11-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
ભણતર થી પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની છે . સાથે - સાથે પતિત થી પાવન બનાવવાનો
રસ્તો પણ બતાવવાનો છે , રુહાની સર્વિસ ( સેવા ) કરવાની છે”
પ્રશ્ન :-
કયો મંત્ર યાદ રાખો તો પાપ કર્મો થી બચી જશો?
ઉત્તર :-
બાપે મંત્ર આપ્યો છે - હિયર નો ઈવિલ (ખરાબ ન સાંભળો), સી નો ઈવિલ (ખરાબ ન જુઓ)… આ જ
મંત્ર યાદ રાખો. તમારે પોતાની કર્મેન્દ્રિયો થી કોઈ પાપ નથી કરવાનાં. કળિયુગ માં બધા
થી પાપ કર્મ જ થાય છે એટલે બાબા આ યુક્તિ બતાવે છે, પવિત્રતા નો ગુણ ધારણ કરો - આ જ
નંબરવન ગુણ છે.
ઓમ શાંતિ!
બાળકો કોની
સામે બેઠાં છે? બુદ્ધિ માં જરુર ચાલતું હશે કે અમે પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા,
પોતાનાં બેહદ નાં બાપ ની સામે બેઠાં છીએ. ભલે બ્રહ્મા નાં તન માં છે તો પણ યાદ એમને
કરવાના છે. મનુષ્ય કોઈ સર્વ ની સદ્દગતિ નથી કરી શકતાં. મનુષ્ય ને પતિત-પાવન નથી
કહેવાતાં. બાળકોએ સ્વયં ને આત્મા સમજવું પડે. આપણા સર્વ આત્માઓ નાં બાપ એ છે. એ બાપ
આપણને સ્વર્ગ નાં માલિક બનાવી રહ્યાં છે. આ બાળકો એ જાણવું જોઈએ અને પછી ખુશી પણ થવી
જોઈએ. આ પણ બાળકો જાણે છે આપણે નર્કવાસી થી સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. ખૂબ સહજ
રસ્તો મળી રહ્યો છે. ફક્ત યાદ કરવાના છે અને પોતાનાં માં દૈવીગુણ ધારણ કરવાના છે.
પોતાની જાંચ (તપાસ) કરવાની છે. નારદ નું દૃષ્ટાંત પણ છે. આ બધા દૃષ્ટાંત, જ્ઞાન નાં
સાગર બાપે જ આપ્યાં છે. જે પણ સંન્યાસી વગેરે દૃષ્ટાંત આપે છે, તે બધા બાપ નાં આપેલા
છે. ભક્તિમાર્ગ માં ફક્ત ગાતા રહે છે. કાચબા નું, સાપ નું, ભ્રમરી નું દૃષ્ટાંત આપશે.
પરંતુ પોતે કાંઈ પણ નથી કરી શકતાં. બાપ નાં આપેલા દૃષ્ટાંત ભક્તિમાર્ગ માં પછી
રીપીટ (પુનરાવર્તન) કરે છે. ભક્તિમાર્ગ છે જ પાસ્ટ (પહેલાં) નો. આ સમયે જે
પ્રેક્ટિકલ થાય છે તેનું પછી ગાયન થાય છે. ભલે દેવતાઓ નો જન્મદિવસ અથવા ભગવાન નો
જન્મ દિવસ મનાવે છે પરંતુ જાણતા કાંઈ પણ નથી. હમણાં તમે સમજતા જાઓ છો. બાપ પાસે થી
શિક્ષા લઈને પતિત થી પાવન પણ બનો છો અને પતિતો ને પાવન બનવાનો રસ્તો પણ બતાવો છો. આ
છે તમારી મુખ્ય રુહાની સર્વિસ. પહેલાં-પહેલાં કોઈને પણ આત્મા નું જ્ઞાન આપવાનું છે.
તમે આત્મા છો. આત્મા ની પણ કોઈને ખબર નથી. આત્મા તો અવિનાશી છે. જ્યારે સમય થાય છે
આત્મા શરીર માં આવીને પ્રવેશ કરે છે તો પોતાને ઘડી-ઘડી આત્મા સમજવાનું છે. આપણા
આત્માઓ નાં બાપ પરમપિતા પરમાત્મા છે. પરમ શિક્ષક પણ છે. આ પણ હંમેશા બાળકો ને યાદ
રહેવું જોઈએ. આ ભૂલવું ન જોઈએ. તમે જાણો છો હવે પાછા જવાનું છે. વિનાશ સામે છે.
સતયુગ માં દૈવી પરિવાર ખૂબ નાનો હોય છે. કળિયુગ માં તો કેટલાં અસંખ્ય મનુષ્ય છે.
અનેક ધર્મ, અનેક મતો છે. સતયુગ માં આ કાંઈ પણ હોતું નથી. બાળકો એ આખો દિવસ બુદ્ધિ
માં આ વાતો લાવવાની છે. આ ભણતર છે ને? તે ભણતર માં તો કેટલાં પુસ્તકો વગેરે હોય છે.
દરેક ક્લાસ (ધોરણ) માં નવાં-નવાં પુસ્તકો ખરીદી કરવા પડે છે. અહીં તો કોઈ પણ પુસ્તક
કે શાસ્ત્રો વગેરે ની વાત નથી. આમાં તો એક જ વાત, એક જ ભણતર છે. અહીં જ્યારે
બ્રિટિશ ગવર્મેન્ટ (અંગ્રેજ સરકાર) હતી, રાજાઓ નું રાજ્ય હતું, તો સ્ટેમ્પ માં પણ
રાજા-રાણી સિવાય બીજા કોઈ નો ફોટો નહોતાં રાખતાં. આજકાલ તો જુઓ ભક્ત વગેરે જે પણ
થઈને ગયા છે તેમની પણ સ્ટેમ્પ બનાવતા રહે છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે તો
ચિત્ર પણ એક જ મહારાજા-મહારાણી નું હશે. એવું નથી જે પહેલાં દેવતાઓ થઈને ગયા છે
તેમનાં ચિત્ર લોપ થઈ ગયા છે. ના, જૂના માં જૂનાં દેવતાઓ નાં ચિત્ર ખૂબ દિલ થી લે છે
કારણકે શિવબાબા પછી નેક્સ્ટ (તરત) છે દેવતાઓ. આ બધી વાતો આપ બાળકો ધારણ કરી રહ્યાં
છો બીજાઓ ને રસ્તો બતાવવા. આ છે બિલકુલ નવું ભણતર. તમે જ આ સાંભળ્યું હતું અને પદ
મેળવ્યું હતું. બીજા કોઈ નથી જાણતાં. તમને રાજયોગ પરમપિતા પરમાત્મા શીખવાડી રહ્યાં
છે. મહાભારત લડાઈ પણ પ્રખ્યાત છે. શું થાય છે તે તો આગળ ચાલીને જોશે. કોઈ શું કહે,
કોઈ શું કહે! દિવસે-દિવસે મનુષ્ય ને ટચ થતું (સમજમાં આવતું) જાય છે. કહે પણ છે
વર્લ્ડ વોર (વિશ્વયુદ્ધ) લાગી જશે. એનાંથી પહેલાં આપ બાળકોએ પોતાનાં ભણતર થી
કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. બાકી અસુરો અને દેવતાઓ ની કોઈ લડાઈ નથી થતી. આ
સમયે તમે બ્રાહ્મણ સંપ્રદાય છો જે પછી જઈને દૈવી સંપ્રદાય બનો છો એટલે આ જન્મ માં
દૈવીગુણ ધારણ કરી રહ્યાં છો. નંબરવન દેવીગુણ છે પવિત્રતા નો. તમે આ શરીર દ્વારા
કેટલાં પાપ કરતા આવ્યાં છો. આત્મા ને જ કહેવાય છે પાપ આત્મા, આત્મા આ કર્મેન્દ્રિયો
થી કેટલાં પાપ કરતો રહે છે. હવે હિયર નો ઈવિલ… કોને કહેવાય છે? આત્મા ને. આત્મા જ
કાનો થી સાંભળે છે. બાપે આપ બાળકો ને સ્મૃતિ અપાવી છે કે તમે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મવાળા હતાં, ચક્ર લગાવીને આવ્યાં હવે ફરી તમારે એ જ બનવાનું છે. આ મીઠી સ્મૃતિ
આવવાથી પવિત્ર બનવાની હિમ્મત આવે છે. તમારી બુદ્ધિ માં છે આપણે કેવી રીતે ૮૪ નો
પાર્ટ ભજવ્યો છે? પહેલાં-પહેલાં આપણે આ હતાં. આ કહાણી છે ને? બુદ્ધિ માં આવવું જોઈએ
૫ હજાર વર્ષ પહેલાં હમ સો દેવતા હતાં. આપણે આત્મા મૂળવતન નાં રહેવા વાળા છીએ. પહેલાં
આ જરા પણ વિચાર નહોતો - આપણાં આત્માઓ નું એ ઘર છે. ત્યાંથી આપણે આવીએ છીએ પાર્ટ
ભજવવાં. સૂર્યવંશી-ચંદ્રવંશી… બન્યાં. હમણાં તમે બ્રહ્મા ની સંતાન બ્રાહ્મણ વંશી
છો. તમે ઈશ્વરીય સંતાન બન્યાં છો. ઈશ્વર તમને શિક્ષા આપે છે. આ સુપ્રીમ બાપ,
સુપ્રીમ શિક્ષક, સુપ્રીમ ગુરુ પણ છે. આપણે એમની મત થી બધા મનુષ્ય ને શ્રેષ્ઠ બનાવીએ
છીએ. મુક્તિ-જીવનમુક્તિ બંને શ્રેષ્ઠ છે. આપણે પોતાનાં ઘરે જઈશું પછી પવિત્ર આત્માઓ
આવીને રાજ્ય કરશે. આ ચક્ર છે ને? આને કહેવાય છે સ્વદર્શન ચક્ર. આ જ્ઞાન ની વાત છે.
બાપ કહે છે તમારું આ સ્વદર્શન ચક્ર રોકાવું (અટકવું) ન જોઈએ. ફરતું રહેવાથી વિકર્મ
વિનાશ થઈ જશે. તમે આ રાવણ પર જીત મેળવી લેશો. પાપ ખતમ થઈ જશે. હવે સ્મૃતિ આવી છે,
સિમરણ કરવા માટે. એવું નથી, માળા સિમરણ (સ્મરણ) કરવાની છે. આત્મા માં અંદર જ્ઞાન છે
જે આપ બાળકોએ બીજા ભાઈ-બહેનો ને સમજાવવાનું છે. બાળકો પણ મદદગાર તો બનશે ને? આપ
બાળકો ને જ સ્વદર્શન ચક્રધારી બનાવું છું. આ જ્ઞાન મારા માં છે એટલે મને જ્ઞાન નાં
સાગર મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ કહેવાય છે. એમને બાગવાન કહેવાય છે. દેવી-દેવતા ધર્મ
નું બીજ શિવબાબાએ જ લગાવ્યું છે. હમણાં તમે દેવી-દેવતા બની રહ્યાં છો. આ આખો દિવસ
સિમરણ કરતા રહો તો પણ તમારું ખૂબ કલ્યાણ છે. દૈવીગુણ પણ ધારણ કરવાના છે. પવિત્ર પણ
બનવાનું છે. સ્ત્રી-પુરુષ બંને સાથે રહેતાં પવિત્ર બનો છો. આવો ધર્મ તો હોતો નથી.
નિવૃત્તિ માર્ગવાળા તો તે ફક્ત પુરુષ બને છે. કહે છે ને - સ્ત્રી-પુરુષ બંને સાથે
પવિત્ર રહી ન શકે, મુશ્કેલ છે. સતયુગ માં હતાં ને? લક્ષ્મી-નારાયણ ની મહિમા પણ ગાય
છે.
હમણાં તમે જાણો છો
બાબા આપણને શુદ્ર થી બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે. આપણે જ પૂજ્ય થી પુજારી
બનીશું. પછી જ્યારે વામમાર્ગ માં જઈશું તો શિવ નાં મંદિર બનાવી પૂજા કરીશું. આપ
બાળકો ને પોતાનાં ૮૪ જન્મો નું જ્ઞાન છે. બાપ જ કહે છે તમે પોતાનાં જન્મો ને નથી
જાણતાં, હું બતાવું છું. આવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે. તમને હમણાં બાપ સ્વદર્શન
ચક્રધારી બનાવે છે. તમે આત્મા પવિત્ર બની રહ્યાં છો. શરીર તો અહીં પવિત્ર બની ન શકે.
આત્મા પવિત્ર બની જાય છે તો પછી અપવિત્ર શરીર ને છોડવું પડે છે. બધા આત્માઓએ પવિત્ર
બનીને જવાનું છે. પવિત્ર દુનિયા હમણાં સ્થાપન થઈ રહી છે. બાકી બધા સ્વીટ હોમ માં
ચાલ્યાં જશે. આ યાદ રાખવું જોઈએ.
બાપ ની યાદ ની
સાથે-સાથે ઘર ની પણ યાદ જરુર જોઈએ કારણકે હવે પાછા ઘરે જવાનું છે. ઘર માં જ બાપ ને
યાદ કરવાના છે. ભલે તમે જાણો છો બાબા આ તન માં આવીને આપણને સંભળાવી રહ્યાં છે પરંતુ
બુદ્ધિ પરમધામ સ્વીટ હોમ થી તૂટવી ન જોઈએ. શિક્ષક ઘર છોડીને આવે છે, તમને ભણાવવાં.
ભણાવીને પછી ખૂબ દૂર ચાલ્યાં જાય છે. સેકન્ડ માં ક્યાંય પણ જઈ શકે છે. આત્મા કેટલું
નાનું બિંદુ છે. વન્ડર (આશ્ચર્ય) ખાવું જોઈએ! બાપે આત્મા નું પણ જ્ઞાન આપ્યું છે. આ
પણ તમે જાણો છો સ્વર્ગ માં કોઈ ગંદી વસ્તુ હોતી નથી, જેમાં હાથ-પગ અથવા કપડા વગેરે
મેલા થાય. દેવતાઓ નો કેવો સુંદર પહેરવેશ છે. કેટલાં ફર્સ્ટ ક્લાસ કપડા હશે. ધોવાની
પણ જરુર નથી. તેમને જોઈને કેટલી ખુશી થવી જોઈએ. આત્મા જાણે છે ભવિષ્ય ૨૧ જન્મ આપણે
આ બનીશું. બસ, જોતા રહેવું જોઈએ. આ ચિત્ર બધાની પાસે હોવું જોઈએ. આમાં ખૂબ ખુશી
જોઈએ - અમને બાબા આ બનાવે છે. એવાં બાબા નાં આપણે બાળકો પછી રડીએ કેમ છીએ? આપણને
કોઈ ફિકર થોડી થવી જોઈએ? દેવતાઓ નાં મંદિર માં જઈને મહિમા ગાય છે - સર્વગુણ સંપન્ન…
અચતમ્ કેશવમ્… કેટલાં નામ બોલતા જાય છે. આ બધું શાસ્ત્રો માં લખેલું હોય છે જે યાદ
કરે છે. શાસ્ત્રો માં કોણે લખ્યું? વ્યાસે. અથવા કોઈ નવાં-નવાં પણ બનાવતા રહે છે.
ગ્રંથ પહેલાં ખૂબ નાનાં હતાં હાથે થી લખેલા હતાં. હમણાં તો કેટલાં મોટા બનાવી દીધાં
છે. જરુર એડિશન (ઉમેરો) કર્યું હશે. હવે ગુરુનાનક તો આવે જ છે ધર્મ ની સ્થાપના કરવાં.
જ્ઞાન આપવા વાળા તો એક જ છે. ક્રાઈસ્ટ પણ આવે છે ફક્ત ધર્મ ની સ્થાપના કરવા માટે.
જ્યારે બધા આવી જાય છે પછી તો પાછા જશે. ઘરે મોકલવા વાળા કોણ? શું ક્રાઈસ્ટ? ના. તે
તો ભિન્ન નામ-રુપ માં તમોપ્રધાન અવસ્થા માં છે. સતો, રજો, તમો માં આવે છે ને? આ સમયે
બધા તમોપ્રધાન છે. બધાની જડજડીભૂત અવસ્થા છે ને? પુનર્જન્મ લેતાં-લેતાં આ સમયે બધા
ધર્મવાળા આવીને તમોપ્રધાન બન્યાં છે. હવે બધાને પાછા જવાનું છે જરુર. ફરી થી ચક્ર
ફરવું જોઈએ. પહેલાં નવો ધર્મ જોઈએ જે સતયુગ માં હતો. બાપ જ આવીને આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. પછી વિનાશ પણ થવાનો છે. સ્થાપના, વિનાશ પછી
પાલના. સતયુગ માં એક જ ધર્મ હશે. આ સ્મૃતિ આવે છે ને? આખું ચક્ર સ્મૃતિ માં લાવવાનું
છે. હવે આપણે ૮૪ નું ચક્ર પૂરું કરી પાછા ઘરે જઈશું. તમે બોલતાં-ચાલતાં સ્વદર્શન
ચક્રધારી છો. તેઓ પછી કહે છે કૃષ્ણ ને સ્વદર્શન ચક્ર હતું, તેનાથી બધા ને માર્યાં.
અકાસુર, બકાસુર વગેરે નાં ચિત્ર દેખાડ્યાં છે. પરંતુ એવી કોઈ વાત નથી.
આપ બાળકોએ હમણાં
સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે કારણકે સ્વદર્શન ચક્ર થી તમારા પાપ કપાય છે.
આસુરીપણું ખતમ થાય છે. દેવતાઓ અને અસુરો ની લડાઈ તો થઈ ન શકે. અસુર છે કળિયુગ માં,
દેવતાઓ છે સતયુગ માં. વચ્ચે છે સંગમયુગ. શાસ્ત્ર છે જ ભક્તિમાર્ગ નાં. જ્ઞાન નું
નામ નિશાન નથી. જ્ઞાન સાગર એક જ બાપ છે સર્વ નાં માટે. બાપ સિવાય કોઈ પણ આત્મા
પવિત્ર બની પાછો જઈ ન શકે. પાર્ટ જરુર ભજવવાનો છે, તો હવે પોતાનાં ૮૪ નાં ચક્ર ને
પણ યાદ કરવાનું છે. હવે આપણે સતયુગી નવાં જન્મ માં જઈએ છીએ. આવો જન્મ પછી ક્યારેય
નથી મળતો. શિવબાબા પછી બ્રહ્મા બાબા. લૌકિક, પારલૌકિક અને આ છે અલૌકિક બાબા. આ સમય
ની જ વાત છે, આમને અલૌકિક કહેવાય છે. આપ બાળકો એ શિવબાબા ને સિમરણ કરો છો. બ્રહ્મા
ને નહીં. ભલે બ્રહ્મા નાં મંદિર માં જઈને પૂજા કરે છે, તે પણ ત્યારે પૂજાય છે જ્યારે
સૂક્ષ્મવતન માં સંપૂર્ણ અવ્યકત મૂર્ત છે. આ શરીરધારી પૂજા ને લાયક નથી. આ તો મનુષ્ય
છે ને? મનુષ્ય ની પૂજા થતી નથી. બ્રહ્મા ને દાઢી દેખાડે છે તો ખબર પડે આ અહીં નાં
છે. દેવતાઓ ને દાઢી હોતી નથી. આ બધી વાતો બાળકો ને સમજાવી દીધી છે. તમારું નામ
પ્રસિદ્ધ છે એટલે તમારું મંદિર પણ બનાવેલું છે. સોમનાથ નું મંદિર કેટલું ઊંચા માં
ઊંચું છે. સોમરસ પીવડાવ્યો પછી શું થયું? પછી અહીં પણ દેલવાડા મંદિર જુઓ. મંદિર
હૂબહૂ યાદગાર બનાવેલું છે. નીચે તમે તપસ્યા કરી રહ્યાં છો, ઉપર છે સ્વર્ગ. મનુષ્ય
સમજે છે સ્વર્ગ ક્યાંક ઉપર છે. મંદિર માં પણ નીચે સ્વર્ગ કેવી રીતે બનાવે? તો ઉપર
છત માં બનાવી દીધું છે. બનાવવા વાળા કોઈ સમજતા નથી. મોટા-મોટા કરોડપતિ છે તેમને આ
સમજાવવાનું છે. તમને હમણાં જ્ઞાન મળ્યું છે તો તમે અનેક ને આપી શકો છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર થી
આસુરીપણા ને સમાપ્ત કરવા માટે ચાલતાં-ફરતાં સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે.
આખું ચક્ર સ્મૃતિ માં લાવવાનું છે.
2. બાપ ની યાદ ની
સાથે-સાથે બુદ્ધિ પરમધામ ઘર માં પણ લાગી રહે. બાપે જે સ્મૃતિઓ અપાવી છે તેનું સિમરણ
કરી પોતાનું કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
સર્વગુણ
સંપન્ન બનવાની સાથે - સાથે કોઈ એક વિશેષતા માં વિશેષ પ્રભાવશાળી ભવ
જેવી રીતે ડોક્ટર્સ
જનરલ બીમારીઓ ની નોલેજ તો રાખે જ છે પરંતુ સાથે-સાથે કોઈ વાત ની વિશેષ નોલેજ માં
પ્રખ્યાત થઈ જાય છે એવી રીતે આપ બાળકોએ સર્વગુણ સંપન્ન તો બનવાનું જ છે છતાં પણ એક
વિશેષતા ને વિશેષ રુપ થી અનુભવ માં લાવતા, સેવા માં લાવતા આગળ વધતા ચાલો. જેવી રીતે
સરસ્વતી ને વિદ્યા ની દેવી, લક્ષ્મી ને ધન ની દેવી કહીને પૂજે છે. એવી રીતે પોતાનાં
માં સર્વગુણ, સર્વશક્તિઓ હોવા છતાં પણ એક વિશેષતા માં વિશેષ રિસર્ચ કરી સ્વયં ને
પ્રભાવશાળી બનાવો.
સ્લોગન :-
વિકારો રુપી
સાંપો ને સહજયોગ ની શૈયા બનાવી દો તો સદા નિશ્ચિંત રહેશો.
અવ્યક્ત ઈશારા -
સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો
જ્યારે મન જ બાપ નું
છે તો પછી મન કેવી રીતે લગાવીએ? પ્રેમ કેવી રીતે કરીએ? આ પ્રશ્ન જ નથી ઉઠી શકતો
કારણકે સદા લવલીન રહો છો, પ્રેમ સ્વરુપ, માસ્ટર પ્રેમ નાં સાગર બની ગયા, તો પ્રેમ
કરવો નથી પડતો, પ્રેમ નું સ્વરુપ થઈ ગયાં. જેટલી-જેટલી જ્ઞાન સૂર્ય ની કિરણો તથા
પ્રકાશ વધે છે, એટલી જ વધારે પ્રેમ ની લહેરો ઉછળે છે.