10-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારી
યાદ ની યાત્રા બિલકુલ જ ગુપ્ત છે , આપ બાળકો હમણાં મુક્તિ ધામ માં જવાની યાત્રા કરી
રહ્યાં છો”
પ્રશ્ન :-
સ્થૂળવતન વાસી થી
સૂક્ષ્મવતન વાસી ફરિશ્તા બનવાનો પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
સૂક્ષ્મવતન વાસી ફરિશ્તા બનવું છે તો રુહાની સર્વિસ (સેવા) માં હાડકાં-હાડકાં સ્વાહા
(તન દ્વારા જીગરી સેવા) કરો. હાડકાં સ્વાહા કર્યા વગર ફરિશ્તા બની ન શકાય કારણકે
ફરિશ્તા હાડ-માસ વગર નાં હોય છે. આ બેહદ ની સેવા માં દધિચી ઋષિ ની જેમ હાડકાં-હાડકાં
લગાવવાનાં છે, ત્યારે વ્યક્ત થી અવ્યક્ત બનશો.
ગીત :-
ધીરજ ધર મનુવા…
ઓમ શાંતિ!
બાળકો ને આ
ગીત થી ઈશારો મળ્યો કે ધીરજ ધરો. બાળકો જાણે છે અમે શ્રીમત પર પુરુષાર્થ કરી રહ્યાં
છીએ અને જાણે છે કે અમે આ ગુપ્ત યોગ ની યાત્રા પર છીએ. તે યાત્રા પોતાનાં સમય પર
પૂરી થવાની છે. મુખ્ય છે જ આ યાત્રા, જેને તમારા સિવાય બીજું કોઈ પણ નથી જાણતું.
યાત્રા પર જવાનું છે જરુર અને લઈ જવાવાળા પન્ડા પણ જોઈએ. આનું નામ જ રાખેલું છે
પાંડવ સેના. હમણાં યાત્રા પર છીએ. સ્થૂળ લડાઈ ની કોઈ વાત નથી. દરેક વાત ગુપ્ત છે.
યાત્રા પણ ખૂબ ગુપ્ત છે. શાસ્ત્રો માં પણ છે - બાપ કહે છે મને યાદ કરો તો મારી પાસે
આવીને પહોંચશો. આ યાત્રા તો થઈ ને? બાપ બધા શાસ્ત્રો નો સાર બતાવે છે. પ્રેક્ટિકલ
માં એક્ટ (કર્મ) માં લઈ આવે છે. આપણે આત્માઓએ યાત્રા પર જવાનું છે પોતાનાં
નિર્વાણધામ. વિચાર કરો તો સમજી શકો છો. આ છે મુક્તિધામ ની સાચ્ચી યાત્રા. બધા ઈચ્છે
છે અમે મુક્તિધામ માં જઈએ. આ યાત્રા કરવા માટે કોઈ મુક્તિધામ નો રસ્તો બતાવે. પરંતુ
બાપ તો પોતાનાં સમય પર પોતે જ આવે છે, જે સમય ને કોઈ નથી જાણતું. બાપ આવીને સમજાવે
છે તો બાળકો ને નિશ્ચય થાય છે. બરાબર આ સાચ્ચી યાત્રા છે જે ગવાયેલી છે. ભગવાને આ
યાત્રા શીખવાડી હતી. મનમનાભવ, મધ્યાજીભવ. આ શબ્દ પણ તમારા ખૂબ કામ નાં છે. ફક્ત કોણે
કહ્યાં? આ ભૂલ કરી દીધી છે. કહે છે દેહ સહિત, દેહ નાં બધા સંબંધો ને ભૂલી જાઓ. આમને
(બ્રહ્મા બાબા ને) પણ દેહ છે. આમને પણ સમજાવવા વાળા બીજા છે, જેમને પોતાનો દેહ નથી
એ બાપ છે વિચિત્ર, એમનું કોઈ ચિત્ર નથી, બીજા તો બધા નાં ચિત્ર છે. આખી દુનિયા
ચિત્રશાળા છે. વિચિત્ર અને ચિત્ર અર્થાત્ જીવ અને આત્મા નું આ મનુષ્ય સ્વરુપ બનેલું
છે. તો એ બાપ છે વિચિત્ર. સમજાવે છે મારે આ ચિત્ર નો આધાર લેવો પડે છે. બરોબર
શાસ્ત્રો માં છે ભગવાને કહ્યું હતું જ્યારે મહાભારત લડાઈ પણ લાગી હતી. રાજયોગ
શીખવાડતા હતાં, જરુર રાજાઈ સ્થાપન થઈ હતી. હમણાં તો રાજાઈ નથી. રાજયોગ ભગવાને
શીખવાડ્યો હતો, નવી દુનિયા માટે કારણકે વિનાશ સામે હતો. સમજાવાય છે એવું થયું હતું
જ્યારે સ્વર્ગ ની સ્થાપના થઈ હતી. તે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય સ્થાપન થયું હતું.
હમણાં તમારી બુદ્ધિ માં છે - સતયુગ હતો, હમણાં કળિયુગ છે. પછી બાપ એ જ વાતો સમજાવે
છે. એવું તો કોઈ કહી ન શકે કે હું પરમધામ થી આવ્યો છું તમને પાછા લઈ જવાં. પરમપિતા
પરમાત્મા જ કહી શકે છે બ્રહ્મા દ્વારા, બીજા કોઈ દ્વારા પણ કહી ન શકે. સૂક્ષ્મવતન
માં છે જ બ્રહ્મા-વિષ્ણુ-શંકર. બ્રહ્મા માટે પણ સમજાવ્યું છે કે તે છે અવ્યક્ત
બ્રહ્મા અને આ છે વ્યક્ત. તમે હમણાં ફરિશ્તા બનો છો. ફરિશ્તા સ્થૂળવતન માં નથી હોતાં.
ફરિશ્તાઓ ને હાડ-માસ નથી હોતાં. અહીં આ રુહાની સર્વિસ (સેવા) માં હાડકાં (દેહભાન)
વગેરે બધું ખતમ કરી દે છે, પછી ફરિશ્તા બની જાય છે. હમણાં તો હાડકાં (દેહભાન) છે
ને? આ પણ લખેલું છે - પોતાનાં હાડકાં પણ સર્વિસ માં આપી દીધાં. એટલે પોતાનાં હાડકાં
ખલાસ કરે છે. સ્થૂળવતન થી સૂક્ષ્મવતન વાસી બનવાનું છે. અહીં આપણે હાડકાં આપીને
સૂક્ષ્મ બની જઈએ છીએ. આ સર્વિસ માં બધું સ્વાહા કરવાનું છે. યાદ માં રહેતાં-રહેતાં
આપણે ફરિશ્તા બની જઈશું. આ પણ ગવાયેલું છે - મિરુઆ મોત મલૂકા શિકાર, મલૂક ફરિશ્તા
ને કહેવાય છે. તમે મનુષ્ય થી ફરિશ્તા બનો છો. તમને દેવતા કહી ન શકાય. અહીં તો તમને
શરીર છે ને? સૂક્ષ્મવતન નું વર્ણન હમણાં થાય છે. યોગ માં રહી પછી ફરિશ્તા બની જાઓ
છો. અંત માં તમે ફરિશ્તા બની જશો. તમને બધા સાક્ષાત્કાર થશે અને ખુશી થશે. મનુષ્ય
તો બધા જ કાળ નાં શિકાર થઈ જશે. તમારા માં જે મહાવીર છે તે તો અડોલ રહેશે. બાકી
શું-શું થતું રહેશે! વિનાશ નાં દૃશ્ય તો થવાનાં જ છે ને? અર્જુન ને વિનાશ નો
સાક્ષાત્કાર થયો. એક અર્જુન ની વાત નથી. આપ બાળકો ને વિનાશ અને સ્થાપના નો
સાક્ષાત્કાર થાય છે. પહેલાં-પહેલાં બાબા ને પણ વિનાશ નો સાક્ષાત્કાર થયો. એ સમયે
જ્ઞાન તો કાંઈ હતું નહીં. જોયું સૃષ્ટિ નો વિનાશ થઈ રહ્યો છે. પછી ચતુર્ભુજ નો
સાક્ષાત્કાર થયો. સમજવા લાગ્યાં આ તો સારું છે. વિનાશ પછી હું વિશ્વ નો માલિક બનું
છું, તો ખુશી આવી ગઈ. હમણાં આ દુનિયા નથી જાણતી કે વિનાશ તો સારો છે ને? શાંતિ માટે
પ્રયત્ન કરે છે પરંતુ અંતે વિનાશ તો થવાનો છે. યાદ કરે છે પતિત-પાવન આવો, તો બાપ
આવશે જરુર, આવીને પાવન દુનિયા સ્થાપન કરશે, જેમાં આપણે રાજાઈ કરીશું. આ તો સારું છે
ને? પતિત-પાવન ને કેમ યાદ કરે છે? કારણકે દુઃખ છે. પાવન દુનિયા માં દેવતાઓ છે, પતિત
દુનિયા માં તો દેવતાઓ નાં પગ પડી ન શકે. તો જરુર પતિત દુનિયા નો વિનાશ થવો જોઈએ.
ગવાયેલું પણ છે મહા વિનાશ થયો. તેનાં પછી શું થાય છે? એક ધર્મ ની સ્થાપના એ તો આવી
રીતે થશે ને? અહીં થી રાજયોગ શીખશે. વિનાશ થશે બાકી ભારત માં કોણ બચશે? જે રાજયોગ
શીખે છે, નોલેજ આપે છે એ જ બચશે. વિનાશ તો બધાનો થવાનો છે, આમાં ડરવાની વાત નથી.
પતિત-પાવન ને બોલાવે છે જ્યારે એ આવે છે તો ખુશી થવી જોઈએ ને? બાપ કહે છે વિકારો
માં ન જાઓ. આ વિકારો પર જીત મેળવો અથવા દાન આપી દો તો ગ્રહણ છૂટે. ભારત નું ગ્રહણ
છૂટે છે જરુર. કાળા થી ગોરા બનવાનું છે. સતયુગ માં પવિત્ર દેવતાઓ હતાં, તે જરુર
અહીંયા બન્યાં હશે.
તમે જાણો છો આપણે
શ્રીમત થી નિર્વિકારી બનીએ છીએ. ભગવાનુવાચ, આ છે ગુપ્ત. શ્રીમત પર ચાલીને તમે
બાદશાહી મેળવો છો. બાપ કહે છે તમારે નર થી નારાયણ બનવાનું છે. સેકન્ડ માં રાજાઈ મળી
શકે છે. શરુઆત માં બાળકીઓ ૪-૫ દિવસ પણ વૈકુંઠ માં જઈને રહેતી હતી. શિવબાબા આવીને
બાળકો ને વૈકુંઠ નો પણ સાક્ષાત્કાર કરાવતા હતાં. દેવતાઓ આવતા હતાં - કેટલાં માન-શાન
થી. તો બાળકો ને દિલ અંદર લાગે છે બરોબર ગુપ્ત વેષ માં આવવા વાળા બાપ અમને સમજાવી
રહ્યાં છે. બ્રહ્મા તન માં આવે છે. બ્રહ્મા નું તન તો અહીં જોઈએ ને? પ્રજાપિતા
બ્રહ્મા દ્વારા સ્થાપના. બાબાએ સમજાવ્યું છે - કોઈ પણ આવે છે તો એમને પૂછો કોની પાસે
આવો છો? બી.કે. પાસે. સારું, બ્રહ્મા નું નામ ક્યારેય સાંભળ્યું છે? પ્રજાપિતા તો
છે ને? અમે બધા એમનાં આવીને બન્યાં છીએ. જરુર પહેલાં પણ બન્યાં હતાં. બ્રહ્મા દ્વારા
સ્થાપના તો સાથે બ્રાહ્મણ પણ જોઈએ. બાપ બ્રહ્મા દ્વારા કોને સમજાવે છે? શૂદ્રો ને
તો નહીં સમજાવશે. આ છે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ, શિવબાબાએ બ્રહ્મા દ્વારા અમને
પોતાનાં બનાવ્યાં છે. બ્રહ્માકુમાર-કુમારીઓ કેટલાં અસંખ્ય છે, કેટલાં સેવાકેન્દ્રો
છે. બધામાં બ્રહ્માકુમારીઓ ભણાવે છે. અહીં અમને દાદા નો વારસો મળે છે. ભગવાનુવાચ,
તમને રાજયોગ શીખવાડું છું. એ નિરાકાર હોવાનાં કારણે આમનાં શરીર નો આધાર લઈને અમને
નોલેજ સંભળાવે છે. પ્રજાપિતા નાં તો બધા બાળકો હશે ને? અમે છીએ પ્રજાપિતા
બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવબાબા છે દાદા. એમણે એડોપ્ટ કર્યા છે. તમે જાણો છો અમે દાદા
પાસે થી ભણી રહ્યાં છીએ બ્રહ્મા દ્વારા. આ લક્ષ્મી-નારાયણ બંને સ્વર્ગ નાં માલિક છે
ને? ભગવાન તો એક ઊંચા માં ઊંચા નિરાકાર જ છે. બાળકો ની ધારણા ખૂબ સારી હોવી જોઈએ.
પહેલાં-પહેલાં સમજાવો બે બાપ છે ભક્તિમાર્ગ માં. સ્વર્ગ માં છે એક બાપ. પારલૌકિક
બાપ દ્વારા બાદશાહી મળી ગઈ પછી યાદ કેમ કરશે? દુઃખ છે જ નહીં જે યાદ કરવા પડે. ગાય
છે દુઃખહર્તા સુખકર્તા. તે હમણાં ની વાત છે. જે ભૂતકાળ થઈ જાય છે એનું ગાયન થાય છે.
મહિમા છે એક ની. એ એક બાપ જ આવીને પતિતો ને પાવન બનાવે છે. મનુષ્ય થોડી સમજે છે?
તેઓ તો ભૂતકાળ ની કથા બેસીને લખે છે. તમે હમણાં સમજો છો - બરોબર બાપે રાજયોગ
શીખવાડ્યો, જેનાથી બાદશાહી મળી. ૮૪ નું ચક્ર લગાવ્યું. હમણાં ફરી આપણે ભણી રહ્યાં
છીએ, પછી ૨૧ જન્મ રાજ્ય કરીશું. આવાં દેવતા બનીશું. આવાં કલ્પ પહેલાં બન્યાં હતાં.
સમજો છો આપણે પૂરું ૮૪ જન્મો નું ચક્ર લગાવ્યું. હવે ફરી સતયુગ-ત્રેતા માં જઈશું
ત્યારે તો બાપ પૂછે છે પહેલાં કેટલી વખત મળ્યાં છો? આ પ્રેક્ટિકલ વાત છે ને? નવાં
પણ કોઈ સાંભળે તો સમજશે ૮૪ નું ચક્ર તો જરુર છે. જે પહેલાં વાળા હશે એમનું જ ચક્ર
પૂરું થયું હશે. બુદ્ધિ થી કામ લેવાનું છે. આ મકાન માં, આ ડ્રેસ માં બાબા અમે તમને
અનેક વખત મળીએ છીએ અને મળતા રહીશું. પતિત થી પાવન, પાવન થી પતિત થતા જ આવ્યાં છીએ.
કોઈ વસ્તુ સદૈવ નવી જ રહે, આ તો બની ન શકે. જૂની જરુર બને છે. દરેક વસ્તુ
સતો-રજો-તમો માં આવે છે. હમણાં આપ બાળકો જાણો છો નવી દુનિયા આવી રહી છે. તેને
સ્વર્ગ કહેવાય છે. આ છે નર્ક. તે છે પાવન દુનિયા. ખૂબ પોકારે છે - હે પતિત-પાવન,
અમને આવીને પાવન બનાવો કારણ કે દુઃખ વધારે થતું જાય છે ને? પરંતુ આ સમજતા નથી કે અમે
જ પૂજ્ય હતાં પછી પુજારી બન્યાં છીએ. દ્વાપર માં પુજારી બન્યાં. અનેક ધર્મ થતા ગયાં.
બરોબર પતિત થી પાવન, પાવન થી પતિત બનતા આવ્યાં છે. ભારત નાં ઉપર જ ખેલ છે.
આપ બાળકો ને હવે
સ્મૃતિ આવી છે, હવે તમે શિવ જયંતી મનાવો છો. બાકી બીજા કોઈ શિવ ને તો જાણતા જ નથી.
આપણે જાણીએ છીએ. બરોબર આપણને રાજયોગ શીખવાડે છે. બ્રહ્મા દ્વારા સ્વર્ગ ની સ્થાપના
થઈ રહી છે. જરુર જે યોગ શીખશે, સ્થાપના કરશે એ જ પછી રાજ્ય-ભાગ્ય મેળવશે. આપણે કહીએ
છીએ બરોબર આપણે કલ્પ-કલ્પ બાપ પાસે થી આ રાજયોગ શીખ્યાં છીએ. બાબાએ સમજાવ્યું છે -
હવે આ ૮૪ જન્મો નું ચક્ર પૂરું થાય છે. પછી નવું ચક્ર લગાવવાનું છે. ચક્ર ને તો
જાણવું જોઈએ ને? ભલે આ ચિત્ર ન હોય તો પણ તમે સમજાવી શકો છો. આ તો બિલકુલ સહજ વાત
છે. બરોબર ભારત સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. ફક્ત તે લોકો સમજે છે કળિયુગ હજી બાળક
છે. તમે કહો છો - આ તો કળિયુગ નો અંત છે. ચક્ર પૂરું થાય છે. બાપ સમજાવે છે હું આવું
છું પતિત દુનિયા ને પાવન બનાવવાં. તમે જાણો છો આપણે પાવન દુનિયા માં જવાનું છે. તમે
મુક્તિ, જીવન મુક્તિધામ, શાંતિધામ, સુખધામ અને દુઃખધામ ને પણ સમજો છો. પરંતુ તકદીર
માં નથી તો પછી આ વિચાર નથી કરતા કે કેમ નહીં અમે સુખધામ માં જઈએ. બરોબર આપણું
આત્માઓ નું ઘર તે શાંતિધામ છે. ત્યાં આત્માઓ ને કર્મેન્દ્રિયો ન હોવાનાં કારણે કાંઈ
બોલતા નથી. શાંતિ ત્યાં બધાને મળે છે. સતયુગ માં છે એક ધર્મ. આ અનાદિ, અવિનાશી
વર્લ્ડ ડ્રામા છે જે ચક્ર લગાવતો જ રહે છે. આત્મા ક્યારેય વિનાશ નથી થતો. શાંતિધામ
માં પણ થોડો સમય રહેવું જ પડે. આ બહુ જ સમજણ ની વાતો છે. કળિયુગ છે દુઃખધામ. કેટલાં
અનેક ધર્મ છે, કેટલાં હંગામા છે. જ્યારે બિલકુલ દુઃખધામ થાય છે ત્યારે જ બાપ આવે
છે. દુઃખધામ નાં પછી છે સંપૂર્ણ સુખધામ. શાંતિધામ થી આપણે આવીએ છીએ સુખધામ માં, પછી
દુઃખધામ બને છે. સતયુગ માં સંપૂર્ણ નિર્વિકારી, અહીં છે સંપૂર્ણ વિકારી. આ સમજાવવું
તો ખૂબ સહજ છે ને? હિમ્મત જોઈએ. ક્યાંય પણ જઈને સમજાવો. આ પણ લખેલું છે - હનુમાન
સત્સંગ માં પાછળ જુત્તા (જોડા) માં જઈને બેસતા હતાં. તો મહાવીર જે હશે તે ક્યાંય પણ
જઈ ને યુક્તિ થી સાંભળશે, જોશે શું બોલે છે. તમે ડ્રેસ બદલીને ક્યાંય પણ જઈ શકો છો,
એમનું કલ્યાણ કરવાં. બાબા પણ ગુપ્ત વેષ માં તમારું કલ્યાણ કરી રહ્યાં છે ને? મંદિરો
માં ક્યાંય પણ નિમંત્રણ મળે છે તો જઈને સમજાવવાનું છે. દિવસે-દિવસે તમે હોંશિયાર થતા
જાઓ છો. બધાને બાપ નો પરિચય તો આપવાનો જ છે. કોશિશ કરવાની હોય છે. આ તો ગવાયેલું
છે, પાછળ થી સંન્યાસી, રાજાઓ વગેરે આવ્યાં. રાજા જનક ને સેકન્ડ માં જીવનમુક્તિ મળી.
તે પછી જઈને ત્રેતા માં અનુજનક બન્યાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતિમ
વિનાશ નાં દૃશ્ય જોવા માટે પોતાની સ્થિતિ મહાવીર જેવી નિર્ભય, અડોલ બનાવવાની છે.
ગુપ્ત યાદ ની યાત્રા માં રહેવાનું છે.
2. અવ્યક્ત વતનવાસી
ફરિશ્તા બનવા માટે બેહદ સેવા માં દધિચી ઋષિ ની જેમ પોતાનાં હાડકાં સ્વાહા કરવાનાં
છે.
વરદાન :-
પહેલી શ્રીમત
પર વિશેષ અટેન્શન આપી ફાઉન્ડેશન ને મજબૂત બનાવવા વાળા સહજ યોગી ભવ
બાપદાદા ની નંબરવન
શ્રીમત છે કે પોતાને આત્મા સમજીને બાપ ને યાદ કરો. જો આત્મા નાં બદલે પોતાને સાધારણ
શરીરધારી સમજો છો તો યાદ ટકી નથી શકતી. એમ પણ કોઈ બે વસ્તુ ને જ્યારે જોડાય છે તો
પહેલાં સમાન બનાવે છે, એવી રીતે જ આત્મા સમજીને યાદ કરો તો યાદ સહજ થઈ જશે. આ
શ્રીમત જ મુખ્ય ફાઉન્ડેશન છે. આ વાત પર વારંવાર અટેન્શન આપો તો સહજયોગી બની જશો.
સ્લોગન :-
કર્મ આત્મા
નાં દર્શન કરાવવા વાળો દર્પણ છે એટલે કર્મ દ્વારા શક્તિ સ્વરુપ ને પ્રત્યક્ષ કરો.
અવ્યકત ઈશારા - આ
અવ્યકત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
બ્રાહ્મણ સો ફરિશ્તા
અર્થાત્ જીવનમુક્ત, જીવનબંધ નહીં. ન દેહ નું બંધન, ન દેહ નાં સંબંધ નું બંધન, ન દેહ
નાં પદાર્થો નું બંધન. જો પોતાનાં દેહ નો લગાવ ખતમ કર્યો તો દેહ નાં સંબંધ અને
પદાર્થ નું બંધન જાતે જ ખતમ થઈ જશે. એવું નહીં કોશિશ કરીશું. ‘કોશિશ’ શબ્દ જ સિદ્ધ
કરે છે દુનિયા ની કશિશ છે એટલે ‘કોશિશ’ શબ્દ સમાપ્ત કરો. દેહભાન ને છોડો.