29-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
તમારો બહુ જ અમૂલ્ય જન્મ છે , આ જન્મ માં તમારે મનુષ્ય થી દેવતા બનવા માટે પાવન
બનવાનો પુરુષાર્થ કરવાનો છે”
પ્રશ્ન :-
ઈશ્વરીય સંતાન કહેવાવા વાળા બાળકો ની મુખ્ય ધારણા કઈ હશે?
ઉત્તર :-
તેઓ પરસ્પર બહુજ-બહુજ ક્ષીરખંડ થઈને રહેશે. ક્યારેય લુણપાણી નહીં થશે. જે
દેહ-અભિમાની મનુષ્ય છે તે ઉલ્ટું-સુલ્ટું બોલે, લડે ઝઘડે છે. આપ બાળકો માં તે આદત ન
હોઈ શકે. અહીં તમારે દૈવી ગુણ ધારણ કરવાના છે, કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવાની છે.
ઓમ શાંતિ!
પહેલાં-પહેલાં
બાપ બાળકોને કહે છે દેહી-અભિમાની ભવ. સ્વયં ને આત્મા સમજો. ગીતા વગેરે માં ભલે કાંઈ
પણ છે પરંતુ તે બધા છે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર. બાપ કહે છે હું જ્ઞાન નો સાગર છું.
આપ બાળકોને જ્ઞાન સંભળાવું છું. કયું જ્ઞાન સંભળાવે છે? સૃષ્ટિ નું અથવા ડ્રામા નાં
આદિ-મધ્ય-અંત ની નોલેજ સંભળાવે છે. આ છે ભણતર. હિસ્ટ્રી અને જોગ્રોફી છે ને?
ભક્તિમાર્ગ માં કોઈ હિસ્ટ્રી-જોગ્રોફી નથી ભણતાં. નામ પણ નહીં લેશે. સાધુ-સંત વગેરે
બેસી શાસ્ત્ર વાંચે છે. આ બાપ તો કોઈ શાસ્ત્ર વાંચીને નથી સંભળાવતાં. તમને આ ભણતર
થી મનુષ્ય થી દેવતા બનાવે છે. તમે આવો છો જ મનુષ્ય થી દેવતા બનવાં. છે તે પણ મનુષ્ય,
આ પણ મનુષ્ય. પરંતુ આ બાપ ને બોલાવે છે કે હે પતિત-પાવન, આવો. આ તો જાણો છો દેવતાઓ
પાવન છે. બાકી તો બધા અપવિત્ર મનુષ્ય છે, તે દેવતાઓ ને નમન કરે છે. તેમને પાવન,
પોતાને પતિત સમજે છે. પરંતુ દેવતાઓ પાવન કેવી રીતે બન્યાં, કોણે બનાવ્યાં - આ કોઈ
મનુષ્ય માત્ર નથી જાણતાં. તો બાપ સમજાવે છે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવા-આમાં
જ મહેનત છે. દેહ-અભિમાન ન હોવું જોઈએ. આત્મા અવિનાશી છે, સંસ્કાર પણ આત્મા માં રહે
છે. આત્મા જ સારા કે ખરાબ સંસ્કાર લઈ જાય છે એટલે હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો.
પોતાના આત્મા ને પણ કોઈ જાણતા નથી. જ્યારે રાવણ રાજ્ય શરુ થાય છે તો અંધકાર માર્ગ
શરુ થાય છે. દેહ-અભિમાની બની જાય છે.
બાપ સમજાવે છે કે આપ
બાળકો અહીં કોની પાસે આવ્યાં છો? આમની પાસે નહીં. મેં આમના માં પ્રવેશ કર્યો છે.
આમનાં અનેક જન્મો નાં અંત નો આ પતિત જન્મ છે. અનેક જન્મ કયા? તે પણ બતાવ્યું,
અડધોકલ્પ છે પવિત્ર જન્મ, અડધોકલ્પ છે પતિત જન્મ. તો આ પણ પતિત થઈ ગયાં. બ્રહ્મા
પોતાને દેવતા કે ઈશ્વર નથી કહેતાં. મનુષ્ય સમજે છે પ્રજાપિતા બ્રહ્મા દેવતા હતાં
ત્યારે કહે છે બ્રહ્મા દેવતાય નમઃ. બાપ સમજાવે છે બ્રહ્મા જે પતિત હતાં, અનેક જન્મો
નાં અંત માં તે પછી પાવન બની દેવતા બને છે. તમે છો બી.કે. તમે પણ બ્રાહ્મણ, આ
બ્રહ્મા પણ બ્રાહ્મણ. આમને દેવતા કોણ કહે છે? બ્રહ્મા ને બ્રાહ્મણ કહેવાય છે નહીં
કે દેવતા. આ જ્યારે પવિત્ર બને છે તો પણ બ્રહ્મા ને દેવતા નહીં કહેવાશે. જ્યાં સુધી
વિષ્ણુ (લક્ષ્મી-નારાયણ) ન બને ત્યાં સુધી દેવતા નહીં કહેવાશે. તમે
બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છો. તમને પહેલાં-પહેલાં શુદ્ર થી બ્રાહ્મણ, બ્રાહ્મણ થી દેવતા
બનાવું છું. આ તમારો અમૂલ્ય હીરા જેવો જન્મ કહેવાય છે. ભલે કર્મભોગ તો હોય જ છે. તો
હવે બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરતા રહો. આ પ્રેક્ટિસ હશે
ત્યારે જ વિકર્મ વિનાશ થશે. દેહધારી સમજ્યા તો વિકર્મ વિનાશ નહીં થશે. આત્મા
બ્રાહ્મણ નથી, શરીર સાથે છે ત્યારે જ બ્રાહ્મણ પછી દેવતા… શુદ્ર વગેરે બને છે. તો
હમણાં બાપ ને યાદ કરવાની મહેનત છે. સહજયોગ પણ છે. બાપ કહે છે સહજ થી સહજ પણ છે.
કોઈ-કોઈ ને પછી ડિફિકલ્ટ (મૂશ્કેલ) પણ ખૂબ લાગે છે. ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવીને
બાપ ને ભૂલી જાય છે. સમય તો લાગે છે ને દેહી-અભિમાની બનવામાં? એવું થઈ ન શકે કે હમણાં
તમે એકરસ થઈ જાઓ અને બાપ ની યાદ સ્થાઈ રહી જાય. ના. કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરી લો
પછી તો શરીર પણ રહી ન શકે. પવિત્ર આત્મા હલ્કો થઈ એકદમ શરીર ને છોડી દે. પવિત્ર
આત્મા ની સાથે અપવિત્ર શરીર રહી ન શકે. એવું નથી કે આ દાદા કોઈ પાર પહોંચી ગયા છે.
આ પણ કહે છે-યાદ ની ખૂબ મહેનત છે. દેહ-અભિમાન માં આવવા થી ઉલ્ટું-સુલ્ટું બોલવાનું,
લડવાનું, ઝઘડવાનું વગેરે ચાલે છે. આપણે બધા આત્માઓ ભાઈ-ભાઈ છીએ પછી આત્મા ને કાંઈ
નહીં થશે. દેહ-અભિમાન થી જ ગડબડ થાય છે. હવે આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે.
જેમ દેવતાઓ ક્ષીરખંડ છે એમ તમારે પણ પરસ્પર બહુ જ ક્ષીરખંડ થઈને રહેવું જોઈએ. તમારે
ક્યારેય લુણ-પાણી નથી થવાનું. જે દેહ-અભિમાની મનુષ્ય છે તે ઉલ્ટું-સુલ્ટું બોલે,
લડે-ઝઘડે છે. આપ બાળકો માં તે આદત ન હોઈ શકે. અહીં તો તમારે દેવતા બનવા માટે
દૈવીગુણ ધારણ કરવાના છે. કર્માતીત અવસ્થા મેળવવાની છે. જાણો છો આ શરીર, આ દુનિયા
જૂની તમોપ્રધાન છે. જૂની વસ્તુ થી, જૂનાં સંબંધ થી નફરત કરવી પડે છે. દેહ-અભિમાન ની
વાતો ને છોડી સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે તો પાપ વિનાશ થશે. ઘણાં
બાળકો યાદ માં ફેલ (નપાસ) થાય છે. જ્ઞાન સમજાવવા માં ખૂબ આગળ જાય છે પરંતુ યાદ ની
મહેનત ખૂબ ઊંચી છે. ઊંચી પરીક્ષા છે. અડધાકલ્પ નાં જૂનાં ભક્ત જ સમજી શકે છે. ભક્તિ
માં જે પાછળ થી આવ્યાં છે તે એટલું સમજી નહીં શકે.
બાપ આ શરીર માં આવીને
કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી આવું છું. મારો ડ્રામા માં પાર્ટ છે અને હું એક જ
વાર આવું છું. આ એ જ સંગમયુગ છે. લડાઈ પણ સામે છે. આ ડ્રામા છે જ ૫ હજાર વર્ષ નો.
કળિયુગ ની આયુ હજી ૪૦ હજાર વર્ષ વધારે હોય તો ખબર નહીં શું થઈ જાય. તેઓ તો કહે છે
ભલે ભગવાન પણ આવી જાય તો પણ અમે શાસ્ત્રો નો માર્ગ નહીં છોડીએ. આ પણ ખબર નથી કે ૪૦
હજાર વર્ષ પછી કયા ભગવાન આવશે. કોઈ સમજે કૃષ્ણ ભગવાન આવશે. થોડું આગળ ચાલી તમારું
નામ પ્રસિદ્ધ થશે. પરંતુ તે અવસ્થા હોવી જોઈએ. પરસ્પર ખૂબ-ખૂબ પ્રેમ હોવો જોઈએ. તમે
ઈશ્વરીય સંતાન છો ને? તમે ખુદાઈ ખિદ્દમતગાર ગવાયેલા છો. કહો છો અમે બાબા નાં મદદગાર
છીએ પતિત ભારત ને પાવન બનાવવાં. બાબા કલ્પ-કલ્પ અમે આત્મ-અભિમાની બની તમારી શ્રીમત
પર યોગબળ થી પોતાનાં વિકર્મ વિનાશ કરીએ છીએ. યોગબળ છે સાઈલેન્સ (શાંતિ) બળ.
સાઈલેન્સ બળ અને સાયન્સ (વિજ્ઞાન) બળ માં રાત-દિવસ નો ફરક છે. આગળ ચાલીને તમને ખૂબ
સાક્ષાત્કાર થતા રહેશે. શરુઆત માં કેટલાં બાળકોએ સાક્ષાત્કાર કર્યા, પાર્ટ ભજવ્યાં.
આજે તે નથી. માયા ખાઈ ગઈ. યોગ માં ન રહેવાથી માયા ખાઈ જાય છે. જ્યારે બાળકો જાણે છે
ભગવાન આપણને ભણાવે છે તો પછી કાયદેસર ભણવું જોઈએ. નહીં તો બહુજ-બહુજ ઓછું પદ મેળવશે.
સજાઓ પણ ખૂબ ખાશે. ગાય પણ છે ને - જન્મ-જન્માતર નો પાપી છું. ત્યાં (સતયુગ માં) તો
રાવણ નું રાજ્ય જ નથી તો વિકાર નું નામ પણ કેવી રીતે હોઈ શકે છે? તે છે જ સંપૂર્ણ
નિર્વિકારી રાજ્ય. તે રામ રાજ્ય, આ છે રાવણ રાજ્ય. આ સમયે બધા તમોપ્રધાન છે. દરેક
બાળકે પોતાની સ્થિતિ ની તપાસ કરવી જોઈએ કે અમે બાપ ની યાદ માં કેટલો સમય રહી શકીએ
છીએ? દૈવીગુણ ક્યાં સુધી ધારણ કર્યા છે? મુખ્ય વાત, અંદર જોવાનું છે અમારા માં કોઈ
અવગુણ તો નથી? અમારું ખાવા-પીવાનું કેવું છે? આખાં દિવસ માં કોઈ ફાલતું વાત કે
જુઠ્ઠું તો નથી બોલતાં? શરીર નિર્વાહ અર્થ પણ જુઠ્ઠું વગેરે બોલવું પડે છે ને? પછી
મનુષ્ય ધર્માઉ કાઢે છે તો પાપ હલ્કું થઈ જાય. સારા કર્મ કરે છે તો તેનું પણ રિટર્ન
(વળતર) મળે છે. કોઈએ હોસ્પિટલ બનાવડાવી તો આવતાં જન્મ માં સારી હેલ્થ (સ્વાસ્થ્ય)
મળશે. કોલેજ બનાવડાવી તો સારું ભણશે. પરંતુ પાપ નું પ્રાયશ્ચિત શું છે? તેનાં માટે
પછી ગંગાસ્નાન કરવા જાય છે. બાકી જે ધન દાન કરે છે તો તેનું બીજા જન્મ માં મળી જાય
છે. તેમાં પાપ કપાવાની વાત નથી રહેતી. તે હોય છે ધન ની લેન-દેન, ઈશ્વર અર્થ આપ્યું,
ઈશ્વરે અલ્પકાળ માટે આપી દીધું. અહીં તો તમારે પાવન બનવાનું છે બાપ ની યાદ સિવાય
બીજો કોઈ ઉપાય નથી. પાવન પછી પતિત દુનિયા માં થોડી રહેશે? તેઓ ઈશ્વર અર્થ કરે છે
ઇનડાયરેક્ટ (પરોક્ષ). હમણાં તો ઈશ્વર કહે છે-હું સન્મુખ આવ્યો છું પાવન બનાવવાં.
હું તો દાતા છું, મને તમે આપો છો તો હું રિટર્ન માં આપું છું. હું થોડી પોતાની પાસે
રાખીશ? આપ બાળકો માટે જ મકાન વગેરે બનાવ્યાં છે. સંન્યાસી લોકો તો પોતાની માટે
મોટા-મોટા મહેલ વગેરે બનાવે છે. અહીં શિવબાબા પોતાની માટે તો કાંઈ નથી બનાવતાં. કહે
છે આનું રિટર્ન તમને ૨૧ જન્મો માટે નવી દુનિયામાં મળશે કારણકે તમે સન્મુખ લેન-દેન
કરો છો. પૈસા જે આપો છો તે તમને જ કામ લાગે છે. ભક્તિમાર્ગ માં પણ દાતા છું તો હમણાં
પણ દાતા છું. તે છે ઇનડાયરેક્ટ, આ છે ડાયરેક્ટ. બાબા તો કહી દે છે જે કાંઈ છે તેનાથી
જઈને સેવાકેન્દ્ર ખોલો. બીજાઓ નું કલ્યાણ કરો. હું પણ તો સેવાકેન્દ્ર ખોલું છું ને?
બાળકો નું આપેલું છે, બાળકો ને જ મદદ કરું છું. હું થોડી પોતાની સાથે પૈસા લઈ આવું
છું? હું તો આવીને આમનાં માં પ્રવેશ કરું છું, આમનાં દ્વારા કર્તવ્ય કરાવું છું.
મારે તો સ્વર્ગ માં આવવાનું નથી. આ બધું જ તમારા માટે છે, હું તો અભોક્તા છું. કાંઈ
પણ નથી લેતો. એવું પણ નથી કહેતો કે પગે પડો. હું તો આપ બાળકો નો મોસ્ટ ઓબીડિયન્ટ
સર્વેન્ટ (આજ્ઞાકારી સેવક) છું. આ પણ તમે જાણો છો એ જ, માતા-પિતા, બંધુ-સખા… બધું જ
છે. તે પણ નિરાકાર છે. તમે કોઈ ગુરુ ને ક્યારેય ત્વમેવ માતા-પિતા નહીં કહેશો. ગુરુ
ને ગુરુ, શિક્ષક ને શિક્ષક કહેવાશે. આમને માતા-પિતા કહો છો. બાપ કહે છે હું
કલ્પ-કલ્પ એક જ વાર આવું છું. તમે જ ૧૨ મહિના પછી જયંતિ મનાવો છો. પરંતુ શિવબાબા
ક્યારે આવ્યાં, શું કર્યુ, આ કોઈને પણ ખબર નથી. બ્રહ્મા-વિષ્ણુ-શંકર નાં પણ
ઓક્યુપેશન (કર્તવ્ય) ની ખબર નથી કારણકે ઉપર થી શિવ નું ચિત્ર ઉડાવી દીધું છે. નહીં
તો શિવબાબા કરન-કરાવનહાર છે. બ્રહ્મા દ્વારા કરાવે છે. આ પણ આપ બાળકો જાણો છો, કેવી
રીતે આવીને પ્રવેશ કરી અને કરીને દેખાડે છે. એટલે પોતે કહે છે તમે પણ આમ કરો. એક તો
સારી રીતે ભણો. બાપ ને યાદ કરો, દૈવીગુણ ધારણ કરો. જેમ આમનો આત્મા કહે છે. આ પણ કહે
છે હું બાબા ને યાદ કરું છું. બાબા પણ જાણે સાથે છે. તમારી બુદ્ધિ માં છે આપણે નવી
દુનિયા નાં માલિક બનવાના છીએ. તો ચાલ-ચલન, ખાવા-પીવા નું વગેરે બધું બદલાવાનું છે.
વિકારો ને છોડવાના છે. સુધરવાનું તો છે. જેમ-જેમ સુધારશો પછી શરીર છોડશો તો ઊંચ કુળ
માં જન્મ લેશો. નંબરવાર કુળ નાં પણ હોય છે. અહીં પણ ખૂબ સારા-સારા કુળ હોય છે. ૪-૫
ભાઈ બધા પરસ્પર સાથે રહે છે, કોઈ ઝઘડા વગેરે નથી થતાં. હમણાં આપ બાળકો જાણો છો આપણે
અમરલોક માં જઈએ છીએ, જ્યાં કાળ નથી ખાતો. ડર ની કોઈ વાત નથી. અહીં તો દિવસે-દિવસે
ડર વધતો જશે. બહાર નીકળી નહીં શકો. આ પણ જાણો છો આ ભણતર કોટો માં કોઈ જ ભણશે. કોઈ
તો સારી રીતે સમજે છે, લખે પણ છે ખૂબ સારા છે. એવાં બાળકો પણ આવશે જરુર. રાજધાની તો
સ્થાપન થવાની છે ને? બાકી થોડો સમય બચ્યો છે.
બાપ એ પુરુષાર્થી
બાળકો ની બહુજ-બહુજ મહિમા કરે છે જે યાદ ની યાત્રા માં આગળ દોડ લગાવવા વાળા છે.
મુખ્ય છે યાદ ની વાત. આનાં થી જૂનાં હિસાબ-કિતાબ ચૂક્તું થાય છે. કોઈ-કોઈ બાળકો બાબા
ને લખે છે - બાબા, હું આટલાં કલાક રોજ યાદ કરું છું તો બાબા પણ સમજે છે આ ખૂબ
પુરુષાર્થી છે. પુરુષાર્થ તો કરવાનો છે ને એટલે બાપ કહે છે પરસ્પર ક્યારેય પણ
લડવું-ઝઘડવું ન જોઈએ. આ તો જાનવરો નું કામ છે. લડવું-ઝઘડવું આ છે દેહ-અભિમાન. બાપ
નું નામ બદનામ કરી દેશો. બાપ માટે જ કહેવાય છે સદ્દગુરુ નાં નિંદક ઠોર ન મેળવે.
સાધુઓ એ પછી પોતાનાં માટે કહી દીધું છે. તો માતાઓ તેમનાં થી બહુ જ ડરે છે કે કોઈ
શ્રાપ ન લાગી જાય. હવે તમે જાણો છો આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ.
સાચ્ચી-સાચ્ચી અમરકથા સાંભળી રહ્યાં છીએ. કહો છો અમે આ પાઠશાળા માં આવીએ છીએ શ્રી
લક્ષ્મી-નારાયણ નું પદ મેળવવા માટે બીજે ક્યાંય એવું કહેતાં નથી. હવે આપણે જઈએ છીએ
પોતાનાં ઘરે. આમાં યાદ નો પુરુષાર્થ જ મુખ્ય છે. અડધોકલ્પ યાદ નથી કર્યાં. હવે એક જ
જન્મ માં યાદ કરવાના છે. આ છે મહેનત. યાદ કરવાના છે, દૈવીગુણ ધારણ કરવાના છે, કોઈ
પાપ કર્મ કર્યુ તો સો-ગુણા દંડ પડી જશે. પુરુષાર્થ કરવાનો છે, પોતાની ઉન્નતિ કરવાની
છે. આત્મા જ શરીર દ્વારા ભણીને બેરિસ્ટર કે સર્જન વગેરે બને છે ને? આ
લક્ષ્મી-નારાયણ પદ તો ખૂબ ઊંચું છે ને? આગળ ચાલી તમને સાક્ષાત્કાર ખૂબ થશે. તમે છો
સર્વોત્તમ બ્રાહ્મણ કુળ ભૂષણ, સ્વદર્શન ચક્રધારી. કલ્પ પહેલાં પણ આ જ્ઞાન તમને
સંભળાવ્યું હતું. ફરી તમને સંભળાવું છું. તમે સાંભળીને પદ મેળવો છો. પછી આ જ્ઞાન
પ્રાયઃ લોપ થઈ જાય છે. બાકી આ શાસ્ત્ર વગેરે બધા છે ભક્તિમાર્ગ નાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર પોતાની
તપાસ કરવાની છે - અમે બાપની યાદ માં કેટલો સમય રહીએ છીએ? દૈવી ગુણ ક્યાં સુધી ધારણ
કર્યા છે? અમારા માં કોઈ અવગુણ તો નથી? અમારું ખાવા-પીવાનું, ચાલ-ચલન રોયલ છે? ફાલતુ
વાતો નથી કરતાં? જુઠ્ઠું તો નથી બોલતાં?
2. યાદ નો ચાર્ટ
વધારવા માટે અભ્યાસ કરવાનો છે - આપણે બધા આત્માઓ ભાઈ-ભાઈ છીએ. દેહ-અભિમાન થી દૂર
રહેવાનું છે. પોતાની એકરસ સ્થિતિ જમાવવાની છે, એનાં માટે સમય આપવાનો છે.
વરદાન :-
પાંચ તત્વો અને
પાંચ વિકારો ને પોતાનાં સેવાધારી બનાવવા વાળા માયાજીત સ્વરાજ્ય અધિકારી ભવ
જેવી રીતે સતયુગ માં
વિશ્વ મહારાજા તથા વિશ્વ મહારાણી નાં રાજાઈ ડ્રેસ ને પાછળ થી દાસ-દાસીઓ ઉઠાવે છે,
એવી રીતે સંગમયુગ પર આપ બાળકો જ્યારે માયાજીત સ્વરાજ્ય અધિકારી બની ટાઈટલ્સ રુપી
ડ્રેસ થી શૃંગારેલા રહેશો તો આ પ તત્વ અને પ વિકાર તમારા ડ્રેસ ને પાછળ થી ઉઠાવશે
અર્થાત્ અધિન થઈને ચાલશે. એનાં માટે દૃઢ સંકલ્પ નાં બેલ્ટ થી ટાઈટલ્સ નાં ડ્રેસ ને
ટાઈટ કરો, ભિન્ન-ભિન્ન ડ્રેસ અને શૃંગાર નાં સેટ થી સજી-ધજી ને રહો તો આ વિકાર તથા
તત્વ પરિવર્તન થઈ સહયોગી સેવાધારી બની જશે.
સ્લોગન :-
જે ગુણો તથા
શક્તિઓ નું વર્ણન કરો છો એનાં અનુભવો માં ખોવાઈ જાઓ. અનુભવ જ સૌથી મોટી ઓથોરિટી છે.
અવ્યક્ત ઇશારા -
“કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
સ્વયં ને બાપ ની સાથે
કમ્બાઈન્ડ સમજવા થી વિનાશી સાથી બનાવવાનો સંકલ્પ સમાપ્ત થઈ જશે કારણકે સર્વશક્તિમાન્
સાથી છે. જેવી રીતે સૂર્ય ની આગળ અંધકાર રહી નથી શકતો તેવી રીતે સર્વશક્તિમાન્ ની
આગળ માયા નાં કોઈ પણ વ્યર્થ સંકલ્પ રહી નથી શકતા. કોઈ પણ દુશ્મન વાર કરતા પહેલાં
એકલા બનાવે છે, એટલે ક્યારેય એકલા ન બનો.