29-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
શરીર ની વેલ્યુ ( કિંમત ) ત્યારે છે જ્યારે આમાં આત્મા પ્રવેશ કરે , પરંતુ સજાવટ
શરીર ની થાય છે , આત્માની નહીં”
પ્રશ્ન :-
આપ બાળકો ની ફરજ શું છે? તમારે કઈ સેવા કરવાની છે?
ઉત્તર :-
તમારી ફરજ છે - પોતાનાં હમજીન્સ ને નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાની યુક્તિ
બતાવવાની. તમારે હવે ભારત ની સાચ્ચી રુહાની સેવા કરવાની છે. તમને જ્ઞાન નું ત્રીજું
નેત્ર મળ્યું છે તો તમારી બુદ્ધિ અને ચલન ખૂબ રિફાઈન (શુદ્ધ) હોવાં જોઈએ. કોઈ માં
મોહ જરા પણ ન હોય.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ…
ઓમ શાંતિ!
ડબલ શાંતિ. આપ
બાળકોએ રેસપોન્ડ (પ્રતિઉત્તર) કરવો જોઈએ ઓમ્ શાંતિ. આપણો સ્વધર્મ છે શાંતિ. તમે હવે
શાંતિ માટે થોડી ક્યાંય જશો? મનુષ્ય મન ની શાંતિ માટે સાધુ-સંતો ની પાસે પણ જાય છે
ને? હવે મન-બુદ્ધિ તો છે આત્મા નાં ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો). જેમ આ શરીર નાં
ઓર્ગન્સ છે તેમ મન, બુદ્ધિ અને ચક્ષુ. હવે ચક્ષુ જેમ આ નયન છે, તેમ તે નથી. કહે
છે-હે પ્રભુ, નયનહીન ને રાહ બતાવો. હવે પ્રભુ અથવા ઈશ્વર કહેવાથી એ બાપ નો પ્રેમ નથી
આવતો. બાપ પાસે થી તો બાળકો ને વારસો મળે છે. અહીં તમે બાપ ની સામે બેઠાં છો. ભણો
પણ છો. તમને કોણ ભણાવે છે? તમે એવું નહીં કહેશો કે પરમાત્મા અથવા પ્રભુ ભણાવે છે.
તમે કહેશો શિવબાબા ભણાવે છે. બાબા શબ્દ તો બિલકુલ સિમ્પલ (સરળ) છે. છે પણ બાપદાદા.
આત્મા ને આત્મા જ કહેવાય છે, તેમ એ પરમ આત્મા છે. એ કહે છે હું પરમ આત્મા એટલે
પરમાત્મા તમારો બાપ છું. પછી મુજ પરમ આત્મા નું ડ્રામા અનુસાર નામ રાખેલું છે શિવ.
ડ્રામા માં બધાનું નામ પણ જોઈએ ને? શિવ નું મંદિર પણ છે. ભક્તિમાર્ગ વાળાઓએ તો એક
નાં બદલે અનેક નામ રાખી દીધાં છે. અને પછી અનેકાનેક મંદિર બનાવતા રહે છે. વસ્તુ એક
જ છે. સોમનાથ નું મંદિર કેટલું મોટું છે, કેટલું શણગારે છે. મહેલો વગેરે ની પણ કેટલી
સજાવટ રાખે છે. આત્મા ની તો કોઈ સજાવટ નથી, તેમ પરમ આત્મા ની પણ સજાવટ નથી. એ તો
બિંદુ છે. બાકી જે પણ સજાવટ છે, તે શરીરો ની છે. બાપ કહે છે-નથી મારી સજાવટ, નથી
આત્માઓ ની સજાવટ. આત્મા છે જ બિંદુ. આટલું નાનું બિંદુ તો કાંઈ પાર્ટ ભજવી ન શકે. એ
નાનો આત્મા શરીર માં પ્રવેશ કરે છે તો શરીર ની કેટલાં પ્રકાર ની સજાવટ થાય છે.
મનુષ્યો નાં કેટલાં નામ છે. કિંગ-ક્વિન (રાજા-રાણી) ની સજાવટ કેવી થાય છે, આત્મા તો
સિમ્પલ બિંદુ છે. હમણાં આપ બાળકો એ આ પણ સમજ્યું છે. આત્મા જ જ્ઞાન ધારણ કરે છે.
બાપ કહે છે મારા માં પણ જ્ઞાન છે ને? શરીર માં થોડી જ્ઞાન હોય છે? મુજ આત્મા માં
જ્ઞાન છે, મારે આ શરીર લેવું પડે છે તમને સંભળાવવા માટે. શરીર વગર તો તમે સાંભળી ન
શકો. હવે આ ગીત બનાવ્યું છે, નયનહીન ને રાહ બતાવો… શું શરીર ને રાહ બતાવાની છે? ના.
આત્મા ને. આત્મા જ પોકારે છે. શરીર ને તો બે નેત્ર છે. ત્રણ તો હોઈ ન શકે. ત્રીજા
નેત્ર નું અહીં (મસ્તક માં) તિલક પણ કરે છે. કોઈ ફક્ત બિંદુ જેવું કરે છે, કોઈ લીટી
દોરે છે. બિંદુ તો છે આત્મા. બાકી જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે છે. આત્મા ને પહેલાં
આ જ્ઞાન નું ત્રીજું નેત્ર નહોતું. કોઈ પણ મનુષ્ય માત્ર ને આ જ્ઞાન નથી, એટલે જ્ઞાન
નેત્રહીન કહેવાય છે. બાકી આ આંખો તો બધાને છે. આખી દુનિયા માં કોઈ ને આ ત્રીજું
નેત્ર નથી. તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુળ નાં. તમે જાણો છો ભક્તિ માર્ગ અને જ્ઞાન
માર્ગ માં કેટલો ફરક છે? તમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણીને ચક્રવર્તી
રાજા બનો છો. જેમ આઈ.સી.એસ. વાળા પણ ખૂબ ઊંચું પદ મેળવે છે. પરંતુ અહીં કોઈ ભણતર થી
એમ.પી .વગેરે નથી બનતાં. અહીં તો ચુંટણી થાય છે, વોટ્સ પર એમ.પી. વગેરે બને છે. હમણાં
આપ આત્માઓ ને બાપ ની શ્રીમત મળે છે. બીજા કોઈ પણ એવું નહીં કહેશે કે અમે આત્મા ને
મત આપીએ છીએ. તે તો બધા છે દેહ-અભિમાની. બાપ જ આવીને દેહી-અભિમાની બનવાનું શીખવાડે
છે. બધા છે દેહ-અભિમાની. મનુષ્ય શરીર નો કેટલો ભપકો રાખે છે. અહીં તો બાપ આત્માઓ ને
જ જુએ છે. શરીર તો વિનાશી, વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) છે. જનાવરો ની તો છતાં પણ
ખાલ (ચામડી) વગેરે વેચાય છે. મનુષ્ય નું શરીર તો કોઈ કામ માં નથી આવતું. હવે બાપ
આવીને વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનાવે છે.
આપ બાળકો જાણો છો કે
હમણાં હમ સો દેવતા બની રહ્યાં છીએ તો આ નશો ચઢેલો રહેવો જોઈએ. પરંતુ આ નશો પણ
નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે. ધન નો પણ નશો હોય છે ને? હમણાં આપ બાળકો ખૂબ
ધનવાન બનો છો. તમારી ખૂબ કમાણી થઈ રહી છે. તમારી મહિમા પણ અનેક પ્રકાર ની છે. તમે
ફૂલો નો બગીચો બનાવો છો. સતયુગ ને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ (ફૂલોનો બગીચો). એનું
સેપલિંગ (કલમ) ક્યારે લાગે છે-આ પણ કોઈને ખબર નથી. તમને બાપ સમજાવે છે. બોલાવે પણ
છે-હે બાગવાન આવો. એમને માળી નહીં કહેવાશે. માળી આપ બાળકો છો જે સેવાકેન્દ્ર સંભાળો
છો. માળી અનેક પ્રકાર નાં હોય છે. બાગવાન એક જ છે. મુગલ ગાર્ડન નાં માળી ને પગાર પણ
એટલો વધારે મળતો હશે ને? બગીચો એવો સુંદર બનાવે છે જે બધા જોવા આવે છે. મુગલ લોકો
ખૂબ શોખીન રહેતાં હતાં, તેમની સ્ત્રી મરી તો તાજમહેલ બનાવ્યો. તેમનું નામ ચાલ્યું
આવે છે. કેટલાં સારા-સારા યાદગાર બનાવ્યાં છે. તો બાપ સમજાવે છે, મનુષ્ય ની કેટલી
મહિમા થાય છે. મનુષ્ય તો મનુષ્ય જ છે. લડાઈ માં અસંખ્ય મનુષ્ય મરે છે પછી શું કરે
છે. ઘાસલેટ, પેટ્રોલ નાખી ખલાસ કરી દે છે. કોઈ તો એમ જ પડ્યા રહે છે. દાટે થોડી છે?
કાંઈ પણ માન નથી. તો હમણાં આપ બાળકો ને કેટલો નારાયણી નશો ચઢવો જોઈએ! આ છે વિશ્વનાં
માલિકપણા નો નશો. સત્યનારાયણ ની કથા છે તો જરુર નારાયણ જ બનશે. આત્મા ને જ્ઞાન નું
ત્રીજું નેત્ર મળે છે. આપવા વાળા છે બાપ. તીજરી ની કથા પણ છે. આ બધાનો અર્થ બાપ
બેસીને સમજાવે છે. કથા સંભળાવવા વાળા કાંઈ પણ નથી જાણતાં. અમરકથા પણ સંભળાવે છે. હવે
અમરનાથ પર ક્યાં દૂર-દૂર જાય છે. બાપ તો અહીં આવીને સંભળાવે છે. ઉપર તો સંભળાવતા નથી.
ત્યાં થોડી પાર્વતી ને બેસીને અમરકથા સંભળાવી? આ કથાઓ વગેરે જે બનાવી છે - આ પણ
ડ્રામા માં નોંધ છે. ફરી પણ થશે. બાપ આપ બાળકો ને ભક્તિ અને જ્ઞાન નો કોન્ટ્રાસ્ટ (તફાવત)
બતાવે છે. હમણાં તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. કહે છે ને - હે પ્રભુ,
આંધળાઓ ને રાહ બતાવો. ભક્તિમાર્ગ માં પોકારે છે. બાપ આવીને ત્રીજું નેત્ર આપે છે
જેની કોઈને ખબર નથી તમારા સિવાય. જ્ઞાન નું ત્રીજું નેત્ર નથી તો કહેશે ચુંચા,
ધુન્ધકારી. આંખો પણ કોઈની કેવી, કોઈની કેવી હોય છે ને? કોઈની ખૂબ શોભનીય (સુંદર)
આંખો હોય છે. પછી તેનાં પર ઈનામ પણ મળે છે પછી નામ રાખે છે મિસ ઈન્ડિયા, મિસ ફલાણી.
આપ બાળકો ને હવે બાપ શું થી શું બનાવે છે? ત્યાં તો નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય)
રહે છે. શ્રીકૃષ્ણ ની આટલી મહિમા કેમ છે? કારણકે સૌથી વધારે બ્યુટીફુલ (સુંદર) બને
છે. નંબરવન માં કર્માતીત અવસ્થા મેળવે છે, એટલે નંબરવન માં ગાયન છે. આ પણ બાપ સમજાવે
છે. બાપ ઘડી-ઘડી કહે છે-બાળકો, મનમનાભવ. હે આત્માઓ પોતાનાં બાપ ને યાદ કરો. બાળકો
માં પણ નંબરવાર તો છે ને? લૌકિક બાપ ને પણ સમજો ૫ બાળકો છે, એમાં જે ખૂબ સમજું હશે
એને નંબરવન રાખશે. માળા નો દાણો થયો ને? કહેશે આ બીજો નંબર છે, આ ત્રીજો નંબર છે.
એક જેવાં ક્યારેય નથી હોતાં. બાપ નો પ્રેમ પણ નંબરવાર હોય છે. તે છે હદ ની વાત. આ
છે બેહદ ની વાત.
જે બાળકો ને જ્ઞાન
નું ત્રીજું નેત્ર મળ્યું છે તેમની બુદ્ધિ અને ચલન વગેરે ખૂબ રિફાઈન (શુદ્ધ) હોય
છે. એક કિંગ ઓફ ફ્લાવર (ફૂલોનો રાજા) હોય છે તો આ બ્રહ્મા અને સરસ્વતી કિંગ ક્વિન
ફ્લાવર થયાં. જ્ઞાન અને યાદ બંને માં આગળ છે. તમે જાણો છો આપણે દેવતા બનીએ છીએ.
મુખ્ય ૮ રત્ન બને છે. પહેલાં-પહેલાં છે ફૂલ. પછી યુગલ દાણા બ્રહ્મા-સરસ્વતી. માળા
સિમરે (યાદ કરે) છે ને? હકીકત માં તમારું પૂજન નથી સિમરણ છે. તમારી ઉપર ફૂલ નથી ચઢી
શકતાં. ફૂલ ત્યારે ચઢે જ્યારે શરીર પણ પવિત્ર હોય. અહીં કોઈનું પણ શરીર પવિત્ર નથી.
બધા વિષ થી જન્મે છે, એટલે વિકારી કહેવાય છે. આ લક્ષ્મી-નારાયણ ને કહેવાય જ છે
સંપૂર્ણ નિર્વિકારી. બાળકો તો જન્મતા હશે ને? એવું તો નથી કોઈ ટ્યુબ થી બાળક પેદા
થઈ જશે. આ પણ બધી સમજવાની વાતો છે. આપ બાળકો ને અહીં ૭ દિવસ ભઠ્ઠી માં બેસાડાય છે.
ભઠ્ઠી માં ઈંટો કોઈ તો પૂરી પાકી જાય છે, કોઈ કાચ્ચી રહી જાય છે. ભઠ્ઠી નું
દૃષ્ટાંત આપે છે. હવે ઈંટ ની ભઠ્ઠી નું થોડી શાસ્ત્ર માં વર્ણન થઈ શકે છે? પછી તેમાં
બિલાડી ની વાત પણ છે. ગુલબકાવલી ની કહાણી માં પણ બિલાડી નું નામ દેખાડ્યું છે. દીવા
(દિપક) ને ઓલવી દેતી હતી. તમારી પણ આ હાલત થાય છે ને? માયા બિલાડી વિઘ્ન નાખી દે
છે. તમારી અવસ્થા ને જ પાડી દે છે. દેહ-અભિમાન છે પહેલો નંબર પછી બીજા વિકાર આવે
છે. મોહ પણ ખૂબ હોય છે. બાળકી કહે છે હું ભારત ને સ્વર્ગ બનાવવાની રુહાની સેવા કરીશ,
મોહ વશ મા-બાપ કહે છે અમે અલાઉ (પરવાનગી) નહીં કરીશું. આ પણ કેટલો મોહ છે? તમારે
મોહ ની બિલાડી અથવા બિલાડો નથી બનવાનું. તમારું મુખ્ય લક્ષ જ આ છે. બાપ આવીને
મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બનાવે છે. તમારી પણ ફરજ છે પોતાનાં હમજીન્સ ની સેવા
કરવાની, ભારત ની સર્વિસ કરવી. તમે જાણો છો આપણે શું હતાં, શું બની ગયાં છીએ. હવે ફરી
પુરુષાર્થ કરો રાજાઓ નાં રાજા બનવા માટે. તમે જાણો છો આપણે પોતાનું રાજ્ય સ્થાપન
કરીએ છીએ. કોઈ તકલીફ ની વાત નથી. વિનાશ માટે પણ ડ્રામા માં યુક્તિ રચાયેલી છે. પહેલાં
પણ મૂસળો થી લડાઈ થઈ હતી. જ્યારે તમારી પૂરી તૈયારી થઈ જશે, બધા ફૂલ બની જશે ત્યારે
વિનાશ થશે. કોઈ કિંગ ઓફ ફ્લાવર છે, કોઈ ગુલાબ, કોઈ મોતિયો છે. દરેક પોતાને સારી રીતે
સમજી શકે છે કે અમે અક છીએ કે ફૂલ છીએ? ઘણાં છે જેમને જ્ઞાન ની કાંઈ ધારણા નથી થતી.
નંબરવાર તો બનશે ને? કાં તો બિલકુલ હાઈએસ્ટ (સૌથી ઊંચા) અથવા તો બિલકુલ લોએસ્ટ (સૌથી
નીચા). રાજધાની અહીં જ બને છે. શાસ્ત્રો માં તો દેખાડ્યું છે પાંડવ ગળી મર્યા પછી
શું થયું? કાંઈ પણ ખબર નથી. કથાઓ તો ખૂબ બનાવી છે, એવી કોઈ વાત નથી. હમણાં આપ બાળકો
કેટલાં સ્વચ્છ બુદ્ધિ બનો છો. બાબા તમને અનેક પ્રકાર થી સમજાવતા રહે છે. કેટલું સહજ
છે. ફક્ત બાપ ને અને વારસા ને યાદ કરવાના છે. બાપ કહે છે હું જ પતિત-પાવન છું. તમારો
આત્મા અને શરીર બંને પતિત છે. હવે પાવન બનવાનું છે. આત્મા પવિત્ર બને છે તો શરીર પણ
પવિત્ર બને છે. હમણાં તમારે ખૂબ મહેનત કરવાની છે. બાપ કહે છે-બાળકો ખૂબ કમજોર છે.
યાદ ભૂલાઈ જાય છે. બાબા સ્વયં પોતાનો અનુભવ બતાવે છે. ભોજન પર યાદ કરું છું -
શિવબાબા મને ખવડાવે છે પછી ભૂલી જાઉ છું. ફરી સ્મૃતિ માં આવે છે. તમારા માં પણ
નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. કોઈ તો બંધનમુક્ત હોવા છતાં પણ પછી ફસાઈ જાય છે. ધર્મ
નાં પણ બાળકો બનાવી દે છે. હમણાં આપ બાળકો ને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવા વાળા
બાપ મળેલા છે - તેને પછી નામ આપ્યું છે તીજરી ની કથા અર્થાત્ ત્રીજું નેત્ર મળવાની
કથા. હવે તમે નાસ્તિક થી આસ્તિક બનો છો. બાળકો જાણે છે બાપ બિંદુ છે. જ્ઞાન નાં
સાગર છે. તેઓ તો કહી દે છે નામ-રુપ થી ન્યારા છે. અરે, જ્ઞાન નાં સાગર તો જરુર
જ્ઞાન સંભળાવવા વાળા હશે ને? એમનું રુપ પણ લિંગ દેખાડે છે પછી એમને નામ-રુપ થી
ન્યારા કેવી રીતે કહે છે? અનેક નામ રાખી દીધાં છે. બાળકો ની બુદ્ધિ માં આ બધું
જ્ઞાન સારી રીતે રહેવું જોઈએ. કહે પણ છે પરમાત્મા જ્ઞાન નાં સાગર છે. આખા જંગલ ને
કલમ બનાવો તો પણ અંત નથી થઈ શકતો. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં આપણે
બાપ દ્વારા વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બન્યાં છીએ, હમ સો દેવતા બનવા વાળા છીએ, આ જ
નારાયણી નશા માં રહેવાનું છે, બંધનમુક્ત બની સેવા કરવાની છે. બંધનો માં ફસાવાનું નથી.
2. જ્ઞાન-યોગ માં
હોશિયાર બની માત-પિતા સમાન કિંગ ઓફ ફ્લાવર (ફૂલો નાં રાજા) બનવાનું છે અને પોતાનાં
હમજીન્સ ની પણ સેવા કરવાની છે.
વરદાન :-
પોતાનાં સર્વ
ખજાનાઓ ને અન્ય આત્માઓ ની સેવા માં લગાવીને સહયોગી બનવા વાળા સહજયોગી ભવ
સહયોગી બનવાનું સાધન
છે - સદા પોતાનાં સંકલ્પ દ્વારા, વાણી દ્વારા અને દરેક કાર્ય દ્વારા વિશ્વ નાં સર્વ
આત્માઓ પ્રત્યે સેવાધારી સમજી સેવા માં જ બધું લગાવવું. જે પણ બ્રાહ્મણ-જીવન માં
શક્તિઓ નો, ગુણો નો, જ્ઞાન નો તથા શ્રેષ્ઠ કમાણી નાં સમય નો ખજાનો બાપ દ્વારા
પ્રાપ્ત થયેલો છે તે સેવા માં લગાવો અર્થાત્ સહયોગી બનો તો સહજયોગી બની જ જશો. પરંતુ
સહયોગી એ જ બની શકે છે જે સંપન્ન છે. સહયોગી બનવું અર્થાત્ મહાદાની બનવું.
સ્લોગન :-
બેહદ નાં
વૈરાગી બનો તો આકર્ષણ નાં સર્વ સંસ્કાર સહજ જ ખતમ થઈ જશે.
અવ્યક્ત ઈશારા -
સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો
જેવી રીતે પોતાનાં
સ્થૂળ કાર્ય નાં પ્રોગ્રામ ને દિનચર્યા પ્રમાણે સેટ કરો છો, એવી રીતે પોતાની મન્સા
સમર્થ સ્થિતિ નો પ્રોગ્રામ સેટ કરો તો સંકલ્પ શક્તિ જમા થતી જશે. પોતાનાં મન ને
સમર્થ સંકલ્પો માં બિઝી રાખશો તો મન ને અપસેટ થવાનો સમય જ નહીં મળશે. મન સદા સેટ
અર્થાત્ એકાગ્ર છે તો સ્વતઃ સારા વાયબ્રેશન ફેલાય છે, સેવા થાય છે.