15-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સવારે
- સવારે ઉઠી આ જ ચિંતન કરો કે હું આટલો નાનકડો આત્મા કેટલાં મોટા શરીર ને ચલાવી
રહ્યો છું , મુજ આત્મા માં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે”
પ્રશ્ન :-
શિવબાબા ને કઈ પ્રેક્ટિસ (અભ્યાસ) છે, કઈ નથી?
ઉત્તર :-
આત્મા ને જ્ઞાનરત્નો થી શૃંગાર કરવાની પ્રેક્ટિસ શિવબાબા ને છે, બાકી શરીર નો
શૃંગાર કરવાની પ્રેક્ટિસ એમને નથી કારણકે બાબા કહે મને તો પોતાનું શરીર નથી. હું
આમનું શરીર ભલે ભાડા પર લઉં છું પરંતુ આ શરીર નો શૃંગાર આ (બ્રહ્મા બાબા) આત્મા
સ્વયં કરે, હું નથી કરતો. હું તો સદા અશરીરી છું.
ગીત :-
બદલ જાયે
દુનિયા ન બદલેંગે હમ…
ઓમ શાંતિ!
બાળકોએ આ ગીત
સાંભળ્યું. કોણે સંભળાવ્યું? આત્માએ આ શરીર નાં કાન દ્વારા સાંભળ્યું. બાળકો ને પણ
આ ખબર પડી કે આત્મા કેટલો નાનો છે. જો આત્મા આ શરીર માં ન હોય તો શરીર કોઈ કામ નું
નથી રહેતું. કેટલાં નાનાં આત્મા નાં આધાર પર આ કેટલું મોટું શરીર ચાલે છે! દુનિયા
માં કોઈને પણ ખબર નથી કે આત્મા શું ચીજ છે જે આ રથ પર વિરાજમાન થાય છે. અકાળમૂર્ત
આત્મા નું આ તખ્ત છે. બાળકો ને પણ આ જ્ઞાન મળે છે. કેટલું રમણીક, રહસ્ય યુક્ત છે.
જ્યારે કોઈ એવી રહસ્ય યુક્ત વાત સંભળાય છે તો ચિંતન ચાલે છે. આપ બાળકો નું પણ આ જ
ચિંતન ચાલે છે - આટલો નાનકડો આત્મા છે આટલાં મોટા શરીર માં. આત્મા માં ૮૪ જન્મો નો
પાર્ટ નોંધાયેલો છે. શરીર તો વિનાશ થઈ જાય છે. બાકી આત્મા રહે છે. આ ખૂબ વિચારવાની
વાતો છે. સવારે ઉઠીને આ વિચાર કરવો જોઈએ. બાળકો ને સ્મૃતિ આવી છે આત્મા કેટલો નાનો
છે, તેને અવિનાશી પાર્ટ મળેલો છે. હું આત્મા કેટલો વન્ડરફુલ (અદ્દભુત) છું. આ નવું
જ્ઞાન છે. જે દુનિયા માં કોઈને પણ નથી. બાપ જ આવીને બતાવે છે, જે સિમરણ (યાદ) કરવાનું
હોય છે. આપણે કેટલો નાનો આત્મા કેવી રીતે પાર્ટ ભજવીએ છીએ. શરીર પાંચ તત્વો નું બને
છે. બાબા ને થોડી ખબર પડે છે? શિવબાબા નો આત્મા કેવી રીતે આવે-જાય છે. એવું પણ નથી,
સદૈવ આમનાં માં રહે છે. તો આ જ ચિંતન કરવાનું છે. આપ બાળકો ને બાપ એવું જ્ઞાન આપે
છે જે ક્યારેય કોઈને મળી ન શકે. તમે જાણો છો બરોબર આ જ્ઞાન આમનાં આત્મા માં નહોતું.
બીજા સત્સંગો માં આવી-આવી વાતો પર કોઈનો વિચાર નથી રહેતો. આત્મા અને પરમાત્મા નું
રીંચક પણ જ્ઞાન નથી. કોઈ પણ સાધુ-સંન્યાસી વગેરે આ થોડી સમજે છે કે અમે આત્મા શરીર
દ્વારા આમને મંત્ર આપીએ છીએ. આત્મા શરીર દ્વારા શાસ્ત્ર ભણે છે. એક પણ મનુષ્ય માત્ર
આત્મ-અભિમાની નથી. આત્મા નું જ્ઞાન કોઈને નથી, તો પછી બાપ નું જ્ઞાન કેવી રીતે હશે?
આપ બાળકો જાણો છો
આપણને આત્માઓ ને બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો! તમે કેટલાં સમજદાર બની રહ્યાં છો.
એવાં કોઈ મનુષ્ય નથી જે સમજે કે આ શરીર માં જે આત્મા છે, એને પરમપિતા પરમાત્મા ભણાવે
છે. કેટલી સમજવાની વાતો છે. છતાં પણ ધંધા વગેરે માં જવાથી ભૂલી જાય છે. પહેલાં તો
બાપ આત્મા નું જ્ઞાન આપે છે જે કોઈ પણ મનુષ્ય માત્ર ને નથી. ગાયન પણ છે ને -
આત્માઓ-પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… હિસાબ છે ને? આપ બાળકો જાણો છો આત્મા જ બોલે છે
શરીર દ્વારા. આત્મા જ શરીર દ્વારા સારા અથવા ખોટા કામ કરે છે. બાપ આવીને આત્માઓ ને
કેટલાં ગુલ-ગુલ (ફૂલ) બનાવે છે. પહેલાં-પહેલાં તો બાપ કહે છે સવારે-સવારે ઉઠીને આ જ
પ્રેક્ટિસ તથા વિચાર કરો કે આત્મા શું છે? જે આ શરીર દ્વારા સાંભળે છે. આત્મા નાં
બાપ પરમપિતા પરમાત્મા છે, જેમને પતિત-પાવન, જ્ઞાન નાં સાગર કહે છે. પછી કોઈ મનુષ્ય
ને સુખ નાં સાગર, શાંતિ નાં સાગર, કેવી રીતે કહી શકાય? શું લક્ષ્મી-નારાયણ ને
કહેવાશે સદૈવ પવિત્રતા નાં સાગર? ના. એક બાપ જ સદૈવ પવિત્રતા નાં સાગર છે. મનુષ્ય
તો ફક્ત ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો નું વર્ણન કરે છે. પ્રેક્ટિકલ અનુભવ નથી. એવું નહીં
સમજશે અમે આત્મા શરીર થી બાપ ની મહિમા કરીએ છીએ. એ અમારા ખૂબ મીઠાં બાબા છે. એ જ
સુખ આપવા વાળા છે. બાપ કહે છે - હે આત્માઓ, હવે મારી મત પર ચાલો. આ અવિનાશી આત્મા
ને અવિનાશી બાપ દ્વારા અવિનાશી મત મળે છે. તે વિનાશી શરીરધારીઓ ને વિનાશી શરીરધારીઓ
ની જ મત મળે છે. સતયુગ માં તો તમે અહીં ની પ્રારબ્ધ મેળવો છો. ત્યાં ક્યારેય ઉલ્ટી
મત મળતી જ નથી. હમણાં ની શ્રીમત જ અવિનાશી બની જાય છે, જે અડધોકલ્પ ચાલે છે. આ નવું
જ્ઞાન છે, કેટલી બુદ્ધિ જોઈએ આને ગ્રહણ કરવાની. અને એક્ટ (કર્મ) માં આવવું જોઈએ.
જેમણે શરુઆત થી ખૂબ ભક્તિ કરી હશે એ જ સારી રીતે ધારણ કરી શકશે. આ સમજવું જોઈએ - જો
અમારી બુદ્ધિ માં ઠીક રીતે ધારણા નથી થતી, તો જરુર શરુઆત થી અમે ભક્તિ નથી કરી. બાપ
કહે છે કાંઈ પણ નથી સમજતા તો બાપ ને પૂછો કારણકે બાપ છે અવિનાશી સર્જન. એમને
સુપ્રીમ સોલ (સર્વોચ્ચ આત્મા) પણ કહેવાય છે. આત્મા પવિત્ર બને છે તો તેની મહિમા થાય
છે. આત્મા ની મહિમા છે તો શરીર ની પણ મહિમા થાય છે. આત્મા તમોપ્રધાન છે તો શરીર ની
પણ મહિમા નથી. આ સમયે આપ બાળકો ને ખૂબ ગુહ્ય બુદ્ધિ મળે છે. આત્મા ને જ મળે છે.
આત્મા એ કેટલું મીઠું બનવું જોઈએ. બધાને સુખ આપવું જોઈએ. બાબા કેટલાં મીઠાં છે.
આત્માઓ ને પણ ખૂબ મીઠાં બનાવે છે. આત્મા કોઈ પણ અકર્તવ્ય કાર્ય ન કરે - આ પ્રેક્ટિસ
કરવાની છે. ચેક કરવાનું છે કે મારા થી કોઈ અકર્તવ્ય તો નથી થતું? શિવબાબા ક્યારેય
અકર્તવ્ય કાર્ય કરશે? ના. એ આવે જ છે ઉત્તમ થી ઉત્તમ કલ્યાણકારી કાર્ય કરવાં. સર્વ
ને સદ્દગતિ આપે છે. તો જે બાપ કર્તવ્ય કરે છે, બાળકોએ પણ એવાં કર્તવ્ય કરવાં જોઈએ.
આ પણ સમજાવ્યું છે, જેમણે શરુઆત થી લઈને ખૂબ ભક્તિ કરી છે, તેમની બુદ્ધિ માં આ
જ્ઞાન રહેશે. હમણાં પણ દેવતાઓ નાં અનેક ભક્ત છે. પોતાનું માથું આપવા માટે પણ તૈયાર
રહે છે. ખૂબ ભક્તિ કરવા વાળા ની પાછળ, ઓછી ભક્તિ કરવા વાળા લટકતા રહે છે. તેમની
મહિમા ગાય છે. તેમનું તો સ્થૂળ માં બધું દેખાય છે. અહીં તમે છો ગુપ્ત. તમારી બુદ્ધિ
માં સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું બધું જ્ઞાન છે. આ પણ બાળકો ને ખબર છે-બાબા આપણને
ભણાવવા આવ્યાં છે. હવે ફરી આપણે ઘરે જઈશું. જ્યાં સર્વ આત્માઓ આવે છે, તે આપણું ઘર
છે. ત્યાં શરીર જ નથી તો અવાજ કેવી રીતે થાય? આત્મા વગર શરીર જડ બની જાય છે. મનુષ્યો
નો શરીર માં કેટલો મોહ રહે છે! આત્મા શરીર માંથી નીકળી ગયો તો બાકી ૫ તત્વ, તેનાં
પર પણ કેટલો પ્રેમ રહે છે! સ્ત્રી પતિ ની ચિતા પર ચઢવા માટે તૈયાર થઈ જાય છે. કેટલો
મોહ રહે છે શરીર માં! હમણાં તમે સમજો છો નષ્ટોમોહા બનવાનું છે, આખી દુનિયા થી. આ
શરીર તો ખતમ થવાનું છે. તો એનાંથી મોહ નીકળી જવો જોઈએ ને? પરંતુ ખૂબ મોહ રહે છે.
બ્રાહ્મણો ને ખવડાવે છે. યાદ કરે છે ને - ફલાણા નું શ્રાદ્ધ છે. હવે તે થોડી ખાઈ શકે
છે? આપ બાળકોએ તો હવે આ વાતો થી અલગ થઈ જવું જોઈએ ડ્રામા માં દરેક પોતાનો પાર્ટ ભજવે
છે. આ સમયે તમને જ્ઞાન છે, આપણે નષ્ટોમોહા બનવાનું છે. મોહજીત રાજા ની પણ કહાણી છે
ને? બીજો કોઈ મોહજીત રાજા હોતો નથી. આ તો કથાઓ ખૂબ બનાવી છે ને? ત્યાં અકાળે મૃત્યુ
થતું નથી. તો પૂછવાની પણ વાત નથી રહેતી. આ સમયે તમને મોહજીત બનાવે છે. સ્વર્ગ માં
મોહજીત રાજાઓ હતાં, યથા રાજા-રાણી તથા પ્રજા એવાં છે. તે છે જ નષ્ટોમોહા ની રાજધાની.
રાવણ રાજ્ય માં મોહ હોય છે. ત્યાં તો વિકાર હોતાં નથી, રાવણ રાજ્ય જ નથી. રાવણ ની
રાજાઈ ચાલી જાય છે. રામરાજ્ય માં શું થાય છે, કાંઈ પણ ખબર નથી. બાપ સિવાય બીજું કોઈ
આ વાતો બતાવી ન શકે. બાપ આ શરીર માં આવતા પણ દેહી-અભિમાની છે. લોન અથવા ભાડા પર
મકાન લે છે તો એમાં પણ મોહ રહે છે. મકાન ને સારી રીતે ફર્નિશ કરે છે, આમને તો
ફર્નિશ કરવાનું નથી કારણકે બાપ તો અશરીરી છે ને? એમને કોઈ પણ શૃંગાર વગેરે કરવાની
પ્રેક્ટિસ જ નથી. એમને તો અવિનાશી જ્ઞાન-રત્નો થી બાળકો ને શૃંગારવા ની જ પ્રેક્ટિસ
છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. શરીર તો અપવિત્ર જ છે, આમને
જ્યારે બીજું નવું શરીર મળશે તો પવિત્ર હશે. આ સમયે તો આ જૂની દુનિયા છે, આ ખતમ થઈ
જવાની છે. આ પણ દુનિયા માં કોઈને ખબર જ નથી. ધીરે-ધીરે ખબર પડશે. નવી દુનિયા ની
સ્થાપના અને જૂની દુનિયા નો વિનાશ - આ તો બાપ નું જ કામ છે. બાપ જ આવીને બ્રહ્મા
દ્વારા પ્રજા રચી નવી દુનિયા ની સ્થાપના કરી રહ્યાં છે. તમે નવી દુનિયા માં છો? ના,
નવી દુનિયા સ્થાપન થાય છે. તો બ્રાહ્મણો ની ચોટલી પણ ઊંચી છે. બાબાએ સમજાવ્યું છે,
બાબા ની સન્મુખ આવો છો તો પહેલાં આ યાદ કરવાનું છે કે અમે ઈશ્વર બાપ ની સન્મુખ જઈએ
છીએ. શિવબાબા તો નિરાકાર છે. એમની સન્મુખ અમે કેવી રીતે જઈએ? તો એ બાપ ને યાદ કરી
પછી બાપ ની સન્મુખ આવવાનું છે. તમે જાણો છો એ આમાં બેઠેલા છે. આ શરીર તો પતિત છે.
શિવબાબા ની યાદ માં ન રહી કોઈ કામ કરો તો પાપ લાગી જાય છે. આપણે શિવબાબા ની પાસે
જઈએ છીએ. પછી બીજા જન્મ માં બીજા સંબંધી હશે. ત્યાં દેવતાઓ નાં ખોળા માં જઈશું. આ
ઈશ્વરીય ખોળો એક જ વાર મળે છે. મુખ થી કહે છે બાબા, અમે તમારા થઈ ગયાં. ઘણાં છે
જેમણે ક્યારેય જોયા પણ નથી. બહાર રહે છે, લખે છે શિવબાબા અમે તમારા ખોળા નાં બાળકો
થઈ ગયા છીએ. બુદ્ધિ માં જ્ઞાન છે. આત્મા કહે છે - અમે શિવબાબા નાં બની ગયાં. આમનાં
પહેલાં અમે પતિત નાં ખોળા નાં હતાં. ભવિષ્ય માં પવિત્ર દેવતા નાં ખોળા માં જઈશું. આ
જન્મ દુર્લભ છે. હીરા જેવાં તમે અહીં સંગમયુગ પર બનો છો. સંગમયુગ કોઈ તે પાણી નાં
સાગર અને નદીઓ ને નથી કહેવાતો. રાત-દિવસ નો ફરક છે. બ્રહ્મપુત્રા મોટા માં મોટી નદી
છે, જે સાગર માં મળે છે. નદીઓ જઈને સાગર માં મળે છે. તમે પણ સાગર માંથી નીકળેલી
જ્ઞાન નદી છો. જ્ઞાનસાગર શિવબાબા છે. મોટા માં મોટી નદી છે બ્રહ્મપુત્રા. આમનું નામ
છે બ્રહ્મા. સાગર સાથે આમનો કેટલો મેળ છે. તમને ખબર છે નદીઓ ક્યાંથી નીકળે છે? સાગર
થી જ નીકળે છે, પછી સાગર માં મળે છે. સાગર થી મીઠું પાણી ખેંચે છે. સાગર નાં બાળકો
પછી સાગર માં જઈને મળે છે. તમે પણ જ્ઞાનસાગર દ્વારા નીકળેલી છો પછી બધા ત્યાં ચાલ્યાં
જશો, જ્યાં એ રહે છે, ત્યાં તમે આત્માઓ પણ રહો છો. જ્ઞાનસાગર આવીને તમને પવિત્ર મીઠાં
બનાવે છે. આત્માઓ જે ખારાં બની ગયાં છે તેમને મીઠાં બનાવે છે. ૫ વિકારો રુપી છી-છી
ખારાશ તમારા માંથી નીકળી જાય છે, તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ છો. બાપ
પુરુષાર્થ ખૂબ કરાવે છે. તમે કેટલાં સતોપ્રધાન હતાં, સ્વર્ગ માં રહેતાં હતાં. તમે
બિલકુલ છી-છી બની ગયા છો. રાવણે તમને શું બનાવ્યાં છે. ભારત માં જ ગવાય છે હીરા જેવો
જન્મ અમોલક.
બાબા કહેતા રહે છે તમે
કોડીઓ પાછળ કેમ હેરાન થાઓ છો. કોડીઓ પણ વધારે થોડી જોઈએ? ગરીબ ઝટ સમજી જાય છે.
સાહૂકાર તો કહે છે હવે અમારે માટે અહીં જ સ્વર્ગ છે. આપ બાળકો જાણો છો - જે પણ
મનુષ્ય માત્ર છે બધાનો આ સમયે કોડી જેવો જન્મ છે. આપણે પણ એવાં હતાં. હમણાં બાબા
આપણને શું બનાવે છે. મુખ્ય ઉદ્દેશ તો છે ને? આપણે નર થી નારાયણ બનીએ છીએ. ભારત હમણાં
કોડી જેવો કંગાળ છે ને? ભારતવાસી પોતે થોડી જાણે છે? અહીં તમે કેટલી સાધારણ અબળાઓ
છો? કોઈ મોટા વ્યક્તિ હશે તો તેમને અહીં બેસવાનું દિલ (મન) નહીં થશે. જ્યાં
મોટા-મોટા વ્યક્તિઓ સંન્યાસી, ગુરુ વગેરે લોકો હશે ત્યાંની મોટી-મોટી સભાઓ માં જશે.
બાબા પણ કહે છે હું ગરીબ નિવાઝ છું. કહે છે ભગવાન ગરીબો ની રક્ષા કરે છે. હમણાં તમે
જાણો છો-આપણે કેટલાં સાહૂકાર હતાં. હમણાં ફરી બનીએ છીએ. બાબા લખે પણ છે તમે
પદમાપદમપતિ બનો છો. ત્યાં મારામારી નથી થતી. અહીં તો જુઓ પૈસા ની પાછળ કેટલી
મારામારી છે. રિશ્વત (લાંચ) કેટલી મળે છે. પૈસા તો મનુષ્યો ને જોઈએ ને? આપ બાળકો
જાણો છો બાબા આપણો ખજાનો ભરપૂર કરી દે છે. અડધાકલ્પ માટે જેટલું જોઈએ એટલું ધન લો,
પરંતુ પુરુષાર્થ પૂરો કરો. ભૂલ ન કરો. કહેવાય છે ને ફોલો ફાધર (અનુસરણ કરો). ફાધર
ને ફોલો કરો તો આ જઈને બનશો. નર થી નારાયણ, નારી થી લક્ષ્મી, ખૂબ ઊંચી પરીક્ષા છે.
આમાં જરા પણ ભૂલ ન કરવી જોઈએ. બાપ શ્રીમત આપે છે તો પછી તેનાં પર ચાલવાનું છે. કાયદા
કાનુન નું ઉલ્લંઘન નથી કરવાનું. શ્રીમત થી જ તમે શ્રી બનો છો. મંજિલ ખૂબ ઊંચી છે.
પોતાનું રોજ નું ખાતુ રાખો. કમાણી કરી કે નુકસાન કર્યું? બાપ ને કેટલાં યાદ કર્યાં?
કેટલાને રસ્તો બતાવ્યો? આંધળાઓ ની લાઠી તમે છો ને? તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે
છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેવાં બાપ
મીઠાં છે, એવાં મીઠાં બની બધાને સુખ આપવાનું છે. કોઈ પણ અકર્તવ્ય કાર્ય નથી કરવાનું.
ઉત્તમ થી ઉત્તમ કલ્યાણ નું જ કાર્ય કરવાનું છે.
2. કોડીઓ ની પાછળ
હેરાન નથી થવાનું. પુરુષાર્થ કરી પોતાનું જીવન હીરા જેવું બનાવવાનું છે. ભૂલ નથી
કરવાની.
વરદાન :-
નિશ્ચિય રુપી
પગ ને અચળ રાખવા વાળા સદા નિશ્ચયબુદ્ધિ નિશ્ચિંત ભવ
સૌથી મોટી બીમારી છે
ચિંતા, આની દવા ડોક્ટર્સ ની પાસે પણ નથી. ચિંતા વાળા જેટલાં જ પ્રાપ્તિ ની પાછળ દોડે
છે એટલી પ્રાપ્તિ આગળ દોડ લગાવે છે એટલે નિશ્ચય નો પગ સદા અચળ રહે. સદા એક બળ એક
ભરોસો - આ પગ અચળ છે તો વિજય નિશ્ચિત છે. નિશ્ચિત વિજયી સદા જ નિશ્ચિંત છે. માયા
નિશ્ચય રુપી પગ ને હલાવવા માટે જ ભિન્ન-ભિન્ન રુપ થી આવે છે પરંતુ માયા હલી જાય -
તમારો નિશ્ચય રુપી પગ ન હલે તો નિશ્ચિંત રહેવાનું વરદાન મળી જશે.
સ્લોગન :-
દરેક ની
વિશેષતા ને જોતા જાઓ તો વિશેષ આત્મા બની જશો.
અવ્યક્ત ઈશારા -
સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો
આપ ગોપ-ગોપીઓનાં
ચરિત્ર ગવાયેલા છે - બાપ સાથે સર્વ સંબંધો નું સુખ લેવું અને મગન રહેવું અથવા
સર્વ-સંબંધો નાં લવ માં લવલીન રહેવું. જ્યારે કોઈ અતિ સ્નેહ થી મળે છે તો એ સમયે
સ્નેહ નાં મિલન નાં આ જ શબ્દ હોય છે કે એક-બીજા માં સમાઈ ગયા અથવા બંને મળીને એક થઈ
ગયાં. તો બાપ નાં સ્નેહ માં સમાઈ ગયા અર્થાત્ બાપ નું સ્વરુપ થઈ ગયાં.