06-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવવા ની સેવા કરવાની છે , પહેલાં સ્વયં નિર્વિકારી
બનવાનું છે પછી બીજાઓ ને કહેવાનું છે”
પ્રશ્ન :-
આપ મહાવીર બાળકોએ કઈ વાત ની પરવા નથી કરવાની? ફક્ત કઈ ચેકિંગ (તપાસ) કરતા સ્વયં ને
સંભાળવાનું છે?
ઉત્તર :-
જો કોઈ પવિત્ર બનવામાં વિઘ્ન નાખે છે તો તમારે તેમની પરવા નથી કરવાની. ફક્ત ચેક કરો
કે હું મહાવીર છું? હું પોતે પોતાને ઠગતો તો નથી ને? બેહદ નો વૈરાગ રહે છે? હું આપ
સમાન બનાવું છું? મારા માં ક્રોધ તો નથી? જે બીજાને કહું છું તે પોતે પણ કરું છું?
ગીત :-
તુમ્હેં પાકે
હમને…
ઓમ શાંતિ!
આમાં બોલવાનું
નથી રહેતું, આ સમજવાની વાત છે. મીઠાં-મીઠાં રુહાની બાળકો સમજી રહ્યાં છે કે આપણે ફરી
થી દેવતા બની રહ્યાં છીએ. સંપૂર્ણ નિર્વિકારી બની રહ્યાં છીએ. બાપ આવીને કહે છે -
બાળકો, કામ ને જીતો અર્થાત્ પવિત્ર બનો. બાળકોએ ગીત સાંભળ્યું. હવે ફરી થી બાળકો ને
સ્મૃતિ આવી છે-આપણે બેહદ નાં બાપ પાસે થી બેહદ નો વારસો લઈએ છીએ, જે કોઈ છીનવી ન શકે,
ત્યાં બીજું કોઈ છીનવવા વાળું હોતું જ નથી. તેને કહેવાય છે અદ્વૈત રાજ્ય. પછી રાવણ
રાજ્ય બીજા નું હોય છે. હમણાં તમે સમજી રહ્યાં છો. સમજાવવાનું પણ આવી રીતે છે. આપણે
ફરી થી ભારત ને શ્રીમત પર નિર્વિકારી બનાવી રહ્યાં છીએ. ઊંચા માં ઊંચા ભગવાન તો બધા
કહેશે. એમને જ બાપ કહેવાય છે. તો આ પણ સમજાવવાનું છે, લખવાનું પણ છે, ભારત જે
સંપૂર્ણ નિર્વિકારી સ્વર્ગ હતું તે હવે વિકારી નર્ક બની ગયું છે. આપણે ફરી થી
શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ. બાપ જે બતાવે છે તે નોંધ કરી પછી તેનાં
પર વિચાર સાગર મંથન કરી લખવા માં મદદ કરવી જોઈએ. એવું શું-શું લખીએ જે મનુષ્ય સમજે
બરોબર ભારત સ્વર્ગ હતું? રાવણ રાજ્ય નહોતું. બાળકો ને બુદ્ધિ માં છે - હમણાં આપણને
ભારતવાસીઓ ને બાપ નિર્વિકારી બનાવી રહ્યાં છે. પહેલા સ્વયં ને જોવાનું છે - અમે
નિર્વિકારી બન્યાં છીએ? ઈશ્વર ને હું ઠગતો તો નથી ને? એવું નહીં કે ઈશ્વર અમને થોડી
જુએ છે. તમારા મુખ માંથી આ શબ્દ નીકળી ન શકે. તમે જાણો છો પવિત્ર બનાવવા વાળા
પતિત-પાવન એક જ બાપ છે. ભારત નિર્વિકારી હતું તો સ્વર્ગ હતું. આ દેવતાઓ સંપૂર્ણ
નિર્વિકારી છે ને? યથા રાજા રાણી તથા પ્રજા હશે, ત્યારે તો આખાં ભારત ને સ્વર્ગ
કહેવાય છે ને? હમણાં નર્ક છે. આ ૮૪ જન્મો ની સીડી ખૂબ સારી ચીજ છે. કોઈ સારું હોય
તો તેમને સૌગાત (ભેટ) પણ આપી શકાય છે. મોટાં-મોટાં વ્યક્તિઓ ને મોટી સૌગાત મળે છે
ને? તો તમે પણ જે આવે છે, તેમને સમજાવીને આવી-આવી સૌગાત આપી શકો છો. ચીજ હંમેશા આપવા
માટે તૈયાર રહે છે. તમારી પાસે પણ નોલેજ તૈયાર રહેવી જોઈએ. સીડી માં પૂરું જ્ઞાન
છે. આપણે કેવી રીતે ૮૪ જન્મ લીધાં છે - આ યાદ રહેવું જોઈએ. આ સમજણ ની વાત છે ને?
જરુર જે પહેલાં આવ્યાં છે તેમણે જ ૮૪ જન્મ લીધાં છે. બાપ ૮૪ જન્મ બતાવીને પછી કહે
છે કે આમનાં અનેક જન્મો નાં અંત માં સાધારણ તન માં પ્રવેશ કરું છું. પછી આમનું નામ
રાખું છું બ્રહ્મા. આમનાં દ્વારા બ્રાહ્મણ રચું છું. નહીં તો બ્રાહ્મણ ક્યાંથી લાવું?
બ્રહ્મા નાં બાપ ક્યારેય સાંભળ્યું છે શું? જરુર ભગવાન જ કહેવાશે. બ્રહ્મા અને
વિષ્ણુ ને દેખાડે છે સૂક્ષ્મવતન માં છે. બાપ તો કહે છે હું આમનાં ૮૪ જન્મો નાં અંત
માં પ્રવેશ કરું છું. એડોપ્ટ કરાય છે તો નામ બદલાય છે. સંન્યાસ પણ કરાવાય છે.
સંન્યાસી પણ જ્યારે સંન્યાસ કરે છે તો તરત ભૂલી નથી જતા, યાદ જરુર રહે છે. તમને પણ
યાદ રહેશે પરંતુ તમને એમનાં માટે વૈરાગ છે કારણકે તમે જાણો છો કે આ બધા કબ્રદાખલ
થવાના છે એટલે આપણે એમને યાદ કેમ કરીએ? જ્ઞાન થી બધું જ સમજવાનું છે સારી રીતે. તેઓ
પણ જ્ઞાન થી જ ઘરબાર છોડે છે. તેમને પૂછે કે ઘરબાર કેવી રીતે છોડ્યું તો બતાવતા નથી.
પછી તેમને યુક્તિ થી કહેવાય છે - તમને કેવી રીતે વૈરાગ આવ્યો, અમને સંભળાવો તો અમે
પણ એવું કરીએ. તમે ટેમ્પટેશન (પ્રલોભન) આપો છો કે પવિત્ર બનો, બાકી તમને યાદ બધું
છે. નાનપણ થી લઈને બધું જ બતાવી શકો છો. બુદ્ધિ માં બધું જ્ઞાન છે. કેવી રીતે આ બધા
ડ્રામા નાં એક્ટર છે જે પાર્ટ ભજવતા આવ્યાં છે. હવે બધાનાં કળિયુગી કર્મબંધન તૂટવાના
છે. પછી જશે શાંતિધામ. ત્યાં થી પછી બધાના નવાં સંબંધ જોડાશે. સમજાવવા નાં પોઈન્ટ્સ
પણ બાબા સારા-સારા આપતા રહે છે. આ જ ભારતવાસી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હતાં
તો નિર્વિકારી હતાં ફરી ૮૪ જન્મ પછી વિકારી બન્યાં. હવે ફરી નિર્વિકારી બનવાનું છે.
પરંતુ પુરુષાર્થ કરાવવા વાળા જોઈએ. હમણાં તમને બાપે બતાવ્યું છે. બાપ કહે છે તમે એ
જ છો ને? બાળકો પણ કહે છે બાબા તમે એ જ છો. બાપ કહે છે કલ્પ પહેલાં પણ તમને ભણાવીને
રાજ્ય-ભાગ્ય આપ્યું હતું. કલ્પ-કલ્પ આવું કરતાં રહેશે. ડ્રામા માં જે કાંઈ થયું,
વિઘ્ન પડ્યાં, ફરી પણ પડશે. જીવન માં શું-શું થાય છે, યાદ તો રહે છે ને? આમને તો બધું
યાદ છે. બતાવે પણ છે ગામડા નો છોકરો હતો અને વૈકુંઠ નો માલિક બન્યો. વૈકુંઠ માં
ગામડું કેવી રીતે હશે - આ તમે હમણાં જાણો છો. આ સમયે તમારા માટે પણ આ જૂની દુનિયા
ગામડું છે ને? ક્યાં વૈકુંઠ, ક્યાં આ નર્ક. મનુષ્ય તો મોટાં-મોટાં મહેલ બિલ્ડીંગ
વગેરે જોઈને સમજે છે આ જ સ્વર્ગ છે. બાપ કહે છે આ તો બધું માટી, પથ્થર છે, આની કોઈ
કિંમત નથી. કિંમત સૌથી વધારે હીરા ની હોય છે. બાપ કહે છે વિચાર કરો સતયુગ માં તમારા
સોના નાં મહેલ કેવાં હતાં! ત્યાં તો બધી ખાણો ભરેલી હોય છે. અઢળક સોનું હોય છે. તો
બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ. કોઈ સમયે મુરઝાઇસ (ઉદાસી) આવે છે તો બાબાએ સમજાવ્યું
છે - ઘણાં એવાં રેકોર્ડ (ગીત) છે જે તમને તરત ખુશી માં લાવી દેશે. બધું જ્ઞાન બુદ્ધિ
માં આવી જાય છે. સમજો છો બાબા આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. તે ક્યારેય કોઈ છીનવી
ન શકે. અડધાકલ્પ માટે આપણે સુખધામ નાં માલિક બનીએ છીએ. રાજા નું બાળક સમજે છે હું આ
હદ ની રાજાઈ નો વારિસ છું. તમને કેટલો નશો રહેવો જોઈએ - આપણે બેહદ નાં બાપ નાં
વારિસ છીએ. બાપ સ્વર્ગ ની સ્થાપના કરે છે, આપણે ૨૧ જન્મ માટે વારિસ બનીએ છીએ. કેટલી
ખુશી થવી જોઈએ. જેમનાં વારિસ બનીએ છીએ એમને પણ જરુર યાદ કરવાના છે. યાદ કર્યા વગર
તો વારિસ બની ન શકાય. યાદ કરે તો પવિત્ર બને ત્યારે જ વારિસ બની શકે. તમે જાણો છો
શ્રીમત પર આપણે વિશ્વ નાં માલિક ડબલ સિરતાજ બનીએ છીએ. જન્મ બાય જન્મ આપણે રાજાઈ
કરીશું. મનુષ્યો નું ભક્તિમાર્ગ માં હોય છે વિનાશી દાન-પુણ્ય. તમારું છે અવિનાશી
જ્ઞાન ધન. તમને કેટલી મોટી લોટરી મળે છે. કર્મો અનુસાર ફળ મળે છે ને? કોઈ મોટા રાજા
નું બાળક બને છે તો મોટી હદ ની લોટરી કહેવાશે. સિંગલ તાજવાળા આખાં વિશ્વ નાં માલિક
તો બની ન શકે. ડબલ તાજવાળા વિશ્વ નાં માલિક તમે બનો છો. તે સમયે બીજી કોઈ રાજાઈ નથી.
પછી બીજા ધર્મ પાછળ થી આવે છે. તેની જ્યાં સુધી વૃદ્ધિ થાય ત્યાં તો પહેલાં વાળા
રાજાઓ વિકારી બનવાના કારણે મતભેદ માં ટુકડા-ટુકડા અલગ કરી દે છે. પહેલાં તો આખાં
વિશ્વ પર એક જ રાજ્ય હતું. ત્યાં એવું નહીં કહેવાશે આ પહેલાં નાં જન્મ નાં કર્મો
નું ફળ છે. હમણાં બાપ આપ બાળકો ને શ્રેષ્ઠ કર્મ શીખવાડી રહ્યાં છે. જેવાં-જેવાં જે
કર્મ કરશે, સર્વિસ (સેવા) કરશે તો તેને રિટર્ન (વળતર) પણ એવું મળશે. સારા કર્મ જ
કરવાના છે. કોઈ કર્મ કરો છો, સમજી નથી શકતાં તો એનાં માટે શ્રીમત લેવાની છે. ઘડી-ઘડી
પૂછવું જોઈએ પત્ર માં. હમણાં પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) છે, તમે સમજો છો કેટલી
પોસ્ટ આવતી હશે. પરંતુ તે કોઈ એકલા નથી વાંચતાં. તેમની પાસે ઘણાં સેક્રેટરી હોય છે,
તે બધી પોસ્ટ જુએ છે. જે બિલકુલ મુખ્ય હશે, પાસ કરશે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર નાં
ટેબલ પર રાખશે. અહીંયા પણ એવું હોય છે. મુખ્ય-મુખ્ય પત્રો નો તો તરત રિસ્પોન્ડ (પ્રતિ
ઉત્તર) આપી દે છે. બાકી નાં માટે યાદ-પ્યાર લખી દે છે. એક-એક ને અલગ પત્ર લખે આ તો
બની ન શકે, ખૂબ મુશ્કેલ છે. બાળકો ને કેટલી ખુશી થાય છે - ઓહો! આજે બેહદ નાં બાપ ની
ચિઠ્ઠી આવી છે. શિવબાબા બ્રહ્મા દ્વારા રિસ્પોન્ડ કરે છે. બાળકો ને બહુ જ ખુશી થાય
છે. સૌથી વધારે ગદ્દગદ્દ થાય છે બાંધેલીઓ. ઓહો! અમે બંધન માં છીએ, બેહદ નાં બાપ એમને
કેવી ચિઠ્ઠી લખે છે! નયનો પર રાખે છે. અજ્ઞાનકાળ માં પણ પતિ ને પરમાત્મા સમજવા વાળા
ને પતિ ની ચીઠ્ઠી આવતી હશે તો એને (ચિઠ્ઠી) ચુંબન કરશે. તમારા માં પણ બાપદાદા નો
પત્ર જોઈને ઘણાં બાળકો નાં એકદમ રોમાન્ચ ઉભા થઈ જાય છે. પ્રેમ નાં આંસુ આવી જાય છે.
ચુંબન કરશે, આંખો પર રાખશે. ખૂબ પ્રેમ થી પત્ર વાંચે છે. બાંધેલીઓ કોઈ ઓછી છે શું?
ઘણાં બાળકો પર માયા જીત મેળવી લે છે. કોઈ તો સમજે છે અમારે તો પવિત્ર જરુર બનવાનું
છે. ભારત નિર્વિકારી હતું ને? હમણાં વિકારી છે. હવે જે નિર્વિકારી બનવાના હશે, એ જ
પુરુષાર્થ કરશે-કલ્પ પહેલાં ની જેમ. આપ બાળકો ને સમજાવવું ખૂબ સહજ છે. તમારો પણ આ
પ્લાન (યોજના) છે ને? ગીતા નો યુગ ચાલી રહ્યો છે. ગીતા નો જ પુરુષોત્તમ યુગ ગવાય
છે. તમે લખો પણ આમ - ગીતા નો આ પુરુષોત્તમ યુગ છે. જ્યારે જૂની દુનિયા બદલાઈ નવી બને
છે. તમારી બુદ્ધિ માં છે - બેહદ નાં બાપ જે આપણા શિક્ષક પણ છે, એમની પાસેથી આપણે
રાજયોગ શીખી રહ્યાં છીએ. સારી રીતે ભણશે તો ડબલ સિરતાજ બનશે. કેટલી મોટી સ્કૂલ છે.
રાજાઈ સ્થાપન થાય છે. પ્રજા પણ જરુર અનેક પ્રકાર ની હશે. રાજાઈ ની વૃદ્ધિ થતી રહેશે.
ઓછું જ્ઞાન ઉઠાવવા વાળા પાછળ આવશે. જેવો જે પુરુષાર્થ કરશે તે પહેલાં આવતા રહેશે. આ
બધો પૂર્વ નિર્ધારિત ખેલ છે. આ ડ્રામા નું ચક્ર રિપીટ (પુનરાવર્તિત) થાય છે ને? હમણાં
તમે બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો. બાપ કહે છે પવિત્ર બનો. આમાં કોઈ વિઘ્ન નાખે
છે તો પરવા ન કરવી જોઈએ. રોટી ટુકડો તો મળી શકે છે ને? બાળકોએ પુરુષાર્થ કરવો જોઈએ
તો યાદ રહેશે. બાબા ભક્તિમાર્ગ નું દૃષ્ટાંત બતાવે છે - પૂજા નાં સમયે બુદ્ધિયોગ
બહાર જતો હતો તો પોતાનાં કાન પકડતા હતાં, ચમાટ મારતા હતાં. હવે તો આ છે જ્ઞાન. આમાં
પણ મુખ્ય વાત છે યાદ ની. યાદ ન રહે તો પોતાને થપ્પડ મારવી જોઈએ. માયા મારા ઉપર જીત
કેમ મેળવે? શું હું એટલો કાચ્ચો છું? મારે તો આનાં પર જીત મેળવવાની છે. પોતાને સારી
રીતે સંભાળવાનું છે. સ્વયં થી પૂછો હું આટલો મહાવીર છું? બીજાઓ ને પણ મહાવીર બનાવવા
નો પુરુષાર્થ કરવાનો છે. જેટલું બીજાઓ ને આપ સમાન બનાવશો તો ઊંચ દર્જો હશે. પોતાનું
રાજ્ય ભાગ્ય લેવા માટે રેસ (દોડ) કરવાની છે. જો આપણા માં જ ક્રોધ છે તો બીજા ને કેવી
રીતે કહેવાશે કે ક્રોધ નથી કરવાનો. સચ્ચાઈ ન થઈ ને? શરમ આવવી જોઈએ. બીજા ને સમજાવીએ
અને તે ઊંચ બની જાય, આપણે નીચે જ રહી જઈએ, આ પણ કોઈ પુરુષાર્થ છે? (પંડિત ની કહાણી)
બાપ ને યાદ કરતા તમે એ વિષય સાગર માંથી ક્ષીર સાગર માં ચાલ્યાં જાઓ છો. બાકી આ બધા
દૃષ્ટાંત બાપ સમજાવે છે, જે પછી ભક્તિમાર્ગ માં રિપીટ કરે છે. ભ્રમરી નું પણ
દૃષ્ટાંત છે. તમે બ્રાહ્મણીઓ છો બી.કે. આ તો સાચાં-સાચાં બ્રાહ્મણ થયાં. પ્રજાપિતા
બ્રહ્મા ક્યાં છે? જરુર અહીંયા જ હશે ને? ત્યાં થોડી હશે? આપ બાળકોએ બહુ જ હોંશિયાર
બનવું જોઈએ. બાબા નો પ્લાન છે મનુષ્ય ને દેવતા બનાવવા નો. આ ચિત્ર પણ છે સમજાવવા
માટે. એમાં લખાણ પણ એવું હોવું જોઈએ. ગીતા નાં ભગવાન નો આ પ્લાન છે ને? આપણે
બ્રાહ્મણ છીએ ચોટલી. એક ની વાત થોડી હોય છે? પ્રજાપિતા બ્રહ્મા તો ચોટલી બ્રાહ્મણો
ની થઈ ને? બ્રહ્મા છે જ બ્રાહ્મણો નાં બાપ. આ સમયે ખૂબ મોટું કુટુંબ હશે ને? જે પછી
તમે દૈવીકુટુંબ માં આવો છો. આ સમયે તમને ખૂબ ખુશી થાય છે કારણ કે લોટરી મળે છે.
તમારું નામ બહુ જ છે. વંદે માતરમ્, શિવ ની શક્તિ સેના તમે છો ને? તે તો બધા છે જ
જુઠ્ઠાં. અનેક હોવાનાં કારણે મૂંઝાઈ જાય છે એટલે રાજધાની સ્થાપન કરવામાં મહેનત લાગે
છે. બાપ કહે છે આ ડ્રામા બનેલો છે. આમાં મારો પણ પાર્ટ છે. હું છું સર્વશક્તિમાન્.
મને યાદ કરવાથી તમે પવિત્ર બની જાઓ છો. સૌથી વધારે ચુંબક છે શિવબાબા, એ જ ઊંચા માં
ઊંચા રહે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા એ જ નશા
કે ખુશી માં રહેવાનું છે કે આપણે ૨૧ જન્મો માટે બેહદ બાબા નાં વારિસ બન્યાં છીએ,
જેમનાં વારિસ બન્યાં છીએ એમને યાદ પણ કરવાના છે અને પવિત્ર પણ જરુર બનવાનું છે.
2. બાપ જે શ્રેષ્ઠ
કર્મ શીખવાડી રહ્યાં છે, એ જ કર્મ કરવાના છે. શ્રીમત લેતા રહેવાની છે.
વરદાન :-
સ્થૂળ દેશ અને
શરીર ની સ્મૃતિ થી પરે સુક્ષ્મ દેશ નાં વેશધારી ભવ
જેવી રીતે આજકાલ ની
દુનિયા માં જેવું કર્તવ્ય તેવો વેશ ધારણ કરી લે છે, એવી રીતે તમે પણ જે સમયે જેવાં
કર્મ કરવા ઈચ્છો છો તેવો વેશ ધારણ કરી લો. હમણાં-હમણાં સાકારી અને હમણાં-હમણાં આકારી.
એવી રીતે બહુરુપી બની જાઓ તો સર્વ સ્વરુપો નાં સુખો નો અનુભવ કરી શકશો. આ પોતાનું જ
સ્વરુપ છે. બીજા નાં વસ્ત્ર ફિટ (બરોબર) થાય કે ન થાય પરંતુ પોતાનાં વસ્ત્ર સહજ જ
ધારણ કરી શકો છો એટલે આ વરદાન ને પ્રેક્ટિકલ અભ્યાસ માં લાવો તો અવ્યક્ત મિલન નાં
વિચિત્ર અનુભવ કરી શકશો.
સ્લોગન :-
બધાનો આદર કરવા
વાળા જ આદર્શ બની શકે છે. સન્માન આપો ત્યારે સન્માન મળશે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
જેવી રીતે પોતાનાં
સ્થૂળ કાર્ય નાં પ્રોગ્રામ ને દિનચર્યા પ્રમાણે સેટ કરો છો, એવી રીતે પોતાની મન્સા
સમર્થ સ્થિતિ નો પ્રોગ્રામ સેટ કરો તો ક્યારેય અપસેટ નહીં થશો. જેટલું પોતાનાં મન
ને સમર્થ સંકલ્પો માં બીઝી રાખશો તો મન ને અપસેટ થવાનો સમય જ નહીં મળશે. મન સદા સેટ
અર્થાત્ એકાગ્ર છે તો સ્વત: સારા વાયબ્રેશન ફેલાય છે. સેવા થાય છે.