19-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સદૈવ ખુશી માં રહો કે આપણને કોણ ભણાવે છે , તો આ પણ મનમનાભવ છે , તમને ખુશી છે કે કાલે આપણે પથ્થરબુદ્ધિ હતાં , આજે પારસ બુદ્ધિ બન્યાં છીએ”

પ્રશ્ન :-
તકદીર ખુલવાનો આધાર શું છે?

ઉત્તર :-
નિશ્ચય, જો તકદીર ખુલવામાં વાર લાગશે તો લંગડાતા રહેશે. નિશ્ચય બુદ્ધિ સારી રીતે ભણીને ગેલપ (ઝડપ) કરતા રહેશે. કોઈ પણ વાત માં સંશય છે તો પાછળ રહી જશે. જે નિશ્ચય બુદ્ધિ બની પોતાની બુદ્ધિ ને બાપ સુધી દોડાવતા રહે છે તે સતોપ્રધાન બની જાય છે.

ઓમ શાંતિ!
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) બધા સ્કૂલ માં ભણે છે તો એમને આ ખબર રહે છે કે અમારે ભણીને શું બનવાનું છે. મીઠાં-મીઠાં રુહાની બાળકો ની બુદ્ધિ માં આવવું જોઈએ કે આપણે સતયુગ પારસપુરી નાં માલિક બનીએ છીએ. આ દેહ નાં સંબંધ વગેરે બધું છોડવાનું છે. હવે આપણે પારસપુરી નાં માલિક પારસનાથ બનવાનું છે, આખો દિવસ આ ખુશી રહેવી જોઈએ. સમજો છો - પારસપુરી કોને કહેવાય છે? ત્યાં મકાન વગેરે બધું સોના-ચાંદી નું હોય છે. અહીં તો પથ્થરો ઈંટો નાં મકાન છે. હવે ફરી તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનો છો. પથ્થરબુદ્ધિ ને પારસબુદ્ધિ જ્યારે પારસનાથ બનાવવા વાળા બાપ આવે ત્યારે બનાવે ને? તમે અહીં બેઠાં છો, જાણો છો અમારી સ્કૂલ ઊંચા માં ઊંચી છે. આનાથી મોટી સ્કૂલ કોઈ હોતી નથી. આ સ્કૂલ દ્વારા તમે કરોડ પદમ ભાગ્યશાળી વિશ્વ નાં માલિક બનો છો, તો આપ બાળકો ને કેટલી ખુશી રહેવી જોઈએ? આ પથ્થરપુરી થી પારસપુરી માં જવાનો આ પુરુષોત્તમ સંગમયુગ છે. કાલે પથ્થર બુદ્ધિ હતાં, આજે પારસ બુદ્ધિ બની રહ્યાં છો. આ વાત સદૈવ બુદ્ધિ માં રહે તો પણ મનમનાભવ જ છે. સ્કૂલ માં શિક્ષક આવે છે ભણાવવા માટે. સ્ટુડન્ટ ને દિલ માં રહે છે હમણાં શિક્ષક આવ્યાં કે આવ્યાં. આપ બાળકો પણ સમજો છો - આપણા શિક્ષક તો સ્વયં ભગવાન છે. એ આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે તો જરુર સંગમ પર આવશે. હમણાં તમે જાણો છો મનુષ્ય પોકારતા રહે છે અને એ અહીંયા આવી ગયા છે. કલ્પ પહેલાં પણ આવું થયું હતું ત્યારે તો લખેલું છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કારણકે તેઓ છે પથ્થરબુદ્ધિ. તમારી છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ. તમે પારસ બુદ્ધિ બની રહ્યાં છો. તો એવી કોઈ યુક્તિ કાઢવી જોઈએ જે મનુષ્ય જલ્દી સમજે. અહીં પણ અનેક ને લઈ આવે છે, તો પણ કહે છે શિવબાબા બ્રહ્મા તન માં કેવી રીતે ભણાવતા હશે? કેવી રીતે આવતા હશે? કાંઈ પણ સમજતા નથી. આટલાં બધા સેવાકેન્દ્ર પર આવે છે. નિશ્ચય બુદ્ધિ છે ને? બધા કહે છે શિવ ભગવાનુવાચ, શિવ જ બધા નાં બાપ છે. શ્રીકૃષ્ણ ને થોડી બધા નાં બાપ કહેવાશે? આમાં મુંઝવાની તો વાત જ નથી. પરંતુ તકદીર મોડે થી ખુલવાની છે તો પછી લંગડાતા રહે છે. ઓછું ભણવા વાળા ને કહેવાય છે - આ લંગડાય છે. સંશય બુદ્ધિ પાછળ રહી જશે. નિશ્ચય બુદ્ધિ, સારી રીતે ભણવા વાળા આગળ ગેલપ કરતા રહેશે. કેટલું સિમ્પલ (સરળ) સમજાવાય છે. જેમ બાળકો દોડ લગાવીને નિશાન સુધી જઈને પછી પાછા આવે છે. બાપ પણ કહે છે બુદ્ધિ ને જલ્દી શિવબાબા પાસે દોડાવશો તો સતોપ્રધાન બની જશો. અહીં સમજે પણ સારું છે. તીર લાગે છે તો પણ બહાર જવાથી ખલાસ થઈ જાય છે. બાબા જ્ઞાન ઇન્જેક્શન લગાવે છે તો તેનો નશો ચઢવો જોઈએ ને? પરંતુ ચઢતો જ નથી. અહીં જ્ઞાનઅમૃત નો પ્યાલો પીવે છે તો અસર થાય છે. બહાર જવાથી જ ભૂલી જાય છે. બાળકો જાણે છે-જ્ઞાનસાગર, પતિત-પાવન સદ્દગતિ દાતા, લિબ્રેટર (મુક્તિદાતા) એક જ બાપ છે. એ જ દરેક વાત નો વારસો આપે છે. કહે છે બાળકો તમે પણ પૂરાં સાગર બનો. જેટલું મારા માં જ્ઞાન છે એટલું તમે પણ ધારણ કરો.

શિવબાબા ને દેહ નો નશો નથી. બાપ કહે છે બાળકો હું તો સદૈવ શાંત રહું છું. તમને પણ જ્યારે દેહ નહોતો તો નશો નહોતો. શિવબાબા થોડી કહે છે આ મારી વસ્તુ છે? આ તન લોન લીધું છે, લોન લીધેલી વસ્તુ પોતાની થોડી થઈ? મેં આમનાં માં પ્રવેશ કર્યો છે, થોડા સમય માટે સર્વિસ (સેવા) કરવા અર્થ. હવે આપ બાળકોએ પાછા ઘરે જવાનું છે, દોડ લગાવવાની છે ભગવાન ને મળવા માટે. આટલાં યજ્ઞ-તપ વગેરે કરતા રહે છે, સમજે થોડી છે એ મળશે કેવી રીતે? સમજે છે કોઈ ન કોઈ રુપ માં ભગવાન આવી જશે. બાપ સમજાવે તો ખૂબ સહજ છે, પ્રદર્શન માં પણ તમે સમજાવો. સતયુગ-ત્રેતા ની આયુ પણ લખેલી છે. તેમાં ૨૫૦૦ વર્ષ સુધી બિલકુલ એક્યુરેટ (સચોટ) છે. સૂર્યવંશી પછી હોય છે ચંદ્રવંશી પછી દેખાડો રાવણ નું રાજ્ય શરું થયું અને ભારત પતિત થવા લાગ્યું. દ્વાપર-કળિયુગ માં રાવણ રાજ્ય થયું, તિથિ-તારીખ લાગેલી છે. વચ્ચે રાખો સંગમયુગ. રથી પણ જરુર જોઈએ ને? આ રથ માં પ્રવેશ થઈ બાપ રાજયોગ શીખવાડે છે, જેનાથી આ લક્ષ્મી-નારાયણ બને છે. કોઈને પણ સમજાવવું તો ખૂબ સહજ છે. લક્ષ્મી-નારાયણ ની ડિનાયસ્ટી (વંશજ) કેટલો સમય ચાલે છે. બીજા બધા કુળ છે હદ નાં, આ છે બેહદ નું. આ બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણવી જોઈએ ને? હમણાં છે સંગમયુગ. ફરી દૈવી રાજય સ્થાપન થઈ રહ્યું છે. આ પથ્થરપુરી, જૂની દુનિયા નો વિનાશ થવાનો છે. વિનાશ ન થાય તો નવી દુનિયા કેવી રીતે બનશે? હવે કહે છે ન્યુ દિલ્લી. હવે આપ બાળકો જાણો છો ન્યુ દિલ્લી ક્યારે થશે? નવી દુનિયામાં નવી દિલ્લી હોય છે. ગાય પણ છે જમુના નાં કાંઠા પર મહેલ હોય છે. જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય છે ત્યારે કહેવાશે નવી દિલ્લી, પારસપુરી. નવું રાજ્ય તો સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું જ હોય છે. મનુષ્ય તો આ પણ ભૂલી ગયા છે કે ડ્રામા કેવી રીતે શરુ થાય છે. કોણ-કોણ મુખ્ય એક્ટર્સ છે, તે જાણવું જોઈએ ને? એક્ટર્સ તો ઘણાં છે એટલે મુખ્ય એક્ટર્સ ને તમે જાણો છો. તમે પણ મુખ્ય એક્ટર્સ બની રહ્યાં છો. સૌથી મુખ્ય પાર્ટ તમે ભજવી રહ્યાં છો. તમે રુહાની સોશિયલ વર્કર્સ (સમાજ સેવક) છો. બાકી બધા સોશિયલ વર્કર્સ છે શરીરધારી. તમે રુહો ને સમજાવો છો, ભણે રુહ છે. મનુષ્ય સમજે છે શરીર ભણે છે. આ કોઈને પણ ખબર નથી કે આત્મા ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા ભણે છે. હું આત્મા બેરિસ્ટર વગેરે બનું છું. બાબા આપણને ભણાવે છે. સંસ્કાર પણ આત્મા માં રહે છે. સંસ્કાર લઈ જઈશું પછી આવીને નવી દુનિયામાં રાજ્ય કરીશું. જેમ સતયુગ માં રાજધાની ચાલી હતી તેમ જ શરું થઈ જશે. આમાં કાંઈ પૂછવાની જરુર નથી રહેતી. મુખ્ય વાત છે - દેહ-અભિમાન માં ક્યારેય ન આવો. સ્વયં ને આત્મા સમજો. કોઈ પણ વિકર્મ ન કરો. યાદ માં રહો, નહીં તો એક વિકર્મ નો બોજ સો ગુણા થઈ જશે. હડગુડ (હાડકા) એકદમ તૂટી જાય છે. એમાં પણ મુખ્ય વિકાર છે કામ. ઘણાં કહે છે - બાળકો હેરાન કરે છે પછી મારવા પડે છે. હવે આ કાંઈ પૂછવાનું નથી રહેતું. આ તો નાનું પાઈ-પૈસા નું પાપ કહેવાશે. તમારા માથા પર તો જન્મ-જન્માંતર નાં પાપ છે, પહેલાં તેને તો ભસ્મ કરો. બાપ પાવન ભનવાનો ખૂબ સહજ ઉપાય બતાવે છે. તમે એક બાપ ની યાદ થી પાવન બની જશો. ભગવાનુવાચ - બાળકો પ્રત્યે, આપ આત્માઓ સાથે વાત કરું છું. બીજા કોઈ મનુષ્ય આવું સમજી ન શકે. તે તો પોતાને શરીર જ સમજે છે. બાપ કહે છે હું આત્માઓ ને સમજાવું છું. ગવાય પણ છે, આત્માઓ અને પરમાત્મા નો મેળો લાગે છે, આમાં કોઈ અવાજ વગેરે નથી કરવાનો. આ તો ભણતર છે. દૂર-દૂર થી આવે છે બાબા ની પાસે. નિશ્ચય બુદ્ધિ જે હશે તેમને જોર થી કશિશ થશે આગળ ચાલીને. હમણાં એટલી કશિશ કોઈને થતી નથી કારણ કે યાદ નથી કરતાં. મુસાફરી થી જ્યારે પાછા ફરે છે, ઘર ની નજીક આવે છે તો મકાન યાદ આવશે, બાળકો યાદ આવશે, ઘરે પહોંચતા જ ખુશી માં આવી ને મળશે. ખુશી વધતી જશે. પહેલાં-પહેલાં સ્ત્રી યાદ આવશે પછી બાળકો વગેરે યાદ આવશે. તમને યાદ આવશે કે અમે ઘરે જઈએ છીએ ત્યાં બાપ અને બાળકો જ હોય છે. ડબલ ખુશી થાય છે. શાંતિધામ ઘરે જઈશું પછી આવીશું રાજધાની માં. બસ, યાદ જ કરવાનું છે, બાપ કહે છે મનમનાભવ. પોતાને આત્મા સમજી બાપ અને વારસા ને યાદ કરો. બાબા આપ બાળકો ને ગુલ-ગુલ બનાવીને, નયનો પર બેસાડીને સાથે લઈ જાય છે. જરા પણ તકલીફ નથી. જેમ મચ્છરો નું ઝુંડ જાય છે ને? તમે આત્માઓ પણ એમ જશો બાપ ની સાથે. પાવન બનવા માટે તમે બાપ ને યાદ કરો છો, ઘર ને નહીં.

બાબા ની નજર પહેલાં-પહેલાં ગરીબ બાળકો પર જાય છે. બાબા ગરીબ નિવાઝ છે ને? તમે પણ ગામડા માં સર્વિસ (સેવા) કરવા જાઓ છો. બાપ કહે છે હું પણ તમારા ગામડા ને આવીને પારસપુરી બનાવું છું. હમણાં તો આ નર્ક જૂની દુનિયા છે. આને જરુર તોડવી પડે. નવી દુનિયા માં નવી દિલ્લી, તે સતયુગ માં જ હશે. ત્યાં રાજ્ય પણ તમારું હશે. તમને નશો ચઢે છે આપણે ફરી થી આપણી રાજધાની સ્થાપન કરીશું. જેમ કલ્પ પહેલાં કરી હતી. એવું થોડી કહીશું અમે આવાં-આવાં મકાન બનાવશું. ના, તમે જશો ત્યાં તો ઓટોમેટીક (આપોઆપ) તમે તે બનાવવા લાગી જશો કારણકે તે આત્મા માં પાર્ટ ભરેલો છે. અહીં પાર્ટ છે ફક્ત ભણવાનો. ત્યાં તમારી બુદ્ધિ માં જાતે જ આવશે કે આવાં-આવાં અમે મહેલ બનાવીએ. જેમ કલ્પ પહેલાં બનાવ્યાં હતાં, તે બનાવવા લાગી જશો. આત્મા માં પણ પહેલાં થી જ નોંધ છે. તમે એ જ મહેલ બનાવશો જે મહેલો માં તમે કલ્પ-કલ્પ રહો છો. આ વાતો ને નવું કોઈ સમજી ન શકે. તમે સમજો છો અમે આવીએ છીએ, નવાં-નવાં પોઈન્ટ્સ (વાત) સાંભળી રિફ્રેશ થઈને જઈએ છીએ. નવાં-નવાં પોઈન્ટ્સ નીકળે છે, આ પણ ડ્રામા માં નોંધ છે.

બાબા કહે છે બાળકો, હું આ બળદ પર (રથ પર) સદૈવ સવારી કરું, આમાં મને સુખ નથી ભાસતું (મળતું). હું તો આપ બાળકો ને ભણાવવા આવું છું. એવું નથી, બળદ પર સવારી કરીને બેઠાં જ છે. રાત-દિવસ બળદ પર સવારી થાય છે શું? એમનું તો સેકન્ડ માં આવવા-જવાનું હોય છે. સદૈવ બેસવા નો કાયદો જ નથી. બાબા કેટલાં દૂર થી આવે છે ભણાવવા માટે, ઘર તો એમનું એ છે ને? આખો દિવસ શરીર માં થોડી બેસશે, એમને સુખ જ નહીં આવશે. જેમ પાંજરા માં પોપટ ફસાઈ જાય છે. હું તો આ લોન લઉ છું તમને સમજાવવા માટે. તમે કહેશો જ્ઞાન નાં સાગર બાબા આવે છે અમને ભણાવવા માટે. ખુશી માં રોમાંચ ઉભા થઈ જવા જોઈએ. તે ખુશી પછી ઓછી થોડી થવી જોઈએ? આ ધણી તો સ્થાઈ બેઠાં છે. એક બળદ પર બે ની સવારી સદૈવ થશે શું? શિવબાબા રહે છે પોતાનાં ધામ માં. અહીં આવે છે, આવવામાં વાર થોડી લાગે છે? રોકેટ જુઓ કેટલાં તીવ્ર હોય છે. અવાજ થી પણ તીખા (ઝડપી) આત્મા પણ ખૂબ નાનું રોકેટ છે. આત્મા ભાગે કેવી રીતે છે, અહીં થી ઝટ ગયો લન્ડન. એક સેકન્ડ માં જીવનમુક્તિ ગવાયેલી છે. બાબા સ્વયં પણ રોકેટ છે. કહે છે હું તમને ભણાવવા માટે આવું છું. પછી જાઉં છું પોતાનાં ઘરે. આ સમયે ખૂબ બિઝી (વ્યસ્ત) રહું છું. દિવ્ય દૃષ્ટિ દાતા છું, તો ભક્તો ને રાજી કરવાના હોય છે. તમને ભણાવું છું. ભક્તો નું દિલ હોય છે સાક્ષાત્કાર થાય અથવા કાંઈ ને કાંઈ ભીખ માંગે છે. સૌથી વધારે ભીખ જગતઅંબા પાસે થી માંગે છે. તમે પણ જગતઅંબા છો ને? તમે વિશ્વ ની બાદશાહી ની ભીખ આપો છો. ગરીબો ને ભીખ મળે છે ને? હું પણ ગરીબ છું તો શિવબાબા સ્વર્ગ ની બાદશાહી ભીખ માં આપે છે. ભીખ કાંઈ બીજું નથી, ફક્ત કહે છે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. શાંતિધામ માં ચાલ્યાં જશો. મને યાદ કરો તો હું ગેરંટી કરું છું તમારું આયુષ્ય પણ લાંબુ થઈ જશે. સતયુગ માં મૃત્યુ નું નામ નથી હોતું. તે છે અમર લોક, ત્યાં મૃત્યુ નું નામ નથી હોતું. ફક્ત એક ખાલ છોડી બીજી લે છે, આને મૃત્યુ કહેવાશે શું? તે છે અમરપુરી. સાક્ષાત્કાર થાય છે અમારે બાળક બનવાનું છે. ખુશી ની વાત છે. બાબા ને મન થાય છે હવે જઈને બાળક બનું. જાણે છે ગોલ્ડન સ્પૂન ઈન માઉથ (સોના ની ચમચી મુખ માં) હશે. એક જ સિકિલધા બાપ નું બાળક છું. બાપે એડોપ્ટ કર્યો છે. હું સિકીલધો બાળક છું તો બાબા કેટલો પ્રેમ કરે છે. એકદમ પ્રવેશ કરી લે છે. આ પણ રમત છે ને? રમત માં હંમેશા ખુશી થાય છે. આ પણ જાણે છે જરુર ખૂબ-ખૂબ ભાગ્યશાળી રથ હશે. જેનાં માટે ગાયન છે જ્ઞાનસાગર, આમનાં માં પ્રવેશ કરી તમને જ્ઞાન આપે છે. આપ બાળકો માટે એક જ ખુશી ઘણી છે - ભગવાન આવીને ભણાવે છે. ભગવાન સ્વર્ગ ની રાજાઈ સ્થાપન કરે છે. આપણે એમનાં બાળક છીએ તો પછી આપણે નર્ક માં કેમ છીએ? આ કોઈની પણ બુદ્ધિ માં નથી આવતું. તમે તો ભાગ્યશાળી છો જે વિશ્વ નાં માલિક બનવા માટે ભણો છો. આવાં ભણતર પર કેટલું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જ ડબલ ખુશી માં રહેવાનું છે કે હવે મુસાફરી પૂરી થઈ, પહેલાં આપણે પોતાનાં ઘરે શાંતિધામ માં જઈશું પછી પોતાની રાજધાની માં આવીશું.

2. માથા પર જે જન્મ-જન્માન્તર નાં પાપો નો બોજ છે એને ભસ્મ કરવાનો છે, દેહ-અભિમાન માં આવીને કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
શ્રેષ્ઠ સંકલ્પો નાં સહયોગ દ્વારા સર્વ માં શક્તિ ભરવા વાળા શક્તિશાળી આત્મા ભવ

સદા શક્તિશાળી ભવ નું વરદાન પ્રાપ્ત કરી સર્વ આત્માઓ માં શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા બળ ભરવાની સેવા કરો. જેવી રીતે આજકાલ સૂર્ય ની શક્તિ જમા કરી અનેક કાર્ય સફળ કરે છે. એવી રીતે શ્રેષ્ઠ સંકલ્પો ની શક્તિ એટલી જમા હોય જે બીજાઓ નાં સંકલ્પો માં બળ ભરી દો. આ સંકલ્પ ઇન્જેક્શન નું કામ કરે છે. આનાથી અંદર વૃત્તિ માં શક્તિ આવી જાય છે. તો હવે શ્રેષ્ઠ ભાવના તથા શ્રેષ્ઠ સંકલ્પ થી પરિવર્તન કરવું - આ સેવા ની આવશ્યક્તા છે.

સ્લોગન :-
માસ્ટર દુઃખહર્તા બની દુઃખ ને પણ સુખ માં પરિવર્તન કરવું - આ જ તમારું શ્રેષ્ઠ કર્તવ્ય છે.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

કોઈ-કોઈ બાળકો ક્યારેક-ક્યારેક મોટો ખેલ દેખાડે છે. વ્યર્થ સંકલ્પ એટલાં ફોર્સ થી આવે જે કંટ્રોલ નથી કરી શકતા, પછી એ સમયે કહે છે શું કરીએ, થઈ ગયું ને! રોકી નથી શકતા, જે આવ્યું તે કરી લીધું પરંતુ વ્યર્થ માટે કંટ્રોલિંગ પાવર જોઈએ. જેવી રીતે સમર્થ સંકલ્પ નું ફળ પદમગુણા મળે છે. એવી રીતે જ એક વ્યર્થ સંકલ્પ નો હિસાબ-કિતાબ ઉદાસ થવું, દિલ શિકસ્ત થવું કે ખુશી ગાયબ થવી આ પણ એક નો અનેક ગુણા નાં હિસાબ થી અનુભવ થાય છે.