06-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
આ જ ચિંતા રહે કે અમે કેવી રીતે બધાને સુખધામ નો રસ્તો બતાવીએ , બધાને ખબર પડે કે આ
જ પુરુષોત્તમ બનવાનો સંગમયુગ છે”
પ્રશ્ન :-
આપ બાળકો પરસ્પર એક-બીજા ને કઈ મુબારક આપો છો? મનુષ્ય મુબારક ક્યારે આપે છે?
ઉત્તર :-
મનુષ્ય મુબારક ત્યારે આપે, જ્યારે કોઈ જન્મે છે, વિજયી બને છે અથવા લગ્ન કરે છે અથવા
કોઈ મોટો દિવસ હોય છે. પરંતુ તે કોઈ સાચ્ચી મુબારક નથી. આપ બાળકો એક-બીજા ને બાપ
નાં બનવાની મુબારક આપો છો. તમે કહો છો કે અમે કેટલા ખુશનસીબ છીએ, જે બધાં દુઃખો થી
છૂટી સુખધામ માં જઈએ છીએ. તમને મન માં ને મન માં ખુશી થાય છે.
ઓમ શાંતિ!
બેહદનાં બાપ
બેસી બેહદ નાં બાળકો ને સમજાવે છે. હવે પ્રશ્ન ઉઠે છે, બેહદ નાં બાપ કોણ? આ તો જાણો
છો કે સર્વ નાં બાપ એક છે, જેમને પરમપિતા કહેવાય છે. લૌકિક બાપ ને પરમપિતા નથી
કહેવાતું. પરમપિતા તો એક જ છે, એમને બધાં બાળકો ભૂલી ગયાં છે એટલે પરમપિતા પરમાત્મા
જે દુઃખહર્તા, સુખકર્તા છે એમને આપ બાળકો જાણો છો કે બાપ આપણા દુઃખ કેવી રીતે હરી
રહ્યાં છે પછી સુખ-શાંતિ માં ચાલ્યા જઈશું. બધાં તો સુખ માં નહીં જશે. કોઈ સુખ માં,
કોઈ શાંતિ માં ચાલ્યાં જશે. કોઈ સતયુગ માં પાર્ટ ભજવે, કોઇ ત્રેતા માં, કોઈ દ્વાપર
માં. તમે સતયુગ માં રહો છો તો બાકી બધાં મુક્તિધામ માં. તેને કહેવાશે ઇશ્વર નું ઘર.
મુસલમાન લોકો જ્યારે નમાઝ વાંચે છે તો બધાં મળીને ખુદાતાલા ની બંદગી (ભગવાન ની
આરાધના) કરે છે. શેનાં માટે? શું બહિશ્ત (સ્વર્ગ) માટે કે અલ્લાહ (ભગવાન) ની પાસે
જવા માટે. અલ્લાહ નાં ઘર ને બહિશ્ત નહીં કહેવાશે. ત્યાં તો આત્માઓ શાંતિ માં રહે
છે. શરીર નથી રહેતાં. આ જાણતાં હશે અલ્લાહ ની પાસે શરીર થી નહીં પરંતુ આત્માઓ જઇશું.
હવે ફક્ત અલ્લાહ ને યાદ કરવાથી તો કોઈ પવિત્ર નહીં બની જશે. અલ્લાહ ને તો જાણતાં જ
નથી. હવે આ મનુષ્યો ને કેવી રીતે સલાહ આપીએ કે બાપ સુખ-શાંતિ નો વારસો આપી રહ્યાં
છે. વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય છે, વિશ્વ માં શાંતિ ક્યારે હતી - આ તેઓને કેવી
રીતે સમજાવીએ. સર્વિસએબુલ (સેવાધારી) બાળકો જે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર તેમને આ
ચિંતન રહે છે. આપ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો ને જ બાપે પોતાનો પરિચય આપ્યો છે,
આખી દુનિયાનાં મનુષ્ય-માત્ર નાં પાર્ટ નો પણ પરિચય આપ્યો છે. હવે આપણે મનુષ્ય-માત્ર
ને બાપ અને રચના નો પરિચય કેવી રીતે આપીએ? બાપ બધાને કહે છે પોતાને આત્મા સમજી મને
યાદ કરો તો ખુદા નાં આ ઘરે ચાલ્યાં જશો. ગોલ્ડન એજ અથવા બહિશ્ત માં બધાં તો જશે નહીં.
ત્યાં તો હોય જ એક ધર્મ છે. બાકી બધાં શાંતિધામ માં છે, આમાં કોઈ નારાજ થવાની વાત જ
નથી. મનુષ્ય શાંતિ માંગે છે, તે મળે જ છે અલ્લાહ અથવા ગોડ ફાધર નાં ઘર માં. આત્માઓ
બધી આવે છે શાંતિધામ થી, ત્યાર પછી ત્યારે જશે જ્યારે નાટક પૂરું થશે. બાપ આવે પણ
છે પતિત દુનિયા થી બધાને લઈ જવા માટે.
હમણાં આપ બાળકોની
બુદ્ધિ માં છે, આપણે શાંતિધામ માં જઈએ છીએ પછી સુખધામ માં આવીશું. આ છે પુરુષોત્તમ
સંગમયુગ. પુરુષોત્તમ અર્થાત્ ઉત્તમ થી ઉત્તમ પુરુષ. જ્યાં સુધી આત્મા પવિત્ર ન બને,
ત્યાં સુધી ઉત્તમ પુરુષ બની નથી સકતી. હવે બાપ તમને કહે છે મને યાદ કરો અને સૃષ્ટિ
ચક્ર ને જાણો અને સાથે દૈવીગુણ પણ ધારણ કરો. આ સમયે બધાં મનુષ્ય નાં કેરેક્ટર (ચરિત્ર)
બગડેલા છે. નવી દુનિયા માં તો કેરેક્ટર ખુબ ફર્સ્ટ ક્લાસ હોય છે. ભારતવાસી જ ઉંચ
કેરેક્ટર વાળા બને છે. તે ઉંચ કેરેક્ટર વાળા ને ઓછાં કેરેક્ટર વાળા માથું ટેકવે છે.
તેમનાં કેરેક્ટર્સ વર્ણન કરે છે. આ આપ બાળકો જ સમજો છો. હવે બીજાઓને સમજાવીએ કેવી
રીતે? કઈ સહજ-યુક્તિ રચાય? આ છે આત્મા નું ત્રીજું નેત્ર ખોલવું. બાબા ની આત્મા માં
જ્ઞાન છે. મનુષ્ય કહે છે મારા માં જ્ઞાન છે. આ દેહ-અભિમાન છે, આમાં તો આત્મ-અભિમાની
બનવાનું છે. સંન્યાસી લોકોની પાસે શાસ્ત્રો નું જ્ઞાન છે. બાપ નું જ્ઞાન તો જ્યારે
બાપ આવીને આપે. યુક્તિ થી સમજાવવાનું છે. તે લોકો કૃષ્ણ ને ભગવાન સમજી લે છે. ભગવાન
ને જાણતાં જ નથી, ઋષિ-મુનિ વગેરે કહેતાં હતાં અમે નથી જાણતાં. સમજે છે મનુષ્ય ભગવાન
થઇ નથી શકતાં. નિરાકાર ભગવાન જ રચતા છે. પરંતુ એ કેવી રીતે રચતા છે, તેમનું નામ,
રુપ, દેશ, કાળ શું છે? કહી દે છે નામ-રુપ થી ન્યારાં છે. આટલી પણ સમજ નથી કે
નામ-રુપ થી ન્યારી વસ્તુ હોય કેવી રીતે શકે, ઈમ્પોસિબલ (અસંભવ) છે. જો કહે છે
પથ્થર-ઠીકકર, કચ્છ-મચ્છ બધામાં છે તો તે નામ રુપ થઈ જાય છે. ક્યારે શું, ક્યારે શું
કહેતાં રહે છે! બાળકોને દિવસ-રાત ખુબ જ ચિંતન ચાલવું જોઈએ કે મનુષ્યો ને અમે કેવી
રીતે સમજાવીએ! આ મનુષ્ય થી દેવતા બનવાનો પુરુષોત્તમ સંગમયુગ છે. મનુષ્ય દેવતાઓ ને
નમન કરે છે. મનુષ્ય, મનુષ્ય ને નમન નથી કરતાં, મનુષ્યો ને ભગવાન અથવા દેવતાઓને નમન
કરવાનું હોય છે. મુસલમાન લોકો પણ બંદગી કરે છે, અલ્લાહ ને યાદ કરે છે. તમે જાણો છો
તે લોકો અલ્લાહ ની પાસે પહોંચી તો નહીં શકે. મુખ્ય વાત છે અલ્લાહ ની પાસે કેવી રીતે
પહોંચે? પછી અલ્લાહ કેવી રીતે નવી સૃષ્ટિ રચે છે. આ બધી વાતો કેવી રીતે સમજાવીએ, આનાં
માટે બાળકોએ વિચાર સાગર મંથન કરવું પડે, બાપે તો વિચાર સાગર મંથન નથી કરવાનું. બાપ
વિચાર સાગર મંથન કરવાની યુક્તિ બાળકો ને શીખવાડે છે. આ સમયે બધાં આયરન એજ (કળયુગ)
માં તમોપ્રધાન છે. જરુર કોઈ સમયે ગોલ્ડન એજ (સતયુગ) પણ હશે. ગોલ્ડન એજ ને પ્યોર (પવિત્ર)
કહેવાય છે. પ્યોરિટી (પવિત્રતા) અને ઈમ્પ્યોરીટી (અપવિત્રતા). સોના માં ખાદ નખાય છે
ને? આત્મા પણ પહેલા પ્યોર સતોપ્રધાન છે પછી તેમાં ખાદ પડે છે. જ્યારે તમોપ્રધાન બની
જાય છે ત્યારે બાપ નું આવવાનું છે, બાપ જ આવીને સતોપ્રધાન, સુખધામ બનાવે છે. સુખધામ
માં ફક્ત ભારતવાસી જ હોય છે. બાકી બધાં શાંતિધામ માં જાય છે. શાંતિધામ માં બધાં
પવિત્ર રહે છે પછી અહીં આવીને ધીરે-ધીરે અપવિત્ર બનતાં જાય છે. દરેક મનુષ્ય સતો, રજો,
તમો જરુર બને છે. હવે તેમને કેવી રીતે બતાવીએ કે તમે બધાં અલ્લાહ નાં ઘરે પહોંચી શકો
છો. દેહ નાં સર્વ સંબંધ છોડી સ્વયં ને આત્મા સમજો. ભગવાનુવાચ તો છે જ. મને યાદ
કરવાથી આ જે ૫ ભૂત છે, તે નીકળી જશે. આપ બાળકો ને દિવસ-રાત આ ચિંતા રહેવી જોઈએ. બાપ
ને પણ ચિંતા થઈ ત્યારે તો વિચાર આવ્યો કે જાઉં, જઈને બધાને સુખી બનાવું. સાથે
બાળકોએ પણ મદદગાર બનવાનું છે. એકલા બાપ શું કરશે? તો આ વિચાર સાગર મંથન કરો. શું એવો
ઉપાય કાઢીએ કે મનુષ્ય ઝટ સમજી જાય કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. આ સમયે જ મનુષ્ય
પુરુષોત્તમ બની શકે છે. પહેલાં ઉંચ હોય છે પછી નીચે પડે છે. પહેલા-પહેલા તો નહીં
પડશે ને? આવતાં જ તમોપ્રધાન નહીં થશે. દરેક વસ્તુ પહેલાં સતોપ્રધાન પછી સતો, રજો,
તમો થાય છે. બાળકો આટલાં પ્રદર્શન વગેરે કરે છે, છતાં પણ મનુષ્ય કાંઈ સમજતાં નથી
બીજો શું ઉપાય કરાય? ભિન્ન-ભિન્ન ઉપાય તો કરવાં પડે છે ને? તેનાં માટે સમય પણ મળેલો
છે. ફટ થી તો કોઈ સંપૂર્ણ નથી બની શકતાં. ચંદ્રમા થોડો-થોડો કરીને છેવટે સંપૂર્ણ બને
છે. આપણે પણ તમોપ્રધાન બન્યાં છીએ, પછી સતોપ્રધાન બનવામાં સમય લાગે છે. તે તો છે જડ
પછી આ છે ચૈતન્ય. તો આપણે કેવી રીતે સમજાવીએ. મુસલમાનો નાં મૌલવી ને સમજાવીએ કે તમે
આ નમાઝ કેમ વાંચો છો, કોની યાદ માં વાંચો છો. આ વિચાર સાગર મંથન કરવાનું છે. મોટા
દિવસો પર પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) વગેરે પણ મસ્જિદ માં જાય છે. મોટાઓ થી મળે છે.
બધાં મસ્જિદો પછી એક મોટી મસ્જિદ હોય છે-ત્યાં જાય છે ઈદ મુબારક આપવાં. હવે મુબારક
તો આ છે જ્યારે આપણે બધાં દુઃખો થી છૂટી સુખધામ માં જઈએ, ત્યારે કહેવાય મુબારક છે.
આપણે ખુશખબરી સંભળાવીએ છીએ. કોઈ વિન (જીતે) કરે છે તો પણ મુબારક આપે છે. કોઈ લગ્ન
કરે છે તો પણ મુબારક આપે છે. સદૈવ સુખી રહો. હવે તમને તો બાપે સમજાવ્યું છે, આપણે
એક-બીજા ને મુબારક કેવી રીતે આપીએ. આ સમયે આપણે બેહદ નાં બાપ થી મુક્તિ, જીવન-મુક્તિ
નો વારસો લઇ રહ્યાં છીએ. તમને તો મુબારક મળી શકે છે. બાપ સમજાવે છે, તમને મુબારક
છે. તમે ૨૧ જન્મો નાં માટે પદમપતિ બની રહ્યાં છો. હવે બધાં મનુષ્ય કેવી રીતે બાપ
પાસેથી વારસો લે, બધાને મુબારક આપે. તમને હવે ખબર પડી છે, પરંતુ તમને લોકો મુબારક
નથી આપી શકતાં. તમને જાણતાં જ નથી. મુબારક આપે તો પોતે પણ જરુર મુબારક મેળવવાના
લાયક બને. તમે તો ગુપ્ત છો ને? એક-બીજા ને મુબારક આપી શકો છો. મુબારક, આપણે બેહદ
નાં બાપ નાં બન્યાં છીએ. તમે કેટલાં ખુશનસીબ છો, કોઈ લોટરી મળે છે અથવા બાળક જન્મે
છે તો કહે છે મુબારક. બાળકો પાસ થાય છે તો પણ મુબારક આપે છે. તમને મન માં ને મન માં
ખુશી થાય છે, પોતાને મુબારક આપો છો, અમને બાપ મળ્યાં છે, જેમનાથી અમે વારસો લઇ રહ્યાં
છીએ.
બાપ સમજાવે છે - આપ
આત્માઓ જે દુર્ગતિ ને પામેલાં છો તે હવે સદ્દગતિ ને પામો છો. મુબારક તો એક જ બધાને
મળે છે. પાછળ થી બધાને ખબર પડશે, જે ઉંચ થી ઉંચ બનશે તેમને નીચેવાળા કહેશે મુબારક.
તમે સૂર્યવંશી કુળ માં મહારાજા-મહારાણી બનો છો. નીંચા કુળ વાળા મુબારક એમને આપશે જે
વિજય માળા નાં દાણા બને છે. જે પાસ થશે તેમને મુબારક મળશે, તેમની જ પૂજા થાય છે.
આત્માને પણ મુબારક, જે ઉંચ પદ પામે છે. પછી ભક્તિમાર્ગ માં તેમની જ પૂજા થાય છે.
મનુષ્યો ને ખબર નથી કે કેમ પૂજા કરે છે? તો બાળકોને આ જ ચિંતા રહે છે કે કેવી રીતે
સમજાવીએ? અમે પવિત્ર બન્યાં છીએ, બીજાઓને કેવી રીતે પવિત્ર બનાવીએ? દુનિયા તો ખુબ
મોટી છે ને? શું કરાય જે ઘર-ઘર માં પૈગામ (સંદેશ) પહોંચે. પરચા નાખવાથી બધાને તો
મળતાં નથી. આ તો એક-એક નાં હાથ માં પૈગામ જોઈએ કારણકે તેમને બિલકુલ ખબર નથી કે બાપ
ની પાસે કેવી રીતે પહોંચાય. કહી દે છે બધાં રસ્તા પરમાત્મા થી મળવાનાં છે. પરંતુ
બાપ કહે છે આ ભક્તિ, દાન-પુણ્ય તો જન્મ-જન્માંતર કરતાં આવ્યાં છો પરંતુ રસ્તો મળ્યો
ક્યાં? કહી દે છે આ બધું અનાદિ ચાલતું આવ્યું છે, પરંતુ ક્યાર થી શરું થયું? અનાદિ
નો અર્થ નથી સમજતાં. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે. જ્ઞાન ની
પ્રારબ્ધ ૨૧ જન્મ, તે છે સુખ, પછી છે દુઃખ. આપ બાળકોને હિસાબ સમજાવાય છે - કોણે
બહુજ ભક્તિ કરી છે! આ બધી રેજ્ગારી વાતો એક-એક ને તો નથી સમજાવી શકાતું. શું કરીએ,
કોઈ સમાચાર પત્ર માં નાખે, સમય તો લાગશે. બધાને પૈગામ એટલો જલ્દી તો મળી ન શકે. બધાં
પુરુષાર્થ કરવા લાગી જાય તો પછી સ્વર્ગ માં આવી જાય. આ થઇ જ નથી શકતું. હમણાં તમે
પુરુષાર્થ કરો છો સ્વર્ગ માટે. હવે આપણા જે ધર્મ વાળા છે, તેમને કેવી રીતે નીકાળીએ?
કેવી રીતે ખબર પડે, કોણ-કોણ ટ્રાન્સફર થયાં છે? હિંદુ ધર્મ વાળા અસલ માં દેવી-દેવતા
ધર્મ નાં છે, આ પણ કોઈ નથી જાણતું. પાક્કા હિન્દુ હશે તો પોતાનાં આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ ને માનશે. આ સમયે બધાં પતિત છે. બોલાવે છે - પતિત-પાવન આવો.
નિરાકાર ને જ યાદ કરે છે કે અમને આવી ને પાવન દુનિયામાં લઈ ચાલો. આમણે આટલું મોટું
રાજ્ય કેવી રીતે લીધું? ભારત માં આ સમયે તો કોઈ રાજાઈ જ નથી, જેને જીતી ને રાજ્ય
લીધું હોય. તે કોઈ લડાઈ કરીને રાજાઈ તો મેળવતા નથી. મનુષ્ય થી દેવતા કેવી રીતે
બનાવાય, કોઈને ખબર નથી. તમને પણ હવે બાપ થી ખબર પડી છે. બીજાઓને કેવી રીતે બતાવીએ
જે મુક્તિ-જીવનમુક્તિ ને મેળવે. પુરુષાર્થ કરાવવા વાળા જોઈએ ને? જે પોતાને જાણી ને
અલ્લાહ ને યાદ કરે. બોલો, તમે ઇદ ની મુબારક કોને કહો છો! તમે અલ્લાહ ની પાસે જઈ
રહ્યાં છો, પાક્કો નિશ્ચય છે? જેનાં માટે તમને આટલી ખુશી રહે છે. આ તો વર્ષો થી તમે
કરતાં આવ્યાં છો. ક્યારેય ખુદા ની પાસે જશો કે નહીં? મુંઝાઈ પડશે. બરાબર આપણે જે
ભણીએ છે, શું કરવા માટે. ઉંચ થી ઉંચ એક અલ્લાહ જ છે. બોલો, અલ્લાહ નાં બાળકો તમે પણ
આત્મા છો. આત્મા ઈચ્છે છે-અમે અલ્લાહ ની પાસે જઈએ. આત્મા જે પહેલા પવિત્ર હતો, હવે
પતિત બન્યો છે. હમણાં આને બહિશ્ત તો નહીં કહીશું. બધાં આત્માઓ પતિત છે, પાવન કેવી
રીતે બને જે અલ્લાહ નાં ઘરે જાય. ત્યાં વિકારી આત્મા હોતાં નથી. વાઈસલેસ (નિર્વિકારી)
હોવા જોઈએ. આત્મા કોઈ ફટ થી તો સતોપ્રધાન નથી બનતો. આ બધું વિચાર સાગર મંથન કરાય
છે. બાબા નો વિચાર સાગર મંથન ચાલે છે ત્યારે તો સમજાવે છે ને! યુક્તિઓ કાઢવી જોઈએ,
કોને કેવી રીતે સમજાવીએ? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ ને
વિચાર આવ્યો કે હું જઈને બાળકો ને દુઃખો થી છોડાવું, સુખી બનાવું, એમ બાપનાં મદદગાર
બનવાનું છે, ઘર-ઘર માં પૈગામ (સંદેશ) પહોંચાડવાની યુક્તિઓ રચવાની છે.
2. સર્વ ની મુબારક
પ્રાપ્ત કરવા માટે વિજય માળા નાં દાણા બનવાનો પુરુષાર્થ કરવાનો છે. પૂજ્ય બનવાનું
છે.
વરદાન :-
કરનહાર અને
કરાવનહાર ની સ્મૃતિ થી લાઈટ નાં તાજધારી ભવ
હું નિમિત્ત કર્મયોગી,
કરનહાર છું, કરાવનહાર બાપ છે - જો આ સ્મૃતિ સ્વતઃ રહે છે તો સદા લાઈટ નાં તાજધારી
અથવા બેફિકર બાદશાહ બની જાય. બસ, બાપ અને હું ત્રીજું ન કોઈ - આ અનુભૂતિ સહજ બેફિકર
બાદશાહ બનાવી દે છે. જે એવી રીતે બાદશાહ બને છે તે જ માયાજીત, કર્મેન્દ્રિય જીત અને
પ્રકૃતિ જીત બની જાય છે. પરંતુ જો કોઈ ભૂલ થી પણ, કોઈ પણ વ્યર્થ ભાવ નો પોતાના ઉપર
બોજ ઉઠાવી લેતા તો તાજ નાં બદલે ફિકર નાં અનેક ટોપલા માથા પર આવી જાય છે.
સ્લોગન :-
સર્વ બંધનો થી
મુક્ત થવા માટે દૈહિક સંબંધ થી નષ્ટોમોહા બનો.
અવ્યક્ત ઇશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો .
યોગ માં જ્યારે બીજા
બધાં સંકલ્પ શાંત થઈ જાય છે, એક જ સંકલ્પ રહે “બાપ અને હું” આને જ પાવરફુલ યોગ
કહેવાય છે. બાપ નાં મિલન ની અનુભૂતિ નાં સિવાય બીજા બધા સંકલ્પ સમાઈ જાય ત્યારે
કહેવાશે જ્વાળા રુપ ની યાદ, જેનાથી પરિવર્તન થાય છે.