06-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
ભવિષ્ય ઊંચ કુળ માં આવવાનો આધાર છે ભણતર , આ ભણતર થી જ તમે બેગર ટૂ પ્રિન્સ બની શકો
છો”
પ્રશ્ન :-
ગોલ્ડન સ્પૂન ઈન માઉથ (મુખ માં સોના ની ચમચી) બે પ્રકાર થી પ્રાપ્ત થઈ શકે છે, કેવી
રીતે?
ઉત્તર :-
એક ભક્તિ માં દાન-પુણ્ય કરવાથી, બીજું જ્ઞાન માં ભણતર થી. ભક્તિ માં દાન-પુણ્ય કરે
છે તો રાજા અથવા સાહૂકાર ની પાસે જન્મ લે છે પરંતુ તે થઈ ગયું હદ નું. તમે જ્ઞાન
માં ભણતર થી ગોલ્ડન સ્પૂન ઈન માઉથ મેળવો છો. આ છે બેહદ ની વાત. ભક્તિ માં ભણતર થી
રાજાઈ નથી મળતી. અહીં તો જેટલું સારી રીતે ભણે છે, એટલું ઊંચ પદ મેળવે છે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકિલધા બાળકો ને રુહાની બાપ સમજાવે છે, આને કહેવાય છે રુહાની જ્ઞાન. બાપ આવીને
ભારતવાસી બાળકો ને સમજાવે છે, સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો, આ બાપે ખાસ
ફરમાન કર્યુ છે તો તે માનવું જોઈએ ને? ઊંચા માં ઊંચા બાપ ની શ્રીમત પ્રસિદ્ધ છે. આ
પણ આપ બાળકો ને જ્ઞાન છે કે ફક્ત શિવબાબા ને જ શ્રી શ્રી કહી શકાય છે. એ જ શ્રી શ્રી
બનાવે છે, શ્રી એટલે શ્રેષ્ઠ. આપ બાળકો ને હમણાં ખબર પડી છે કે આમને બાપે આવાં
બનાવ્યાં. આપણે હમણાં નવી દુનિયા માટે ભણી રહ્યાં છીએ. નવી દુનિયાનું નામ જ છે
સ્વર્ગ, અમરપુરી. મહિમા માટે નામ ખૂબ છે. કહે પણ છે સ્વર્ગ અને નર્ક. ફલાણા
સ્વર્ગવાસી થયા એટલે નર્કવાસી હતાં ને? પરંતુ મનુષ્યો માં આટલી સમજ નથી.
સ્વર્ગ-નર્ક, નવી દુનિયા, જૂની દુનિયા કોને કહેવાય છે? કાંઈ પણ જાણતા નથી. બહાર નો
ભપકો કેટલો છે. આપ બાળકો માં પણ થોડા છે જે સમજે છે બરોબર અમને બાપ ભણાવે છે. અમે આ
લક્ષ્મી-નારાયણ બનવા માટે આવ્યાં છીએ. આપણે બેગર ટૂ પ્રિન્સ (રાજકુમાર) બનીશું.
પહેલાં-પહેલાં આપણે જઈને રાજકુમાર બનીશું. આ ભણતર છે, જેમ એન્જીનિયરી, બેરિસ્ટરી
વગેરે ભણે છે તો બુદ્ધિ માં રહે છે કે અમે ઘર બનાવીશું પછી આ કરીશું… દરેક ને પોતાનું
કર્તવ્ય સ્મૃતિ માં આવે છે. આપ બાળકોએ જઈને ખૂબ ઊંચ ઘર માં જન્મ લેવાનો છે આ ભણતર
થી. જે જેટલાં વધારે ભણશે તેટલાં ખૂબ ઊંચ ઘર માં જન્મ લેશે. રાજા નાં ઘર માં જન્મ
લઈ પછી રાજાઈ ચલાવવાની છે. ગવાય પણ છે ગોલ્ડન સ્પૂન ઈન માઉથ. એક તો જ્ઞાન દ્વારા આ
ગોલ્ડન સ્પૂન ઈન માઉથ મળી શકે છે. બીજું, જો દાન-પુણ્ય સારી રીતે કરે તો પણ રાજા ની
પાસે જન્મ મળશે. તે થઈ ગયું હદ નું. આ છે બેહદ નું. દરેક વાત સારી રીતે સમજો. કાંઈ
પણ સમજ માં ન આવે તો પૂછી શકો છો. નોંધ કરો આ-આ વાતો બાબા ને પૂછવાની છે. મુખ્ય છે
જ બાપ ની યાદ ની વાત. બાકી કોઈ સંશય વગેરે છે તો તેને ઠીક કરી દેશે. આ પણ બાળકો જાણે
છે જેટલું ભક્તિ માર્ગ માં દાન-પુણ્ય કરે છે તો સાહૂકાર ની પાસે જન્મ લે છે. જો કોઈ
ખરાબ કર્મ કરે છે તો પછી એવો જન્મ મળે છે. કોઈ-કોઈ નાં તો એવાં કર્મબંધન છે જે વાત
ન પૂછો. આ બધા છે પાસ્ટ (ભૂતકાળ) નાં કર્મબંધન. રાજાઓ પણ કોઈ-કોઈ એવાં હોય છે, ખૂબ
કર્મબંધન કડા (કઠોર) હોય છે. આ લક્ષ્મી-નારાયણ ને તો કોઈ બંધન નથી. ત્યાં છે જ
યોગબળ ની રચના. જ્યારે યોગબળ થી આપણે વિશ્વ ની રાજાઈ લઈ શકીએ છીએ તો શું બાળક નો
જન્મ નથી થઈ શકતો? પહેલાં થી જ સાક્ષાત્કાર થઈ જાય છે. ત્યાં તો આ કોમન (સામાન્ય)
વાત છે. ખુશી માં વાજા વાગતા રહે છે. વૃદ્ધ થી બાળક બની જાય છે. મહાત્મા કરતાં પણ
બાળક ને વધારે માન અપાય છે કારણકે તે મહાત્મા તો છતાં પણ આખું જીવન પસાર કરી મોટા
થયા છે. વિકારો ને જાણે છે. નાનાં બાળકો નથી જાણતા એટલે મહાત્મા કરતાં પણ ઊંચા
કહેવાય છે. ત્યાં તો બધા મહાત્માઓ છે. શ્રીકૃષ્ણ ને પણ મહાત્મા કહેવાય છે. તે છે
સાચાં મહાત્મા. સતયુગ માં જ મહાન આત્માઓ હોય છે. તેમનાં જેવા અહીં કોઈ બની ન શકે.
આપ બાળકો ને અંદર ખૂબ
ખુશી થવી જોઈએ. હવે આપણે નવી દુનિયા માં જન્મ લઈશું. આ જૂની દુનિયા ખતમ થવાની છે.
ઘર જૂનું થાય છે તો નવાં ઘર ની ખુશી હોય છે ને? કેટલાં સારા-સારા માર્બલ વગેરે નાં
ઘર બનાવે છે. જૈન લોકો ની પાસે પૈસા ખૂબ હોય છે, તેઓ પોતાને ઊંચ કુળ નાં સમજે છે.
હકીકત માં અહીં કોઈ ઊંચ કુળ તો નથી. ઊંચ કુળ માં લગ્ન માટે ઘર શોધે છે. ત્યાં કુળ
વગેરે ની વાત નથી હોતી. ત્યાં તો એક જ દેવતાઓ નું કુળ હોય છે, બીજું ન કોઈ. એનાં
માટે તમે સંગમ પર અભ્યાસ કરો છો કે અમે એક બાપ નાં બાળકો બધા આત્મા છીએ. આત્મા છે
પહેલાં, પછી છે શરીર. દુનિયામાં બધા દેહ-અભિમાની રહે છે. તમારે હવે દેહી-અભિમાની
બનવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પોતાની અવસ્થા ને જમાવવાની છે. બાબા નાં
કેટલાં બાળકો છે, કેટલો મોટો ગૃહસ્થ છે, કેટલાં વિચાર રહેતાં હશે? આમણે પણ મહેનત
કરવી પડે છે. હું કોઈ સંન્યાસી નથી. બાપે આમના માં પ્રવેશ કર્યો છે.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર નું ચિત્ર પણ છે ને? બ્રહ્મા છે સૌથી ઊંચા. તો તેમને છોડી બાપ
કોના માં આવશે? બ્રહ્મા કોઈ નવાં જન્મતા નથી. જુઓ છો ને-આમને કેવી રીતે એડોપ્ટ કરું
છું? તમે કેવી રીતે બ્રાહ્મણ બનો છો? આ વાતો ને તમે જ જાણો બીજા શું જાણે? કહે છે આ
તો ઝવેરી હતાં, આમને તમે બ્રહ્મા કહો છો? તેમને શું ખબર આટલાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ
નો કેવી રીતે જન્મ થશે? એક-એક વાત માં કેટલું સમજાવવું પડે છે. આ ખૂબ ગુહ્ય વાતો છે
ને? આ બ્રહ્મા વ્યક્ત, એ અવ્યક્ત. આ પવિત્ર બની પછી અવ્યક્ત થઈ જાય છે. આ કહે છે -
હું આ સમયે પવિત્ર નથી. એવો પવિત્ર બની રહ્યો છું. પ્રજાપિતા તો અહીં હોવા જોઈએ ને?
નહીં તો ક્યાંથી આવે? બાપ સ્વયં સમજાવે છે હું પતિત શરીર માં આવું છું, જરુર આમને જ
પ્રજાપિતા કહેવાશે. સૂક્ષ્મવતન માં નહીં કહેવાશે. ત્યાં પ્રજા શું કરશે? આ
ઇન્ડિપેન્ડન્ટ પવિત્ર બની જાય છે. જેમ આ પણ પુરુષાર્થ કરે છે તેમ તમે પુરુષાર્થ કરી
ઇન્ડિપેન્ડન્ટ પવિત્ર બની જાઓ છો. વિશ્વ નાં માલિક બનો છો ને? સ્વર્ગ અલગ, નર્ક અલગ
છે. હમણાં તો કેટલાં ટુકડા-ટુકડા થઈ ગયાં છે. ૫ હજાર વર્ષ પહેલાં ની વાત છે જ્યારે
એમનું રાજ્ય હતું. તે લોકો પછી લાખો વર્ષ કહી દે છે. આ વાતો સમજશે પણ એ જ જેમણે
કલ્પ પહેલાં સમજી હશે. તમે જુઓ છો અહીં મુસલમાન, પારસી વગેરે બધા આવે છે. મુસલમાન
પોતે પછી હિન્દુઓ ને નોલેજ આપી રહ્યાં છે. વન્ડર છે ને? સમજો કોઈ સિક્ખ ધર્મ નાં
છે, તે પણ બેસીને રાજયોગ શીખવાડે છે. જે કનવર્ટ (બદલી) થયા છે તે પછી ટ્રાન્સફર થઈ
દેવતા કુળ માં આવી જશે. સૈપલિંગ (કલમ) લાગે છે. તમારી પાસે ક્રિશ્ચન, પારસી પણ આવે
છે, બૌદ્ધી પણ આવશે. આપ બાળકો જાણો છો જ્યારે સમય નજીક આવશે ત્યારે ચારેય બાજુઓ થી
આપણું નામ નીકળશે. એક જ ભાષણ તમે કરશો તો અનેક તમારી પાસે આવી જશે. બધાને સ્મૃતિ આવી
જશે અમારો સાચ્ચો ધર્મ આ છે. જે આપણા ધર્મ નાં હશે તે બધા આવશે તો ખરા ને? લાખો
વર્ષ ની વાત નથી. બાપ સમજાવે છે તમે કાલે દેવતા હતાં, હવે ફરી દેવતા બનવા માટે બાપ
પાસે થી વારસો લઈ રહ્યાં છો.
તમે સાચાં-સાચાં
પાંડવ છો, પાંડવ અર્થાત્ પન્ડા. તે છે શરીરધારી પન્ડા. તમે બ્રાહ્મણ છો રુહાની પન્ડા.
તમે હમણાં બેહદ નાં બાપ પાસે થી ભણી રહ્યાં છો. આ નશો તમને ખૂબ હોવો જોઈએ. અમે બાપ
ની પાસે જઈએ છીએ, જેમની પાસે થી બેહદ નો વારસો મળે છે. એ અમારા બાપ શિક્ષક પણ છે,
આમાં ભણવા માટે કોઈ ટેબલ ખુરશી વગેરે ની જરુર નથી. આ તમે લખો છો તે પણ પોતાનાં
પુરુષાર્થ માટે. હકીકત માં આ સમજવાની વાત છે. શિવબાબા તમને પત્ર લખવા માટે આ
પેન્સિલ વગેરે ઉઠાવે છે, બાળકો સમજશે શિવબાબા નાં લાલ અક્ષર આવ્યાં છે. બાપ લખે છે
રુહાની બાળકો. બાળકો પણ સમજે છે રુહાની બાબા. એ ખૂબ ઊંચા માં ઊંચા છે, તેમની મત પર
ચાલવાનું છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળું છે. તે
ભૂત નાં વશ નહીં થાઓ. પવિત્ર બનો. બોલાવો પણ છો હે પતિત-પાવન. આપ બાળકો ને હમણાં
ખૂબ તાકાત મળે છે, રાજ્ય કરવાની. જે કોઈ જીત મેળવી ન શકે. તમે કેટલાં સુખી બનો છો!
તો આ ભણતર પર કેટલું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ? આપણને બાદશાહી મળે છે. તમે જાણો
છો આપણે શું થી શું બની રહ્યાં છીએ. ભગવાનુવાચ છે ને? હું તમને રાજયોગ શીખવાડું
છું, રાજાઓ નાં રાજા બનાવું છું. ભગવાન કોને કહેવાય છે, આ પણ કોઈને ખબર નથી. આત્મા
પોકારે છે-ઓ બાબા! તો ખબર હોવી જોઈએ ને-એ ક્યારે અને કેવી રીતે આવશે? મનુષ્ય જ તો
ડ્રામા નાં આદિ-મધ્ય-અંત, ડ્યુરેશન (સમયગાળા) વગેરે ને જાણશે ને? જાણવાથી તમે દેવતા
બની જાઓ છો. જ્ઞાન છે જ સદ્દગતિ માટે. આ સમયે છે કળિયુગ નો અંત. બધા દુર્ગતિ માં
છે. સતયુગ માં હોય છે સદ્દગતિ. હમણાં તમે જાણો છો બાબા આવેલા છે - સર્વ ની સદ્દગતિ
કરવાં. બધાને જગાડવા આવ્યાં છે. કોઈ કબર થોડી છે? પરંતુ ઘોર અંધકાર માં પડ્યાં છે,
તેમને જગાડવા આવે છે. જે બાળકો ઘોર નિંદ્રા થી જાગી જાય છે તેમની અંદર ખુશી ખૂબ થાય
છે, અમે શિવબાબા નાં બાળક છીએ, કોઈ પ્રકાર ની ફિકર નથી. બાપ અમને વિશ્વ નાં માલિક
બનાવે છે. રડવાનું નામ નથી. આ છે રડવાની દુનિયા. તે છે હર્ષિત રહેવાની દુનિયા. તેમનાં
ચિત્ર જુઓ કેવાં શોભનિક હસમુખ બનાવે છે. તે ફિચર્સ તો અહીં બનાવી ન શકે. બુદ્ધિ થી
સમજે છે એમનાં જેવાં ફિચર્સ જોવામાં આવે છે. આપ મીઠાં-મીઠાં બાળકો ને હમણાં સ્મૃતિ
આવી છે કે ભવિષ્ય માં અમરપુરી નાં આપણે પ્રિન્સ બનીશું. આ મૃત્યુલોક ને, આ ભંભોર ને
આગ લાગવાની છે. સિવિલવોર (ગૃહયુદ્ધ) માં પણ એક-બીજા ને મારે કેવી રીતે છે, કોને અમે
મારીએ છે તે પણ ખબર નથી પડતી. હાહાકાર પછી જયજયકાર થવાનો છે. તમારો વિજય, બાકી બધા
વિનાશ થઈ જશે. રુદ્ર ની માળા માં પરોવાઈ પછી વિષ્ણુ ની માળા માં પરોવાઈ જશો. હમણાં
તમે પુરુષાર્થ કરો છો પોતાનાં ઘરે જવા માટે. ભક્તિ નો કેટલો ફેલાવો છે. જેમ ઝાડ નાં
અનેક પાન હોય છે તેમ ભક્તિ નો ફેલાવો છે. બીજ છે જ્ઞાન. બીજ કેટલું નાનું છે. બીજ
છે બાબા, આ ઝાડ ની સ્થાપના, પાલના અને વિનાશ કેવી રીતે થાય છે? આ તમે જાણો છો. આ
વેરાઈટી ધર્મો નું ઉલ્ટું ઝાડ છે. દુનિયા માં એક પણ નથી જાણતાં. હવે બાળકોએ ખૂબ
મહેનત કરવાની છે બાપ ને યાદ કરવાની, તો વિકર્મ વિનાશ થાય. તે ગીતા સંભળાવવા વાળા પણ
કહે છે મનમનાભવ. બધા દેહ નાં ધર્મ છોડી સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. મનુષ્ય
આનો અર્થ થોડી સમજે છે? તે છે જ ભક્તિ માર્ગ. આ છે જ્ઞાન માર્ગ. આ રાજધાની સ્થાપન
થઈ રહી છે. ફિકર ની કોઈ વાત નથી. જેમણે થોડું પણ જ્ઞાન સાંભળ્યું તો પ્રજા માં આવી
જશે. જ્ઞાન નો વિનાશ નથી થતો. બાકી જે યથાર્થ જાણી પુરુષાર્થ કરે છે એ જ ઊંચું પદ
મેળવે છે. આ બુદ્ધિ માં સમજ છે ને? આપણે પ્રિન્સ બનવા વાળા છીએ, નવી દુનિયામાં.
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પરીક્ષા પાસ કરે છે તો તેમને કેટલી ખુશી થાય છે. તમને તો
હજાર વાર વધારે અતીન્દ્રિય સુખ હોવું જોઈએ. આપણે આખા વિશ્વ નાં માલિક બનીએ છીએ. કોઈ
પણ વાત માં ક્યારેય રિસાવાનું નથી. બ્રાહ્મણી સાથે નથી બનતું, બાપ થી રિસાય છે, અરે
તમે બાપ સાથે બુદ્ધિ નો યોગ લગાવો ને? એમને તો પ્રેમ થી યાદ કરો. બાબા, બસ, તમને જ
યાદ કરતા-કરતા અમે ઘરે આવી જઈશું. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાત
ની ફિકર નથી કરવાની, સદા હર્ષિત રહેવાનું છે. સ્મૃતિ રહે આપણે શિવબાબા નાં બાળકો
છીએ. બાપ આવ્યાં છે આપણને વિશ્વ નાં માલિક બનાવવાં.
2. પોતાની અવસ્થા ને
એકરસ બનાવવા માટે દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આ જૂનાં ઘર માંથી મમત્વ
કાઢી નાખવાનું છે.
વરદાન :-
મનન શક્તિ
દ્વારા બુદ્ધિ ને શક્તિશાળી બનાવવા વાળા માસ્ટર સર્વ શક્તિવાન્ ભવ
મનન શક્તિ જ દિવ્ય
બુદ્ધિ નો ખોરાક છે. જેવી રીતે ભક્તિ માં સિમરણ કરવાનાં અભ્યાસી છે, એવી રીતે જ્ઞાન
માં સ્મૃતિ ની શક્તિ છે. આ શક્તિ દ્વારા માસ્ટર સર્વ શક્તિવાન્ બનો. રોજ અમૃતવેલા
પોતાનાં એક ટાઈટલ ને સ્મૃતિ માં લાવો અને મનન કરતા રહો તો મનન શક્તિ થી બુદ્ધિ
શક્તિશાળી રહેશે. શક્તિશાળી બુદ્ધિ ની ઉપર માયા નો વાર નથી થઈ શકતો, પરવશ નથી થઈ
શકતા કારણકે માયા સૌથી પહેલાં વ્યર્થ સંકલ્પ રુપી વાણી દ્વારા દિવ્ય બુદ્ધિ ને જ
કમજોર બનાવે છે, આ કમજોરી થી બચવાનું સાધન જ છે મનન શક્તિ.
સ્લોગન :-
આજ્ઞાકારી
બાળકો જ દુવાઓ નાં પાત્ર છે, દુવાઓ નો પ્રભાવ દિલ ને સદા સંતુષ્ટ રાખે છે.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવા નો અભ્યાસ કરો અંતર્મુખી બનો
સદા બેહદ ની આત્મિક
દૃષ્ટિ, ભાઈ-ભાઈ નાં સંબંધ ની વૃત્તિ થી કોઈ પણ આત્મા પ્રત્યે શુભ ભાવના રાખવાનું
ફળ જરુર પ્રાપ્ત થાય છે એટલે પુરુષાર્થ થી થાકો નહીં, દિલશિકસ્ત પણ ન બનો. નિશ્ચય
બુદ્ધિ બની, મારાપણા નાં સંબંધ થી ન્યારા થઈ શાંતિ અને શક્તિ નો સહયોગ આત્માઓ ને
આપતા રહો.