01-10-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - રોજ રાત્રે પોતાનો પોતામેલ કાઢો , ડાયરી રાખો તો ડર રહેશે કે ક્યાંક ઘાટો ( નુકસાન ) ન પડી ( થઈ ) જાય”

પ્રશ્ન :-
કલ્પ પહેલાં વાળા ભાગ્યશાળી બાળકો ને બાપ ની કઈ વાત તરત ટચ (સ્પર્શ) થશે?

ઉત્તર :-
બાબા રોજ-રોજ જે બાળકો ને યાદ ની યુક્તિઓ બતાવે છે, તે ભાગ્યશાળી બાળકો ને જ ટચ થતી રહેશે. તે તેને તરત અમલ માં લાવશે. બાબા કહે છે બાળકો થોડોક સમય એકાંત માં બગીચા માં જઈને બેસો. બાબા સાથે મીઠી-મીઠી વાતો કરો, પોતાનો ચાર્ટ રાખો તો ઉન્નતિ થતી રહેશે.

ઓમ શાંતિ!
મિલેટ્રી ને પહેલાં-પહેલાં સાવધાન કરાય છે - અટેન્શન પ્લીઝ. બાપ પણ બાળકો ને કહે છે પોતાને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરતા રહો છો? બાળકો ને સમજાવ્યું છે આ જ્ઞાન બાપ આ સમયે જ આપી શકે છે. બાપ જ ભણાવે છે. ભગવાનુવાચ છે ને - મૂળ વાત આ થઈ જાય છે કે ભગવાન કોણ છે? કોણ ભણાવે છે? આ વાત પહેલાં સમજવાની અને નિશ્ચય કરવાની હોય છે. પછી અતીન્દ્રિય સુખ માં પણ રહેવાનું છે. આત્મા ને ખૂબ ખુશી થવી જોઈએ. આપણને બેહદ નાં બાપ મળ્યાં છે. બાપ એક જ વાર આવીને મળે છે વારસો આપવાં. શેનો વારસો? વિશ્વ ની બાદશાહી નો વારસો આપે છે, ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ. આ તો પાક્કો નિશ્ચય છે-બાપ આવેલા છે. ફરી થી સહજ રાજયોગ શિખવાડે છે, શિખવાડવું પડે છે. બાળકો ને કાંઈ શીખવાડવા માં નથી આવતું. જાતે જ મુખ થી મમ્મા-બાબા નીકળતું રહેશે કારણકે શબ્દ તો સાંભળે છે ને? આ છે રુહાની બાપ. આત્મા ને આંતરિક ગુપ્ત નશો રહે છે. આત્માએ જ ભણવાનું છે. પરમપિતા પરમાત્મા તો નોલેજફુલ છે જ. એ કાંઈ ભણ્યાં નથી. એમનાં માં નોલેજ છે જ, શેની નોલેજ છે? આ પણ તમારો આત્મા સમજે છે. બાબા માં આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. કેવી રીતે એક ધર્મ ની સ્થાપના અને અનેક ધર્મો નો વિનાશ થાય છે, આ બધું જાણે છે - એટલે એમને જાની જાનનહાર કહી દે છે. જાની જાનનહાર નો અર્થ શું છે? આ કોઈ પણ બિલકુલ જાણતા નથી. હવે આપ બાળકો ને બાપે સમજાવ્યું છે કે આ સ્લોગન (સુવિચાર) પણ જરુર લગાવો કે મનુષ્ય બનીને જો ક્રિયેટર (રચયિતા) અને રચના નાં આદિ-મધ્ય અંત નાં ડ્યુરેશન (સમયગાળા), રિપીટેશન (પુનરાવૃત્તિ) ને ન જાણ્યું તો શું કહેવાય… આ રિપીટેશન શબ્દ પણ ખૂબ જરુરી છે. કરેક્શન (સુધારો) તો થતું રહે છે ને? ગીતા નાં ભગવાન કોણ… આ ચિત્ર ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. આખાં વર્લ્ડ (દુનિયા) માં આ છે સૌથી નંબરવન ભૂલ. પરમપિતા પરમાત્મા ને ન જાણવાના કારણે પછી કહી દે છે બધા ભગવાન નાં રુપ છે. જેવી રીતે નાનાં બાળક ને પૂછાય છે કે તમે કોનું બાળક? કહેશે ફલાણા નું. ફલાણું કોનું બાળક? ફલાણા નું. પછી કહી દેશે તે અમારું બાળક. એવી રીતે આ પણ ભગવાન ને જાણતા નથી તો કહી દે છે અમે ભગવાન છીએ. આટલી પૂજા પણ કરે છે પરંતુ સમજતા નથી. ગવાય છે બ્રહ્મા ની રાત તો જરુર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ ની પણ રાત હશે. આ બધી ધારણ કરવાની વાતો છે. આ ધારણા તેમને થશે જે યોગ માં રહે છે. યાદ ને જ બળ કહેવાય છે. જ્ઞાન તો છે સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન). યાદ થી શક્તિ મળે છે જેનાથી વિકર્મ વિનાશ થાય છે. તમારે બુદ્ધિ નો યોગ બાપ સાથે લગાવવાનો છે. આ જ્ઞાન બાપ હમણાં જ આપે છે પછી ક્યારેય મળતું જ નથી. બાપ સિવાય કોઈ આપી ન શકે. બાકી બધા છે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર, કર્મ-કાંડ ની ક્રિયાઓ. તેને જ્ઞાન નહીં કહેવાશે. આધ્યાત્મિક નોલેજ એક બાપ ની પાસે જ છે અને એ બ્રાહ્મણો ને જ આપે છે. બીજા કોઈની પાસે આધ્યાત્મિક નોલેજ હોતી નથી. દુનિયા માં કેટલાં ધર્મ-મઠ-પંથ છે, કેટલી મતો છે. બાળકો ને સમજાવવા માં કેટલી મહેનત થાય છે. કેટલાં તોફાન આવે છે. ગાય પણ છે - નૈયા મારી પાર લગાવો. બધાની નાવ તો પાર ન જઈ શકે. કોઈ ડૂબી પણ જશે, કોઈ ઉભી રહી જશે. ૨-૩ વર્ષ થઈ જાય છે, ઘણાઓ ની ખબર જ નથી. કોઈ તો પુર્જા-પુર્જા (ટુકડા-ટુકડા) થઈ જાય છે. કોઈ ત્યાં જ ઉભા રહી જાય છે, આમાં મહેનત ખૂબ છે. આર્ટિફિશિયલ (બનાવટી) યોગ પણ કેટલાં નીકળ્યાં છે. કેટલાં યોગ આશ્રમ છે. રુહાની યોગ આશ્રમ કોઈ હોઈ ન શકે. બાપ જ આવીને આત્માઓ ને રુહાની યોગ શીખવાડે છે. બાબા કહે છે આ તો ખૂબ સહજ યોગ છે. આનાં જેવું સહજ કાંઈ પણ નથી. આત્મા જ શરીર માં આવીને પાર્ટ ભજવે છે. ૮૪ જન્મ મેક્સિમમ (વધુમાં વધુ) છે, બાકી તો ઓછા-ઓછા થતા જશે. આ વાતો પણ આપ બાળકો માં કોઈની બુદ્ધિ માં છે. બુદ્ધિ માં ધારણા ખૂબ મુશ્કેલી થી થાય છે. પહેલી વાત બાપ સમજાવે છે ક્યાંય પણ જાઓ છો તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપો. બાપ નો પરિચય કેવી રીતે અપાય, તેનાં માટે યુક્તિ રચાય છે. તે જ્યારે નિશ્ચય થાય ત્યારે સમજે બાપ તો સત્ય છે. જરુર બાપ સત્ય વાતો જ બતાવતા હશે. આમાં સંશય ન લાવવો જોઈએ. યાદ માં જ મહેનત છે, આમાં માયા ઓપોઝિશન (વિરોધ) કરે છે. ઘડી-ઘડી યાદ ભૂલાવી દે છે એટલે બાબા કહે છે - ચાર્ટ રાખો. તો બાબા પણ જુએ કોણ કેટલું યાદ કરે છે. ક્વાટર પર્સન્ટેજ (પા ભાગ નાં) પણ ચાર્ટ નથી રાખતાં. કોઈ કહે છે હું તો આખો દિવસ યાદ માં રહું છું. બાબા કહે છે આ તો ખૂબ મુશ્કેલ છે. આખો દિવસ-રાત તો બાંધેલીઓ જે માર ખાતી રહે છે તે યાદ માં રહેતી હશે, શિવબાબા ક્યારે આ સંબંધીઓ થી અમે છૂટીશું? આત્મા પોકારે છે - બાબા અમે બંધન થી કેવી રીતે છૂટીએ? જો કોઈ ખૂબ યાદ માં રહે છે તો બાબા ને ચાર્ટ મોકલે. ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે રોજ રાત્રે પોતાનો પોતામેલ કાઢો, ડાયરી રાખો. ડાયરી રાખવા થી ડર રહેશે, અમારું નુકસાન ન થઈ જાય. બાબા જોશે તો શું કહેશે - આટલાં મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબા ને આટલો સમય જ યાદ કરો છો? લૌકિક બાપ ને, સ્ત્રી ને તમે યાદ કરો છો, મને આટલું થોડું પણ યાદ નથી કરતાં? ચાર્ટ લખો તો જાતે જ શરમ આવશે. આ હાલત માં હું પદ મેળવી નહીં શકીશ, એટલે બાબા ચાર્ટ પર જોર આપી રહ્યાં છે. બાપ ને અને ૮૪ નાં ચક્ર ને યાદ કરવાનું છે તો પછી ચક્રવર્તી રાજા બની જશો. આપ સમાન બનાવશો ત્યારે તો પ્રજા પર રાજ્ય કરશો. આ છે જ રાજયોગ - નર થી નારાયણ બનવાનો. મુખ્ય-ઉદ્દેશ આ છે. જેમ આત્મા ને જોવાતો નથી, સમજી શકાય છે. આમાં આત્મા છે, આ પણ સમજાય છે. આ લક્ષ્મી-નારાયણ ની જરુર રાજધાની હશે. આમણે સૌથી વધારે મહેનત કરી છે ત્યારે સ્કોલરશિપ મેળવી છે. જરુર એમની ખૂબ પ્રજા હશે. ઊંચા માં ઊંચું પદ મેળવ્યું છે, જરુર ખૂબ યોગ લગાવ્યો છે ત્યારે પાસ વિથ ઓનર થયાં. આ પણ કારણ કાઢવું જોઈએ, અમારો યોગ કેમ નથી લાગતો? ધંધા વગેરે ની ઝંઝટ માં ખૂબ બુદ્ધિ ચાલી જાય છે. તેમાંથી સમય કાઢી આ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. થોડોક સમય કાઢી બગીચા માં એકાંત માં બેસવું જોઈએ. સ્ત્રીઓ તો જઈ ન શકે. તેમણે તો ઘર સંભાળવાનું છે. પુરુષો ને સહજ છે. કલ્પ પહેલાં વાળા જે ભાગ્યશાળી હશે તેમને જ ટચ થશે. ભણતર તો ખૂબ સારું છે. બાકી દરેક ની બુદ્ધિ પોતાની હોય છે. કાંઈ પણ કરીને બાપ પાસે થી વારસો લેવાનો છે. બાપ બધું ડાયરેક્શન આપે છે. કરવાનું તો બાળકોને જ છે. બાબા ડાયરેક્શન આપશે જનરલ (જાહેરમાં). એક-એક પર્સનલ (વ્યક્તિગત) પણ આવીને કોઈ પૂછે તો સલાહ આપી શકે છે. તીર્થો પર મોટાં-મોટાં પહાડો પર જાય છે તો પણ પંડા લોકો સાવધાન કરતા રહે છે. ખૂબ મુશ્કેલી થી જાય છે. આપ બાળકો ને તો બાપ ખૂબ સહજ યુક્તિ બતાવે છે. બાપ ને યાદ કરવાના છે. શરીર નું ભાન ખતમ કરવાનું છે. બાપ કહે છે મને યાદ કરો. બાપ આવીને નોલેજ આપીને ચાલ્યાં જાય છે. આત્મા જેવું તીવ્ર રોકેટ બીજું કોઈ હોઈ ન શકે. તે લોકો ચંદ્ર વગેરે તરફ જવા માટે કેટલો સમય વ્યર્થ કરે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. આ સાયન્સ નો હુનર (વિજ્ઞાન ની કળા) પણ વિનાશ માં મદદ કરે છે. તે છે સાયન્સ, તમારી છે સાઈલેન્સ. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવા - આ છે ડેડ સાઈલેન્સ. હું આત્મા શરીર થી અલગ છું. આ શરીર જૂની જુત્તી છે. સાપ, કાચબા નું ઉદાહરણ પણ તમારા માટે છે, તમે જ કીડા જેવા મનુષ્યો ને ભૂં-ભૂં કરી મનુષ્ય થી દેવતા બનાવો છો. વિષય સાગર માંથી ક્ષીર સાગર માં લઈ જવાનું તો તમારું કામ છે. સંન્યાસીઓ એ આ યજ્ઞ, તપ વગેરે કાંઈ પણ કરવાનું નથી. ભક્તિ અને જ્ઞાન છે જ ગૃહસ્થીઓ માટે. તેમને તો સતયુગ માં આવવાનું જ નથી. તે શું જાણે આ વાતો ને. આ પણ ડ્રામા માં નોંધ છે આ નિવૃતિ માર્ગ વાળાઓ ની. જેમણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે - તે જ ડ્રામા અનુસાર આવતા રહેશે. આમાં પણ નંબરવાર નીકળતા રહેશે. માયા ખૂબ પ્રબળ છે. આંખો ખૂબ જ ક્રિમિનલ છે. જ્ઞાન નું ત્રીજું નેત્ર મળવા થી આંખો સિવિલ (પવિત્ર) બને છે પછી અડધોકલ્પ ક્યારેય ક્રિમિનલ નહીં બનશે. આ છે ખૂબ દગાબાજ. તમે જેટલાં બાપ ને યાદ કરશો એટલી કર્મેન્દ્રિયો શીતળ થશે. પછી ૨૧ જન્મ કર્મન્દ્રિયો ને ચંચળતા માં આવવાનું નથી. ત્યાં કર્મેન્દ્રિયો માં ચંચળતા હોતી નથી. બધી કર્મેન્દ્રિયો શાંત સતોગુણી રહે છે. દેહ-અભિમાન ની પછી જ બધી શૈતાની આવે (બધા આસુરી અવગુણ આવે) છે. બાપ તમને દેહી-અભિમાની બનાવે છે. અડધાકલ્પ માટે તમને વારસો મળી જાય છે. જેટલી જે મહેનત કરે છે, એટલું જ ઊંચ પદ મેળવશે. મહેનત કરવાની છે - દેહી-અભિમાની બનવાની, પછી કર્મેન્દ્રિયો દગો નહીં આપશે. અંત સુધી યુદ્ધ ચાલતું રહેશે. જ્યારે કર્માતીત અવસ્થા મેળવશો ત્યારે તે લડાઈ પણ શરુ થશે. દિવસે-દિવસે અવાજ થતો જશે, મોત થી ડરશે.

બાપ કહે છે આ જ્ઞાન બધા માટે છે. ફક્ત બાપ નો પરિચય આપવાનો છે. આપણે આત્માઓ બધા ભાઈ-ભાઈ છીએ. બધા એક બાપ ને યાદ કરે છે. ગોડ ફાધર (પરમપિતા) કહે છે. જોકે કોઈ નેચર (કુદરત) ને માનવા વાળા હોય છે. પરંતુ ગોડ તો છે ને? એમને યાદ કરે છે મુક્તિ-જીવનમુક્તિ માટે. મોક્ષ તો નથી. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી ને રિપીટ કરવાની છે. બુદ્ધિ પણ કહે છે જ્યારે સતયુગ હતો તો એક જ ભારત હતું. મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતાં. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? લાખો વર્ષ ની વાત હોઈ ન શકે. લાખો વર્ષ હોત તો કેટલી અસંખ્ય સંખ્યા થઈ જાત. બાપ કહે છે હવે કળિયુગ પૂરો થઈ સતયુગ ની સ્થાપના થઈ રહી છે. તેઓ સમજે છે કળિયુગ તો હજું બાળક છે, આટલા હજાર વર્ષ ની આયુ છે. આપ બાળકો જાણો છો આ કલ્પ છે જ ૫ હજાર વર્ષ નું. ભારત માં જ આ સ્થાપના થઈ રહી છે. ભારત જ હવે સ્વર્ગ બની રહ્યું છે. હમણાં આપણે શ્રીમત પર આ રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. હવે બાપ કહે છે મામેકમ્ યાદ કરો. પહેલો-પહેલો શબ્દ જ આ આપો. જ્યાં સુધી બાપ માં નિશ્ચય નહીં થશે ત્યાં સુધી પ્રશ્ન પૂછતા રહેશે. પછી કોઈ વાત નો ઉત્તર નહીં મળશે તો સમજશે આ જાણતા કાંઈ પણ નથી અને કહે છે ભગવાન અમને ભણાવે છે એટલે પહેલાં-પહેલાં તો એક જ વાત પર રોકાઈ જાઓ. પહેલાં બાપ પર નિશ્ચય કરે કે બરોબર સર્વ આત્માઓ નાં બાપ એક જ છે અને એ છે રચયિતા. તો જરુર સંગમ પર જ આવશે. બાપ કહે છે હું યુગે-યુગે નહીં, કલ્પ નાં સંગમયુગ પર આવું છું. હું જ નવી સૃષ્ટિ નો રચયિતા. તો વચ્ચે કેવી રીતે આવીશ? હું આવું જ છું જૂની અને નવી ની વચ્ચે. આને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે. તમે પુરુષોત્તમ પણ અહીં બનો છો. લક્ષ્મી-નારાયણ સૌથી પુરુષોત્તમ છે. મુખ્ય-ઉદ્દેશ કેટલો સહજ છે. બધાને કહો આ સ્થાપના થઈ રહી છે. બાબાએ કહ્યું છે પુરુષોત્તમ શબ્દ જરુર લખો કારણકે અહીં તમે કનિષ્ટ થી પુરુષોત્તમ બનો છો. આવી-આવી મુખ્ય વાતો ભૂલવી ન જોઈએ. અને સવંત ની તારીખ પણ જરુર લખવી જોઈએ. અહીંયા તમારી પહેલાં થી રાજાઈ શરુ થઈ જાય છે, બીજાઓ ની રાજાઈ પહેલાં થી નથી હોતી. તે તો ધર્મસ્થાપક આવે ત્યારે તેમની પાછળ તેમનાં ધર્મ ની વૃદ્ધિ થાય. કરોડો બને ત્યારે રાજાઈ ચાલે. તમારી તો શરુઆત થી સતયુગ માં રાજાઈ હશે. આ કોઈને પણ બુદ્ધિ માં નથી આવતું કે સતયુગ માં આટલી રાજાઈ ક્યાંથી આવી? કળિયુગ અંત માં આટલાં અનેક ધર્મ છે, પછી સતયુગ માં એક ધર્મ, એક રાજ્ય કેવી રીતે થયું? કેટલાં હીરા-ઝવેરાતો નાં મહેલ છે. ભારત એવું હતું જેને પેરેડાઇઝ (વૈકુંઠ) કહેતાં હતાં. ૫ હજાર વર્ષ ની વાત છે. લાખો વર્ષ નો હિસાબ ક્યાંથી આવ્યો? મનુષ્ય કેટલાં મૂંઝાયેલાં છે. હવે તેમને કોણ સમજાવે? તે સમજે થોડી છે કે અમે આસુરી રાજ્ય માં છીએ. આમની (દેવતાઓ ની) તો મહિમા સર્વગુણ સમ્પન્ન…છે, એમનાં માં ૫ વિકાર નથી કારણ કે દેહી-અભિમાની છે તો બાપ કહે છે મુખ્ય વાત છે યાદ ની. ૮૪ જન્મ લેતાં-લેતાં તમે પતિત બન્યાં છો, હવે ફરી પવિત્ર બનવાનું છે. આ ડ્રામા નું ચક્ર છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન નાં ત્રીજા નેત્ર ને ધારણ કરી પોતાની દગાબાજ આંખો ને સિવિલ (પવિત્ર) બનાવવાની છે. યાદ થી જ કર્મેન્દ્રિયો શીતળ, સતોગુણી બનશે એટલે આ જ મહેનત કરવાની છે.

2. ધંધા વગેરે માંથી સમય કાઢી એકાંત માં જઈને યાદ માં બેસવાનું છે. કારણ જોવાનું છે કે અમારો યોગ કેમ નથી લાગતો? પોતાનો ચાર્ટ જરુર રાખવાનો છે.

વરદાન :-
સહનશક્તિ દ્વારા અવિનાશી અને મધુર ફળ પ્રાપ્ત કરવા વાળા સર્વ નાં સ્નેહી ભવ

સહન કરવું મરવું નથી પરંતુ બધાનાં દિલો માં સ્નેહ થી જીવવું છે. કેવા પણ વિરોધી હોય, રાવણ કરતાં પણ તેજ (વધારે) હોય, એક વાર નહીં ૧૦ વાર સહન કરવું પડે છતાં પણ સહનશક્તિ નું ફળ અવિનાશી અને મધુર છે. ફક્ત આ ભાવના નહીં રાખો કે મેં આટલું સહન કર્યુ તો તે પણ કાંઈક કરે. અલ્પકાળ નાં ફળ ની ભાવના નહીં રાખો. રહેમ ભાવ રાખો-આ જ છે સેવા ભાવ. સેવા ભાવ વાળા સર્વ ની કમજોરીઓ ને સમાવી લે છે. એમનો સામનો નથી કરતાં.

સ્લોગન :-
જે વીતી ચૂક્યું એને ભૂલી જાઓ, વીતેલી વાતો થી શિક્ષા લઈને આગળ માટે સદા સાવધાન રહો.

અવ્યક્ત ઈશારા - સ્વયં અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો

જેવી રીતે બાપદાદા ને રહેમ આવે છે, એવી રીતે આપ બાળકો પણ માસ્ટર રહેમદિલ બની પોતાની મન્સા વૃત્તિ થી વાયુમંડળ દ્વારા આત્માઓ ને બાપ દ્વારા મળેલી શક્તિઓ આપો. જ્યારે થોડા સમય માં વિશ્વ ની સેવા સંપન્ન કરવાની છે, તત્વો સહિત બધાને પાવન બનાવવાના છે તો મન્સા દ્વારા તીવ્રગતિ થી સેવા કરો, યોગ ની શકિતઓ નો પ્રયોગ કરો.