17-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ઊંચ બનવું છે તો પોતાનો પોતામેલ રોજ જુઓ , કોઈ પણ કર્મેન્દ્રિય દગો ન આપે , આંખો ખુબ જ દગાબાજ છે એનાથી સંભાળ કરો ”

પ્રશ્ન :-
સૌથી ખરાબ આદત કઈ છે, એનાથી બચવાનો ઉપાય શું છે?

ઉત્તર :-
સૌથી ખરાબ આદત છે - જીભ નો સ્વાદ. કોઈ સારી વસ્તુ જોઈ તો છૂપાવીને ખાઈ લેશે. છૂપાવવું અર્થાત્ ચોરી. ચોરી રુપી માયા પણ અનેક ને નાક-કાન થી પકડી લે છે. એનાથી બચવાનું સાધન જ્યારે પણ ક્યાંય બુદ્ધિ જાય તો પોતે જ પોતાને સજા આપો. ખરાબ આદતો ને કાઢવા માટે પોતે પોતાને ખૂબ ફટકાર લગાવો.

ઓમ શાંતિ!
આત્મ-અભિમાની બનીને બેઠાં છો? દરેક વાત પોતાને પૂછવાની હોય છે. અમે આત્મ-અભિમાની બનીને બેઠાં છીએ અને બાપ ને યાદ કરી રહ્યાં છીએ? ગવાયેલું પણ છે શિવ શક્તિ પાંડવ સેના. આ શિવબાબા ની સેના બેઠી છે ને? એ શારીરિક સેના માં ફક્ત જુવાન હોય છે, વૃદ્ધો કે બાળકો વગેરે નહીં. આ સેના માં તો વૃદ્ધો, બાળકો, જુવાન વગેરે બધા બેઠાં છે. આ છે માયા પર જીત મેળવવા માટે ની સેના. દરેકે માયા પર જીત મેળવીને બાપ પાસે થી વારસો લેવાનો છે. બાળકો જાણે છે માયા ખૂબ પ્રબળ છે. કર્મેન્દ્રિયો જ સૌથી વધારે દગો આપે છે. ચાર્ટ માં આ પણ લખો કે આજે કઈ કર્મેન્દ્રિયે દગો આપ્યો? આજે ફલાણી ને જોઈ તો દિલ થયું આમને હાથ લગાવું, આ કરું? આંખો ખૂબ જ નુકસાન કરે છે. દરેક કર્મેન્દ્રિય જુઓ, કઈ કર્મેન્દ્રિય ખૂબ નુકસાન કરે છે? સૂરદાસ નું પણ આનાં પર દૃષ્ટાંત આપે છે. પોતાની તપાસ રાખવી જોઈએ. આંખો ખુબ દગો આપવા વાળી છે. સારા-સારા બાળકો ને પણ માયા દગો આપી દે છે. ભલે સર્વિસ (સેવા) સારી કરે છે પરંતુ આંખો દગો આપે છે. આનાં પર ખૂબ તપાસ રાખવાની હોય છે કારણકે દુશ્મન છે ને? આપણા પદ ને ભ્રષ્ટ કરી દે છે. જે સેન્સિબલ (સમજદાર) બાળકો છે, તેમણે સારી રીતે નોંધ કરવી જોઈએ. ડાયરી ખિસ્સા માં પડેલી હોય. જેમ ભક્તિમાર્ગ માં બુદ્ધિ બીજી તરફ ભાગે છે તો પોતાને ચૂંટલી ભરે છે. તમારે પણ સજા આપવી જોઈએ. ખૂબ ખબરદારી રાખવી જોઈએ. કર્મેન્દ્રિઓ દગો તો નથી આપતી! કિનારો કરી લેવો જોઈએ. ઊભા રહીને જોવું પણ ન જોઈએ. સ્ત્રી-પુરુષ નાં જ ખૂબ હંગામા છે. જોવા થી કામ વિકાર ની દૃષ્ટિ જાય છે એટલે સંન્યાસી લોકો આંખો બંધ કરીને બેસે છે. કોઈ-કોઈ સંન્યાસી તો સ્ત્રી ને પીઠ આપીને બેસે છે. તે સંન્યાસીઓ વગેરેને શું મળે છે? કરીને ૧૦-૨૦ લાખ, કરોડ ભેગા કરશે. મરી ગયા તો ખલાસ. પછી બીજા જન્મ માં ભેગું કરવું પડે. આપ બાળકો ને તો જે કાંઈ મળે છે તે અવિનાશી વારસો બની જાય છે. ત્યાં ધન ની લાલચ હોતી જ નથી. એવી કોઈ અપ્રાપ્તિ હોતી નથી, જેનાં માટે માથું મારવું પડે. કળિયુગ અંત અને સતયુગ આદિ માં રાત-દિવસ નો ફરક છે. ત્યાં તો અપાર સુખ હોય છે. અહીં કાંઈ પણ નથી. બાબા હંમેશા કહે છે - સંગમ શબ્દ ની સાથે પુરુષોત્તમ શબ્દ જરુર લખો. સાફ-સાફ (સ્પષ્ટ) શબ્દ બોલવા જોઈએ. સમજાવવા માં સહજ થાય છે. મનુષ્ય થી દેવતા કિયે… તો જરુર સંગમ પર જ આવશે ને દેવતા બનાવવાં, નર્કવાસી ને સ્વર્ગવાસી બનાવવાં. મનુષ્ય તો ઘોર અંધકાર માં છે. સ્વર્ગ શું હોય છે? ખબર જ નથી. બીજા ધર્મવાળા તો સ્વર્ગ ને જોઈ પણ નથી શકતા એટલે બાબા કહે છે તમારો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. એને કહેવાય જ છે હેવન. પરંતુ આ થોડી સમજે છે કે અમે પણ હેવન માં જઈ શકીએ છીએ. કોઈને પણ ખબર નથી. ભારતવાસી આ ભૂલી ગયા છે. હેવન ને લાખો વર્ષ કહી દે છે. ક્રિશ્ચન લોકો પોતે કહે છે ૩ હજાર વર્ષ પહેલાં હેવન હતું. લક્ષ્મી-નારાયણ ને કહે જ છે ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી). જરુર ગોડ જ ગોડ-ગોડેઝ બનાવશે. તો મહેનત કરવી જોઈએ. રોજ પોતાનો પોતામેલ જોવો જોઈએ. કઈ કર્મેન્દ્રિયે દગો આપ્યો? જીભ પણ કાંઈ ઓછી નથી. કોઈ સારી વસ્તુ જોઈ તો છૂપાવીને ખાઈ લેશે. સમજે થોડી છે કે આ પણ પાપ છે. ચોરી થઈ ને? તે પણ શિવબાબા નાં યજ્ઞ માંથી ચોરી કરવી ખૂબ ખરાબ છે. કખ નો ચોર તે લખ નો ચોર કહેવાય છે. અનેક ને માયા નાક થી પકડતી રહે છે. આ બધી ખોટી આદતો કાઢવાની છે. પોતાનાં પર ફટકાર કરવો જોઈએ. જ્યાં સુધી ખરાબ આદતો છે ત્યાં સુધી ઊંચું પદ મેળવી નહીં શકશે. સ્વર્ગ માં જવું તો મોટી વાત નથી. પરંતુ ક્યાં રાજા-રાણી ક્યાં પ્રજા? તો બાપ કહે છે કર્મેન્દ્રિયો ની ખૂબ તપાસ કરવી જોઈએ. કઈ કર્મેન્દ્રિય દગો આપે છે? પોતામેલ કાઢવો જોઈએ. વેપાર છે ને? બાપ સમજાવે છે મારી સાથે વેપાર કરવાનો છે, ઊંચ પદ મેળવવું છે તો શ્રીમત પર ચાલો. બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપશે, એમાં પણ માયા વિઘ્ન નાખશે. કરવા નહીં દેશે. બાપ કહે છે આ ભૂલો નહીં. ગફલત કરવા થી પછી ખૂબ પસ્તાશો. ક્યારેય ઊંચ પદ નહીં મેળવશો. હમણાં તો ખુશી થી કહો છો અમે નર થી નારાયણ બનીશું પરંતુ પોતાને પૂછતા રહો - ક્યાંય કર્મેન્દ્રિયો દગો તો નથી આપતી?

પોતાની ઉન્નતિ કરવી છે તો બાપ જે ડાયરેક્શન આપે છે તેને અમલ માં લાવો. આખા દિવસ નો પોતામેલ જુઓ. ભૂલો તો ખૂબ થતી રહે છે. આંખો બહુજ દગો આપે છે. તરસ પડશે - આમને ખવડાવું, ભેટ આપું. પોતાનો સમય બહુજ વેસ્ટ કરી લે છે. માળા નાં દાણા બનવામાં ખૂબ મહેનત છે. ૮ રત્ન છે મુખ્ય. ૯ રત્ન કહે છે. એક તો બાબા, બાકી છે ૮, બાબા ની નિશાની તો જોઈએ ને વચ્ચે, કોઈ ગ્રહચારી વગેરે આવે છે તો ૯ રત્ન ની વીંટી વગેરે પહેરાવે છે. આટલાં બધા પુરુષાર્થ કરવાવાળા માંથી ૮ નીકળે છે - પાસ વિથ ઓનર્સ. ૮ રત્નો ની ખૂબ મહિમા છે. દેહ-અભિમાન માં આવવાથી કર્મેન્દ્રિયો ખૂબ દગો આપે છે. ભક્તિ માં પણ ચિંતા રહે છે ને, માથા પર પાપ ખૂબ છે - દાન-પુણ્ય કરે તો પાપ ઉતરી જાય. સતયુગ માં કોઈ ચિંતા ની વાત નથી કારણ કે ત્યાં રાવણ રાજ્ય જ નથી. ત્યાં પણ એવી વાતો હોય પછી તો નર્ક અને સ્વર્ગ માં કાંઈ ફરક જ ન રહે. તમને આટલું ઊંચ પદ મેળવવા માટે ભગવાન બેસીને ભણાવે છે. બાબા યાદ નથી આવતાં, સારું ભણાવવા વાળા શિક્ષક તો યાદ આવે છે. અચ્છા, ભલે આ યાદ કરો કે અમારા એક જ બાબા સદ્દગુરુ છે. મનુષ્યોએ આસુરી મત પર બાપ નો કેટલો તિરસ્કાર કર્યો છે. બાપ હમણાં બધા પર ઉપકાર કરે છે. આપ બાળકોએ પણ ઉપકાર કરવો જોઈએ. કોઈ પર પણ અપકાર નહીં, કુદૃષ્ટિ પણ નહીં. પોતાનું જ નુકસાન કરે છે. તે વાયબ્રેશન પછી બીજા ઉપર પણ અસર કરે છે. બાપ કહે છે ખૂબ ઊંચી મંઝિલ છે. રોજ પોતાનો પોતામેલ જુઓ - કોઈ વિકર્મ તો નથી બનાવ્યાં? આ છે જ વિકર્મી દુનિયા, વિકર્મી સંવત. વિકર્માજીત દેવતાઓ નાં સંવત ની કોઈને પણ ખબર નથી. બાપ સમજાવે છે, વિકાર્માજીત સંવત ને ૫ હજાર વર્ષ થયા પછી વિકર્મ સંવત શરુ થાય છે. રાજાઓ પણ વિકર્મ જ કરતા રહે છે, ત્યારે બાપ કહે છે કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ હું તમને સમજાવું છું. રાવણ રાજ્ય માં તમારા કર્મ વિકર્મ બની જાય છે. સતયુગ માં કર્મ અકર્મ બને છે. વિકર્મ બનતા નથી. ત્યાં વિકાર નું નામ જ નથી. આ જ્ઞાન નું ત્રીજું નેત્ર હમણાં તમને મળ્યું છે. હમણાં આપ બાળકો બાપ દ્વારા ત્રિનેત્રી-ત્રિકાળદર્શી બન્યાં છો. મનુષ્ય કોઈ બનાવી ન શકે. તમને બનાવવા વાળા છે બાપ. પહેલાં જ્યારે આસ્તિક બનો ત્યારે ત્રિનેત્રી-ત્રિકાળદર્શી બનો. આખા ડ્રામા નાં રહસ્ય બુદ્ધિ માં છે. મૂળવતન, સૂક્ષ્મવતન, ૮૪ નું ચક્ર બધું બુદ્ધિ માં છે. પછી પાછળ થી બીજા ધર્મ આવે છે. વૃદ્ધિ થતી રહે છે. તે ધર્મ સ્થાપકો ને ગુરુ નહીં કહેવાશે. સર્વ નાં સદ્દગતિ કરવા વાળા સદ્દગુરુ એક જ છે. બાકી તેઓ કોઈ સદ્દગતિ કરવા થોડી આવે છે? તેઓ ધર્મ સ્થાપક છે. ક્રાઈસ્ટ ને યાદ કરવાથી સદ્દગતિ થોડી થશે? વિકર્મ વિનાશ થોડી થશે? કાંઈ પણ નહીં. તે બધાને ભક્તિ ની લાઈન માં કહેવાશે. જ્ઞાન ની લાઈન માં ફક્ત તમે છો. તમે પન્ડા છો. બધાને શાંતિધામ, સુખધામ નો રસ્તો બતાવો છો. બાપ પણ લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) છે. એ બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે.

હમણાં આપ બાળકો પોતાનાં વિકર્મ વિનાશ કરવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે એક તરફ પુરુષાર્થ, બીજી તરફ વિકર્મ ન થતા રહે. પુરુષાર્થ ની સાથે-સાથે વિકર્મ પણ કર્યા તો સો ગુણા થઈ જશે. જેટલું થઈ શકે એટલાં વિકર્મ ન કરો. નહીં તો વધારો પણ થશે. નામ પણ બદનામ કરશો. જ્યારે જાણો છો ભગવાન આપણને ભણાવે છે તો પછી કોઈ વિકર્મ ન કરવા જોઈએ. નાની ચોરી અથવા મોટી ચોરી, પાપ તો થઈ જાય છે ને? આ આંખો ખૂબ દગો આપે છે. બાપ બાળકો ની ચલન થી સમજી જાય છે, ક્યારેય વિચાર પણ ન આવે કે આ મારી સ્ત્રી છે, આપણે બ્રહ્માકુમાર-કુમારી છીએ, શિવબાબા નાં પૌત્રા છીએ. આપણે બાબા સાથે પ્રતિજ્ઞા કરી છે, રાખડી બાંધી છે, પછી આંખો કેમ દગો આપે છે? યાદ નાં બળ થી કોઈ પણ કર્મેન્દ્રિયો નાં દગા થી છૂટી શકો છો. ખૂબ મહેનત જોઈએ. બાપ નાં ડાયરેક્શન પર અમલ કરી ચાર્ટ લખો. સ્ત્રી-પુરુષ પણ પરસ્પર આ વાતો કરો - આપણે તો બાબા પાસે થી પૂરો વારસો લઈશું, શિક્ષક પાસે થી પૂરું ભણીશું. આવાં શિક્ષક ક્યારેય મળી ન શકે, જે બેહદ ની નોલેજ આપે. લક્ષ્મી-નારાયણ જ નથી જાણતા તો તેમની પાછળ આવવાવાળા કેવી રીતે જાણી શકે? બાપ કહે છે આ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન ફક્ત તમે જાણો છો સંગમ પર. બાબા ખૂબ સમજાવે છે - આ કરો, આમ કરો. પછી અહીં થી ઉઠ્યાં તો ખલાસ. આ નથી સમજતા કે શિવબાબા આપણને કહે છે. હંમેશા સમજો શિવબાબા કહે છે, એમનો ફોટો પણ ન રાખો. આ રથ તો લોન લીધેલો છે. આ પણ પુરુષાર્થી છે, આ પણ કહે છે હું બાબા પાસે થી વારસો લઈ રહ્યો છું. તમારી જેમ આ પણ સ્ટુડન્ટ લાઈફ માં છે. આગળ જતા તમારી મહિમા થશે. હમણાં તો તમે પૂજ્ય દેવતા બનવા માટે ભણો છો. પછી સતયુગ માં તમે દેવતા બનશો. આ બધી વાતો બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. તકદીર માં નથી તો સંશય ઉઠે છે - શિવબાબા કેવી રીતે આવીને ભણાવશે? હું નથી માનતો. માનતા નથી તો પછી શિવબાબા ને યાદ પણ કેવી રીતે કરશે? વિકર્મ વિનાશ થઈ નહીં શકે. આ આખી નંબરવાર રાજધાની સ્થાપન થઈ રહી છે. દાસ-દાસીઓ પણ તો જોઈએ ને? રાજાઓ ને દાસીઓ પણ દહેજ માં મળે છે. અહીં જ આટલી દાસીઓ રાખે છે તો સતયુગ માં કેટલી હશે? એવો થોડી ઢીલો પુરુષાર્થ કરવો જોઈએ જે દાસ-દાસી જઈને બનીએ! બાબા ને પૂછી શકો છો - બાબા, હમણાં મરી જઈએ તો શું પદ મળશે? બાબા ઝટ બતાવી દેશે. પોતાનો પોતામેલ પોતે જ જુઓ. અંત માં નંબરવાર કર્માતીત અવસ્થા થઈ જવાની છે. આ છે સાચ્ચી કમાણી. તે કમાણી માં રાત-દિવસ કેટલાં બીઝી (વ્યસ્ત) રહે છે. સટ્ટા વાળા જે હોય છે તે એક હાથે થી ખાવાનું ખાય છે, બીજા હાથે થી ફોન પર કારોબાર ચલાવતા રહે છે. હવે બતાવો આવાં વ્યક્તિ જ્ઞાન માં ચાલી શકશે? કહે છે અમને ફૂરસદ ક્યાં? અરે, સાચ્ચી રાજાઈ મળે છે. બાપ ને ફક્ત યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. અષ્ટ (ઈષ્ટ) દેવતા વગેરે ને પણ યાદ કરે છે ને? એમની યાદ થી તો કાંઈ પણ મળતું નથી. બાબા ઘડી-ઘડી દરેક વાત પર સમજાવતા રહે છે. જે પછી એવું કોઈ ન કહે કે ફલાણી વાત પર તો સમજાવ્યું નહીં. આપ બાળકોએ પૈગામ (સંદેશ) પણ બધાને આપવાનો છે. એરોપ્લેન (વિમાન) થી પણ પરચા નાખવા માટે કોશિશ કરવી જોઈએ. એમાં લખો શિવબાબા આવું કહે છે. બ્રહ્મા પણ શિવબાબા નું બાળક છે. પ્રજાપિતા છે તો એ પણ બાપ, આ પણ બાપ. શિવબાબા કહેવાથી પણ ઘણાં બાળકો ને પ્રેમ નાં આંસુ આવી જાય છે. ક્યારેય જોયા પણ નથી. લખે છે બાબા ક્યારે આવીને તમને મળીશું? બાબા, બંધન થી છોડાવો. અનેક ને બાબા નો, પછી પ્રિન્સ (રાજકુમાર) નો પણ સાક્ષાત્કાર થાય છે. આગળ જતા અનેક ને સાક્ષાત્કાર થશે તો પણ પુરુષાર્થ તો કરવો પડે. મનુષ્ય ને મરતી વખતે પણ કહે છે ભગવાન ને યાદ કરો. તમે પણ જોશો અંત માં ખૂબ પુરુષાર્થ કરશે. યાદ કરવા લાગશે.

બાપ સલાહ આપે છે - બાળકો, જે સમય મળે એમાં પુરુષાર્થ કરી મેકઅપ કરી લો (આગળ વધી જાઓ). બાપ ની યાદ માં રહી વિકર્મ વિનાશ કરો તો પાછળ આવીને પણ આગળ જઈ શકો છો. જેમ ટ્રેન મોડી હોય છે તો મેકઅપ કરી લે છે ને? તમને પણ અહીં સમય મળે છે તો મેકઅપ કરી લો. અહીં આવીને કમાણી કરવા લાગી જાઓ. બાબા સલાહ પણ આપે છે - આમ-આમ કરો, પોતાનું કલ્યાણ કરો. બાપ ની શ્રીમત પર ચાલો. એરોપ્લેન થી પરચા નાખો, જે મનુષ્ય સમજે કે આ તો બરાબર ઠીક સંદેશ આપતા રહે છે. ભારત કેટલું મોટું છે, બધાને ખબર પડવી જોઈએ જે પછી એવું ન કહે કે બાબા અમને તો ખબર જ ન પડી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સેન્સિબલ (સમજદાર) બની પોતાની તપાસ કરવાની છે કે આંખો દગો તો નથી આપતી. કોઈ પણ કર્મેન્દ્રિય નાં વશ થઈ ઉલ્ટા કર્મ નથી કરવાનાં. યાદ નાં બળ થી કર્મેન્દ્રિયો નાં દગા થી છૂટવાનું છે.

2. આ સાચ્ચી કમાણી માટે સમય કાઢવાનો છે, છેલ્લે આવીને પણ પુરુષાર્થ થી મેકઅપ કરી લેવાનું છે. આ વિકર્મ વિનાશ કરવાનો સમય છે એટલે કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
બાળક સો માલિક નાં પાઠ દ્વારા નિરહંકારી અને નિરાકારી ભવ

બાળક બનવું અર્થાત્ હદ નાં જીવન નું પરિવર્તન થવું. કોઈ કેટલાં પણ મોટા દેશ નાં માલિક હોય, ધન તથા પરિવાર નાં માલિક હોય પરંતુ બાપ ની આગળ બધા બાળક છે. તમે બ્રાહ્મણ બાળકો પણ બાળક બનો છો તો બેફિકર બાદશાહ અને ભવિષ્ય માં વિશ્વ નાં માલિક બનો છો. “બાળક સો માલિક છું” - આ સ્મૃતિ સદા નિરહંકારી-નિરાકારી સ્થિતિ નો અનુભવ કરાવે છે. બાળક અર્થાત્ બાળક બનવું એટલે માયા થી બચી જવું.

સ્લોગન :-
પ્રસન્નતા જ બ્રાહ્મણ જીવન ની પર્સનાલિટી છે - તો સદા પ્રસન્નચિત્ત રહો.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

જે કાર્ય આજ નાં અનેક પદમપતિ નથી કરી શકતા તે તમારો એક સંકલ્પ આત્મા ને પદમાપદમપતિ બનાવી શકે છે એટલે શ્રેષ્ઠ સંકલ્પ ની શક્તિ જમા કરો. શ્રેષ્ઠ સંકલ્પ ની શક્તિ ને એવી સ્વચ્છ બનાવો જે જરા પણ વ્યર્થ ની અસ્વચ્છતા પણ ન આવે ત્યારે આ શક્તિ કમાલ નું કાર્ય કરશે.