જોઈએ , એક વિદેહી સાથે પ્રેમ કરો , દેહ ને જોવા છતાં
નહીં જુઓ”
પ્રશ્ન :-
બુદ્ધિ ને સ્વચ્છ બનાવવાનો પુરુષાર્થ શું છે? સ્વચ્છ બુદ્ધિ ની નિશાની શું હશે?
ઉત્તર :-
દેહી-અભિમાની બનવાથી જ બુદ્ધિ સ્વચ્છ બને છે. એવાં દેહી-અભિમાની બાળકો પોતાને આત્મા
સમજી એક બાપ ને પ્રેમ કરશે. બાપ પાસે થી જ સાંભળશે. પરંતુ જે મૂઢમતી છે તે દેહ ને
પ્રેમ કરે છે, દેહ ને જ શૃંગારતા રહે છે.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ કોણે
કહ્યું અને કોણે સાંભળ્યું? બીજા સત્સંગો માં તો જિજ્ઞાસુ સાંભળે છે. મહાત્મા કે
ગુરુ વગેરેએ સંભળાવ્યું, એવું કહેશે. અહીં પરમાત્માએ સંભળાવ્યું અને આત્માએ સાંભળ્યું.
નવી વાત છે ને? દેહી-અભિમાની થવું પડે. ઘણાં અહીં પણ દેહ-અભિમાની થઈને બેસે છે. આપ
બાળકોએ દેહી-અભિમાની થઈ બેસવું જોઈએ. હું આત્મા આ શરીર માં વિરાજમાન છું. શિવબાબા
આપણને સમજાવે છે, આ બુદ્ધિમાં સારી રીતે યાદ રહેવું જોઈએ. મુજ આત્માનું કનેક્શન (સંબંધ)
છે પરમાત્મા ની સાથે. પરમાત્મા આવીને આ શરીર દ્વારા સંભળાવે છે, આ દલાલ થઈ ગયાં.
તમને સમજાવવા વાળા એ (શિવબાબા) છે. આમને (બ્રહ્મા બાબાને) પણ વારસો એ આપે છે. તો
બુદ્ધિ એ તરફ જવી જોઈએ. સમજો, બાપ ને ૫-૭ બાળકો છે, એમનો બુદ્ધિયોગ બાપ તરફ રહેશે
ને કારણકે બાપ પાસે થી વારસો મળવાનો છે. ભાઈ પાસે થી વારસો નથી મળતો. વારસો હંમેશા
બાપ પાસે થી મળે છે. આત્મા ને આત્મા પાસે થી વારસો નથી મળતો. તમે જાણો છો આત્માનાં
રુપ માં આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. આપણું સર્વ આત્માઓ નું કનેક્શન એક પરમપિતા પરમાત્મા
ની સાથે છે. એ કહે છે મામેકમ્ યાદ કરો. મુજ એક ની સાથે જ પ્રીત રાખો. રચના ની સાથે
નહીં રાખો. દેહી-અભિમાની બનો. મારાં સિવાય બીજા કોઈ દેહધારી ને યાદ કરો છો, તો તેને
કહેવાય છે દેહ-અભિમાન. ભલે આ દેહધારી તમારી સામે છે પરંતુ તમે તેમને નહીં જુવો.
બુદ્ધિમાં યાદ એમની રહેવી જોઈએ. તેઓ તો ફક્ત કહેવા માત્ર ભાઈ-ભાઈ કહી દે છે, હવે તમે
જાણો છો આપણે આત્મા છીએ પરમપિતા પરમાત્મા નાં સંતાન છીએ. વારસો પરમાત્મા બાપ પાસે
થી મળે છે. એ બાપ કહે છે તમારો લવ (પ્રેમ) મુજ એક ની સાથે હોવો જોઈએ. હું જ પોતે
આવીને આપ આત્માઓ ની પોતાની સાથે સગાઈ કરાવું છું. દેહધારી સાથે સગાઈ નથી. બીજા જે
પણ સંબંધ છે તે દેહ નાં, અહીં નાં સંબંધ છે. આ સમયે તમારે દેહી-અભિમાની બનવાનું છે.
આપણે આત્મા બાપ થી સાંભળીએ છીએ, બુદ્ધિ બાપ તરફ જવી જોઈએ. બાપ આમની બાજુમાં બેસી
આપણને નોલેજ આપે છે. એમણે શરીર ને લોન લીધેલું છે. આત્મા આ શરીર રુપી ઘર માં આવીને
પાર્ટ ભજવે છે. જેમ કે તે પોતાને અંડર-હાઉસ (ઘર ની અંદર) અરેસ્ટ (કેદ) કરી દે છે-પાર્ટ
ભજવવા માટે. છે તો ફ્રી. પરંતુ આમાં પ્રવેશ કરી પોતાને આ ઘર માં બંધ કરી પાર્ટ ભજવે
છે. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે, પાર્ટ ભજવે છે. આ સમયે જે જેટલા દેહી-અભિમાની
રહેશે તેઓ ઊંચ પદ પામશે. બાબા નાં શરીર માં પણ તમારો પ્રેમ ન હોવો જોઈએ, રિંચક
માત્ર પણ નહીં. આ શરીર તો કોઈ કામ નું નથી. હું આ શરીર માં પ્રવેશ કરું છું, ફક્ત
તમને સમજાવવાં માટે. આ છે રાવણ નું રાજ્ય, પારકો દેશ. રાવણ ને બાળે છે પરંતુ સમજતાં
નથી. ચિત્ર વગેરે જે પણ બનાવે છે, તેને જાણતાં નથી. બિલકુલ જ મુઢમતી છે. રાવણ રાજ્ય
માં બધાં મુઢમતી થઈ જાય છે. દેહ-અભિમાન છે ને? તુચ્છ બુદ્ધિ બની ગયાં છે. બાપ કહે
છે મુઢમતી જે હશે તે દેહ ને યાદ કરતા રહેશે, દેહ થી પ્રેમ રાખશે. સ્વચ્છ બુદ્ધિ જે
હશે તે તો પોતાને આત્મા સમજી પરમાત્મા ને યાદ કરી પરમાત્મા થી જ સાંભળતાં રહેશે, આમાં
જ મહેનત છે. આ તો બાપ નો રથ છે. અનેકો ને આમનાં થી પ્રેમ થઇ જાય છે. જેમ હુસેન નો
ઘોડો, એને કેટલો સજાવે છે. હવે મહિમા તો હુસેન ની છે ને? ઘોડા ની તો નથી. જરુર
મનુષ્ય નાં તન માં હુસેન નો આત્મા આવ્યો હશે ને? તેઓ આ વાતો ને નથી સમજતાં. હવે આને
કહેવાય છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. અશ્વ નામ સાંભળીને તેમણે પછી
ઘોડો સમજી લીધું છે, તેને સ્વાહા કરે છે. આ બધી વાર્તાઓ છે ભક્તિ માર્ગ ની. હમણાં
તમને હસીન બનાવવા વાળા મુસાફિર તો આ છે ને?
હવે તમે જાણો છો આપણે
પહેલાં ગોરા હતાં પછી શ્યામ બન્યાં છીએ. જે પણ આત્માઓ પહેલાં-પહેલાં આવે છે તો પહેલાં
સતોપ્રધાન છે પછી સતો, રજો, તમો માં આવે છે. બાપ આવીને બધાને હસીન (સુંદર) બનાવી દે
છે. જે પણ ધર્મ સ્થાપન અર્થ આવે છે, તે બધાં હસીન આત્માઓ હોય છે, પાછળ થી કામ ચિતા
પર બેસી કાળા થઈ જાય છે. પહેલાં સુંદર પછી શ્યામ બને છે. આ નંબરવન માં પહેલાં-પહેલાં
આવે છે તો સૌથી વધારે સુંદર બને છે. આ (લક્ષ્મી-નારાયણ) જેવાં નેચરલ સુંદર તો કોઈ
હોઈ ન શકે. આ જ્ઞાન ની વાત છે. ભલે ક્રિશ્ચન લોકો ભારતવાસીઓ થી સુંદર (ગોરા) છે
કારણકે તે તરફ નાં રહેવા વાળા છે પરંતુ સતયુગ માં તો નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય)
છે. આત્મા અને શરીર બંને સુંદર છે. આ સમયે બધાં પતિત શ્યામ છે પછી બાપ આવીને બધાને
સુંદર બનાવે છે. પહેલાં સતોપ્રધાન પવિત્ર હોય છે પછી ઉતરતાં-ઉતરતાં કામ ચિતા પર બેસી
કાળા થઈ જાય છે. હવે બાપ આવ્યાં છે બધી આત્માઓ ને પવિત્ર બનાવવાં. બાપ ને યાદ કરવાથી
જ તમે પાવન બની જશો. તો યાદ કરવાનાં છે એક ને. દેહધારી થી પ્રીત નથી રાખવાની.
બુદ્ધિમાં આ રહે કે અમે એક બાપ નાં છીએ, એજ સર્વસ્વ છે. આ આંખો થી જોવા વાળા જે પણ
છે, તે બધાં વિનાશ થઈ જશે. આ આંખો પણ ખતમ થઇ જશે. પરમપિતા પરમાત્માને તો ત્રિનેત્રી
કહેવાય છે. એમને જ્ઞાન નું ત્રીજું નેત્ર છે. ત્રિનેત્રી, ત્રિકાળદર્શી,
ત્રિલોકીનાથ આ ટાઈટલ (શીર્ષક) એમને મળ્યાં છે. હમણાં તમને ત્રણે લોકો નું જ્ઞાન છે
પછી આ લોપ થઈ જાય છે, જેમનાં માં જ્ઞાન છે એજ આવીને આપે છે. તમને બાપ ૮૪ જન્મો નું
જ્ઞાન સંભળાવે છે. બાપ કહે છે સ્વયંને આત્મા સમજો. હું આ શરીર માં પ્રવેશ કરી આવ્યો
છું તમને પાવન બનાવવાં. મને યાદ કરવાથી જ પાવન બનશો બીજા કોઈ ને યાદ કર્યા તો
સતોપ્રધાન બની નહીં શકો. પાપ કપાશે નહીં તો કહેશે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
વિનશયન્તી. મનુષ્ય ખૂબ અંધશ્રદ્ધા માં છે. દેહધારીઓમાં જ મોહ રાખે છે. હવે તમારે
દેહી-અભિમાની બનવાનું છે. એક માં જ મોહ રાખવાનો છે. બીજા કોઈ માં મોહ છે તો બાપ થી
વિપરીત બુદ્ધિ છે. બાપ કેટલું સમજાવે છે મુજ બાપ ને જ યાદ કરો, આમાં જ મહેનત છે. તમે
કહો પણ છો અમને પતીતો ને આવીને પાવન બનાવો. બાપ જ પાવન બનાવે છે. આપ બાળકોને ૮૪
જન્મો ની હિસ્ટ્રી-જોગ્રોફી બાપ જ સમજાવે છે. તે તો સહજ છે ને? બાકી યાદ જ ડિફિકલ્ટ
થી ડિફિકલ્ટ (કઠિન માં કઠિન) સબ્જેક્ટ છે. બાપ ની સાથે યોગ રાખવામાં કોઈ પણ હોશિયાર
નથી.
જે બાળકો યાદ માં
હોશિયાર નથી તે જેમ કે પંડિત છે. જ્ઞાન માં ભલે કેટલાં પણ હોશિયાર હોય, યાદ માં નથી
રહેતાં તો તે પંડિત છે. બાબા પંડિત ની એક વાર્તા સંભળાવે છે ને? જેમને સંભળાવી તે
તો પરમાત્મા ને યાદ કરી પાર થઈ ગયાં. પંડિત નું દૃષ્ટાંત પણ તમારાં માટે છે. બાપ ને
તમે યાદ કરો તો પાર થઈ જશો. ફક્ત મોરલી માં હોશિયાર હશો તો પાર જઈ નહીં શકો. યાદ
સિવાય વિકર્મ વિનાશ નહીં થશે. આ બધાં દૃષ્ટાંત બનાવ્યાં છે. બાપ બેસી યથાર્થ રીતે
સમજાવે છે. તેમને નિશ્ચય બેસી ગયો. એક જ વાત પકડી લીધી કે પરમાત્મા ને યાદ કરવાથી
પાર થઇ જઈશું. ફક્ત જ્ઞાન હશે, યોગ નહીં તો ઊંચ પદ મેળવી નહીં શકો. એવાં ઘણાં છે,
યાદ માં નથી રહેતાં, મૂળ વાત છે જ યાદ ની. ખૂબ સારી-સારી સર્વિસ (સેવા) કરવા વાળા
છે, પરંતુ બુદ્ધિયોગ ઠીક નહીં હોય તો ફસાઈ જશે. યોગવાળા ક્યારેય દેહ-અભિમાન માં નહીં
ફસાશે. અશુદ્ધ સંકલ્પ નહીં આવશે. યાદ માં કાચ્ચા હશે તો તોફાન આવશે. યોગ થી
કર્મેન્દ્રિયો એકદમ વશ થઈ જાય છે. બાપ રાઈટ અને રોંગ ને સમજવાની બુદ્ધિ પણ આપે છે.
બીજા નાં દેહ તરફ બુદ્ધિ જવાથી વિપરીત બુદ્ધિ વિનશયન્તી થઇ જશે. જ્ઞાન અલગ છે, યોગ
અલગ છે. યોગ થી હેલ્થ (સ્વાસ્થ્ય), જ્ઞાન થી વેલ્થ (સંપત્તિ) મળે છે. યોગ થી શરીર
નું આયુષ્ય વધે છે, આત્મા તો મોટો-નાનો થતો નથી. આત્મા કહેશે મારાં શરીર ની આયુ મોટી
થાય છે. હમણાં આયુ નાની છે પછી અડધાકલ્પ માટે શરીર ની આયુ મોટી થઈ જશે. આપણે
તમોપ્રધાન થી સતોપ્રધાન બની જઈશું. આત્મા પવિત્ર બને છે, બધો આધાર આત્મા ને પવિત્ર
બનાવવા પર છે. પવિત્ર નહીં બને તો પદ પણ નહીં પામશે.
માયા ચાર્ટ રાખવામાં
બાળકો ને સુસ્ત બનાવી દે છે. બાળકોએ યાદ ની યાત્રા નો ચાર્ટ ખૂબ શોખ થી રાખવો જોઈએ.
જોવું જોઈએ કે અમે બાપ ને યાદ કરીએ છીએ કે બીજા કોઇ મિત્ર-સંબંધી વગેરે તરફ બુદ્ધિ
જાય છે. આખા દિવસ માં યાદ કોની રહી અથવા પ્રીત કોની સાથે રહી, કેટલો સમય વેસ્ટ કર્યો?
પોતાનો ચાર્ટ રાખવો જોઈએ. પરંતુ કોઇનાં માં તાકાત નથી જે ચાર્ટ રેગ્યુલર (નિયમિત)
રાખી શકે. કોઈ વિરલા રાખી શકે છે. માયા પૂરો ચાર્ટ રાખવા નથી દેતી. એકદમ સુસ્ત બનાવી
દે છે. ચુસ્તી નીકળી જાય છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. હું તો બધાં આશિકો નો
માશૂક છું. તો માશૂક ને યાદ કરવા જોઈએ ને? માશૂક બાપ કહે છે તમે અડધોકલ્પ યાદ કર્યા
છે, હવે હું કહું છું મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. આવાં બાપ જે સુખ આપવા
વાળા છે, કેટલાં યાદ કરવાં જોઈએ. બીજા તો બધાં દુઃખ આપવા વાળા છે. તે કોઈ કામ આવવાનાં
નથી. અંત સમયે એક પરમાત્મા બાપ જ કામ આવે છે. અંત નો સમય એક હદ નો હોય છે, એક બેહદ
નો હોય છે.
બાપ સમજાવે છે સારી
રીતે યાદ કરતાં રહેશો તો અકાળે મૃત્યુ નહીં થશે. તમને અમર બનાવી દે છે. પહેલાં તો
બાપ ની સાથે પ્રીત બુદ્ધિ જોઈએ. કોઈનાં પણ શરીર ની સાથે પ્રીત હશે તો પડી જશો. ફેલ
થઈ જશો. ચંદ્રવંશી માં ચાલ્યા જશો. સ્વર્ગ સતયુગી સૂર્યવંશી રાજાઈ ને જ કહેવાય છે.
ત્રેતા ને પણ સ્વર્ગ નહીં કહેશે. જેમ દ્વાપર અને કળયુગ છે તો કળયુગ ને રૌરવ નર્ક,
તમોપ્રધાન કહેવાય છે. દ્વાપર ને એટલું નહીં કહેશે પછી તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા
માટે યાદ જોઈએ. પોતે પણ સમજે છે અમારી ફલાણા થી ખૂબ પ્રીત છે, એનાં આધાર વગર અમારું
કલ્યાણ નહીં થશે. હવે આવી હાલત માં જો મરી જાય તો શું થશે? વિનાશકાળે વિપરીત બુદ્ધિ
વિનશયન્તી. ધુળછાઈ પદ પામી લેશે.
આજકાલ દુનિયામાં ફેશન
ની પણ ખૂબ મોટી મુસીબત છે. પોતાનાં પર આશિક કરવા માટે શરીર ને કેટલું ટીપટોપ કરે
છે. હવે બાપ કહે છે બાળકો કોઈનાં પણ નામ-રુપ માં નહીં ફસાઓ. લક્ષ્મી-નારાયણ નો
ડ્રેસ જુઓ કેવો રોયલ છે. એ છે જ શિવાલય, આને કહેવાય છે વેશ્યાલય. આ દેવતાઓ ની આગળ
જઈને કહે છે અમે વેશ્યાલય નાં રહેવા વાળા છીએ. આજકાલ તો ફેશન ની એવી મુસીબત છે,
બધાની નજર ચાલી જાય છે, પછી પકડીને ભગાવીને લઈ જાય છે. સતયુગ માં તો કાયદેસર ચલન
હોય છે. ત્યાં તો નેચરલ બ્યુટી છે ને ? અંધશ્રદ્ધા ની વાત નથી. અહીં તો જોવાથી દિલ
લાગી જાય છે તો પછી બીજા ધર્મ વાળા થી પણ લગ્ન કરી લે છે. હવે તમારી છે ઈશ્વરીય
બુદ્ધિ, પથ્થર બુદ્ધિ થી પારસબુદ્ધિ બાપ નાં સિવાય કોઈ બનાવી ન શકે. તે છે જ રાવણ
સંપ્રદાય. તમે હવે રામ સંપ્રદાય બન્યાં છો. પાંડવ અને કૌરવ એક જ સંપ્રદાય નાં હતાં,
બાકી યાદવ છે યુરોપવાસી. ગીતા થી કોઈ પણ નથી સમજતાં કે યાદવ યુરોપવાસી છે. તેઓ તો
યાદવ સંપ્રદાય પણ અહી કહી દે છે. બાપ બેસી સમજાવે છે યાદવ છે યુરોપવાસી, જેમણે
પોતાનાં વિનાશ માટે આ મૂશળ વગેરે બનાવ્યાં છે. પાંડવો નો વિજય થાય છે, તેઓ જઈને
સ્વર્ગ નાં માલિક બનશે. પરમાત્મા જ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે. શાસ્ત્રો માં તો
દેખાડ્યું છે પાંડવ ગળીને મર્યા પછી શું થયું? કાંઈ પણ સમજણ નથી. પથ્થર બુદ્ધિ છે
ને? ડ્રામા નાં રહસ્ય ને જરા પણ કોઈ જાણતાં જ નથી. બાબાની પાસે બાળકો આવે છે, કહું
છું ભલે દાગીના વગેરે પહેરો. કહે છે બાબા અહીંયા દાગીના ક્યાં શોભે છે! પતિત આત્મા,
પતિત શરીર ને દાગીનો શું શોભશે! ત્યાં તો આપણે આ દાગીના વગેરે થી સજેલાં રહેશું.
અથાહ ધન હોય છે. બધાં સુખી જ સુખી રહે છે. ભલે ત્યાં અનુભવ થાય છે આ રાજા છે, અમે
પ્રજા છીએ. પરંતુ દુઃખ ની વાત નથી. અહીંયા અનાજ વગેરે નથી મળતું, તો મનુષ્ય દુઃખી
થાય છે. ત્યાં તો બધુંજ મળે છે. દુઃખ શબ્દ મુખ થી નીકળશે નહીં. નામ જ છે સ્વર્ગ.
યુરોપિયન લોકો તેને પેરેડાઇઝ (વૈકુંઠ) કહે છે. સમજે છે ત્યાં ગોડ-ગોડેજ (ભગવાન-ભગવતી)
રહેતા હતાં એટલે તેમનાં ચિત્રો પણ ખૂબ ખરીદી કરે છે. પરંતુ તે સ્વર્ગ પછી ક્યાં ગયું
- આ કોઈને ખબર નથી. તમે હવે જાણો છો આ ચક્ર કેવી રીતે ફરે છે. નવાં થી જૂની, જૂનાં
થી પછી નવી દુનિયા બને છે. દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. તમે દેહી-અભિમાની
બનવાથી આ અનેક બીમારીઓ વગેરે થી છૂટી શકશો. બાપ ને યાદ કરવાથી ઊંચ પદ પામી લેશો.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
દેહધારી ને પોતાનો આધાર નથી બનાવવાનાં. શરીરો થી પ્રીત નથી રાખવાની. દિલ ની પ્રીત
એક બાપ થી રાખવાની છે. કોઈનાં નામ-રુપ માં નથી ફસાવાનું.
2. યાદ નો ચાર્ટ શોખ
થી રાખવાનો છે, એમાં સુસ્ત નથી બનવાનું. ચાર્ટ માં જોવાનું છે-મારી બુદ્ધિ કોની તરફ
જાય છે? કેટલો સમય વેસ્ટ કરીએ છીએ? સુખ આપવા વાળા બાપ કેટલો સમય યાદ રહે છે?
વરદાન :-
ગૃહસ્થ
વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર બંને ની સમાનતા દ્વારા સદા હલ્કા અને સફળ ભવ
બધા બાળકોને શરીર
નિર્વાહ અને આત્મ નિર્વાહ ની ડબલ સેવા મળેલી છે પરંતુ બંને ની સેવાઓ માં સમય નું,
શક્તિઓ નું સમાન અટેન્શન જોઈએ. જો શ્રીમત નો કાંટો ઠીક છે તો બંને સાઈડ સમાન હશે
પરંતુ ગૃહસ્થ શબ્દ બોલતા જ ગૃહસ્થી બની જાઓ છો તો બહાનાબાજી શરુ થઈ જાય છે એટલે
ગૃહસ્થી નહીં ટ્રસ્ટી છે આ સ્મૃતિ થી ગ્રહસ્થ વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર બંને માં
સમાનતા રાખો તો સદા હલકા અને સફળ રહેશો.
સ્લોગન :-
ફર્સ્ટ
ડિવિઝનમાં આવવા માટે કર્મેન્દ્રિય જીત, માયાજીત બનો.
અવ્યક્ત ઇશારે - “
કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
તમારું શિવ શક્તિ
કમ્બાઇન્ડ રુપ નું યાદગાર સદા પૂજાય છે. શક્તિ શિવ થી અલગ નહીં, શિવ શક્તિ થી અલગ
નહીં. એવી રીતે કમ્બાઇન્ડ રુપ માં રહો. આ સ્વરુપને જ સહજયોગી કહેવાય છે. યોગ લગાવવા
વાળા નહીં પરંતુ સદા કમ્બાઇન્ડ અર્થાત્ સાથે રહેવા વાળા. જે વાયદો છે કે સાથે રહેશું,
સાથે જીવીશું, સાથે ચાલીશું… આ વાયદો પાક્કો યાદ રાખો.