11-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે આખી દુનિયાનાં સાચાં - સાચાં મિત્ર છો , તમારી કોઈની સાથે પણ શત્રુતા ન હોવી જોઈએ”

પ્રશ્ન :-
તમે રુહાની મિલેટ્રી છો, તમને બાપ નું કયું ડાયરેક્શન (માર્ગદર્શન) મળેલું છે, જેને અમલ માં લાવવાનું છે.

ઉત્તર :-
તમને ડાયરેક્શન છે કે બેજ સદા લગાવીને રાખો. કોઈ પણ પૂછે આ શું છે, તમે કોણ છો? તો બોલો, અમે છીએ આખી દુનિયા માંથી કામ ની અગ્નિ ને બુઝાવવા વાળા ફાયરબ્રિગેડ (અગ્નિશામક દળ). આ સમયે આખી દુનિયામાં કામ અગ્નિ લાગેલી છે, અમે બધાને સંદેશ આપીએ છીએ હવે પવિત્ર બનો, દૈવીગુણ ધારણ કરો તો બેડો પાર થઈ જશે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો સહજ યાદ માં બેઠાં છે. કોઈ-કોઈને ડિફિકલ્ટ (મુશ્કેલી) લાગે છે. ખૂબ મુંઝાય છે - અમે ટાઈટ (ટટ્ટાર) અથવા સ્ટ્રીક (એકાગ્ર) થઈને બેસીએ? બાપ કહે છે એવી કોઈ વાત નથી, કેવી રીતે પણ બેસો. બાપ ને ફક્ત યાદ કરવાના છે. આમાં મુશ્કેલી ની કોઈ વાત નથી. તે હઠયોગી એવાં ટાઈટ થઈને બેસે છે. પગ, પગ પર ચઢાવે છે. અહીં તો બાપ કહે છે આરામ થી બેસો. બાપ ને અને ૮૪ નાં ચક્ર ને યાદ કરો. આ છે જ સહજ યાદ. ઉઠતાં-બેસતાં બુદ્ધિ માં રહે. જેમ જુઓ આ નાનું બાળક બાપ ની બાજુ માં બેઠું છે, એને બુદ્ધિ માં મા-બાપ જ યાદ હશે. તમે પણ બાળકો છો ને? બાપ ને યાદ કરવા તો ખૂબ સહજ છે. આપણે બાબા નાં બાળકો છીએ. બાબા પાસે થી જ વારસો લેવાનો છે. શરીર નિર્વાહ અર્થ ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો. ફક્ત બીજાઓની યાદ બુદ્ધિ માંથી કાઢી નાખો. કોઈ હનુમાન ને, કોઈ કોઈ ને, સાધુ વગેરે ને યાદ કરતા હતાં, તે યાદ છોડી દેવાની છે. યાદ તો કરે છે ને? પૂજા માટે પુજારી ને મંદિર માં જવું પડે છે, આમાં ક્યાંય જવાની પણ જરુર નથી. કોઈ પણ મળે બોલો, શિવબાબા નું કહેવું છે મુજ એક બાપ ને યાદ કરો. શિવબાબા તો છે નિરાકાર. જરુર એ સાકાર માં જ આવીને કહે છે મામેકમ્ યાદ કરો. હું પતિત-પાવન છું. આ તો રાઈટ (સાચાં) શબ્દ છે ને? બાબા કહે છે મને યાદ કરો. તમે બધા પતિત છો. આ પતિત તમોપ્રધાન દુનિયા છે ને એટલે બાબા કહે છે કોઈ પણ દેહધારી ને યાદ ન કરો. આ તો સારી વાત છે ને? કોઈ ગુરુ વગેરે ની મહિમા નથી કરતાં. બાપ ફક્ત કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. આ છે યોગબળ અથવા યોગઅગ્નિ. બેહદ નાં બાપ તો સાચ્ચું કહે છે ને - ગીતા નાં ભગવાન નિરાકાર જ છે. કૃષ્ણ ની વાત નથી. ભગવાન કહે છે ફક્ત મને યાદ કરો બીજો કોઈ ઉપાય નથી. પાવન બનીને જવાથી ઊંચ પદ મેળવશો. નહીં તો ઓછું પદ થઈ જશે. અમે તમને બાપ નો સંદેશ આપીએ છીએ. હું સંદેશી છું. આ સમજાવવા માં કોઈ તકલીફ નથી. માતાઓ, અહિલ્યાઓ, કુબ્જાઓ પણ ઊંચ પદ મેળવી શકે છે. ભલે અહીં રહેવા વાળા છો કે ઘર ગૃહસ્થ માં રહેવા વાળા છો, એવું નથી કે અહીં રહેવા વાળા વધારે યાદ કરી શકે છે. બાબા કહે છે બાહર રહેવા વાળા પણ ખૂબ યાદ માં રહી શકે છે. ખૂબ સર્વિસ (સેવા) કરી શકે છે. અહીં પણ બાપ પાસે થી રિફ્રેશ થઈ ને પછી જાય છે તો અંદર કેટલી ખુશી રહેવી જોઈએ? આ છી-છી દુનિયા માં તો બાકી થોડા દિવસ છે. પછી ચાલીશું શ્રીકૃષ્ણપુરી માં. શ્રીકૃષ્ણ નાં મંદિર ને પણ સુખધામ કહે છે. તો બાળકો ને અપાર ખુશી થવી જોઈએ. જ્યારે તમે બેહદ નાં બાપ નાં બન્યાં છો. તમને જ સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં. તમે પણ કહો છો બાબા ૫ હજાર વર્ષ પહેલાં પણ અમે તમને મળ્યાં હતાં અને ફરી મળીશું. હવે બાપ ને યાદ કરવાથી માયા પર જીત મેળવવાની છે. હવે આ દુઃખધામ માં તો રહેવાનું નથી. તમે ભણો જ છો સુખધામ માં જવા માટે. બધાએ હિસાબ-કિતાબ ચૂક્તું કરી પાછા જવાનું છે. હું આવ્યો જ છું નવી દુનિયા સ્થાપન કરવાં. બાકી બધા આત્માઓ ચાલ્યાં જશે મુક્તિધામ. બાપ કહે છે-હું કાળો નો કાળ છું. બધાને શરીર થી છોડાવી અને આત્માઓ ને લઈ જઈશ. બધા કહે પણ છે અમે જલ્દી જઈએ. અહીં તો રહેવાનું નથી. આ તો જૂની દુનિયા, જૂનું શરીર છે. હવે બાપ કહે છે હું બધાને લઈ જઈશ. છોડીશ કોઈને પણ નહીં. તમે બધાએ બોલાવ્યાં જ છે - હે પતિત-પાવન, આવો. ભલે યાદ કરતા રહે છે પરંતુ અર્થ કાંઈ પણ નથી સમજતાં. પતિત-પાવન ની કેટલી ધૂન લગાવે છે. પછી કહે છે રઘુપતિ રાઘવ રાજા રામ. હવે શિવબાબા તો રાજા બનતા નથી, રાજાઈ કરતા નથી. એમને રાજા રામ કહેવું રોંગ (ખોટું) થઈ ગયું. માળા જ્યારે સિમરે છે તો રામ-રામ કહે છે. એમાં ભગવાન ની યાદ આવે છે. ભગવાન તો છે જ શિવ. મનુષ્યો નાં નામ ખૂબ રાખી દીધાં છે. શ્રીકૃષ્ણ ને પણ શ્યામ સુંદર, વૈકુંઠ નાથ, માખણ ચોર વગેરે-વગેરે ખૂબ નામ આપે છે. તમે હવે શ્રીકૃષ્ણ ને માખણ ચોર કહેશો? બિલકુલ નહીં. તમે હવે સમજો છો ભગવાન તો એક નિરાકાર છે, કોઈપણ દેહધારી ને ભગવાન કહી ન શકાય. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ નથી કહી શકતા તો પછી મનુષ્ય પોતાને ભગવાન કેવી રીતે કહી શકે? વૈજયન્તી માળા ફક્ત ૧૦૮ ની ગવાય છે. શિવબાબાએ સ્વર્ગ સ્થાપન કર્યુ, એનાં આ માલિક છે. જરુર એનાં પહેલાં તેમણે આ પુરુષાર્થ કર્યો હશે. તેને કહેવાય છે કે કળિયુગ અંત સતયુગ આદિ નો સંગમયુગ. આ છે કલ્પ નો સંગમયુગ. મનુષ્યોએ પછી યુગે-યુગે કહી દીધું છે, અવતાર નામ પણ ભૂલી પછી એમને ઠીકકર-ભિત્તર માં, કણ-કણ માં કહી દીધાં છે. આ પણ છે ડ્રામા. જે વાત પાસ્ટ (ભૂતકાળ) થઈ જાય છે તેને કહેવાય છે ડ્રામા. કોઈની સાથે ઝઘડો વગેરે થયો, પાસ (પસાર) થયું, તેનું ચિંતન નથી કરવાનું. સારું, કોઈએ ઓછું વધારે બોલ્યું, તમે તેમને ભૂલી જાઓ. કલ્પ પહેલાં પણ એવું બોલ્યાં હતાં. તે વાતો યાદ રહેવાથી પછી બગડતા રહેશે. તે વાત પછી ક્યારેય બોલો પણ નહીં.

આપ બાળકોએ સર્વિસ તો કરવાની છે ને? સર્વિસ માં કોઈ વિઘ્ન ન પડવા જોઈએ. સર્વિસ માં કમજોરી ન દેખાડવી જોઈએ. શિવબાબા ની સર્વિસ છે ને? એમાં ક્યારેય જરા પણ ના ન કરવી જોઈએ. નહીં તો પોતાનું પદ ભ્રષ્ટ કરી દેશો. બાપ નાં મદદગાર બન્યાં છો તો પૂરી મદદ આપવાની છે. બાપ ની સર્વિસ કરવામાં જરા પણ દગો નથી આપવાનો. પૈગામ બધાને પહોંચાડવાનો જ છે. બાપ કહેતા રહે છે મ્યુઝિયમ નું નામ એવું રાખો જે મનુષ્ય જોઈ અંદર આવે અને આવીને સમજે કારણકે આ નવી વસ્તુ છે ને? મનુષ્ય નવી વસ્તુ જોઈને અંદર આવે છે. આજકાલ બહાર થી આવે છે, ભારત નો પ્રાચીન યોગ શીખવાં. હવે પ્રાચીન અર્થાત્ જૂનાં માં જૂનું, એ તો ભગવાન નું જ શીખવાડેલું છે, જેને ૫ હજાર વર્ષ થયાં. સતયુગ-ત્રેતા માં યોગ હોતો નથી, જેમને શીખવાડ્યો એ તો ચાલ્યાં ગયા પછી જ્યારે ૫ હજાર વર્ષ પછી આવે ત્યારે જ આવીને રાજયોગ શીખવાડે. પ્રાચીન અર્થાત્ ૫ હજાર વર્ષ પહેલાં ભગવાને શીખવાડ્યો હતો. એ જ ભગવાન પછી સંગમ પર જ આવીને રાજયોગ શીખવાડશે, જેનાંથી પાવન બની શકાય છે. આ સમયે તો તત્વ પણ તમોપ્રધાન છે. પાણી પણ કેટલું નુકસાન કરી દે છે. ઉપદ્રવ થતા રહે છે, જૂની દુનિયા માં. સતયુગ માં ઉપદ્રવ ની વાત જ નથી. ત્યાં તો પ્રકૃતિ દાસી બની જાય છે. અહીં પ્રકૃતિ દુશ્મન બનીને દુઃખ આપે છે. આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં દુઃખ ની વાત જ નહોતી. સતયુગ હતો. હમણાં ફરી તે સ્થાપન થઈ રહ્યો છે. બાપ પ્રાચીન રાજયોગ શીખવાડી રહ્યાં છે, ફરી ૫ હજાર વર્ષ પછી શીખવાડશે, જેમનો પાર્ટ છે એ જ ભજવશે. બેહદ નાં બાપ પણ પાર્ટ ભજવી રહ્યાં છે. બાપ કહે છે હું આમનાં માં પ્રવેશ કરી, સ્થાપના કરી ચાલ્યો જાઉં છું. હાહાકાર પછી જય જયકાર થઈ જાય છે. જૂની દુનિયા ખતમ થઈ જશે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો જૂની દુનિયા નહોતી. ૫ હજાર વર્ષ ની વાત છે. લાખો વર્ષ ની વાત હોય ન શકે. તો બાપ કહે છે બીજી બધી વાતોને છોડી આ સર્વિસ માં લાગી જાઓ, પોતાનું કલ્યાણ કરવાં. રિસાઈ ને સર્વિસ માં દગો ન આપવો જોઈએ. આ છે ઈશ્વરીય સર્વિસ. માયા નાં તોફાન ખૂબ આવશે. પરંતુ બાપ ની ઈશ્વરીય સર્વિસ માં દગો નથી આપવાનો. બાપ સર્વિસ અર્થ ડાયરેક્શન (માર્ગદર્શન) તો આપતા રહે છે. મિત્ર-સંબંધી વગેરે જે પણ આવે, બધાનાં સાચાં મિત્ર તો તમે છો. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ તો આખી દુનિયાનાં મિત્ર છો કારણકે તમે બાપ નાં મદદગાર છો. મિત્રો માં કોઈ શત્રુતા ન હોવી જોઈએ. કોઈ પણ વાત નીકળે બોલો, શિવબાબા ને યાદ કરો. બાપ ની શ્રીમત પર લાગી જવાનું છે. નહીં તો પોતાનું નુકસાન કરી દેશો. ટ્રેન માં તમે આવો છો ત્યાં તો બધા ફ્રી છે. સર્વિસ નો ખૂબ સારો ચાન્સ (સારી તક) છે. બેજ તો ખૂબ સારી વસ્તુ છે. દરેકે લગાવીને રાખવાનો છે. કોઈ પૂછે તમે કોણ છો તો બોલો, અમે છીએ ફાયર બિગ્રેડ, જેમ તે ફાયર બ્રિગેડ હોય છે, આગ ને બુઝાવવા માટે. તો આ સમયે આખી સૃષ્ટિ માં કામ-અગ્નિ માં બધા બળી રહ્યાં છે. હવે બાપ કહે છે કામ મહાશત્રુ પર જીત મેળવો. બાપ ને યાદ કરો, પવિત્ર બનો, દૈવી ગુણ ધારણ કરો તો બેડો પાર છે. આ બેજ શ્રીમત થી જ તો બને છે. ખૂબ થોડા બાળકો છે જે બેજ પર સર્વિસ કરે છે. બાબા મોરલીઓ માં કેટલું સમજાવતા રહે છે. દરેક બ્રાહ્મણ પાસે આ બેજ હોવો જોઈએ, કોઈ પણ મળે તેમને આનાં પર સમજાવવાનું છે, આ છે બાબા, આમને યાદ કરવાના છે. અમે સાકાર ની મહિમા નથી કરતાં. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ નિરાકાર બાપ છે, એમને યાદ કરવાના છે. યાદ નાં બળ થી જ તમારા પાપ કપાઈ જશે. પછી અંત મતી સો ગતિ થઈ જશે. દુઃખધામ થી છૂટી જશો. પછી તમે વિષ્ણુપુરી માં આવી જશો. કેટલી મોટી ખુશખબરી છે! લિટરેચર (સાહિત્ય) પણ આપી શકો છો. બોલો, તમે ગરીબ છો તો ફ્રી આપી શકીએ છીએ. સાહૂકારો એ તો પૈસા આપવા જ જોઇએ કારણકે આ તો ખૂબ છપાવવાના હોય છે. આ વસ્તુ એવી છે જેનાંથી તમે ફકીર થી વિશ્વ નાં માલિક બની જશો. સમજણ તો મળતી રહે છે. કોઈપણ ધર્મ વાળા હોય, બોલો, હકીકત માં તમે આત્મા છો, પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. હવે વિનાશ સામે છે, આ દુનિયા બદલવાની છે. શિવબાબા ને યાદ કરશો તો વિષ્ણુપુરી માં આવી જશો. બોલો, આ તમને કરોડો પદ્મો ની વસ્તુ આપે છે.

બાબાએ કેટલું સમજાવ્યું છે - બેજ પર સર્વિસ કરવાની છે, પરંતુ બેજ લગાવતા નથી. શરમ આવે છે. બ્રાહ્મણીઓ જે પાર્ટી લઈને આવે છે અથવા ક્યાંય ઓફીસ વગેરે માં એકલી જાય છે, તો આ બેજ જરુર લગાવેલો રહેવો જોઈએ, જેમને તમે આનાં પર સમજાવશો તે ખૂબ ખુશ થશે. બોલો, અમે એક બાપ ને જ માનીએ છીએ, એ જ બધાને સુખ-શાંતિ આપવા વાળા છે, એમને યાદ કરો. પતિત આત્મા તો જઈ ન શકે. હમણાં આ જૂની દુનિયા બદલાઈ રહી છે. આવું-આવું રસ્તા માં સર્વિસ કરતાં-કરતાં આવવું જોઈએ. તમારું નામ ખૂબ થશે, બાબા સમજે છે કદાચ શરમ આવે છે એટલે બેજ પહેરી સર્વિસ નથી કરતાં. એક તો બેજ, સીડી નું ચિત્ર અથવા ત્રિમૂર્તિ, ગોળો અને ઝાડ નું ચિત્ર સાથે હોય, પરસ્પર બેસી એક-બીજા ને સમજાવો તો બધા ભેગા થઈ જશે. પૂછશે આ શું છે? બોલો, શિવબાબા આમનાં દ્વારા આ નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે. હવે બાપ કહે છે મને યાદ કરો, પવિત્ર બનો. અપવિત્ર તો પાછા જઈ નહીં શકશે. એવી મીઠી-મીઠી વાતો સંભળાવવી જોઈએ. તો ખુશી થી બધા સાંભળશે. પરંતુ કોઈ ની બુદ્ધિ માં બેસતું નથી. સેવાકેન્દ્ર પર ક્લાસ માં જાઓ છો તો પણ બેજ લગાવેલો રહે. મિલેટ્રી વાળાઓ ને અહીં બિલ્લો (બેજ) લાગેલો હોય છે. તેમને ક્યારેય શરમ આવે છે શું? તમે પણ રુહાની મિલેટ્રી છો ને? બાપ ડાયરેક્શન આપે છે પછી અમલ માં કેમ નથી લાવતાં. બેજ લગાવેલો હશે તો શિવબાબા ની યાદ પણ રહેશે - અમે શિવબાબા નાં બાળકો છીએ. દિવસે-દિવસે સેવાકેન્દ્રો પણ ખુલતા જશે. કોઈને કોઈ નીકળી આવશે. કહેશે ફલાણા શહેર માં તમારી બ્રાંચ (શાખા) નથી. બોલો, કોઈ પ્રબંધ કરે મકાન વગેરે નો, નિમંત્રણ આપે તો અમે આવીને સર્વિસ કરી શકીએ છીએ. હિમ્મતે બાળકો મદદે બાપ, બાપ તો બાળકો ને જ કહેશે સેવાકેન્દ્ર ખોલો, સર્વિસ કરો. આ બધી શિવબાબા ની દુકાન છે ને? બાળકો દ્વારા ચલાવી રહ્યાં છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પરસ્પર રિસાઈ ને સર્વિસ (સેવા) માં દગો નથી આપવાનો. વિઘ્ન રુપ નથી બનવાનું. પોતાની કમજોરી નથી દેખાડવાની. બાપ નાં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે.

2. ક્યારેય કોઈ સાથે ઝઘડો વગેરે થયો, પાસ થયું (વીતી ગયું), તેનું ચિંતન નથી કરવાનું. કોઈએ ઓછું વધારે કહ્યું, તમે તેને ભૂલી જાઓ. કલ્પ પહેલાં પણ એવું બોલ્યાં હતાં. તે વાત પછી ક્યારેય બોલો પણ નહીં.

વરદાન :-
શાંતિ નાં દૂત બની સર્વ ને શાંતિ નો સંદેશ આપવા વાળા માસ્ટર શાંતિ , શક્તિ દાતા ભવ

આપ બાળકો શાંતિ નાં મેસેન્જર શાંતિ નાં દૂત છો. ક્યાંય પણ રહેતાં પોતાને શાંતિ નાં દૂત સમજીને ચાલો. શાંતિ નાં દૂત છીએ, શાંતિ નો સંદેશ આપવા વાળા છીએ આનાંથી સ્વયં પણ શાંત સ્વરુપ શક્તિશાળી રહેશો અને બીજાઓ ને પણ શાંતિ આપતા રહેશો. તે અશાંતિ આપે તમે શાંતિ આપો. તે આગ લગાવે તમે પાણી નાખો. આ જ આપ શાંતિ નાં મેસેન્જર, માસ્ટર શાંતિ, શક્તિ દાતા બાળકો નું કર્તવ્ય છે.

સ્લોગન :-
જેમ અવાજ માં આવવાનું સહજ લાગે છે તેમ અવાજ થી પરે જવાનું પણ સહજ હોય.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

યોગ માં સદા લાઈટ-હાઉસ અને માઈટ-હાઉસ સ્થિતિ નો અનુભવ કરો. જ્ઞાન છે લાઈટ, યોગ છે માઈટ. જ્ઞાન અને યોગ બન્ને શકિતઓ લાઈટ અને માઈટ સંપન્ન હોય - એને કહેવાય છે માસ્ટર સર્વશક્તિમાન્. એવાં શક્તિશાળી આત્માઓ કોઈ પણ પરિસ્થિતિ ને સેકન્ડ માં પાર કરી લે છે.