14-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ઊંચા માં ઊંચું પદ મેળવવું છે તો યાદ ની યાત્રા માં મસ્ત રહો - આ જ છે રુહાની ફાંસી , બુદ્ધિ પોતાનાં ઘર માં લટકતી રહે”

પ્રશ્ન :-
જેમની બુદ્ધિ માં જ્ઞાન ની ધારણા નથી થતી, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે નાની-નાની વાતો માં નારાજ થતા રહેશે. જેમની બુદ્ધિ માં જેટલું જ્ઞાન ધારણ થશે એટલી તેમને ખુશી રહેશે. બુદ્ધિ માં જો આ જ્ઞાન રહે કે હવે દુનિયાએ નીચે જવાનું જ છે, આમાં નુકસાન જ થવાનું છે, તો ક્યારેય રંજ (ઉદાસ) નહીં થશે. સદા ખુશી રહેશે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. બાળકો સમજે છે ઊંચા માં ઊંચા ભગવાન કહેવાય છે. આત્મા નો બુદ્ધિયોગ ઘર તરફ જવો જોઈએ. પરંતુ એવાં એક પણ મનુષ્ય દુનિયામાં નથી, જેમને આ બુદ્ધિ માં આવતું હોય. સંન્યાસી લોકો પણ બ્રહ્મ ને ઘર નથી સમજતા, તે તો કહે છે અમે બ્રહ્મ માં લીન થઈ જઈશું, તો ઘર થોડી થયું? ઘર માં રહેવાનું હોય છે. આપ બાળકો ની બુદ્ધિ ત્યાં રહેવી જોઈએ. જેમ કોઈ ફાંસી પર ચઢે છે ને? તમે હમણાં રુહાની ફાંસી પર ચઢેલા છો. અંદર છે અમને ઊંચા માં ઊંચા બાપ આવીને ઊંચે થી ઊંચા ઘરે લઈ જાય છે. હવે આપણે ઘરે જવાનું છે. ઊંચા માં ઊંચા બાબા આપણને ફરી ઊંચા માં ઊંચું પદ પ્રાપ્ત કરાવે છે. રાવણ રાજ્ય માં બધા નીંચ છે. તે ઊંચા આ નીંચા. તેમને તો ઊંચા ની ખબર જ નથી. ઊંચા વાળા ને પણ નીંચા ની ખબર જ નથી રહેતી. હમણાં તમે સમજો છો ઊંચા માં ઊંચા એક ભગવાન ને જ કહેવાય છે. બુદ્ધિ ઉપર ચાલી જાય છે. એ છે જ પરમધામ માં રહેવાવાળા. આ કોઈ પણ નથી સમજતા, આપણે આત્માઓ પણ ત્યાંના રહેવાવાળા છીએ. અહીં આવીએ છીએ ફક્ત પાર્ટ ભજવવાં. આ કોઈનાં વિચાર માં નથી રહેતું. પોતાનાં જ ધંધાધોરી માં લાગ્યાં રહે છે. હવે બાપ સમજાવે છે ઊંચા માં ઊંચા ત્યારે બનશે જ્યારે યાદ ની યાત્રા માં મસ્ત રહેશે. યાદ થી જ ઊંચું પદ મેળવવાનું છે. નોલેજ જે તમને શીખવાડાય છે, તે ભૂલવાની નથી. નાનાં બાળકો પણ વર્ણન કરશે. બાકી યોગ ની વાત ને બાળકો નહીં સમજશે. ઘણાં બાળકો છે જે યાદ ની યાત્રા પૂરી રીતે સમજતા નથી. આપણે કેટલાં ઊંચા માં ઊંચા જઈએ છીએ. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન… ૫ તત્વ અહીં છે. સૂક્ષ્મવતન, મૂળવતન માં આ (પાંચ તત્વ) નથી હોતાં. આ નોલેજ બાપ જ આપે છે એટલે એમને જ્ઞાન નાં સાગર કહેવાય છે. મનુષ્ય સમજે છે - ખૂબ શાસ્ત્ર વગેરે વાંચવા જ જ્ઞાન છે. કેટલાં પૈસા કમાય છે. શાસ્ત્ર વાંચવા વાળા ને કેટલું માન મળે છે. પરંતુ હવે તમે સમજો છો આમાં કોઈ ઊંચાઈ તો નથી. ઊંચા માં ઊંચા તો છે જ એક ભગવાન. એમનાં દ્વારા આપણે ઊંચા માં ઊંચા સ્વર્ગ માં રાજ્ય કરવાવાળા બનીએ છીએ. સ્વર્ગ શું છે, નર્ક શું છે? ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે? આ તમારા સિવાય આ સૃષ્ટિ માં કોઈ પણ નથી જાણતાં, કહી દે છે આ બધી કલ્પના છે. એવાં માટે સમજવાનું છે - આ અમારા કુળ નાં નથી. દિલશિકસ્ત (હતાશ) ન થવું જોઈએ. સમજાય છે - આમનો પાર્ટ નથી, તો કાંઈ પણ સમજી નહીં શકશે. હમણાં આપ બાળકો નું માથું બહુ જ ઊંચું છે. જ્યારે તમે ઊંચી દુનિયા માં હશો તો નીચી દુનિયા ને નહીં જાણશો. નીચી દુનિયા વાળા પછી ઊંચી દુનિયા ને નથી જાણતાં. એને કહેવાય જ છે સ્વર્ગ. વિદેશવાળા ભલે સ્વર્ગ માં જતા નથી તો પણ નામ તો લે છે, હેવન, પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. મુસલમાન લોકો પણ બહિશ્ત કહે છે. પરંતુ આ એમને ખબર નથી કે ત્યાં કેવી રીતે જવાનું હોય છે. હમણાં તમને કેટલી સમજ મળે છે, ઊંચા માં ઊંચા બાપ કેટલું જ્ઞાન આપે છે. આ ડ્રામા કેવો વન્ડરફુલ (અદ્દભુત) બનેલો છે. જે ડ્રામા નાં રહસ્ય ને નથી જાણતા તે કલ્પના કહી દે છે.

આપ બાળકો જાણો છો - આ તો છે જ પતિત દુનિયા, એટલે બૂમો પાડે છે - હે પતિત-પાવન, આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે દર પાંચ હજાર વર્ષ પછી હિસ્ટ્રી રિપીટ થાય છે. જૂની દુનિયા થી નવી બને છે એટલે મારે આવવું પડે છે. કલ્પ-કલ્પ આવીને આપ બાળકો ને ઊંચા માં ઊંચા બનાવું છું. પાવન ને ઊંચા અને પતિત ને નીંચા કહેવાય છે. આ જ દુનિયા નવી પાવન હતી, હમણાં તો પતિત છે. આ વાતો તમારા માં પણ નંબરવાર છે જે સમજે છે. જેમની બુદ્ધિ માં આ વાતો રહે છે તે સદા ખુશ રહે છે. બુદ્ધિ માં નથી તો કોઈએ કાંઈ કહ્યું, કાંઈ નુકસાન થયું તો નારાજ થઈ જાય છે. બાબા કહે છે હવે આ નીચી દુનિયા નો અંત આવવાનો છે. આ છે જૂની દુનિયા. મનુષ્ય કેટલાં નીંચ બની જાય છે. પરતું આ કોઈ સમજે થોડી છે કે અમે નીંચ છીએ. ભક્ત લોકો હંમેશા માથું નમાવે છે, નીંચા ની આગળ માથું નમાવવાનું થોડી હોય છે? પવિત્ર ની આગળ માથું નમાવવાનું હોય છે. સતયુગ માં ક્યારેય એવું નથી હોતું. ભક્ત લોકો જ એવું કરે છે. બાપ તો એવું નથી કહેતાં - માથું ઝુકાવીને ચાલો. ના, આ તો ભણતર છે. ગોડ ફાધરલી યુનિવર્સિટી માં તમે ભણી રહ્યાં છો. તો કેટલો નશો રહેવો જોઈએ. એવું નહીં, ફક્ત યુનિવર્સિટી માં નશો રહે, ઘર માં ઉતરી જાય. ઘર માં નશો રહેવો જોઈએ. અહીંયા તો આપ બાળકો જાણો છો શિવબાબા આપણને ભણાવે છે. આ તો કહે છે કે હું થોડી જ્ઞાન સાગર છું? આ બાબા પણ જ્ઞાન નાં સાગર નથી. સાગર માંથી નદી નીકળે છે ને? સાગર તો એક છે, બ્રહ્મપુત્રા સૌથી મોટી નદી છે. બહુ જ મોટાં સ્ટીમર આવે છે. નદીઓ તો બહાર પણ ઘણી છે. પતિત-પાવની ગંગા આ ફક્ત અહીંયા જ કહે છે. બહાર કોઈ પણ નદી ને આવું નહીં કહેશે. પતિત-પાવની નદી છે પછી તો ગુરુની કોઈ જરુર નથી. નદીઓ માં, તળાવ માં કેટલાં ભટકે છે. ક્યાંક તો તળાવ એવાં ગંદા હોય છે, વાત ન પૂછો. એની માટી ઉપાડીને રગડતા (લગાવતા) રહે છે. હવે બુદ્ધિ માં આવ્યું છે - આ બધા નીચે ઉતરવા નાં રસ્તા છે. તે લોકો કેટલાં પ્રેમ થી જાય છે. હવે તમે સમજો છો કે આ જ્ઞાન થી અમારી આંખો જ ખૂલી ગઈ. તમારી જ્ઞાન ની ત્રીજી આંખ ખુલી છે. આત્મા ને ત્રીજું નેત્ર મળે છે એટલે ત્રિકાળદર્શી કહેવાય છે. ત્રણેય કાળો નું જ્ઞાન આત્મા માં આવે છે. આત્મા તો બિંદુ છે, એમાં નેત્ર કેવી રીતે હશે? આ બધી સમજવાની વાતો છે. જ્ઞાન નાં ત્રીજા નેત્ર થી તમે ત્રિકાળદર્શી, ત્રિલોકીનાથ બનો છો. નાસ્તિક થી આસ્તિક બની જાઓ છો. પહેલાં તમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નહોતાં જાણતાં. હવે બાપ દ્વારા રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણવા થી તમને વારસો મળી રહ્યો છે. આ જ્ઞાન છે ને? હિસ્ટ્રી-જોગ્રોફી પણ છે, હિસાબ-કિતાબ છે ને? સારા, હોંશિયાર બાળકો હોય તો હિસાબ કરે, આપણે કેટલાં જન્મ લઈએ છીએ, આ હિસાબ થી બીજા ધર્મ વાળાઓ નાં કેટલાં જન્મ હશે! પરંતુ બાપ કહે છે આ બધી વાતો માં વધારે માથું મારવાની જરુર નથી. સમય વેસ્ટ થઈ જશે. અહીંયા તો બધું ભુલવાનું છે. આ સંભળાવવા ની જરુર નથી. તમે તો રચયિતા બાપ નો પરિચય આપો છો, જેને કોઈ જાણતા નથી. શિવબાબા ભારત માં જ આવે છે. જરુર કાંઈક કરીને જાય છે ત્યારે તો જયંતી મનાવે છે ને? ગાંધી અથવા કોઈ સાધૂ વગેરે થઈને ગયા છે તેમનાં સ્ટેમ્પ (છાપ) બનાવતા રહે છે. ફેમિલી પ્લાનિંગ ની સ્ટેમ્પ બનાવે છે. હવે તમને તો નશો છે - અમે તો પાંડવ ગવર્મેન્ટ છીએ. ઓલમાઈટી બાબા ની ગવર્મેન્ટ છીએ. તમારો આ કોટ ઓફ આર્મસ (કુળ ચિહ્ન) છે. બીજા કોઈ આ કોર્ટ ઓફ આર્મસ ને જાણતા જ નથી. તમે સમજો છો કે વિનાશ કાળે પ્રીત બુદ્ધિ આપણી જ છે. બાપ ને આપણે બહુ જ યાદ કરીએ છીએ. બાપ ને યાદ કરતાં-કરતાં પ્રેમ માં આંસુ આવી જાય છે. બાબા, તમે અમને અડધાકલ્પ માટે બધા દુઃખો થી દૂર કરી દો છો. બીજા કોઈ ગુરુ કે મિત્ર સંબંધી વગેરે કોઈને પણ યાદ કરવાની જરુર નથી. એક બાપ ને જ યાદ કરો. સવાર નો સમય ખૂબ સારો છે. બાબા તમારી તો ખૂબ કમાલ છે. દર પાંચ હજાર વર્ષ પછી અમને તમે જગાડો છો. બધા મનુષ્ય માત્ર કુંભકર્ણ ની આસુરી નિંદ્રા માં સૂતેલા છે અર્થાત્ અજ્ઞાન અંધારા માં છે. હવે તમે સમજો છો - ભારત નો પ્રાચીન યોગ તો આ છે, બાકી જે પણ આટલાં હઠયોગ વગેરે શીખવાડે છે, તે બધી છે - એક્સરસાઇઝ (કસરત), શરીર ને તંદુરસ્ત રાખવા માટે. હમણાં તમારી બુદ્ધિ માં બધું જ્ઞાન છે તો ખુશી રહે છે. અહીં આવો છો, સમજો છો બાબા રિફ્રેશ કરે છે. કોઈ તો અહીં રિફ્રેશ થઈ બહાર નીકળે છે, તે નશો ખલાસ થઈ જાય છે. નંબરવાર તો છે ને? બાબા સમજાવે છે - આ છે પતિત દુનિયા. બોલાવે પણ છે - હે પતિત-પાવન, આવો પરંતુ પોતાને પતિત સમજે થોડી છે, એટલે પાપ ધોવા જાય છે. પરંતુ શરીર ને થોડી પાપ લાગે છે? બાપ તો આવીને તમને પાવન બનાવે છે અને કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. આ જ્ઞાન હમણાં તમને મળ્યું છે. ભારત સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. આપ બાળકો તો હમણાં સંગમ પર છો. કોઈ વિકાર માં પડે છે તો ફેલ (નપાસ) થાય છે તો જાણે નર્ક માં જઈને પડી જાય છે. ૫ માં માળે થી પડે છે, પછી ૧૦૦ ગુણા સજા ખાવી પડે છે. તો બાપ સમજાવે છે કે ભારત કેટલું ઊંચું હતું, હમણાં કેટલું નીચું છે. હવે તમે કેટલાં સમજદાર બનો છો. મનુષ્ય તો કેટલાં બેસમજ છે. બાબા તમને અહીંયા કેટલો નશો ચઢાવે છે, પછી બહાર નીકળવા થી નશો ઓછો થઈ જાય છે, ખુશી ઉડી જાય છે. વિદ્યાર્થી કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો ક્યારેય નશો ઓછો થાય છે શું? ભણીને પાસ થાય છે પછી શું-શું બની જાય છે! હમણાં જુઓ દુનિયાનાં શું હાલ છે. તમને ઊંચા માં ઊંચા બાપ આવીને ભણાવે છે. એ પણ છે નિરાકાર. તમે આત્માઓ પણ નિરાકાર છો. અહીં પાર્ટ ભજવવા આવ્યાં છો. આ ડ્રામા નાં રહસ્ય બાપ જ આવીને સમજાવે છે. આ સૃષ્ટિ ચક્ર ને ડ્રામા પણ કહેવાય છે. તે નાટક માં તો કોઈ બીમાર પડે છે તો નીકળી જાય છે. આ છે બેહદ નું નાટક. યથાર્થ રીતે આપ બાળકો ની બુદ્ધિ માં છે, તમે જાણો છો આપણે અહીં પાર્ટ ભજવવા માટે આવીએ છીએ. આપણે બેહદ નાં એક્ટર્સ છીએ. અહીં શરીર લઈને પાર્ટ ભજવીએ છીએ, બાબા આવેલા છે - આ બધું બુદ્ધિ માં હોવું જોઈએ. બેહદ નો ડ્રામા કેટલો બુદ્ધિ માં રહેવો જોઈએ. બેહદ વિશ્વ ની બાદશાહી મળે છે તો તેનાં માટે પુરુષાર્થ પણ એવો સારો કરવો જોઈએ ને? ગૃહસ્થ વ્યવહાર માં પણ ભલે રહો પરંતુ પવિત્ર બનો. વિદેશ માં એવાં ઘણાં છે જ્યારે વૃદ્ધ થાય છે તો પછી કમ્પેનિયનશિપ (સથવારા) માટે લગ્ન કરે છે… સંભાળવા માટે પછી વિલ (નામે) કરે છે. થોડું એમને થોડું ચેરિટી ને. વિકાર ની વાત નથી રહેતી. આશિક-માશૂક પણ વિકાર માટે ફિદા નથી થતાં. શરીર નો ફક્ત પ્રેમ હોય છે. તમે છો રુહાની આશિક, એક માશૂક ને યાદ કરો છો. બધા આશિકો નાં એક માશૂક છે. બધા એક ને જ યાદ કરે છે. એ કેટલાં શોભનિક છે. આત્મા ગોરો છે ને? એ છે સદા ગોરા. તમે તો શ્યામ બની ગયા છો, તમને એ (બાબા) શ્યામ થી ગોરા બનાવે છે. આ તમે જાણો છો કે બાપ આપણને ગોરા બનાવે છે. અહીં ઘણાં છે જે ખબર નહીં કયા-કયા વિચારો માં બેઠાં રહે છે. સ્કૂલ માં એવું થાય છે - બેઠાં-બેઠાં ક્યાંય બુદ્ધિ સિનેમા તરફ, મિત્રો વગેરે તરફ ચાલી જાય છે. સત્સંગ માં પણ એવું થાય છે. અહીં પણ એવું છે, બુદ્ધિ માં નથી બેસતું તો નશો જ નથી ચઢતો, ધારણા જ નથી થતી - જે બીજા ને કરાવે. ઘણી બાળકીઓ આવે છે, જેમને મન થાય છે કે સર્વિસ (સેવા) માં ક્યાંક લાગી જઈએ પરંતુ નાનાં-નાનાં બાળકો છે. બાબા કહે છે બાળકો ને સંભાળવા માટે કોઈ માતા ને રાખી દો. આ તો અનેક નું કલ્યાણ કરશે. હોંશિયાર છે તો કેમ નહીં રુહાની સર્વિસ માં લાગી જાય. ૫-૬ બાળકો ને સંભાળવા માટે કોઈ માતા ને રાખી દો. આ માતાઓ નો હવે વારો છે ને? નશો ખુબ જ રહેવો જોઈએ. આગળ થશે, પુરુષો જોશે કે અમારી સ્ત્રીએ તો સંન્યાસીઓ ને પણ જીતી લીધાં છે. આ માતાઓ લૌકિક, પારલૌકિક નું નામ રોશન કરીને દેખાડશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. તમારે બુદ્ધિ થી બધુંજ ભૂલવાનું છે. જે વાતો માં સમય વેસ્ટ થાય છે, તે સાંભળવાની-સંભળાવવાની જરુર નથી.

2. ભણતી વખતે બુદ્ધિયોગ એક બાપ સાથે લાગ્યો રહે, ક્યાંય પણ બુદ્ધિ ભટકવી ન જોઈએ. નિરાકાર બાપ આપણને ભણાવી રહ્યાં છે, આ નશા માં રહેવાનું છે.

વરદાન :-
પોતાની મહાનતા અને મહિમા ને જાણવા વાળા સર્વ આત્માઓ માં શ્રેષ્ઠ , વિશ્વ દ્વારા પૂજનીય ભવ

દરેક બ્રાહ્મણ બાળક વર્તમાન સમયે વિશ્વ નાં સર્વ આત્માઓ માં શ્રેષ્ઠ છે અને ભવિષ્ય માં વિશ્વ દ્વારા પૂજનીય છે. નંબરવાર હોવા છતાં પણ લાસ્ટ નંબર નો મણકો પણ વિશ્વ નાં આગળ મહાન છે. આજ સુધી ભક્ત આત્માઓ લાસ્ટ નંબર નાં મણકા ને પણ આંખો પર રાખે છે કારણકે બધા બાળકો બાપદાદા નાં નયનો નાં તારા છે, નૂરે-રત્ન છે. જેમણે એકવાર પણ મન થી, સાચાં દિલ થી પોતાને બાપ નાં બાળક નિશ્ચય કર્યા, ડાયરેક્ટ બાપ નાં બાળક બન્યાં એમને મહાન તથા પૂજનીય બનવાની લોટરી અથવા વરદાન મળી જ જાય છે.

સ્લોગન :-
સ્થિતિ સદા ખજાનાઓ થી સંપન્ન અને સંતુષ્ટ રહે તો પરિસ્થિતિઓ બદલાઈ જશે.

અવ્યક્ત ઈશારા - અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

બાપદાદા અચાનક ડાયરેક્શન આપે કે આ શરીર રુપી ઘર ને છોડી, દેહ અભિમાન ની સ્થિતિ ને છોડી, દેહી અભિમાની બની જાઓ, આ દુનિયા થી પરે પોતાનાં સ્વીટ હોમ માં ચાલ્યાં જાઓ તો જઈ શકો છો? યુદ્ધ સ્થળ માં યુદ્ધ કરતાં-કરતાં સમય તો નહીં વિતાવી દેશો? અશરીરી બનવામાં જો યુદ્ધ કરવામાં જ સમય લાગી ગયો તો અંતિમ પેપર માં માર્ક્સ તથા ડિવિઝન કયું આવશે?