15-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં રુહાની બાપ દ્વારા રુહાની ડ્રિલ ( અભ્યાસ ) શીખી રહ્યાં છો , આ જ ડ્રિલ થી તમે
મુક્તિધામ , શાંતિધામ માં ચાલ્યાં જશો”
પ્રશ્ન :-
બાપ બાળકો ને પુરુષાર્થ કરાવતા રહે છે પરંતુ બાળકોએ કઈ વાત માં ખૂબ સ્ટ્રીક્ટ (ચુસ્ત)
રહેવું જોઈએ?
ઉત્તર :-
જૂની દુનિયા ને આગ લાગતા પહેલાં તૈયાર થઈ, પોતાને આત્મા સમજી બાપ ની યાદ માં રહી
બાપ પાસે થી પૂરે-પૂરો વારસો લેવામાં ખૂબ સ્ટ્રીક્ટ રહેવાનું છે. નાપાસ નથી થવાનું,
જેમ તે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નાપાસ થાય છે તો પસ્તાય છે, સમજે છે અમારું વર્ષ મફત
ચાલ્યું ગયું. કોઈ તો કહે છે ન ભણ્યાં તો શું થયું? પરંતુ તમારે ખૂબ ચુસ્ત રહેવાનું
છે. શિક્ષક એવું ન કહે કે ટૂ લેટ (ખૂબ મોડું થયું).
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને રુહાની પાઠશાળા માં ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે અથવા એમ કહીએ કે
બાળકો ને ડ્રિલ શીખવાડે છે. જેમ શિક્ષકો ડાયરેક્શન આપે છે અથવા ડ્રિલ શીખવાડે છે
ને? આ રુહાની બાપ પણ બાળકો ને ડાયરેક્ટ કહે છે. શું કહે છે? મનમનાભવ. જેમ તેઓ કહે
છે-અટેન્શન પ્લીઝ. બાપ કહે છે મનમનાભવ. આ જેમ કે દરેક પોતાનાં ઉપર મહેર (કૃપા) કરે
છે. બાપ કહે છે બાળકો મામેકમ્ યાદ કરો, અશરીરી બની જાઓ. આ રુહાની ડ્રિલ રુહો ને
રુહાની બાપ જ શીખવાડે છે. એ છે સુપ્રીમ શિક્ષક. તમે છો નાયબ શિક્ષક. તમે પણ બધાને
કહો છો પોતાને આત્મા સમજો, બાપ ને યાદ કરો, દેહી-અભિમાની ભવ. મનમનાભવ નો અર્થ પણ આ
છે. ડાયરેક્શન આપે છે બાળકો નાં કલ્યાણ માટે. સ્વયં કોઈની પાસે થી શીખ્યાં નથી. બીજા
તો બધા શિક્ષકો પોતે શીખીને પછી શીખવાડે છે. આ તો ક્યાંય સ્કૂલ વગેરે માં ભણીને
શીખ્યાં નથી. આ ફક્ત શીખવાડે જ છે. કહે છે હું આપ રુહો ને રુહાની ડ્રિલ શીખવાડું
છું. તે બધા શરીરધારી બાળકો ને શારીરિક ડ્રિલ શીખવાડે છે. તેઓએ ડ્રિલ વગેરે પણ શરીર
દ્વારા જ કરવાની હોય છે. આમાં તો શરીર ની કોઈ વાત જ નથી. બાપ કહે છે મારું કોઈ શરીર
નથી. હું તો ડ્રિલ શીખવાડું છું, ડાયરેક્શન આપું છું. એમનામાં ડ્રિલ શીખવાડવા નો
ડ્રામા પ્લાન અનુસાર પાર્ટ ભરાયેલો છે. સર્વિસ (સેવા) ભરાયેલી છે. આવે જ છે ડ્રિલ
શીખવાડવાં. તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ તો બહુ સહજ છે. સીડી બુદ્ધિ
માં છે. કેવી રીતે ૮૪ નું ચક્ર લગાવીને નીચે ઉતર્યા છીએ. હવે બાપ કહે છે તમારે પાછું
જવાનું છે. આવું બીજા કોઈ પણ પોતાનાં ફોલોઅર્સ (અનુયાયી) ને કે સ્ટુડન્ટ ને નહીં
કહેશે કે રુહાની બાળકો હવે પાછું જવાનું છે. રુહાની બાપ સિવાય કોઈ સમજાવી ન શકે.
બાળકો સમજે છે હવે અમારે પાછું જવાનું છે. આ દુનિયા જ હવે તમોપ્રધાન છે. આપણે
સતોપ્રધાન દુનિયાનાં માલિક હતાં પછી ૮૪ નું ચક્ર લગાવી તમોપ્રધાન દુનિયાનાં માલિક
બન્યાં છીએ. અહીં દુઃખ જ દુઃખ છે. બાપ ને કહે છે દુઃખહર્તા-સુખકર્તા અર્થાત્
તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવા વાળા એક જ બાપ છે. આપ બાળકો સમજો છો આપણે ખૂબ સુખ
જોયા છે. કેવી રીતે રાજાઈ કરી, તે યાદ નથી પરંતુ મુખ્ય ઉદ્દેશ સામે છે. તે છે જ ફૂલો
નો બગીચો. હમણાં આપણે કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ.
તમે એવું નહીં કહેશો
કે કેવી રીતે નિશ્ચય કરીએ? જો સંશય છે તો વિનશયન્તી. સ્કૂલ થી પગ ઉઠાવ્યો તો ભણતર
બંધ થઈ જશે. પદ પણ વિનશયન્તી થઈ જશે. ખૂબ નુકસાન થઈ જાય છે. પ્રજા માં પણ પદ ઓછું
થઈ જશે. મૂળ વાત જ છે સતોપ્રધાન પૂજ્ય દેવી-દેવતા બનવાની. હમણાં તો દેવતા નથી ને?
આપ બ્રાહ્મણો ને સમજ આવી છે. બ્રાહ્મણ જ આવીને બાપ પાસે થી આ ડ્રિલ શીખે છે. અંદર
ખુશી પણ થાય છે. આ ભણતર ગમે છે ને? ભગવાનુવાચ છે, ભલે તેમણે શ્રીકૃષ્ણ નું નામ નાખી
દીધું છે પરંતુ તમે સમજો છો શ્રીકૃષ્ણએ આ ડ્રિલ શીખવાડી નથી, આ તો બાપ શીખવાડે છે.
કૃષ્ણ નો આત્મા જે ભિન્ન નામ-રુપ ધારણ કરી તમોપ્રધાન બન્યો છે, તેમને પણ શીખવાડે
છે. સ્વયં શીખતા નથી, બીજા બધા કોઈને કોઈ પાસે શીખે જરુર છે. આ છે જ શીખવાડવા વાળા
રુહાની બાપ. તમને શીખવાડે છે, તમે પછી બીજાઓ ને શીખવાડો છો. તમે ૮૪ જન્મ લઈ પતિત
બન્યાં છો, હવે ફરી પાવન બનવાનું છે. એનાં માટે રુહાની બાપ ને યાદ કરો. ભક્તિમાર્ગ
માં તમે ગાતા આવ્યાં છો હે પતિત-પાવન - હમણાં પણ તમે ક્યાંય પણ જઈને જુઓ. તમે રાજઋષિ
છો ને? ક્યાંય પણ હરી-ફરી શકો છો. તમને કોઈ બંધન નથી. આપ બાળકો ને આ નિશ્ચય છે -
બેહદ નાં બાપ સર્વિસ માં આવ્યાં છે. બાપ બાળકો પાસે થી ભણતર નો ઉજરો (વળતર) કેવી
રીતે લેશે? શિક્ષક નાં જ બાળકો હશે તો મફત ભણાવશે ને? આ પણ મફત ભણાવે છે. એવું ન
સમજો આપણે કાંઈક આપીએ છીએ. આ ફી નથી. તમે આપતા કાંઈ નથી, આ તો રિટર્ન (વળતર) માં
ખૂબ લો છો. મનુષ્ય દાન-પુણ્ય કરે છે, સમજે છે રિટર્ન માં અમને મળશે બીજા જન્મ માં.
તે અલ્પકાળ ક્ષણભંગુર સુખ મળે છે. ભલે મળે છે બીજા જન્મ માં પરંતુ તે નીચે ઉતરવા
વાળા જન્મ માં મળે છે. સીડી ઉતરતા જ આવો છો ને? હમણાં જે તમે કરો છો તે છે ચઢતી કળા
માં જવા માટે. કર્મ નું ફળ કહેવાય છે ને? આત્મા ને કર્મ નું ફળ મળે છે. આ
લક્ષ્મી-નારાયણ ને પણ કર્મો નું જ ફળ મળ્યું છે ને? બેહદ નાં બાપ પાસે થી બેહદ નું
ફળ મળે છે. તે મળે છે ઇનડાયરેક્ટ. ડ્રામા માં નોંધ છે. આ પણ પૂર્વ-નિર્ધારિત ડ્રામા
છે. તમે જાણો છો આપણે કલ્પ પછી આવીને બાપ પાસે થી બેહદ નો વારસો લઈશું. બાપ આપણા
માટે સ્કૂલ બનાવે છે. તે ગવર્મેન્ટ ની છે જિસ્માની (શરીર ની) સ્કૂલ. જે ભિન્ન-ભિન્ન
પ્રકાર થી અડધોકલ્પ ભણતાં આવ્યાં. હવે બાપ ૨૧ જન્મો માટે બધા દુઃખ દૂર કરવા માટે
ભણાવે છે. ત્યાં તો છે રાજાઈ. તેમાં નંબરવાર તો આવે જ છે. જેમ અહીંયા પણ રાજા-રાણી,
વજીર, પ્રજા વગેરે બધા નંબરવાર છે. આ છે જૂની દુનિયા માં, નવી દુનિયા માં તો ખૂબ
થોડા હશે. ત્યાં સુખ ખૂબ હશે, તમે વિશ્વ નાં માલિક બનો છો. રાજાઓ-મહારાજાઓ થઈને ગયા
છે. તેઓ કેટલી ખુશીઓ મનાવે છે. પરંતુ બાપ કહે છે તેમને તો પછી નીચે ઉતરવાનું જ છે.
ઉતરે તો બધા છે ને? દેવતાઓ ની પણ ધીમે-ધીમે કળા ઉતરે છે. પરંતુ ત્યાં રાવણરાજ્ય જ
નથી એટલે સુખ જ સુખ છે. અહીં છે રાવણરાજ્ય. તમે જેમ ચઢો છો તેમ ઉતરો પણ છો. આત્માઓ
પણ નામ-રુપ ધારણ કરતાં-કરતાં નીચે ઉતરી આવ્યાં છે. ડ્રામા પ્લાન અનુસાર કલ્પ પહેલાં
ની જેમ ઉતરી ને તમોપ્રધાન બની ગયા છે. કામ ચિતા પર ચઢવાથી જ દુઃખ શરુ થાય છે. હમણાં
છે અતિ દુઃખ. ત્યાં પછી અતિ સુખ હશે. તમે રાજઋષિ છો. તેમનો છે જ હઠયોગ. તમે કોઈને
પણ પૂછો રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો? તો ના કહી દેશે. પૂછશે તે જે
જાણતા હશે. સ્વયં જ નથી જાણતા તો પૂછી કેવી રીતે શકશે? તમે જાણો છો ઋષિ-મુનિ વગેરે
કોઈપણ ત્રિકાળદર્શી નહોતાં. બાપ આપણને ત્રિકાળદર્શી બનાવી રહ્યાં છે. આ બાબા જે
વિશ્વ નાં માલિક હતાં, આમને જ્ઞાન નહોતું. આ જન્મ માં પણ ૬૦ વર્ષ સુધી જ્ઞાન નહોતું.
જ્યારે બાપ આવે છે તો પણ ધીરે-ધીરે આ બધું સંભળાવતા જાય છે. ભલે નિશ્ચયબુદ્ધિ થઈ
જાય છે છતાં પણ માયા ઘણાઓ ને નીચે પાડતી રહે છે. નામ નથી સંભળાવી શકતાં, નહીં તો
નાઉમ્મીદ (નિરાશ) થઈ જશે. સમાચાર તો આવે છે ને? સંગ ખરાબ લાગ્યો, નવાં લગ્ન કરેલા
નો સંગ થયો, ચલાયમાન થઈ ગયાં. કહે છે અમે લગ્ન કર્યા વગર રહી નથી શકતાં. સારા મહારથી
રોજ આવવા વાળા, અહીં પણ ઘણીવાર આવીને ગયા છે, તેમને માયા રુપી ગ્રાહે આવીને પકડ્યાં
છે. આવાં ઘણાં બનાવ બનતા રહે છે. હમણાં લગ્ન કર્યા નથી. માયા મોઢા માં નાખી હપ કરી
રહી છે. સ્ત્રી રુપી માયા ખેંચતી રહે છે. ગ્રાહ (મગરમચ્છ) નાં મોઢા માં આવીને પડ્યાં
છે, પછી ધીમે-ધીમે હપ કરી લેશે. કોઈ ભૂલ કરે છે અથવા જોવાથી ચલાયમાન થાય છે. સમજે
છે હું ઉપર થી એકદમ નીચે ખાડા માં પડીશ. કહેશે બાળક ખૂબ સારો હતો. હવે બિચારો ગયો.
સગાઈ થઈ કે આ મર્યો. બાપ તો બાળકો ને સદૈવ લખે છે જીવતા રહો. ક્યાંક માયા નો વાર
જોર થી ન લાગી જાય. શાસ્ત્રો માં પણ આ વાતો થોડી છે ને? હમણાની આ વાતો પછી ગવાશે.
તો તમે પુરુષાર્થ કરાવો છો. એવું ન થાય ક્યાંક માયા રુપી ગ્રાહ હપ કરી લે.
ભિન્ન-ભિન્ન રીત થી માયા પકડે છે. મૂળ છે કામ મહાશત્રુ, એનાથી ખૂબ સંભાળ કરવાની છે.
પતિત દુનિયા થી પાવન દુનિયા કેવી રીતે બની રહી છે, તમે જોઈ રહ્યાં છો. મુંઝાવાની
વાત જ નથી. ફક્ત પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી બધા દુઃખ દૂર થઈ જાય છે. બાપ
જ પતિત-પાવન છે. આ છે યોગબળ. ભારત નો પ્રાચીન રાજયોગ ખૂબ પ્રસિદ્ધ છે. સમજે છે
ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. તો જરુર બીજો કોઈ ધર્મ નહીં
હશે. કેટલી સહજ વાત છે. પરંતુ સમજતા નથી. હમણાં તમે સમજો છો તે રાજ્ય ફરી થી સ્થાપન
કરવા માટે બાપ આવ્યાં છે. ૫ હજાર વર્ષ પહેલાંં પણ શિવબાબા આવ્યાં હતાં. જરુર આ જ
જ્ઞાન આપ્યું હશે, જેમ હમણાં આપી રહ્યાં છે. બાપ સ્વયં કહે છે હું કલ્પ-કલ્પ સંગમ
પર સાધારણ તન માં આવીને રાજયોગ શીખવાડું છું. તમે રાજઋષિ છો. પહેલાં નહોતાં. બાબા
આવ્યાં છે ત્યાર થી બાબા ની પાસે રહ્યાં છો. ભણો પણ છો, સર્વિસ પણ કરો છો - સ્થૂળ
સર્વિસ અને સૂક્ષ્મ સર્વિસ. ભક્તિમાર્ગ માં પણ સર્વિસ કરે છે પછી ઘરબાર પણ સંભાળે
છે. બાપ કહે છે હવે ભક્તિ પૂરી થઈ, જ્ઞાન શરુ થાય છે. હું આવું છું, જ્ઞાન થી
સદ્દગતિ આપવાં. તમારી બુદ્ધિ માં છે અમને બાબા પાવન બનાવી રહ્યાં છે. બાપ કહે છે-ડ્રામા
અનુસાર તમને રસ્તો બતાવવા આવ્યો છું. શિક્ષક ભણાવે છે, મુખ સામે છે. આ છે ઊંચા માં
ઊંચું ભણતર. જેમ કલ્પ પહેલાં પણ સમજાવ્યું હતું, તે જ સમજાવતા રહે છે. ડ્રામા ની
ટીક-ટીક ચાલતી રહે છે. સેકન્ડ પછી સેકન્ડ જે વીત્યું તે ફરી ૫ હજાર વર્ષ પછી રિપીટ
થશે. દિવસ વીતતા જાય છે. આ વિચાર બીજા કોઈની બુદ્ધિ માં નથી. સતયુગ, ત્રેતા, દ્વાપર,
કળિયુગ વીતી ગયા તે રિપીટ થશે. વીત્યું પણ તે જે કલ્પ પહેલાં વીત્યું હતું. બાકી
થોડા દિવસ છે. તેઓ લાખો વર્ષ કહી દે છે, તેની તુલના માં તમે કહેશો બાકી થોડાક કલાક
છે. એ પણ ડ્રામા માં નોંધ છે. જ્યારે આગ લાગી જશે ત્યારે જાગશે. પછી તો ટૂ લેટ થઈ
જાય છે. તો બાપ પુરુષાર્થ કરાવતા રહે છે. તૈયાર થઈને બેસો. શિક્ષકે એમ ન કહેવું પડે
કે ટૂ લેટ, નાપાસ થવા વાળા ખૂબ પસ્તાય છે. સમજે છે અમારું વર્ષ મફત માં ચાલ્યું જશે.
કોઈ તો કહે છે ન ભણ્યાં તો શું થયું? આપ બાળકોએ તો સ્ટ્રીક્ટ રહેવું જોઈએ. અમે તો
બાપ પાસે થી પૂરો વારસો લઈશું, પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. આમાં કોઈ
તકલીફ થાય છે તો બાપ ને પૂછી શકો છો. આ જ મુખ્ય વાત છે. બાપે આજ થી ૫ હજાર વર્ષ
પહેલાં પણ કહ્યું હતું - મામેકમ્ યાદ કરો. પતિત-પાવન હું છું, બધાનો બાપ હું છું.
કૃષ્ણ તો બધાનાં બાપ નથી. તમે શિવ નાં, કૃષ્ણ નાં પુજારીઓ ને આ જ્ઞાન સંભળાવી શકો
છો. આત્મા પૂજ્ય નહીં બન્યો હશે તો તમે કેટલું પણ માથું મારો, સમજશે નહીં. હમણાં
નાસ્તિક બને છે. કદાચ આગળ જઈને આસ્તિક બની જાય. સમજો લગ્ન કરી નીચે પડે છે પછી આવીને
જ્ઞાન ઉઠાવે. પરંતુ વારસો ખૂબ ઓછો થઈ જશે કારણકે બુદ્ધિ માં બીજાની યાદ આવીને બેસી.
તે કાઢવામાં ખૂબ મુશ્કેલી થાય છે. પહેલાં સ્ત્રી ની યાદ પછી બાળકો ની યાદ આવશે.
બાળક કરતાં પણ સ્ત્રી વધારે ખેંચશે કારણકે ઘણાં સમય ની યાદ છે ને? બાળક તો પછી થાય
છે પછી મિત્ર-સંબંધી, સાસરા ની યાદ આવે છે. પહેલાં સ્ત્રી જેણે ઘણો સમય સાથ આપ્યો
છે, આ પણ એવું છે. તમે કહેશો અમે દેવતાઓ ની સાથે ઘણો સમય હતાં. એમ તો કહેશો શિવબાબા
ની સાથે બહુજ સમય થી પ્રેમ છે. જેમણે ૫ હજાર વર્ષ પહેલાંં પણ આપણને પાવન બનાવ્યાં.
કલ્પ-કલ્પ આવીને આપણી રક્ષા કરે છે ત્યારે તો એમને દુઃખહર્તા, સુખકર્તા કહેવાય છે.
તમારે ખૂબ લાઈન ક્લિયર (શુદ્ધ) બનવાનું છે. બાપ કહે છે આ આંખો થી જે તમે જુઓ છો તે
તો કબ્રદાખલ થઈ જવાનું છે. હમણાં તમે છો સંગમ પર. અમરલોક આવવાનો છે. હમણાં આપણે
પુરુષોત્તમ બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. આ છે કલ્યાણકારી પુરુષોત્તમ
સંગમયુગ. દુનિયા માં જોતા રહો છો, શું-શું થઈ રહ્યું છે! હમણાં બાપ આવેલા છે, તો
જૂની દુનિયા પણ ખત્મ થવાની છે. આગળ જઈ ઘણાઓ ને વિચાર માં આવશે. જરુર કોઈ આવેલા છે
જે દુનિયા ને પરિવર્તન કરી રહ્યાં છે. આ એ જ મહાભારત લડાઈ છે. તમે પણ કેટલાં સમજદાર
બન્યાં છો. આ ખૂબ મંથન કરવાની વાતો છે. પોતાનો શ્વાસ વ્યર્થ નથી ગુમાવવાનો. તમે જાણો
છો શ્વાસ સફળ થાય છે જ્ઞાન થી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા થી
બચવા માટે સંગદોષ થી પોતાની ખૂબ-ખૂબ સંભાળ કરવાની છે. પોતાની લાઈન ક્લિયર રાખવાની
છે. શ્વાસ વ્યર્થ નથી ગુમાવવાનાં. જ્ઞાન થી સફળ કરવાના છે.
2. જેટલો સમય મળે -
યોગબળ જમા કરવા માટે રુહાની ડ્રિલ નો અભ્યાસ કરવાનો છે. હવે કોઈ નવાં બંધન નથી
બનાવવાનાં.
વરદાન :-
બાપ ની
છત્રછાયા નાં અનુભવ દ્વારા વિઘ્ન - વિનાશક ની ડિગ્રી લેવા વાળા અનુભવી મૂર્ત ભવ
જ્યાં બાપ સાથે છે
ત્યાં કોઈ કાંઈ પણ કરી નથી શકતું. આ સાથ નો અનુભવ જ છત્રછાયા બની જાય છે. બાપદાદા
બાળકો ની સદા રક્ષા કરે જ છે. પેપર આવે છે આપ લોકો ને અનુભવી બનાવવા માટે એટલે સદૈવ
સમજવું જોઈએ કે આ પેપર ક્લાસ આગળ વધારવા માટે આવી રહ્યું છે. આનાં થી જ સદા ને માટે
વિઘ્ન-વિનાશક ની ડિગ્રી અને અનુભવી મૂર્ત બનવાનું વરદાન મળી જ જશે. જો હજી કોઈ થોડો
અવાજ કરે કે વિઘ્ન નાખે પણ છે તો ધીરે-ધીરે ઠંડા થઈ જશે.
સ્લોગન :-
જે સમય પર
સહયોગી બને છે એમને એક નું પદમગુણા ફળ મળી જાય છે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો
જેવી રીતે જોવું,
સાંભળવું સંભળાવવું - આ વિશેષ કર્મ સહજ અભ્યાસ માં આવી ગયા છે, એવી રીતે જ કર્માતીત
બનવાની સ્ટેજ અથવા કર્મ ને સમેટવા ની શક્તિ થી અકર્મી અર્થાત્ કર્માતીત બની જાઓ. એક
છે કર્મ અધિન સ્ટેજ, બીજી છે કર્માતીત અર્થાત્ કર્મ અધિકારી સ્ટેજ. તો ચેક કરો મુજ
કર્મેન્દ્રિય-જીત, સ્વરાજ્યધારી રાજાઓ નો રાજ્ય કારોબાર ઠીક ચાલી રહ્યો છે?