19-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હમણાં
તમે ઈશ્વરીય સંતાન બન્યાં છો , તમારા માં કોઇ આસુરી ગુણ ન હોવાં જોઈએ , પોતાની
ઉન્નતિ કરવાની છે , ગફલત નથી કરવાની”
પ્રશ્ન :-
આપ સંગમયુગી બ્રાહ્મણ બાળકો ને કયો નિશ્ચય અને નશો છે?
ઉત્તર :-
આપણને બાળકોને નિશ્ચય અને નશો છે કે હમણાં આપણે ઈશ્વરીય સંપ્રદાય નાં છીએ. આપણે
સ્વર્ગવાસી વિશ્વ નાં માલિક બની રહ્યાં છીએ. સંગમ પર આપણે ટ્રાન્સફર થઇ રહ્યાં છીએ.
આસુરી સંતાન થી ઈશ્વરીય સંતાન બની ૨૧ જન્મોનાં માટે સ્વર્ગવાસી બનીએ છીએ, આનાથી ઉંચી
કોઈ વસ્તુ હોતી નથી.
ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો
ને સમજાવે છે, વધારે કરીને મનુષ્ય શાંતિ ને પસંદ કરે છે. ઘર માં જો બાળકો ની
ખિટ-ખિટ છે, તો અશાંતિ રહે છે. અશાંતિ થી દુઃખ ભાસે છે. શાંતિ થી સુખ ભાસે છે. અહીં
આપ બાળકો બેઠા છો, તમને સાચ્ચી શાંતિ છે. તમને કહેલું છે બાપ ને યાદ કરો. પોતાને
આત્મા સમજો. આત્મા માં જે અડધાકલ્પ થી અશાંતિ છે, તે નીકળવાની છે શાંતિ નાં સાગર
બાપ ને યાદ કરવાથી. તમને શાંતિ નો વારસો મળી રહ્યો છે. આ પણ તમે જાણો છો શાંતિ ની
દુનિયા અને અશાંતિ ની દુનિયા બિલકુલ અલગ છે. આસુરી દુનિયા, ઈશ્વરીય દુનિયા, સતયુગ,
કળયુગ કોને કહેવાય છે? આ કોઈ મનુષ્ય માત્ર નથી જાણતાં. તમે કહેશો અમે પણ નહોતા જાણતાં.
ભલે કેટલી પણ પોઝિશન (પદ) વાળા હતાં. પૈસા વાળા ને પોઝિશન વાળા કહેવાય છે. ગરીબ અને
સાહૂકાર સમજી તો શકાય છે ને? તેમ તમે પણ સમજી શકો છો બરાબર ઈશ્વરીય સંતાન અને આસુરી
સંતાન. હમણાં આપ મીઠાં બાળકો સમજો છો અમે ઈશ્વરીય સંતાન છીએ. આ પાક્કો નિશ્ચય છે
ને? તમે બ્રાહ્મણ સમજો છો અમે ઈશ્વરીય સંપ્રદાય સ્વર્ગવાસી વિશ્વનાં માલિક બની રહ્યા
છીએ. દરેક સમયે તે ખુશી રહેવી જોઈએ. ખુબ જ થોડા છે જે યથાર્થ રીતે સમજે છે. સતયુગ
માં છે ઇશ્વરીય સંપ્રદાય. કળયુગ માં છે આસુરી સંપ્રદાય. પુરુષોત્તમ સંગમયુગ પર આસુરી
સંપ્રદાય બદલી થાય છે. હમણાં આપણે શિવબાબા નાં સંતાન બન્યાં છીએ. વચ્ચે ભૂલી ગયા હતાં.
હમણાં ફરી આ સમયે જાણ્યું છે કે આપણે શિવબાબા નાં સંતાન છીએ. ત્યાં સતયુગ માં કોઈ
પોતાને ઈશ્વરીય સંતાન નથી કહેતાં. ત્યાં છે દૈવી સંતાન. એનાં પહેલાં આપણે આસુરી
સંતાન હતાં. હમણાં ઈશ્વરીય સંતાન બન્યાં છીએ. આપણે બ્રાહ્મણ બી.કે. છીએ. રચના છે એક
બાપ ની. તમે બધા ભાઈ-બહેન છો અને ઈશ્વરીય સંતાન છો. તમે જાણો છો બાબા થી રાજ્ય મળી
રહ્યું છે. ભવિષ્ય માં જઈને અમે દૈવી સ્વરાજ્ય મેળવીશું, સુખી હોઈશું. બરાબર સતયુગ
છે સુખ નું ધામ, કળિયુગ છે દુઃખધામ. આ ફક્ત તમે સંગમયુગી બ્રાહ્મણ જાણો છો. આત્મા જ
ઈશ્વરીય સંતાન છે. આ પણ જાણો છો બાબા સ્વર્ગની સ્થાપના કરે છે. એ રચતા છે ને? નર્ક
નાં ક્રિયેટર (રચયિતા) તો નથી. એને કોણ યાદ કરશે. આપ મીઠાં-મીઠાં બાળકો જાણો છો -
બાપ સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છે. એ આપણા ખુબ મીઠાં બાપ છે. આપણને ૨૧ જન્મો નાં
માટે સ્વર્ગવાસી બનાવે છે, આનાંથી ભારે વસ્તુ કોઈ હોતી નથી. આ સમજ રાખવી જોઈએ. આપણે
ઈશ્વરીય સંતાન છીએ, તો આપણા માં કોઇ આસુરી અવગુણ હોવાં ન જોઈએ. પોતાની ઉન્નતિ કરવાની
છે. સમય બાકી થોડો છે, આમાં ગફલત ન કરવી જોઈએ. ભૂલી નહીં જાઓ. જુઓ છો બાપ સન્મુખ
બેઠા છે, જેમનાં આપણે સંતાન છીએ. આપણે ઈશ્વર બાપ પાસે થી ભણી રહ્યાં છીએ દૈવી સંતાન
બનવા માટે, તો કેટલી ખુશી હોવી જોઈએ! બાબા ફક્ત કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ
થઈ જાય. બાપ આવ્યાં જ છે બધાને લઈ જવાં. જેટલું-જેટલું યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ
થશે. અજ્ઞાન માં જેમ કન્યા ની સગાઈ થાય છે તો યાદ બિલકુલ છપાઈ જાય છે. બાળક જન્મ્યો
અને યાદ છપાઈ જાય છે. આ યાદ તો સ્વર્ગ માં પણ છપાઈ જાય, નર્ક માં પણ છપાઈ જાય. બાળક
કહેશે આ મારા પિતા છે, હવે આ તો છે બેહદ નાં બાપ. જેમનાં થી સ્વર્ગ નો વારસો મળે છે
તો એમની યાદ છપાઈ જવી જોઈએ. બાપ પાસેથી આપણે ભવિષ્ય ૨૧ જન્મો નો ફરીથી વારસો લઇ
રહ્યાં છીએ. બુદ્ધિ માં વારસો જ યાદ છે.
આ પણ જાણો છો મરવાનું
તો બધાએ છે. એક પણ રહેવાનો નથી જે પણ ડીયરેસ્ટ થી ડીયરેસ્ટ (પ્રિય થી પ્રિય) છે, બધા
ચાલ્યા જશે. આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો કે આ જૂની દુનિયા હવે ગઈ કે ગઈ. એનાં
જવાના પહેલાં પૂરો પુરુષાર્થ કરવાનો છે. જ્યારે કે ઈશ્વરીય સંતાન છીએ તો અથાહ ખુશી
હોવી જોઈએ! બાપ કહેતા રહે છે - બાળકો, પોતાનું જીવન હીરા જેવું બનાવો. તે છે ડીટી (દૈવી)
વર્લ્ડ, આ છે ડેવિલ (આસુરી) વર્લ્ડ. સતયુગ માં કેટલું અથાહ સુખ રહે છે. તે બાપ જ આપે
છે. અહીં તમે બાપની પાસે આવ્યાં છો. અહીં બેસી તો નહીં જશો. એવું તો નથી બધા ભેગા
રહેશે કારણકે બેહદ (અનેક) બાળકો છે. અહીં તમે ખુબ ઉમંગ થી આવો છો. અમે જઈએ છીએ બેહદ
નાં બાપ પાસે. અમે ઈશ્વરીય સંતાન છીએ. ગોડ ફાધર (પરમપિતા) નાં બાળક છીએ. તો અમે કેમ
ન સ્વર્ગ માં હોવા જોઈએ. ગોડફાધર તો સ્વર્ગ રચે છે ને? હવે તમારી બુદ્ધિ માં આખાં
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી છે. જાણો છો હેવનલી ગોડફાધર અમને હેવન (સ્વર્ગ) નાં
લાયક બનાવી રહ્યાં છે. કલ્પ-કલ્પ ફરી બનાવે છે. એક પણ મનુષ્ય નથી જેમને આ ખબર હોય
કે અમે એક્ટર છીએ. ગોડફાધર નાં બાળકો પછી આપણે દુ:ખી કેમ છીએ! પરસ્પર લડીએ કેમ છીએ!
આપણે આત્માઓ બધા બ્રધર્સ (ભાઈ) છીએ ને? બ્રધર્સ પરસ્પર કેવી રીતે લડતાં રહે છે. લડી
ને ખતમ થઇ જશે. અહીં આપણે બાપ પાસેથી વારસો લઇ રહ્યાં છીએ. ભાઈઓએ પરસ્પર ક્યારેય
લૂણ-પાણી ન થવું જોઈએ. અહીં તો બાપ થી પણ લૂણ-પાણી થાય છે. સારા-સારા બાળકો લૂણ-પાણી
થઈ જાય છે. માયા કેટલી જબરજસ્ત છે. જે સારા-સારા બાળકો છે એ બાપ ને યાદ તો આવે છે.
બાપ નો કેટલો લવ (પ્રેમ) છે બાળકો પર. બાપ ને તો સિવાય બાળકો નાં બીજું કોઈ છે નહીં
જેમને યાદ કરે. તમારા માટે તો ઘણાં છે. તમારી બુદ્ધિ અહીં-ત્યાં જાય છે. ધંધા વગેરે
માં પણ બુદ્ધિ જાય છે. મારા માટે તો કોઈ ધંધો વગેરે પણ નથી. આપ બાળકોનાં અનેક ધંધા
છે. મારો તો એક જ ધંધો છે. હું આવ્યો જ છું બાળકો ને સ્વર્ગ નાં વારિસ બનાવવાં.
બેહદ નાં બાપની પ્રોપર્ટી (મિલકત) ફક્ત આપ બાળકો છો. ગોડફાધર છે ને? બધા આત્માઓ એમની
પ્રોપર્ટી છે. માયાએ છી-છી બનાવી દીધા છે. હવે ગુલ-ગુલ બનાવે છે બાપ. બાપ કહે છે
મારા તો તમે જ છો. તમારા ઉપર મારો મોહ પણ છે. ચિઠ્ઠી નથી લખતાં તો ઓના (ફિકર) થઈ
જાય છે. સારા-સારા બાળકો ની ચિઠ્ઠી નથી આવતી. સારા-સારા બાળકોને એકદમ માયા ખતમ કરી
દે છે. જરુર દેહ-અભિમાન છે. બાપ કહેતાં રહે છે પોતાની ખુશ-ખેરાફત લખો. બાબા બાળકો
થી પૂછે છે બાળકો, તમને માયા હેરાન તો નથી કરતી? બહાદુર બની માયા પર જીત મેળવી રહ્યાં
છો ને? તમે યુદ્ધ નાં મેદાન માં છો ને? કર્મેન્દ્રિયો એવી વશ કરવી જોઈએ જે કાંઈ પણ
ચંચળતા ન હોય. સતયુગ માં બધી કર્મેન્દ્રિયો વશ માં રહે છે. કર્મેન્દ્રિયો ની કોઈ
ચંચળતા નથી હોતી. ન મુખ ની, ન હાથ ની, ન કાન ની… કોઈ પણ ચંચળતા ની વાત નથી હોતી.
ત્યાં કોઈ પણ ગંદી વસ્તુ હોતી નથી. અહીં યોગબળ થી કર્મેન્દ્રિયો પર જીત મેળવો છો.
બાપ કહે છે કોઈ પણ ગંદી વાત નહીં. કર્મેન્દ્રિયો ને વશ કરવાની છે. સારી રીતે
પુરુષાર્થ કરવાનો છે. સમય ખૂબ થોડો છે. ગાયન પણ છે બહુત ગઈ થોડી રહી. હમણાં થોડી રહી
જાય છે. નવું મકાન બનતું રહે છે તો બુદ્ધિ માં રહે છે ને-બાકી થોડો સમય છે. હમણાં આ
તૈયાર થઈ જશે, બાકી આ થોડું કામ છે. તે છે હદ ની વાત, આ છે બેહદ ની વાત. આ પણ
બાળકોને સમજાવ્યું છે તેમનું છે સાયન્સ બળ, તમારું છે સાઈલેન્સ બળ છે. છે તેમનું પણ
બુદ્ધિ બળ, તમારું પણ બુદ્ધિ બળ. સાયન્સ ની કેટલી ઇન્વેન્શન (સંશોધન) કાઢતા રહે છે.
હમણાં તો એવાં બોમ્બ્સ બનાવતા રહે છે જે કહે છે ત્યાં બેઠા-બેઠા છોડીશું તો આખું
શહેર ખતમ થઇ જશે. પછી આ સેનાઓ, એરોપ્લેન વગેરે પણ કામ માં નહીં આવશે. તો તે છે
સાયન્સ બુદ્ધિ. તમારી છે સાઈલેન્સ બુદ્ધિ. તેઓ વિનાશ માટે નિમિત્ત બનેલાં છે. તમે
અવિનાશી પદ મેળવવા માટે નિમિત્ત બન્યાં છો. આ પણ સમજવાની બુદ્ધિ જોઈએ ને?
આપ બાળકો સમજી શકો
છો-બાપ કેટલો સહજ રસ્તો બતાવે છે. ભલે કેટલી પણ અહિલ્યાઓ, કુબ્જાઓ હોય, ફક્ત બે
અક્ષર યાદ કરવાના છે - બાપ અને વારસો. પછી જેટલું જે યાદ કરે. બીજા સંગ તોડી એક બાપ
ને યાદ કરવાનાં છે. બાપ કહે છે જ્યારે હું પોતાનાં ઘરે પરમધામ માં હતો તો
ભક્તિમાર્ગ માં તમે પોકારતા હતાં - બાબા તમે આવશો તો અમે બધુંજ કુરબાન કરીશું. આ થયું
જેમ કરનીઘોર, કરનીઘોર ને જૂનો સામાન અપાય છે. તમે બાપ ને શું આપશો? આમને (બ્રહ્મા
ને) તો નથી આપતાં ને? આમણે પણ બધુંજ આપી દીધું. આ થોડી અહીં બેસી મહેલ બનાવશે. આ
બધુંજ શિવબાબા નાં માટે છે. એમનાં ડાયરેક્શન થી કરી રહ્યાં છે. એ કરનકરાવનહાર છે,
ડાયરેક્શન (મર્ગદર્શન) આપતા રહે છે. બાળકો કહે છે બાબા, તમે અમારા માટે એક જ છો.
તમારા માટે તો ઘણાં બાળકો છે. બાબા પછી કહે છે મારાં માટે ફક્ત તમે બાળકો છો. તમારા
માટે તો ઘણાં છે. કેટલાં દેહ નાં સંબંધીઓ ની યાદ રહે છે. મીઠાં-મીઠાં બાળકો ને બાપ
કહે છે જેટલું થઈ શકે બાપ ને યાદ કરો બીજા બધાને ભૂલતા જાઓ. સ્વર્ગ ની રાજાઈ નું
માખણ તમને મળે છે. જરા વિચાર તો કરો, કેવી આ રમત ની રચના છે? તમે ફક્ત બાપ ને યાદ
કરો છો અને સ્વદર્શન ચક્રધારી બનવાથી ચક્રવર્તી રાજા બનો છો. હમણાં આપ બાળકો
પ્રેક્ટિકલ માં અનુભવી છો. મનુષ્ય તો સમજે છે ભક્તિ પરંપરા થી ચાલી આવી છે. વિકાર
પણ પરંપરા થી ચાલ્યાં આવે છે. આ લક્ષ્મી-નારાયણ, રાધે-કૃષ્ણ ને પણ તો બાળકો હતા ને?
અરે હા, બાળકો કેમ નહોતા, પરંતુ તેમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી. અહીં છે
સંપૂર્ણ વિકારી. એક-બીજા ને ગાળો આપતા રહે છે. હવે આપ બાળકો ને બાપ શ્રી-શ્રી ની
શ્રીમત મળે છે. તમને શ્રેષ્ઠ બનાવે છે. જો બાપનું કહેવું નહીં માનશે તો પછી થોડી
બનશે? હવે માનો કે ન માનો. સપૂત બાળકો તો તરત માનશે. પૂરી મદદ નથી આપતા તો પોતાનો
ઘાટો કરે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું. કેટલો પુરુષાર્થ કરાવું છું. કેટલી
ખુશી માં લઈ આવું છું. બાપ પાસેથી પૂરો વારસો લેવામાં જ માયા ગફલત કરાવે છે. પરંતુ
તમારે તે ફંદા માં નથી ફસાવાનું. માયા થી જ લડાઈ થાય છે. ખુબ મોટા-મોટા તોફાન આવશે.
એમાં પણ વારીસદાર પર વધારે માયા વાર કરશે. રુશ્તમ થી રુશ્તમ થઇને લડશે. જેમ વૈદ્ય
દવા આપે છે તો બીમારી બધી બહાર નીકળી આવે છે. અહીં પણ મારા બનશો તો પછી બધાની યાદ
આવવા લાગશે. તોફાન આવશે, આમાં લાઇન ક્લિયર જોઈએ. અમે પહેલાં પવિત્ર હતાં પછી અડધો
કલ્પ અપવિત્ર બન્યાં. હવે ફરી પાછાં જવાનું છે. બાપ કહે છે મને યાદ કરો તો આ
યોગ-અગ્નિ થી તમારા વિકર્મ વિનાશ થશે. જેટલું યાદ કરશો એટલું ઉચ્ચ પદ મેળવશો. યાદ
કરતાં-કરતાં તમે ઘરે ચાલ્યાં જશો, આમાં બિલકુલ અંતર્મુખતા જોઈએ. નોલેજ પણ આત્મા માં
ધારણ થાય છે ને? આત્મા જ ભણે છે. આત્મા નું જ્ઞાન પણ પરમાત્મા બાપ જ આવીને આપે છે.
આટલું ઊંચું જ્ઞાન તમે લો છો વિશ્વ નાં માલિક બનવા માટે. મને તમે કહો જ છો -
પતિત-પાવન, જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર. જે મારી પાસે છે તે તમને બધું આપું
છું. બાકી ફક્ત દિવ્ય દૃષ્ટિ ની ચાવી નથી આપતો. એની બદલે પછી તમને વિશ્વ નાં માલિક
બનાવું છું. સાક્ષાત્કાર માં કાંઈ નથી. મુખ્ય છે ભણતર. ભણતર થી તમને ૨૧ જન્મ નું
સુખ મળે છે. મીરા ની સરખામણી માં તમે પોતાનાં સુખ ની તુલના કરો. તે તો કળયુગ માં હતી,
દીદાર કર્યો પછી શું? ભક્તિ ની માળા જ અલગ છે. જ્ઞાનમાર્ગ ની માળા અલગ છે. રાવણ ની
રાજાઈ અલગ, તમારી રાજાઈ અલગ. એને દિવસ, આને રાત કહેવાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ નાં બળ
થી પોતાની કર્મેન્દ્રિયો એવી વશ કરવાની છે જે કોઈ પણ ચંચળતા ન રહે. સમય ખૂબ થોડો છે
એટલે સારી રીતે પુરુષાર્થ કરી માયાજીત બનવાનું છે.
2. બાપ જે જ્ઞાન આપે
છે તેને અંતર્મુખી બની ધારણ કરવાનું છે. ક્યારેય પણ પરસ્પર લૂણ-પાણી નથી થવાનું.
બાપ ને પોતાની ખુશ-ખેરાફત નાં સમાચાર જરુર આપવાનાં છે.
વરદાન :-
કલ્યાણકારી
વૃત્તિ દ્વારા સેવા કરવા વાળા સર્વ આત્માઓનાં દુવાઓ નાં અધિકારી ભવ
કલ્યાણકારી વૃત્તિ
દ્વારા સેવા કરવી આ જ સર્વ આત્માઓની દુવાઓ પ્રાપ્ત કરવાનું સાધન છે. જ્યારે લક્ષ રહે
છે કે અમે વિશ્વ કલ્યાણકારી છીએ તો અકલ્યાણ નું કર્તવ્ય થઈ ન શકે. જેનું કાર્ય હોય
છે તેવી પોતાની ધારણાઓ હોય છે, જો કાર્ય યાદ રહે તો સદા રહેમદિલ, સદા મહાદાની રહેશો.
દરેક કદમ માં કલ્યાણકારી વૃત્તિ થી ચાલશો, હું-પણું નહીં આવશે, નિમિત્તપણું યાદ
રહેશે. એવાં સેવાધારી ને સેવા નાં રિટર્ન માં સર્વ આત્માઓ ની દુવાઓ નો અધિકાર
પ્રાપ્ત થઈ જાય છે.
સ્લોગન :-
સાધનો નું
આકર્ષણ સાધના ને ખંડિત કરી દે છે.
અવ્યક્ત ઇશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો
અંતર્મુખી આત્માઓ
ત્રણ પ્રકારની ભાષા નાં અનુભવી હોય છે: ૧. નયનો ની ભાષા ૨. ભાવના ની ભાષા ૩. સંકલ્પ
ની ભાષા. આ ત્રણેય પ્રકાર ની ભાષા રુહાની યોગી જીવન ની ભાષા છે, જેટલા-જેટલા તમે
અંતર્મુખી સ્વીટ સાઇલેન્સ સ્વરુપ માં સ્થિત થતા જશો એટલો આ ત્રણેય ભાષાઓ દ્વારા
સર્વ આત્માઓ ને અનુભવ કરાવી શકશો. હવે આ જ રુહાની ભાષા નાં અભ્યાસી બનો.