16-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
મુખ્ય - ઉદ્દેશ છે વન્ડરફુલ રંગ - બેરંગી દુનિયા ( સ્વર્ગ ) નાં માલિક બનવાનો , તો
સદા આ જ ખુશી માં હર્ષિત રહો , મૂરઝાયેલા નહીં”
પ્રશ્ન :-
તકદીર વાન બાળકો ને કયો ઉમંગ સદા બનેલો રહેશે?
ઉત્તર :-
આપણને બેહદ નાં બાપ નવી દુનિયા નાં પ્રિન્સ-પ્રિન્સેસ બનાવવા માટે ભણાવી રહ્યાં છે.
તમે આ જ ઉમંગ થી બધાને સમજાવી શકો છો કે આ લડાઈ માં સ્વર્ગ સમાયેલું છે. આ લડાઈ પછી
સ્વર્ગ નાં દ્વાર ખુલવાના છે - આ જ ખુશી માં રહેવાનું છે અને ખુશી-ખુશી થી બીજાઓ ને
પણ સમજાવવાનું છે.
ગીત :-
દુનિયા રંગ
રંગીલી બાબા…
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું
બાબા ને, કે દુનિયા રંગ-બેરંગી છે? હવે આનો અર્થ બીજું કોઈ સમજી ન શકે. બાપે
સમજાવ્યું છે આ ખેલ રંગ-રંગીલો છે. કોઈ પણ બાઈસ્કોપ (ટી.વી) વગેરે હોય છે તો ખૂબ
રંગ-બેરંગી સીન-સીનેરીઓ (દૃશ્યો) વગેરે હોય છે ને? હવે આ બેહદ ની દુનિયા ને કોઈ
જાણતું જ નથી. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર આખાં વિશ્વ નાં આદિ-મધ્ય-અંત
નું જ્ઞાન છે. તમે સમજો છો સ્વર્ગ કેટલું રંગ-બેરંગી છે, સુંદર છે. જેને કોઈ પણ
જાણતું નથી. કોઈ ની બુદ્ધિ માં નથી, તે છે વન્ડરફુલ રંગ-બેરંગી દુનિયા. ગવાય છે
વંડર ઓફ ધ વર્લ્ડ (દુનિયા ની અજાયબી) - આને ફક્ત તમે જાણો છો. તમે જ વન્ડર ઓફ
વર્લ્ડ માટે પોત-પોતાની તકદીર અનુસાર પુરુષાર્થ કરી રહ્યાં છો. મુખ્ય-ઉદ્દેશ તો છે.
તે છે વન્ડર ઓફ વર્લ્ડ, ખુબજ રંગ-બેરંગી દુનિયા છે, જ્યાં હીરા-ઝવેરાતો નાં મહેલ
હોય છે. તમે એક સેકન્ડ માં વન્ડરફુલ વૈકુંઠ માં ચાલ્યાં જાઓ છો. રમો છો, રાસ-વિલાસ
વગેરે કરો છો. બરાબર વન્ડરફુલ દુનિયા છે ને? અહીં છે માયા નું રાજ્ય. આ પણ કેટલું
વન્ડરફુલ છે. મનુષ્ય શું-શું કરતા રહે છે. દુનિયા માં આ કોઈ પણ નથી સમજતા કે અમે
નાટક માં ખેલ કરી રહ્યાં છીએ. નાટક જો સમજે તો નાટક નાં આદિ-મધ્ય-અંત નું પણ જ્ઞાન
હોય. આપ બાળકો જાણો છો બાપ પણ કેટલાં સાધારણ છે. માયા બિલકુલ જ ભુલાવી દે છે. નાક
થી પકડ્યાં, આ ભુલાવ્યું. હમણાં-હમણાં યાદ માં છે, ખૂબ હર્ષિત રહે છે. ઓહો! અમે
વન્ડર ઓફ વર્લ્ડ સ્વર્ગ નાં માલિક બની રહ્યાં છીએ. પછી ભૂલી જાય છે તો મુરઝાઈ જાય
છે. એવાં મુરઝાઈ જાય છે જે ભીલ પણ એવો મૂરઝાયેલો ન હોય. જરા પણ જેમ કે સમજતા જ નથી
કે અમે સ્વર્ગ માં જવા વાળા છીએ. આપણને બેહદ નાં બાપ ભણાવી રહ્યાં છે. જેમ એકદમ મડદા
બની જાય છે. તે ખુશી, નશો નથી રહેતો. હમણાં વન્ડર ઓફ વર્લ્ડ ની સ્થાપના થઈ રહી છે.
વન્ડર ઓફ વર્લ્ડ નાં શ્રીકૃષ્ણ છે પ્રિન્સ. આ પણ તમે જાણો છો. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી
પર પણ જે જ્ઞાન માં હોશિયાર છે તે સમજાવતા હશે. શ્રીકૃષ્ણ વન્ડર ઓફ વર્લ્ડ નાં
પ્રિન્સ હતાં. તે સતયુગ પછી ક્યાં ગયો! સતયુગ થી લઈને સીડી કેવી રીતે ઉતર્યાં.
સતયુગ થી કળિયુગ કેવી રીતે થયો? ઉતરતી કળા કેવી રીતે થઈ? આપ બાળકો ની બુદ્ધિ માં જ
આવશે. તે ખુશી થી સમજાવવું જોઈએ. શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે. શ્રીકૃષ્ણ નું રાજ્ય ફરી
થી સ્થાપન થઈ રહ્યું છે. આ સાંભળીને ભારતવાસીઓ ને પણ ખુશી થવી જોઈએ. પરંતુ આ ઉમંગ
તેમને આવશે જે તકદીરવાન હશે. દુનિયા નાં મનુષ્ય તો રત્નો ને પણ પથ્થર સમજીને ફેંકી
દેશે. આ અવિનાશી જ્ઞાન-રત્ન છે ને? આ જ્ઞાન-રત્નો નાં સાગર છે બાપ. આ રત્નો ની ખૂબ
વેલ્યુ (કિંમત) છે. આ જ્ઞાન-રત્ન ધારણ કરવાનાં છે. હમણાં તમે જ્ઞાન સાગર પાસે થી
ડાયરેક્ટ સાંભળો છો તો પછી બીજું કાંઈ પણ સાંભળવાની જરુર જ નથી. સતયુગ માં આ હોતાં
નથી. ન ત્યાં એલ.એલ.બી., ન સર્જન વગેરે બનવાનું હોય છે. ત્યાં આ નોલેજ જ નથી. ત્યાં
તો તમે પ્રારબ્ધ ભોગવો છો. તો જન્માષ્ટમી પર બાળકોએ સારી રીતે સમજાવવાનું છે. અનેક
વાર મોરલી પણ ચાલેલી છે. બાળકોએ વિચાર સાગર મંથન કરવાનું છે, ત્યારે જ પોઈન્ટ નીકળશે.
ભાષણ કરવાનું છે તો સવારે ઉઠીને લખવું જોઈએ, પછી વાચવું જોઈએ. ભૂલેલા પોઈન્ટ્સ પછી
એડ કરવા જોઈએ. આનાથી ધારણા સારી થશે છતાં પણ લખાણ જેવું બધા નહીં બોલી શકે. કોઈ ન
કોઈ પોઈન્ટ ભૂલી જશે. તો સમજાવવાનું હોય છે, શ્રીકૃષ્ણ કોણ છે, આ તો વન્ડર ઓફ
વર્લ્ડ નાં માલિક હતાં. ભારત જ પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. તે પેરેડાઇઝ નાં માલિક
શ્રીકૃષ્ણ હતાં. અમે તમને સંદેશ સંભળાવીએ છીએ કે શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે. રાજયોગ
ભગવાને જ શીખવાડયો છે. હમણાં પણ શીખવાડી રહ્યાં છે. પવિત્રતા માટે પણ પુરુષાર્થ
કરાવી રહ્યાં છે, ડબલ તાજધારી દેવતા બનાવવા માટે. આ બધું બાળકો ને સ્મૃતિ માં આવવું
જોઈએ. જેમની પ્રેક્ટિસ હશે તે સારી રીતે સમજાવી શકશે. શ્રીકૃષ્ણ નાં ચિત્ર માં પણ
લખાણ ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. આ લડાઈ પછી સ્વર્ગ નાં દ્વાર ખુલવાના છે. આ લડાઈ માં જાણે
સ્વર્ગ સમાયેલું છે. બાળકો એ પણ ખૂબ ખુશી માં રહેવું જોઈએ, જન્માષ્ટમી પર મનુષ્ય
કપડા વગેરે નવાં પહેરે છે. પરંતુ તમે જાણો છો કે હવે આપણે આ જૂનું શરીર છોડી નવું
કંચન શરીર લઈશું. કંચન કાયા કહે છે ને અર્થાત્ સોના ની કાયા. આત્મા પણ પવિત્ર, શરીર
પણ પવિત્ર. હમણાં કંચન નથી. નંબરવાર બની રહી છે. કંચન બનશે જ યાદ ની યાત્રા થી. બાબા
જાણે છે ઘણાં છે જેમને યાદ કરવાની પણ અક્કલ નથી. યાદ ની જ્યારે મહેનત કરશે ત્યારે જ
વાણી જૌહરદાર (બળવાન) થશે. હમણાં તે તાકાત ક્યાં છે? યોગ નથી. લક્ષ્મી-નારાયણ બનવાની
શક્લ (ચાલ-ચલન) પણ જોઈએ ને? ભણતર જોઈએ. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર સમજાવવું ખૂબ સહજ
છે. શ્રીકૃષ્ણ માટે કહે છે શ્યામ-સુંદર, કૃષ્ણ ને પણ કાળા, નારાયણ ને પણ કાળા, રામ
ને પણ કાળા બનાવ્યાં છે. બાપ સ્વયં કહે છે, મારા બાળકો જે પહેલાં જ્ઞાન ની ચિતા પર
બેસી સ્વર્ગ નાં માલિક બન્યાં પછી ક્યાં ચાલ્યાં ગયાં? કામ ચિતા પર બેસી નંબરવાર
ઉતરતા આવ્યાં. સૃષ્ટિ પણ સતોપ્રધાન, સતો, રજો, તમો બને છે. તો મનુષ્યો ની અવસ્થા પણ
એવી હોય છે. કામ ચિતા પર બેસી બધા શ્યામ અર્થાત્ કાળા બની ગયા છે. હવે હું આવ્યો
છું સુંદર બનાવવાં. આત્મા ને સુંદર બનાવાય છે. બાબા દરેક ની ચલન થી સમજી જાય છે -
મન્સા, વાચા, કર્મણા કેવી રીતે ચાલે છે. કર્મ કેવી રીતે કરે છે, એનાંથી ખબર પડી જાય
છે. બાળકો ની ચલન તો ખૂબ ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ. મુખ થી સદૈવ રત્ન નીકળવા જોઈએ.
શ્રીકૃષ્ણ જયંતિ પર સમજાવવું ખૂબ સારું છે. શ્યામ અને સુંદર નો ટોપીક (વિષય) હોય.
શ્રીકૃષ્ણ ને પણ કાળા તો નારાયણ ને પણ પછી રાધા ને પણ કાળા કેમ બનાવે છે? શિવલિંગ
પણ કાળો પથ્થર રાખે છે. હવે એ કોઈ કાળા થોડી છે? શિવ શું છે અને ચીજ શું બનાવે છે,
આ વાતો ને આપ બાળકો જાણો છો. કાળા કેમ બનાવે છે - તમે આનાં પર સમજાવી શકશો. હવે જોશે
બાળકો શું સર્વિસ (સેવા) કરે છે. બાપ તો કહે છે - આ જ્ઞાન બધા ધર્મ વાળાઓ માટે છે.
તેમને પણ કહેવાનું છે બાપ કહે છે મને યાદ કરો તો તમારા જન્મ-જન્માતર નાં પાપ કપાઈ
જશે. પવિત્ર બનવાનું છે. કોઈને પણ તમે રાખડી બાંધી શકો છો. યુરોપિયન ને પણ બાંધી શકો
છો. કોઈ પણ હોય તેમને કહેવાનું છે - ભગવાનુવાચ, જરુર કોઈ તન થી કહેશે ને? કહે છે
મામેકમ્ યાદ કરો. દેહ નાં સર્વ ધર્મ છોડી સ્વયં ને આત્મા સમજો. બાબા કેટલું સમજાવે
છે, છતાં પણ નથી સમજતા તો બાપ સમજી જાય છે એમની તકદીર માં નથી. આ તો સમજતા હશે
શિવબાબા ભણાવે છે. રથ વગર તો ભણાવી ન શકે, ઈશારો આપવો જ બસ છે. કોઈ-કોઈ બાળકો ને
સમજાવવાની પ્રેક્ટિસ સારી છે. બાબા-મમ્મા માટે તો સમજો છો આ ઊંચું પદ મેળવવા વાળા
છે. મમ્મા પણ સર્વિસ કરતી હતી ને? આ વાતો ને પણ સમજાવવાની હોય છે. માયા નાં પણ અનેક
પ્રકાર નાં રુપ હોય છે. ઘણાં કહે છે અમારા માં મમ્મા આવે છે, શિવબાબા આવે છે પરંતુ
નવાં-નવાં પોઈન્ટ તો નિશ્ચિત તન દ્વારા જ સંભળાવશે કે બીજા કોઈ દ્વારા સંભળાવશે. આ
થઈ નથી શકતું. એમ તો બાળકીઓ પણ અનેક પ્રકાર નાં પોઈન્ટ્સ પોતાનાં પણ સંભળાવે છે.
મેગેઝિન માં કેટલી વાતો આવે છે. એવું નથી કે મમ્મા-બાબા એમનાં માં આવે, તે લખાવે
છે. ના, બાપ તો અહીં ડાયરેક્ટ આવે છે, ત્યારે તો અહીં સાંભળવા માટે આવો છો. જો
મમ્મા-બાબા કોઈનાં માં આવે છે તો પછી ત્યાં જ બેસીને એમની પાસે થી ભણે. ના, અહીં
આવવાની બધાને કશિશ થાય છે. દૂર રહેવા વાળા ને ખૂબ જ વધારે કશિશ થાય છે. તો બાળકો
જન્માષ્ટમી પર પણ ખૂબ સર્વિસ કરી શકે છે. કૃષ્ણ નો જન્મ ક્યારે થયો, આ પણ કોઈને ખબર
નથી. તમારી હમણાં ઝોલી ભરાઈ રહી છે તો ખુશી રહેવી જોઈએ. પરંતુ બાબા જુએ છે ખુશી
કોઈ-કોઈ માં બિલકુલ નથી. શ્રીમત પર ન ચાલવાની તો જાણે કસમ ઉઠાવી લે છે. સર્વિસએબલ (સેવાધારી)
બાળકોને તો જેમ સર્વિસ જ સર્વિસ સુજતી રહેશે. સમજે છે બાબા ની સર્વિસ નથી કરી, કોઈને
રસ્તો નથી બતાવ્યો તો અમે આંધળા રહ્યાં. આ સમજવાની વાત છે ને? બેજ માં પણ શ્રીકૃષ્ણ
નું ચિત્ર છે, આનાં પર પણ તમે સમજાવી શકો છો. કોઈને પણ પૂછો આમને કાળા કેમ દેખાડયાં
છે, બતાવી નહીં શકે. શાસ્ત્રો માં પણ લખી દીધું છે રામ ની સ્ત્રી ચોરાઈ ગઈ. પરંતુ
એવી કોઈ વાત ત્યાં હોતી નથી.
તમે ભારતવાસી જ
પરીસ્તાની હતાં, હવે કબ્રસ્તાની બન્યાં છે પછી જ્ઞાન ચિતા પર બેસી દૈવી ગુણ ધારણ કરી
પરીસ્તાની બને છે. સર્વિસ તો બાળકોએ કરવાની છે. બધાને સંદેશ આપવાનો છે. આમાં ખૂબ
સમજ જોઈએ. એટલો નશો જોઈએ - અમને ભગવાન ભણાવે છે. ભગવાન ની સાથે રહીએ છીએ. ભગવાન નાં
બાળકો પણ છીએ તો પછી આપણે ભણીએ પણ છીએ. બોર્ડિગ માં રહે છે તો પછી બહાર નો સંગ નહીં
લાગશે. અહીં પણ સ્કૂલ છે ને? ક્રિશ્ચન માં તો પણ મેનર્સ (શિષ્ટાચાર) હોય છે, હમણાં
તો બિલકુલ નો મેનર્સ, તમોપ્રધાન પતિત છે. દેવતાઓ ની આગળ જઈને માથું નમાવે છે. કેટલી
તેમની મહિમા છે! સતયુગ માં બધાનાં દૈવી કેરેક્ટર (ચરિત્ર) હતાં, હમણાં આસુરી
કેરેક્ટર છે. એવાં-એવાં તમે ભાષણ કરો તો સાંભળીને ખૂબ ખુશ થઈ જાય. મુખ નાનું વાત
મોટી - આ શ્રીકૃષ્ણ ને માટે કહે છે. હમણાં તમે કેટલી મોટી વાતો સાંભળો છો, એટલા મોટા
બનવા માટે. તમે રાખડી કોઈને પણ બાંધી શકો છો. આ બાપ નો સંદેશ તો બધાને આપવાનો છે. આ
લડાઈ સ્વર્ગ નાં દ્વાર ખોલે છે. હવે પતિત થી પાવન બનવાનું છે. બાપ ને યાદ કરવાના
છે. દેહધારી ને નથી યાદ કરવાનાં. એક જ બાપ સર્વ ની સદ્દગતિ કરે છે. આ છે જ આયરન
એજેડ વર્લ્ડ (કળિયુગી દુનિયા). આપ બાળકો ની બુદ્ધિ માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર
ધારણા થાય છે, સ્કૂલ માં પણ સ્કોલરશિપ લેવા માટે ખૂબ મહેનત કરે છે. અહીં પણ કેટલી
મોટી સ્કોલરશિપ છે. સર્વિસ ખૂબ છે. માતાઓ પણ ખૂબ સર્વિસ કરી શકે છે, ચિત્ર પણ બધા
ઉઠાઓ. કૃષ્ણ ને કાળા, નારાયણ ને કાળા, રામચંદ્ર નાં પણ કાળા ચિત્ર ઉપાડો, શિવ નું
પણ કાળું…પછી સમજાવો. દેવતાઓ ને કાળા કેમ કર્યા છે? શ્યામ-સુંદર. શ્રીનાથ દ્વારા
જાઓ તો બિલકુલ કાળું ચિત્ર છે. તો એવાં-એવાં ચિત્ર ભેગા કરવા જોઈએ. આપણું પણ દેખાડવું
જોઈએ. શ્યામ-સુંદર નો અર્થ સમજાવીને કહો કે તમે પણ હવે રાખડી બાંધી, કામ ચિતા થી
ઉતરી જ્ઞાન ચિતા પર બેસશો તો ગોરા બની જશો. અહીં પણ તમે સર્વિસ કરી શકો છો. ભાષણ
ખૂબ સારી રીતે કરી શકો છો કે આમને કાળા કેમ કર્યા છે? શિવલિંગ ને પણ કાળું કેમ કર્યુ
છે? સુંદર અને શ્યામ કેમ કહે છે, અમે સમજાવીએ. આમાં કોઈ નારાજ નહીં થશે. સર્વિસ તો
ખૂબ સહજ છે. બાપ તો સમજાવતા રહે છે - બાળકો, સારા ગુણ ધારણ કરો, કુળ નું નામ રોશન
કરો. તમે જાણો છો હમણાં આપણે ઊંચા માં ઊંચા બ્રાહ્મણ કુળ નાં છીએ. પછી રક્ષાબંધન નો
અર્થ તમે કોઈને પણ સમજાવી શકો છો. વૈશ્યાઓ ને પણ સમજાવી ને રાખડી બાંધી શકો છો.
ચિત્ર પણ સાથે હોય. બાપ કહે છે મામેકમ્ યાદ કરો - આ ફરમાન માનવાથી તમે ગોરા બની જશો.
અનેક યુક્તિઓ છે. કોઈ પણ નારાજ નહીં થશે. કોઈ પણ મનુષ્ય માત્ર કોઈની સદ્દગતિ કરી ન
શકે સિવાય એક નાં. ભલે રક્ષાબંધન નો દિવસ ન હોય, ક્યારેય પણ રાખડી બાંધી શકો છો. આ
તો અર્થ સમજવાનો છે. રાખડી જ્યારે ઈચ્છો ત્યારે બાંધી શકાય છે. તમારો ધંધો જ આ છે.
બોલો, બાપ ની સાથે પ્રતિજ્ઞા કરો. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો પવિત્ર બની જશો.
મસ્જિદ માં પણ જઈને તમે તેમને સમજાવી શકો છો. અમે રાખડી બાંધવા માટે આવ્યાં છીએ. આ
વાત તમને પણ સમજવાનો હક છે. બાપ કહે છે મને યાદ કરો તો પાપ કપાઈ જશે, પાવન બની પાવન
દુનિયાનાં માલિક બની જશો. હમણાં તો પતિત દુનિયા છે ને? ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ) હતી
જરુર, હવે આયરન એજ (કળિયુગ) છે. તમારે ગોલ્ડન એજ માં ખુદા ની પાસે નથી જવું? આવું
સંભળાવશો તો ઝટ આવીને ચરણો પર પડશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
જ્ઞાન-રત્નો નાં સાગર પાસે થી જે અવિનાશી જ્ઞાન-રત્ન પ્રાપ્ત થઈ રહ્યાં છે, તેની
વેલ્યુ રાખવાની છે. વિચાર સાગર મંથન કરી સ્વયં માં જ્ઞાન-રત્ન ધારણ કરવાના છે. મુખ
થી સદૈવ રત્ન કાઢવાના છે.
2. યાદ ની યાત્રા માં
રહીને વાણી ને જૌહરદાર (બળવાન) બનાવવાની છે. યાદ થી જ આત્મા કંચન બનશે એટલે યાદ
કરવાની અક્કલ શીખવાની છે.
વરદાન :-
મારા પણા નાં
સૂક્ષ્મ સ્વરુપ નો પણ ત્યાગ કરવા વાળા સદા નિર્ભય , બેફિકર બાદશાહ ભવ
આજ ની દુનિયા માં ધન
પણ છે અને ભય પણ છે. જેટલું ધન એટલાં જ ભય માં ખાય, ભય માં જ સુવે છે. જ્યાં મારાપણું
છે ત્યાં ભય જરુર હશે. કોઈ સોના નું હરણ પણ જો મારું છે તો ભય છે. પરંતુ જો મારા એક
શિવ બાબા છે તો નિર્ભય બની જશો. તો સૂક્ષ્મ રુપ થી પણ મારા-મારા ને ચેક કરીને એનો
ત્યાગ કરો તો નિર્ભય, બેફિકર બાદશાહ રહેવાનું વરદાન મળી જશે.
સ્લોગન :-
બીજા નાં
વિચારો ને સન્માન આપો - તો તમને સન્માન સ્વત: પ્રાપ્ત થશે.
અવ્યક્ત ઇશારા -
સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો
એક તરફ બેહદ નો વૈરાગ
હોય, બીજી તરફ બાપ સમાન બાપ નાં લવ માં લવલીન રહો, એક સેકન્ડ અને એક સંકલ્પ પણ આ
લવલીન અવસ્થા થી નીચે ન આવો. એવાં લવલીન બાળકો નું સંગઠન જ બાપ ને પ્રત્યક્ષ કરશે.
આપ નિમિત્ત આત્માઓ પવિત્ર પ્રેમ અને પોતાની પ્રાપ્તિઓ દ્વારા બધાને શ્રેષ્ઠ પાલના
આપો, યોગ્ય બનાવો અર્થાત્ યોગી બનાવો.