30-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - માયા દુશ્મન તમારી સામે છે એટલે પોતાની બહુ જ - બહુ જ સંભાળ કરવાની છે , જો ચાલતાં - ચાલતાં માયા માં ફસાઈ ગયા તો પોતાની તકદીર ને લકીર લગાવી દેશો”

પ્રશ્ન :-
આપ રાજયોગી બાળકો નું મુખ્ય કર્તવ્ય શું છે?

ઉત્તર :-
ભણવું અને ભણાવવું, આ જ તમારું મુખ્ય કર્તવ્ય છે. તમે છો ઈશ્વરીય મત પર. તમારે કોઈ જંગલ માં નથી જવાનું. ઘર ગૃહસ્થ માં રહેતાં શાંતિ માં બેસી બાપ ને યાદ કરવાના છે. અલ્ફ અને બે, આ બે શબ્દો માં તમારું બધું ભણતર આવી જાય છે.

ઓમ શાંતિ!
બાપ પણ બ્રહ્મા દ્વારા કહી શકે છે કે બાળકો ગુડમોર્નિંગ. પરંતુ પછી બાળકોએ પણ રિસ્પોન્સ આપવો પડે. અહીં છે જ બાપ અને બાળકો નું કનેક્શન. નવાં જે છે જ્યાં સુધી પાક્કા થઈ જાય, કાંઈ ને કાંઈ પૂછતા રહેશે. આ તો ભણતર છે, ભગવાનુવાચ પણ લખ્યું છે. ભગવાન છે નિરાકાર. આ બાબા સારી રીતે પાક્કું કરાવે છે, કોઈને પણ સમજાવવા માટે કારણકે એ તરફ છે માયા નું જોર. અહીં તો તે વાત નથી. બાપ તો સમજે છે જેમણે કલ્પ પહેલાં વારસો લીધો છે એ પોતે જ આવી જશે. એવું નથી કે ફલાણા ચાલ્યાં ન જાય, એમને પકડીએ. ચાલ્યાં જાય તો ચાલ્યાં જાય. અહીં તો જીવતા જીવ મરવાની વાત છે. બાપ એડોટ કરે છે. એડોપ્ટ કરાય જ છે કાંઈક વારસો આપવા માટે. બાળકો મા-બાપ ની પાસે આવે જ છે વારસા ની લાલચ પર. સાહૂકાર નાં બાળકો ક્યારેય ગરીબ ની પાસે એડોપ્ટ થશે શું? આટલાં ધન દોલત વગેરે બધું છોડીને કેવી રીતે જશે? એડોપ્ટ કરે છે સાહૂકાર. હવે તમે જાણો છો બાબા આપણ ને સ્વર્ગ ની બાદશાહી આપે છે. કેમ નહીં એમનાં બનીશું? દરેક વાત માં લાલચ તો રહે છે. જેટલું વધારે ભણશે એટલી વધારે લાલચ થશે. તમે પણ જાણો છો બાપે આપણને એડોપ્ટ કર્યા છે બેહદ નો વારસો આપવાં. બાપ પણ કહે છે તમને બધાને હું ફરી થી ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ એડોપ્ટ કરું છું. તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમારા બન્યાં હતાં. તમે પ્રેક્ટિકલ માં કેટલાં બ્રહ્માકુમાર-કુમારીઓ છો. પ્રજાપિતા પણ તો નામીગ્રામી છે. જ્યાં સુધી શુદ્ર થી બ્રાહ્મણ ન બને તો દેવતા બની ન શકે. આપ બાળકો ની બુદ્ધિ માં હવે આ ચક્ર ફરતું રહે છે - અમે શુદ્ર હતાં, હમણાં બ્રાહ્મણ બન્યાં છીએ પછી દેવતા બનવાનું છે. સતયુગ માં આપણે રાજ્ય કરીશું. તો આ જૂની દુનિયા નો વિનાશ જરુર થવાનો છે. પૂરો નિશ્ચય નથી બેસતો તો પછી ચાલ્યાં જાય છે. ઘણાં કાચ્ચા છે જે પડી જાય છે, આ પણ ડ્રામા માં નોંધ છે. માયા દુશ્મન સામે ઉભી છે, તો તે પોતાની તરફ ખેંચી લે છે. બાપ વારંવાર પાક્કું કરાવે છે, માયા માં ફસાઈ નહીં પડતા, નહીં તો પોતાની તકદીર ને લકીર લગાવી દેશો. બાપ જ પૂછી શકે છે કે પહેલાં ક્યારે મળ્યાં છો? બીજા કોઈને પૂછવાની અક્કલ આવશે જ નહીં. બાપ કહે છે મારે પણ ફરી થી ગીતા સંભળાવવા આવવું પડે. આવીને રાવણ ની જેલ માંથી છોડાવવા પડે. બેહદ નાં બાપ બેહદ ની વાતો સમજાવે છે. હમણાં રાવણ નું રાજ્ય છે, પતિત રાજ્ય છે જે અડધાકલ્પ થી શરુ થયું છે. રાવણ નાં ૧૦ માથા દેખાડે છે, વિષ્ણુ ને ૪ ભુજા દેખાડે છે. એવાં કોઈ મનુષ્ય હોતાં નથી. આ તો પ્રવૃત્તિ માર્ગ દેખાડાય છે. આ છે મુખ્ય લક્ષ, વિષ્ણુ દ્વારા પાલના. વિષ્ણુપુરી ને કૃષ્ણપુરી પણ કહેવાય છે. શ્રીકૃષ્ણ ને તો ૨ બાજુ (હાથ) જ દેખાડશે ને? મનુષ્ય તો કાંઈ પણ સમજતા નથી. બાપ દરેક વાત સમજાવે છે. તે બધો છે ભક્તિ માર્ગ. હમણાં તમને જ્ઞાન છે, તમારું મુખ્ય લક્ષ જ છે નર થી નારાયણ બનવાનું. આ ગીતા પાઠશાળા છે જ જીવનમુક્તિ પ્રાપ્ત કરવા માટે. બ્રાહ્મણ તો જરુર જોઈએ. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. શિવ ને રુદ્ર પણ કહેવાય છે. હવે બાપ પૂછે છે જ્ઞાન યજ્ઞ કૃષ્ણ નો છે કે શિવ નો છે? શિવ ને પરમાત્મા જ કહેવાય છે, શંકર ને દેવતા કહેવાય છે. એમણે પછી શિવ અને શંકર ને સાથે કરી દીધાં છે. હવે બાપ કહે છે મેં આમના માં પ્રવેશ કર્યો છે. આપ બાળકો કહો છો બાપદાદા. તે કહે છે શિવ-શંકર. જ્ઞાન સાગર તો છે જ એક.

હમણાં તમે જાણો છો બ્રહ્મા સો વિષ્ણુ બને છે જ્ઞાન થી. ચિત્ર પણ બરોબર બનાવે છે. વિષ્ણુ ની પણ નાભિ થી બ્રહ્મા નીકળ્યાં. આનો અર્થ પણ કોઈ સમજી નથી શકતાં. બ્રહ્મા ને શાસ્ત્ર હાથ માં આપ્યાં છે. હમણાં શાસ્ત્રો નો સાર બાપ સંભળાવે છે કે બ્રહ્મા? આ પણ માસ્ટર જ્ઞાન સાગર બને છે. બાકી ચિત્ર એટલા અનેક બનાવ્યાં છે, તે કોઈ યથાર્થ નથી. તે છે બધા ભક્તિમાર્ગ નાં. મનુષ્ય કોઈ ૮-૧૦ ભુજા વાળા હોતાં નથી. આ તો ફક્ત પ્રવૃત્તિ માર્ગ દેખાડ્યો છે. રાવણ નો પણ અર્થ બતાવ્યો છે - અડધોકલ્પ છે રાવણ રાજ્ય, રાત. અડધોકલ્પ છે રામરાજ્ય દિવસ. બાપ દરેક વાત સમજાવે છે. તમે બધા એક બાપ નાં બાળકો છો. બાપ બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના કરે છે અને તમને રાજયોગ શીખવાડે છે. જરુર સંગમ પર જ રાજયોગ શીખવાડશે. દ્વાપર માં ગીતા સંભળાવી, આ તો ખોટું થઈ જાય છે. બાપ સાચ્ચું બતાવે છે. ઘણાઓ ને બ્રહ્મા નો, શ્રીકૃષ્ણ નો સાક્ષાત્કાર થાય છે. બ્રહ્મા નો સફેદ પોશાક જ જુએ છે. શિવબાબા તો છે બિંદુ. બિંદુ નો સાક્ષાત્કાર થાય તો કાંઈ સમજી ન શકે. તમે કહો છો આપણે આત્મા છીએ, હવે આત્મા ને કોણે જોયા છે, કોઈએ નહીં. એ તો છે બિંદુ. સમજી શકે છે ને? જે જેવી ભાવના થી જેમની પૂજા કરે છે, એમને તે જ સાક્ષાત્કાર થશે. બીજું જો રુપ જુએ તો મૂંઝાય પડે. હનુમાન ની પૂજા કરશે તો એમને તે જ દેખાઈ પડશે. ગણેશ નાં પૂજારી ને તે જ દેખાશે. બાપ કહે છે મેં તમને એટલા ધનવાન બનાવ્યા, હીરા ઝવારાતો નાં મહેલ હતાં, તમારે અગણિત ધન હતું, તમે હવે તે બધું ક્યાં ગુમાવ્યું? હમણાં તમે કંગાળ બની ગયા છો, ભીખ માંગી રહ્યાં છો. બાપ તો કહી શકે છે ને? હવે આપ બાળકો સમજો છો બાપ આવ્યાં છે, આપણે ફરી થી વિશ્વ નાં માલિક બનીએ છીએ. આ ડ્રામા અનાદિ બનેલો છે. દરેક ડ્રામા માં પોતાનો પાર્ટ ભજવી રહ્યાં છે. કોઈ એક શરીર છોડી જઈને બીજું લે છે, એમાં રડવાની શું વાત છે? સતયુગ માં ક્યારેય રડતા નથી. હવે તમે મોહજીત બની રહ્યાં છો. મોહજીત રાજાઓ આ લક્ષ્મી-નારાયણ વગેરે છે. ત્યાં મોહ હોતો નથી. બાપ અનેક પ્રકાર ની વાતો સમજાવતા રહે છે. બાપ છે નિરાકાર. મનુષ્ય તો એમને નામ-રુપ થી ન્યારા કહી દે છે. પરંતુ નામ-રુપ થી ન્યારી કોઈ વસ્તુ થોડી હોય છે? હે ભગવાન, ઓ ગોડ ફાધર કહે છે ને? તો નામ-રુપ છે ને? લિંગ ને શિવ પરમાત્મા, શિવ બાબા પણ કહે છે. બાબા તો છે ને બરોબર. બાબા નાં જરુર બાળકો પણ હશે. નિરાકાર ને નિરાકાર આત્મા જ બાબા કહે છે. મંદિર માં જશે તો એમને કહેશે શિવ બાબા પછી ઘર માં આવીને બાપ ને પણ કહે છે બાબા. અર્થ તો સમજતા નથી, અમે એમને શિવબાબા કેમ કહીએ છીએ? બાપ ઊંચા માં ઊંચું ભણતર બે શબ્દો માં ભણાવે છે - અલ્ફ અને બે. અલ્ફ ને યાદ કરો તો બે-બાદશાહી તમારી છે. આ ખૂબ ભારે પરીક્ષા છે. મનુષ્ય મોટી પરીક્ષા પાસ કરે છે તો પહેલાં વાળું ભણતર કોઈ યાદ થોડી રહે છે? ભણતા-ભણતા અંતે તંત (સાર) બુદ્ધિ માં આવી જાય છે. આ પણ એવું છે. તમે ભણતા આવ્યાં છો. અંત માં પછી બાપ કહે છે મનમનાભવ, તો દેહ નું અભિમાન તૂટી જશે. આ મનમનાભવ ની આદત પડી હશે તો અંત માં પણ બાપ અને વરસો યાદ રહેશે. મુખ્ય છે જ આ, કેટલું સહજ છે! આ ભણતર માં પણ હમણાં તો ખબર નથી શું શું ભણે છે? જેવાં રાજા તેવાં તે પોતાનાં રિવાજ ચલાવે છે. પહેલાં મણ, સેર, પાવ નો હિસાબ ચાલતો હતો. હવે તો કિલો વગેરે શું-શું નીકળી પડ્યું છે. કેટલાં અલગ-અલગ પ્રાંત થઈ ગયા છે. દિલ્લી માં જે વસ્તુ એક રુપિયા સેર, બોમ્બે માં મળશે બે રુપિયા સેર, કારણકે પ્રાંત અલગ-અલગ છે. દરેક સમજે છે કે અમે પોતાનાં પ્રાંત ને ભૂખે થોડી મારીશું? કેટલાં ઝઘડા વગેરે થાય છે, કેટલાં રોલા (ગડબડ) છે.

ભારત કેટલું સોલ્વન્ટ હતું પછી ૮૪ નું ચક્ર લગાવતા ઈન્સોલવેન્ટ બની પડ્યું છે. કહેવાય છે હીરે જૈસા જન્મ અમોલક કોડી બદલે ખોયા રે… બાપ કહે છે તમે કોડિઓ ની પાછળ કેમ મરો છો? હવે તો બાપ પાસે થી વારસો લો, પાવન બનો. બોલાવો પણ છો - હે પતિત- પાવન આવો, પાવન બનાવો. તો એનાંથી સિદ્ધ છે પાવન હતાં, હમણાં નથી. હમણાં છે જ કળિયુગ. બાપ કહે છે હું પાવન દુનિયા બનાવીશ તો પતિત દુનિયા નો જરુર વિનાશ થશે એટલે જ આ મહાભારત લડાઈ છે જે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ થી પ્રજ્વલિત થઈ છે. ડ્રામા માં તો આ વિનાશ થવાની પણ નોંધ છે. પહેલાં-પહેલાં તો બાબા ને સાક્ષાત્કાર થયો. જોયું આટલી મોટી રાજાઈ મળે છે તો ખૂબ ખુશી થવા લાગી, પછી વિનાશ નો સાક્ષાત્કાર પણ કરાવ્યો. મનમનાભવ, મધ્યાજીભવ. આ ગીતા નાં શબ્દ છે. કોઈ-કોઈ શબ્દ ગીતા નાં ઠીક છે. બાપ પણ કહે છે તમને આ જ્ઞાન સંભળાવું છું, આ પછી પ્રાય:લોપ થઈ જાય છે. કોઈ ને પણ ખબર નથી કે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો બીજા કોઈ ધર્મ નહોતાં. એ સમયે જનસંખ્યા કેટલી થોડી હશે, હમણાં કેટલી છે! તો આ ચેન્જ (પરિવર્તન) થવું જોઈએ. જરુર વિનાશ પણ જોઈએ. મહાભારત લડાઈ પણ છે. જરુર ભગવાન પણ હશે. શિવ જયંતિ મનાવે છે તો શિવબાબાએ શું આવીને કર્યું? તે પણ નથી જાણતાં. હમણાં બાપ સમજાવે છે, ગીતા દ્વારા શ્રીકૃષ્ણ નાં આત્મા ને રાજાઈ મળી. માતા-પિતા કહેવાશે ગીતા ને, જેનાંથી તમે પછી દેવતા બનો છો. ગીતા નાં જ્ઞાન થી રાજયોગ શીખી શ્રીકૃષ્ણ આ બન્યાં. એમણે પછી શિવબાબા નાં બદલે શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે. તો બાપ સમજાવે છે, આ તો પોતાની અંદર પાક્કો નિશ્ચય કરી લો, કોઈ ઉલ્ટી-સુલ્ટી વાત સંભળાવીને તમને પાડી ન દે. ઘણી વાતો પૂછે છે - વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે? આ કેવી રીતે થશે? અરે, તમે પોતે કહો છો - તે વાઈસલેસ દુનિયા હતી. સંપૂર્ણ નિર્વિકારી કહો છો ને પછી વિકાર ની વાત કેવી રીતે હોઈ શકે છે? હવે તમે જાણો છો બેહદ નાં બાપ પાસે થી બેહદ ની બાદશાહી મળે છે, તો એવા બાપ ને કેમ યાદ નહીં કરશો? આ છે જ પતિત દુનિયા. કુંભ નાં મેળા પર કેટલાં લાખો જાય છે. હવે કહે છે કે ત્યાં એક નદી ગુપ્ત છે. હવે નદી ગુપ્ત હોઈ શકે છે શું? અહીં પણ ગૌમુખ બનાવ્યું છે. કહે છે ગંગા અહીં આવે છે. અરે, ગંગા પોતાનો રસ્તો લઈને સમુદ્ર માં જશે કે અહીં તમારી પાસે પહાડ પર આવશે? ભક્તિ માર્ગ માં કેટલાં ધક્કા છે. જ્ઞાન ભક્તિ પછી છે વૈરાગ. એક છે હદ નો વૈરાગ, બીજો છે બેહદ નો. સંન્યાસી ઘરબાર છોડી જંગલ માં રહે છે, અહીં તો તે વાત નથી. તમે બુદ્ધિ થી આખી જૂની દુનિયાનો સંન્યાસ કરો છો. આપ રાજયોગી બાળકો નું મુખ્ય કર્તવ્ય છે ભણવું અને ભણાવવું. હવે રાજયોગ કોઈ જંગલ માં થોડી શીખાવાડાય છે? આ સ્કૂલ છે. બ્રાન્ચિઝ (શાખાઓ) નીકળતી જાય છે. આપ બાળકો રાજયોગ શીખી રહ્યાં છો. શિવબાબા પાસે થી ભણેલા બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ શીખવાડે છે. એક શિવબાબા થોડી બધાને શીખવાડશે? તો આ થઈ પાંડવ ગવર્મેન્ટ. તમે છો ઈશ્વરીય મત પર. અહીં તમે કેટલાં શાંતિ માં બેઠાં છો, બહાર તો અનેક હંગામા છે. બાપ કહે છે પાંચ વિકારો નું દાન આપો તો ગ્રહણ છુટી જશે. મારા બનો તો હું તમારી બધી કામનાઓ પૂરી કરી દઈશ. આપ બાળકો જાણો છો હવે આપણે સુખધામ માં જઈએ છીએ, દુઃખધામ ને આગ લાગવાની છે. બાળકોએ વિનાશ નો સાક્ષાત્કાર પણ કર્યો છે. હવે સમય ખૂબ થોડો છે એટલે યાદ ની યાત્રા માં લાગી જશો તો વિકર્મ વિનાશ થશે અને ઊંચ પદ મેળવશો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ નાં વારસા નો પૂરો અધિકાર લેવા માટે જીવતા જીવ મરવાનું છે. એડોપ્ટ થઈ જવાનું છે. ક્યારેય પણ પોતાની ઊંચી તકદીર ને લકીર નથી લગાવવાની.

2. કોઈ પણ ઉલ્ટી-સુલ્ટી વાત સાંભળીને સંશય માં નથી આવવાનું. જરા પણ નિશ્ચય ન હલે. આ દુઃખધામ ને આગ લાગવાની છે એટલે એનાંથી પોતાનો બુદ્ધિયોગ કાઢી નાખવાનો છે.

વરદાન :-
વિશેષતા રુપી સંજીવની બુટ્ટી દ્વારા મૂર્છિત ને સુરજીત કરવા વાળા વિશેષ આત્મા ભવ

દરેક આત્મા ને શ્રેષ્ઠ સ્મૃતિ ની, વિશેષતાઓ ની સ્મૃતિ રુપી સંજીવની બુટ્ટી ખવડાવો તો તે મૂર્છિત થી સુરજીત થઈ જશે. વિશેષતાઓ નાં સ્વરુપ નું દર્પણ એની સામે રાખો. બીજાઓ ને સ્મૃતિ અપાવવા થી તમે વિશેષ આત્મા બની જ જશો. જો તમે કોઈને કમજોરી સંભળાવશો તો તે છૂપાવશે, ટાળી દેશે તમે વિશેષતા સંભળાવો તો સ્વયં જ પોતાની કમજોરી સ્પષ્ટ અનુભવ કરશે. આ જ સંજીવની બુટ્ટી થી મૂર્છિત ને સુરજીત કરી ઉડતા ચાલો અને ઉડાવતા ચાલો.

સ્લોગન :-
નામ - માન - શાન અથવા સાધનો નો સંકલ્પ માં પણ ત્યાગ જ મહાન ત્યાગ છે .

અવ્યક્ત ઇશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

નિમિત્ત બનેલા બાળકોએ વિશેષ પોતાનાં દરેક સંકલ્પ ઉપર અટેન્શન આપવું જોઈએ, જ્યારે તમે નિર્વિકલ્પ, નિરવ્યર્થ સંકલ્પ રહેશો ત્યારે બુદ્ધિ ઠીક નિર્ણય કરશે, નિર્ણય ઠીક છે તો નિવારણ પણ સહજ કરી લેશો. નિવારણ કરવાને બદલે જો તમે જ કારણ, કારણ કહેશો તો તમારા પાછળ વાળા પણ દરેક વાત માં કારણ બતાવતા રહેશે.