18-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાની ઉપર પોતે જ રહેમ કરો , બાપ જે શ્રીમત આપે છે તેનાં પર ચાલતાં રહો , બાપ ની
શ્રીમત છે - બાળકો , સમય વેસ્ટ ન કરો , સુલ્ટા ( સીધા ) કાર્ય કરો”
પ્રશ્ન :-
જે તકદીરવાન બાળકો છે, એમની મુખ્ય ધારણા કઈ હશે?
ઉત્તર :-
તકદીરવાન બાળકો સવારે-સવારે ઉઠીને બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરશે. બાબા સાથે
મીઠી-મીઠી વાતો કરશે. ક્યારેય પણ પોતાનાં ઉપર બેરહેમી નહીં કરશે. તેઓ પાસ વિથ્ ઓનર
બનવાનો પુરુષાર્થ કરી સ્વયં ને રાજાઈ ને લાયક બનાવશે.
ઓમ શાંતિ!
બાળકો બાપ ની
સામે બેઠાં છે તો જાણે છે કે આપણા બેહદ નાં બાપ છે અને આપણને બેહદ નું સુખ આપવા માટે
શ્રીમત આપી રહ્યાં છે. તેમનાં માટે જ ગવાય છે - રહેમદિલ, લિબરેટર (મુક્તિદાતા)… ખૂબ
મહિમા કરે છે. બાપ કહે છે ફક્ત મહિમા ની પણ વાત નથી. બાપ ની તો ફરજ છે બાળકો ને મત
આપવી. બેહદ નાં બાપ પણ મત આપે છે. ઊંચા માં ઊંચા બાપ છે તો જરુર એમની મત પણ ઊંચા
માં ઊંચી હશે. મત લેવા વાળો આત્મા છે, સારું કે ખરાબ કામ આત્મા જ કરે છે. આ સમયે
દુનિયા ને મળે છે રાવણ ની મત. આપ બાળકો ને મળે છે રામ ની મત. રાવણ ની મત થી બેરહેમ
થઈ ઉલ્ટા કામ કરે છે. બાપ મત આપે છે સુલ્ટા સારા કાર્ય કરો. સૌથી સારું કાર્ય પોતાની
ઉપર રહેમ કરો. તમે જાણો છો આપણે આત્મા સતોપ્રધાન હતાં, ખૂબ સુખી હતાં પછી રાવણ ની
મત મળવાથી તમે તમોપ્રધાન બની ગયા છો. હવે પછી બાપ મત આપે છે કે એક તો બાપ ની યાદ
માં રહો. હવે પોતાનાં પર રહેમ કરો, આ મત આપે છે. બાપ રહેમ નથી કરતાં. બાપ તો શ્રીમત
આપે છે આમ-આમ કરો. પોતાની ઉપર પોતે જ રહેમ કરો. પોતાને ને આત્મા સમજી અને પોતાનાં
પતિત-પાવન બાપ ને યાદ કરો તો તમે પાવન બની જશો. બાપ સલાહ આપે છે, તમે પાવન કેવી રીતે
બનશો. બાપ જ પતિત ને પાવન બનાવવા વાળા છે. એ શ્રીમત આપે છે. જો એમની મત પર નથી ચાલતાં
તો પોતાની ઉપર બેરહમ થાય છે. બાપ શ્રીમત આપે છે કે બાળકો સમય વેસ્ટ ન કરો. આ પાઠ
પાક્કો કરી લો કે આપણે આત્મા છીએ. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે ભલે કરો છતાં પણ
સમય કાઢી યુક્તિ રચો. કામ કરતા આત્મા ની બુદ્ધિ બાપ તરફ હોવી જોઈએ. જેમ આશિક-માશૂક
પણ કામ તો કરે છે ને? બંને એક-બીજા ઉપર આશિક હોય છે. અહીં એવું નથી. તમે ભક્તિ
માર્ગ માં પણ યાદ કરો છો. ઘણાં કહે છે કેવી રીતે યાદ કરીએ? આત્મા નું, પરમાત્મા નું
રુપ શું છે, જે યાદ કરીએ? કારણકે ભક્તિ માર્ગ માં તો ગવાય છે કે પરમાત્મા નામ-રુપ
થી ન્યારા છે. પરંતુ એવું નથી. કહે પણ છે ભ્રકુટી ની વચ્ચે આત્મા સ્ટાર જેવો છે પછી
કેમ કહે છે કે આત્મા શું છે, તેને જોઈ ન શકાય. એ તો છે જ જાણવાની ચીજ. આત્મા ને જાણી
શકાય છે, પરમાત્મા ને પણ જાણી શકાય છે. એ અતિ સૂક્ષ્મ ચીજ છે. ફાયરફ્લાઈ કરતાં પણ
સૂક્ષ્મ છે. શરીર માંથી કેવી રીતે નીકળી જાય છે, ખબર પણ નથી પડતી. આત્મા છે,
સાક્ષાત્કાર થાય છે. આત્મા નો સાક્ષાત્કાર થયો તો શું? તે તો સ્ટાર જેવો સૂક્ષ્મ
છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. જેમ આત્મા, એમ પરમાત્મા પણ સોલ (આત્મા)
છે. પરંતુ પરમાત્મા ને કહેવાય છે - સુપ્રિમ સોલ (સર્વોચ્ચ આત્મા). એ જન્મ-મરણ માં
નથી આવતાં. આત્મા ને સુપ્રિમ ત્યારે કહેવાય જ્યારે જન્મ-મરણ રહિત હોય. બાકી
મુક્તિધામ માં તો બધાએ પવિત્ર બનીને જવાનું છે. એમાં પણ નંબરવાર છે, જેમનો
હીરો-હિરોઈન નો પાર્ટ છે. આત્માઓ નંબરવાર તો છે ને? નાટક માં પણ કોઈ ખૂબ પગાર વાળા,
કોઈ ઓછા વાળા હોય છે. લક્ષ્મી-નારાયણ નાં આત્મા ને મનુષ્ય આત્માઓ માં સુપ્રિમ
કહેવાશે. ભલે પવિત્ર તો બધા બને છે તો પણ નંબરવાર પાર્ટ છે. કોઈ મહારાજા, કોઈ દાસી,
કોઈ પ્રજા, તમે એક્ટર્સ છો. જાણો છો આટલાં બધા દેવતાઓ નંબરવાર છે. સારો પુરુષાર્થ
કરશે, ઊંચ આત્મા બનશે, ઊંચું પદ મેળવશે. તમને સ્મૃતિ આવી છે આપણે ૮૪ જન્મ કેવી રીતે
લીધાં? હવે બાપ ની પાસે જવાનું છે. બાળકો ને આ ખુશી પણ છે તો ફખુર (નશો) પણ છે. બધા
કહે છે અમે નર થી નારાયણ વિશ્વ નાં માલિક બનીશું. પછી તો એવો પુરુષાર્થ કરવો પડે.
પુરુષાર્થ અનુસાર નંબરવાર પદ મેળવે છે. બધાને નંબરવાર પાર્ટ મળેલો છે. આ ડ્રામા
પૂર્વ નિર્ધારિત છે.
હમણાં બાપ તમને
શ્રેષ્ઠ મત આપે છે. કાંઈ પણ કરીને બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય, તો તમે
તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ. પાપો નો બોજો તો માથા પર ખૂબ છે. તેને કેમ રીતે પણ
કરી ને અહીં ખલાસ કરવાનો છે ત્યારે આત્મા પવિત્ર બનશે. તમોપ્રધાન પણ તમે આત્મા બન્યાં
છો તો સતોપ્રધાન પણ આત્માએ બનવાનું છે. આ સમયે વધારે ઇનસોલવેન્ટ (કંગાળ) ભારત છે. આ
ખેલ જ ભારત પર છે. બાકી તેઓ તો ફક્ત ધર્મ સ્થાપન કરવા આવે છે. પુનર્જન્મ લેતાં-લેતાં
અંત માં બધા તમોપ્રધાન બને છે. સ્વર્ગ નાં માલિક તમે બનો છો. જાણો છો ભારત ખૂબ ઊંચો
દેશ છે. હમણાં કેટલો ગરીબ છે, ગરીબ ને જ બધા મદદ આપે છે. દરેક વાત ની ભીખ માંગતા જ
રહે છે. પહેલાં તો ખૂબ અનાજ અહીં થી જતું હતું. હમણાં ગરીબ બન્યાં છે તો પછી રિટર્ન
સર્વિસ થઈ રહી છે. જે લઈ ગયા છે તે ઉધાર મળી રહ્યું છે. કૃષ્ણ અને ક્રિશ્ચન રાશિ એક
જ છે. ક્રિશ્ચને જ ભારત ને હપ કર્યું છે. હવે ફરી ડ્રામા અનુસાર તે પરસ્પર લડે છે,
માખણ આપ બાળકો ને મળી જાય છે. એવું નથી કે શ્રીકૃષ્ણ નાં મુખ માં માખણ હતું. આ તો
શાસ્ત્રો માં લખી દીધું છે. આખી દુનિયા શ્રીકૃષ્ણ નાં હાથ માં આવે છે. આખા વિશ્વ
નાં તમે માલિક બનો છો. આપ બાળકો જાણો છો આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ તો તમને
કેટલી ખુશી થવી જોઈએ? તમારા કદમ-કદમ માં પદમ છે. ફક્ત એક લક્ષ્મી-નારાયણ નું રાજ્ય
નહોતું. ડિનાયસ્ટી (રાજધાની) હતી ને? યથા રાજા-રાણી તથા પ્રજા-બધા નાં પગ માં પદમ
છે. ત્યાં તો અગણિત પૈસા હોય છે. પૈસા માટે કોઈ પાપ વગેરે નથી કરતાં, અથાહ ધન હોય
છે. અલ્લાહ અવલદીન ની રમત દેખાડે છે ને? અલ્લાહ જે અવલદીન અર્થાત્ જે દેવી-દેવતા
ધર્મ સ્થાપન કરે છે. સેકન્ડ માં જીવનમુક્તિ આપી દે છે. સેકન્ડ માં સાક્ષાત્કાર થઈ
જાય છે. કારુન નો ખજાનો દેખાડે છે. મીરા શ્રીકૃષ્ણ સાથે સાક્ષાત્કાર માં ડાન્સ (નૃત્ય)
કરતી હતી. તે હતો ભક્તિમાર્ગ. અહીં ભક્તિ માર્ગ ની વાત નથી. તમે તો વૈકુંઠ માં
પ્રેક્ટિકલ માં જઈને રાજ્ય-ભાગ્ય કરશો. ભક્તિ માર્ગ માં ફક્ત સાક્ષાત્કાર થાય છે. આ
સમયે આપ બાળકો ને મુખ્ય-ઉદ્દેશ નો સાક્ષાત્કાર થાય છે, જાણો છો અમે આ બનીશું. બાળકો
ને ભૂલાઈ જાય છે, એટલે બેજ અપાય છે. હવે આપણે બેહદ નાં બાપ નાં બાળક બન્યાં છીએ.
કેટલી ખુશી થવી જોઈએ? આ તો ઘડી-ઘડી પાક્કું કરી દેવું જોઈએ. પરંતુ માયા અપોઝિશન (વિરોધ)
માં છે તો તે ખુશી પણ ઉડી જાય છે. બાપ ને યાદ કરતા રહેશો તો નશો રહેશે - બાબા આપણ
ને વિશ્વ નાં માલિક બનાવે છે. પછી માયા ભુલાવી દે છે તો પછી કાંઈ ને કાંઈ વિકર્મ થઈ
જાય છે. આપ બાળકો ને સ્મૃતિ આવી છે - આપણે ૮૪ જન્મ લીધાં છે, બીજા કોઈ ૮૪ જન્મ નથી
લેતાં. આ પણ સમજવાનું છે - જેટલાં આપણે યાદ કરીશું એટલું ઊંચ પદ મેળવીશું અને પછી
આપ સમાન પણ બનાવવાનાં છે, પ્રજા બનાવવાની છે. ચેરિટી બિગેન્સ એટ હોમ. તીર્થો પર પણ
પહેલાં પોતે જાય છે પછી મિત્ર-સંબંધીઓ વગેરેને પણ સાથે લઈ જાય છે. તો તમે પણ પ્રેમ
થી બધા ને સમજાવો. બધા નહીં સમજશે. એક જ ઘર માં બાપ સમજશે તો બાળક નહીં સમજશે. મા-બાપ
કેટલું પણ બાળકો ને કહેશે જૂની દુનિયા થી દિલ નહીં લગાવો છતાં પણ માનશે નહીં. હેરાન
કરી દે છે. જે અહીં નું સેપલિંગ (કલમ) હશે એ જ પછી આવીને સમજશે. આ ધર્મ ની સ્થાપના
જુઓ કેવી રીતે થાય છે, બીજા ધર્મવાળાઓ ની સેપલિંગ નથી લાગતી. તે તો ઉપર થી આવે છે.
તેમનાં ફોલોઅર્સ (અનુયાયી) પણ આવતા રહે છે. આ તો સ્થાપના કરે છે અને પછી બધાને પાવન
બનાવીને લઈ જાય છે એટલે એમને સદ્દગુરુ લિબરેટર (મુક્તિદાતા) કહેવાય છે. સાચાં ગુરુ
એક જ છે. મનુષ્ય ક્યારેય કોઈની સદ્દગતિ નથી કરતાં. સદ્દગતિ દાતા છે જ એક, એમને જ
સદ્દગુરુ કહેવાય છે. ભારત ને સચખંડ પણ એ બનાવે છે. રાવણ જુઠખંડ બનાવી દે છે. બાપ
માટે પણ જુઠ્ઠું, દેવતાઓ માટે પણ જુઠ્ઠું કહી દે છે. ત્યારે બાપ કહે છે હિયર નો
ઈવિલ… આને કહેવાય છે વૈશ્યાલય. સતયુગ છે શિવાલય. મનુષ્ય સમજે થોડી છે? તે તો પોતાની
મત પર જ ચાલે છે. કેટલું લડવા-ઝઘડવાનું ચાલતું રહે છે. બાળકો મા ને, પતિ સ્ત્રી ને
મારવા માં વાર નથી કરતાં. એક-બીજા ને કાપતા રહે છે. બાળક જુએ છે બાપ ની પાસે ખૂબ ધન
છે, આપતા નથી તો મારવામાં પણ વાર નથી કરતાં. કેવી ગંદી દુનિયા છે! હમણાં તમે શું બની
રહ્યાં છો? આ તમારો મુખ્ય-ઉદ્દેશ છે. તમે તો ફક્ત કહેતાં હતાં હે પતિત-પાવન આવીને
અમને પાવન બનાવો. એવું થોડી કહેતાં હતાં કે વિશ્વ નાં માલિક બનાવો. ગોડ ફાધર તો
હેવન સ્થાપન કરે છે તો આપણે હેવન માં કેમ નથી? પછી રાવણ તમને નર્કવાસી બનાવે છે.
કલ્પ ની આયુ લાખો વર્ષ કહી દેવાથી ભૂલી ગયા છે. બાપ કહે છે તમે હેવન નાં માલિક હતાં.
હવે ફરી ચક્ર લગાવી હેલ નાં માલિક બન્યાં છો. હમણાં ફરી બાપ તમને હેવન નાં માલિક
બનાવે છે. કહે છે મીઠાં આત્માઓ, બાળકો બાપ ને યાદ કરો તો તમે તમોપ્રધાન થી
સતોપ્રધાન બની જશો. તમોપ્રધાન બનવામાં અડધોકલ્પ લાગ્યો છે, આમ તો આખો જ કલ્પ કહો
કારણ કે કળા તો ઓછી થતી જાય છે. આ સમયે કોઈ કળા નથી. કહે છે મુજ નિર્ગુણ હારે મેં
કોઈ ગુણ નાહીં, આનો અર્થ કેટલો ક્લિયર (સ્પષ્ટ) છે. અહીં પછી નિર્ગુણ બાળક ની સંસ્થા
પણ છે. બાળકો માં કોઈ ગુણ નથી. નહીં તો બાળક ને મહાત્મા કરતાં પણ ઊંચ કહેવાય છે,
તેમને વિકારો ની પણ ખબર નથી. મહાત્માઓ ને તો વિકારો ની ખબર રહે છે તો શબ્દ પણ કેટલાં
રોંગ (ખોટા) બોલે છે. માયા બિલકુલ અનરાઈટીયસ (અસત્ય) બનાવી દે છે. ગીતા વાંચે પણ
છે, કહે પણ છે ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે, આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવાવાળું છે તો
પણ પવિત્ર બનવામાં કેટલાં વિઘ્ન નાંખે છે. બાળક લગ્ન નથી કરતો તો કેટલાં બગડે છે.
બાપ કહે છે આપ બાળકો એ શ્રીમત પર ચાલવાનું છે. જે ફૂલ બનવાનાં નહીં હોય, કેટલું પણ
સમજાવો ક્યારેય નહીં માનશે. ક્યાંક બાળકો કહે છે અમે લગ્ન નહીં કરશું તો મા-બાપ
કેટલાં અત્યાચાર કરે છે!
બાપ કહે છે જ્યારે
જ્ઞાન યજ્ઞ રચું છું તો અનેક પ્રકાર નાં વિધ્ન પડે છે. ત્રણ પગ પૃથ્વી નાં પણ નથી
આપતાં. તમે ફક્ત બાપ ની મત પર યાદ કરી પવિત્ર બનો છો, બીજી કોઈ તકલીફ નથી. ફક્ત
સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. જેમ આપ આત્માઓ આ શરીર માં અવતરિત છો તેમ બાપ
પણ અવતરિત છે. પછી કચ્છ અવતાર, મચ્છ અવતાર કેવી રીતે હોઈ શકે? કેટલી ગાળો આપે છે!
કહે છે કાંકરા-કાંકરા માં ભગવાન છે. બાપ કહે છે મારી અને દેવતાઓ ની ગ્લાનિ કરે છે.
મારે આવવું પડે છે, આવીને આપ બાળકો ને ફરી થી વારસો આપું છું. હું વારસો આપું છું,
રાવણ શ્રાપ આપે છે. આ ખેલ છે. જે શ્રીમત પર નથી ચાલતાં તો સમજાય છે એમની તકદીર એટલી
ઊંચી નથી. તકદીર વાળા સવારે-સવારે ઉઠીને યાદ કરશે, બાબા સાથે વાતો કરશે. સ્વયં ને
આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. ખુશી નો પારો પણ ચઢશે. જે પાસ વિથ્
ઓનર થાય છે એ જ રાજાઈ ને લાયક બની શકે છે. ફક્ત એક લક્ષ્મી-નારાયણ નથી રાજ્ય કરતાં.
ડિનાયસ્ટી (રાજધાની) છે. હવે બાપ કહે છે તમે કેટલાં સ્વચ્છ બુદ્ધિ બનો છો. આને
કહેવાય છે સત્સંગ. સત્સંગ એક જ હોય છે. જે બાપ સાચ્ચી-સાચ્ચી નોલેજ આપી સચખંડ નાં
માલિક બનાવે છે. કલ્પ નાં સંગમ પર જ સત્ નો સંગ મળે છે. સ્વર્ગ માં કોઈ પણ પ્રકાર
નો સત્સંગ હોતો નથી.
હમણાં તમે છો રુહાની
સેલવેશન આર્મી (મુક્તિ આપનાર સૈનિક). તમે વિશ્વ નો બેડો પાર કરો છો. તમને સેલવેજ (મુક્ત)
કરવા વાળા, શ્રીમત આપવા વાળા બાપ છે. તમારી મહિમા ખૂબ ઊંચી છે. બાપ ની મહિમા, ભારત
ની મહિમા અપરંઅપાર છે. આપ બાળકો ની પણ મહિમા અપરંઅપાર છે. તમે બ્રહ્માંડ નાં પણ અને
વિશ્વ નાં પણ માલિક બનો છો. હું તો ફક્ત બ્રહ્માંડ નો માલિક છું. પૂજા પણ તમારી ડબલ
થાય છે. હું તો દેવતા નથી બનતો જે ડબલ પૂજા થાય. તમારા માં પણ નંબરવાર સમજે છે અને
ખુશી માં આવીને પુરુષાર્થ કરે છે. ભણતર માં ફરક કેટલો છે? સતયુગ માં લક્ષ્મી-નારાયણ
નું રાજ્ય ચાલે છે. ત્યાં વજીર હોતાં નથી. લક્ષ્મી-નારાયણ, જેમને ભગવાન-ભગવતી કહે
છે તે પછી વજીર ની સલાહ લેશે શું? જ્યારે પતિત રાજાઓ બને છે ત્યારે પછી વજીર વગેરે
રાખે છે. હમણાં તો છે પ્રજા નું પ્રજા પર રાજ્ય. આપ બાળકો ને આ જૂની દુનિયા થી
વૈરાગ છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ. જ્ઞાન ફક્ત રુહાની બાપ શીખવાડે છે બીજા કોઈ શીખવાડી
ન શકે. બાપ જ પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ની યાદ
ની સાથે-સાથે આપ સમાન બનાવવાની સેવા પણ કરવાની છે. ચેરીટી બિગેન્સ એટ હોમ… બધાને
પ્રેમ થી સમજાવવાનું છે.
2. આ જૂની દુનિયા થી
બેહદ નાં વૈરાગી બનવાનું છે. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… એ બેહદ બાપ નાં બાળક છીએ, એ
આપણને કારુન નો ખજાનો આપે છે, એ જ ખુશી માં રહેવાનું છે.
વરદાન :-
દરેક સંકલ્પ ,
બોલ અને કર્મ ને ફળદાયક બનાવવા વાળા રુહાની પ્રભાવશાળી ભવ
જ્યારે પણ કોઈ નાં
સંપર્ક માં આવો છો તો એમનાં પ્રત્યે મન ની ભાવના સ્નેહ, સહયોગ અને કલ્યાણ ની
પ્રભાવશાળી હોય. દરેક બોલ કોઈને હિંમત, ઉલ્લાસ આપવાનાં પ્રભાવશાળી હોય. સાધારણ
વાત-ચીત માં સમય ન ચાલ્યો જાય. એવી રીતે જ દરેક કર્મ ફળદાયક હોય - ભલે સ્વ પ્રત્યે
કે બીજા પ્રત્યે. પરસ્પર પણ દરેક રુપ માં પ્રભાવશાળી બનો. સેવા માં રુહાની
પ્રભાવશાળી બનો. ત્યારે બાપ ને પ્રત્યક્ષ કરવાનાં નિમિત્ત બની શકશો.
સ્લોગન :-
એવાં શુભચિંતક
મણિ બનો જે તમારા કિરણો વિશ્વ ને રોશન કરતા રહે.
અવ્યક્ત ઈશારા -
સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો
સમય પ્રમાણે શીતળતા
ની શક્તિ દ્વારા દરેક પરિસ્થિતિ માં પોતાનાં સંકલ્પો ની ગતિ ને, બોલ ને શીતળ અને
ધૈર્યવત બનાવો. જો સંકલ્પ ની સ્પીડ ફાસ્ટ હશે તો ઘણો સમય વ્યર્થ જશે, કંટ્રોલ નહીં
કરી શકશો એટલે શીતળતા ની શક્તિ ધારણ કરી લો તો વ્યર્થ થી બચી જશો. આ કેમ, શું, આવું
નહીં તેવું, આ વ્યર્થ ની ફાસ્ટ ગતિ થી છૂટી જશો.