12-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારા
ભણતર નો પૂરો આધાર છે યોગ પર , યોગ થી જ આત્મા પવિત્ર બને છે , વિકર્મ વિનાશ થાય
છે”
પ્રશ્ન :-
ઘણાં બાળકો બાપ નાં બનીને પછી હાથ છોડી દે છે, કારણ શું હોય છે?
ઉત્તર :-
બાપ ને પૂરી રીતે ન ઓળખવાનાં કારણે, પૂરાં નિશ્ચયબુદ્ધિ ન હોવાનાં કારણે ૮-૧૦ વર્ષ
પછી પણ બાપ ને ફારકતી આપી દે છે, હાથ છોડી દે છે. પદ ભ્રષ્ટ થઈ જાય છે. ૨. ક્રિમિનલ
(વિકારી) આંખ થવાથી માયા ની ગ્રહચારી બેસી જાય છે, અવસ્થા નીચે-ઉપર થતી રહે છે તો
પણ ભણતર છૂટી જાય છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે. હમણાં સમજો છો કે, અમે બધા રુહાની બેહદ નાં
બાપ નાં બાળકો છીએ, આમને બાપદાદા કહેવાય છે. જેમ તમે રુહાની બાળકો છો તેમ આ (બ્રહ્મા)
પણ રુહાની બાળક છે શિવબાબા નાં. શિવબાબા ને રથ તો જરુર જોઈએ ને એટલે જેમ આપ આત્માઓ
ને ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) મળેલા છે કર્મ કરવા માટે, તેમ શિવબાબા નો પણ આ રથ છે,
કારણકે આ કર્મક્ષેત્ર છે જ્યાં કર્મ કરવાનાં હોય છે. તે છે ઘર, જ્યાં આત્માઓ રહે
છે. આત્માએ જાણ્યું છે આપણું ઘર શાંતિધામ છે, ત્યાં આ ખેલ નથી હોતો. બત્તીઓ (વીજળી)
વગેરે કાંઈ નથી હોતી, ફક્ત આત્માઓ રહે છે. અહીં આવે છે પાર્ટ ભજવવાં. તમારી બુદ્ધિ
માં છે - આ બેહદ નો ડ્રામા છે. જે એક્ટર્સ છે તેમની એક્ટ (તેમનાં કર્મ) શરુ થી લઈને
અંત સુધી આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. અહીં કોઈ સાધુ-સંત વગેરે નથી
સમજાવતાં. અહીં આપણે બાળકો બેહદ નાં બાપ ની પાસે બેઠાં છીએ. હવે આપણે પાછા જવાનું
છે. પવિત્ર તો જરુર બનવાનું છે આત્માએ. એવું નથી કે શરીર પણ અહીં પવિત્ર બનવાનું
છે, ના. આત્મા પવિત્ર બને છે. શરીર તો પવિત્ર ત્યારે બને જ્યારે ૫ તત્વ પણ
સતોપ્રધાન હોય. હમણાં તમારો આત્મા પુરુષાર્થ કરી પાવન બની રહ્યો છે. ત્યાં આત્મા અને
શરીર બંને પવિત્ર હોય છે. અહીં હોઈ ન શકે. આત્મા પવિત્ર બની જાય છે તો પછી જૂનું
શરીર છોડે છે, પછી નવાં તત્વો થી નવાં શરીર બને છે. તમે જાણો છો આપણો આત્મા બેહદ
નાં બાપ ને યાદ કરે છે કે નથી કરતો? આ તો દરેકે પોતાને પૂછવાનું છે. ભણતર નો બધો
આધાર છે યોગ પર. ભણતર તો સહજ છે, સમજી ગયા છો કે ચક્ર કેવી રીતે ફરે છે, મુખ્ય છે જ
યાદ ની યાત્રા. આ અંદર ગુપ્ત છે. દેખાય થોડી છે? બાબા નથી કહી શકતા કે આ વધારે યાદ
કરે છે કે ઓછું. હા, જ્ઞાન માટે બતાવી શકે છે કે આ જ્ઞાન માં ખૂબ હોંશિયાર છે. યાદ
નું તો કાંઈ દેખાતું નથી. જ્ઞાન મુખ થી બોલાય છે. યાદ તો છે અજપાજાપ. જાપ શબ્દ
ભક્તિમાર્ગ નો છે, જાપ એટલે કોઈ નું નામ જપવું. અહીં તો આત્માએ પોતાનાં બાપ ને યાદ
કરવાના છે.
તમે જાણો છો આપણે બાપ
ને યાદ કરતાં-કરતાં પવિત્ર બનતાં-બનતાં મુક્તિધામ-શાંતિધામ માં જઈને પહોંચશું. એવું
નથી કે ડ્રામા થી મુક્ત થઈ જઈશું. મુક્તિ નો અર્થ છે - દુ:ખ થી મુક્ત થઈ, શાંતિધામ
જઈ પછી સુખધામ માં આવીશું. પવિત્ર જે બને છે તે સુખ ભોગવે છે. અપવિત્ર મનુષ્ય તેમની
ખિદ્દમત (સેવા) કરે છે. પવિત્ર ની મહિમા છે, આમાં જ મહેનત છે. આંખો ખૂબ જ દગો આપે
છે, નીચે પડે છે. નીચે-ઉપર તો બધાને થવું પડે છે. ગ્રહચારી બધાને લાગે છે. ભલે બાબા
કહે છે, બાળકો પણ સમજાવી શકે છે. પછી કહે છે માતા ગુરુ જોઈએ કારણ કે હવે માતા ગુરુ
ની સિસ્ટમ (પ્રથા) ચાલે છે. પહેલાં પિતાઓ ની હતી. હવે પહેલાં-પહેલાં કળશ માતાઓ ને
મળે છે. માતાઓ મેજોરીટી (અધિકાંશ) માં છે, કુમારીઓ રાખડી બાંધે છે, પવિત્રતા માટે.
ભગવાન કહે છે કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવો. રક્ષાબંધન પવિત્રતા ની નિશાની
છે, તે લોકો રાખડી બાંધે છે. પવિત્ર તો બનતા નથી. તે બધી છે આર્ટિફિશિયલ (બનાવટી)
રાખડી, કોઈ પાવન બનાવવા વાળા નથી, આમાં તો જ્ઞાન જોઈએ. હમણાં તમે રાખડી બાંધો છો.
અર્થ પણ સમજાવો છો. આ પ્રતિજ્ઞા કરાવે છે. જેમ સિક્ખ લોકો નું કંગન (કડું) નિશાની
હોય છે પરંતુ પવિત્ર તો બનતા નથી. પતિત ને પાવન બનાવવા વાળા, સર્વ નાં સદ્દગતિ દાતા
એક છે, તે પણ દેહધારી નથી. પાણી ની ગંગા તો આ આંખો થી દેખાય છે. બાપ જે સદ્દગતિ દાતા
છે, એમને આ આંખો થી નથી જોઈ શકાતાં. આત્મા ને કોઈપણ જોઈ નથી શકતાં કે આ શું વસ્તુ
છે? કહે પણ છે અમારા શરીર માં આત્મા છે, તેને જોયો છે? કહેશે ના. બીજી બધી વસ્તુ
જેમનું નામ છે તે દેખાય જરુર છે. આત્મા નું પણ નામ તો છે. કહે પણ છે ભ્રકુટી ની
વચ્ચે ચમકે છે અજબ સિતારો. પરંતુ દેખાતો નથી. પરમાત્મા ને પણ યાદ કરે છે, દેખાશે
કાંઈ નહીં. લક્ષ્મી-નારાયણ ને જોવાય છે આ આંખો દ્વારા. લિંગ ની ભલે પૂજા કરે છે
પરંતુ તે કોઈ યથાર્થ રીત તો નથી ને? જોવાં છતાં પણ જાણતા નથી, પરમાત્મા શું છે? આ
કોઈ નથી જાણી શકતું. આત્મા તો ખૂબ નાનું બિંદુ છે. દેખાતો નથી. નથી આત્મા ને, નથી
પરમાત્મા ને જોઈ શકાતા, જાણી શકાય છે. હમણાં તમે જાણો છો અમારા બાબા આવેલા છે આમના
માં. આ શરીર નો પોતાનો આત્મા પણ છે, પછી પરમપિતા પરમાત્મા કહે છે - હું આમનાં રથ પર
વિરાજમાન છું એટલે બાપદાદા કહો છો. હવે દાદા ને તો આ આંખો થી જુઓ છો, બાપ ને નથી
જોતાં. જાણો છો બાબા જ્ઞાન નાં સાગર છે, એ આ શરીર દ્વારા આપણને જ્ઞાન સંભળાવી રહ્યાં
છે. એ જ્ઞાન નાં સાગર પતિત-પાવન છે. નિરાકાર રસ્તો કેવી રીતે બતાવશે? પ્રેરણા થી તો
કોઈ કામ નથી થતું. ભગવાન આવે છે આ કોઈને પણ ખબર નથી. શિવ જયંતી પણ મનાવે છે તો જરુર
અહીં આવતા હશે ને? તમે જાણો છો હમણાં એ આપણને ભણાવી રહ્યાં છે. બાબા આમના માં આવીને
ભણાવે છે. બાપ ને પૂરી રીતે ન ઓળખવા નાં કારણે, નિશ્ચય બુદ્ધિ ન હોવાનાં કારણે ૮-૧૦
વર્ષ પછી પણ ફારકતી આપી દે છે. માયા બિલકુલ જ આંધળા બનાવી દે છે. બાપ નાં બનીને પછી
છોડી દે છે તો પદ ભ્રષ્ટ થઈ જાય છે. હવે આપ બાળકો ને બાપ નો પરિચય મળ્યો છે તો
બીજાઓ ને પણ આપવાનો છે. ઋષિ-મુનિ વગેરે બધા નેતી-નેતી કરતા ગયાં. પહેલાં તમે પણ
જાણતા નહોતાં. હમણાં તમે કહેશો હા અમે જાણીએ છીએ તો આસ્તિક થઈ ગયાં. સૃષ્ટિ નું
ચક્ર કેવી રીતે ફરે છે? આ પણ તમે જાણો છો. આખી દુનિયા અને તમે પોતે આ ભણતર નાં પહેલાં
નાસ્તિક હતાં. હવે બાપે સમજાવ્યું છે તો તમે કહો છો અમને પરમપિતા પરમાત્મા બાપે
સમજાવ્યું છે, આસ્તિક બનાવ્યાં છે. અમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નહોતાં
જાણતાં. બાપ છે રચયિતા, બાપ જ સંગમ પર આવીને નવી દુનિયા ની સ્થાપના પણ કરે છે અને
જૂની દુનિયા નો વિનાશ પણ કરે છે. જૂની દુનિયાનાં વિનાશ માટે આ મહાભારત લડાઈ છે, જેનાં
માટે સમજે છે, તે સમયે કૃષ્ણ હતાં. હમણાં તમે સમજો છો - નિરાકાર બાપ હતાં, તેમને
જોઈ નથી શકાતાં. શ્રીકૃષ્ણ નું તો ચિત્ર છે, દેખાય છે. શિવ ને જોઈ નથી શકાતાં.
શ્રીકૃષ્ણ તો છે સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર). એ જ ફીચર્સ (ચહેરો) ફરી હોય ન શકે.
કૃષ્ણ પણ ક્યારે કેવી રીતે આવ્યાં? આ પણ કોઈ નથી જાણતાં. શ્રીકૃષ્ણ ને કંસ ની જેલ
માં દેખાડે છે. કંસ સતયુગ માં હતો શું? આ બની કેવી રીતે શકે? કંસ અસુર ને કહેવાય
છે. આ સમયે આખો આસુરી સંપ્રદાય છે ને? એક-બીજા ને મારતા-કાપતા રહે છે. દૈવી દુનિયા
હતી, આ ભૂલી ગયા છે. ઈશ્વરીય દૈવી દુનિયા ઈશ્વરે સ્થાપન કરી. આ પણ તમારી બુદ્ધિ માં
છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર. હમણાં તમે છો ઈશ્વરીય પરિવાર, પછી ત્યાં હશો દૈવી
પરિવાર. આ સમયે ઈશ્વર તમને લાયક બનાવી રહ્યાં છે સ્વર્ગ નાં દેવી-દેવતા બનાવવાં.
બાપ ભણાવી રહ્યાં છે. આ સંગમયુગ ને કોઈ પણ નથી જાણતાં. કોઈ પણ શાસ્ત્ર માં આ
પુરુષોત્તમ યુગ ની વાત નથી. પુરુષોત્તમ યુગ અર્થાત્ જ્યાં પુરુષોત્તમ બનવાનું હોય
છે. સતયુગ ને કહેવાશે પુરુષોત્તમ યુગ. આ સમયે તો મનુષ્ય પુરુષોત્તમ નથી. આને તો
કનિષ્ટ તમોપ્રધાન કહેવાશે, આ બધી વાતો આપ બ્રાહ્મણો સિવાય બીજા કોઈ નથી સમજી શકતાં.
બાપ કહે છે આ છે આસુરી ભ્રષ્ટાચારી દુનિયા. સતયુગ માં આવું કોઈ વાતાવરણ નથી હોતું.
તે હતી શ્રેષ્ઠાચારી દુનિયા. તેમનાં ચિત્ર છે. બરોબર આ શ્રેષ્ઠાચારી દુનિયાનાં
માલિક હતાં. ભારત નાં રાજાઓ થઈને ગયા છે જે પૂજાય છે. પૂજ્ય પવિત્ર હતાં, એ જ પછી
પુજારી બન્યાં. પુજારી ભક્તિમાર્ગ ને, પૂજ્ય જ્ઞાનમાર્ગ ને કહેવાય છે. પૂજ્ય સો
પુજારી, પુજારી પછી પૂજ્ય કેવી રીતે બને છે? આ પણ તમે જાણો છો, આ દુનિયા માં પૂજ્ય
એક પણ હોય ન શકે. પૂજ્ય પરમપિતા પરમાત્મા અને દેવતાઓ ને જ કહેવાય છે. પરમપિતા
પરમાત્મા છે બધાનાં પૂજ્ય. બધા ધર્મવાળા તેમની પૂજા કરે છે. આવાં બાપ નો જન્મ અહીંયા
જ ગવાય છે. શિવ જયંતી છે ને? પરંતુ મનુષ્યો ને કાંઈ ખબર નથી કે એમનો જન્મ ભારત માં
થાય છે, આજકાલ તો શિવજયંતી ની હોલી ડે (રજા) પણ નથી કરતાં. જયંતી મનાવો, ન મનાવો,
તમારી મરજી. ઓફિશિયલ હોલી ડે (કાયદેસર રજા) નથી. જે શિવજયંતી ને નથી માનતાં, તે તો
પોતાનાં કામ પર ચાલ્યાં જાય છે. અનેક ધર્મ છે ને? સતયુગ માં આવી વાતો હોતી નથી. ત્યાં
આ વાતાવરણ જ નથી. સતયુગ છે જ નવી દુનિયા, એક ધર્મ. ત્યાં આ ખબર નથી પડતી કે અમારી
પાછળ ચંદ્રવંશી રાજ્ય હશે. અહીં તમે બધું જાણો છો - આ-આ પાસ્ટ (પહેલાં) થઈ ગયું છે.
સતયુગ માં તમે હશો, ત્યાં કયા પાસ્ટ ને યાદ કરશો? પાસ્ટ તો થયો કળિયુગ. તેની
હિસ્ટ્રી-જોગ્રોફી સાંભળવા થી શું ફાયદો?
અહીં તમે જાણો છો આપણે
બાબા ની પાસે બેઠાં છીએ. બાબા શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. બાપ આવ્યાં છે સર્વ ની
સદ્દગતિ કરવાં. સર્વ આત્માઓ ને જરુર લઈ જશે. મનુષ્ય તો દેહ-અભિમાન માં આવીને કહે
છે, બધું માટી માં ભળી જવાનું છે. આ નથી સમજતા આત્માઓ તો ચાલ્યાં જશે, બાકી આ શરીર
માટી નાં બનેલા છે, આ જૂનું શરીર ખતમ થઈ જાય છે. આપણે આત્મા એક શરીર છોડી બીજું જઈને
લઈએ છીએ. આ, આ દુનિયા માં આપણો અંતિમ જન્મ છે, બધા પતિત છે, સદૈવ પાવન તો કોઈ રહી ન
શકે. સતોપ્રધાન, સતો, રજો, તમો થાય જ છે. તે લોકો તો કહી દે છે બધા ઈશ્વર નાં જ રુપ
છે, ઈશ્વરે પોતાનાં અનેક રુપ બનાવ્યાં છે, ખેલપાલ કરવા માટે. હિસાબ-કિતાબ કાંઈ નથી
જાણતાં. નથી ખેલપાલ કરવા વાળા ને જાણતાં. બાપ જ બેસીને વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી
સમજાવે છે. ખેલ માં દરેક નો પાર્ટ અલગ-અલગ છે. બધાની પોઝિશન (પદ) અલગ-અલગ છે, જે
જેવી પોઝિશન વાળા હોય છે, તેમની મહિમા થાય છે. આ બધી વાતો બાપ સંગમ પર જ સમજાવે છે.
સતયુગ માં પછી સતયુગ નો પાર્ટ ચાલશે. ત્યાં આ વાતો નહીં હશે. અહીં તમને સૃષ્ટિ ચક્ર
નું જ્ઞાન બુદ્ધિ માં ફરતું રહે છે. તમારું નામ જ છે સ્વદર્શન ચક્રધારી.
લક્ષ્મી-નારાયણ ને થોડી સ્વદર્શન ચક્ર અપાય છે? આ છે જ અહીંયા નાં. મૂળવતન માં ફક્ત
આત્માઓ રહે છે, સૂક્ષ્મવતન માં કાંઈ નથી. મનુષ્ય, જનાવર, પશુ-પક્ષી વગેરે બધા અહીં
હોય છે. સતયુગ માં મોર વગેરે દેખાડે છે. એવું નથી કે ત્યાં મોર નાં પીછાં કાઢીને
પહેરે છે, મોર ને થોડી દુઃખ આપશે? એવું પણ નથી મોર નું પડેલું પીછું તાજ (મુગટ) માં
લગાવશે. ના, તાજ માં પણ ખોટી નિશાની આપી દીધી છે. ત્યાં બધી સુંદર વસ્તુઓ હોય છે.
ગંદી કોઈ વસ્તુ નું નામ-નિશાન નથી. એવી કોઈ વસ્તુ નથી હોતી જેને જોઈને ઘૃણા આવે. અહીં
તો ઘૃણા આવે છે ને? ત્યાં જનાવરો ને પણ દુઃખ નથી હોતું. સતયુગ કેટલો ફર્સ્ટ ક્લાસ
હશે! નામ જ છે સ્વર્ગ, હેવન, નવી દુનિયા. અહીં તો જૂની દુનિયા માં જુઓ વરસાદ નાં
કારણે મકાન પડતા રહે છે. મનુષ્ય મરી જાય છે. અર્થક્વેક (ધરતીકંપ) થશે બધા દબાઈને મરી
જશે. સતયુગ માં ખૂબ થોડા હશે પછી પાછળ થી વૃદ્ધિ થતી રહેશે. પહેલાં સૂર્યવંશી હશે.
જ્યારે દુનિયા ૨૫ ટકા જૂની થશે તો પછી ચંદ્રવંશી થશે. સતયુગ ૧૨૫૦ વર્ષ છે, તે છે
૧૦૦ ટકા નવી દુનિયા. જ્યાં દેવી-દેવતા રાજ્ય કરે છે. તમારા માં પણ ઘણાં આ વાતો ને
ભૂલી જાય છે. રાજધાની તો સ્થાપન થવાની જ છે. હાર્ટફેલ (દિલશિકસ્ત) નથી થવાનું.
પુરુષાર્થ ની વાત છે. બાપ બધા બાળકો પાસે એક સમાન તદબીર (પુરુષાર્થ) કરાવે છે. તમે
પોતાનાં માટે વિશ્વ પર સ્વર્ગ ની બાદશાહી સ્થાપન કરો છો. પોતાને જોવાનાં છે અમે શું
બનીશું? અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ
પુરુષોત્તમ યુગ માં સ્વર્ગ નાં દેવી-દેવતા બનવાનું ભણતર ભણીને સ્વયં ને લાયક
બનાવવાનાં છે. પુરુષાર્થ માં હાર્ટફેલ (દિલ શિકસ્ત) નથી થવાનું.
2. આ બેહદ નાં ખેલ
માં દરેક એક્ટર નો પાર્ટ અને પોઝિશન અલગ-અલગ છે, જેવી જેમની પોઝિશન તેવું તેમને માન
મળે છે, આ બધા રહસ્ય સમજી વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી નું સિમરણ કરી સ્વદર્શન
ચક્રધારી બનવાનું છે.
વરદાન :-
બાપ ની દરેક
શ્રીમત નું પાલન કરવા વાળા સાચાં સ્નેહી આશિક ભવ
જે બાળકો સદા એક બાપ
નાં સ્નેહ માં લવલીન રહે છે, એમને બાપ નાં દરેક બોલ પ્રિય લાગે છે, પ્રશ્ન સમાપ્ત
થઈ જાય છે. બ્રાહ્મણ જન્મ નું ફાઉન્ડેશન સ્નેહ છે. જે સ્નેહી આશિક આત્માઓ છે એમને
બાપ ની શ્રીમત પાલન કરવામાં મુશ્કેલી નો અનુભવ નથી થતો. સ્નેહ નાં કારણે સદા આ જ
ઉમંગ રહે છે કે બાબાએ જે કહ્યું છે તે મારા પ્રત્યે કહ્યું છે - મારે કરવાનું છે.
સ્નેહી આત્માઓ ઉદાર (વિશાળ) દિલવાળા હોય છે, એટલે એમનાં માટે દરેક મોટી વાત પણ નાની
બની જાય છે.
સ્લોગન :-
કોઈ પણ વાત ને
ફીલ કરવી - આ પણ ફેલ ની નિશાની છે.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો .
જ્વાળા સ્વરુપ ની
સ્થિતિ નો અનુભવ કરવા માટે નિરંતર યાદ ની જ્વાળા પ્રજ્વલિત રહે. એની સહજ વિધિ છે -
સદા પોતાને “સારથી” અને “સાક્ષી” સમજીને ચાલો. આત્મા આ રથ નો સારથી છે - આ સ્મૃતિ
સ્વત: જ આ રથ (દેહ) થી તથા કોઈપણ પ્રકાર નાં દેહભાન થી ન્યારા બનાવી દે છે. સ્વયં
ને સારથી સમજવાથી સર્વ કર્મેન્દ્રિયો પોતાનાં કંટ્રોલ માં રહે છે. સૂક્ષ્મ શક્તિઓ
“મન-બુદ્ધિ-સંસ્કાર” પણ ઓર્ડર પ્રમાણે રહે છે.