04-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
મીઠાં બાળકો -
શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનવા માટે સ્વયં ભગવાન તમને શ્રેષ્ઠ મત આપી રહ્યાં છે , જેનાથી
તમે નર્કવાસી થી સ્વર્ગવાસી બની જાઓ છો .
પ્રશ્ન :-
દેવતા બનવા વાળા બાળકોએ વિશેષ કઈ વાતો નું ધ્યાન રાખવાનું છે?
ઉત્તર :-
ક્યારેય કોઈ વાત માં રીસાવાનું નથી, ચહેરો મડદા જેવો નથી કરવાનો. કોઈને પણ દુઃખ નથી
આપવાનું. દેવતા બનવું છે તો મુખ થી સદૈવ ફૂલ નીકળે. જો કાંટા અથવા પથ્થર નીકળે છે
તો પથ્થર નાં પથ્થર રહ્યાં. ગુણ ખૂબ સારા ધારણ કરવાના છે. અહીં જ સર્વગુણ સમ્પન્ન
બનવાનું છે. સજા ખાશો તો પછી પદ સારું નહીં મળશે.
ઓમ શાંતિ!
નવા વિશ્વ કે
નવી દુનિયા નાં માલિક બનવા વાળા બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. આ તો બાળકો
સમજે છે કે બાપ આવ્યાં છે બેહદ નો વારસો આપવાં. આપણે લાયક નહોતાં. કહે છે કે હે
પ્રભુ, હું લાયક નથી, મને લાયક બનાવો. બાપ બાળકો ને સમજાવે છે-તમે મનુષ્ય તો છો, આ
દેવતાઓ પણ મનુષ્ય છે પરંતુ એમનાં માં દૈવીગુણ છે. આમને સાચાં-સાચાં મનુષ્ય કહેવાશે.
મનુષ્યો માં આસુરી ગુણ હોય છે તો ચલન જાનવરો જેવી થઈ જાય છે. દૈવીગુણ નથી, તો તેને
આસુરી ગુણ કહેવાય છે. હવે ફરી બાપ આવીને તમને શ્રેષ્ઠ દેવતા બનાવે છે. સચખંડ માં
રહેવાવાળા સાચાં-સાચાં મનુષ્ય આ લક્ષ્મી-નારાયણ છે, આમને પછી દેવતા કહેવાય છે. આમનાં
માં દૈવીગુણ છે. ભલે ગાય પણ છે હે પતિત-પાવન આવો. પરંતુ પાવન રાજાઓ કેવાં હોય છે પછી
પતિત રાજાઓ કેવાં હોય છે? આ રહસ્ય કોઈ નથી જાણતું. તે છે ભક્તિમાર્ગ. જ્ઞાન ને તો
બીજું કોઈ જાણતું નથી. આપ બાળકો ને બાપ સમજાવે છે અને આવાં બનાવે છે. કર્મ તો આ
દેવતાઓ પણ સતયુગ માં કરે છે. પરંતુ પતિત કર્મ નથી કરતાં. એમનાં માં દૈવીગુણ છે.
છી-છી કામ ન કરવા વાળા જ સ્વર્ગવાસી બને છે. નર્કવાસી પાસે માયા છી-છી કામ કરાવે
છે. હવે ભગવાન બેસીને શ્રેષ્ઠ કામ કરાવે છે અને શ્રેષ્ઠ મત આપે છે કે આવાં છી-છી
કામ નહીં કરો. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત આપે છે. દેવતાઓ
શ્રેષ્ઠ છે ને? રહે પણ છે નવી દુનિયા સ્વર્ગ માં. આ પણ તમારા માં નંબરવાર પુરુષાર્થ
અનુસાર જાણે છે એટલે માળા પણ બને છે ૮ ની અથવા ૧૦૮ ની, અને ૧૬૧૦૮ ની પણ કહેવાય, તે
પણ શું થયું? આટલાં કરોડ મનુષ્ય છે, આમાં ૧૬ હજાર નીકળે તો શું થયું? ક્વોટર
પર્સન્ટ (પા ટકા) પણ નથી. બાપ બાળકો ને કેટલાં ઊંચ બનાવે છે, રોજ બાળકો ને સમજાવે
છે કે કોઈ પણ વિકર્મ ન કરો. તમને આવાં બાપ મળ્યાં છે તો ખૂબ ખુશી થવી જોઈએ. તમે સમજો
છો કે આપણને બેહદ નાં બાપે એડોપ્ટ કર્યા (દત્તક લીધાં) છે. આપણે એમનાં બન્યાં છીએ.
બાપ છે સ્વર્ગ નાં રચયિતા. તો એવાં સ્વર્ગ નાં માલિક બનવા લાયક સર્વગુણ સંપન્ન બનવું
પડે. આ લક્ષ્મી-નારાયણ સર્વગુણ સમ્પન્ન હતાં. એમની લાયકી ની મહિમા કરાય છે, પછી ૮૪
જન્મો પછી ન-લાયક બની જાય છે. એક જન્મ પણ નીચે ઉતર્યા તો જરાક કળા ઓછી થઈ. આમ
ધીરે-ધીરે ઓછી થતી જાય છે. જાણે ડ્રામા પણ જું ની જેમ ચાલે છે ને? તમે પણ ધીરે-ધીરે
નીચે ઉતરો છો તો ૧૨૫૦ વર્ષ માં બે કળા ઓછી થઈ જાય છે. પછી રાવણ રાજ્ય માં
જલ્દી-જલ્દી કળા ઓછી થતી જાય છે. ગ્રહણ લાગી જાય છે. જેમ સૂર્ય-ચંદ્ર ને પણ ગ્રહણ
લાગે છે ને? એવું નથી કે ચંદ્રમા, સિતારાઓ ને ગ્રહણ નથી લાગતું, બધાને પૂરું ગ્રહણ
લાગેલું છે. હવે બાપ કહે છે યાદ થી જ ગ્રહણ ઉતરશે. કોઈ પણ પાપ ન કરો. પહેલાં નંબર
નું પાપ છે દેહ-અભિમાન માં આવવું. આ કઠોર પાપ છે. બાળકો ને આ એક જન્મ માટે જ શિક્ષા
મળે છે કારણકે હવે દુનિયા ને ચેંજ (પરિવર્તન) થવાનું છે. પછી આવી શિક્ષા ક્યારેય
મળતી નથી. બેરિસ્ટરી વગેરે ની શિક્ષા તો તમે જન્મ-જન્માંતર લેતા આવ્યાં છો. સ્કૂલ
વગેરે તો સદા છે જ. આ જ્ઞાન એક વાર મળ્યું, બસ. જ્ઞાન સાગર બાપ એક જ વાર આવે છે. એ
પોતાની અને પોતાની રચના નાં આદિ-મધ્ય-અંત ની બધી નોલેજ આપે છે. બાપ કેટલું સહજ
સમજાવે છે - તમે આત્માઓ પાર્ટધારી છો. આત્માઓ પોતાનાં ઘરે થી આવીને અહીંયા પાર્ટ
ભજવે છે. તેને મુક્તિધામ કહેવાય છે. સ્વર્ગ છે જીવનમુક્તિ. અહીં તો છે જીવનબંધ. આ
શબ્દ પણ યથાર્થ રીતે યાદ કરવાના છે. મોક્ષ ક્યારેય થતો નથી. મનુષ્ય કહે છે મોક્ષ મળી
જાય અર્થાત્ આવાગમન થી નીકળી જઈએ. પરંતુ પાર્ટ થી તો નીકળી ન શકાય. આ અનાદિ પૂર્વ
નિર્ધારિત ખેલ છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી હૂબહૂ રિપીટ થાય છે. સતયુગ માં એ જ
દેવતાઓ આવશે. પછી પાછળ થી ઈસ્લામી, બૌદ્ધિ વગેરે બધા આવશે. આ હ્યુમન (મનુષ્ય) ઝાડ
બની જશે. આનું બીજ ઉપર માં છે. બાપ છે મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ. મનુષ્ય સૃષ્ટિ તો
છે જ પરંતુ સતયુગ માં ખૂબ નાની હોય છે પછી ધીરે-ધીરે ખૂબ વૃદ્ધિ થતી જાય છે. અચ્છા,
પછી નાની કેવી રીતે થશે? બાપ આવીને પતિત થી પાવન બનાવે છે. કેટલાં થોડા પાવન બને
છે. કોટો માં કોઈ નીકળે છે. અડધોકલ્પ ખૂબ થોડા હોય છે. અડધા કલ્પ માં કેટલી વૃદ્ધિ
થાય છે. તો સૌથી વધારે સંપ્રદાય એ દેવતાઓ નો હોવો જોઈએ કારણકે પહેલાં-પહેલાં આ આવે
છે પરંતુ બીજા-બીજા ધર્મો માં ચાલ્યાં જાય છે કારણ કે બાપ ને જ ભૂલી ગયા છે. આ છે
એક જ ભૂલ નો ખેલ. ભૂલવાથી કંગાળ થઈ જાય છે. ભૂલતાં-ભૂલતાં એકદમ ભૂલી જાય છે. ભક્તિ
પણ પહેલાં એક ની કરે છે કારણ કે સર્વ ની સદ્દગતિ કરવા વાળા એક છે પછી બીજા કોઈની
ભક્તિ કેમ કરવી જોઈએ? આ લક્ષ્મી-નારાયણ ને પણ બનાવવા વાળા તો શિવ છે ને? શ્રીકૃષ્ણ
બનાવવા વાળા કેવી રીતે હશે? આ તો થઈ ન શકે. રાજયોગ શિખવાડવા વાળા શ્રીકૃષ્ણ કેવી
રીતે હશે? એ તો છે સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર). કેટલી ભૂલ કરી દીધી છે. બુદ્ધિ
માં બેસતું નથી. હવે બાપ કહે છે મને યાદ કરો અને દૈવીગુણ ધારણ કરો. કોઈ પણ પ્રોપર્ટી
(મિલકત) નો ઝઘડો વગેરે છે તો તેને ખલાસ કરી દો. ઝઘડો કરતાં-કરતાં તો પ્રાણ પણ નીકળી
જશે. બાપ સમજાવે છે આમણે છોડ્યું તો કોઈ ઝઘડો વગેરે થોડી કર્યો? ઓછું મળ્યું તો જવા
દો, તેનાં બદલે કેટલી રાજાઈ મળી ગઈ. બાબા બતાવે છે મને સાક્ષાત્કાર થયો વિનાશ અને
રાજાઈ નો તો કેટલી ખુશી થઈ! આપણને વિશ્વ ની બાદશાહી મળવાની છે તો આ બધું શું છે? એમ
થોડી કોઈ ભૂખે મરશે. વગર પૈસા વાળા પણ પેટ તો ભરે છે ને? મમ્મા કાંઈ લાવી શું? કેટલું
મમ્મા ને યાદ કરે છે. બાપ કહે છે યાદ કરો છો, આ તો ઠીક છે, પરંતુ હવે મમ્મા નાં
નામ-રુપ ને યાદ નથી કરવાનાં. આપણે પણ એમનાં જેવી ધારણા કરવાની છે. આપણે પણ મમ્મા
જેવાં સારા બનીને ગાદી લાયક બનીએ. ફક્ત મમ્મા ની મહિમા કરવાથી થોડી થઈ જશો? બાપ તો
કહે છે મામેકમ્ યાદ કરો, યાદ ની યાત્રા માં રહેવાનું છે. મમ્મા જેવું જ્ઞાન
સંભળાવવાનું છે. મમ્મા ની મહિમા નું સબૂત ત્યારે થાય જ્યારે તમે પણ એવાં મહિમા લાયક
બનીને દેખાડો. ફક્ત મમ્મા-મમ્મા કહેવાથી પેટ નહીં ભરાશે. વધારે જ પેટ પીઠ થી લાગી
જશે. શિવબાબા ને યાદ કરવાથી પેટ ભરાશે. આ દાદા ને પણ યાદ કરવાથી પેટ નહીં ભરાશે.
યાદ કરવાના છે એક ને. બલિહારી એક ની છે. યુક્તિઓ રચવી જોઈએ સર્વિસ (સેવા) ની. સદૈવ
મુખે થી ફૂલ નીકળે. જો કાંટા, પથ્થર નીકળે છે તો પથ્થર નાં પથ્થર રહ્યાં. ગુણ ખૂબ
સારા ધારણ કરવાના છે. તમારે અહીં સર્વગુણ સંપન્ન બનવાનું છે. સજા ખાશો તો પછી પદ
સારું નહીં મળશે. અહીં બાળકો આવે છે બાપ ને ડાયરેક્ટ સાંભળવાં. અહીંયા તાજો-તાજો નશો
બાબા ચઢાવે છે. સેવાકેન્દ્ર પર નશો ચઢે છે પછી ઘરે ગયા, સંબંધી વગેરે જોયા તો ખલાસ.
અહીં તમે સમજો છો અમે બાબા નાં પરિવાર માં બેઠાં છીએ. ત્યાં આસુરી પરિવાર હોય છે.
કેટલાં ઝઘડા વગેરે રહે છે. ત્યાં જવાથી જ કીચડપટ્ટી માં જઈને પડે છે. અહીં તો તમને
બાપ ભૂલવા ન જોઈએ. દુનિયામાં સાચ્ચી શાંતિ કોઈને પણ મળી ન શકે. પવિત્રતા, સુખ, શાંતિ,
સંપત્તિ બાપ સિવાય કોઈ આપી ન શકે. એવું નથી કે બાપ આશીર્વાદ કરે છે-આયુષ્યવાન ભવ,
પુત્રવાન ભવ. ના, આશીર્વાદ થી કાંઈ પણ નથી મળતું. આ મનુષ્યો ની ભૂલ છે. સંન્યાસી
વગેરે પણ આશીર્વાદ નથી કરી શકતાં. આજે આશીર્વાદ આપશે, કાલે સ્વયં જ મરી જાય. પોપ (ખ્રિસ્તીઓનાં
ધર્મગુરુ) પણ જુઓ કેટલાં થઈને ગયા છે. ગુરુ લોકો ની ગાદી ચાલે છે, નાનપણ માં પણ ગુરુ
મરી જાય છે પછી બીજા કરી લે છે અથવા નાનાં ચેલા ને ગુરુ બનાવી દે છે. આ તો બાપદાદા
છે આપવા વાળા. આ લઈને શું કરશે? બાપ તો નિરાકાર છે ને? લેશે સાકાર. આ પણ સમજવાની
વાત છે. એવું ક્યારેય ન કહેવું જોઈએ કે અમે શિવબાબા ને આપીએ છીએ. ના, આપણે શિવબાબા
પાસે થી પદમ લીધું, આપ્યું નથી. બાબા તો તમને અગણિત આપે છે. શિવબાબા તો દાતા છે, તમે
એમને આપશો કેવી રીતે? મેં આપ્યું, આ સમજવા થી પછી દેહ-અભિમાન આવી જાય છે. આપણે
શિવબાબા પાસે થી લઈ રહ્યાં છીએ. બાબા ની પાસે આટલાં અનેક બાળકો આવે છે, આવીને રહે
છે તો પ્રબંધ જોઈએ ને? એટલે તમે આપો છો પોતાનાં માટે. એમને પોતાનું થોડી કાંઈ કરવાનું
છે? રાજધાની પણ તમને આપે છે એટલે કરો પણ તમે છો. તમને પોતાનાં કરતાં પણ ઊંચ બનાવું
છું. આવાં બાપ ને તમે ભૂલી જાઓ છો. અડધોકલ્પ પૂજ્ય, અડધોકલ્પ પુજારી. પૂજ્ય બનવાથી
તમે સુખધામ નાં માલિક બનો છો પછી પુજારી બનવા થી દુઃખધામ નાં માલિક બની જાઓ છો. આ
પણ કોઈને ખબર નથી કે બાપ ક્યારે આવીને સ્વર્ગ ની સ્થાપના કરે છે? આ વાતો ને તો આપ
સંગમયુગી બ્રાહ્મણ જ જાણો છો. બાબા આટલું સારી રીતે સમજાવે છે છતાં પણ બુદ્ધિ માં
નથી બેસતું. જેમ બાબા સમજાવે છે તેમ યુક્તિ થી સમજાવવું જોઈએ. પુરુષાર્થ કરી એવું
શ્રેષ્ઠ બનવાનું છે. બાપ બાળકો ને સમજાવે છે બાળકો માં ખૂબ સારા દેવીગુણ હોવાં જોઈએ.
કોઈ વાત માં રીસાવાનું નથી, ચહેરો મુર્દા જેવો નથી કરવાનો. બાપ કહે છે એવાં કોઈ કામ
હવે ન કરો. ચંડી દેવી નો પણ મેળો લાગે છે. ચંડિકા તેમને કહેવાય જે બાપ ની મત પર નથી
ચાલતી. જે દુઃખ આપે છે, એવી ચંડિકાઓ નો પણ મેળો લાગે છે. મનુષ્ય અજ્ઞાની છે ને,
અર્થ થોડી સમજે છે? કોઈ માં તાકાત નથી, તે તો જાણે ખોખલા છે. તમે બાબા ને સારી રીતે
યાદ કરો છો તો બાપ દ્વારા તમને તાકાત મળે છે. પરંતુ અહીંયા રહેતાં પણ અનેક ની બુદ્ધિ
બહાર ભટકતી રહે છે એટલે બાબા કહે છે અહીં ચિત્રો ની સામે બેસી જાઓ તો તમારી બુદ્ધિ
આમાં બીઝી (વ્યસ્ત) રહેશે. ગોળા પર, સીડી પર કોઈને સમજાવો તો બોલો સતયુગ માં ખૂબ
થોડા મનુષ્ય હોય છે. હમણાં તો અસંખ્ય મનુષ્ય છે. બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા નવી
દુનિયા ની સ્થાપના કરાવું છું, જૂની દુનિયા નો વિનાશ કરાવું છું. આવી-આવી પ્રેક્ટિસ
કરવી જોઈએ. પોતાનું મુખ પોતે જ ખોલી શકો છો. અંદર જે ચાલે છે તે બહાર પણ નીકળવું
જોઈએ. મૂંગા તો નથી ને? ઘર માં બુમો પાડવા માટે મુખ ખુલે છે, જ્ઞાન સંભળાવવા માટે
નથી ખુલતું! ચિત્ર તો બધાને મળી શકે છે, હિંમત રાખવી જોઈએ-પોતાનાં ઘર નું કલ્યાણ
કરીએ. પોતાનો રુમ ચિત્રો થી શણગારી દો તો બીઝી રહેશો. આ જાણે તમારી લાઈબ્રેરી થઈ જશે.
બીજાઓ નું કલ્યાણ કરવા માટે ચિત્ર વગેરે લગાવી દેવા જોઈએ. જે આવે તેમને સમજાવો. તમે
ખૂબ સર્વિસ (સેવા) કરી શકો છો. થોડું પણ સાંભળ્યું તો પ્રજા બની જશે. બાબા આટલી
ઉન્નતિ ની યુક્તિઓ બતાવે છે. બાપ ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. બાકી ગંગા
માં જઈને એકદમ ડૂબી જાઓ તો પણ વિકર્મ વિનાશ નહીં થશે. આ બધી છે અંધશ્રદ્ધા.
હરિદ્વાર માં તો આખાં શહેર ની ગંદકી આવીને ગંગા માં પડે છે. સાગર માં કેટલી ગંદકી
પડે છે. નદીઓ માં પણ કચરો પડતો રહે છે, તેનાથી પછી પાવન કેવી રીતે બની શકે? માયા એ
બધાને બિલકુલ બેસમજ બનાવી દીધાં છે.
બાપ બાળકો ને જ કહે છે કે મને યાદ કરો. તમારો આત્મા બોલાવે છે ને - હે પતિત-પાવન આવો.
તે તમારા શરીર નાં લૌકિક બાપ તો છે. પતિત-પાવન એક જ બાપ છે. હમણાં આપણે એ પાવન
બનાવવા વાળા બાપ ને યાદ કરીએ છીએ. જીવનમુક્તિ દાતા એક જ છે, બીજું ન કોઈ. આટલી સહજ
વાત નો અર્થ પણ કોઈ સમજતા નથી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મુખ થી
જ્ઞાન-રત્ન બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ક્યારેય મુખે થી કાંટા કે પથ્થર નથી
કાઢવાનાં. પોતાનું અને ઘર નું કલ્યાણ કરવા માટે ઘર માં ચિત્ર સજાવી દેવાના છે, તેનાં
પર વિચાર-સાગર-મંથન કરી બીજાઓ ને સમજાવવા નું છે. બીઝી રહેવાનું છે.
2. બાપ પાસે થી
આશીર્વાદ માગવાનાં બદલે તેમની શ્રેષ્ઠ મત પર ચાલવાનું છે. બલિહારી શિવ બાબા ની છે
એટલે એમને જ યાદ કરવાના છે. આ અભિમાન ન આવે કે અમે બાબા ને આટલું આપ્યું.
વરદાન :-
બાપ સમાન
સ્થિતિ દ્વારા સમય ને સમીપ લાવવા વાળા તતત્વમ્ નાં વરદાની ભવ
પોતાપણા ને (મારાપણું)
ખતમ કરવું અર્થાત્ બાપ સમાન સ્થિતિ માં સ્થિત થઈને સમય ને સમીપ લાવવો. જ્યાં પોતાનાં
દેહ માં અથવા પોતાની કોઈ પણ વસ્તુ માં મારાપણું છે ત્યાં સમાનતા માં પર્સન્ટેજ છે,
પર્સન્ટેજ એટલે ડિફેક્ટ, એવી ડિફેક્ટ વાળા ક્યારેય પરફેક્ટ નથી બની શકતાં. પરફેક્ટ
બનવા માટે બાપ નાં લવ માં સદા લવલીન રહો. સદા લવ માં લવલીન રહેવા થી સહજ જ બીજાઓ ને
પણ આપ-સમાન તથા બાપ-સમાન બનાવી શકશો. બાપદાદા પોતાનાં લવલી અને લવલીન રહેવા વાળા
બાળકો ને સદા તતત્વમ્ નું વરદાન આપે છે.
સ્લોગન :-
એક-બીજા નાં
વિચારો ને રિગાર્ડ આપો તો સ્વયં નો રેકોર્ડ સારો બની જશે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
મન્સા સેવા માટે
મન-બુદ્ધિ વ્યર્થ વિચારો થી મુક્ત થવાં જોઈએ. ‘મનમનાભવ’ નાં મંત્ર નું સહજ સ્વરુપ
થવું જોઈએ, જે શ્રેષ્ઠ આત્માઓ ની મન્સા અર્થાત્ સંકલ્પ શ્રેષ્ઠ અને શક્તિશાળી છે
શુભ-ભાવના, શુભ-કામના વાળા છે તે મન્સા દ્વારા શક્તિઓ નું દાન આપી શકે છે.